Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali

View full book text
Previous | Next

Page 14
________________ श्री शालिभद्र महाकाव्यम् FRERERE વાત્સલ્યમૂર્તિ પૂજ્ય આચાર્યશ્રી વિ. કનકસૂરીશ્વરજી મહારાજ વિ.સં. ૧૯૩૯, ભા.વ. ૫ ના પુણ્ય દિવસે પલાંસવા (કચ્છ-વાગડ)માં એક જ્યોત પ્રગટી... જેના પ્રકાશથી સમસ્ત વાગડ પ્રદેશ પ્રકાશિત થઇ ઉઠ્યો. એ જ્યોત ‘કનકસૂરિજી મહારાજ' તરીકે પ્રખ્યાત થઇ. માતા : નવલબેન, પિતા : નાનચંદભાઇ, ગૃહસ્થી નામ ઃ કાનજીભાઇ. નાનપણથી જ વૈરાગ્ય વાસિત આ આત્મા વિરાગીની સાથે બુદ્ધિશાળી પણ હતા. એમની ઉત્કટ બુદ્ધિને જોઇને પલાંસવાના ઠાકોર બેરિસ્ટર બનાવવા ઇંગ્લેન્ડ મોકલવા તૈયાર થયા, પણ જે ધર્મનાયક બનવાના હોય તેમને બેરિસ્ટર થવું કેમ ગમે ? કાનજીભાઇએ સ્પષ્ટ ના પાડી. સાધ્વીરત્નશ્રી આણંદશ્રીજી મ.ના સતત સમાગમે એમના હૈયામાં વૈરાગ્ય દિન-દિન પલ્લવિત થવા લાગ્યો અને એક દિવસે એ જ સાધ્વીજીના શ્રીમુખે પાલીતાણા મુકામે આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું. ત્યારે તેમની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી. યૌવનની ઉગતી ઉષાએ કેવો અણનમ અને પવિત્ર સંકલ્પ ? ૨૩ વર્ષની વયે વિ.સં. ૧૯૬૨માં ભીમાસર (કચ્છ-વાગડ) મુકામે પૂજ્ય શ્રી જીતવિજયજી દાદા પાસે દીક્ષા સ્વીકારી પૂ. મુનિશ્રી હીરવિજયજી મ. (તેમના જ સંસારી કાકા)ના શિષ્ય પૂ. કીર્તિવિજયજી તરીકે પ્રખ્યાત થયા. વડી દીક્ષામાં પૂ. કનકવિજયજી અને આગળ જતાં પૂ. કનકસૂરિજી થયા. વિ.સં. ૧૯૭૫માં સંઘસ્થવિર પૂજ્ય આ. શ્રી સિદ્ધિસૂરિજીએ તેમને પંન્યાસ પદથી અને સં. ૧૯૮૯ અમદાવાદમાં આચાર્ય પદથી વિભૂષિત કર્યા. ERERERERE ॥ શ્૪ ॥

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 624