Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 60
________________ ૬૦ સંયમ કબ હી મિલે ? જ્યાં સુધી મનના સ્વાસ્થ્યના સુખનો પરિચય નથી થતો, એક વાર આ સુખનો સ્વાદ ચાખવા મળી જાય, પછી તો ત્રણ લોકનું રાજ્ય મળતું હોય ને ? તો ય માણસ એની સામે નજર સુદ્ધા કરવા તૈયાર ન થાય. મમ્મી, ભગવતીસૂત્રમાં કહ્યું છે — કે જેમ જેમ સાધુનો સંયમપર્યાય વધતો જાય, તેમ તેમ તેમનું સુખ ઉપર ઉપરના દેવલોક કરતાં ય વધતું જાય, ને જ્યારે બાર મહિનાનો પર્યાય થાય ને ? ત્યારે તો તેમનું સુખ સર્વ દેવલોકના સર્વ દેવો કરતાં ય વધી જાય. अइक्कमइ सव्वदेवतेउलेस्सं । મમ્મી, શું ભગવાન આપણને દુઃખી કરવા માંગે છે ? શું ભગવાન આપણને વંચિત કરવા માંગે છે ? શું સુખી થવાની બાબતમાં ભગવાનને કોઈ ગેરસમજ થઈ ગઈ છે ? કે પછી શું આપણને ભગવાન કરતા વધારે સમજશક્તિ છે ? Please Mummy, Try to understand, ભગવાને આ સુખનો જ માર્ગ બતાવ્યો છે અને આની સિવાય સુખી થવા માટેનો બીજો કોઈ રસ્તો જ નથી. ઉપદેશમાલામાં કહ્યું છે एग दिवसं पि जीवो पवज्जमुवागओ अणण्णमणो । जइ विण पावड़ मोक्खं अवस्स वेमाणिओ होइ ॥ દીક્ષા લીધાને ફકત એક જ દિવસ થયો હોય

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84