Book Title: Paryushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Author(s): Ajitshekharsuri
Publisher: Ajitshekharvijay

View full book text
Previous | Next

Page 320
________________ || કુત્રિકાપણ (એવી દુકાનકે જ્યાં દેવો જગતમાં હોય, તેવી બધી જ જડ-ચેતન વસ્તુ લાવી આપે ત્યાં જઇ નોજીવની યાચના કરી, પણ તે ન મળવાથી જુઠ્ઠા ઠરેલા રોહગુમને ગુરુએ એકસો ચુંમાલીસ પ્રશ્નો કરી નિરુત્તર કર્યો. છતાં આગ્રહ ન છોડવાથી ગુરુએ કોપથી તેનું મસ્તક મુંડીને સંઘબહાર કર્યો. તે છઠ્ઠો નિદ્ભવ થયો અને તેનાથી વૈશેષિક દર્શન પ્રગટ થયું. સ્થવિર ઉત્તર અને સ્થવિર બલિસ્સથી ઉત્તર-બલિસ્સહ નામે ગણ અને તેની (૧) કૌશામ્બિકા (૨) સુમવર્તિકા (૩) કૌટુમ્બાયની અને (૪) ચન્દ્રનાગરી - એમ ચાર શાખાઓ નીકળી. આર્ય શ્રી સુહસ્તિસૂરિના આર્ય (૧) રોહણ (૨) ભદ્રયશા (૩) મેઘગણી (૪) કામક્રિ (૫) સુસ્થિત (૬) સુપ્રતિબુદ્ધ (૭) રક્ષિત (૮) રોહગુપ્ત (૯) ઋષિગુપ્ત (૧૦) શ્રીગુમ (૧૧) બ્રહ્મગણી અને (૧૨) સોમગણી- એ બાર મુખ્ય શિષ્યો થયા. પ્રસિદ્ધ શ્રી અવન્તીસમાલ મુનિને પણ આર્ય સુહસ્તિસૂરિએ દીક્ષા આપી હતી. તેઓના પહેલા શિષ્ય આર્ય રોહણથી ઉદ્દેહગણ નીકળ્યો. તેની (૧) ઉદુમ્બરાર્જિકા (૨) માસપૂરિકા (૩) મતિપ્રાપ્તિકા (૪) પૂર્ણપ્રાખિકા- એ ચાર શાખાઓ નીકળી; તેમજ (૧) નાગભૂત (૨) સોમ (૩) આર્ટગચ્છ (૪) હસ્તલેપ્ય (૫) નર્દિક (૬) પારિહાસિક એ છ કુળો નીકળ્યાં. બીજા શિષ્ય ભારદ્વાજ ગોત્રીય આર્ય ભદ્રયશાથી ઉપાલિત ગણ નીકળ્યો. અને તેની ચમ્પાર્જિક, ભદ્રાર્જિક કાકન્દિકા ને મેખલાર્જિકા એ ચાર શાખાઓ નીકળી. તથા ભદ્રયશસ્ક, ભદ્રગુપ્ત અને યશોભદ્રક, એ ત્રણ કુળ નીકળ્યાં. કોડાલસગોત્રવાળા આર્ય કામર્ટિથી વેશપાલિત ગણ નીકળ્યો. તેની શ્રાવસ્તિકા, રાજ્યપાલિતા, અન્તરાર્જિકા અને ક્ષેમલાર્જિકા, એ ચાર શાખાઓ તથા ગણિક, મેખલિક, કામર્દિક અને ઇન્દ્રપૂરક એ ચાર કુળો નીકળ્યાં. નવમાં શિષ્ય વાશિષ્ઠ ગોત્રવાળા આર્ય ઋષિગુણથી માનવ ગણ નીકળ્યો. તેની પણ કાશ્યપાર્જિકા, ગૌતમાર્જિક, વાશિષ્ઠિકા અને સૌરાષ્ટ્રિકા એ ચાર શાખાઓ તથા ઋષિગુમિક, ઋષિદત્તિક અને T૨૯૯ www brary ID Gain Education international For Private & Fersonal Use Only

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344