________________
શ્રી લઘુક્ષેત્રસમાસ.
इअ अरछक्केणवस-प्पिणि त्ति ओसप्पिणी वि विवेरीआ। वीसें सागरकोडा-कोडीओ कॉलचक्कम्मि ॥ १०७ ॥
અર્થ -(દમ) આ પ્રમાણે એટલે ઉપર કહ્યા પ્રમાણે (છr) છ આરાએ કરીને (અવનિ જિ) અવસર્પિણી સમાપ્ત થાય છે. અને (વિવા ) તેનાથી વિપરીત એવી વિળી વિ) ઉત્સર્પિણ પણ સમાપ્ત થાય છે. એટલે કે અવસર્પિણમાં પ્રથમ આરાથી આરંભીને ઉત્તરોત્તર સર્વ ભા ક્ષીણ થતા જાય અને ઉત્સર્પિણીમાં પ્રથમ આરાથી આરંભીને ઉત્તરોત્તર સર્વ ભાવો વૃદ્ધિ પામતા જાય છે, તેથી અવસર્પિણી એ પડતે કાળ છે અને ઉત્સર્પિણ એ ચડતે કાળ છે. આ પ્રમાણે (લાઈવ મિ) અવસર્પિણ અને ઉત્સર્પિણીરૂપ એક કાળચક્રને વિષે (વર્ષ) વિશ (નાવો વોલીબો) કડાકડિ સાગરોપમ પ્રમાણ કાળ જાય છે. (૧૦)
હવે ચાર યુગ્મ યુગ્મ ક્ષેત્રને વિષે અનુક્રમે ચાર આરાનું સમાન પણું કહે છે – कुरुदुगि हरिरम्मयदुगि, हेमवएरण्णवइदुगि विदेहे । कमसो सयावसप्पिणि, अरयचउक्काइसमकालो ॥१०८॥
અર્થ–પુરુ) બે કુરુક્ષેત્રમાં એટલે દેવકુફ અને ઉત્તરકુરૂમાં, (તિજિ) હરિવર્ષ અને રમ્યક એ બે ક્ષેત્રમાં, ( હેમવત્તાઇવાન) હેમવત અને એરણ્યવત એ બે ક્ષેત્રમાં તથા (વિ) વિદેહમાં એટલે પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમમહાવિદેહ એ બે ક્ષેત્રમાં (મો) અનુક્રમે (1) સદાકાળ (શવષિજ) અવસર્પિણીના (કાથડરૂમા ) ચાર આરાના પ્રારંભના જેવો કાળ વર્તે છે. એટલે કે સુષમસુષમા નામના પહેલા આરાને પ્રારંભે જે કાળ વર્તે છે તેવો કાળ સદા દેવકુફ અને ઉત્તરકુરૂને વિષે વર્તે છે, સુષમ નામના બીજા આરાના આરંભમાં જે કાળ વર્તે છે તેવો કાળ હરિવર્ષ અને રમ્યકક્ષેત્રમાં વર્તે છે, સુષમદુષમ નામના ત્રીજા આરાના આરંભમાં જેવો કાળ વતે છે તેવો કાળ હૈમવત અને એરણ્યવત ક્ષેત્રમાં વર્તે છે, તથા દુષમસુષમ નામના ચોથા આરાના આરંભમાં જે કાળ વર્તે છે તેવો કાળ મહાવિદેહક્ષેત્રમાં વર્તે છે. (૧૦૮)
હવે વૃત્તવેતાત્યનું સ્વરૂપ બે ગાથાવડે કહે છે – हेमवएरण्णवए, हरिवासे रम्मए य रयणमया । सद्दावइ विअडावइ, गंधावइ मालवंतक्खा ॥ १०९ ॥ चउवट्टविअड्डा सा-इअरुणपउमप्पभाससुरवासा । मूलवरि पिहुत्ते तह, उच्चत्ते जोयणसहस्सं ॥ ११०॥