Book Title: Dandak Prakaran Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 106
________________ પરિણમન પમાડવાની જે શક્તિ વિશેષ તે પર્યાપ્તિ કહેવાય. જીવ જ્યારે એક સ્થાનેથી મરણ પામી બીજા સ્થાને ઉત્પન્ન થાય છે ત્યારે જ્યાંથી મરણ પામે છે ત્યાંથી આહારના પુદ્ગલો ગ્રહણ કરીને નીકળે છે અને એક સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચી આહારને ગ્રહણ કરે છે માટે તે આહારી જ હોય છે. એવી જ રીતે જે જીવ જે સ્થાનેથી આહાર ગ્રહણ કરી મરણ પામી. પોતાના ઉત્પન્ન થવાના સ્થાને જવા માટે નીકળે તેમાં એક વિગ્રહ કરીને જાય છે તે બીજા સમયે પોતાના ઉત્પત્તિ સ્થાને પહોંચે છે કે ત્યાં આહારના પુગલો મલી જાય છે માટે પહેલા સમયે આહારી અને બીજા સમયે પણ આહારી હોય છે. અણાહારી રૂપે ગણાતો નથી. જ્યારે કોઇ જીવને પોતાના સ્થાનેથી ઉત્પત્તિ સ્થાને પહોંચવામાં ત્રણ સમય લાગે એટલે બે વિગ્રહ કરે તે જીવો પોતાના સ્થાનેથી આહાર લઇને નીકળે છે. વચલા બીજા સમયમાં આહારના પુગલો મલતાં ન હોવાથી એ વચલો સમય અણાહારીનો ગણાય છે અને ત્રીજા સમયે પોતાના સ્થાને પહોંચે કે તરત જ આહારના પુદ્ગલો મલે છે માટે આહારી હોય છે. આથી બા વિગ્રહમાં પહોંચવાવાળા જીવોને વચલો એક સમય અણાહારી પણાનો મળે છે. આજ રીતે ચાર સમયે પહોંચવાવાળા જીવોને પહેલો અને છેલ્લો એમ બે સમય સિવાય વચલા બે સમય અણાહારીના મલે છે અને પાંચ સમયે પહોંચવાવાળા જીવોને પહેલા અને છેલ્લા સમય સિવાય વચલા ત્રણ સમય અણાહારીના પ્રાપ્ત દરેક જીવોને, તે જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે ત્યાં ઉત્પત્તિના સમયે જ આહારના પુદગલો મળી રહે છે અને તે પુગલોને તેજ સમયે ગ્રહણ કરી ખલ અને રસરૂપે પરિણાવી તેજ સમયે ખલવાળા પગલોનો નાશ કરે છે અને રસવાળા પુદ્ગલોનો સંચય એટલે સંગ્રહ કરે છે. આ બધી પ્રક્રિયા એક જ સમયમાં દરેક જીવોને બનતી હોવાથી આહાર પર્યાપ્તિ એક સમયની કહેલી છે. આ શક્તિ પેદા કરીને જીવો સમયે સમયે આહારના પુગલોને ગ્રહણ કરશે અને રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરશે. આથી જીવોને અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં સંગ્રહ કરવાનો સંસ્કાર પણ અનાદિ કાળથી ચાલુ જ છે. તત્વાર્થ સૂત્રની ટીકામાં કર્તા કહે છે આત્મા કરણ વિશેષથી આહારાદિ ગ્રહણ કરવાનું સામર્થ્ય ઉત્પન્ન કરે છે. કરણ એટલે જે પુદગલોથી પેદા થાય તે પૂગલોને પર્યાપ્તિ કહેવાય છે. - પર્યાતિઓ છ હોય છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મન પર્યાપ્તિ. એકેન્દ્રિય જીવોને પહેલી ચાર પર્યાપ્તિઓ એટલે કે (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ હોય. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિય જીવોને પહેલી પાંચ પર્યાપ્તિઓ હોય. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને (૫) ભાષા પર્યાપ્તિ. સન્ની જીવોને છએ છ પર્યાતિઓ હોય છે. (૧) આહાર, (૨) શરીર, (૩) ઇન્દ્રિય, (૪) શ્વાસોચ્છવાસ, (૫) ભાષા અને (૬) મન પર્યાતિઓ હોય. એકેન્દ્રિય જીવોને વિષે પર્યાતિઓનું વર્ણન: કોઇપણ સ્થાનેથી જીવ મરણ પામીને એકેન્દ્રિયપણા રૂપે ઉત્પન્ન થવાનો હોય તો મરણ થતાની. Page 106 of 161

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161