Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવન નેહસંબંધ 11 જેવા ઉત્તમ પુરૂષ તો એક કાર્ય હાથમાં લીધું કે તેને પાર પાડે જ સિદ્ધિ. વચમાં અનેક મુશ્કેલીઓ આવે છતાં તેની દરકાર કરતા નથી, ને મુશીબતોનો સામને કરીને પણ કાર્યને પાર પાડે છે. સુબુદ્ધિ મંત્રી બોલો, જમંત્રીએ પોતાના અનેક મધુર વચનોથી રાજાના ઉત્સાહને વધારતા હતા. તેમજ દત્તને હાથ ધરેલું કાર્ય પાર પાડવા ઉત્તેજન આપતા હતા. રાજમંત્રીઓની વાણું સાંભળી દત્તકુમાર બે , “વાહ ! મેં તો રાજાને આ છબી જેવા સારૂં જ માત્ર આપી છે. એમાં તો આપ બધા “આવ બલા તો પકડ ગલા” એ વાત વાળું કેમ કરે છે ? આગળ શું કરવું એ તો મહારાજ-દેવને યોગ્ય લાગે તેમ . કરે.દત્તકુમારે પણ વિનોદમાં ટાપસી પૂરી. આજના વાર્તાલાપમાં જતા એવા સમયની પણ ખબર ન પડવાથી પ્રતિહારીએ રાજદરબારનો સમય નિવે- . દન કરવાથી રાજાએ સભા વિસર્જન કરી. એ ચિત્રપટના ધ્યાનમાં અને આ બાળ કલાવતીના સૌંદર્યમાં મહમુગ્ધ થયેલો રાજા સભા વિસર્જન કર્યા પછી પણ શું કરે ! વિરહાનલના સંતાપથી તપેલા રાજાને ક્યાંય ચેન પડવું નહી, કેઈ વિષયમાં મન લાગ્યું નહી.. શંખરાજાએ સ્નાન કર્યું, સેવા-પૂજા કરી, ભજન કર્યું, પંણ એનું ચિત્ત હેતું કલાવતીના સૌંદર્યમાં ! એની પેલી દિવ્ય મનોહર છબીમાં. . . . . . : એ કલાનિધિ કલાવતીના વિચાર કરતો શંખરાજા ભેજનના કાર્યથી પરવારી પલંગ ઉપર પડ્યો, પણ મને હર રમણીના મોહબાણથી વિદ્ધ થયેલા રાજાને નિદ્રા પણ શી રીતે આવે. એક વિચાર પુરે ન થાય ત્યાં બીજો આવે. “હા ! હા! પ્રિયા ! પ્રિયા ! કલાવતી.! તને પ્રાપ્ત', P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust