Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ કાર્યકર-ગણનું મંતવ્ય છે. જો આ બધી વિચારણામાં એ એના આધારે ગોઠવાયેલા તપોવનના માળ ખામાં મા બાપોને રસ પડતો હોય તો તેમનાં બાળકોને વિકૃતિઓના ઝંઝાવાતમાંથી ઉગારી લેવા માટે તપોવનમાં (ધોરણ પાંચથી બાર) કમસે કમ ત્રણ વર્ષ માટે તો મૂકવાં જ જોઈએ. બાળક તો નાદાન છે. એના ભાવીના ભવ્ય ઘડતરના આ કામમાં એને કયાંક અગવડતા પડે; એની ઘરેલું સ્વચ્છંદતાને અહીં પોષણ ન મળે તેથી તપોવનમાં દાખલ થવામાં અરૂચિ બતાવે તો કઠણ કાળજાના બનીને પણ માબાપોએ બાળકોને સમગ્ર જીવવના હિતમાં તે ત્રણ વર્ષનું સંસ્કરણ તપોવનમાં અપાવવાનો નિર્ણય કરવો જ જોઈએ. * યાદ રાખો ક લાડમાં કે લાગણીમાં માબાપો તણાશે તો બાળકોના જીવનને આરંભમાં એવું મોટું નુકસાન થઈ જશે જે જીવનભરમાં ભરપાઈ થશે નહિ; જેનાથી આખું કુટુંબ ‘ત્રાહિમામ્' પોકારી જશે. ના.... હવે શા માટે ક્રિશ્ર્ચયાનિટીનો જ પ્રચાર કરવાની નેમવાળી કોન્વેન્ટ સ્કૂલમાં આપણાં બાળકો જાય ? ધો. ૪ સુધી કોન્વેન્ટમાં ભણનારા બાળકોને તપોવનમાં જરૂર મૂકી શકાશે. હવે તો માત્ર તપોવન એ જ આપણાં સંતાનોનો તરણોપાય.

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60