________________
શ્રી અભયદેવસૂરિજી મહારાજાના સ્વર્ગવાસના સંબંધમાં પ્રભાવક-ચરિત્રમાં કહ્યું છે કે- સૂરિજી મહારાજ પાટણમાં કર્ણ રાજાના રાજયમાં દેવલોક પામ્યા. આ વાક્યનો અર્થ એમ પણ સંભવે છે કે- કર્ણના રાજ્યકાળમાં તેઓ પાટણમાં સ્વર્ગવાસ પામ્યા. પરંતુ પટ્ટાવલિઓના લેખ પ્રમાણે તો ઘણાખરા એમ માને છે કે, કપડવંજમાં સૂરિજી સ્વર્ગે ગયા. સંવતનો વિચાર એ છે કે પટ્ટાવલિમાં સં૦ ૧૧૩૫માં સ્વર્ગે ગયા, એમ કહ્યું, ત્યારે બીજો મત એ પણ છે કે ૧૧૩૯માં સ્વર્ગે ગયા.
ઉપર જણાવેલા વૃત્તાંતમાંનો કેટલોક વૃત્તાંત શ્રીગિરનારના લેખને અનુસારે જણાવેલ છે. વિ૦ નં૦ ૧૩૬૮ની સાલમાં આ બિંબને ઉપદ્રવના કારણે ખંભાતમાં લાવવામાં આવ્યું. એથી એમ જણાય છે કે – કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી અને મંત્રી વસ્તુપાલના સમયમાં આ પ્રતિમાજી થાંભણા ગામમાં હતાં.
મહાચમત્કારી નીલમણિમય શ્રી સ્તંભનપાર્શ્વનાથની પ્રતિમાની વર્તમાન બીના આ બિંબનાં દર્શનાદિ કરવાથી વર્તમાનમાં પણ કોઢ
૧. આણંદ સ્ટેશનની નજીકમાં આ ગામ છે. એનું જૂનું નામ સ્તંભનપુર હતું. ડાકોર-ઉમરેઠ પાસે, સેઢી નદીના કિનારે હાલ થામણા ગામ વિદ્યમાન છે.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ જી ૪૪