Book Title: Devdarshanadi Dharm Karni
Author(s): Bhadrankarvijay
Publisher: Chimanlal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 16
________________ દેવ શબ્દની વ્યુત્પત્તિ ધર્મનું આચરી રહ્યા છે અને પિતાના સંસર્ગમાં આવનારા ચોગ્ય આત્માઓને ધર્મમાર્ગે વાળી રહ્યા છે. તેઓ પણ ધર્માર્થિ ઉત્તમ આત્માઓને સ્તવનીય છે અને તપ સંયમાદિ ઐશ્વર્યને ધારણ કરનારા છે, તેથી દેવ વ્યપદેશને ગ્યા છે. છેલ્લા દેવાધિદેવ છે. જેઓ દેવદેવ, મહાદેવ, અહંન, પુરૂષોત્તમ, શંભુ, સ્વયંભૂ અને ભગવાન આદિ પદેથી સંબોધાય છે તથા જેઓમાં સ્તુતિ કરવાને ગ્ય સમગ્ર વસ્તુઓ રહેલી છે. કહ્યું છે કે – “શ્ચર્યચ સમસ્ય, સંપચ થવા વિડી ધર્મચથ પ્રયત્નર, પuri મા રુતીના છે ?” [ લલિતવિસ્તરા] સમગ્ર ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી–લક્ષમી, ધર્મ અને પ્રયત્ન એ છે કે ભગ એવી સંજ્ઞા આપવામાં આવી છે. એ છ વસ્તુઓ જેઓમાં પરિપૂર્ણ હોય છે તેઓ ભગવાન કહેવાય છે. દેવાધિદેવમાં એ છ વસ્તુઓને સંપૂર્ણ વેગ રહેલ છે. સમગ્ર ઐશ્વર્ય ત્રિદશપતિ–ઈન્દ્રો પણ જેઓના ચરણમાં ભક્તિથી નમ્ર બનીને સુંઠન કરે છે તથા શુભાનુબન્દિ મહાપ્રાતિહાર્યો વડે પૂજા કરે છે. જેઓનું રૂપ પણ અદ્વિતીય હોય છે. સઘળા દેવતાઓ પોતાના પ્રભાવ વડે પિતાના રૂપને એક અંગુષ્ઠ પ્રમાણુ વિદુર્વે તે પણ શ્રી જિનેશ્વરના ચરણના અંગૂઠા આગળ તે રૂપ બૂઝાઈ ગયેલા અંગારાકેલસામાન - ભાસે. પ્રભુને યશ પણ રાગદ્વેષ, પરીષહ અને ઉપસર્ગોને સંપૂર્ણપણે હઠાવવાના પરાક્રમથી સર્વત્ર ફેલાયેલો છે અને -ત્રણે લોકને સદાકાળ આનંદ આપવાવાળે છે. લક્ષમી પણ ઘાતિકર્મના ઉચ્છેદથી પ્રાપ્ત થયેલ કેવલાલક-કેવળજ્ઞાન અને

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 238