________________ કેન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 303 વિરૂદ્ધ હોય છે તે ધર્મ તે પ્રજામાં સ્થાપી શકાયો નથી અથવા કવચિત જ સ્થાપી શકાય છે. દુર્ભાગ્યે ખ્રિસ્તિ ધર્મને સ્વદેશાભિમાનની સાથે પ્રથમથી જ બનતું નહિ, સ્પષ્ટ કારણોને લીધે જ્યુડિયાના પ્રજાકીય જુસ્સાથી ખ્રિસ્તિઓ સાવ નિરાળા પડ્યા હતા. અને ઓલવાઈ ગએલા અગ્નિમાં રહી રહીને પ્રજળતા તણખાની માફક દષ્ટ થતું તેમનું સ્વદેશાભિમાન પણ તેમને તેટલું જ વિરોધી અને પ્રતિકૂળ લાગતું હતું. રેમની સત્તા ખ્રિસ્તિઓને પોતાના ધર્મની વિધી લાગતી, અને તે ધર્મનું હજાર વર્ષનું રાજ્ય જામે તે પહેલાં તે સત્તાને ઉથાપી નાંખવાનું કામ આવશ્યક હતું. તેની સત્તાને સત્વર નાશ થવાને છે એવો પૂર્વ-નિશ્ચય કરીને ભૂતકાળના તેના ભૂષણરૂપ શરીરની માઠી ગતિ બાબત વાત કરીને, અને સ્વદેશાભિમાનની દઢતાથી ના કહીને રાજ્યની પ્રકૃતિને કેવળ વિરૂદ્ધ એવી એક ગેરકાયદેસર સંસ્થા તેમણે સ્થાપી. જો કે રાજ્યની સામે ઉઘાડે બળ કરવાથી તેઓ અંતઃકરણપૂર્વક વેગળા રહ્યા છે, તથાપિ પિતાના વિચાર તેઓ ગુપ્ત રાખતા નહિ; અને તેમના ઉપદેશનું આખું વલણ સાર્વજનિક જીવનનાં ઉત્સાહ અને કર્તવ્યોમાંથી માણસને જેમ બને તેમ પાછા વાળી લેવાનું હતું. પિતાના દેશના લાભની બાબતમાં તેઓ તદન નિસ્પૃહ રહેતા એ વાત તેઓ બડાઈ મારીને કબુલ કરતા. હથીઆર ગ્રહી લડવા જવું એ વાત વાજબી છે કે નહિ? એ બાબત તેમને ઘણે સંશય હતું. અને સિપાઈના ચારિત્ર્યમાં રહેલી મગરૂબી, ઉચ્ચાશયતાને તેઓ ખ્રિસ્તિ ગુણ ગણવાની ના કહેતા. તેમનું ખરું ઘર અને લાભ તે અન્ય દુનિયામાં હતાં, અને પિતાને ધર્મ પાળવામાં તેમને જે કાંઈ અડચણ થતી ન હોય તે રાજ્ય કેવું છે? એ બાબતની તેમને બિલકુલ દર કાર રહેતી નહિ. અને આ વાત તેમની સત્તા જામ્યા પછી તેઓ સ્પષ્ટ રીતે કબુલ કરતા હતા. તવૃત્તિએ આ બેદરકારીને છેક છેલ્લે પગથીએ લાવી મુકી ખ્રિસ્તિ ધર્મના ઉત્સાહી અનુયાયીઓને એણે જંગલમાં ભેગા કર્યા. અને રેમના સ્વદેશાભિમાનને છેવટને ફટકે મારી તેને સંપૂર્ણ નાશ કર્યો. રોમના રાજ્યના અસ્તનું એક કારણ આ પણ હતું. નૈતિક ઉત્સાહ અને નિવિષ્ટ (Psitive) ધર્મોના સંબંધ કે છે