Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 51
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૭ ચૌદ ગુણસ્થાનો સિદ્ધાન્તચક્રવર્તી નેમિચંદ્રાચાર્ય (વ્યક્તિત્વ અને કર્તુત્વ) जह चक्केण य चक्की, छक्खंडं साहियं अविऽघेण। तह मइ चक्केण मया, छक्खंडं साहियं सम्म ।। જેવી રીતે સુદર્શન ચક્ર વડ ચક્રવર્તી છ ખંડોને સાધે છે (જીતી લે છે), તેવી રીતે મેં (નેમિચંદ્ર) પોતાના બુદ્ધિરૂપી ચક્ર વડે પખંડાગમરૂપ મહાન સિદ્ધાન્તને સાધ્યા છે. તેથી તેઓ સિદ્ધાન્તચકવતી કહેવાયા. તેઓ પ્રસિદ્ધ રાજા ચામુંડરાયના સમકાલીન હતા, અને ચામુંડરાયનો સમય અગિયારમાં સૈકાનો પૂર્વાર્ધ છે, તેથી આચાર્ય નેમિચંદ્ર પણ આ સમયમાં ભારતભૂમિને અલંકૃત કરી રહ્યા હતા. તેઓ કોઈ સાધારણ વિદ્વાન ન હતા; એમણે રચેલા ગોમ્મસાર જીવકાંડ, ગોમ્મસાર કર્મકાંડ, ત્રિલોકસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર વગેરે ઉપલબ્ધ ગ્રંથો તેમની અસાધારણ વિદ્વત્તા અને “સિદ્ધાન્તચક્રવર્તી” પદવીને સાર્થક કરે છે. એમણે ચામુંડરાયના આગ્રહથી સિદ્ધાંત-ગ્રંથોના સાર રૂપે ગોમટસાર ગ્રંથની રચના કરી છે, જેના જીવકાંડ અને કર્મકાંડ નામના બે મહા-અધિકાર છે. જીવકાંડની અધિકાર સંખ્યા ૨૨ અને ગાથા સંખ્યા ૭૩૩ છે અને કર્મકાંડની અધિકાર સંખ્યા ૯ તથા ગાથા સંખ્યા ૯૭ર છે. આ સમગ્ર ગ્રંથનું બીજું નામ પંચસંગ્રહ પણ છે, કેમ કે તેમાં નીચે જણાવેલી પાંચ વાતોનું વર્ણન છે :-- (૧) બંધ (૨) બધ્યમાન (૩) બંધસ્વામી (૪) બંધહેતુ અને (૫) બંધભેદ. ૪૯ Please inform us of any errors on [email protected]

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83