Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 54
________________ જે કચ્છ પ્રાન્તમાં પ્રસિદ્ધ છે, (૧૮) કુમળાં પાન વનસ્પતિનાં નવાં ઉગતા અંકુર જે અનંતકાળ હોય છે, (૧૯) ખરસૂયાકંદ-કસેરુ, (૨૦) થેગ-જવારના દાણા જેવા કંદ, (૨૧) નાગરમોથ, (૨૨) લૂણી નામના વૃક્ષની છાલ, (૨૩) બિલોડાં, (૨૪) અમરવેલ, (૨૫) મૂળા-મૂળી, (૨૬) બિલાડીના ટોપ, (૨૭) પ્રથમ ઉગતી એવી ભાજી, (૨૮) કરુહા૨, (૨૯) પાલકની ભાજી, (૩૦) સૂરવેલ, (૩૧) કોમલ આમળી-જ્યાં સુધી તેમાં બીજ ન થાય ત્યાં સુધી તે અનંતકાય છે, (૩૨) બટાટા-રતાળું અને પિંડાલૂ, આ પ્રકારના બધાને અનંતકાય કહ્યા છે. જેનો ઉપરની યાદીમાં ઉલ્લેખ નથી થયો તેને નીચે જણાવેલ લક્ષણોથી જાણવાં. અનંતકાયના લક્ષણ : પાંદડા, ફૂલ, ફળ વગેરેમાં નસો ન દેખાય તેવી, સાંધા પણ ગુપ્ત હોય,તોડવાથી બરાબર તૂટી જાય, જડમાંથી કાપવા છતાં ય જે લાંબા સમય સુધી લીલાં રહે અને ઉગાડવાથી તે ફરી ઉગે, આ બધા અનંતકાર્યનાં લક્ષણ છે. ભોગોપભોગના વ્રતના સાધકે જે ચૌદ નિયમ છે તેને નીચે મુજબ જાણવા. ચૌદ નિયમ નીચેની ગાથાને યાદ કરી લેવાથી આ ચૌદ નિયમોને યાદ રાખવાનું સહેલું પડશે. સચિત્ત ૬વ્યૂ વિગઇ વાણહ પતંબોલ વત્થ કુસુમેસુ । વાહણ સયણ વિલેવણ ૧૧બંભ દિશિ ૧૩ન્હાણ ૧૪ભત્તેસુ । દરરોજ સવારના પ્રતિક્રમણ પછી અને સાંજના પ્રતિક્રમણ ૪૫

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70