________________ 198 યુપીય પ્રજાના આચરણનો ઇતિહાસ, ચમત્કારીક અને જાદુઈ શક્તિઓને અતિ વિસ્તૃત પ્રચાર હોવાને લીધે બીજા પ્રકારના ચમત્કારને અપીલ કરવી તે પણ નકામું હતું; કારણ કે એવા ચમત્કારોની ખાસ અસર થતી નહિ. ત્રીજા અને ચોથા પ્રકારના ચમકારેને સંબંધ ધર્મની માનનીયતા સાથે રહે છે અને તેમને માટે રેમમાં લાંબા કાળથી માન અને શ્રદ્ધા હતાં. અને કેટલાંક કારણોને લીધે ચોથા પ્રકારના ચમત્કાર એ વખતે ઘણું અગત્યના થઈ પડ્યા હતા. પરંતુ છેલ્લા બે પ્રકારની અસર પણ કેવળ ગણુ જ હતી એમ નિઃશંકપણે કહી શકાય છે. ત્યારે રામ ખ્રિસ્તિ કેમ થયું? એ પ્રશ્ન તે ઉભો જ રહે છે. આ પક્ષને જવાબ જમાનાના સામાન્ય વલણેમાંથી આપણને મળી આવે છે. રામને સમય છેક બદલાઈ ગયું હત; સંશય અને શ્રદ્ધાની મિશ્રણયુક્ત એક મેટી ચળવળ ચાલુ થઈ હતી, અને લેકેની રીતભાત, વૃત્તિ અને વિચારમાં ગંભીર ફેરફાર થઈ ગયા હતા, આ વાત પાછલા પ્રક થી વાંચનારને વિદિત છે. વિનાશાત્મક વિવેચનાથી જૂના ધર્મ બધા નષ્ટ થઈ ગયા હતા, અને કઈ નવીન ધર્મ આવે તે તેને આશ્રય લેવા લેકે ઉસુક બની રહ્યા હતા. આમ કઈ પણ ધર્મને માટે તત્પર બનેલા રમમાં અનેક ધર્મ અને તત્વજ્ઞાનના અનેક સિદ્ધાંતો ઉપરિ પદને માટે સરસાઈ કરવા લાગ્યા હતા. કેળવાએલા વર્ગમાં, પ્રૌઢ પણ અપ્રાપ્ય ભવ્યતાને ઉપદેશ આપતો અને લાગણીઓના ટેકાને, અન્ય દુનિયાની આશાને અને ભક્તિના દિલાસાને તિરસ્કાર કરતે, સખત ઈક મત કેટલેક સમયે માન્ય રહ્યા હતા; પણ જમાનાની ધર્મભાવનાને પિષવાનું સામર્થ્ય તેમાં જ્યારે ન જણાયું ત્યારે સદ્ય તેનો લેપ થઈ ગયે. અન્ય વર્ગોમાં એક પછી એક ધર્મો આવીને જવા લાગ્યા. યહુદીઓ ઉપર જે કે ઘણું કારહને લીધે રેમન લેકેને અંટસ હો, તથાપિ તેમને ધર્મ બહુ પ્રસરવા લાગે; કારણ કે તેમાં એકેશ્વરવાદ, દયા અને ભૂત કાઢવાની વિદ્યા હતી. એમ કહેવાય છે કે શહેનશાહ બાનુ પિપીઆએ તે ધર્મ સ્વીકાર્યો હતે. મિની બીઓને તે ધર્મની ક્રિયાઓ અત્યંત વહાલી હતી, અને તેના તેહેવાથી તે બહુ પરિચિત થયા હતા. બીજા પૂર્વ-દેશી ધર્મો, અને તેમાં