Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસંગ્રહ-પાંચમું બાર ઔદારિક શરીર નામકર્મ જઘન્યથી એક સમય બધાય છે અને ઉત્કૃષ્ટથી અસં. ખ્યાતા પુદગલ પરાવર્તન પયત બંધાય છે. કારણ કે સ્થાવરમાં ગયેલા છે ઔદારિક શરીર નામકર્મ જ બાંધે છે, વૈક્રિય બાંધતા નથી. કેમકે તેઓને ભવસ્વભાવે જ તે શરીર નામકર્મ બંધગ્ય અધ્યવસાયને અસંભવ છે. સ્થાવરમાં ગયેલા વ્યવહાર રાશિના આત્માઓ ઉત્કૃષ્ટથી તેટલે જ કાળ ત્યાં રહે છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે પ્રભો! એકેન્દ્રિયને એકેન્દ્રિયપણે કાળ આશ્રયી. કેટલો કાળ હૈય? હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અતી ઉત્સપિણ અવસર્પિણી કાળ આશ્રયી હોય છે અને ક્ષેત્રથી અનંતા લેક, અસંખ્યાતા પુદગલ પરાવર્તન કાળ હોય છે. તે પુદગલ પરાવર્તન આવલિકાના અસંખ્યાતમાં ભાગના સમય પ્રમાણુ લેવા.”
પરાઘાત, ઉચ્છવાસ, ત્રણ બાદર પર્યાપ્ત અને પ્રત્યેક એ ત્રસચતુષ્ક અને પંચે જિયજાતિ એ સાત પ્રકૃતિઓ જઘન્યથી એક સમયમાત્ર બંધાય છે અને ઉત્કૃષ્ણી એકસો પચાશી સાગરેપમ પયત નિરંતર બંધાય છે.
શી રીતે એક પંચાશી સાગરોપમ નિરંતર બંધાય છે? એ પ્રશ્નના ઉત્તરમાં
- છઠ્ઠી નરક પૃથ્વીમાં રહેલી નારકીઓનું ઉત્કૃષ્ટથી બાવીસ સાગરોપમ આયુ છે, તેટલે કાળ ત્યા ભવસ્વભાવે ઉક્ત પ્રકૃતિએ જ બંધાય છે, તેની વિધિની પ્રવૃતિઓ બંધાતી નથી. તે નારકી પોતાના ભવના અંતે સમ્યકત્વ પ્રાપ્ત કરી તે લઈને મg
ષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં પણ સમ્યકત્વના પ્રભાવથી વિવક્ષિત પ્રકૃતિની પ્રતિપક્ષ - પ્રકૃતિએ બંધાતી નથી. હવે તે મનુષ્ય અનુત્તર સંયમનું પાલન કરી એકત્રીશ સાગ
-માન
૧ અહિ નિગદ છ ત્રણ પ્રકારના છે-૧ કેટલાક એવા જીવો છે કે નિગદમાંથી નીકળ્યા નથી અને નીકળશે પણ નહિ. ૨ કેટલાક એવા જીવે છે જેઓ હજી હવે નીકળશે અને ૩ કેટલાક એવા છે છે કે નિગોદમાંથી નીકળી કરી નિગોદમાં ગયા છે. અહિં ઔદારિક શરીર નામને નિરતર બંધ કાકા એ કહ્યો છે, તે ત્રીજા પ્રકારના જીવ આશ્રય સમજવા છે. પહેલા બે પ્રકાર આશ્રયી તે અનુકમે અનાદિ અનંત અને અનાદિ સાંતકાળ સમજ. સલમનિગદ ભાવને જેઓએ કઈ દિવસ છોડ્યો નથી તે અવ્યવહાર રાશિના છ કહેવાય છે. એ સઘળા વ્યવહારરાશિના કહેવાય છે.
૨ આ ટીકામાં તેમ જ પણ ટીકામાં-1 ઠ્ઠી નરકમાંથી સમ્મફત સહિત નીકળી મનુષ્યપણામાં ઉત્તમ સંયમની આરાધના કરી નવમી શૈવેયકમાં જાય” એમ કહ્યું. પરંતુ ી નરકમાંથી નીકળેલ જીવ મનુષ્યપણામાં દેશવિરતિ પ્રાપ્ત કરી શકે છે, પણ સર્વવિરતિ પ્રાપ્ત કરી શકતા નથી' એમ બહeગ્રહણી વગેરે પણ એમાં કહ્યું છે. તેમ જ પંચમ કર્મગ્રંથ ગા. ૬૦ ની ટીકામાં આ જ સાત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ નિરંતર બંધકાળ બતાવતાં કહ્યું છે કે- સાવ સહિત છઠ્ઠી નરકમાથી નીકળી મનુધ્યપણું પામી દેશવિરતિની આરાધના કરી સમ્યકત્વ સહિત ચાર પાપમના આયુષ્યવાળા દેવ થઇ ત્યાંથી મનુષ્યમાં આવી સર્વવિરતિ સંયમની આરાધના કરી નવમ શૈવેયકમાં જાય. અને તેથી ચાર