________________
ઉદયે સૂક્ષ્મ દારિક શરીરમાં પૂરાઈને રહેવાનો આ કાળ છે.
અસંખ્યાતા સમય = આવલિકા, આવી ર૫૬ = આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ- સૌથી જઘન્ય નાનો ભવ. (અસંખ્ય સમય = આવલિકા) આટલી સૂક્ષ્મ, સ્પષ્ટ અને ગંભીર યથાર્થ વાત સર્વજ્ઞ સિવાય કોણ બતાવી શકે? એક સમયની વ્યાખ્યા સર્વજ્ઞ ભગવંતે બતાવી. કેવલી પણ જે સમયના બે વિભાગ ન કરી શકે તેટલો સૂક્ષ્મ સમય અને બીજી રીતે એક પરમાણુ એક આકાશ પ્રદેશથી બીજા આકાશ પ્રદેશમાં જાય તેમાં જે કાળ પસાર થાય તેને પણ સમય કહેવાય. આ પણ નિશ્ચયથી સમયની વ્યાખ્યા કહી. વિજ્ઞાન કયારે પણ સૂક્ષ્મ સમયને પકડી ન શકે આવા અસંખ્ય સમય પસાર થાય ત્યારે ૧ આવલિકા. આ વ્યવહાર કાળ છે. તેવી રપ૬ આવલિકા જઘન્ય કાળ જીવે એક ઓદારિક કાયામાં આયુષ્ય કર્મના ઉદયે પૂર્વે થયેલા આયુષ્ય કર્મના બંધના કારણે દેહરૂપી જેલમાં પૂરાવું પડે તેટલો કાળ છે. કાર્પણ અને તેજસ કાયામાં તો આત્મા અનાદિથી પૂરાયેલો છે.
જેનું કોઈપણ પ્રકારે આત્માને ભાન નથી એવી બેભાન અવસ્થા રૂપ દારિક સૂક્ષ્મ દેહમાં નિગોદના જીવ તરીકે અનાદિ કાળથી પૂરાઈને જયાં તેને ૭મી નરક કરતાં અનંતગણી વેદના અવ્યક્ત તરીકે ભોગવી ત્યાંથી નીકળ્યા પછી પણ જ્યાં સુધી સંજ્ઞી પંચેન્દ્રિય ભવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તો આત્મભાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બધો કાળ પ્રમાદરૂપ ગણાય. આથી પરમાત્માએ એક સમયનો પણ પ્રમાદ કરવાની ના પાડી છે. એક સમય પણ આત્માને પોતાના સ્વરૂપનું ભાન ન હોવું અને આત્માની રમણતાના અભાવરૂપ પ્રમાદ થાય તો પાલવે નહીં તેની પણ નોંધ આગમમાં લેવાણી છે.
જયારે પરમાત્માનો આત્મા દેવલોકના ભવમાંથી ચ્યવન પામે ત્યારે ચ્યવન થવાનું છે તે પ્રભુ જ્ઞાનના ઉપયોગમાં જાણે છે. ચ્યવન થઈ ગયું છે, જાણ્યું પણ, જે સમયે ચ્યવન થઈ રહ્યું તે સમયે કાળની સૂક્ષ્મતાના કારણે પ્રભુ તે જાણી શકતા નથી. આથી સંપૂર્ણ જ્ઞાનમય સુક્ષ્મોપયોગ રુપે કેટલું દુષ્કર છે. આથી પરમાત્મા ગૌતમસ્વામિને ઉદ્દેશીને વારંવાર કહેતા કે સમર્થ જોયમ મા પમાયણ એક સમય પણ પ્રમાદ કરીશ નહીં કેમ કે મનુષ્યભવમાં જ જીવ એક સમયનો પણ પ્રમાદ ન કરવાનું ટાળી શકે છે. તો આપણા આત્માએ જે ભૂતકાળ પસાર કર્યો તેમાં જો કાયસ્થિતિનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે કેટલો કાળ પ્રમાદમાં પસાર કર્યો?
અજીવ તત્વ | 57