Book Title: Shraddh Vidhi Prakaran
Author(s): Somsundarsuri
Publisher: Shantichandrasuri Jain Gyamandir

View full book text
Previous | Next

Page 372
________________ ચર્તુથ પ્રકાશ ચાતુર્માસિક કૃત્ય ૩૫૧ વ્યાખ્યાન સાંભળવું, ગણવું, એટલાં કામોને વિષે તથા જિનમંદિરનાં સર્વે કામોને વિષે ઉદ્યમ કરવો. આઠમ, ચૌદશ, કલ્યાણક તિથિઓમાં તપ વિશેષ કરેલા હોય તેવા લોકોને ધર્મ પમાડવા વર્ષ દિવસમાં ઉઘાપન મહોત્સવ કરવો, ધર્મને અર્થે મુહપત્તિ, પાણીનાં ગળણાં તથા ઔષધ વગેરે આપવાં, યથાશક્તિ સાધર્મિક-વાત્સલ્ય કરવું, અને ગુરુનો વિનય સાચવવો, દર મહિને સામાયિક તથા દર વર્ષે પૌષધ તથા અતિથિસંવિભાગ યથાશક્તિ ક૨વો.” આ રીતે શ્રાવક-શ્રાવિકાના ચોમાસા સંબંધી નિયમ કહ્યા છે. રાજકુમારનું કથાનક હવે આ વિષય સંબંધી આ પ્રમાણે કથા છે. વિજયપુરમાં વિજયસેન નામે રાજા હતો. તેને ઘણા પુત્રો હતા. તેમાં વિજયશ્રી રાણીનો પુત્ર રાજ્ય ચલાવવા લાયક થયો, એમ જાણી રાજાએ તેને આદર-સન્માન દેવાનું મૂકી દીધું. એમ કરવામાં રાજાનો એવો અભિપ્રાય હતો કે, "બીજા પુત્રો અદેખાઈથી એને મારી નાંખે નહીં” તેથી રાજકુમારને ઘણું દુઃખ થયું. તે મનમાં વિચારવા લાગ્યો કે, "પગથી હણાયેલી ધૂળ હણનારને માથે ચઢે છે, માટે મૂંગે મોઢે અપમાન સહન કરનાર માણસ કરતાં ધૂળ ઉત્તમ છે, એવું નીતિશાસ્ત્રનું વચન છે, માટે મારે અહીં રહીને શું કરવું છે ? હું હવે પરદેશ જઈશ. કેમકે જે પુરુષ ઘરમાંથી બહાર નીકળીને સેંકડો આશ્ચર્યથી ભરેલા સંપૂર્ણ પૃથ્વીમંડળને જોતો નથી, તે કૂવાના દેડકા જેવો છે. પૃથ્વીમંડળને વિષે ભ્રમણ કરનારા પુરુષો દેશદેશની ભાષાઓ જાણે છે, દેશદેશના વિચિત્ર રિવાજ જાણે છે, અને વિવિધ પ્રકારના આશ્ચર્યકારી ચમત્કાર જુએ છે.” રાજકુમાર એમ વિચારી રાત્રિએ કોઈ ન જાણે તેવી રીતે હાથમાં તરવાર લઈ બહાર નીકળ્યો અને પૃથ્વી વિષે પોતાની ઈચ્છા પ્રમાણે ફરવા લાગ્યો. કોઈ વખતે અટવીમાં ફરતાં બપોરના વખતે ભૂખ-તરસથી બહુ હેરાન થયો. એટલામાં સર્વાંગે દિવ્ય આભૂષણ પહેરેલો એક દિવ્ય પુરુષ આવ્યો. તેણે સ્નેહપૂર્વક તેની સાથે કેટલીક વાર્તા કરી અને કુમા૨ને એક સર્વે પ્રકારના ઉપદ્રવને દૂર કરનારું અને બીજું સર્વ ઉત્તમ વસ્તુને આપનારું એવા બે રત્ન આપ્યાં. કુમારે "તું કોણ છે ?" એમ તેને પૂછયું, ત્યારે તેણે કહ્યું કે, "જ્યારે તું તારા શહે૨માં જઈશ ત્યારે મુનિરાજના વચનથી મારું ચારિત્ર જાણીશ.” પછી રાજકુમાર તે રત્નોના મહિમાથી સર્વ ઠેકાણે યથેચ્છ વિલાસ કરતો રહ્યો. એક વખતે પડહનો ઉદ્ઘોષ સાંભળવાથી તેના જાણવામાં આવ્યું કે, "કુસુમપુરનો દેવશર્મા નામે રાજા આંખના દરદથી ઘણી જ વેદના ભોગવે છે.” પછી રાજકુમારે તુરત જ ત્યાં જઈ રત્નના પ્રભાવથી આંખની ઈજા દૂર કરી. રાજાએ પ્રસન્ન થઈ રાજકુમારને પોતાનું રાજ્ય તથા પુણ્યશ્રી નામે પુત્રી આપી પોતે દીક્ષા લીધી. પછી કુમારના પિતાએ પણ કુમારને રાજ્ય ઉપર બેસાડી પોતે દીક્ષા લીધી. આ રીતે રાજકુમાર બે રાજ્યો ચલાવવા લાગ્યો. એક વખતે ત્રણ જ્ઞાનના ધણી થયેલા દેવશર્મા રાજર્ષિએ કુમારનો પૂર્વભવ આ પ્રમાણે કહ્યો કે "ક્ષેમાપુરીને વિષે સુવ્રત નામે શેઠ હતો, તેણે ગુરુની પાસે પોતાની શક્તિ પ્રમાણે ચોમાસા સંબંધી નિયમ લીધા હતા. તેનો એક ચાકર હતો, તે પણ દરેક વર્ષાકાળના ચોમાસામાં રાત્રિભોજનનો તથા

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422