Book Title: Shashwat Giri Mahima
Author(s): Rushabhdas Kavi, Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 24
________________ -: શાશ્વત ગિરિ મહિમા : ડોશીમાં બેઠા હતા તે બોલ્યા કે- “અરે વ્હેનો !ખાલી વાદ શા સારૂ કરો છો? કાળી શી અને ગોરી શી ! રૂપથી મોટાઇ મનાતી નથી, પરંતુ ગુણથી ગણાય છે, માટે આ જગતમાં જે પુન્યકરણી વધારે કરે તે રૂપવંતી ગણાય છે અને તે જ મોટી મનાય છે. સાંભળો. સબળરૂપ સબળ શણગાર, દાન શીળ તપ પાખે છાર; તેહનું રૂપ જગમાંહે સાર, જે સ્ત્રી કરે નિત્ય પરઉપગાર. બ્દનો ! જગતમાં એકલું રૂપ અને એકલો શણગાર શા કામના છે ? ખરેખરી રીતે આ સાત “દદા” જેનામાં હોય તે સાચી અને મોટી મનાય છે. કહ્યું છે કે - દયા, દાન, દમ, દેહનો દોષ, દોલત જાતાં ન કરે શોક; દુ:ખ ભાંજે પ્રેમે પારકું, દીનવચન બોલે મુખથયું, દુર્જન ઉપર ન કરે રીસ, તે સ્ત્રી પાસે સબળ જગીશ; એ અંગ ધરતી સાતે દદા, રૂપવંતી તસ ભાખું મુદા. આ રીતે બન્નેનો વિવાદ શાંત કર્યો અને શ્રીસંઘ, સ્નેહપૂર્વક શ્રી સિદ્ધગિરિને ભેટવાની હોંશમાં અવિછિન્ન પ્રયાણ કરવા લાગ્યો. સંઘપતિ કુમારપાળ ભૂપાળ દેવગુરૂની ભક્તિનો ઉત્તમ લ્હાવો લીધા કરે છે અને ભોજન સમયે R Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60