Book Title: Dhandhero Athva Gurumantra Author(s): Sagranandsuri Publisher: Ratanchand Shankarlal Shah View full book textPage 5
________________ સુદેવ, તેને માન્ય રાખનાર જ સમકિતી, ન રાખનારા મિથ્યાત્વી, તેવાઓની દેવગુરુધર્મની માન્યતા, ઈતિ, મન, કર્મ, એને તેડવા માટે ભેદનીતિ, ક્ષણિકવાદ, નિયતિવાદ, અર્ધમાગધીની પ્રાચીનતા, નવ ત, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય યોગ વિગેરે ખાસ બાબતોને ઉલ્લેખ સ્પષ્ટતયા કરાયો છે. - સર્વ અંગોમાંની બાબતે બારમા દષ્ટિવાદ નામના અંગમાંના ચૌદ પૂર્વોમાં છે, પણ પૂર્વે ભણવા જેટલી જે જીવોની શક્તિ નથી તેઓના માટે અગિયાર અંગેની રચના છે. દ્વાદશાંગીની રચના પન્ન વા વિમે વા યુવેદ વા આ ત્રિપદી પ્રભુમુખથી સાંભળી ગણધર ભગવંતોએ કરી છે. ત્રિપદીથી જ પ્રવચન પુરુષનો જન્મ છે. તેમાં આચારાંગ સૂયગડાંગ બે પગ, સ્થાનાંગ સમવાયાંગ બે જંઘા, જ્ઞાતા ભગવતી બે સાથળ, ઉપાસકદશાંગ વાંસ, અનુત્તરોપપાતિક પ્રશ્નવ્યાકરણ બે બાહ, વિપાક ઠેક, ને દષ્ટિવાદ એ પ્રવચન પુરુષનું મસ્તક છે. બાર અંગેમાં પ્રથમ આચારાંગને સ્થાન છે, કારણ તેમાં સાધુને આચાર વર્ણવ્યો છે. પહેલા આચાર સુધરે પછી વિચાર. આચાર એ ક્રિયા છે. અનેકાંતવાદ હૃદયમાં જ્યારે અહિંસા પાલનમાં એ આપણું વ્યવસ્થા છે, માટે જ કોઈની હિંસા કરવાનો કોઈને અધિકાર નથી એમ ભગવાન મહાવીર મહારાજાએ ત્રણ લોકની શાંતિ અને નિર્ભયતા માટે ઢંઢેરો જાહેર કર્યો, આત્માઓને આનંદમ્ બનવાને રસ્તો દર્શાવ્યો, કે જે જૈન શાસનને ગુમંત્ર છે. આ પુસ્તકમાં આ વિષય જ મુખ્ય–પ્રાણભૂત હોવાથી પુસ્તકનું નામ પણ અન્વર્થક રાખવામાં આવ્યું છે. આ પુસ્તિકામાં “પેડક ના રા: પતિ સિ. એ મલેક ઉપરના કેટલાક વ્યાખ્યાન પણ છપાવ્યા છે. તેને વિષય દેવધર્મની પરીક્ષા, બાલ, મધ્યમબુદ્ધિ અને પંડિત કઈ કઈ રીતેPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 394