Book Title: Shastra Vartta Samucchay Part 02
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasuri Gyanmandir

View full book text
Previous | Next

Page 223
________________ ઉપર જણાવેલ બે હેતુમાંથી દુષ્ટ અને ઈષ્ટ વડે વિરોધ બતાવીને અનાસ પુરુષ પ્રણતપણું બતાવે છે – दृष्टेष्टाभ्यां विरोधाच, तेषां नाप्तप्रणीवता । नियमाद् गम्यते यमात्, तदसावेव दयते ॥ २९ ॥ १४ ॥ જ્યાં જ્યાં દષ્ટ અને ઈષ્ટને વિરોધ હોય ત્યાં ત્યાં આપ્તપુરષ પ્રણીતપણું નથી” આવો નિયમ હોવાથી નીચેના શ્લોકથી દષ્ટ અને ઇષ્ટથી વિરોધ જ બતાવવામાં આવે છે. જેનાથી અનાપ્ત પુરુષ પ્રણીતપણું પણ આવી જાય છે. (૨૯) તેમાં પણ પ્રથમ મંડલ તત્વવાદિ મતને આશ્રિને દgવડે વિરોધબતાવે છે – अगम्यागमनादीनां, धर्मसाधनता कचित् । उक्ता लोकप्रसिद्धेन, प्रत्यक्षेण विरुध्यते ॥ १० ॥१४२ ॥ માધ્યચ્ચ ગુણ એ મુક્તિનું કારણ છે” એ માધ્ય ગુણનું રક્ષણ કરવા માટે સ્વસ્ત્રીની જેમ ભગિની-કન્યા-વિધવા-પરસ્ત્રી–વેશ્યા વગેરેના ભોગો પણ ભોગવવા જોઈએ. એ રીતે જો ન કરવામાં આવે તે એકના પ્રત્યે રાગ અને બીજાના પ્રત્યે દ્વેષ થવાથી માધ્યસ્થ ગુણ ટકી શકો નથી. આ રીતે તાન્ત્રિક મતની અગમ્ય ગમનાદિકની જે ધર્મસાધના તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. અર્થાત્ આબાલ ગોપાલને પૂછો કે તમે ભગિની આદિનો ભોગ કરી શકો ખરા ? ત્યારે તે (શ્રત નિશ્રિતાદિ મતિથી) કહેશે કે આ વાત હોઈ શકે જ નહીં, માટે દૃષ્ટનો વિરોધ છે. (૩૦) હવે તાન્ત્રિકમતમાં જ ઈષ્ટ વિરોધ બતાવે છે – स्वधर्मोत्कर्षा(र्षणा)देव, तथा मुक्तिरपीप्यते । हेत्वभावेन तद्भावो, नित्य इष्टेन बाध्यते ॥ ३१ ॥ १४३ ॥ સ્વાભિમત જે ધર્મ (અગમ્ય ગમનાદિ ધર્મ) તેના પ્રકર્ષથી જ તાન્ત્રિકવાદીઓ મુક્તિને ઈચ્છે છે. જગતની નિખિલ અગમ્ય સ્ત્રીઓનો જો ભોગ કરવામાં આવે તો જ તે પરાકાષ્ઠાએ પહોંચેલ ધર્મ કહેવાય. અને તે વસ્તુ તે અશક્ય છે, માટે હેતુનો અભાવ હોવાથી મુક્તિની પ્રાપ્તિ નિહેતુક થઈ

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262