Book Title: Lalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Author(s): Udaychand Lalchand Pandit
Publisher: Udaychand Lalchand Pandit

View full book text
Previous | Next

Page 5
________________ ૮ યુવકજ હતું. તેની ઉમર ૧૮ વર્ષની હશે. આ સમયે તેના શરીર ઉપર એક ક્ષત્રિયવીરને છાજતે શિકારી પિશાક હતા. કમરપટામાં ખંજર, તમ અને કમરે યમરાજની જિવા જેવી સમશેર લટકતી હતી. તે વિચારમાં ને વિચારમાં સચિંત મુખકાએ બેઠે હતા અને અમે આ પ્રકરણના મથાળે જણાવ્યા પ્રમાણેના વિવિધ વિચાર કરતો હતી. તેની પાસેથી તે ડોસીને ચાલી જવા પછી પણ તે, તે સીના અને પિતાના પહેલાંના વિચારો કરી ગુલતાન થઈ ગયો તેનું નામ લલિતસિંહ હતું અને તેણે તે વૃદ્ધાને જણાવ્યા મુજબ થોડી જ વારમાં તેની પાસે એક ચાર વર્ષની બાલિકા આવીને ઉભી રહી. સયા થવાને હજુ એક કલાકની વાર હતી. પિતાના વિચારોમાંજ લલિત ગુલતાન હોવાથી તે બાળાના આગમનને જાણી શકો નહિ. થોડી વાર આમને આમ ચાલ્યા પછી તે બાળાએ લલિતને ખભે હાથ મૂકી કહ્યું – “લલિત-લલિત! આ શું?” કોણકોણુપ્રભા? “પણ તું અહીં ક્યાંથી?”. આજે સવારે તમે અને મારા મોટાભાઇ શિકારે ગયા હતા, તમો બને વેળાસર-સંધ્યા થવા આવી છતાં-પાછા ન ફરવાથી હું તમને શોધતી શોધતી અહીં આવી ચડી. પણ લલિત-એ લલિત ! મારા મોટાભાઈ ક્યાં?”. તેઓ સહિસલામત છે અને આટલામાં જ કયાંક હશે. તમે તેમને માટે ફિકર ન કરે.” “ લલિત! મારા મોટાભાઈ બહુ હઠીલા માણસ છે. મારા સાંભળવામાં આવ્યું છે કે આ પર્વતમાં લુંટારાઓ બહુજ છે અને તેઓ તે એકલાજ કોણ જાણે ક્યાં જઈ ચડયા હશે.” તે તેમાં શું થયું? તમારા ભાઈ દશ લુંટારાઓને ભારે થઈ પડે તેવા છે.” એમ કહી પ્રભાની સાથે આવેલા નેકરે તરફ જઈને કહ્યું કે“જાઓ, તમે એમના ભાઈને શોધો !” જ લલિત ! મારા મોટાભાઈની તપાસ કરવા જવાનું શું તમને મન નથી થતું?” - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 214