________________
શ્લોક – ૩૩
પહેલાં જીવનું વર્ણન કરતાં એમ કહ્યું ભગવાન આત્મા જ્ઞાયક છે, આનંદ છે, શાંત છે, વીતરાગ છે એવું એનું સ્વરૂપ છે, એમ કરીને જીવની વિધિથી વાત કરી. હવે નિષેધથી (વાત) કરશે કે ભગવાન આત્મામાં રાગ નથી, માર્ગણાસ્થાન નથી, ગુણસ્થાન નથી, વિકાર એના સ્વરૂપમાં નથી, એમ જીવ સ્વરૂપ ભગવાન આત્મા એમાં આ નથી એમ વર્ણવીને એનો નિષેધ કરશે. આહાહાહા!
મિથ્યાષ્ટિ જીવ મિથ્યાષ્ટિ, જીવઅજીવનો ભેદ નથી જાણતા. શરીર જડ છે, અંદર દયા દાનના રાગ આવે હિંસા, જૂઠું, વિષયનો રાગ આવે, એ ખરેખર તો અચેતન જડ છે, એમ મિથ્યાષ્ટિ જાણતા નથી. એ તો એમ જાણે છે કે આ રાગ મારો છે, પુણ્યના ભાવ મારા છે. શરીર મારું છે એમ મિથ્યાષ્ટિ જીવ ને અજીવનો ભેદ જાણતા નથી. બેયને અભેદ તરીકે માને છે. આહાહાહા ! આકરી વાતું આવી બહુ.
ધર્મ એવી ચીજ ઝીણી છે, કે જ્યાં આત્મા જ્ઞાયક સ્વરૂપ એવું જ્યાં ભાન થયું, પછી એને પર્યાયમાં રાગાદિ આવે, અજીવનો સંયોગ ચક્રવર્તીના પદ જેવોય આવે પણ એ બધાને પોતાના જ્ઞાન સ્વભાવમાં રહી એટલે શાંત રસમાં રહી જાણે. “મિથ્યાષ્ટિ જીવ અજીવનો ભેદ નથી જાણતા” અજ્ઞાની, જ્ઞાયક ભાવમાં રાગ છે એ મારો છે એમ અજ્ઞાની માને છે. એ આવી ગયું ને આપણે, એ ભાવકનો ભાવ છે, સ્વભાવનો એ ભાવ નથી. પર્યાયમાં થાય પણ એ સ્વભાવભાવ નથી, શુભ અશુભ રાગ એ કર્મકૃત છે, એમ આવ્યુંને અહીંયા ત્યાં ભાવકનો ભાવ છે એમ આવ્યું હતું. એમ ધર્મી જીવ એમ જાણે છે કે મારો તો સ્વભાવ જાણનાર શાંત રસમાં રહેવું એ છે. એ રાગાદિ ભાવ અજીવ છે, એ મારી ચીજ નથી. મિથ્યાષ્ટિ એ અજીવકૃત ભાવને પોતાનો માની, મિથ્યાષ્ટિપણાને અશાંત સ્વભાવને સેવે છે. આહાહાહા !
“જેથી તે સ્વાંગોને સાચા જાણી એમાં લીન થઈ જાય છે. ભગવાન આત્મા જ્ઞાયક ચૈતન્યજયોત સ્વરૂપ પ્રભુ એમાં રાગ અને પુણ્યઆદિ પાપના ભાવ આવતાં અજ્ઞાની મારાં છે એમ લીન થઈ જાય છે એમાં. આવો ફેર છે. અજ્ઞાનીને એ વિષયવાસના મારી છે અને મને મજા પડે છે એમ અજ્ઞાની માને છે. જ્ઞાનીને એ રાગ આવે તેને પૃથક જાણી જ્ઞાનનું સ્વરૂપ મારું ભિન્ન પૃથક છે, એમાં જ્ઞાનમાં રહીને એને જાણે છે, અજ્ઞાની રાગ માં રહીને રાગ મારો છે એમ જાણે છે. આવું છે. ધર્મનું સ્વરૂપ ઝીણું બહુ બાપુ. આહાહાહા ! આંહી તો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ બે નો અંતરો બતાવ્યો છે.
સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપને, જાણન દેખન આનંદસ્વરૂપ જાણતો પોતાની શાંતિની પર્યાયમાં રહે છે. અજ્ઞાની એ રાગાદિને મારો સ્વાંગ છે, મારું સ્વરૂપ છે એમ માનીને મિથ્યાષ્ટિના આકુળતાના અશાંત ભાવમાં તે રહે છે. તેમને રાગાદિ પુણ્યાદિ શરીરાદિનો સ્વાંગ એ અજીવ છે, એ ભગવાન આત્માનો પહેરવેશ નથી, એનો એ ભેખ નથી. એમ જ્ઞાની જાણતો “અજ્ઞાનીને એ બતાવે છે” “તેમને સમ્યગ્દષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી” જોયું અહીં તો સમ્યગ્દષ્ટિથી જ વાત શરૂ કરી. આહાહાહા !
જે કોઈ આત્મામાં અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનાદિ ગુણનો પિંડ પ્રભુ. એમાં જેનું પોતાનું સ્વરૂપ છે એમ અનુભવ્યું છે અને રાગાદિ ભાવ તે મારા સ્વરૂપમાં નથી એમ જે