Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 33
________________ ઊભાં કરી, તે મારફત આગળ વધવાની યોજનાને અમલમાં મૂકવા અહીં સ્વદેશીની ભાવના ફેલાવવામાં આવી અને પરદેશી ભાવનાને ધિક્કારવામાં આવી. “સ્વદેશી” “સ્વદેશી”ની બૂમ ઊઠી રહી. પરદેશીનો બોયકૉટ થવા લાગ્યો. એટલે પેલા સુધારક ગણાતા વર્ગનો ઉપયોગ સ્વદેશી હિલચાલમાં કરવામાં આવ્યો. આજ સુધી જે માલ બનાવવા માટે કારખાનાં વિલાયતમાં હતાં, તેવો જ માલ બનાવવાના કારખાનાં આ દેશમાં કરવાં. તેમાં પરદેશી મૂડી, દેશી કાચો માલ, દેશી મજૂરી અને પરદેશી શોધનાં યંત્રોથી માલ ઉત્પન્ન કરવો. પરંતુ એ માલના વકરાનું ક્ષેત્ર ક્યાંથી કાઢવું? એ માલનું વકરાના ક્ષેત્ર ઊભું કરવા સ્વદેશી હિલચાલને મોટા પ્રમાણમાં ઉત્તેજન આપવામાં આવ્યું. એટલે ત્યાંની વધી પડેલી મૂડીને રોકવાનું અહીં ક્ષેત્ર ખડું થઈ ગયું. ત્યાંનાં કારખાનાઓની જમીન છૂટી થઈ, ઘણી મૂડી છૂટી થઈ, કામ કરનારા છૂટા થયા, જેથી હવે પછી નવા નવા અખતરાઓ માટે તે બધું રોકવા માટે તે ગોઠવણ ત્યાં થઈ શકે અને ઊતરતા દરજ્જાના કારીગરો, વધારાની મૂડી વગેરે અહીં રોકવાની ગોઠવણ પણ થઈ શકે, બેકારીની બૂમ ઉપાડીને ત્યાંના કારીગરો અને મજૂરોને અહીં પણ આયાત કરવાનો માર્ગ ખુલ્લો ર્યો. દેશી લોકો તેનાં યંત્રોના ધંધામાં ભળે તેવી સગવડો થઈ. વ્યવસ્થિત મજૂરો મળે માટે મજૂર સંઘો સ્થપાય છે. મોટી સંખ્યામાં સસ્તા મજૂરો મળે માટે સ્ત્રીવર્ગને આર્થિક સ્વતંત્રતાને નામે દેશનાયકો મારફત ઉશ્કેરવામાં આવે ૨ ૬

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94