________________
કળશ-૧૭૨
૨૪૭
નથી એને અહીંયાં ધર્મી અને સમકિતી કહેવામાં આવે છે.
મુમુક્ષુ :- પરસ્પર ઉપકાર કરવો એવું તો આવે છે.
ઉત્તર :- એ તો નિમિત્ત છે એમ કહે છે. નાખ્યું છે ને ? બધા અત્યારે ઈ નાખે છે ને ? પરસ્પર ઉપગ્રહો ! એ તો પરસ્પર નિમિત્ત થાય તેનું જ્ઞાન કરાવ્યું છે. ઉપગ્રહનો અર્થ ઉપકાર કરે અને કરી શકે, એ વાત છે જ નહિ. આહાહા...! બહુ આકરું કામ, ભાઈ ! વીતરાગ પરમાત્માને સમજવા, એની આજ્ઞાને જાણવી. અનંતકાળમાં એણે દરકાર કરી જ નથી. આમ ને આમ સંસારના ભાવમાં મારાપણું માની અને જિંદગી નિષ્ફળ કરી છે. આહા...હા...! આહા...હા...! ઝીણી વાત, ભાઈ ! અહીં પરમાત્મા એમ કહે છે. અત્યારે તો સંપ્રદાયમાં પણ એ બધી વાત ઊંધી ચાલે છે. આને દયા પાળો ને આને આમ કરો ને આની સેવા કરો ને. બાપુ ! અહીં વીતરાગ ના પાડે છે, ભાઈ ! તું પરનું કાંઈ કરી શકતો નથી. કેમકે પરદ્રવ્ય વસ્તુ છે ઈ સ્વતંત્ર પદાર્થ છે અને તેની વર્તમાન પર્યાયરૂપી કાર્ય તો તેનાથી થાય છે. એને તું કહે કે, હું આને કરી દઉં... આહા...હા...! એ જૂઠો અભિપ્રાય (છે), પ્રભુ ! તું રખડવાના રસ્તામાં દોરાઈ ગયો છો. આ..હા...હા...! પરિભ્રમણના ચાર ગતિના દુ:ખના રસ્તે દોરાઈ ગયો, ભાઈ ! આહા..હા...! આવી વાત છે, પ્રભુ ! શું થાય ?
અહીં હજી કહેશે, જુઓ ! આહા! કેવો છે મિથ્યાત્વ ભાવ ? “મોદૈવન્દ્ર ‘મિથ્યાત્વનું મૂળ કારણ છે.” આહાહા...! પરની દયા પાળી શકું છું, પરને મારી શકું છું એનું મૂળ કારણ મિથ્યાત્વકન્દ છે. આહા...હા...! એનું મૂળ કારણ મિથ્યાત્વ – જૂઠી દૃષ્ટિ છે. દુનિયાથી જુદી જાત છે, બાપુ ! આહાહા...! સમજાણું કાંઈ ? આહાહા...!
જોવૈજન્ટ છે ને ? મિથ્યાત્વ એક જ એનું મૂળ કારણ છે, એમ કહે છે. આહી.હાં...! દેશની સેવા કરી શકું. આહા..હા..! પ્રભુ ! દેશ કોણ છે ? દેશ તો પરવસ્તુ છે. પરવસ્તુની તું રક્ષા કરી શકે ? આકરું કામ, ભાઈ ! પ્રભુનો માર્ગ કોઈ જુદી જાતનો છે. એ અનંત અનંત ભવમાં રખડી મરી ગયો છે. આહા...હા...! એનું કહ્યું નહોતું ? આહા..હા...!
નરકના એક ક્ષણના દુ:ખ પ્રભુ ! શું કહીએ ? પ્રભુ કહે છે. એક ક્ષણનું દુઃખ, હોં ! આહા...હા...! ભાઈ ! તેં એક ક્ષણના દુઃખમાં એવું વેદન કર્યું છે કે, કરોડો ભવ અને કરોડો જીભેથી એ દુઃખની વેદનાનું વર્ણન ન થઈ શકે. આહાહા...! ભાઈ ! તું ભૂલી ગયો, ભાઈ ! આહા...હા....! જન્મ અહીં થયો ત્યાં માની લીધું કે, હું માણસ છું ને હું છોકરો છું ને હું આદમી છું, ફલાણાનો દીકરો છું ને લાણાનો ધણી છું. આ શું થયું પ્રભુ તને આ ? અહીં એ કહે છે, એ બધાની માન્યતાનું મૂળ મિથ્યાત્વ છે. વિપરીત માન્યતા – વિપરીત શ્રદ્ધા એ બધાનું મૂળ છે. આહા.હા..!
યત્વમાવી” જે મિથ્યાત્વપરિણામના કારણે ‘કાત્મ માત્માન... વિશ્વમ્ વિઘાતિ’