Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૭ : “ નમોકાર મહામંત્ર' નમોકાર મહામંત્ર સમસ્ત જૈન ધર્માનુયાયીઓનો સર્વ માન્ય મહામંત્ર છે. અનેક સંપ્રદાયો તેમજ પેટા સંપ્રદાયોમાં વિભક્ત સંપૂર્ણ જૈન સમાજ તેને અત્યંત શ્રદ્ધાની દષ્ટિથી જુએ છે, આનો દરરોજ જાપ પણ કરે છે. પ્રત્યેક મંગળ અવસરે આનો પાઠ ઘણી જ શ્રદ્ધાથી કરવામાં આવે છે. ભાગ્યે જ કોઇ જૈન એવો હશે કે જેને આ મંત્ર કંઠસ્થ નહિં. હોય. આ મહામંત્રમાં જૈનોના પરમ આરાધ્ય પંચ પરમેષ્ઠીઓને સામુહિક રીતે નમસ્કાર કરવામાં આવ્યા છે. તેમાં કોઇ વ્યક્તિ વિશેષને નમસ્કાર ન કરતાં, એ પાંચ પરમપદોને નમસ્કાર કરવામાં આવ્યા છે જેઓ આ આત્મ આત્મઆરાધનાના પરમ પુરુષાર્થથી પ્રાપ્ત કરે છે. મોક્ષ અને મોક્ષમાર્ગ સ્વરૂપ આ પાંચ અવસ્થાઓ પ્રાપ્ત કરવાવાળા આત્મા જ આ મહામંત્રનાં આરાધ્ય છે. આ મહામંત્રમાં પંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવા સિવાય કંઇ જ કહ્યું નથી. ન તો કોઇ પ્રકારની આકાંક્ષા વ્યક્ત કરવામાં આવી છે અને ન તો કોઇ ઇચ્છા કરવામાં આવી છે. નિષ્કામ વંદના એ જ તેની મહાનતા છે. આ મંત્રની મહાનતાથી અભિભૂત જૈન જગતમાં તેના સંબંધમાં જેટલી શ્રદ્ધા અને જિજ્ઞાસા જોવામાં આવે છે તેટલી ભ્રાન્તિપૂર્વકની ધારણાઓ પણ કંઇ ઓછી પ્રચલિત નથી. ભ્રાન્ત ધારણાઓનું નિરાકરણ અને જિજ્ઞાસા ની ઉપશાન્તી માટે તેનું જેટલું પરિશીલન કરવામાં આવે તેટલું ઓછું છે. આ પરિશીલન આત્મહિત માટે પણ અત્યંત ઉપયોગી છે. નમોકાર મહામંત્ર મૂળ આ પ્રકારે છે: ' “ણમો અ૨હંતાણં, ણમો સિદ્ધાણં, ણમો આઇરિયાણં ણમો ઉવજઝાયાણં, ગ઼મો લોએ સવ્વ સાહૂણં ” Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84