Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
એકાએક જાગી ઊડ્યા ને શતમતિને હાથ રાણીની છાતી પર દેખે. શતમતિને આ કાર્યને અગ્ય માનીને મહારાજા તેના પર ગુસ્સે થયા, અને વિચારવા લાગ્યા, “હું તેને મારી નાંખું, ફરી વિચાર્યું, “હું મારી જાતે કેવી રીતે મારૂં?’ હું બીજા સેવકના હાથે તેને નાશ કરાવીશ.”
મનમાં આમ વિચારતા મહારાજાએ પોતાના મનને ભાવ શતમતિને જાણવા ન દીધે. ને સમય થતાં જવાની રજા આપી. શતમતિ રાજાનું સંકટ દૂર થવાના કારણે પિતાને ત્યાં જઈ ગાનારાઓને બેલાવી અને મહારાજાની, શાંતિ માટે દાન દેવા લાગે અને નાટય મહોત્સવ ઉજવવા લાગે.
બીજા પ્રહરે પોતાની રાણીને વિદાય કરી સહસ્ત્રમિતિને બોલાવ્યા ને કહ્યું, “તમે જાવ અને શતમતિને મારી નાંખે.” આ સાંભળી સહસ્ત્રમતિ બે, “મહારાજ, હમણાં તમને ઊંઘ આવશે. પહેલાના કેટલાય અપરાધી તમારા દુશમન છે તેથી મારું અહીંથી જવું ઠીક નથી.” આ સાંભળી મહારાજાએ કહ્યું, હું સારી રીતે જાગીશ. માટે તમે જલદી જઈ મેં કહ્યું તેમ કરે.”
મહારાજાની આજ્ઞાથી સહસ્ત્રમતિ શતમતિને ત્યાં વિચાર કરતે કરતે ગયે, તે વખતે શતમતિ નાટક કરાવી રહ્યો હતે. શતમતિને હર્ષિત જોઈ તેમ તેને દાન કરતે જોઈ તે અપરાધી લાગે નહિ; કારણ કે બીજાની વિપત્તિના સમયે સજજન પુરુષ વધારે સૌજન્ય ધારણ કરે છે. જેમ ઉનાળામાં વસંત ઋતુમાં વૃક્ષોની છાયા ઘણી શાંતિદાયક હોય છે. ખરાબ