Page #1
--------------------------------------------------------------------------
________________
દંડક પ્રકરણ વિવેચન મુનિ શ્રી નરવાહનવિજયજી
અનંત ઉપકારી શ્રી અનંત અરિહંત પરમાત્માઓને નમસ્કાર કરીને તથા આ અવસરપિણી. કાળમાં થયેલા શ્રી ચોવીશ તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર કરીને તેઓએ પોતાના જીવનમાં પુરૂષાર્થ કરીને છેલ્લે ભવે ઉંચી કોટિનો વૈરાગ્ય ભાવ જાળવીને સંસારી અવસ્થામાં શ્રી કષભદેવ ભગવાન શ્યાશી લાખ પૂર્વ વર્ષ સુધી રહીને તેમાં વીશ લાખ પૂર્વ વર્ષ કુમાર અવસ્થામાં અને કેંસઠ લાખ પૂર્વ વર્ષો સુધી રાજ્ય અવસ્થામાં રહીને કે જે ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકમાં-ક્ષયોપશમ સમકીતના કાળમાં-નિરતિચાર પણે સમજીત ટકાવીને એવી રીતે જીવન જીવ્યા કે જેઓને રાગ-દ્વેષ ક્રોધ-માન-માયા-લોભનો ઉદય સમયે સમયે ચાલુ હોવા છતાં ત્રીજા ભવે અભ્યાસ કરીને જે જ્ઞાન ભણેલા હતા તે મૃત જ્ઞાન સાથે લઇને આવેલ છે એના સ્વાધ્યાયના ઉપયોગમાં સ્થિર રહી-રાગાદિ ઉદયને નિષ્ફળ બનાવી વેરાગ્યના ઉપયોગમાં એકાગ્ર ચિત્તવાળા થઇને પોતાનો કાળ પસાર કરી-ભોગાવલી કર્મોને ભોગવીને-ખપાવીને છેલ્લા લાખ પૂર્વ વર્ષમાં સંયમનો સ્વીકાર કરી એક હજાર વર્ષ સુધી સંયમ પર્યાયમાં જે કાંઇ પરિષહો અને ઉપસર્ગો આવ્યા તેને સારી રીતે વેઠીને કેવલજ્ઞાનને પામ્યા. એ કેવલજ્ઞાનથી જગતમાં જેવા સ્વરૂપે જે જે પદાર્થો રહેલા છે તે પદાર્થોને તે તે સ્વરૂપે જોયા અને જાણ્યા. તેના અનંતા પર્યાયોને પણ એક જ સમયમાં જુએ છે અને જાણે છે. આ રીતે જ્ઞાનની પ્રાપ્તિ થતાં દેવતાઓ કેવલજ્ઞાનનો મહિમા કરવા આવે છે અને સમવસરણની રચના કરે છે. ત્યાં દેવતાઓ-આજુબાજુ રહેલા મનુષ્યો અને તિર્યંચો પણ દેશના સાંભળવા આવી સમવસરણમાં બેઠા. ભગવાન દેશનાની શરૂઆત કરે છે તે વખતે જે ગણધર થનારાં આત્માઓ છે તે પણ ત્યાં આવેલા છે. દેશના પૂર્ણ થતાં ગણધરની યોગ્યતાવાળા આત્માઓ ઉભા થઇ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપીને દીક્ષાની માંગણી કરે છે અને ભગવાન ત્યાં દીક્ષા આપે છે. દીક્ષા લીધા બાદ એ આત્માઓને જ્ઞાન મેળવવા માટે જિજ્ઞાસા પેદા થાય છે તેમાં ભગવાનને ત્રણ પ્રશ્નો પૂછે છે. ભગવદ્ કિંતત્વ ? હે ભગવન તત્વ શું છે ? ત્યારે ભગવાન જવાબ આપે છે કે ઉપન્નઇવા. જગતમાં જેટલા જેટલા પદાર્થો છે તે ઉત્પન્ન થવા લાયક છે. એ સાંભળીને વિચાર કરે છે કે ઉત્પન્ન થવું-ઉત્પન્ન થવું એટલે શું ? અટલાથી પિપાસા છીપાતી નથી સંતોષ થતો નથી એટલે ફ્રીથી પૂછે છે કે ભગવદ્ કિં તત્વમ્ ? હે ભગવનું તત્વ શું છે ? ત્યારે ભગવાને કહ્યું કે વિગમેઇવા. જે પદાર્થો ઉત્પન્ન થાય છે તે નાશ પામે છે. અર્થાત જે પદાર્થો ઉત્પન્ન થતાં હોય છે તે અવશ્ય નાશ પામે જ છે. આ જાણીને વિચાર કરે છે કે ઉત્પન્ન થવું, નાશ પામવું, ઉત્પન્ન થવું, નાશ પામવું એટલે શું ? હજી જ્ઞાનમાં સંતોષ થતો નથી એટલે ફ્રીથી ત્રીજીવાર પ્રજ્ઞા પૂછે છે કે ભગવદ્ કિં તત્વમ્ ? હે ભગવન્ તત્વ શું છે ? ત્યારે ભગવાને કહ્યું છે ધુવેઇ વા. જે પદાર્થો જેવા સ્વરૂપે છે તે તેવા સ્વરૂપે પ્રૂવરૂપે રહેવા લાયક છે. આ સાંભળીને એ આત્માઓના અંતરમાં ચોદે રાજલોકમાં જેટલા જેટલા પદાર્થો હોય છે તે દરેક પદાર્થોને જાણવાની શક્તિ પેદા થઇ એટલે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં જગતમાં રહેલા પદાર્થોને જાણતાં થયા. એટલે ભગવાને જ્ઞાનથી જાણ્યું અને મારે જગતના જીવોને જે જ્ઞાન આપવું છે તે આ આત્માઓને પેદા થયેલ છે. યથાર્થ છે. એમ જાણીને, એ આત્માઓને એ રીતે જગતના જીવોની પાસે પ્રરૂપણા કરવાની આજ્ઞા આપે છે. આ રીતે ગણધર તરીકેની સ્થાપના કરે છે. એ
Page 1 of 161
Page #2
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન એ આત્માઓએ પોતાના શિષ્ય પરિવારને આપીને અનેક જીવોને લાભ કયો.
આ જ રીતે બાકીના તીર્થંકર પરમાત્માઓ પણ છેલ્લાં ભવે સંસારમાં ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવમાં રહી ભોગાવલી કર્મો ભોગવીને નાશ કરી, સંયમનો સ્વીકાર કરીને પરિષહ ઉપસર્ગો જે આવ્યા તે સહન કરી, કેવલજ્ઞાન પામી દરેકે પોત પોતાના શાસનની સ્થાપના કરી. એટલે અનંતા તીર્થકરો જે જ્હી ગયા છે તે હું કહું છું એમ કહીને અર્થથી દેશના આપી-ગણધરોની સ્થાપના કરી પોત પોતાના શિષ્ય પરિવાર સુધી એ જ્ઞાન પહોંચાડ્યું. આ રીતે કરતાં કરતાં આપણા નિકટના ઉપકારી શ્રી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ કેવલજ્ઞાન પામી-અર્થથી દેશના આપી-ગણધર ભગવંતોની સ્થાપના કરી. એ ગણધર ભગવંતોએ સૂત્રથી એ પદાર્થોને ગુંથ્યા એટલે રચ્યા. આરીતે પોત પોતાના શિષ્ય પરિવારને સૂત્રથી તથા અર્થથી દેશના આપીને જ્યાં સુધી મૌખિક રીતે યાદ રહેતું હતું ત્યાં સુધી મૌખિક રીતે પરંપરા ચાલી અને તે પરંપરા એક પૂર્વધર શ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ સુધી મોખિક રીતે જ્ઞાનની પરંપરા ચાલી. જ્યારે પોતાને એમ લાગ્યું કે હવે અમારું જ્ઞાન અમો ભૂલતા જઇએ છીએ-યાદ રહેતું નથી તો હવે આગળની પેઢી અમારા કરતાં પણ ઓછા ક્ષયોપશમ વાળી, ટુંકા આયુષ્યવાળી, શક્તિહીન અને બળહીન પાકશે અને જો આ જ્ઞાન નહિ હોય તો એ જીવોનું થશે શું ? એમ વિચાર કરીને તે વખતના કાળમાં પાંચસો આચાર્યો હતા તેઓને બોલાવી જેઓને જે જે યાદ હોય તે લખવાનું જણાવ્યું. ત્યારથી પુસ્તકોનાં લખાણ શરૂ થયા તેમાં પરંપરામાં જે જે આચાર્યો એ આગમ ગ્રંથો લખ્યા તેમાં કેટલાક આચાર્યોને લાગ્યું કે આ અર્ધમાગધી અને પ્રાકૃત-સંસ્કૃત ભણનારા ઓછા થવા માંડ્યા છે. આગમો ભણતા નથી તો આગળના મહાત્માઓ-શ્રાવકો શું કરશે ? એમ વિચારીને આગમ ગ્રંથો ઉપરથી એને અનુસરીને મહાપુરૂષોએ પ્રકરણ ગ્રંથોની રચનાઓ કરી.
એમાં હજારો પ્રકરણોની રચનાઓ થયેલી છે તેમાંથી હાલ આપણો પૂણ્યોદય ઓછો થયેલા હોવાથી લગભગ મોટા ભાગના પ્રકરણ ગ્રંથો નાશ પામી ગયેલા છે. જે છે તેમાં દોઢસો જેવા પ્રકરણો રહેલા છે તેમાંથી અભ્યાસ રૂપે કરીએતો કેટલા કરીએ છીએ ?
એ પ્રકરણ ગ્રંથોમાં મુખ્ય પ્રકરણો ચાર ગણાય છે. જેમાં જીવવિચાર-હ્નવતત્વ, દંડક તથા લઘુસંગ્રહણી. આ ચાર પ્રકરણોનો સમાવેશ થાય છે.તેમાં આ દંડક પ્રકરણ પૂ. ગજસાર મુનિએ બનાવેલા
જેમ જીવવિચાર પ્રકરણને વિષે પૂ.આ. વિ. શાંતિ સૂ. મ. સાહેબે જીવોનાં ભેદો-ઉત્તર ભેદો એનાં સ્થાનો આદિ બતાવવાને કારણે એ જીવોની જયણા અને યા પાળવામાં ઉપયોગી થાય છે એવી રીતે નવતત્વ પ્રકરણને વિષે એ જીવોનાં ભેદોનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા એનાં સ્થલ દ્રષ્ટિથી ભેદો સમજાવી એ જીવો જગતમાં કેવી કેવી રીતે ભમે છે. તે ભમવાનાં કારણો કેવી રીતે નાશ થાય એનાં ઉપાયો વગેરે બતાવીને જેન શાસનનો સાર આખોય એ પ્રકરણમાં જણાવેલ છે તેમ આ ત્રીજા દંડક પ્રકરણને વિષે એની. વિશેષ સમજુતિ આપવા જગતમાં રહેલા જીવોનાં ચોવીશ ભેદો પાડીને સમજવા માટે દંડક તરીકે નામ આપેલ છે. એ ચોવીશે પ્રકારના દંડકવાળા જીવો જગતમાં શેના શેનાથી દંડાયા કરે છે અને એ દંડથી છૂટવું હોય તો કઇ રીતે છૂટી શકાય એનું વિસ્તારથી જ્ઞાન આ ત્રીજા દંડક નામના પ્રકરણમાં આપેલું છે. જેના જેનાથી જીવ દંડાયા કરે, દંડને પામ્યા કરે તે દંડક કહેવાય છે. ચોદે રાજલોકમાં થઇને જીવો ક્યાં ક્યાં કયા કયા દંડકમાં કેટલો કેટલો કાળ રહીને તે દંડકમાં એ જીવ શેના શેનાથી દંડ પામ્યા જ કરે છે એનું વર્ણન કરવામાં આવેલ છે. એ વર્ણન આ મહાપુરૂષે એવી ખુબો પૂર્વક કરેલ છે કે જેના કારણે ચોવીશે
Page 2 of 161
Page #3
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર કરીને આગમોમાં જણાવેલ છે કે જીવ જે દંડ પામી રહ્યા છે તે અનેક જુદા જુદા પદાર્થોથી દંડ પામી રહેલા હોય છે. તેમાંથી ખાસ સમજવા લાયક અને જીવોને વિશેષ ખ્યાલ આવે એ હેતુથી તેમાંથી શોધી શોધીન એક એક દંડકવાળા જીવો ચોવીશ ચોવીશ પદાર્થોથી હંમેશા દંડાયા જ કરે છે. એ ચોવીશ દંડકોમાં ચોવીશ ચોવીશ દ્વારોના પદાર્થોનું વર્ણન કરવાનું હોવાથી આ મહાપુરૂષે ચોવીશે. તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર કરેલા છે. એ દરેક શ્રી તીર્થંકર પરમાત્માઓ પણ એ ચોવીશ દ્વારોથી સંસારમાં સંખ્યાતા ભવો, અસંખ્યાતા ભવો અને અનંતા ભવોના દંડને પામેલા છે. તે પોતાના સ્વરૂપને ઓળખીને એ ચોવીશે તીર્થકરોએ છેલ્લા ભવે સંસારમાં રાજગાદી ઉપર રહીને વગર દંડ પામે એટલે દંડાયા. વગર હજારો-લાખો, ક્રોડો વરસો પસાર કરીને જીવન જીવી બતાવ્યું છે. દંડ કરનાર સાધન હયાત હોવા છતાં જીવ જો રાગાદિ પરિણામોને ઓળખીને જોરાવર બની જાય તો એ પદાર્થોમાં આત્માને દંડ દેવાની જરાય શક્તિ રહેતી નથી અને એ પદાર્થોની સહાયથી જ એના દ્વારા આત્મા પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપને સારી રીતે પ્રાપ્ત કરી શકે છે એવો ચિતાર સાક્ષાત ચોવીશે તીર્થંકર પરમાત્માઓએ પોતાના જીવનમાં જીવી બતાવેલ છે માટે જ આ મહાપુરૂષે ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તુતિ અને નમસ્કાર કરીને આ પ્રકરણ કહેવાનો પ્રારંભ કર્યો છે એમ લાગે છે. આથી આ દંડક પ્રકરણની મહત્તા સમજી એ પદાર્થોનું બરાબર જ્ઞાન મેળવી એમની ઓળખ કરી એવી રીતે જીવન જીવતા બનીએ કે જેથી રાગાદિની મંદતા થાય-રાગાદિ સંયમીત થાય અને એમ કરતાં કરતાં આત્મશક્તિ પેદા કરીને એ રાગાદિનો સંપૂર્ણ નાશ કરીને-વીતરાગ દશાને પામીને- કેવલજ્ઞાન પામી-યોગ નિરોધ કરી-આપણું પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી શકીએ. સો કોઇ આ પ્રકરણને જાણી પરંપરાએ જલ્દી મોક્ષ સુખને પામો એ અભિલાષા.
ચોવીશ દંડક્ના નામો
(૧) નારકીનો એક દંડક - આ દંડકને વિષે સાતેય નારકીનો સમાવેશ થઇ જાય છે. સાતે નારકીનાં દંડકો જુદા જુદા કહેલા નથી એનું શું કારણ એ કાંઇ સમજાતું નથી. પણ આગમોને વિષે એ પ્રમાણેની પરિપાટી દખાય છે માટે આ મહાપુરૂષે એ જ પરિપાટીથી અને વર્ણન કરવા માટે સાતે નારકીનો એક દંડક કહેલો જણાય છે.
તિર્યંચ ગતિના ૯ દંડકો હોય છે.
(૧) પૃથ્વીકાય દંડક - પૃથ્વી રૂપે જગતમાં જ્યાં જ્યાં જે જે સ્થાનમાં જીવો ઉત્પન્ન થયેલા હોય ત્યાં રહીને એ જીવો કેવી કેવી રીતે દંડાય છે. શેના શેનાથી દંડ પામે છે એનું જે વર્ણન તે પૃથ્વીકાય દંડક.
(૨) અપકાય દંડક - જ્યાં પૃથ્વી હોય ત્યાં પાણી હોય જ એવો નિયમ નથી માટે અપકાયના સ્થાનો જુદા જુદા હોય છે. આથી આ દંડક જુદો ગણ્યો જણાય છે.
(૩) તેઉકાય દંડક - આ તેઉકાય જીવો બાદર રૂપે માત્ર પદર કર્મભૂમિને વિષે જ હોય છે અને તેમાં પણ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સદા માટે હોય છે જ્યારે પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રને વિષે તીર્થકર પરમાત્માના શાસન કાળ વખતે જ હોય છે આથી એ દંડક જુદો ગણેલો જણાય છે.
(૪) વાયુકાય જીવોનો દંડક - આ જીવો ચૌદ રાજલોકમાં રહેલા હોય છે માટે એનો દંડક જુદો ગણેલો જણાય છે.
(૫) વનસ્પતિકાય દંડક - જ્યાં પાણી હોય ત્યાં વનસ્પતિ હોય છે તથા એ સિવાય પણ પ્રત્યેક
Page 3 of 161
Page #4
--------------------------------------------------------------------------
________________
વનસ્પતિકાય જીવો પણ જુદા સ્થળોમાં રહેલા હોય છે માટે તે દંડક જુદો ગણ્યો જણાય છે.
(૬) બેઇન્દ્રિય જીવોનો દંડક - આ જીવો નારકીના ક્ષેત્રોમાં તેમજ દેવલોકના ક્ષેત્રોમાં ઉત્પન્ન થતાં નથી આથી જુદો દંડક જણાવ્યો હોય એમ લાગે છે.
(૭) તે ઇન્દ્રિય જીવોનો દંડક - આ જીવો પણ નરક ક્ષેત્રોમાં તથા દેવોના ક્ષેત્રોમાં ઉત્પન્ન થતાં નથી. માટે જુદો જણાવેલો લાગે છે અને બેઇન્દ્રિય જીવો કરતાં એક ઇન્દ્રિય વિશેષ હોવાથી જુદો જણાવેલો લાગે
(૮) ચઉરીન્દ્રિય જીવનો દંડક - આ જીવો પણ નરક ક્ષેત્રોને વિષે તેમજ દેવ ક્ષેત્રોમાં પણ ઉત્પન્ન થતાં નથી અને એક ઇન્દ્રિય વિશેષ છે માટે જુદો જણાવેલો જણાય છે. આ ૬-૭-૮ ત્રણ દંડકોની વિશેષતા એ છે કે એ ત્રણે દંડકમાંથી જીવ મનુષ્યપણામાં આવે તો એ મનુષ્ય ભવમાં મોક્ષે જઇ શકતા જ નથી.
(૯) પંચેન્દ્રિય તિર્યંચનો દંડક - આ દંડકમાં સન્ની તિર્યંચો તથા અસન્ની તિર્યંચો બન્નેનો સમાવેશ સાથે કરેલો છે. શાથી જુદા નથી જણાવ્યા એ કાંઇ કારણ સમજાતું નથી પણ એમ લાગે છે કે આગમોને વિષે પણ દંડક મુજબ દ્વારોનું વર્ણન આવે છે તેમાં પંચેન્દ્રિય તિર્યંચરૂપે દંડક આવે છે તેમાં સન્ની અસન્નીપણાના ભેદો પાડેલા નથી માટે એ પ્રમાણે લીધેલાં જણાય છે.
(૧) મનુષ્યગતિનો એક દંડક ગણેલ છે. આ મનુષ્યપણામાં પણ અસન્ની મનુષ્ય રૂપે ગર્ભજ મનુષ્યોમાં કર્મભૂમિનાં મનુષ્યો-અકર્મભૂમિનાં મનુષ્યો તથા અંતર્લીપના મનુષ્યો એમ ભેદ પડી શકે છે છતાં અહીં એક દંડક જણાવેલ છે.
દેવગતિના ૧૩ દંડકો
ભવનપતિના દશ ભેદોનાં જુદા જુદા દશ દંડકો કહેલા છે. આ દશ દંડકોની પરિપાટી દરેક આગમોને વિષે એટલે તત્વજ્ઞાનવાળા આગમોને વિષે જ્યાં દંડક ઉપર વર્ણન આવે છે ત્યાં આ દશ દશ ભેદો દંડક રૂપે જુદા જણાવેલા છે માટે આ મહાપુરૂષે તે પરિપાટી સાચવવા માટે આ દશેય દંડકો જુદા જણાવેલા લાગે છે.
(૧૧) વ્યંતર દેવોનો દંડક જેમાં વ્યંતર જાતિના દેવો વાણવ્યંતર જાતિના દેવો અને તિર્યક જૈભગ જાતિના દેવોનો સમાવેશ થાય છે.
(૧૨) જ્યોતિર્ષિ દેવોનો દંડક જેમાં ચર અને અચર બન્ને પ્રકારના દેવોનો સમાવેશ થાય છે. (૧૩) વૈમાનિક દેવોનો દંડક કલ્પોપન્ન અને કલ્પાતીત દેવો બન્નેનો આમાં સમાવેશ થાય છે. આ રીતે ૧ + ૯ + ૧ + ૧૩ = ૨૪ દંડકો થાય છે.
નરકગતિ-૧ + તિર્યંચગતિ-૯ + મનુષ્યગતિ-૧ + દેવગતિ-૧૩ = ૨૪ દંડકો થાય છે કે જ્યાં જીવો. દંડાયા જ કરે છે.
આના ઉપરથી એ નક્કી થાય છે કે ચારે ગતિમાંથી કોઇપણ ગતિમાં જીવને સુખ નથી. દુ:ખે દુ:ખ અને દુઃખ જ હોય છે એટલે જેમ જીવ દંડાતો જાય તેમ દુ:ખ ભોગવતો જાય છે અને પરંપરા પણ મોટાભાગે દુ:ખની સર્જતો જાય છે.
આથી આ મહાપુરૂષે જેના જનાથી જીવો દંડાય છે એને ઓળખીને એનાથી સાવધ રહી સુખમાં લીન
Page 4 of 161
Page #5
--------------------------------------------------------------------------
________________
બન્યા વગર અને દુ:ખમાં દીન થયા વગર પોતાનો જીવન કાળ પસાર કરે તો જીવને દંડાવાનું મટી જાય છે અને જીવ પોતાના શુધ્ધ સ્વરૂપને સંપૂર્ણ પેદા કરી શકે છે. આ માટે જ ચારે ગતિમાં જીવો શેના શેનાથી દંડાઇને દુઃખ પામી શકે છે, પામે છે તે જણાવવાનો પ્રયાસ કરી જીવ એ દુ:ખોથી છૂટે એવી ભાવના આ મહાપુરૂષે વ્યક્ત કરેલ છે.
ચોવીશ દ્વાર
(૧) શરીર, (૨) અવગાહના, (૩) સંઘયણ, (૪) સંજ્ઞા, (૫) સંસ્થાન, (૬) કષાય, (૭) વેશ્યા, (૮) ઇન્દ્રિય, (૯) બે પ્રકારના સમુદ્યાત. (૧૦) દ્રષ્ટિ, (૧૧) દર્શન, (૧૨) જ્ઞાન, (૧૩) અજ્ઞાન, (૧૪) યોગ, (૧૫) ઉપયોગ, (૧૬) ઉપપાત, (૧૭) ચ્યવન, (૧૮) સ્થિતિ, (૧૯) પર્યાપ્તિ, (૨૦) કિકાહાર, (૨૧) સંજ્ઞી, (૨૨) ગતિ, (૨૩) આગતિ અને (૨૪) વેદ.
૧. શરીર દ્વારોનું વર્ણન
શરીર પાંચ હોય છે.
(૧) દારિક શરીર, (૨) વૈક્રીય શરીર, (૩) આહારક શરીર, (૪) તેજસ શરીર અને (૫) કામણ શરીર.
(૧) દારિક શરીર - જગતમાં જીવોને ગ્રહણ કરવા લાયક વર્ગણાઓનાં યુગલો આઠ પ્રકારના હોય છે એમાંની સૌથી પહેલી વર્ગણાના પુદગલો, દારિક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો. કહેવાય છે. એ વર્ગણાઓના પુદ્ગલોને ગ્રહણ કરી-દારિક શરીર રૂપે પરિણાવી-વિસર્જન કરવાની જે શક્તિ ઓદારિક શરીર નામ કર્મના ઉદયથી પેદા થાય છે તે દારિક શરીર કહેવાય. શરીરની અપેક્ષાએ શ્રી જિનેશ્વર દેવોનું શરીર મનોહર પુદ્ગલોનું બનેલું સર્વોત્તમ શરીર હોય છે માટે આ શરીરને પહેલું કહેલું છે. જગતમાં સૌથી ઉંચામાં ઉંચુ મનોહર પુદગલોવાળું શરીર હોય તો તે શ્રી તીર્થંકર પરમાત્માઓનું હોય છે. એમનું રૂપ-બલ આદિ ઉત્તમ કોટિનું હોય છે. એ તીર્થંકર પરમાત્માઓ કરતાં અનંત ગુણ હીન શરીર ગણધર ભગવંતોના આત્માઓનું હોય છે. એમના કરતાં અનંત ગુણ હીન શરીર અનુત્તરવાસી દેવાનું હોય છે. આથી સર્વશ્રેષ્ઠ શરીર શ્રી તીર્થંકર પરમાત્માઓનું ગણાય છે.
આ દારિક શરીર કેવા પ્રકારનું હોય છે ?
આ દારિક શરીર, ધર્મ અને અધર્મ ઉપાર્જન કરવામાં સમર્થ હોય છે એટલે કે જો જીવો આ શરીરથી ધર્મ ઉપાર્જન કરવા ધારે તો સારી રીતે ધર્મ ઉપાર્જન (મેળવી) કરી શકે છે. પોતાના આત્મામાં રહેલો સંપૂર્ણ ધર્મ આ શરીરથી જ ઉપાર્જન થઇ શકે છે. બાકી કોઇ શરીર ધર્મ ઉપાર્જન કરવામાં સહાયભૂત થતું જ નથી. એવી રીતે કોઇ જીવો જીવનમાં અનેક પ્રકારના પાપોનું આચરણ કરી અધર્મી ઉપાર્જન કરવા ધારે તો અધર્મ પણ આ શરીરથી જ પેદા થઇ શકે છે. એમાં વેક્રીય આદિ શરીરો કામ કરી શકતા નથી કારણ કે કહ્યું છે કે આ શરીરથી અધર્મ ઉપાર્જન કરીને જીવો જગતમાં રહેલા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિનાં દુ:ખોને એટલે સાતમી નારકીને ઉપાર્જન કરી શકે છે. જ્યારે વક્રીય શરીરવાળા જીવો.
દારિક શરીર વાળાની જેમ ધર્મ ઉપાર્જન કરી શકે તો અનુકૂળ પદાર્થોની ઓળખ કરીને એનાથી સાવચેતી રાખીને સુખમાં લીન ન બને અને દુ:ખમાં દીન ન થાય એટલો જ ધર્મ પામી શકે છે અને એજ
Page 5 of 161
Page #6
--------------------------------------------------------------------------
________________
વિક્રીય શરીરથી અધર્મ ઉપાર્જન કરીને એ શરીરવાળા જીવો એકેન્દ્રિયપણામાં ઉત્પન્ન થઇ શકે એટલું પાપ ઉપાર્જન કરી શકે છે. માટે સર્વોત્કૃષ્ટ ધર્મ અને સર્વોત્કૃષ્ટ અધર્મ ઓદારીક શરીર વાળા જીવો જ પ્રાપ્ત કરી શકે છે માટે પહેલું સહેલું છે.
દારિક શરીર દ્વારા જીવો સુખ અને દુઃખ બન્નેનો અનુભવ કરી શકે છે. સદા માટે સુખનો અનુભવ થતો નથી. થોડોક કાળ સુખનો અનુભવ થાય અને ઘણો કાળ દુ:ખનો અનુભવ આ દારિક શરીરથી જીવો કરી શકે છે. જ્યારે વૈક્રીય આદિ શરીર દ્વારા સુખ દુઃખ બન્નેનો અનુભવ થઇ શકતો નથી. વૈક્રીય શરીરથી જીવોને સુખ મલ્યું હોય તો સુખનો અનુભવ કરે છે અને દુઃખ મલ્યું હોય તો દુ:ખનો અનુભવ કરે છે પણ એ અનુભવ કરતાં જીવો પોતાના ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે ઓદારિક શરીરવાળા સુખ અને દુઃખનો અનુભવ કરતાં કરતાં પોતાના સંપૂર્ણ ધર્મને પેદા કરી શકે છે એ એની વિશેષતા છે.
કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ જીવો આ ઓદારિક શરીરથી જ કરી શકે છે અને મોક્ષની પ્રાપ્તિ પણ આ શરીરથી જ થઇ શકે છે. અર્થાત્ સકલ કર્મોથી રહિતપણું કરવું હોય તો દારિક શરીર જ જોઇએ. આત્માની સાથે અનાદિ કાળથી લાગેલા જે કર્યો છે. એ કર્મોના પુદ્ગલોનો સંપૂર્ણ નાશ કરવા માટે મનોબલની મજબુતાઇ આ શરીર દ્વારા જ પ્રાપ્ત થાય છે માટે જ્ઞાનીઓએ ઓદારિક શરીરને સર્વશ્રેષ્ઠ, પ્રધાન, ઉદાર, આદિ. વિશેષણો આપેલા છે. આ ઓદારિક શરીર સાત ધાતુઓનું બનેલું હોય છે. તે કઇ રીતે બને છે અને જીવ આ શરીરને બનાવવા-પ્રાપ્ત કરવા કેવા કેવા પ્રયત્નો કરે છે એ જણાવાય છે કે આ શરીરમાં શું શું રહેલું છે ?
અન્ય ગતિમાંથી મનુષ્યગતિમાં આવનાર જીવ, પોતાની સાથે માત્ર બે જ વસ્તુ લઇને આવે છે-એક કાર્પણ શરીર અને બીજું તેજસ શરીર. પૂર્વભવોમાં ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મપુલોનો સમૂહ તે કાર્પણ શરીર છે અને આહારની અભિલાષા ઉત્પન્ન કરનાર એક પ્રકારનો અગ્નિ, તે તેજસ શરીર છે. શરીરનું આધ કારણ આહાર છે. એ આહારની અભિલાષા તેજસ શરીરના પ્રતાપે થાય છે અને એ બધાનું મૂળ કારણ કાર્પણ શરીર છે.
મનુષ્યગતિમાં આવવાની સાથે, જીવ પ્રથમ જે કાર્ય કરે છે, તે આહારગ્રહણ કરવાનું હોય છે. માતાનું રૂધિર અને પિતાનું શુક્ર, એ બેના મિશ્રણથી થયેલ પુદ્ગલોનો આહાર, જે સમયે જીવ ગ્રહણ કરે છે, તે જ સમયે જીવનો મનુષ્ય તરીકે જન્મ થયો ગણાય છે. ગર્ભ તૈયાર થઇને નવ માસ પછી માતાના ઉદરમાંથી બહાર આવે છે, તે વ્યવહારિક જન્મ છે, પણ નિશ્ચયથી મનુષ્યનો જન્મ માતાના ઉદરમાં, અન્ય ગતિમાંથી આવ્યા બાદ પ્રથમ આહારગ્રહણકાળે થાય છે, તે જ છે. એ આહારગ્રહણમાંથી શરીર બનવા લાગે છે અને શરીરમાંથી ઇન્દ્રિયો આદિ આપોઆપ નિષ્પન્ન થાય છે.
મનુષ્ય શરીરની આ રચના ક્રમશઃ કેવી રીતે થાય છે, તે સમજવા જેવી હોય છે. એ સમજવાથી, શરીર ઉપરનો અસત્ય મોહ ઓગળી જાય છે અને એમાંથી સારભૂત તત્ત્વ ગ્રહણ કરવા માટેની ઉત્કંઠા જાગ્રત થાય છે. “તંદુલ વૈતાલિક પ્રકીર્ણક’ અને ‘ભવ ભાવના' આદિ શ્રી જિનાગમગ્રન્થોમાં એનું વિસ્તારપૂર્વક સ્વરૂપ વર્ણવેલું છે. અહીં તો, તેનું માત્ર ટૂંકમાં જ દિગદર્શન કરાવવામાં આવે છે.
માતાના રૂધિર અને પિતાના શુક્રનાં અશુચિમય પુદ્ગલોનો આહાર પ્રથમ સમયે ગ્રહણ કર્યા બાદ, તેમાંથી શરીરરચનાનો પ્રારંભ થાય છે. પ્રતિસમય આહારનાં પગલોનું ગ્રહણ પણ ચાલુ રહે છે અને શરીર રચનાનું કાર્ય પણ ચાલુ રહે છે. ગતિ, જાતિ, ઓદારિક અને અંગોપાંગાદિ નામકર્મના આધારે શરીરની
Page 6 of 161
Page #7
--------------------------------------------------------------------------
________________
રચના થાય છે. તેમાં પ્રથમ સાત દિવસે ગર્ભ, કલલ (એક પ્રકારનો પ્રવાહી રસ) રૂપ થાય છે. બીજા સાત દિવસે ગર્ભ, અર્બદ (એક પ્રકારના પરપોટા) રૂપ થાય છે. પછી સાત દિવસે ગર્ભ, માંસની પેશી રૂપ બને છે અને ત્યાર પછીના સાત દિવસે ગર્ભ, માંસની કઠણ પેશી રૂપ બને છે. એ રીતિએ પ્રથમ મહિને એક કષી (પૈસાભાર) ઓછું એક પલ (અધોળ ભાર) વજન થાય છે. બીજે મહિને એ જ પેશી વધારે કઠણ બને છે. ત્રીજે મહિને વધેલા ગર્ભના પ્રતાપે માતાને દોહદો ઉત્પન્ન થાય છે. ચોથે મહિને માતાનાં અંગોપાંગ પુષ્ટ બને છે. પાંચમે મહિને ગર્ભને હાથનાં, પગનાં અને માથાનાં એમ પાંચ અંકુરો ફ્ટ છે. છટ્ટે મહિને પિત્ત અને શોણિત ઉત્પન્ન થાય છે. સાતમે મહિને અનુક્રમે (૭૦૦) નસો, (૫૦૦) માંસ પેશીઓ, (૯) મોટી ધમનીઓ. અને (૯૯ લાખ) રોમકૂપો ઉત્પન્ન થાય છે. દાઢી, મૂછ અને શરીરની મળી કુલ ગણીયે તો (3ll ક્રોડ) રોમકૂપા તૈયાર થાય છે. આઠમે મહિને ગર્ભ સંપૂર્ણ અંગોપાંગવાળો બને છે અને નવમે મહિને પ્રસવ થાય
એ રીતિએ હતું પછી બાર મુહૂર્તે ગર્ભોત્પત્તિ, ૭ દિવસે લલ, ૭ દિવસે અબ્દ, ૭ દિવસે પેશી, બીજા ૭ દિવસે કઠિન પેશી, પ્રથમ માસે એકમતે ૪૮ ટાંક વજનવાળી માંસગોટી, બીજે માસે રૂધિર અને માંસની સ્વલ્પ વૃદ્ધિ, ત્રીજે માસે માતાને દોહદ, ચોથે માસે માતાના અંગોનો વિકાસ, પાંચમે મારો હાથ, પગ અને માથાનાં પાંચ અંગો, છઠ્ઠ માસે પિત્ત અને રૂધિર, સાતમે માંસે ૭૦૦ નસો, ૫૦૦ માંસ પેશીઓ, ૯ ધમણીઓ અને ૩ ક્રોડ રોમકૂપો, આઠમે માસે સકલ શરીર તથા નવ માસ અને સાત દિવસે પ્રસવ થાય
નર-નારીના સંયોગથી જેમ ઓઘાન રહે છે, તેમ કવચિત તેવા પ્રકારના વસ્ત્ર અને જલાદિના સંયોગથી પણ રહે છે. ગર્ભ માતાના ઉદરમાં વૃષ્ટિ આગળ બે હાથ મૂઠી વાળીને ભીચડાઇને ઉંધે મસ્તકે રહે છે. નર-ગર્ભ નાભિની જમણી બાજુએ રહે છે, નારી-ગર્ભ નાભિની ડાબી બાજુએ રહે છે અને નપુંસકગર્ભ નાભિની મધ્યમાં રહે છે. મનુષ્યનો ગર્ભ ૯ માસ ૭ દિવસ પર્યત ઉદરમાં રહે છે અને તિર્યંચનો ગર્ભ યાવત ૮ વર્ષ સુધી પણ ઉદરમાં રહે છે.
જન્મ બાદ પુરૂષ શરીરનાં નવ દ્વાર અને સ્ત્રી શરીરનાં બાર દ્વારા સદા અશુચિ પુદ્ગલોથી વહેતાં રહે છે. બે કાન, બે આંખ, બે નાસિકાનાં છિદ્ર, એક મુખ, એક ગુદા અને એક પુરૂષ ચિહ્ન ઉપરાંત સ્ત્રીશરીરનાં બે સ્તન અને એક આમ્રમંજરી જેવા આકારવાળી અને જેને ક્લ કહેવામાં આવે છે તે અત્યંતર યોનિ, જે સદા માંસભરપૂર રહે છે, તે વહેતાં જ રહે છે. રૂધિરથી વહન થતી સ્ત્રીની યોનિમાં. અનેક સૂક્ષ્મ જંતુઓ રહે છે. તે સઘળાનો ભોગકાળે નાશ થાય છે. રૂથી ભરેલી વાંસની નળીમાં અગ્નિથી. તપાવેલી લાલ વર્ણવાળી સળી નાંખવામાં આવે અને જે રીતે રૂનો નાશ થાય, તે રીતે સ્ત્રી યોનિમાં રહેલા બીજા સમૂચ્છિમ જીવો ઉપરાંત ભોગકાળે ઉત્પન્ન થયેલા નવ લાખ ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યજીવોનો પણ વિનાશ થાય છે. એ કારણે શ્રી તીર્થંકરદેવો અને શ્રી ગણધરદેવો આદિએ મેથુનક્રિયાને, નહિંત અને અનેક જન્મ-મરણની પરંપરાઓને, વધારનારા તરીકે બે ઓળખાવેલી છે.
મનુષ્યનો ગર્ભ કોઇ કોઇ વાર બાર વર્ષ અથવા ર૪ વર્ષ સુધી પણ માતાના ગર્ભમાં રહે છે. પ૫ વર્ષે સ્ત્રી અને ૭પ વર્ષે પુરૂષ નિર્બેજ બને છે, એમ પણ પ્રતિપાદન કરેલું છે.
જન્મ થયા બાદ વૃદ્ધિ પામેલા મનુષ્ય શરીરમાં અનુક્રમે ૧૦ શેર રૂધિર, ૧૦ શેર પેશાબ, ૫ શેર ચરબી, ૨ શેર વીષ્ઠા, ૬૪ ટાંક પિત્ત, ૭૨ ટાંક શ્લેખ અને ૩૨ ટાંક વીર્ય કાયમ રહે છે. ઉદરમાં પવન રહે છે, જઠરમાં અગ્નિ રહે છે, રૂધિરમાં જલ રહે છે, હાડકામાં પૃથ્વી રહે છે અને પોલાણમાં આકાશ રહે છે.
Page 7 of 161
Page #8
--------------------------------------------------------------------------
________________
શરીરમાં એ રીતે પાંચ પ્રકારનાં ભૂતો રહેલા હોવાથી તેને પંચભૌતિક પણ કહેવામાં આવે છે.
શરીરમાં ૭ ધાતુ ઉપરાંત ૭ ત્વચા, ૭૦૦ નાડો, ૯૦૦ નાડીઓ, ૫૦૦ પેશીઓ, ૩૦૦ હાડકાં, ૧૬૦ સાંધાઓ અને 9900 મર્મસ્થાનો હોય છે એ કારણે મનુષ્યશરીરને એક પ્રકારનો હાડકાંનો માળખો, માંસનો લોચો, રૂધિરની કોથળી, વીષ્ઠાની ગાડી, મૂત્રની કુંડી અને ચામડાની મહેલી અશુચિની કોટડી વિગેરે ઉપમાઓ સુઘટિત થાય છે. શરીરના અશુચિ સ્વરૂપનું દિગદર્શન કરાવતાં એક સ્થલે કહ્યું છે કે“स्थानाद्वीजादुपष्टम्भा
नि:स्यन्दानिधनादपि । कायमाधेयशौचत्वात् ।
Toડતા વશુધિં વિદુઃ IIકા” મનુષ્યની કાયાને પંડિતપુરૂષોએ છ કારણે અશુચિ કહેલ છે. (૧) સ્થાન - શરીરનું ઉત્પત્તિસ્થાન માતાનું ઉદર, મૂત્રાદિ કુત્સિત પદાર્થોથી ભરેલું છે. (૨) બીજ - શરીરનું બીજ-મૂળ કારણ શુક્ર અને શોણિતનું મિશ્રણ, અતિ જુગુણિત હોય છે.
(૩) ઉપષ્ટન્મ - શરીરને ઉપષ્ટન્મ-પોષણ આપનાર માતાએ ખાધેલા અન્નાદિ પદાર્થોના રસો. અત્યંત અશુચિ હોય છે.
(૪) નિઃસ્યદ - પુરૂષનાં નવ અને સ્ત્રીનાં અગીઆર અથવા બાર દ્વાર તથા ૩ ક્રોડ રોમકૂપોમાંથી સદા દુર્ગધવાળું ક્ષરણ ચાલુ હોય છે.
(૫) નિધન - મરણ બાદ કાયા થોડી જ વારમાં અત્યંત દુર્ગન્ધથી ગધાઇ ઉઠે તેવી હોય છે.
(૬) આંધેયશૌચતા - જલ, મૃરિકા અને કૈલાદિ સુગંધી દ્રવ્યો વડે નિત્ય શુદ્ધિકરવા છતાં, અશુચિ કાયમ રહે છે.
એવા પણ શરીરને ધારણ કરનાર સ્ત્રીઓના રૂપ રૂપી જ્વાલામાં પતંગીયા સમાન મોહાંધ બનેલા કેટલાક કુકવિઓ સ્ત્રીશરીરને અનેક પ્રકારની ઉપમાઓ આપે છે, તે નિતાન્ત અસત્ય, ભ્રમોત્પાદક અને મોહવૃદ્વિજનક છે. તેને સત્ય માનવા પહેલાં, શરીરરચનાનું ઉપર્યુક્ત તથ્ય વર્ણન વારંવાર મનન કરવા યોગ્ય છે, જેથી અસત્ય મોહને આધીન થતાં બચી જવાય અને પરિણામે થતાં અનેક અકાર્ય આચરણો અને તે દ્વારા પ્રાપ્ત થતા ઘોર દુર્ગતિપાત વિગેરેથી પણ આત્માનું સંરક્ષણ થાય.
વાત, પિત્ત અને કફ માંસ, શુક્ર અને રૂધિર : તથા વીષ્ટા, મૂત્ર અને શ્લેખથી ભરેલ સ્ત્રીશરીરને રેખાની ઉપમા આપવી કે તેનાં અંગોપાંગોને ચંદ્રકિરણોથી ઘડાયેલાં કહેવાં કે તેના મુખાદિમાંથી ઝરતા અશુચિ રસોને મધુ અમૃતાદિ પદાર્થોથી ઘટાવવા એ નિતાન્ત અસત્ય છે, એમ કોઇને પણ કબૂલ કર્યા સિવાય ચાલે તેમ છે જ નહિ. એવા શરીરના હાવ-ભાવ અને લોચનકટાક્ષાદિ વડે જીવલોકને આશ્વાસન વિગેરે મળે છે, તથા બ્રહ્માએ સમગ્ર શુદ્ધ પદાર્થોનું એક જ સ્થલે પ્રદર્શન કરાવવાની બુદ્ધિએ સ્ત્રી શરીર ઘડેલું છે -એ વિગેરે વાતો જીવની અનાદિની મિથ્યા ભ્રાન્તિને વધારનાર અને કાયમ બનાવનાર છે : તેથી
જ્યાં સુધી સ્ત્રીશરીરના નામે એવી રાગવાસના-ગર્ભિત સ્વકપોલકલ્પિત વાતો ચાલે છે, ત્યાં સુધી અનાદિ મોહવશ એવી વાસનાઓને આધીન ન થઇ જવાય, તે ખાતર સાચી વસ્તુસ્થિતિને પણ વારંવાર જાણવા અને મનન કરવા આત્મ હિતેષી અને પરમાર્થદર્શી પુરૂષોએ સજ્જ રહેવું, એ કર્તવ્ય છે. સુકવિ ભર્તુહરિએ એક સ્થલે કહ્યું છે કે
Page 8 of 161
Page #9
--------------------------------------------------------------------------
________________
"स्तनौ मांसग्रन्थी फनककलशावित्थुपमितौ ।
मुखं श्लेष्मागारं तदपि शशांकेन तुलितम् । स्त्रवन्मूत्रल्लिगं करिकरस्पधिजधनं,
મુનિન્ધ રુપે ઋવિનિવિશે ૨ રુકૃતમ્ IIIT” માંસની ગાંઠો સમાન બે સ્તનોને સુવર્ણ-કલશની ઉપમા, પ્લેખના ભંડાર સમાન મુખને ચંદ્રમાની ઉપમા તથા ઝરતા એવા મૂત્ર વડે ભીંજાયેલા જઘનને હાથીની સૂંટની ઉપમા આપી છે અને એમ કરીને વારંવાર નિદનીય એવા સ્ત્રીના રૂપને તેવા પ્રકારના કવિઓએ ફોકટ વખાણ્યું છે.
એની સામે, સ્ત્રીશરીર ઉપરના કૃત્રિમ મોહવિષનો નાશ કરવા માટે ઉપકારી મહાપુરૂષોએ સત્ય
રૂપનું દર્શન કરાવનાર, જાગૃતિ મંત્ર સમાન, પવિત્ર વચનોનો પ્રવાહ પણ વહેતો રાખ્યો છે. તેમાંથી શરીરના વાસ્તવિક સ્વરૂપને જણાવનાર એક જ શ્લોકને અહીં ઉતારી, મનુષ્યશરીરની રચના વિષયક આ લેખને પૂર્ણવિરામ આપીશું.
પાંચસો પ્રકરણોના રચયિતા, દશ પૂર્વધર શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકમુખ્ય, પ્રસિદ્ધ શ્રી પ્રશમરતિ પ્રકરણની અંતર્ગત એક શ્લોકમાં માને છે કે
___“अशुचिकरणसामर्थ्यादाधुप्तरकारणाशुचित्वाच ।
ટ્રેડરયાવિભાવ: રથાને રથાને મવતિ વિવ: |ી શરીરનો અશુચિભાવ પ્રત્યેક સ્થાને ચિન્તવવા લાયક છે : કારણ કે-શરીરનું આદિ કારણ અને ઉત્તર કારણ અશુચિ રૂપ છે અને બીજા શુચિ પદાર્થોને પણ અશુચિ કરવાનું તેનામાં સામર્થ્ય છે.
શરીરનું આદિ અને ઉત્તર કારણ કેવી રીતે અશુચિમય છે અને શરીરમાં બીજા શુચિ પદાર્થોને પણ અશુચિમય કરવાનું કેવી રીતે સમર્થ્ય છે, એનું સ્પષ્ટીકરણ કરતાં સ્વરચિત તત્ત્વાર્થાસ્થયમાં તે જ મહર્ષિ ક્રમાવે છે કે
શરીરનું આદિ કારણ શુક્ર અન શોણિત છે. તે બન્ને અશુચિ છે. ઉત્તર કારણ આહારનો પરિણામ આદિ છે. તે પણ અત્યંત અશુચિ છે. તે આ પ્રમાણે-મુખદ્વારાએ ગ્રહણ કરાતો કવલ આહાર ગ્રહણ થતાંની. સાથે જ શ્લેખાશયને પ્રાપ્ત થાય છે. ગ્લેખાશયને પ્રાપ્ત થતાની સાથે તે આહાર દ્રવીભૂત પ્રવાહી રૂપ બની જાય છે અને પ્રવાહી રૂપ બનેલો એ આહારનો પરિણામ અત્યંત અશુચિ હોય છે.'
ત્યાર બાદ, પિત્તાશયને પામીને તે આહાર પકાય છે. પકાતો તે ખાટા રસ જેવો બની જાય છે અને તે પણ અત્યંત અશુચિ જ હોય છે.
પકાએલો તે આહાર વાસ્વાશયને પામીને વાયુ વડે બે વિભાગવાળો કરાય છે : ખલરૂપ અને રસરૂપ અને એ બંને પૃથક પૃથક વહેંચાઇ જાય છે. ખલવિભાગથી મૂત્રવિષ્ટાદિ મલો ઉત્પન્ન થાય છે અને રસવિભાગથી અનુક્રમે શોણિત, શોણિતથી માંસ, માંસથી મેદ, મેદથી હાડકાં, હાડકાંથી મજ્જા અને મજ્જાથી શુક્ર બને છે. એ રીતે પ્લેખથી માંડીને શુક્ર સુધીના સઘળા પદાર્થો અત્યંત અશુચિ હોય છે.
શરીરનું આદિ કારણ અને ઉત્તર કારણ જેમ અશુચિ છે, તેમ શરીર એ અશુચિનું જ ભાજન છે : કારણ કે-શરીરના પ્રત્યેક અંગ, કાન, નાક, આંખ, દાંત, મલ, પ્રસ્વેદ, ગ્લેખ, પિત્ત, મૂત્ર, વીષ્ટા, એ અશુચિના જ ઢગસ્વરૂપ છે.
શરીર, એ જેમ અશુચિનું ભાજન છે, તેમ અશુચિનું ઉદભવસ્થાન પણ છે : કારણ કે-કર્ણ, નાસિકાદિના મલો શરીરમાંથી જ ઉભવ પામે છે.
Page 9 of 161
Page #10
--------------------------------------------------------------------------
________________
શરીર, એ જેમ અશુચિનું ઉદ્ભવસ્થાન છે, તેમ શરીરનો ઉદ્ભવ પણ અશુચિમાંથી જ થયેલો હોય છે : કારણ કે-અશુચિ એવા ગર્ભમાંથી જ શરીરની ઉત્પત્તિ થયેલી હોય છે.
વળી શરીર, એ અશુભ પરિણામના પરિપાકથી અનુબદ્ધ છે.
બદતુને વિષે બિન્દુનુ આધાન થવાથી માંડીને કલલ, અર્બદ પેશી, કઠણ પેશી, યૂહ, સંપૂર્ણ ગર્ભ, કોમાર, યોવન, સ્થવિરભાવ પર્યતના ભાવો અશુભ પરિણામના પરિપાકથી અનુબદ્ધ છે : એટલું જ નહિ, પણ દુર્ગબ્ધિ, પૂતિ સ્વભાવવાળા અને દુરન્ત છે એટલા માટે અશુચિ છે.
વળી શરીર, એ અશક્ય પ્રતીકાર છે : અર્થા–શરીરની અશુચિનો કોઇ પ્રતીકાર જ નથી. રૂક્ષણ, સ્નાન, અનુલેખન, પૂપન, વાસનાદિ ક્રિયાઓ વડે અને સુગન્ધિ પુષ્પમાળા આદિ દ્રવ્યો વડે શરીરની અશુચિ દૂર કરી શકાવી શક્ય નથી કારણ કે-પોતે અશુચિમય છે, એટલું જ નહિ, પણ શુચિનું ઉપઘાતક પણ છે. એટલા માટે શરીર અશુચિ છે.
સર્વસ્થાને શરીરની આ અશુચિનું ચિન્તન કરવાથી શરીર ઉપરનો મોહ ગળી જાય છે અને શરીર ઉપરનો મોહ ઓછો થઇ જવાની સાથે જ તેની દ્વારા શુભ ક્રિયાઓ કરી લેવાનો ભાવ ઉત્પન્ન થાય છે. અશુચિ એવા શરીર પાસે પણ અત્યંત શુચિ એવા દાન, ધ્યા, પરોપકાર તથા તપ, શીલ અને બ્રહ્મચર્ય આદિ આ લોક પરલોક અને ઉભય લોકને હિતકર, સુખકર અને ગુણકર કાર્યો કરાવી શકાય છે. યાવ- અવ્યાબાધ સુખસ્વરૂપ મોક્ષપ્રાપ્તિને લાયક સઘળાં અનુષ્ઠાનો મનુષ્યશરીર દ્વારા સાધી શકાય છે.
મનુષ્ય શરીરની રચના સંબંધી આ લેખમાં જેનશાસ્ત્રથી વિપરીત જે કાંઇ લખાણ આવ્યું હોય, તેને સુજ્ઞોએ સુધારોને વાંચવા તેમજ લેખકને તે જણાવવા વિજ્ઞપ્તિ છે.
જેનશાસ્ત્રોમાં મનુષ્યશરીરનો ગર્ભવાસ જીવને ઘોર નરકવાસ સમાન માનેલો છે. પ્રત્યેક રોમ ઉપર અગ્નિ વર્ણવાળી સાડા ત્રણ ક્રોડ સોયો એક સાથે ભોંકવાથી જે પીડા થાય છે, તેના કરતાં આઠગુણી પીડા ગર્ભવાસમાં વસનાર જીવને માનેલી છે. યોનિ દ્વારા બહાર નીકળતી વેળા તે જીવને જે દુ:ખ થાય છે, તે દુ:ખ ગર્ભવાસના દુ:ખ કરતાં પણ લાખ ગુણ અથવા કોઇ મતે અનંતગણું માનેલું છે. મરણ વખતની વિપત્તિ તેથી પણ અનંતગણી માનેલી છે.
મનુષ્યની અશુચિ કાયાને મદિરાના ઘટની ઉપમા પણ આપવામાં આવી છે. મદિરાનો ઘટ જેમ ક્રોડો ઘટ વડે શુદ્ધ કરવા છતાં શુદ્ધ થતો નથી, તેમ મનુષ્યની કાયા ક્રોડો સ્નાન, વિલેપન કે અત્યંજન વડે શુચિ થઇ શકતી નથી. આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓ પણ શરીરને શુચિ કરવાની વસ્તુને હજુ સુધી શોધી શક્યા. નથી અને તેઓએ જેટલી વસ્તુ શોધી છે તે બધીને અશુચિ કરવાનું સામર્થ્ય શરીરમાં સાબીત થયું છે. શહેરોની ગટરો કે નગરોની ખાળોનું મૂળ ઉત્પત્તિસ્થાન મનુષ્યનું શરીર જ છે, તેથી મનુષ્યના શરીરને જીવતી ગટર કે અશુચિની વહેતી ખાળ પણ કહી શકાય છે.
આપણા શરીર વિષે આપણે ક્યારેય વિચાર્યું છે ખરું ?
શરીરના માધ્યમથી સામાન્ય માનવી સુખ અને દુ:ખ પામે છે. યોગી એની મારફ્ત ગહન અનુભૂતિ કરે છે. એકને માટે કાયા એ માયા કે વિલાસનું સાધન છે તો બીજાને માટે કાયા એ અંતરાત્માનું મંદિર છે. આ કાયા વિશે સ્વામી મુક્તાનંદજીએ ખૂબ માર્મિક ચિંતન કર્યું છે. જે ચિંતન સહુ કોઇને માર્ગદર્શક બને તેવું છે.
પ્રથમ તો પોતાને જ પૂર્ણ પ્રેમ કરો , “આપણે મલિન, શુષ્ક, અસત્ય, અનિત્ય અથવા દુ:ખમય છીએ.' એવું ગોખાવી ગોખાવીને તમે પોતાની જાતને ત્રસ્ત કરશો નહીં. કેટલાક લખાણો, સમાજ અથવા
Page 10 of 161
Page #11
--------------------------------------------------------------------------
________________
ધર્મી મનુષ્ય શરીરને અનર્થકારક અને તુક્ષુદ્ર ગણાવીને તેને કોડીની કિંમતનું બનાવી દે છે. અરેરે ! એ ખરેખર અનર્થ છે.
ભગવદ્ ભજન, ધ્યાન, યોગ, ભક્તિભાવભર્યું પૂજન અને ગુરુએમ દ્વારા બ્રહ્મચર્ય બની શકતી કાયાને શું તમે પઢાવી દેવાના ? મેં કેટલાય એવા સાધકો પણ જોયા છે કે જેઓ તપસ્યાને નામે આ શરીરની એવી દુર્દશા કરી મૂકે છે કે તેમને અંતિમ પ્રાપ્તિ તો કોઇને કોઇ રોગની જ થતી હોય છે. તમારું ચેતન શરીર ચિતિભગવતીનું મંદિર છે. તેને સુંદર, સાદાં, સ્વચ્છ વસ્ત્રો અને ઉત્તમ સાત્ત્વિક ભોજન તેમ જ શુધ્ધ, ન્યાયોચિત્ત બ્રહ્મચર્ય દ્વારા સન્માનપૂર્વક રાખો.
કોઇ આ શરીરને તુચ્છ કહે તો ભલે કહે, પરંતુ તમે તો એ ન ભૂલશો કે એનાથી જ મોક્ષ પ્રાપ્તિ થાય છે. તમારે જો પોતાના આરાધ્ય પરમાત્માને પ્રાપ્ત કરવા હોય, પોતાના ગુરુદેવને પ્રાપ્ત કરવા હોય, પોતાની અંતરની પ્રેમકલાને વિકસિત કરવી હોય તો પ્રથમ સ્વયંને પ્રેમ કરો, પ્રેમ દ્વારા જ તમે પરમાત્મા સુધી પહોંચી શકશો.
તમે પોતાના શરીરને, શરીરની ઇંદ્રિયોને કરો છો તો ધૃણા અને ઇચ્છો છો આત્મશાંતિ ! તમને જોઇએ છે આત્મમસ્તી અને એની સાથે દુશ્મનાવટ તો એવી રાખો છો કે તે જાણે કોઇ મહાન શત્રુ હોય!
તમે પહેલાં પોતાના શરીરનું જ્ઞાન મેળવી લો, તમે જો પોતાના અંતરમની પૂરેપૂરી સમજણ કેળવશો તો સમજાશે કે શરીર મિથ્યા નથી. ઉલટું એક મહાન જ્ઞાન-વિજ્ઞાનમય સુંદર મંદિર છે. જેના પ્રત્યે પ્રેમ રાખવાથી તમારો પ્રેમસ્ત્રોત અખંડ બની રહેશે. ધ્યાનમાં પ્રગટ થતી, તમારા પોતાના અંતરની જ નિત્ય નવીન મસ્તી હોય છે તે સ્વતંત્ર ણરૂપે હૃદયમાં નિવાસ કરે છે. ત્યાર પછી પ્રેમભાવના વધારો. એનો વિકાસ કરીને એને પોતાના શરીરની બહાર વહેવા દો.
તમારો પ્રેમ વિષયપૂતિ અથવા સ્વાર્થપૂર્તિ કદીય ન હોય. જો એવું થશે તો તે પ્રેમ ઇશ્વરીય પ્રેમ નહીં હોય. મોહ હશે. મોહ તો મલિન છે જ. મનુષ્યને પરમેશ્વર સુધી એ પહોંચાડી શકતો નથી.
પ્રેમ તો દેવાથી વધે છે, લેવાથી નહીં, પ્રેમમાં સ્વ-પરની ભાવનાઓ એ બહુ મોટું વિઘ્ન છે. પ્રેમ સમ હોવો જોઇએ. અનોખો હોવો જોઇએ. પ્રેમ પ્રાપ્ત કરવા માટે તમારામાં પ્રેમાલય સમા-શરીર વિશે ઉંડી અને શાસ્ત્રીય સમજ હોવી જરૂરી છે. એ માટે શરીરનાં તત્ત્વોનો એમના કાર્યોનો બોધ હોવો આવશ્યક છે. વળી તેમને પોતાના શરીર પ્રત્યે પવિત્ર મંત્રીપૂર્ણ અને આદરસહિતનો સ્નેહ હોવો જરૂરી છે.
દેહ તો બહુ જન્મોની અનંત પ્રકારની યાત્રાના સુખદુ:ખનો સાથી છે. મિત્ર છે. આ કાયા તો સાધનાનો આધાર-મોક્ષનગરની સોપાન શ્રેણી અંતરાત્માનું એક અદ્ભુત મંદિર છે. એ શરીરરૂપી મંદિરમાં પ્રેમનો સ્વામી પરમેશ્વર અંતરની અંતર્ગત અંતરતમ થઇને નિવાસ કરે છે. માટે જેને દેહમંદિરનો-અંતરાત્માના નિવાસ સ્થાનનો બોધ થઇ ગયો હોય તે સમજદાર વિધાર્થી શરીર પ્રત્યે કુભાવ નહીં રાખે. દુષ્ટતાપૂર્ણ કે વૈમનસ્યભર્યો વ્યવહાર નહીં કરે. શરીરને નીચ કર્મોમાં પ્રયુક્ત નહીં કરે તેમ જ ભ્રષ્ટ કાર્યોમાં, કુકર્મોમાં-દુરાચારમાં કદી તેનો સમાવેશ નહીં નોતરે.
કેટલાક વિદેશી લોકો શરીરને ક્લબની માફ્ટ, હોટલની માફ્ટ, સિનેમામાં દેખાડાતાં દ્રશ્યની. માફ્ટ વિલાસભૂમિ સમજીને એની પવિત્રતા નષ્ટ કરી નાખે છે. એની શક્તિને ક્ષીણ કરી નાખે છે. તેઓ શરીર પ્રત્યે ન્યાયોચિત્ત, સન્માનભર્યો વ્યવહાર નથી કરતાં, ઉલટું એનું અપમાન કરે છે એવું મારું તો માનવું છે.
દુનિયામાં એવાં ઘણાંય નાદાન માણસો છે કે જેઓ પોતાના પવિત્ર શરીર પ્રત્યે દુર્બહાર આચરે છે
Page 11 of 161
Page #12
--------------------------------------------------------------------------
________________
અને તેને પીડા આપે છે. કુદરતના નિયમ વિરૂધ્ધ એનું હિંસાભર્યું દમન કરે છે. તેઓ પોતાના હૃદયને પ્રેમપૂરિત કરવાને બદલે રૂદનથી ભરી દે છે. પોતાની કાયાને રાત-દિવસ પીવડ્યા કરે છે. પરમેશ્વરને પ્રાર્થના કર્યા કરે છે “હે ભગવાન મને આ શરીરથી મુક્ત કરી દે ! એવું જ અહર્નિશ ચિંતન કર્યા કરે છે. પરંતુ સાચી વાત તો એ છે કે શરીર દોષમુક્ત છે જ નહીં.'
શરીર પંચમહાભૂતોનું બનેલું છે. એ આત્માનું નિવાસસ્થાન છે. સુખદુ:ખની ભોગભૂમિ છે. શરીર આત્માનું સેવક છે. એ આપણું પણ આજ્ઞાપાલક છે. એને જ્યાં લઇ જાઓ ત્યાં જવા તે તૈયાર રહે છે. તમે એને નરકગામી બનાવશો તો તમારા આદેશથી તે નારકીય પણ બનશે. તમે એને સ્વર્ગમાં લઇ જશો તો એ રાજીખુશીથી સ્વર્ગમાં પણ જશે. એને હાથી, ઘોડા પર બેસાડો તો ય રાજી. ખી-પૂરી કે મીઠાઇ. ખવડાવો. તો ય રાજી. એટલું જ નહીં, લૂખું સુકું જમાડો તો ય એ રાજી. એ તો દરેક પરિસ્થિતિમાં રાજી રહે છે. નવરત્નોથી એને સજાવો તો પણ વાહ વાહ ! ફાટ્યાં તૂટ્યાં કપડાં કે માત્ર લંગોટીથી ઢાંકો તો ય એને તો એટલો જ સંતોષ ! દુનિયામાં શરીર જેવો કોઇ સેવક-કોઇ દાસ, કાઇ મિત્ર નથી.
એક સેવાભાવી મનુષ્ય પોતાના ગુરુ પાસે રહેતો હતો. એ ગુરુભક્ત સેવકને કોઇકે પૂછયું : “કહો કેમ છો ? તમારી નવા જૂની સંભળાવો. ગુરુના આશ્રમમાં તમને કેવુંક ાવે છે ? શિયાળા-ઉનાળામાં ત્યાં કેવુંક લાગે છે ?'
સેવકે કહ્યું ‘ભાઇ ! મને તો નથી ઉનાળાની ગરમીની ખબર કે નથી શિયાળાની ઠંડીનો ખ્યાલ ! હું તો એક સેવક છું ક્ત સેવા કરવામાં જ સમજું છું. મારી ઠંડી ગરમી કે મારા સુખ દુઃખ વિશે તો મારા ગુરુ જાણે. વાહ ! કેવી અદ્ભુત વાત ! તેણે ગુરુદેવની સેવામાં પોતાની જાતને સંપૂર્ણપણે અર્પણ કરી દીધી હતી. કાંઇ બાકી રાખ્યું ન હતું. પ્રેમ એવો જ હોવો જોઇએ.
તમારો પ્રેમ સર્વત્ર દોષરહિત-ભેદરહિત-કલેશરહિત- અભિલાષારહિત રાખો. એવું કરવાથી જ પ્રેમ તમને પરમાત્મા સુધી પહોંચાડશે. અરે ! તમને પરમાત્મા જ બનાવી દેશે.
આત્મા પોતે નિર્ગુણ, નિરાકાર અને અરૂપી છે એવું શાસ્ત્રકારોના કહેવાથી અને તેમણે આપેલા પ્રમાણોથી આપણે જાણીએ છીએ; અને એ અરૂપી આત્માને કાર્ય કરવા માટે આવિષ્કૃત થવું પડે છે, તે માટે કોઇ ને કોઇ દેહ અથવા વાહનનો આશરો લેવો પડે છે. આ માન્યતા બધા જ આર્યધર્મોની તો છે જ. પણ સાથે સાથે અનાર્ય કહેવાતા ધર્મો પણ તેવી જ માન્યતા, અન્યરૂપમાં ભલ હોય પણ માને તો છે જ. આ શરીરનો નાશ થતાં આત્માનો પણ નાશ થયો એવું નાસ્તિકો સિવાય કોઇ કહી શકતા નથી. કોઇ બ્રહ્મ અને માયા કહે કે રૂહ અને શરીરના નામથી ઓળખે અને Soul કહીને કોઇ બતાવે તેથી વસ્તુસ્થિતિમાં કાંઇ ફ્ર પડતો નથી. આત્મા એ અવિનાશી છે અને શરીર એ નાશવંત છે એ માન્યતામાં બધાઓ એક ભૂમિકા ઉપર આવી ઊભા રહે છે. ત્યારે નિગોદથી લગાડી એકથી પાંચ ઇંદ્રિયો દ્વારા પોતાની ઉન્નતિ અથવા વિકાસ સાધવા માટે આત્મા પ્રયત્નશીલ હોય છે. પોતાના વિકાસના વાહનો જેવા જેવા વધુ કાર્યક્ષમ હોય તેમ તેમ ઉન્નતિ સારી રીતે અને શીઘ્રતાથી થવાનો સંભવ વધુ હોય એ દેખીતું છે. માર્ગ ભૂલેલો પ્રવાસી ગમે તેવી રીતે અને ગમે તેમ અથડાતો દ્ગાતો એકેક ડગ ભર્યા કરે અને ધ્યેયવિહીન આગળ આવતી અડચણ દૂર કરતો ગમે તેમ પ્રવાસ કરે ત્યારે એવો એ પ્રવાસી ફ્રી પૂર્વ સ્થળે આવે, અગર માર્ગ જ ના જણાય એવા પહાડની સામે આવી ઊભો રહે, અથવા સમુદ્રના કિનારે આવી ઉભો રહે, આગળ ઉંડો ખાડો આવી ઉભો રહે અગર અનેક જાતના સંકટો પાસે આવી ગભરાય જાય. અકસ્માત કોઇ માર્ગ બતાવનારો. મળી જાય ત્યારે એની ચાલવાની શક્તિ જ ખુટી ગએલી હોય.
Page 12 of 161
Page #13
--------------------------------------------------------------------------
________________
આમ અનેક યાતનાઓમાંથી માર્ગ કાઢી કોઇ નક્કી કરેલી જગ્યાએ જવું કેટલું મુશ્કેલ છે એનો. વિચાર કરીએ ત્યારે પ્રવાસ ચાલુ રાખવા માટે કેવા સાધનોની જરૂર હોય છે એનો વિચાર સામે આવી ઉભો રહે છે.
એક જ ઇંદ્રિય કામ કરતી હોય, શરીર તદન નબળું હોય અને વિચાર કરવાની શક્તિ પણ ના હોય તે આગળ શી રીતે વધે ? એની સામે સંકટો કેટલા ? તે પછી વધારે ઇંદ્રિયો અનુક્રમે મળે જાય અને શક્તિ ખીલતી જાય ત્યારે કાંઇક વિચારધારા વધે પણ તરતમ ભાવે વિચાર કરવાની બુદ્ધિ જ ન હોય તો એવા જીવને પ્રગતિનો માર્ગ શી રીતે સાંપડે ? મતલબ કે, વિકાસની દિશા જીવને જડી જાય તેની પાછળ અનંત ભવોની સાધના, અનંત પ્રસંગોમાંથી સહીસલામત છુટી આગળ વધવું પડે, અગણિત સંકટોનો સામનો કરવો પડે. કહેવાનો હેતુ એટલો જ છે કે, અનંત વીડંબના ભોગવ્યા પછી જ આ સાધન સંપન્ન માનવદેહ મળ્યો છે. એ દેહમાં વધુ શું છે તેનો આપણે હવે વિચાર કરીએ.
એકેંદ્રિયાદિથી લગાવી પંચેદ્રિયોની સંપત્તિ આપણે ગમે તેવા સાધનો દ્વારા મેળવી લીધેલી હોય, આપણને મન મળ્યું હોય, બુદ્ધિ મળેલી હોય છતાં એ કાંઇ પૂર્ણતા ન કહેવાય. સુંદર અને આરામ અને સુખ સગવડો સાથેની મોટર આપણને મળી હોય તેમાં પ્રવાસ કરવાની સત્તા પણ મળી હોય છતાં આપણે એ મોટર ચલાવવાનું તંત્ર પૂરેપૂરું જાણતા ન હોઇએ અને છતાં તે ચલાવવા બેસીએ તો આપણે મોટર સાથે ખાડામાં જ જઇને પડીએ ને ! એ ઉપરથી એમ જણાય છે કે ભલે આપણને સારો એવો માનવ જન્મ મળેલો હોય, કાર્યક્ષમ ઇંદ્રિયો પ્રાપ્ત થયેલી હોય, મન સાથે બુદ્ધિ પણ મળેલી હોય છતાં સદ્ગુરૂનો યોગ મળ્યો ન હોય ત્યાં સુધી આ બધું મળેલું પણ નકામું થઇ જાય. કારણ વસ્તુ મળી જવાથી જ કાંઇ કાર્યસિદ્ધિ થતી નથી. તેનો ઉપયોગ કરવાનું જ્ઞાન પણ સાથે સાથે મળવું જોઇએ. અને એ જ્ઞાન તો તે વિષયના જાણકાર અને અનુભવીની પાસે જ હોવાથી તેમની જરૂર હોય છે જ. એ સમજવા માટે આપણે એક દાખલો લઇએ; આપણને શીખંડ બનાવવો હોય ત્યારે તે માટે દહીં જોઇએ. તે મળી ગયું હોય, ત્યારે આગળનો વિધિ બરાબર ખબર હોવો જોઇએ અને એમ હોય તો જ શીખંડ બને. એક માણસે સાંભળેલું કે દહીમાંથી પાણી નીકળી જાય તો જ શીખંડ બને. એ માટે એણે દહીનું વાસણ ઉઠાવી ચુલા ઉપર ચઢાવી દીધું. કલ્પના એવી કરી કે પાણી બળો જશે એટલે નીચે શીખંડનું દહીં રહી જવાનું. અગ્નિનો સંયોગ દહીને થતા શું પરિણામ આવે એનો એણે વિચાર કર્યો નહિ. અને એને એનો અનુભવ ન હતો. તેથી એ બધું દહીં ખોઇ બેઠો. આપણા જીવનને એ જ કસોટી લગાવી જોતાં આપણી ખાત્રી થશે કે, સાચું જીવન જીવવા માટે પદે પદે આપણને સદ્ગુરુની જરૂર લાગે એ સ્વાભાવિક છે. ગ્રંથોક્ત જ્ઞાન કાંઇ ખોટું ન હોય, પણ એ જ્ઞાન સૂત્રરૂપે હોવાના કારણે એનો બોધ મેળવવો હોય તો એનો સાચો અર્થ જાણનારની જ સલાહ મેળવવી જોઇએ. એમ ન થાય તો અર્થનો અનર્થ થઇ જાય છે. અને સવળાને બદલે અવળું થઇ જાય છે.
દેહ તો અનેક જાતના હોય છે અને એ બધાઓનો આપણે અનંતીવાર ઉપયોગ પણ કરી લીધેલો છે, એમાં જરાએ શંકા નથી. પણ માનવેતર દેહમાં આત્માને પોતાનો વિકાસ સાધવાના સાધનો ઘણા જ તછ પ્રમાણમાં મળેલા હોય છે. તેથી આત્માનો વિકાસ થવાને અવકાશ હોતો નથી. માનવ દેહમાં ઉન્નતિ સાધવા માટે સારો જેવો અવકાશ હોય છે. માનવ દેહમાં મનનો વિકાસ થએલો હોય છે. અને એ સારાસારનો વિચાર કરી શકે છે. તેમ બુદ્ધિને પણ આગળ વધવાના કારણો અને સાધનો સુઝી આવે છે. એવા બધા સાધનો અને અવકાશ બીજા દેહમાં હોતો નથી. કુતરાને અને હાથીને પણ બુદ્ધિ હોય છે. પણ એ કેટલી હોય ? તે પ્રમાણમાં માણસ નવી સૃષ્ટિ સર્જે છે એમ કહીએ તો પણ ચાલે.
Page 13 of 161
Page #14
--------------------------------------------------------------------------
________________
આત્મામાં અનંતી શક્તિ છે એવું શાસ્ત્રકારો પોકારી પોકારી કહે છે. એમાં જરા પણ શંકા નથી. પણ એ પ્રત્યક્ષ અનુભવમાં લાવવા માટે આપણે આપણા આત્માની સુપ્ત શક્તિઓને પ્રકાશમાં લાવવા માટે પ્રયત્ન કરવો જોઇએ. તેને પુરૂષાર્થ કહે છે. જે જે મહાપુરૂષો આ જગતમાં ચળકી ગયા અને જેમના પુરૂષાર્થનું અને નામનું સ્મરણ આપણે ભૂલી શકતા નથી, એવા પુરૂષો જ માનવ દેહની વિશિષ્ઠ ઉપયોગિતા સિદ્ધ કરી ગયા છે અને આત્મવિકાસના આ કાર્યમાં માનવ દેહ જ સંપૂર્ણ કાર્યક્ષમતા બતાવી શકે છે. દેવલોકમાં તો વૈક્રીય શરીર જ હોય છે અને તે સત્કર્મથી મળેલા પુણ્યજનિત સુખનો ઉપભોગ લેવા માટે જ હોય છે. વ્યવહારૂ ભાષામાં કહીએ તો એ એક સુખોપભોગનું સોનેરી પાંજરું જ કહી શકાય. એમાં વ્રત, નિયમો, તાજપને અવકાશ હોતો નથી. જેમ કોઇ માણસને અમુક વરસનો કારાવાસ મળે અને તેટલા કાળ સુધી એને મુક્ત થવાની આશા રાખી શકાય નહીં એવો એ પ્રકાર છે. કોઇ અત્યંત સામાન્ય કોટીનો માણસ એક મહાન રાજાની કૃપાને પાત્ર થાય, રાજા તેને અત્યંત સુખસગવડોવાળા મહેલમાં મૂકે, ઘણા નોકરચાકર હાથ નીચે હોય, ખાવા પીવાની બધી જ સગવડો ઉંચા પ્રકારની હોય, એવી સ્થિતિમાં પેલા. માણસને પરાવલંબી જીવન વિતાવવું પડે. કોઇ જાતની છુટ હોય જ નહીં. કારણ કે જે કાંઇ જોઇએ તે સેવકો તરત લાવી આપે. એવી સ્થિતિમાં એ આત્માનો વિચાર શી રીતે કરી શકે ? એને તો જાણે સોનાના પાંજરામાં પુરાએલું જીવન વિતાવવું પડે. એવી સ્થિતિ દેવલોક કે સ્વર્ગની હોય છે. ત્યાં આત્મવિકાસ સાધવાને અવકાશ જ હોતો નથી. આત્માને ગુણસ્થાનોમાં ઉંચે ચઢાવવાનો અવકાશ ક્ત માનવદેહમાં જ હોય છે. તેથી જ માનવદેહની મહત્તા વિશેષ ગણવામાં આવે છે.
માનવદેહનો સદુપયોગ કરવામાં આવે અને સંયમપૂર્વક આત્મધર્મને અનુસરો કર્મો કરવામાં આવે તો તે માનવ મનુષ્ય દેહમાં પણ દેવતા તરીકે પૂજાય છે. પણ એ જ માનવ પોતાને મળેલી શક્તિનો કરે તો તે જ માણસ દાનવ પણ થઇ શકે છે અને જગતના ધિક્કારને પાત્ર બની શકે છે. પોતાના જીવનમાં પણ પોતાની ઘોર નિરાશા અને વિટંબના પોતાની સગી આંખે જોવાનો પ્રસંગ એને મળે છે. જે લોકો એની જય બોલાવતા હતા તે જ લોકો તેનો તિરસ્કાર કરતા જોવામાં આવે છે. એ ઉપરથી એમ ફલિત થાય છે કે, ભલે દુર્લભ અને સારામાં સારો એવો માનવ જન્મ મળેલો છે તો પણ જ્યાં સુધી તેનો ઉપયોગ શી રીતે કરવો એ આપણે જાણતા ન હોઇએ ત્યાં સુધી તે મળેલો માનવદેહ પણ નકામો જ વેડફી નાખવા જેવો થઇ પડે. ઘણા દાખલાઓ આપણી નજર સામે જોવામાં આવે છે કે, કોઇ તદૃન ભીખારી જેવી હાલતમાં રહેલા. માણસને અકસ્માત ઘણા ધન, માલ, મિલકતનો વારસો મળી જાય છે, ત્યારે એને કાંઇપણ આવડત નહીં હોવાને કારણે એ હર્ષાતિરેકમાં તે ધન ગમે તેવા ખોટા માર્ગે થોડા જ દિવસમાં ઉડાડી નાંખે છે. અને પાછો બાવો થઇ જાય છે. ત્યારે એને પોતાની મૂર્ખાઇનું ભાન થઇ જાય છે. પણ એ શા કામનું ?
ઉપરના વિવેચન ઉપરથી એ સિદ્ધ થાય છે કે માનવ દેહ એ અત્યંત વૈભવસંપન્ન, કાર્યક્ષમ અને આત્મોન્નત્તિના કાર્યમાં ઉપયોગી દુર્લભ એવો છે. બીજા કોઇપણ જન્મના શરીરમાં એ બધા ગુણો એકત્ર મળી આવતા નથી. તેને લીધે જ આ માનવદેહનો સદુપયોગ કરી લેવાની આપણી જવાબદારી ઘણી વધી પડે છે માટે આ દુર્લભ અવસરનો સારામાં સારો લાભ ઉઠાવવો એ આપણી જ થઇ પડે છે. એ સબુદ્ધિ બધાઓને સાપડે એવી ભાવના પ્રગટ કરી અમો વિરમીએ છીએ.
- આ ઓદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ઉત્સધ અંગુલના માપે એક હજાર યોજનથી કાંઇક અધિક હોય છે અને જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. આ શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ યુગલિક મનુષ્યોની અપેક્ષાએ ત્રણ પલ્યોપમની હોય છે અને
Page 14 of 161
Page #15
--------------------------------------------------------------------------
________________
જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે.
એક જીવની અપેક્ષાએ આ શરીરનું આંતરૂં ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ હોય છે. કોઇ મનુષ્ય ઔદારિક શરીરથી અનુત્તરનું કે સાતમી નારકીનું આયુષ્ય બાંધી ઉત્પન્ન થાય અને પછી ઔદારિક શરીરને પામે એ અપેક્ષાએ આંતરૂં કહેલ છે. જઘન્યથી એક અંતર્મુહૂત કાળ હોય છે. કોઇ ચારિત્રવાન્ જીવ ઉત્તર વૈક્રીય શરીર કરીને અંતર્મુહૂર્તમાં ઔદારીક શરીરને ફરીથી પ્રાપ્ત કરે એ અપેક્ષાએ જાણવું.
જગતમાં આ ઔદારિક શરીરો અસંખ્યાતા હોય છે. આ શરીર, તિર્યંચો અને મનુષ્યોને જ હોય છે. આ શરીરથી ગતિ તિર્લીંગણીએ તો જંઘાચારણ મહાત્માઓ રૂચક દ્વીપ સુધી જઇ શકે છે અને વિધા ચારણ મુનિઓ અને વિધાધરો નંદીશ્વર દ્વીપ સુધી જઇ શકે છે. ઉર્ધ્વલોકને વિષે પાંડુક વન સુધી જઇ શકે છે.
(૨) વૈક્રીય શરીર :- નાના વિધ એટલે અનેક પ્રકારની વિશિષ્ટ ક્રિયાઓથી આ શરીર બનેલું હોય છે. વિક્રિયાઓથી બનેલું તેનું નામ વૈક્રીય શરીર કહેવાય. એક કરી શકે, અનેક કરી શકે. નાના કરી શકે, મોટા કરી શકે, દ્રશ્ય કરી શકે, અદ્રશ્ય કરી શકે, ભૂમિ પરથી આકાશમાં દેખાડી શકે અને આકાશમાંથી ભૂમિ ઉપર દેખાડી શકે. જગતમાં ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોની આઠ વર્ગણાઓ હોય છે. તેમાંથી બીજી ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવવાની શક્તિ પેદા થાય તે વૈક્રીય શરીર કહેવાય છે. આ વૈક્રીય શરીરના બે ભેદ હોય છે.
(૧) સ્વાભાવિક પૈક્રીય શરીર - એટલે દેવતા અને નારકીમાં ઉત્પન્ન થાય તે વખતે જે શરીર પ્રાપ્ત થાય તે વૈક્રીય શરીર સ્વાભાવિક કહેવાય છે. અને (૨) ઉત્તર વૈક્રીય શરીર - મૂલ શરીર પ્રાપ્ત થયા પછી બીજું નવું શરીર પેદા કરે અને એવા અનેક શરીરો બનાવવા તે ઉત્તર વૈક્રીય શરીર કહેવાય છે. ભવ પ્રત્યયથી સ્વાભાવિક વૈક્રીય શરીર, દેવ અને નારકોને હોય છે. જ્યારે ઉત્તર વૈક્રીય શરીર દેવ-નારકોને હોય તથા કેટલાક મનુષ્યોને અને તિર્યંચોને હોય છે. મનુષ્યો અને તિર્યંચાને ઉત્તર વૈક્રીય શરીર જે હોય છે તે સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જીવોને એકથી છ ગુણસ્થાનક સુધીનાં જીવોને હોય છે.
(૩) આહારક શરીર :- જગતમાં રહેલી ગ્રહણ યોગ્ય વર્ગણાઓની આઠ વર્ગણાઓ હોય છે તેમાંથી ત્રીજી આહારક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી આહારક શરીર રૂપે પરિણામ પમાડીને આહારક શરીર બનાવે તે આહારક શરીર કહેવાય છે. આ શરીર માત્ર છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા જીવોજ કરી શકે છે અને તે ચૌદપૂર્વધર મનુષ્યો કરી શકે છે અને તે બે કારણોથી બનાવે છે. (૧) શ્રી તીર્થંકર પરમાત્માઓનું સમવસરણ બનાવેલું હોય તે સમવસરણ જોવાની ઇચ્છાથી જવું હોય તો આહારક શરીર બનાવીને જઇ શકે છે. અને (૨) ચૌદપૂર્વધરોને પદાર્થોની વિચારણા કરતાં પરાવર્તન અને અનુપ્રેક્ષા કરતાં કરતાં કોઇ પદાર્થમાં શંકા પડે તો તે શંકાના સમાધાન માટે આ શરીર બનાવી તીર્થંકર પરમાત્મા પાસે પહોંચાડી શંકાનું સમાધાન કરી પાછું આવે તે આહારક શરીર કહેવાય છે. આ આહારક શરીર આખા ભવચક્રમાં ચાર વાર જ કરે છે. આ શરીર પુરૂષવેદી અને નપુંસક વેદી જીવો કરી શકે છે. જ્યારે સ્ત્રીવેદી જીવો કરી શકતા નથી કારણકે સ્ત્રીઓને ચૌદપૂર્વ ભણવાનો નિષેધ છે.
(૪) તૈજસ શરીર :- જગતમાં રહેલી ગ્રહણ યોગ્ય વર્ગણાઓ આઠ હોય છે તેમાંથી ચોથી તૈજસ વર્ગણાના પુદ્ગલોને જીવ ગ્રહણ કરીને તૈજસ રૂપે પરિણામ પમાડીને લીધેલા (ભોજન રૂપે) આહારના પુદ્ગલોને પાચન કરવાનું કામ કરે છે તે તૈજસ શરીર નામકર્મ કહેવાય છે. આ તૈજસ શરીર ઉષ્ણતાવાળું હોય છે. હંમેશા કાર્મણ શરીરની સાથેને સાથે જ હોય છે એટલે અનુગામી રૂપે હોય છે. જીવનમાં તપશ્ચર્યા કરવાથી મનની એકાગ્રતાના કારણે જીવને તેજોલેશ્યા આ તૈજસ શરીરમાંથી લબ્ધિરૂપે પેદા થાય છે અને
Page 15 of 161
Page #16
--------------------------------------------------------------------------
________________
તેના મારણ તરીકે શીત લેશ્યા પણ આ જ તેજસ શરીરમાંથી જીવ પેદા કરી શકે છે. સામાન્ય રીતે જેના શાસનનો નિયમ એ છે કે જે કોઇ લબ્ધિઓ જીવને પેદા થાય છે તે લબ્ધિની વારણ શક્તિ પણ જીવ એ લબ્ધિમાંથી પેદા કરી શકે છે અને સાથે જ ઉત્પન્ન થાય છે. આ તેજસ લબ્ધિ એટલે તેજોલેશ્યા અને શીત લેશ્યા છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકે પ્રાપ્ત થઇ શકે છે. ગોશાલાના આત્માને પહેલા ગુણસ્થાનકે પણ પ્રાપ્ત થયેલી હતી એટલે પહેલે પણ પ્રાપ્ત થઇ શકે છે. આ તેજસ શરીર તેરમા ગુણસ્થાનક સુધી જીવોને સતત ઉદયમાં ચાલુ જ હોય છે. તેજસ શરીર વગરનો સંસારી કોઇ જીવ હોતો નથી તથા બધા જીવોના તેજસ શરીર ભિન્ન ભિન્ન એટલે જુદા જુદા હોય છે. આથી તેજસ શરીરો જગતમાં અનંતા હોય છે.
(૫) કામણ શરીર - જગતમાં રહેલી આઠ ગ્રહણ યોગ્ય વર્ગણાઓમાંથી સૌથી છેલ્લી સક્ષ્માતિ સુક્ષ્મ પુદ્ગલોની બનેલી આઠમી કાર્મણ વર્ગણાના પુદ્ગલોને જીવ ગ્રહણ કરી કર્મરૂપે પરિણામ પમાડી આત્માની સાથે દૂધ અને પાણીની જેમ એક મેક કરે છે તે કાર્મણ શરીર કહેવાય છે. દરેક જીવોનું કાર્પણ શરીર ભિન્ન રૂપે એટલે જુદુ હોય છે. આ શરીર એક ભવમાંથી બીજા ભવમાં જવા માટે (ગમન કરવા માટે) સહાયભૂત થાય છે. જીવ જ્યારે બીજા ભવમાં જે ક્ષેત્રમાં ઉત્પન્ન થવાનો હોય તે ક્ષેત્રમાં આહારના પુદગલો રહેલા હોય છે તે આહારના પુગલોને પહેલા સમયે ગ્રહણ કરવામાં આ શરીર ઉપયોગી બને છે અર્થાત આ શરીર દ્વારા જીવો આહારના પગલોને ગ્રહણ કરી પરિણમાવી એ પુદગલોને ખલ અને રસરૂપે પરિણામ પમાડવાનું કાર્ય આ શરીર દ્વારા થાય છે. પછી જીવો સમયે સમયે આ શરીર દ્વારા એટલે શરીરની સાથે આહારના પુદ્ગલોનું મિશ્રણ થાય છે. આથી એ દારિક મિશ્ર અથવા વૈક્રીય મિશ્ર શરૂ થાય છે. આ શરીરો પણ જગતમાં અનંતા હોય છે. એકથી તેર ગુણસ્થાનક સુધી ઉદય અવશ્ય સતત ચાલુ જ હોય છે. જ્યારે યોગ નિરોધ થાય અને જીવ ચોદમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે આ શરીરનો ઉદય નષ્ટ થાય છે. આ રીતે પાંચ પ્રકારના શરીરો હોય છે. તેમાં ઓદારીક શરીરો અસંખ્યાતા હોય છે. વૈક્રીય શરીરો અસંખ્યાતા હોય છે. આહારક શરીરો કોઇ વખત જ રહેતા હોવાથી સંખ્યાતા હોય છે. તેજસ શરીર અનંતા હોય છે અને કાશ્મણ શરીરો પણ અનંતા હોય છે. તેજસ અને કાર્પણ આ બન્ને શરીરો એટલા બધા સૂક્ષ્મ હોય છે કે જે ચક્ષથી જોઇ શકાતા નથી. સંસારી જીવોને આ પાંચ શરીરમાંથી જઘન્યથી એક સાથે તેજસ અને કાર્મણ એ બે હોય છે. વિગ્રહગતિમાં રહેલા જીવોને કે જ્યાં સુધી આ જીવ શરીર પર્યાતિથી. પર્યાપ્ત ન થાય ત્યાં સુધી આ બે શરીરો હોય. કેટલાક જીવોને તેજસ-કાશ્મણ શરીર સાથે ઓદારીક શરીર હોય તો ત્રણ શરીરો હોય છે. કેટલાક જીવોને તૈજસ-કાર્પણ અને વક્રીય એ રીતે પણ ત્રણ શરીરો હોય છે. કેટલાક જીવોને તેજસ-કાશ્મણ-દારિક અને વૈક્રીય એ ચાર શરીરો હોય છે અને કેટલાક જીવોને તેજ-કાશ્મણ-દારિક અને આહારક એ ચાર શરીરો હોય છે પણ કોઇ જીવને પાંચે શરીરનો એક સાથે ઉદય હોતો નથી તેમજ તેજસ-કાર્મર્વેક્રીય અને આહારક શરીર હોતા નથી.
દારિક શરીર સૌથી પહેલું હોવાથી સ્થલ પુદ્ગલોનું બનેલું હોય છે અને એના પછીનાં ક્રમસર શરીરો સૂક્ષ્મ-સૂક્ષ્મ પુદ્ગલોના બનેલા હોય છે. વૈક્રીય શરીરની અને આહારક શરીરની જીવને લબ્ધિ એક સાથે બન્ને હોઇ શકે છે પણ એક સાથે બન્ને લબ્ધિ ફોરવી શકતા નથી. બન્નેમાંથી એક સાથે એક જ શરીર હોય છે.
૨. અવગાહના દ્વાર
શરીરની ઉંચાઇ અને જાડાઇની વિચારણા કરવી એ અવગાહના કહેવાય. આ અવગાહનાનું માપ
Page 16 of 161
Page #17
--------------------------------------------------------------------------
________________
ઉલ્લેધ અંગુલથી દરેક જગ્યાએ કહેવામાં આવેલ છે. આ અવગાહનાનું મૂલ શરીર રૂપે અને ઉત્તર વક્રીય શરીર રૂપે અહીં વર્ણન કરાશે. જે પ્રમાણે જે જે જીવોની શરીરની ઉંચાઇ પ્રાપ્ત થયેલી હોય તે પ્રમાણે એની જાડાઇ તથા લંબાઇ પણ સમજી લેવી. આ અવગાહના કહેવાનું કારણ એ છે કે જીવો જેમ શરીરથી દંડ પામે છે તેમ તેમના શરીરની ઉંચાઇ આદિથી પણ દંડ પામતા જાય છે. કારણ કે જેમ ઉંચાઇ વધારે હોય તેમ કાળજી પણ વિશેષ રાખવાની હોય છે. કોઇ જગ્યાએ જવાય નહિ, બેસાડાય નહિ, ઉઠાડાય નહિ. એ બેસાડ્યા, ઉઠાડ્યા પછી પણ ચલાય નહિ. તેમાં જીવને પોતાની શક્તિ ફોરવવી હોય, પોતાની શક્તિનો ઉપયોગ કરવો હોય તે ઉપયોગ કરી શકાય નહિ. થોડું ચાલે ને શ્વાસ ચઢી જાય ઇત્યાદિ અનેક તક્લીફોના કારણે પોતાની શક્તિઓનો અને મન, વચન, કાયાના વીર્યનો નાશ થતો જાય છે. એવી જ રીતે ઉંચાઇ સારી હોય પણ એની સાથે લંબાઇ, પહોળાઇ, જાડાઇ બરાબર ન હોય તોય જીવોને તકલીફ પડે છે અને પોતાની શક્તિઓને ફોરવી શકતો નથી. આવા બધા કારણોને લઇને જીવો પોતેને પોતે જ પોતાના શરીરની અવગાહનાથી પીડા પામતો જાય છે. દંડ પામતો જાય છે. આથી દંડકમાં રહેલા જીવોનાં શરીરની અવગાહનાનું વર્ણન જ્ઞાની ભગવંતોએ કરેલું જણાય છે. આમાં કયા કયા જીવો પોતાના શરીરની અવગાહનાથી કેટલા કેટલા દુઃખને અને પીડાને પામે છે અને સંસારમાં પરિભ્રમણ કરતો જાય છે એનું વર્ણન કરાશે.
(૩) સંયણ દ્વાર - સંઘયણ એટલે હાડકાંનો બાંધો. હાડકાની મજબુતાઇ. શરીરને વિષે હાડકાની રચના વિશેષ એ સંઘયણ કહેવાય. નરકના જીવોમાં દેવગતિના જીવોમાં અને એકેન્દ્રિય જીવોમાં સંઘયણ હોતું નથી. આ જીવો સિવાયના ઓદારિક શરીરવાળા જીવોન વિષે સંઘયણ હોય છે. આ સંઘયણના બાંધાથી જીવમાં શક્તિ પેદા થાય છે. આથી શક્તિની અપેક્ષાએ જ્ઞાની ભગવંતોએ નારકીના જીવોને છેવહૂં સંઘયણ કહેલું છે અને દેવતાઓને પહેલું સંઘયણ કહેલું છે. ઓદારીક શરીર વાળા સમુરિછમ સુધીનાં જીવોને હાડકાની રચના છેલ્લા સંઘયણની હોય છે એટલે એ જીવોની શક્તિ પણ છેલ્લા સંઘયણની હોય છે.
સંઘયણો જ હોય છે તેમાં એક એકમાં પણ શક્તિની અપેક્ષાએ તરતમતા ભેદે અસંખ્યાતા ભેદો પડી શકે છે. જે સન્ની જીવો હોય છે તે જીવોને છએ સંઘયણમાંથી કોઇને કોઇ સંઘયણ હોય છે. સાતમી નારકીમાં જવા માટે પહેલું સંઘયણ જોઇએ છે તેમ અનુત્તર વિમાનમાં જવા માટે અને સિદ્ધિ ગતિમાં જવા માટે એટલે સકલ કર્મોથી રહિત થવા માટે પણ પહેલું સંઘયણ જોઇએ છે અર્થાત આનો અર્થ એ થાય છે કે જીવને પહેલા સંઘયણની શક્તિ મલ્યા પછી જો દુરૂપયોગ કરે તો જગતમાં રહેલા છેલ્લામાં છેલ્લા પરાકાષ્ટાના દુઃખને પામે છે અને જો એનો સદુપયોગ કરે તો દુનિયાના છેલ્લામાં છેલ્લા પરાકાષ્ટાના સુખને પણ પામે છે અને એનાથી આગળ વધીને એજ શક્તિથી આત્મા ઉપર રહેલા સકલ કર્મોનો નાશ કરીને સંપૂર્ણ શાશ્વત નિરંજન નિરાકાર ચિદાનંદમયસુખને પામી શકે છે કે જેનાથી સદા માટે સંસારની રખડપટ્ટી બંધ થઇ જાય છે અને સદા માટે સાદિ અનંત કાળ સુધી એ શાશ્વત સુખનો ભોક્તા બની શકે છે. આજે આપણને સંઘયણની જે શક્તિ મળેલી છે એ શક્તિનો ઉપયોગ દુઃખ ઉપાર્જન કરવા માટે કરીએ છીએ કે દુ:ખનો નાશ કરી સુખ ઉપાર્જન કરવા માટે કરીએ છીએ એ રોજ વિચારવું પડશે ! કારણકે અત્યારે હાલ આપણને જે સંઘયણની શક્તિ મળેલી છે એવી જ શક્તિ તેજપાલની પત્ની અનુપમા દેવીને મળેલી હતી એમને પોતાની શક્તિનો એવો ઉપયોગ કર્યો કે જેના પ્રતાપે હાલ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ કેવલજ્ઞાન પામીને અનેક જીવોને પ્રતિબોધ કરતાં કરતાં વિચરી રહેલા છે. કુમારપાલ મહારાજાને પણ આપણા જેટલી જ છેલ્લા સંઘયણની શક્તિ મળેલી. તેઓ પણ એ શક્તિનો ઉપયોગ કરી સમજુ બન્યા અને એવો ઉપયોગ
Page 17 of 161
Page #18
--------------------------------------------------------------------------
________________
કર્યો કે જેના પ્રતાપે ત્રીજા ભવે મુક્તિ નિશ્ચિત કરી નાખી. પહેલો ભવ ધર્મ પ્રાપ્તિનો કુમારપાલનો હાલ બીજો ભવ વ્યંતર જાતિના દેવપણાનો છે અને ત્યાંથી નીકળીને આ અવસરપિણી પછી જે ઉત્સરપિણી કાળા આવશે એ કાળમાં પહેલા તીર્થકર શ્રી પદ્મનાભ થશે તેમના ગણધર રૂપે થઇને મોક્ષે જશે. એજ સામગ્રી અને એજ શક્તિ આપણને મળેલી છે. આપણે શું ઉપયોગ કરીએ છીએ એ વિચાર કરવો પડશેને ? જો. દુ:ખ ઉપાર્જન માટે કરતા હોઇએ તો આ શક્તિથી સંખ્યાતા ભવો-અસંખ્યાતા ભવા અને અનંતા ભવોનાં જન્મ મરણ એકેન્દ્રિયપણાના ઉપાર્જન કરી શકીએ છીએ અથવા નારકીના દુ:ખોને ભોગવવા લાયક વધારેમાં વધારે ત્રણ સાગરોપમના દુ:ખને પણ ઉપાર્જન કરી શકીએ છીએ. સુખનો કાળ ઉપાર્જન કરવો કે દુઃખનો કાળ ઉપાર્જન કરવો એ બાજી આપણા હાથમાં છે ! વિચારશો !
છ સઘયણના નામો :- (૧) વ્રજ8ષભનારાય સંઘયણ, (૨) 8ષભનારાચ સંઘયણ, (૩) નારાજ સંઘયણ, (૪) અર્ધનારાચ સંઘયણ, (૫) કીલિકા સંઘયણ, (૬) સેવાર્ત અથવા છેવટ્ટુ સંઘયણ કહેવાય છે.
૧) વજઋષભનારા સંઘયણ :- વજ = ખીલો, રુષભ = પાટો અને નારાજ = મર્કટ બંધ વાંદરું એક સ્થાનેથી બીજા સ્થાને કુદકા મારે, છલાંગ મારે ત્યારે પોતાનું બચ્ચે પોતાની છાતી ઉપર વળગેલું હોય છે એ કોઇ જગ્યાએ પડતું નથી અને એવું ને એવું ચોંટેલું રહે છે. એ જે રીતે છાતીને વળગેલું હોય તેવી રીતે આ હાડકાની રચના વિશેષ એવી રીતે શરીરમાં રહેલી હોય તેને નારાજ = મક્ટ બંધ રૂપે કહે છે. જે હાડકાની રચના વિશેષ શરીરમાં મર્કટ બંધ રૂપે રહેલી હોય, તેના ઉપર હાડકાનો મજબુત પાટો રહેલો હોય અને એની વચમાંથી એટલે એ મર્કટ બંધની વચમાંથી હાડકાનો વજ જેવો ખીલો રહેલો હોય આવા સંઘયણની જે શરીરમાં રચના રહેલી હોય તે રચના વિશેષને વજ અષભનારાય સંઘયણ કહેવાય છે. આ સંઘયણનો ઉદય ૧૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે.
(૨) અષભનારા સંઘયણ :- જે સંઘયણના ઉદય કાળમાં જીવોનાં શરીરની રચનામાં હાડકાની. રચના મર્કટ બંધ જેવી અને તેના ઉપર હાડકાનો મજબૂત પાટો હોય છે પણ વજ જેવો ખીલો હોતો નથી તે 8ષભનારાચ સંઘયણ કહેવાય છે. આ સંઘયણના ઉદય કાળમાં ખીલો ન હોવાથી તેની શક્તિ ઓછી થઇ જાય છે માટે કેવલજ્ઞાનની પ્રાપ્તિ જીવ કરી શકતો જ નથી. માત્ર ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરીને અગ્યારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે. માટે આ સંઘયણનો ઉદય ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી જ હોય છે. વીતરાગતાના અનુભવ કરી શકે છે અને અવશ્ય એક અંતર્મુહુર્તમાં પતન પામે છે.
(૩) નારાજે સંઘયણ :- આ સંઘયણના ઉદયકાળમાં જીવોને શરીરમાં હાડકાની રચના માત્ર મર્કટ બંધ જેવી જ હોય છે પણ ખીલો કે પાટો હોતો નથી. આ સંઘયણનો ઉદય પણ ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી. હોય છે એટલે વીતરાગતાનો અનુભવ કરી શકે છે પણ ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી શકતો નથઈ.
(૪) અર્ધનારા સંધયણ - આ સંઘયણના ઉદયકાળમાં શરીરની રચના વિશેષમાં અર્ધામર્કટ બંધ અને અડધો ભાગ હાડકાની ખીલી હોય છે. આના કારણે બળ ઓછું થઇ જાય છે. મનની એકાગ્રતા અને સ્થિરતાને જીવ સારી રીતે પ્રાપ્ત કરી શકતો નથી આથી આ જીવોને એકથી સાત ગુણસ્થાનક સુધી જ આ સંઘયણનો ઉદય હોય છે અર્થાત રહી શકે છે પણ પરિણામ આગળ વધી શકતો નથી.
(૫) કીલિકા સંયણ:જે સંઘયણના ઉદયકાળથી જીવોને શરીરને વિષે હાડકાની રચના એક માત્ર અડી અડીને રહેલા હાડકામાં ખીલીઓ જેવા હાડકાં રહેલા હોય છે એટલે હાડકાના સાંધા ખીલીઓના હાડકાથી જોઇન્ટ થયેલા હોય છે. તે કીલિકા સંઘયણ કહેવાય છે.
Page 18 of 161
Page #19
--------------------------------------------------------------------------
________________
(૬) છેવહૂ સંઘયણ :- જે સંઘયણના ઉદયથી જીવોનાં શરીરને વિષે હાડકાની રચના સાંધા વગેરે એક બીજાને અડાડીને અર્થાત્ અડીને રહેલા હોય છે એના કારણે જરાક ખેંચવામાં આવે તો તરત જ ઉતરી જાય છે. સોજો ચઢી જાય છે. આથી આ સંઘયણને સેવા આપો એટલે વારંવાર સેવા કરાવો માલીશ. કરાવો ત્યારે આ સંઘયણનું બળ કામ આપે એ સેવાર્ય સંઘયણ અથવા છેવહુ સંઘયણ કહેવાય છે. આ છેલ્લા ત્રણ સંઘયણોનો ઉદયકાળ સાતમાં ગુણસ્થાનક સુધી જ હોય છે એટલે કે આ સંઘયણ વાળા જીવોને સાતમાં ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકોનો પરિણામ આવતો નથી. અત્યારે આ પાંચમા આરામાં જન્મેલા જીવોને આ છેલ્લા સંઘયણનો જ ઉદય હોય છે. આથી અહીં જન્મેલા જીવોને કદાચ દેવતાઓ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી ભગવાન પાસે મુકે તો પણ આ જીવોને સાતમાં ગુણસ્થાનકથી આગળનો પરિણામ પેદા ન થાય એટલે કેવલજ્ઞાન પામી શકે નહિ. પણ આ સંઘયણ કાળમાં જેટલું બળ હોય જેટલી શક્તિ હોય તે મુજબ જો આરાધના કરવામાં આવે તો એકાગ્ર ચિત્તે એવી આરાધના કરી શકે છે કે અહીંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ કેવલજ્ઞાન પામી શકે એવી આરાધના કરી શકે છે.
૪. સંજ્ઞા દ્વાર
સંજ્ઞા = ઇચ્છા, અભિલાષ. શરીરને સુખાકારી જે જે પદાર્થો જોઇતા હોય તે પદાર્થોનો અભિલાષ-ઇરછાઓ અંતરમાં પેદા થયા કરે તે સંજ્ઞા કહેવાય છે. ઇચ્છા મોહનીય કર્મના ઉદયથી પેદા થાય છે અને પદાર્થોનો અભિલાષ સંજ્ઞાથી થાય છે. જેમકે ભૂખ લાગે એ અશાતા વેદનીયનો ઉદય કહેવાય છે. એ ભૂખ શમાવવા માટે ખાવાની ઇરછા થાય-પદાર્થોની ઇરછા થાય-પણ આ પદાર્થો મલે તો જ ખાવું-આવા પદાર્થો મળે તો સારૂં એ મોહનીય કર્મના ઉદયથી જીવને ઇચ્છા થાય છે જ્યારે ભૂખ શમાવવા માટે જે મળે તે ચાલે. ભૂખને શમાવવી છે આ અભિલાષના કારણે ખાવાના પદાર્થ જે મળે તે ચાલશે અને ભૂખ શમાશે એ સંજ્ઞા તરીકે ગણાય છે. આથી મોહનીયને આધીન થઇને સંજ્ઞા જે પોષાય તે સંજ્ઞા જીવને સંસારની વૃદ્ધિનું એટલે જન્મ મરણનું કારણ થાય છે. જ્યારે જે મલે તેમાં ચલાવવું એવી જે વિચારણા અને જીવન જીવવું એમાં મોહનીય કર્મની પુષ્ટિ થતી નથી માટે તે સંજ્ઞા રૂપે ગણાતી નથી આથી જ્ઞાની ભગવંતો કહે છે કે સંજ્ઞાઓનાં સંયમ વગર જીવોને અપુર્નબંધક દશાનો પરિણામ પેદા થઇ શકતો નથી. આથી સંજ્ઞાને આધીન થઇને જીવો જીવતાં હોય ત્યાં સુધી આત્મિક ગુણોની પ્રાપ્તિ થતી નથી અને પ્રાપ્ત થયેલા ગુણો ટકતા નથી. માટે જ જ્ઞાનીઓએ સંજ્ઞાના સંયમ ઉપર ખુબ જ ભાર મુકેલો છે. આ સંજ્ઞાઓ જીવોને અનેક પ્રકારના વિચારોનો અભિલાષ (ઇચ્છાઓ) પેદા કરાવ્યા કરે છે તે વિચારોને સ્કુલ દ્રષ્ટિથી જ્ઞાનીઓએ ચાર પ્રકાર-છ પ્રકાર દશ પ્રકાર અને સોળ પ્રકાર પણ કહેલા છે. સંજ્ઞાના ૪ પ્રકારો. (૧) આહાર, (૨) ભય, (3) મેથુન, (૪) પરિગ્રહ. આ ચાર સંજ્ઞાઓ કહેલી છે. આ ચારની સાથે લોકસંજ્ઞા અને ઓઘ સંજ્ઞા ઉમેરતાં સંજ્ઞાના છ ભેદો થાય છે.
દશ પ્રકારની સંજ્ઞાઓ - (૧) આહાર, (૨) ભય, (૩) મેથુન, (૪) પરિગ્રહ, (૫) ક્રોધ, (૬) માન, (9) માયા, (૮) લોભ, (૯) લોકસંજ્ઞા અને (૧૦) ઓઘ સંજ્ઞા. એમ દશ ભેદો થાય છે. એવી જ રીતે સોળ ભેદોને વિષે આ ૧૦ અને સાથે હાસ્ય-રતિ-અરતિ-શોક-મોહસંજ્ઞા અને જુગુપ્સા (વિચિકિત્સા) એમ સોળ ભેદો થાય છે.
અપુર્નબંધક દશાને પામેલો જીવ જેમ જેમ સંજ્ઞાઓનો સંયમ કરતો જાય તેમ તેમ ગ્રંથીભેદની નજીક પહોંચતો જાય છે અને એ સંજ્ઞાઓના સંયમથી જીવને ઇન્દ્રિયોનો સંયમ થતાં અવિરતિનું જીવન ખટકે છે
Page 19 of 161
Page #20
--------------------------------------------------------------------------
________________
અને વિરતિનું યમવાળું જીવન એને ગમતું થાય છે. આ કારણથી એમ કહેવાય કે સંજ્ઞાને આધીન થઇને જીવ જીવન જીવે છે તે અપુર્નબંધક અવસ્થા પહેલાનું જીવન ગણાય છે. અપુર્નબંધક દશાના પરિણામથી જીવને સંજ્ઞાઓ હોય ખરી સંજ્ઞાઓથી ઇરછાઓ પણ પેદા થાય પણ તે સંજ્ઞાઓને ઓળખે છે માટે તેને આધીન થઇને જીવન જીવતો નથી. સંજ્ઞાઓને પોતાને આધીન બનાવીને જીવન જીવતો થાય છે માટે આથી. કહી શકાય કે સંજ્ઞાઓ જીવને પહેલા ગુણસ્થાનક સુધી હોય છે કારણકે એને આધીન થઇને જીવન જીવો. ત્યાં સુધી સંજ્ઞાઓ સાથે રહીને જીવે છે. જ્યારે ચોથા અને પાંચમા ગુણસ્થાનકે અવિરતિનો ઉદય છે માટે સંજ્ઞાઓનો અભિલાષ એટલે ઇચ્છાઓ થાય છે પણ એને ઓળખે છે. હેય પદાર્થમાં હેય બુદ્ધિની વિચારણા ચાલુ હોય છે. ઉપાદેય પદાર્થમાં ઉપાદેય બુધ્ધિ ચાલુ હોય છે માટે તે સંજ્ઞાઓને આધીન થઇને પ્રવૃત્તિ કરતાં હોતા નથી માટે અશુભ કર્મોનો બંધ અલ્પ થાય છે. અલ્પ રસે બંધ પડે છે અને છઠ્ઠા ગુણસ્થાનકમાં જીવોને અવિરતિનો મન-વચન-કાયાથી કરવા રૂપે-કરાવવા રૂપે અને અનુમોદવા રૂપે ત્યાગ કરેલો હોવાથી, આહારાદિ મલે તો સંયમ પુષ્ટિ અને ન મલે તો તપોવૃદ્ધિનો ભાવ રહેલો હોવાથી સંજ્ઞા નથી એમ કહેવાય છે. આથી આહારાદિ સંજ્ઞાઓ પહેલા ગુણસ્થાનકે હોય એમ કહી શકાય છે. ચાર સંજ્ઞાઓનાં નામો (૧) આહાર સંજ્ઞા, (૨) ભય સંજ્ઞા, (3) મેથુન સંજ્ઞા અને (૪) પરિગ્રહ સંજ્ઞા હોય છે.
(૧) આહાર સંજ્ઞા :- અશાતા વેદનીયના ઉદયથી જીવોને ભૂખ પેદા થાય છે અર્થાત્ સુધા પેદા થાય છે એ ક્ષધાને શમાવવા માટે- શાંત કરવા માટે જીવોને મોહનીય કર્મના ઉદયથી આહારના પદાર્થો મેળવવાની ઇચ્છા પેદા થાય છે તે આહાર સંજ્ઞા કહેવાય છે. સામાન્ય રીતે તેજસ શરીર નામકર્મના ઉદયથી અને અશાતા વેદનીયના ઉદયથી જીવને આહાર સંજ્ઞા પેદા થાય છે એમ કહેવાય છે
અશાતા વેદનીયનો ઉદય જીવને તેરમાં ગુણસ્થાનક સુધી રહે છે. શરીરનો ઉદય પણ તેરમાં ગુણસ્થાનક સુધી રહે છે. આથી શરીર છે ત્યાં સુધી આહારનો અભિલાષ જીવને રહેલો હોય છે પણ સંજ્ઞારૂપે અભિલાષ પાંચમા ગુણસ્થાનક સુધી અવિરતિના ઉદયના કારણથી ગણી શકાય છે. છઠ્ઠા ગુણસ્થાનકથી અવિરતિ ન હોવાથી એ અભિલાષ હોતો નથી અને અવિરતિના પરિણામને આધીન થઇને આહારનો અભિલાષ માત્ર પહેલા ગુણસ્થાનકે જ હોય છે. માટે આહાર સંજ્ઞા પહેલા ગુણસ્થાનકે અથવા એકથી પાંચ ગુણસ્થાનક સુધી ગણાય છે. આજે લગભગ વિચારણા કરીએ તો આહારના પુગલોનો ઉપયોગ ભૂખ લાગે ત્યારે કરીએ છીએ કે ભૂખ લાગ્યા વગર એનો ઉપયોગ કર્યા કરીએ છીએ ? જો સંજ્ઞાને ઓળખવી હોય, જાણવી હોય, આ આહારના વિચારો કેટલા પજવે છે, હેરાન કરે છે એ જાણવું હોય તો ભૂખ લાગે ત્યારે અનુભૂતિ થતી જાય તો ખબર પડે બાકી તો સંજ્ઞાને આધીન થઇને-મોહને આધીન થઇને આહારનો ઉપયોગ લગભગ થતો દેખાય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે સૌથી પહેલા આહાર સંજ્ઞા સંયમીત થવા માંડે તો જ બાકીની ઇન્દ્રિયો અને સંજ્ઞાઓ સંયમીત થવા માટે, આથી પાંચ ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિય પ્રધાન કહેલી છે. એનો જેટલો સંયમ એટલો બાકીની ઇન્દ્રિયોનો સંયમ થયા વગર રહે નહિ. ધર્મની આરાધનાના અનુષ્ઠાનોનું સેવન કરતાં કરતાં આ આહાર સંજ્ઞા સંયમિત થાય છે. એમ લાગે છે ? તપશ્ચર્યા કરે-માસખમણને પારણે મા ખમણ કરે તો પણ આહાર સંજ્ઞા સંયમિત થાય એવું નહિ. જો આહાર સંજ્ઞાને સંયમિત કરવાની ભાવનાથી એનું લક્ષ્ય રાખીને તપશ્ચર્યા કરે અને રોજ જોતો જાય તો સંજ્ઞા સંયમિત થાય. ધન્ના કાકંદિ નામના મહાત્માનું શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના ચૌદ હજાર સાધુઓમાં આહાર સંજ્ઞાને સંયમિત કરીને જીવન જીવનાર ઉત્કૃષ્ટ સાધુ તરીકે નામ આવે છે. રાજકુમાર છે. ભગવાનની એક દેશના જુવાન વયમાં સાંભળીને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવ પેદા કરી સંયમનો સ્વીકાર
Page 20 of 161.
Page #21
--------------------------------------------------------------------------
________________
કર્યો અને અભિગ્રહ કર્યો કે છઠ્ઠને પારણે છઠ્ઠ કરીશ અને પારણે આયંબિલ. એ આયંબિલમાં માંખી ન બેસે એવો આહાર કરીશ. આ અભિગ્રહ ભગવાન પાસે કરીને વિચરી રહ્યા છે. નવ માસના સંયમ પર્યાયમાં અગ્યાર અંગ ભણ્યા છે અને પોતાનો કાળ સ્વાધ્યાયમાં પસાર કરે છે સાત પહોર સુધી જંગલમાં કાઉસ્સગ ધ્યાને રહે છે. એમાં નવ માસમાં શરીરમાં રહેલું લોહી માંસ વગેરે સુકાઇ જાય છે. હાડકાંજ શરીરમાં રહેલા દેખાય છે. જે ઝાડ નીચે કાઉસ્સગ ધ્યાને રહેલા છે ત્યાં તેઓને કોઇ ઓળખી ન શકે એવું શરીર બનાવી દીધું છે અને એ રીતે આહાર સંજ્ઞાને સંયમીત કરી સર્વાર્થ સિધ્ધ વિમાનના દેવપણાનું આયુષ્ય બાંધી દેવ તરીકે ઉત્પન્ન થયા છે. આ રીતે આપણે પણ આહાર સંજ્ઞાનો સંયમ કરતાં થવું જોઇશે.
(૨) ભય સંજ્ઞા :-ભય મોહનીયના ઉદયથી જીવને ત્રાસ પામવા રૂપ અનુભૂતિ થાય. બીક લાગે, ડર લાગે, સતત ડરના વિચારો રહ્યા કરે એના કારણે કોઇ પ્રવૃત્તિ સ્થિરતા પૂર્વક કરી ન શકે. દરેક બાબતમાં ભયના કારણે શંકા રહ્યા જ કરે. શંકાઓ પેદા થયા જ કરે એ ભય સંજ્ઞા કહેવાય છે. એવા વિચારોને આધીન થઇ થઇને પ્રવૃત્તિ કરવી તે ભય સંજ્ઞા કહેવાય છે. ભય મોહનીયનો ઉદય જીવોને આઠમા ગુણસ્થાનક સુધી હોય છે. આ ઉદય જીવોને સતત ચાલુ હોતો નથી. કોઇવાર ઉદય હોય અથવા કોઇવાર ઉદય ન પણ હોય એવું બની શકે છે અને કેટલીક વાર સદંતર પણ ભયનો ઉદય ન હોય એમ પણ બને છે. આથી આઠમા ગુણસ્થાનક સુધી સતત ઉદયમાં રહેતો નથી. કોઇવાર હોય અથવા ન હોય એમ બને છે પણ જ્યારે ઉદયમાં હોય ત્યારે એ ભયના ઉદયનો અભિલાષ સંજ્ઞા રૂપે હોય એવો નિયમ હોતો નથી. વાસ્તવિક રીતે શરીરાદિ પદાર્થો પ્રત્યે એના સુખાકારીના પદાર્થો પ્રત્યે જેટલો રાગ વધારે, આસક્તિ વધારે, મમત્વ વધારે હોય તે પ્રમાણે એ પદાર્થો ચાલ્યા જશે તો શું કરીશ ? કોઇ લઇ જશે તો શું કરીશ ? કોઇ જોઇ જશે તો શું કરીશ ? ઇત્યાદિ વિચારોના કારણે ડર રાખીને જીવન જીવે, શંકાઓ રાખી રાખીને જીવન જીવે, આ વિચારોના કારણે કોઇના પ્રત્યે એને અંતરથી વિશ્વાસ આવે નહિ, આવી સંજ્ઞાના વિચારો જીવ જ્યાં સુધી અપુર્નબંધક દશાના પરિણામને ન પામે ત્યાં સુધી હોય છે. જીવને જ્યારે સાચા સુખની ઓળખ થઇ જાય, સાચા સુખનું ભાન થઇ જાય અને લાગે કે આ પદાર્થોમાં અત્યાર સુધી સુખ માનીને જીવ્યો એ સુખની મારી ભ્રાંતિ કલ્પના હતી એવા વિચારોની સ્થિરતા આવે એટલે ભય સંજ્ઞારૂપ ભય મોહનીય નાશ પામે છે. એટલે આત્મા નિર્ભયતાને પામે છે. એ નિર્ભયતામાં જીવન જીવતાં સાચા સુખની અનુભૂતિનું લક્ષ્ય હોવાથી કદાચ કોઇવાર ભય મોહનીયના કારણે એના ઉદયથી વિચાર આવે-ભય પામે પણ તે ભય સંજ્ઞા કહેવાતી નથી અને એ વિચારો જીવને ચોથ, પાંચમે, છઠ્ઠ પેદા થઇ શકે છે અને કોકવાર આઠમા ગુણસ્થાનકે પણ પ્રાપ્ત થઇ શકે છે. પણ તે ભયસંજ્ઞા કહેવાતી નથી. આ ભય સંજ્ઞાનો સંયમ સાચા સુખની વાસ્તવિક ઓળખથી જીવને પેદા થાય છે. આથી આ ભયસંજ્ઞા જીવોને અનાદિકાળથી હોય છે.
(૩) મૈથુન સંજ્ઞા -મૈથુન એટલે જોડેલું. જોડલા રૂપે ક્રિયા કરવાનો જે અભિલાષ તે મૈથુન સંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞા વેદના ઉદયના અભિલાષમાંથી જીવોને પેદા થાય છે. વેદના ઉદયથી જીવને વિષયનો અભિલાષ પેદા થાય તે મૈથુન સંજ્ઞા કહેવાય છે. વેદનો ઉદય જીવોને નવમા ગુણસ્થાનક સુધી હોય છે છતાં સંજ્ઞારૂપે જ્ઞાની ભગવંતોએ પહેલા ગુણસ્થાનક સુધી કહેલી છે. કવચિત ચોથા કે પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે. જ્યાં સુધી જીવોને સાચા સુખની આંશિક પ્રતિતી થતી નથી, અનુભૂતિ થતી નથી ત્યાં સુધી જીવો અનાદિ કાળથી એ વેદના ઉદયવાળા સુખને જ સર્વસ્વ સુખ માનીને જીવન જીવી રહેલા છે પણ એ વેદના ઉદયવાળું સુખ વાસ્તવિક સુખ । નથી એમ જ્ઞાનીઓ જે માવે છે એનું કારણ એ છે કે સામાન્ય રીતે નિયમ છે કે જે સુખની અનુભૂતિ જીવને પેદા થાય એ સુખની કે એનાથી અધિક સુખની ઇચ્છા પેદા ન થાય. એજ Page 21 of 161
Page #22
--------------------------------------------------------------------------
________________
વાસ્તવિક સુખ કહેવાય. જ્યારે વેદના ઉદયવાળું સુખ એ કાંઇ એવા પ્રકારનું નથી કે એની અનુભૂતિથી પૂર્તિ થઇ જાય પણ જેમ જેમ જીવ અનુભૂતિ કરે છે તેમ તેમ એની ઇચ્છાઓ એ સુખ માટેની વધતી જાય છે. આથી જ જ્ઞાનીઓ કહે છે કે જે સુખની અનુભૂતિથી ઇચ્છાઓ વધે તૃપ્તિ ન થાય વારંવાર અભિલાષ વધ્યા. કરે એ સુખ વાસ્તવિક સુખ ન કહેવાય. એ ઇચ્છાઓનાં અભિલાષથી જીવ વધારે દુ:ખી થતો જાય. બીજા નંબરે જ્ઞાનીઓ કહે છે કે સાચું સુખ એ કહેવાયકે જે સુખની અનુભૂતિથી જીવને થાક ન લાગે, ગ્લાનિ ના અનુભવાય પણ માનસિક શાંતિ વધે એ સાચું સુખ કહેવાય. જ્યારે આ મેથુનની ક્રિયાના સુખમાં એનો અનુભવ કરતાં પણ જીવ માનસિક થાક અનુભવે છે. શરીર પણ થાક અનુભવે છે. ગ્લાનિ પણ અનુભવે છે અને એ થાક અને ગ્લાનિના કારણે માનસિક શાંતિને બદલે માનસિક તણાવ વધી જાય છે. એવું પણ બની શકે છે. આથી એ સુખ વાસ્તવિક ગણાતું નથી. આથી જ જ્ઞાનીઓ વેદના ઉદયના સુખને દુ:ખરૂપ કહે છે. દુ:ખ ફ્લક કહે છે અને દુઃખાનુબંધિ જણાવે છે અને આ વેદના ઉદયનું સુખ એવા પ્રકારનું છે કે અગ્નિમાં ઘી નાંખવા જેવું છે. જેમ જેમ અગ્નિમાં ઘી નાખવામાં આવે તેમ અગ્નિ શાંત થવાના બદલે પ્રદિપ્ત થતો જય. છે અને ઉપરથી અગ્નિ વધ્યા જ કરે છે. એવું આ સુખ હોવાથી જ્ઞાનીઓએ દુ:ખ રૂપ જ કહેલું છે. આવી આત્મામાં જ્યારે પ્રતિતી પેદા થઇ જાય અને વાસ્તવિક સાચા સુખનો ખ્યાલ આવી જાય તો પછી જીવને મેથુન સંજ્ઞા પજવે નહિ, હેરાન કરે નહિ અને એના વિચારો શાંત થયા વગર રહે નહિ. આ વાસ્તવિક સુખની ઓળખ જીવોને, શ્રી અરિહંત પરમાત્માઓનાં સ્વરૂપને વિચારે-એને ઓળખે એનું ચિંતન કરે તો જ ઓળખ થાય કારણકે એ આત્માઓ ત્રીજા ભવે જ્યારે તીર્થંકર નામકર્મ નિકાચના કરે છે. ત્યારથી એ આત્માઓ સંસારમાં રહેલા હોવા છતાં રાગનો ઉદય-વેદનો ઉદય હોવા છતાં એ રાગના ઉદયને અને વેદના ઉદયને જ્ઞાનના બળે જ્ઞાનના ઉપયોગથી વિચ્છેદ કરે છે. અર્થાત નાશ કરીને જીવે છે માટે એ જીવો. નિર્વિકારી કહેવાય છે. ભોગાવલી કર્મના ઉદયના કારણે વેદના ઉદયને ભોગવીને નાશ કરવાનો હોવાથી એ ક્રિયા હોય છે પણ એ ક્રિયામાં જ્ઞાનનો ઉપયોગ સતત ચાલુ હોવાથી નિર્વિકારીપણા રૂપે આત્મા નિર્લેપ રૂપે રહેલો હોય છે. આથી મેથુન સંજ્ઞા ગણાતી નથી. અંતરમાં કોઇ ખૂના ખાંચરે એ વિષયના વિકારોનાં ઇ વિચારો એમને પેદા થતાં નથી. આવી સ્થિતિ અભ્યાસ પાડીને એ જીવો સંસારમાં ચોથા અવિરતિ
4 વર્ષ સુધી રહીને રાગના ઉદયને અને વેદના ઉદયને ભોગવીને નાશ કરી શકે છે પણ નવું કર્મ ભોગવવા માટેનું ઉપાર્જન કરતાં નથી. આ ત્યારે જ બની શકે કે જીવ. સંજ્ઞાને આધીન બન્યા વગર સાચા સુખની અનુભૂતિમાં સદા માટે ઉપયોગથી મસ્ત રહેતો હોય તો જ ! એવી જ રીતે છઠ્ઠા, સાતમાં ગુણસ્થાનકે રહેલા શ્રી સ્થૂલભદ્રજીનો વિચાર કરીએ તો વેદનો ઉદય ચાલુ છે. છતાં પણ વેદના ઉદયને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રહીને ઉદયને વિચ્છેદ કર્યો. અંતરના કોઇ ખૂને ખાંચરે પણ એક વિચાર આવવા દીધો નથી અને કોઇ રૂવાટું પણ ક્યું નથી શાથી ? એ વેદના ઉદયના સુખ કરતાં વાસ્તવિક જે સુખ જ્ઞાની ભગવંતોએ આત્માનું કહેલું છે એનો આંશિક સાક્ષાત્ અનુભવ કરી રહ્યા છે. નહિતર વેશ્યાને ત્યાં રહેવું-વર્ષાકાળ-વેશ્યાપણ અનુકૂળ-રોજ એ સુખ માટેનાં મનામણા કરવા નૃત્ય કરવું, હાવભાવ તથા વેદનો ઉદય પેદા કરવા માટે આહારમાં અનેક પ્રકારની ઔષધિઓ નાંખીને આહાર વહોરાવવો તો પણ જે વાસ્તવિક સુખની અનુભૂતિ કરી રહ્યા છે એ અપેક્ષાએ આ સુખની તુચ્છતા તથા દુ:ખ કારતા કેટલી અંતરમાં વસી ગયેલી હશે ? એના પ્રતાપે અંતે વેશ્યાને પણ કહેવું પડ્યું કે આના કરતાં ચઢીયાતા સુખની અનુભૂતિની પ્રતિતી થઇ છે માટે આમાં જરાય ચલાયમાન થતાં નથી. તો જે સુખની અનુભૂતિ થઇ હોય તે મને કરાવો એટલે સ્થૂલભદ્રમુનિ બોલ્યા અને એ સુખની અનુભૂતિ વેશ્યાને પણ
Page 22 of 161
Page #23
--------------------------------------------------------------------------
________________
કરાવી આ ઉપરથી મેથુન સંજ્ઞા જીવને રહે તો પહેલા ગુણસ્થાનક સુધી. આવા વાસ્તવિક સુખની અનુભૂતિ ન થાય ત્યાં સુધી જ ગણાય છે. આથી ભગવાનનું દર્શન નિર્વિકારી રૂપે ધ્યાનમાં રાખીને કરીએ-ગુણોનું ચિંતન કરીએ તોજ મેથુન સંજ્ઞા સંયમમાં આવતી જાય.
પુરૂષને સેવવાનો અભિલાષ એ સ્ત્રીવેદ કહેવાય. સ્ત્રીને સેવવાનો અભિલાષ એ પુરૂષવેદ અને ઉભયને એટલે બન્નેને સેવવાનો અભિલાષ એ નપુંસક વેદ કહેવાય છે. આ વેદનો ઉદય અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત દરેક જીવોને પરાવર્તમાન રૂપે નવમાં ગુણસ્થાનક સુધી ચાલુ હોય છે. વેદના ઉદય. વગરનો કાળ કોઇ જીવનો હોતો નથી. સતત ચાલુ જ હોય છે. આથી વેદનો ઉદય ધ્રુવોદયી પ્રકૃતિ કહેલી છે. ત્રણેમાંથી એકનો ઉદય સતત ચાલુ જ રહે છે. એ ઉદયના કારણે અભિલાષ પેદા થાય અને પછી એની ઇચ્છાઓ પેદા થયા જ કરે છે એ મેથુન સંજ્ઞા કહેવાય છે.
(૪) પરિગ્રહ સંજ્ઞા :-પરિ એટલે આત્માની ચારે બાજુથી ગ્રહ એટલે વળગાડ અર્થાત આત્માની ચારે બાજુથી વળગાડ વળગ્યા કરવો વળગાડ વળગેલો હોય તે પરિગ્રહ કહેવાય છે.
આ પરિગ્રહ બે પ્રકારનો હોય છે. (૧) બાહ્ય પરિગ્રહ (૨) અત્યંતર પરિગ્રહ.
બાહ્ય પરિગ્રહ નવ પ્રકારનો કહેલો છે. એમાં મુખ્ય બે પ્રકારો હોય છે. (૧) સચિત્ત પરિગ્રહ, (૨) અચિત્ત પરિગ્રહ.
સચિત્તમાં ધાન્ય, બે પગવાળા પ્રાણીઓ, ચાર પગવાળા પ્રાણીઓ આવે છે. અચિત્ત પરિગ્રહમાં ધન, રૂપ્ય, સુવર્ણ, કુષ્ય, વાસ્તુ ઇત્યાદિ આવે છે. આ બાહ્ય પરિગ્રહ કહેવાય છે.
અત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારનો કહેલો છે. મિથ્યાત્વ, ક્રોધ-માન-માયા-લોભ-હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સા-પુરૂષવેદ-સ્ત્રીવેદ અને નપુંસકવેદ એમ ચોદ પ્રકારના પરિગ્રહો હોય છે.
બાહ્ય પરિગ્રહનો ત્યાગ અત્યંતર પરિગ્રહને સંયમિત કરીને એના ત્યાગ માટે કહેલો છે. જો બાહ્ય પરિગ્રહના ત્યાગથી અત્યંતર પરિગ્રહને સંયમિત કરી એનો ત્યાગ કરવાની ભાવના ન હોય તો એ ત્યાગને જ્ઞાનીઓએ વખાણ્યો નથી.
લોભના ઉદયથી પેદા થાય તે પરિગ્રહ. શરીર અને શરીરને સુખાકારી રાખનાર પદાર્થો મેળવવાની, ભોગવવાની, સાચવવાની, ટકાવવાની અને ન ચાલ્યા જાય એની કાળજી રાખવાની ઇચ્છાઓ. એ પરિગ્રહ કહેવાય છે.
આ સંજ્ઞારૂપ પરિગ્રહ પહેલા ગુણસ્થાનક સુધી હોય છે. ચોથા અને પાંચમાં ગુણસ્થાનકમાં હેય બુધ્ધિ જીવંત રહેતી હોવાથી એ પરિગ્રહ રૂપે ગણાય પણ સંજ્ઞા રૂપે નહિ. અનાદિ કાળથી જીવો જગતમાં જે પરિભ્રમણ કર્યા કરે છે. તેમાં દરેક જન્મમાં શરીર નવા પેદા કરતો જાય છે અને આયુષ્ય પૂર્ણ કરે છોડતો જાય છે આથી જ્યારે શરીર બનાવે છે ત્યારથી આ શરીર પ્રત્યેનું મમત્વ જીવને રહ્યાજ કરે છે. ચાલુ જ હોય છે એ પરિગ્રહ કહેવાય છે અને જ્યારે શરીરને છોડે છે તે વખતે પણ એ શરીરના મમત્વને અંતરમાં રાખીને છોડે છે, ત્યાગ કરે છે, આથી એ જીવને બીજા ભવમાં પણ એ શરીરના મમત્વના કારણે પચાસ ટકા પાપ ચાલ્યા કરે છે. એ શરીર નાશ પામ્યું હોય એના પગલો વિખરાઇ ગયા હોય એ વિખરાયેલા પુગલો જગતમાં જ્યાં જ્યાં જાય અને એનાથી જે જે જીવોની હિંસાઓ થાય તે દરેક હિંસાનું પાપ મમત્વ બુદ્ધિથી છોડનાર (શરીરને) જીવને લાગ્યા કરે છે. આથી આ પરિગ્રહ સંજ્ઞા જીવને અનાદિ કાળથી રહેલી છે. એમ કહેવાય છે એ સંજ્ઞાનો નાશ પોતાના આત્મામાં રહેલી ગ્રંથી છે. અનુકૂળ પદર્થો પ્રત્યેનો ગાઢરાગ
Page 23 of 161
Page #24
--------------------------------------------------------------------------
________________
અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષ એને જ્ઞાનીઓએ ગ્રંથી કહેલી છે. એ ગ્રંથીના પ્રતાપેજ જીવોને શરીર પ્રત્યે મમત્વ બુધ્ધિ થાય છે. તે પરિગ્રહ સંજ્ઞા કહેવાય છે. આ પરિગ્રહ સંજ્ઞાને પહેલા ગુણસ્થાનકે ઓળખીને જીવે એ જીવોને પરિગ્રહ સંજ્ઞા હોતી નથી. આથી કર્મબંધ અલ્પ થતો જાય છે. (કરતો જાય છે.) અને અંતે પરિગ્રહથી એટલે શરીરથી જીવ છૂટી જાય છે.
આ ચાર સંજ્ઞાઓમાંથી કોઇને કોઇ સંજ્ઞા જીવોને અંતર્મુહૂર્ત અંતર્મુહૂતૅ ચાલુ જ હોય છે. આથી સંજ્ઞા
વગરનો કોઇ જીવ હોતો નથી એમ કહેવાય છે.
લોક સંજ્ઞા :-લોકોએ ઉપચાર કરેલી વ્યવહારમાં પ્રવર્તાવેલી ઇચ્છા પ્રમાણે ઘડેલા નિર્ણયોવાળી જે વાતો તે લોક વ્યવહાર કહેવાય છે. અર્થાત્ લોક વ્યવહારને અનુસરવાવાળી જે વૃત્તિઓ તે લોકસંજ્ઞા કહેવાય છે. જેમકે (૧) સંતાન રહિત જીવોને સદ્ગતિ ન હોય. (૨) કુતરા યક્ષ છે. (૩) કર્ણ કાનમાંથી થયો. (૪) કાગડા એ દેવ છે. વગેરે લૌકિક કલ્પનાઓ કરવી તે લોક સંજ્ઞા કહેવાય છે. અનાદિ કાળથી સંસારમાં ભટકતા એવા જીવો અનંતીવાર મનુષ્ય જન્મને પામીને આવી લોકસંજ્ઞાઓમાં અનંતી વાર સાયેલા છે અને તેના કારણે મોટા ભાગે આવા સંસ્કારો જીવોને ચાલુ જ રહે છે તે લોકસંજ્ઞા રૂપે કહેવાય. પ્રવચન સારોધ્ધારમાં મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી શબ્દ અને અર્થ વિષયક સામાન્ય બોધ ક્રિયારૂપ જે ઉપયોગ તે દર્શન ઉપયોગ કહેવાય છે. આ દર્શન ઉપયોગવાળી ઓધ સંજ્ઞા કહેવાય છે. અને વિશેષ બોધ ક્રિયારૂપ જ્ઞાન ઉપયોગ તેને લોકસંજ્ઞા કહેવાય છે.
(૬) ઓધ સંજ્ઞા :- પૂર્વ સંસ્કારથી પેદા થયેલી તે ઓધ સંજ્ઞા કહેવાય છે. તે જેમકે (૧) વેલડીઓને વૃક્ષ ઉપર ચઢવું, ભીંતાદિ ઉપર ચઢવું તે. (૨) બાળકને સ્તનપાન કરવું તે અથવા (૩) મોધમ એટલે મુંગુંજ્ઞાન તે. સામાન્ય શબ્દાર્થનું જ્ઞાન અવ્યક્તપણાનો ઉપયોગ કે જે ઉપયોગની વિચારણાના શબ્દો વ્યક્ત કરી ન શકાય કહી ન શકાય તેવી જાતની જે સંજ્ઞા એવી સંજ્ઞાઓનું જે જ્ઞાન તે ઓધ સંજ્ઞા કહેવાય છે. (૧) વેદનીય કર્મના ઉદયથી જીવોને સુખસંજ્ઞા અને દુઃખસંજ્ઞા પેદા થાય છે. જેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમવાળા જીવોને જ્ઞાન પેદા થતાં થતાં બીજાને સમજાવી શકે. શંકાના સમાધાન સંતોષકારક આપી શકે એનાથી જીવને સુખસંજ્ઞા પેદા થતી જાય છે. એવી જ રીતે દૂર સુધી જોવાની શક્તિ પેદા થાય અને જે જોઇ ન શકે એની અપેક્ષાએ જીવને સુખ થાય એથી સુખસંજ્ઞા પેદા થાય છે અને કોઇને ઘણી મહેનત કરવા છતાં ન આવડે તો અંતરમાં ગ્લાનિ પેદા થાય. દુઃખ પેદા થાય અને જે જીવોને પાંચે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ મંદ મળેલો હોય તેના કારણે જાણી ન શકે તેને ગ્લાનિ થાય અને દુ:ખ થાય તે દુઃખ સંજ્ઞા કહેવાય છે. વેદનીય કર્મના ઉદયથી એટલે શાતા વેદનીયના ઉદયથી જીવને સુખ સંજ્ઞા અને અશાતા વેદનીયના ઉદયથી જીવને દુઃખસંજ્ઞા થાય છે. મિથ્યાત્વના ઉદયે જીવોને મોહસંજ્ઞા પેદા થાય છે. જેમ જેમ જીવોને મિથ્યાત્વનો ઉદય તીવ્ર એટલે ગાઢ બનતો જાય તેમ તેમ મોહનોઅંધાપો પેદા થાતો જાય છે. મોહના અંધાપા વાળા જીવો સંજ્ઞાને ઓળખી શકતા નથી. સંજ્ઞાઓને આધીન થઇને જ પોતાનું જીવન જીવતાં સંસારમાં પરિભ્રણ કરતાં જાય છે. જ્યારે મોહનો ઉદય જીવોને દશમા ગુણસ્થાનક સુધી હોય છે. જ્યારે મોહનો અંધાપો પહેલા ગુણસ્થાનકે જ હોય છે. મોહનીય કર્મ અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયે જીવોમાં વિચિકત્સા એટલે જુગુપ્સા સંજ્ઞા પેદા થાય છે ક જે કોઇ પ્રતિકૂળ પદાર્થો જોવા મળે, સુંઘવા મળે તો મોટું બગાડી જાય છે તે જુગુપ્સા કહેવાય છે. આ સંજ્ઞાને ચિત્ત વિપ્લુતિરૂપ સંજ્ઞા પણ કહેવાય છે કે જેથી મોઢા આદિ ઉપર વિકૃતિ પેદા થઇ જાય છે.
(૪) ક્રોધ સંજ્ઞા :- અપ્રીતિ રૂપ- પોતાના અંતરમાં અને બીજા જીવોના અંતરમાં અપ્રીતિ પેદા કરાવે.
Page 24 of 161
Page #25
--------------------------------------------------------------------------
________________
દ્વેષ બુદ્ધિ પેદા કરાવે તે ક્રોધ સંજ્ઞા.
(૫) માન સંજ્ઞા :- ગવરૂપ પોતાના અંતરમાં અને બીજાના અંતરમાં અભિમાન પેદા કરાવે, ગર્વ એવો પેદા થાય કે એના વિચારો બદલાઇ જાય એના વચનો બદલાઇ જાય. કાયાથી એની પ્રવૃત્તિઓ પણ બદલાઇ એના વચનો બદલાઇ જાય, કાયાથી એની પ્રવૃત્તિઓ પણ બદલાઇ જાય અને આ માનના કારણે જુઠ બોલવા આદિમાં ડર નાશ પામી જાય તે માનસંજ્ઞા કહેવાય છે.
(૬) માયા સંજ્ઞા - વક્રતારૂપ હૈયું કુટલિ બની જાય. કોઇના હાથમાં હૈયું ન આવે જેના કારણે લુચ્ચાઇ દંભ ઇત્યાદિ વાળું હૈયું બની જાય. એના બોલવામાં વચને વચને કપટ દખાયા કરે તે માયાસંજ્ઞા.
(૭) લોભ સંજ્ઞા :- ગૃધ્ધિ રૂપ સંજ્ઞા છે. એટલેકે પદાર્થો પ્રત્યેની આસક્તિ-મમત્વ બુદ્ધિ વધ્યા જ કરે. જેટલું મલે એમાં સંતોષ પેદા થાય જ નહિ અસંતોષમાં જ સદા માટે સળગ્યા જ કરે તે લોભ સંજ્ઞા. જ્ઞાની ભગવંતોએ લોભની શરૂઆત- અતિ ઉનાધીથી ચોપડેલું અનાજ ખાવા મલતું હોય, રહેવા માટે મકાન મલતું હોય અને અંગ ઢાંકવા માટે સાંધા વિનાનું કપડું મલતું હોય તો આનાથી અધિક મેળવવાની ઇરછાઓ કર્યા કરવી. ઇરછાઓમાં રહેવું તે લોભસંજ્ઞા કહેવાય છે. અર્થાત લોભની શરૂઆત કહેલી છે. એના અભિલાષના વિચારોમાં કાળ પસાર કરવો તે લોભસંજ્ઞા કહેવાય.
(૮) શોક સંજ્ઞા :- વિપ્રલાપ કરવા તે આક્રંદ કર્યા કરવું તે અને વૈમનસ્ય રૂપ એટલે ગાંડા માણસોની જેમ લવારો કર્યા કરવો તે શોકસંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞા જીવોને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવ અને મોહના ઉદયથી પેદા થાય છે.
(૯) લોકસંજ્ઞા - સ્વચ્છેદ ઘટિત વિકલ્પરૂપા લૌકિક આચરિતા.
(૧૦) ધર્મસંજ્ઞા :- મોહના ક્ષયોપશમ ભાવથી ધર્મસંજ્ઞા પેદા થાય છે. ક્ષમાદિ આચરવા રૂપ ધર્મ કહેવાય છે.
પ- સંસ્થાન દ્વાર
જગત આખુંય સદા માટે જીવ અને પુદ્ગલોથી ભરેલું છે. જગતમાં જેટલા જીવો છે. એના કરતાં અનંતગુણા અધિક પુદ્ગલો રહેલા છે. આ અનંતા પુદ્ગલો કોઇને કોઇ આકૃતિવાળા હોય છે. એ પુગલોની આકૃતિને સંસ્થાન કહેવાય છે. પણ એ સંસ્થાનરૂપ આકૃતિનું અહીં વર્ણન કરવાનું નથી. પણ જીવો જગતમાં રહેલા છે એ જીવો જ્યાં જ્યાં ઉત્પન્ન થઇ આહારના પુદગલોને ગ્રહણ કરી એ પુદગલોને પરિણામ પમાડી શરીર રૂપે બનાવે છે એ શરીરની આકૃતિ કેવા પ્રકારની બનવી (બનાવવી) એની જે વિચારણા કરવી એ સંસ્થાન કહેવાય છે. એ સંસ્થાન નામકર્મના ઉદયથી જીવના શરીરની આકૃતિ બને છે તેનું અહીં વર્ણન વિચારવાનું છે. એ સંસ્થાનનાં છ ભેદો હોય છે. (૧) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૨) વ્યગોધ સંસ્થાન, (૩) સાદિ સંસ્થાન, (૪) કુજ સંસ્થાન, (૫) વામન સંસ્થાન અને (૬) હુંડક સંસ્થાન.
મોક્ષે જવા માટે પહેલું સંઘયણ અવશ્ય જોઇએજ જ્યારે મોક્ષે જવા માટે પહેલું સંસ્થાન જ જોઇએ. એવો નિયમ નહિ છએ સંસ્થાનમાંથી કોઇપણ સંસ્થાનથી જીવ મોક્ષે જઇ શકે છે.
શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓને અને ત્રેસઠ શલાકા પુરૂષ જીવોને અવશ્ય પહેલું સંસ્થાન જ હોય છે.
(૧) સમચતુરસ્ત્ર સંસ્થાન :- જે શરીરને વિષે ચારે બાજુની આકૃતિ એક સરખી હોય એટલે શરીરના ચારેય ભાગો એક સરખા માપના હોય તે સમચરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. જેમકે પદ્માસને બેઠેલા
Page 25 of 161
Page #26
--------------------------------------------------------------------------
________________
જીવના શરીરની આકૃતિનું માપ વિચારીએ તો (૧) જમણા ઢીંચણ થી ડાબા ઢીંચણ સુધીનું અંતર,(૨) એ અંતર બન્ને ઢીંચણનું જેટલું હોય એટલું જ અંતર ડાબા ઢીંચણથી જમણા ખભા સુધીનું હોય, (૩) એજ રીતે જમણા ઢીંચણથી ડાબા ખભાનું અંતર એટલે જેટલું માપ થાય એટલું જ માપ બન્ને ઢીંચણ જેટલું થાય અને (૪) લલાટથી શરૂ કરી પલાઠીના વચલા ભાગ સુધીનું મધ્યનું અંતર પણ એટલું જ થાય. આ રીતે ચારેયનું અંતર એક સરખું થાય તેને સમચતુરસ્ત્ર સંસ્થાન એટલે શરીરની આકૃતિ કહેવાય છે. ભગવાનની મૂર્તિઓમાં આજ આકૃતિઓ રખાય છે. એક દોરાભાર જેટલો પણ ફેરફાર હોય તો તે પ્રતિમાજી રખાતા નથી. પરિકરયુક્ત પદ્માસને રહેલી પ્રતિમાઓ અરિહંતની કહેવાય છે અને પરિકર રહિત જેટલી પ્રતિમાઓ પદ્માસને રહેલી હોય છે તે સિધ્ધ પરમાત્માઓની કહેવાય છે. આ બન્ને પ્રકારની પ્રતિમાઓની આકૃતિ આ પહેલા સંસ્થાન વાળી જ હોય છે. આવા સંસ્થાન વાળી આકૃતિને જાતાં મનની સ્થિરતા-મનની એકાગ્રતા વધતી જાય છે અને એનાથી જીવને પૂર્વભવોનું જ્ઞાન એટલે જાતિ સ્મરણ જ્ઞાન પેદા થઇ શકે છે. આવી આકૃતિવાળા માછલાઓ સમુદ્રને વિષે અસંખ્યાતા રહેલા હોય છે. સ્વયંભૂરમણ સમુદ્રને વિષે આવા પહેલા સંસ્થાનની આકૃતિવાળા માછલાઓ અસંખ્યાતા રહેલા છ એને જોઇને બીજા કાંઇક એટલે કેટલા માછલાઓ મનની એકાગ્રતા પેદા કરીને જાતિસ્મરણ જ્ઞાન પામે છે અને અનશન કરીને મરી દેવલોકમાં જાય છે.
સ્થાપના રૂપે આકૃતિ માછલામાં રહેલી હોવા છતાં તેનું ધ્યાન કરવાથી વિચારણા કરવાથી મનની એકાગ્રતા એ આકૃતિમાં કરવાથી જાતિસ્મરણ જ્ઞાન પેદા થતું હોય છે તો આ તો મંદિરમાં સ્થાપના રૂપે રહેલા ભગવાનના ગુણોનો આરોપ કરી તેમાં પ્રાણ પુરેલા હોય છે. તેનું દર્શન કરતાં કરતાં મનની એકાગ્રતા પેદા થઇ જાય તો જ્ઞાનનો કેટલો બધો ક્ષયોપશમ ભાવ પેદા થઇ શકે ? માટે જ્ઞાનીઓ કહે છે કે જો સાચા ભાવે એકાગચિત્તે દર્શન કરતાં આવડે તો એ દર્શનથી સમ્યગ્દર્શન પેદા થાય છે અને યાવત્ કેવલજ્ઞાન પણ પેદા થાય છે. (થઇ શકે છે.) માટે રોજ દર્શન વારંવાર કરવા જોઇએ કે જેથી જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ અને ક્ષાયિક ભાવે જ્ઞાન પેદા થાય છે માટે જેઓ સ્થાપના નિક્ષેપાનો નિષેધ કરે છે. મનાઇ કરે છે એ જીવોને કેવો અને કેટલો કર્મબંધ થાય એ વિચારવા યોગ્ય છે !
(૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન :- જે જીવોના શરીરની આકૃતિને વિષે નાભિના ઉપરના ભાગના અવયવો શાસ્ત્રમાં કહ્યા મુજબ લક્ષણથી યુક્ત હોય એટલે લક્ષણ સહિત હોય અને નાભિના નીચેના અવયવો લક્ષણથી રહિત હોય તે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન કહેવાય. આવા પ્રકારની આકૃતિવાળું શરીર તે અશુભ કહેવાય છે. જગતમાં આવા શરીરવાળા જીવો પણ હોય છે.
(૩) સાદિ સંસ્થાન :- જે શરીરની રચના વિશેષમાં આ કર્મના ઉદયથી જીવોને નાભિની નીચેનાં ભાગના અવયવો લક્ષણથી યુક્ત હોય અને ઉપરના અવયવો લક્ષણથી રહિત હોય એવા શરીરવાળા જીવોની જે આકૃતિ તે સાદિ સંસ્થાન કહેવાય છે. આ આકૃતિ પણ અશુભ ગણાય છે કારણકે જોનારના
આંખની સ્થિરતા ટકતી નથી.
(૪) વામન સંસ્થાન :-મસ્તક ગ્રીવા = ડોક, હાથ અને પગ લક્ષણથી રહિત હોય અને છાતી પેટ, પીઠ આદિ લક્ષણથી યુક્ત હોય તે વામન સંસ્થાન કહેવાય છે.
(૫) કુબ્જ સંસ્થાન :- મસ્તક ગ્રીવા હાથ અને પગ લક્ષણથી યુક્ત હોય અને છાતી, પેટ, પીઠ આદિ લક્ષણથી રહિત હોય તે કુબ્જ સંસ્થાન કહેવાય છે.
(૬) હુડક સંસ્થાન :-શરીરમાં રહેલા બધા જ અંગોપાંગ લક્ષણથી રહિત હોય તે હુંડક સંસ્થાન
Page 26 of 161
Page #27
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે.
આ છમાંથી એક પહેલી આકૃતિ એટલે સંસ્થાન સિવાય બાકીના કોઇને કોઇ લક્ષણોથી રહિત હોવાથી અશુભ સંસ્થાન રૂપે ગણાય છે. આજે લગભગ વિચાર કરીએ તો મોટાભાગે આ છેલ્લા સંસ્થાનના પ્રતાપે અનેક પ્રકારની આકૃતિવાળા મનુષ્યો જોવા મળે છે. કોઇને પગ ન હોય, હોય તો ટુંકા હોય, બે પગમાંથી એક લાંબો હોય, બીજો ટુંકો હોય, બે હાથમાંથી એક લાંબો હોય, એક ટુંકો હોય, એક ઠુંઠો હોય એવી જ રીતે નાસિકામાં પણ એક નાક ચીબું બીજું ખુલ્લું, કાન પણ એક દબાયેલો એક ખુલ્લો મોટો, નાનો એવી જ રીતે આંખોમાં પણ એક નાની મોટી ઇત્યાદિ જે ક્ષાર શરીરની આકૃતિમાં દેખાય છે તે આ. સંસ્થાનના કારણે દેખાય છે.
વજસ્વામીજી છેલ્લા દશપૂર્વી થયા એ હયાત હતા ત્યાં સુધી આ ભરત ક્ષેત્રમાં છએ સંઘયણ અને છએ સંસ્થાન હતા. વજસ્વામીજીના ગયા પછી પહેલા પાંચ સંઘયણો અને પહેલા પાંચ સંસ્થાનોનો લોપ એટલે નાશ થયલો છે. એટલે હાલ છેલ્લું સંઘયણ અને છેલ્લું સંસ્થાન ઉદયમાં ચાલે છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે પાંચ સંઘયણો નાશ પામ્યા છે પણ સંસ્થાનનો નાશ થયેલો નથી માટે હાલ છ સંસ્થાનો વિધમાન છે. એટલે છએ સંસ્થાનમાંથી કોઇ ને કોઇ સંસ્થાન જીવોને હોઇ શકે છે. એમ પણ માને છે. આથી આ બાબતમાં શું માનવું એકેવલી ભગવંતો જાણે આપણે તો બેય વાત ધ્યાનમાં રાખીને વિચારવાનું છે.
શ્રી જંબુસ્વામીજી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા ત્યારે પહેલું સંઘયણ વિરચ્છેદ થયેલ છે અને વજસ્વામીજીના ગયે બાકીના વચલા ચાર સંઘયણો વિચ્છેદ થયેલ છે એમ પણ વાત આવે છે.
અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા જીવોને મોટાભાગે પહેલું સંઘયણ હોય છે પણ કેટલાક જીવોને છએ સંઘયણમાંથી કોઇને કોઇ સંઘયણ હોઇ શકે છે અને છએ સંસ્થાનમાંથી કોઇને કોઇ સંસ્થાન પણ મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે પણ હોઇ શકે છે. માટે એવી વાતો પણ આવે છે કે ત્યાં ઠીંગુજી જેવા અને વેંતીયા મનુષ્યો પણ હોય છે. જેને જોઇને પાંચસો ધનુષની કાયાવાળા મનુષ્યોને આશ્ચર્ય થાય છે તથા જઘન્યથી બે હાથની કાયાવાળા જીવો મોક્ષે જઇ શકે છે. એ વાત છે તો એ ઉપરથી પણ સાબીત થઇ શકે છે કે કોઇ કોઇ સ્થાનોમાં આવી નાની નાની કાયાવાળા મનુષ્યો મહાવિદેહ ક્ષેત્રમાં પણ હોય. આથી મોક્ષે જવા માટે પહેલું સંસ્થાન જ જોઇએ એવો નિયમ હોતો નથી પણ પહેલું સંઘયણ તો અવશ્ય જોઇએ જ. પહેલા સંઘયણ વગર કોઇ જીવ ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરી શકતું નથી. આ આકૃતિ એટલે સંસ્થાનનાં કારણે પોતાના કરતાં બીજાની સારી આકૃતિ જોઇન અંતરમાં બળાપો થાય-પોતાના શરીર પ્રત્યે દ્વેષ થાય અને બીજા કરતાં પોતાના શરીરની આકૃતિ સારી હોય તો એ આકૃતિથી રાગ થાય ઇત્યાદિ રાગ દ્વેષનું કારણ આકૃતિ બનતી હોવાથી જગતના જીવો આકૃતિ એટલે સંસ્થાનથી કેવી રીતે પીડા અને દંડ પામે છે એ દંડકમાં જણાવાશે આથો સંસ્થાન દ્વારા કહેલું છે.
૬- sષાય દ્વાર
કષ = સંસાર અને આય = લાભ જેનાથી જીવોને સંસારનો લાભ પ્રાપ્ત કરાવે એને કષાય કહેવાય
Page 27 of 161
Page #28
--------------------------------------------------------------------------
________________
છે. સંસારનો લાભ એટલે જન્મ મરણનો લાભ કરાવે છે. તેના ૪ ભેદો હોય છે.
(૧) ક્રોધ કષાય, (૨) માન કષાય, (૩) માયા કષાય, અને (૪) લોભ કષાય.
આ કષાયના એક એકના ચાર ચાર ભેદો હોય છે. (૧) અનંતાનુબંધિ કષાય (૨) અપ્રત્યાખ્યાનીય કષાય. (૩) પ્રત્યાખ્યાનીય કષાય અને (૪) સંજ્વલન કષાયા
(૧) અનંતાનુબંધિ - જે કષાયના ઉદયથી જીવોને સંખ્યાતા ભવોના અસંખ્યાતા ભવોના કે અનંતા ભવોના અનુબંધ પેદા કરાવે એટલે જન્મ મરણની પરંપરાના અનુબંધ પેદા કરાવે તે અનંતાનુબંધિ કષાય કહેવાય છે. આ કષાય જીવને યાવજજીવ સુધી રહે છે એટલે અનાદિકાળથી આ કષાય ઉદયમાં જીવોને છે અને જ્યાં સુધી સમકીત ન પામે ત્યાં સુધી આ કષાય ઉદયમાં રહેશે તે અનંતાનુબંધિ કષાય, કહેવાય છે. આ કષાયનો ઉદય જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જીવને સમકીતની પ્રાપ્તિ થતી નથી અને પ્રાપ્ત થયેલા સમકીતના કાળમાં ઉદયમાં આવે તો સમકીતનો નાશ કરે છે.
(૨) અખત્યાખ્યાનીય કષાય - જે કષાયના ઉદયથી જીવોને કોઇપણ નાનામાં નાનાં વ્રત પચ્ચકખાણ કે નિયમથી શરૂ કરીને મોટા
મોટા વ્રત નિયમ કે પચ્ચક્ખાણ જીવનમાં પેદા થવા ન દે એટલે કે આવવા ન દે. કરવાનું જરાય મન થવા ન દે તે અપ્રત્યાખ્યાનીય કષાય કહેવાય છે.
(૩) પ્રત્યાખ્યાનીય કષાય :- જે કષાયના ઉદયથી જીવોને નાના પચ્ચકખાણ વ્રત નિયમથી શરૂ કરીને શ્રાવકના બાર વ્રતો- નિયમો અને પચ્ચકખાણ કરાવીને નિરતિચાર રૂપે પાલન કરાવે અને અભ્યાસ પડાવીને શ્રાવકની અગ્યાર પ્રતિમા પણ વહન કરાવે પણ સર્વ વિરતિનાં પચ્ચખાણ પેદા થવા ના દે તે પ્રત્યાખ્યાનીય કષાય કહેવાય.
(૪) સંજવલન કષાય જે કષાયના ઉદયથી જીવો સર્વ સાવધ વ્યાપારનો ત્યાગ કરીને સર્વવિરતિના પચ્ચક્ખાણ કરીને નિરતિચારપણે પાલન કરે પણ વીતરાગ દશાને એટલે કે રાગ-દ્વેષના ઉદય વગરની અવસ્થા પ્રાપ્ત ન થવા દે તે સંજ્વલન કષાય કહેવાય છે.
આ અનંતાનુબંધિ આદી ચારેય કષાયોનો એક એકના ચાર-ચાર ભેદો હોય છે. (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ.
Page 28 of 161
Page #29
--------------------------------------------------------------------------
________________
આથી ૧૬ ભેદો થાય છે. તે આ પ્રમાણે.
(૧) અનાતનુબંધિ ક્રોધ, (૨) અનંતાનુબંધિ માન, (3) અનંતાનુબંધિ માયા, (૪) અનંતાનુબંધિ લોભ, (૫) અપ્રત્યાખ્યાનીય ક્રોધ, (૬) અપ્રત્યાખ્યાનીય માન, (૭) અપ્રત્યાખ્યાનીય માયા, (૮) અપ્રત્યાખ્યાનીય લોભ, (૯) પ્રત્યાખ્યાનીય ક્રોધ, (૧૦) પ્રત્યાખ્યાનીય માન, (૧૧) પ્રત્યાખ્યાનીય માયા, (૧૨) પ્રત્યાખ્યાનીય લોભ, (૧૩) સંજ્વલન ક્રાધ, (૧૪) સંજ્વલન માન, (૧૫) સંજ્વલન માયા અને (૧૬) સંજ્વલન લોભ.
(૧) અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા અનેલોભ આ ચાર કષાય જ્યાં સુધી જીવોને ઉદયમાં હોય છે ત્યાં સુધી જીવોને સખ્યત્વની પ્રાપ્તિ થવા દેતા નથી અને પ્રાપ્ત થયેલ સ ત્વને આ કષાય ઉદયમાં આવે તો તેનો નાશ કરે છે. આ કષાયની સ્થિતિ માવજજીવ સુધી કહેલી છે. એટલે કે જીવ પુરૂષાર્થ કરીને સમ્યકત્વ ન પામે ત્યાં સુધી તેટલા કાળ સુધી આ કષાય ઉદયમાં રહ્યા જ કરે છે.
(૨) અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદય કાળમાં જીવોને દેશવિરતિપણું પ્રાપ્ત થવા દેતા નથી. અને પ્રાપ્ત થયેલ દેશવિરતિના કાળમાં આ કષાયનો ઉદય થાય તો તેનો નાશ કરે છે. એટલે કે લીધેલા વ્રત નિયમ પચ્ચખાણને પણ આ કષાય તોડી નખાવીને તેનો નાશ કરવામાં સહાયભૂત થાય છે. આ કષાયા જીવને પેદા થયા પછી વધારેમાં વધારે બાર મહિના સુધી ટકે છે પછી જીવ સાવધ ન રહે તો અનંતાનુબંધિ કષાય થાય અથવા પ્રત્યાખ્યાનીય કે સંજ્વલન કષાય પેદા થાય.
(૩) પ્રત્યાખ્યાનીય કષાય - આ કષાયના ઉદય કાળમાં જીવોને નાનામાં નાના પચ્ચકખાણ આદિથી શરૂ કરીને શ્રાવકને યોગ્ય બાર વ્રત આદિ પચ્ચકખાણ પેદા થવા દે છે. પણ સર્વવિરતિના પચ્ચખાણ પેદા થવા દેતાં નથી. અને કદાચ કોઇ જીવને સર્વવિરતિના પચ્ચખાણ પેદા થયેલા હોય તો આ કષાય ઉદયમાં આવીને તેનો નાશ કરાવે છે. આ કષાયનો ઉદય કાળ વધારેમાં વધારે ચાર મહિના સુધી હોય છે.
(૪) સંજવલન કષાય - આ કષાયના ઉદય કાળમાં જીવોને સર્વ વિરતિના પચ્ચકખાણ કરાવે છે અને જીવ તે કષાયની સહાય લઇને નિરતિચારપણે ચારિત્ર પાળી શકે છે. પણ વીતરાગ દશાને પ્રાપ્ત થવા દેતા નથી અને વીતરાગ દશાને પ્રાપ્ત થયેલ જીવોને ઉદયમાં આવીને વીતરાગ દશાનો નાશ કરે છે. એટલે કે કોઇ જીવ પુરૂષાર્થ કરીને સંજ્વલન કષાયને દબાવતો દબાવતો એટલે ઉપશમ કરીને અગ્યારમા. ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાં વીતરાગ દશાનો અનુભવ કરે અને એ અનુભવનો કાળ એક અંતર્મુહૂર્તનો પૂર્ણ થતાં દબાવેલા સંજ્વલન લોભના પુદ્ગલો ઉદયમાં આવે છે અને તે ઉદયમાં આવીને જીવના વીતરાગ દશાના ગુણને નાશ કરે છે. આ કષાયની સ્થિતિકાળ જ્ઞાની ભગવંતોએ પંદર દિવસ કહેલી છે એટલે કે આ કષાય પંદર દિવસથી અધિક રહેતો નથી.
આ કષાયોનાં પરિણામથી જીવો આયુષ્યનો બંધ કરી શકે છે. માટે આયુષ્ય બંધના પરિણામોને જણાવવા આ કષાયો જે સોળ કહ્યા તેના ચોસઠ ભેદ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે જે ગુણસ્થાનકમાં જીવોને પરિણામની તરતમતાના કારણે ચારે પ્રકારના આયુષ્યમાંથી કોઇને કોઇ આયુષ્યનો બંધ કરી શકે એવી યોગ્યતા હોય તે જીવોની અપેક્ષાએ અહીં આ કષાયોના ભેદોનું વર્ણન કરેલ છે. તે ચોસઠ ભેદો આ. પ્રમાણે જાણવા.
અનંતાનુબંધિ અનંતાનુબંધિ ક્રોધ - માન – માયા - લોભ. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ.
Page 29 of 161
Page #30
--------------------------------------------------------------------------
________________
અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ. અનંતાનુબંધિ સંજ્વલન ક્રોધ - માન - માયા - લોભ. અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ ક્રોધ - માન - માયા - લોભ. અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ. અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ. અપ્રત્યાખ્યાનીય સંજ્વલન ક્રોધ - માન - માયા - લોભ. પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ ક્રોધ - માન - માયા - લોભ. પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ. પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ. પ્રત્યાખ્યાનીય સંજ્વલન ક્રોધ - માન - માયા - લોભ.
સંજ્વલન અનંતાનુબંધિ ક્રોધ - માન - માયા - લોભ. સંજ્વલન અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ. સંજ્વલન પ્રત્યાખ્યાની ક્રોધ - માન - માયા - લોભ. સંજ્વલન સંજ્વલન ક્રોધ - માન - માયા - લોભ.
અનંતાનુબંધી-અનંતાનુબંધી ક્યાયનું વર્ણન :
આ કષાયના ઉદયમાં રહેલા જીવોની મનોદશા રૌદ્રધ્યાન વાળી હોય છે. કે જેના પ્રતાપે પાપને પાપ માનવા તૈયાર થતો નથી. પરલોકને માનતો નથી. પોતાને પુણ્યથી જે અનુકૂળ સામગ્રી મળેલી છે. તે કેમ વધારવી, કેમ ભોગવવી, અને ન ચાલી જાય તેની કાળજી રાખવા માટે ગમે તેવા પાપ કરવા પડે કુટુંબને સુખી રાખવા માટે ગમે તેવા પાપ કરવા પડે તો તેને પાપ માનતો નથી. તીવ્ર ભાવે પાપ કરતો જાય છે અને અધિક પાપો કરવાની વિચારણામાં રહ્યા કરે છે. ધર્મ જેવી ચીજ જગતમાં છે જ નહિ જે કાંઇ દેખાય છે એતો જીવોને ભરમાવીને તેને મળેલ સુખોને છોડાવવા માટેની વાતો છે. આથી ધર્મનો દ્વેષી હોય છે. પોતે ધર્મ કરે નહિ અને જો કોઇને ધર્મ કરતાં જુએ તો તેને ખમાય નહિ. ધર્મથી કેમ પાડીને મારા જેવા બનાવું. એવી જ વિચારસરણી મગજમાં ચાલતી હોય છે. આ કારણોથી મંદિરમાં-ઉપાશ્રયમાં કોઇને જતાં જુએ તો વિચારે કે કોઇ કામ ધંધો લાગતો નથી. નવરા લાગે છે, માટે ત્યાં જાય છે. આવા વિચારોથી માત્ર આલોકમાં જે મળે તેમાં ખાવું-પીવું મોજ મજા કરવી, પરલોક છે જ નહિ. લગભગ નાસ્તિકની કોટીમાં તેની વિચારસરણી જઇ શકે. આથી મોટેભાગે દુર્જન માણસોની સોબત કરે-તેના જેવી પ્રવૃત્તિ કરે-તેવા વચનો બોલે, આથી કૃષ્ણ લેશ્યાના વિચારો સદા માટે રહ્યા કરે. આવા જીવો પરાભવના આયુષ્યનો બંધ કરે તો નિયમા નરત્નું આયુષ્ય બાંધે છે. આ જીવો સામાન્ય રીતે અધમાધમ કોટીમાં આવે કે જેના પ્રતાપે પોતાથી અધિક સુખીને જોઇ શકે નહિ. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય ક્યાય :
આ કષાયના ઉદયવાળા જીવો આ લોકના સુખની આસક્તિવાળા હોય છે. તેને માટે પાપ કરવાનો વખત આવે તો કોઇ ન જુએ એવી રીતે કરવાની વૃત્તિવાળા હોય છે. પોતાને ધર્મની આચરણા કરવાનું મન ન થાય પણ જે કોઇ કરે તેને વિધ્ન ન કરે. ધર્મ કરવામાં સહાયભૂત થાય પણ સાથે પોતાની એટલી
Page 30 of 161
Page #31
--------------------------------------------------------------------------
________________
માન્યતા જરૂર હોય કે સંસારમાં રહ્યા છીએ તો સંસારમાં સની અનુકૂળતા કર્યા બાદ એટલે બધાયની અનુકૂળતા સાચવીને પછી ટાઇમ રહે તો ધર્મ કરો. એમાં ના નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સંસારમાં પતિ-માતા-પિતા આદિની અનુકળતા સાચવવી એ પણ ધર્મ છે. એમ વિચારીને ધર્મ કરનારને વિઘ્નરૂપ ના થાય. કદાચ કોકવાર અનુકુળતા પોતાની ન સચવાય તો પોતે તે અનુકૂળતાની જગ્યાએ પ્રતિકૂળતા વેઠીને પણ ધર્મ કરનારને અનુકુળતા કરી આપે. પણ પોતાને ધર્મ કરવાની વાત કરે તો કહે આપણાથી ના થાય. બહુ બહુ તો દાન દઇશું, મંદિરે જઇશું, કોક કોકવાર ટાઇમ મળશે તો સાધુ પાસે જઇશું, પણ વ્રત નિયમ પચ્ચકખાણ કરવાની વાત આવે તો કહે એ આપણાથી ન થાય. એ આલોકનાં સુખની આસક્તિના કારણે અઢાર પાપ સ્થાનકમાંથી કોઇપણ પાપનું સેવન કરવું પડે તો તીવ્ર ભાવે ન કરે પણ સંસારમાં બેઠા છીએ, કટુંબ લઇને બેઠા છીએ, આપણી ક્રજ છે હું નહીં કરું તો કોણ કરે ? ઇત્યાદિ માન્યતા રાખીને પાપનું સેવન પણ કરે, કરવાના વિચારોમાં પણ રહે અને તે કરાવવા માટેનાં વચનો પણ બોલે. આવા આર્તધ્યાનનાં વિચારોમાં મોટાભાગે એ જીવો રહેતા હોય છે. બીજા જીવોના સુખની ઇર્ષ્યા આ જીવોનાં અંતરમાં મોટે ભાગે હોતી નથી. સૌ પોતપોતાના પુણ્યથી મેળવે છે અને ભોગવે છે. તેમાં આપણે શું? પણ આ વિચારની સાથે અંતરમાં સંસારના સુખની પ્રધાનતા રાખીન જીવન જીવતા હોય, ધર્મ ગૌણ હોય, જ્યાં સુધી બીજા કરી લે ત્યાં સુધી પોતાને ભાવના ન થાય, આવા આર્તધ્યાનમાં જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમાં તિર્યંચનું આયુષ્ય બાંધે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે આલોકમાં માતા-પિતા-ધણી-ધણીયાણી-દીકરા-દીકરી-સ્નેહી-સંબંધી આદિનો રાગ રાખીને ધર્મ પ્રવૃત્તિ જીવો કરે તો. તેનાથી એકેન્દ્રિયમાં અને તિર્યંચમાં જવા લાયક કર્મનો બંધ કરે છે. એવી જ રીતે આચારાંગ સૂત્રમાં પણ જણાવેલ છે કે શુભ પરિણામથી ધર્મ આરાધના કરવાથી શુધ્ધ પરિણામ પેદા થયેલ ન હોય અને તે પેદા કરવાનું લક્ષ્ય પણ ન હોય તો એ આરાધનાથી જીવોને આલોકના પદાર્થોની આસક્તિ હોય છે અને પરલોકના સુખની ઇચ્છાથી કરતાં હોય છે. તેના કારણે શુભ પરિણામની ધારા વિશેષ રહેતી હોવાથી આ જીવો શુભ આર્તધ્યાનથી મનુષ્યગતિનો બંધ કરે અને એની સાથે સાથે અંતર્મુહૂર્તનાં આયુષ્યવાળા મનુષ્ય આયુષ્યના અનુબંધ બાંધી શક છે. માટે આ કષાયમાં જીવો આયુષ્ય બાંધે તો નિયમા તિર્યંચાયુષ્યનો બંધ કરે છે. અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય ક્યાય :
આ કષાયના ઉદયવાળા જીવો ધર્મની સમજણ મેળવીને પોતાની શક્તિ મુજબ વ્રત નિયમ પચ્ચકખાણ કરતાં કરતાં શ્રાવકના બાર વ્રતોને ગ્રહણ કરી નિરતિચારપણે પાલન કરે છે. વ્યવહારમાં શ્રાવકપણા રૂપેની તેની છાપ રહેલી હોય છે. પણ અંતરથી અનુકૂળ પદાર્થોનો રાગ છોડવાની ભાવના હોતી. નથી. એ રાગ ખરાબ છે. મારા આત્માને નુક્શાનકારક છે. તેનાથી હું દુ:ખી થયો છું. આ વિચાર પણ કરવા તૈયાર નથી અને એ શ્રાવકપણું પાળતાં આલોકના સુખની ઇરછા અથવા પરલોકના સુખની ઇરછા, રાખીને પાળતા હોય છે. આથી આ જીવોનાં પરિણામ કષાયના કારણે મંદ પડેલા દેખાય, પણ મિથ્યાત્વ ગાઢ રહેલું હોય છે. આથી આ જીવો પરલોકને માને છે. પરલોક માટે આલોકમાં ત્યાગ તપશ્ચર્યા વગેરે કરે છે. તેથી આ જીવોને આયુષ્ય બંધાય તો મનુષ્યનું આયુષ્ય બંધાય છે. શ્રાવકના બાર વ્રત નિરતિચારપણે પાલન કરતાં કરતાં સારો કાળ હોય તો અગ્યાર પ્રતિમા શ્રાવકની વહન કરી ચોવીસે કલાક ઉપાશ્રયમાં રહી ધર્મ આરાધના કરે. ઘરે માત્ર જમવા પુરતું બેટંક કે ત્રણ વાર જવું પડે માટે જાય, એમાં પણ જે આપે
Page 31 of 161
Page #32
--------------------------------------------------------------------------
________________
તે ખાઇ લે. કોઇના સમાચાર લેવાના નહિ. સારું નરસું કરવાનું નહિ. એટલે ઘરે જમવા પુરતી જવા માટેની અનુમોદના હોય છે. તો પણ સંસારના અનુકૂળ પદાર્થોનો રાગ અંતરમાંથી જતો નથી. આ માટે અભયકુમારને ઠગનારી વેશ્યા જે ચંડપ્રદ્યોત રાજા પાસેથી ઇનામ સારૂં મેળવવાની લાલચે સાધ્વીજી પાસે વેશ્યાએ બીજી દશ પંદર પોતાની સખીઓને લઇ શ્રાવકપણાને લાયક જૈન ધર્મનો અભ્યાસ કર્યો. શ્રાવકના વ્રતો કેટલા હોય કયા કયા તેનું પાલન કઇ રીતે થાય તે જાણીને શ્રાવકના બારવ્રતો ઉચ્ચરીને ઉંચામાં ઉંચી. કોટીનું શ્રાવિકાપણું પાલન કરતાં કરતાં રાજગૃહી નગરીમાં આવી ધર્મશાળામાં ઉતરેલા છે અને રોજ નવા. નવા મંદિરના દર્શન કરવા જાય છે. તે દર્શન કરતાં કરતાં એકવાર શ્રેણિક મહારાજાના ઘર મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. મંદિરમાં જઇ સારા રાગથી ભગવાન જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરે છે. તેનો અવાજ સાંભળી અભયકુમાર ઉઠીને જોવા માટે આવેલ છે અને અંદર ભાવવાહી શબ્દોની સ્તુતિઓ સાંભળીને અભયકુમાર બહાર ઉભો રહે છે. કારણ કે જો અંદર જઉં તો આ શ્રાવિકાઓની ભાવના તૂટી જાય, માટે
જ્યાં સુધી તેઓ સો બહાર ન નીકળ્યા ત્યાં સુધી બહાર જ ઉભો રહ્યો. જ્યારે શ્રાવિકાઓ બહાર આવી એટલે ખબર પડી કે પરદેશથી આવેલી જણાય છે. એટલે પૂછયું કે તમો પરદેશથી આવેલા લાગો છો ! ત્યારે વેશ્યા શ્રવિકાએ કહ્યું હા ! તો આજે જમવાનું આમંત્રણ અમારે ત્યાં મને લાભ આપો ! ત્યારે વેશ્યા. શ્રાવિકાએ કહ્યું કે જ્યારે અમે નવા મંદિરના દર્શન કરીએ છીએ તે વખતે અમારે ઉપવાસ હોય છે. માટે અમે કોઇ જમનાર નથી. આ સાંભળી અભયકુમાર કહે છે કે કેવો ઉંચો નિયમ આવા તો નિયમ હું કરી શકતો નથી ધન્ય છે ! ' આવતીકાલે પારણાનો લાભ અને આખો દિવસ જમવાનો લાભ મને આપો ! એટલે વેશ્યા શ્રાવિકાએ કહ્યું કે અમારે નિયમ છે કે જે કોઇ અમારા ત્યાંનું આમંત્રણ સ્વીકારે તેને ત્યાં અમો જઇએ છીએ. અભયકુમારે કહ્યું હું તમારે ત્યાં આવીશ, કાલના મને લાભ આપો ત્યારે વેશ્યા શ્રાવિકાએ હા કહી. બીજા દિવસે જમવા-પારણા માટે આવ્યા તો જ્યાં પાટલો-થાળી બેસણીયું જે ગોઠવેલું હતું તે દ્રષ્ટિ પડિલેહણથી જોઇ પૂંજી પ્રર્માજી પછી બેઠા અને અભયકુમારે પોતે જે ચીજો બનાવેલી તે પીરસવા લાગ્યો. તો તે વખતે કહે આમાં શું નાંખ્યું છે? આ અમારે બંધ છે. એમ બનાવેલી બધી ચીજો બતાવી તો દરેક ચીજોમાં કાંઇને કાંઇ નાખેલું હોવાથી બંધ છે એ જણાવ્યું. અભયકુમાર કહે છે તો પછી મારે તમોને શું જમાડવું ? ત્યારે શ્રાવિકાએ કહ્યું કે જે ઘરમાં સુકુ પાકુ હશે તે ચાલશે. અંતે તે આપ્યું. પારણું કરાવ્યું અને ઉક્યા પછી અભયકુમારને આમંત્રણ આપ્યું કે આવતીકાલે અમારે ત્યાં જમવા પધારવાનું આમંત્રણ છે. અભયકુમાર વચનથી બંધાયેલા હતા માટે હા કહી. બીજા દિવસે લેવા આવી. જમાડતાં જમાડતાં ચંદ્રહાસ (દારૂ) પાઇ દીધો અને બાંધીને ઉપાડીને લઇને ચાલતાં થયાં. ચંડuધોત રાજા પાસે લઇ ગયા. ત્યાં રાજસભામાં હાજર થયા કે ઘેન ઉતરતાં અભયકુમાર કહે છે કે ધર્મની બાબતમાં છલ કરીને મને પકડવો તેમાં કાંઇ આશ્ચર્ય નથી. અહીંથી છૂટ્યા પછી આ ચંડપ્રદ્યોત રાજાને ભરબજાર વચ્ચે દિવસના બપોરના ટાઇમે બાંધીને ન લઇ જાઉં તો મારું નામ અભયકુમાર નહિ ! આપણી મૂળ વાત એ છે કે વેશ્યા શ્રાવિકાએ આ વ્રતોનું નિરતિચારપણે પાલન કર્યું તે અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયથી. આ રીતે જીવો આ કષાયના ઉદયથી શ્રાવકપણું પણ પાળી શકે છે. પણ મિથ્યાત્વની મંદતા થાય નહિ. અનંતાનુબંધિ સંજવલન ક્યાય -
આ કષાયના ઉદયથી જીવોને આલોક અને પરલોકના સુખને માટે શ્રદ્ધા પેદા થઇ શકે છે કે, સંસારના અનુકૂળ પદાર્થોનો ત્યાગ કરીને જ્ઞાનીએ કહ્યા મુજબ નિરતિચારપણે ચારિત્ર લઇને પાલના
Page 32 of 161
Page #33
--------------------------------------------------------------------------
________________
કરવાથી મારે જે સુખ જોઇએ છે તે જરૂર મળશે જ. તો તે માટે કરોડપતિને ત્યાં અહીં જન્મ પામેલો હોય તો પણ તેનો ત્યાગ કરીને નિરતિચારપણે ચારિત્રનું પાલન કરે છે. અને નવમા ગ્રેવેયકનું આયુષ્ય બાંધીને નવમાં ગ્રેવેયકમાં ઉત્પન્ન થાય છે. પણ આ જીવોનું મિથ્યાત્વ ગાઢ બનતું જાય છે. આ કારણથી આ. કષાયના ઉદયકાળમાં જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમાં દેવલોકનું આયુષ્ય બાંધે છે. આટલું કષ્ટ વેઠીને પૂર્વક્રોડ વરસ સુધી નિરતિચાર ચારિત્રનું પાલન કરવા છતાંય સુખનો રાગ ઓછો ન થતાં કાઢવાનું મન પણ ન થતાં આ જીવો પાપનો અનુબંધ જોરદાર બાંધે છે અને પુણ્ય સામાન્ય બાંધે છે. માટે પાપાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરે છે. દેવલોકમાં ઉત્પન્ન થયા બાદ એક અંતમહૂર્તમાં પાપનો અનુબંધ ઉદયમાં આવતાં ઇર્ષ્યા ભાવ પેદા થઇ જાય છે કે આ નવમાં ચૈવેયકનું સુખ મને મળવાનું હતું. મેં મહેનત કરેલી છે છતાંય આ જીવોને શાથી મળ્યું ? આ વિચારથી ઈષ્યનાં પરિણામ એકત્રીશ સાગરોપમ સુધી રહે છે. ત્યાંથી મરીને અનાર્ય ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઇ નરકાદિ દુર્ગતિમાં જાય છે.
આ રીતે આ અનંતાનુબંધિ સંવલન જેવો કષાય પ્રાપ્ત કરીને અભવ્ય-દુર્ભવય અને ભારેકર્મી જીવો અનંતી વાર પ્રયત્ન કરે છે.
જ્યારે આત્માને અનાદિકાળથી ભટકાવનાર અને દુ:ખી કરનાર રાગ-દ્વેષના પરિણામ જ છે કે જે અનુકૂળ પદાર્થો પ્રત્યે રાગ કરાવે છે, પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષ કરાવે છે, તેને જ્ઞાની ભગવંતો ગ્રંથી કહે છે. તેને ઓળખીને તેનાથી સાવધ રહી પ્રવૃત્તિ કરવા માંડે તે મિથ્યાત્વની મંદતા કહેવાય છે. આ મિથ્યાત્વની મંદતા થાય અને અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયની સહાયથી જીવો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ વિચરતાં એવા સુસાધુની-સાધર્મિકની- તપસ્વીની સેવા ભક્તિ કરતાં કરતાં જીવ પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે એવી જ રીતે એ રાગાદિ પરિણામની ગ્રંથી તોડવા માટે અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયની સહાયથી વ્રત નિયમ પચ્ચખાણ કરતો કરતો. શ્રાવકના બારવ્રતોને નિરતિચારપણે પાલન કરતો સકામ નિર્જરા સાધી શકે છે અને અનંતાનુબંધિ સંવલન કષાયની સહાયથી સર્વવિરતિને ગ્રહણ કરી ગ્રંથી તોડવાના લક્ષ્યથી નિરતિચારપણે ચારિત્રનું પાલન કરતો કરતો. સકામ નિર્જરા સાધીને આત્મ કલ્યાણ સાધતો જાય છે. આ ઉપરથી નક્કી થાય છે કે મિથ્યાત્વની મંદતા. સાથે કષાયની સહાય મળે તો જીવ અપ્રમત્તપણે આરાધના કરતો કરતો સકામ નિર્જરા સાધી. આત્મકલ્યાણ કરી શકે છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જેટલી કષાયની સહાય વધારે તેટલું આત્મકલ્યાણ જલ્દી થાય. આ કષાયને પ્રશસ્ત કષાયો કહેવાય છે. અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ ક્યાય -
આ કષાયનો ઉદય ત્રીજા અને ચોથા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. ત્રીજા ગુણસ્થાનકનો કાળ એક અંતર્મુહૂર્તનો જ હોય છે. જ્યારે ચોથા ગુણસ્થાનકનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમનો હોય છે. આ ચોથા ગુણસ્થાનકમાં રહેલા જીવોને શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરવાનું મન થાય. સારી રોતે ભક્તિ કરે એ જ રીતે શ્રી જિનેશ્વર પરમાત્માના સુસાધુની પણ ભક્તિ કરે. સાધર્મિક ભક્તિ પણ પોતાની શક્તિ મુજબ સારી રીતે કરે. આ જ કર્તવ્યો આ જીવો માટે તરવાનું સાધન હોય છે. આથી તે વખતે એ અપ્રત્યાખ્યાનીય કષાયને પુરૂષાર્થથી અનંતાનુબંધિ જેવો. બનાવે કે જેના પ્રતાપે અપ્રમત્તભાવે શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરતાં કરતાં તીર્થંકર નામકર્મ નિકાચીત કરી શકે છે. આ કષાય જ્યારે ઉદયમાં વર્તતો હોય છે ત્યારે તેના અંતરમાં જે પરિણામ આવે છે
Page 33 of 161
Page #34
--------------------------------------------------------------------------
________________
તે એવા હોય છે કે મારા આત્માને માટે તારનારી ચીજ આ જ છે. તો આ શ્રી જિનેશ્વર પરમાત્મા આદિની ભક્તિ મારે મારી શક્તિ મુજબ જ કરવી જોઇએ. મારા જેવો આવી સામગ્રી લઇને ભક્તિ કરવા જાય ? સારામાં સારી મારી શક્તિ મુજબ સામગ્રી લાવીને મારે ભક્તિ કરવી જ જોઇએ તો જ મને મળેલી લક્ષ્મી સળ ગણાય અને મારા આત્માનું કલ્યાણ થઇ શકે. જેટલી હું સારામાં સારી રીતે ભક્તિ કરીશ એટલી જ મારી સળતા છે. આવા વિચારો અને પરિણામોથી સુંદર ભક્તિ કરતાં કરતાં સારો કાળ હોય તો તીર્થંકર નામકર્મ નિકાચીત કરી શકે છે. જેમ શ્રેણિક મહારાજાએ શ્રી મહાવીર સ્વામી ભગવાનની ભક્તિ કરતાં. કરતાં તીર્થકર નામકર્મ નિકાચીત કર્યું. રોજ સવારમાં ઉઠે-ઉઠીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજ જે દિશામાં હોય ત્યાં સાત ડગલા જઇને નમસ્કાર કરે-સ્તવના કરે તેમાં કોઇ આવીને સમાચાર આપે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા આ દેશમાં અને આ દિશામાં વિચરે છે. વિહાર કરતાં કરતાં ત્યાં આવી રહ્યા છે તો તે સમાચાર સાંભળીને તેની સાડા ત્રણ કરોડ રોમ રાજી વિકસ્વર થઇ જતી હતી. અંતરમાં અત્યંત આનંદ પેદા થતો અને રોમાંચ ખડા થઇ જતાં આવા સમાચાર આપનારને પોતાની શક્તિ મુજબ શરીર ઉપર જે અલંકારો હોય તે દાનમાં દઇ દેતા તથા મધ્યાહૂકાળની પૂજા માટે અક્ષતની જગ્યાએ સોનીને ત્યાં રોજ એકસોને આઠ સોનાના જવલા ઘડાવતાં હતા અને તેનો સાથીયો કરતાં હતાં. આ ભક્તિના પ્રતાપે, જીવનમાં કોઇપણ પ્રકારનો તપ કરી શક્યા નહોતા તો પણ, અરે નવકારશી પચ્ચક્ખાણ પણ કરી શક્યા. નહોતા છતાં તે આ ભક્તિથી તીર્થંકર નામકર્મ નિકાચીત કરીને આવતી ચોવીશીમાં પહેલા તીર્થંકર થશે. આ કષાયની સહાય લઇને અપ્રમત્ત ભાવે સુંદર ભક્તિ કરી પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયા. અપ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય ક્યાય -
આ કષાયના ઉદયમાં જીવને જે ક્ષયોપશમ સમીકીત પ્રાપ્ત થયેલું હોય છે તેને લઇને આ જીવોને, ચોથા ગુણસ્થાનકે રહીને વ્રત, નિયમ, પચ્ચખાણ કરી શકતા નથી તેનું પારાવાર અંતરમાં દુ:ખ રહેલું હોય છે. કરવાની તીવ્ર ઇચ્છા પેદા થાય-ભાવના પણ પેદા થાય-આ જ કરવા જેવું છે તેવી માન્યતા પણ જોરદાર હોય, બીજાને કરતાં જોઇને પોતે ન કરી શકે તેનો પશ્ચાત્તાપ પણ જોરદાર રહેલો હોય છતાં આ કષાયનો ઉદય જીવને કરવા દે નહિ. એમ કરતાં કરતાં કોઇ કોઇ વાર એ ક્ષયોપશમ સમકીતમાં અતિચાર પણ લગાડે અને સમકીત મલિન કરતાં જાય. આથી એમ કહેવાય કે આ કષાયના ઉદયમાં જીવ આયુષ્ય બાંધે તો સાતિચાર સમકીતના પ્રતાપે ભવનપતિ કે વ્યંતરનું બાંધી શકે છે. પણ વૈમાનિકનું આયુષ્ય બાંધે નહિ. શ્રી ભગવતી સૂત્રના આઠમા શતકમાં કહ્યું છે કે સાતિચાર સમકીતી જીવો ભવનપતિ વ્યંતરનું આયુષ્ય બાંધે છે. માટે એમ કહેલ છે. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય ક્યાય -
આ કષાયનો ઉદય ચોથા અવિરતિ સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનકમાં રહેલા ઉપશમ-ક્ષયોપશમ અને સાયિક સમકીતી જીવોને હોય છે. આ કષાય મોટે ભાગે પ્રશસ્તરૂપે હોય છે. અવિરતિનો ઉદય હોવા છતાં આ કષાયના પ્રતાપે નાનામાં નાના વ્રત-નિયમ-પચ્ચકખાણનો અભ્યાસ (ટેવ પાડતાં પાડતાં) કરતાં કરતાં શ્રાવકના બારવ્રતોને નિરતિચારપણે પાલન કરી શકે એવી શક્તિ પેદા થાય છે અને તેનું પાલન કરતાં કરતાં પોતાની ભોગાવલી અવિરતિનો નાશ કરી શકે છે. જેમ કે શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માનો આત્મા નંદીવર્ધન ભાઇના કહેવાથી સંસારમાં રહ્યા. તેમાં ઘર-રાજ્ય આદિ પ્રવૃત્તિથી નિર્લેપ થઇ પોતાના
Page 14 of 161
Page #35
--------------------------------------------------------------------------
________________
ઘરમાં સાત પ્રહર સુધી કાઉસ્સગ ધ્યાને રહેલા હતા.
ચક્રવર્તિઓ જ્યારે છ ખંડ સાધવા નીકળે છે ત્યારે અટ્ટમનો તપ કરી દેવને સાધે છે. તે આ કષાયના ઉદયથી ઉપવાસ-અટ્ટમ આદિ કરી શકે છે. એવી જ રીતે સમકીતની હાજરીમાં જીવો શ્રાવકની દિનચર્યાની ક્રિયાઓ કરતાં કરતાં પોતાના કર્મો ખપાવી શકે છે. છતાંય ગુણસ્થાનક પાંચમું ગણાતું નથી તથા નંદીષેણ મુનિએ વેશ્યાને ત્યાં રહીને રોજ દશને પ્રતિબોધ કરવાનો નિયમ કર્યો. દશ પુરૂષોને જ્યાં સુધી પ્રતિબોધ કરી સંયમ અપાવવા ન મોકલે ત્યાં સુધી આહાર, પાણી માઢામાં મુકવા નહિ. આ અભિગ્રહ કરવાનો અભિલાષ અને એનું પાલન આ કષાયના ઉદયથી કરી શકતા હતા. આ કષાયમાં મોટેભાગે શુભ લેશ્યાના પરિણામ રહ્યા કરે છે. આંશિક શુધ્ધ પરિણામના અનુભવના કારણે શુભ પ્રવૃત્તિઓ કરવાનું લક્ષ્ય વિશેષ રીતે પેદા થયા કરે છે. આ સંસ્કારના પ્રતાપે આ જીવો આયુષ્યનો બંધ કરે તો દેવલોકમાં વૈમાનિક દેવોનું આયુષ્ય બાંધે છે. અપ્રત્યાખ્યાનીય સંજવલન ક્યાય -
આ કષાયનો ઉદય પણ ચોથા ગુણસ્થાનકે હોય છે. આ કષાયના ઉદયકાળમાં પોતાના ભોગાવલી કર્મોને નાશ કરવા માટે તથા “અવિરતિ અતિ ભયંકર છે તેનાથી અત્યાર સુધી કેટલાય ભવોની પરંપરા વધારીને તે ભવોમાં દુ:ખો ભોગવીને માંડ મનુષ્ય જન્મ મેળવ્યો છે.” માટે તે અવિરતિનો નાશ કરવા માટે, વર્તમાનમાં મળેલ સાહ્યબી સંપત્તિનો સર્વથા ત્યાગ કરીને, સંયમનો સ્વીકાર કરી, નિરતિચારપણે સંયમનું પાલન સારી રીતે કરી શકે છે. છતાંય તે જીવોને વિરતિના પરિણામ પ્રાપ્ત થતાં નથી. આ અવિરતિનાં નાશના માટે પોતાની શક્તિ મુજબ જ્ઞાનનો અભ્યાસ કરીને તેમાં પોતાના આત્માને સ્થિર રાખવા પ્રયત્નો કરે છે. તેમજ સંયમની ક્રિયામાં અપ્રમત્ત ભાવ પેદા કરીને એકાગ્ર ચિત્તે પાલન કરે છે. છતાંય વચમાં વચમાં અવિરતિના ઉદયનો કષાય હોવાથી ભોગાવલી કર્મના વિચારો પેદા પણ થઇ જાય છે. આથી ચોથા. ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકના પરિણામ પ્રાપ્ત થતાં નથી.
જેમ કે નંદીષેણ મુનિએ જ્યારે ભગવાનની દેશના સાંભળી તે સાંબળીને પરિણામ પામી અને આ કષાયના ઉદયથી સંયમ લેવાની પ્રબળ ભાવના પેદા થઇ, તેના કારણે ભગવાન પાસે સયમ આપો એમ માંગણી કરી ત્યારે ભગવાને કહ્યું કે નંદીષેણ હજી તારે ભોગાવલી કર્મ બાકી છે ત્યારે નંદીષેણે કહ્યું કે ભગવાન્ ! આપ જણાવો છો તે વાત બરાબર જ છે. પણ તે ભોગાવલી કર્મને જો અહીં રહીને ખપાવવાના હશે તો તેની સાથે સાથે બીજા ભોગવવા લાયક કર્મો કેટલા બંધાઇ જશે તો પછી મારો છૂટકારો ક્યારે થશે. ! તો મારી વિનંતી છે કે એ ભોગાવલી કર્મોને ખપાવવા માટે આપ મને સંયમ આપો તો હું ત્યાં રહીને જ્ઞાન અભ્યાસ કરી તપ વગેરેનું આચરણ કરી, સંયમના ધ્યાનમાં સ્થિર રહીને તે ભોગાવલી કર્મોનો નાશ કરી શકીશ. તો આપ કૃપા કરીને મને સયમ આપો ! વિચારો કે ભોગાવલી કર્મો નિકાચીત છે એમ કેવલી. ભગવંત- ખૂદ ભગવાન કહે છે તો પણ સમકીત સાથે છે એટલે ભોગાવલી ક છે માટે સંસાર ભો સંયમ લઇશ. એવો જરાય વિચાર અંતરમાં આવતો નથી. પણ અપ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયનો ઉદય છે તેના કારણે વિચારનાં પરિણામો એટલે કે અધ્યવસાયો પેદા થાય છે કે અહીં રહીને ભોગાવલી કર્મોને ખપાવીશ તો સાથે નવા બીજા કેટલા ભોગવાલી બંધાશે ! મારો સંસાર ક્યારે છૂટશે... આ વિચારથી. સંયમની ઉત્કંઠા કેટલી છે ! અવિરતિ પ્રત્યે ગુસ્સો પણ કેટલો છે ! વિરતિ પ્રત્યેનો રાગ કેટલો તીવ્ર છે અને અવિરતિ પ્રત્યેનો દ્વેષ પણ કેટલો તીવ્ર છે ? આ સાંભળીને ભગવાને લાભનું કારણ જાણીને સંયમ આપ્યું.
Page 35 of 161
Page #36
--------------------------------------------------------------------------
________________
સંયમનો સ્વીકાર કરીને જ્ઞાનાભ્યાસ કરી એકાકી વિહાર કરી શકે એવા ગીતર્થ બન્યા. એકાકી વિહાર કરે છે. ભણેલા જ્ઞાનનો સ્વાધ્યાય કરતાં સંયમમાં સ્થિરપણે રહી આત્મકલ્યાણ કરી રહ્યા છે તો પણ અવિરતિ અને ભોગાવલી કર્મ નિકાચીત હોવાથી આ કષાયના ઉદયથી વચમાં વચમાં સંસારના વિચારો આવે છે. તેને દૂર કરવા પ્રયત્ન પણ કરે છે છતાં દૂર ન થતાં સંયમથી ન પડાય અને અવિરતિમાં ન જવાય એ માટે આત્મઘાત કરવા માટે પહાડ ઉપરથી પડતું મુકે છે. તો પણ દેવી આવીન ઝીલી લે છે ! દેવી ઉપર પણ ગુસ્સે થાય છે. ત્યારે દેવીએ કહ્યું કે ભગવન્ હું શું કરૂં ? આપનું ભોગાવલી કર્મ મને વચમાં લાવે છે. આ રીતે બીજીવાર દરિયામાં પડી મરવા પ્રયત્ન કરે છે અને ત્રીજીવાર કૂવામાં પડી મરવાપ્રયત્ન કરે છે તો પણ દરેક વખતે દેવીએ વચમાં આવી બચાવી લીધા છે ! આમાં વિચારો કે એક બાજુ અવિરતિનો ઉદય પજવે છે, બીજી બાજુ પુરૂષાર્થની તીવ્રતાના કારણે વિરતિ પ્રત્યેનો રાગ વધે છે. તેમાં એક વાર ગોચરીએ જતાં વેશ્યાના ઘરમાં ધર્મલાભ કહીને પ્રવેશ કર્યો. વેશ્યાએ કહ્યું અહીં ધર્મ લાભ નહીં અહીં તો અર્થ લાભ ! આ શબ્દો સાંભળતાની સાથે જ ભોગાવલી કર્મનો ઉદય તીવ્ર થતાં જ તરણું (ઘાસ) તોડીને સાડા બાર કરોડ સોનૈયાનો વરસાદ કર્યો. અને મુનિ ચાલતાં થયા ત્યાં વેશ્યાએ કહ્યું કે મહાત્મન્ જો આપને જવું જ હોય તો આ સોનૈયા સાથે લઇ જાવો નહિંતર તેને ભોગવવા અહિંયા રહો ! આ શબ્દોથી મહાત્માને વિચાર આવતાં અવિરતિનો જોરદાર ઉદય થતાં વેશ ઉતારી તેને એક રૂમમાં ટીંગાડી ત્યાં રોકાઇ ગયા. પણ વિરતિના તીવ્ર રાગના સંસ્કારના કારણે ત્યાં જ પોતે અભિગ્રહ કર્યો કે રોજ દશને એટલે અહીં આવનાર દશ પુરૂષોને પ્રતિબોધ કરી સંયમની ભાવના પેદા કરાવી સંયમ લેવા ન મોકલું ત્યાં સુધી આહાર-પાણીનો ત્યાગ. આ અભિગ્રહના પ્રતાપે વેશ્યાને ત્યાં બાર વરસ રહી રોજ દશદશને પ્રતિબોધ કરી સંયમ અપાવે છે. તેમાં જ્યારે ભોગાવલી કર્મ પૂર્ણ થવા આવ્યું ત્યારે બાર વરસ પછી દશમા છેલ્લા એકને પ્રતિબોધ કરવામાં વિશેષ ટાઇમ લાગ્યો. મધ્યાન્હ કાળ થયો. જમવાનો વખત થયો છે પણ દશમો સમજતો નથી. ત્યારે વેશ્યા બોલાવવા માટે આવી અને કહ્યું કે વહેલા જમી લો. પછી પ્રતિબોધ કરજો. ત્યારે નંદીષેણે કહ્યું કે આને પ્રતિબોધ કર્યા વગર જમાય નહિ. ત્યારે વેશ્યાએ કહ્યું કે દશમા તમે. ત્યાં નંદીષેણ વિચારે છે કે આજે ભોગાવલી કર્મ પૂર્ણ થયું લાગે છે. એમ માનો વેશ જે રાખેલ હતો તે પહેરીને ચાલતા થયા. અહીં તેઓને છઠ્ઠા ગુણસ્થાનકનો પરિણામ આવ્યો એમ લાગે છે ! તો આ કષાયના ઉદયકાળમાં તેનો નાશ કરવા માટે જીવને કેટલો પુરૂષાર્થ કરવો પડે છે તે વિચારો ! અત્યારે આપણો પુરૂષાર્થ કેટલો છે તે પણ સાથે ખાસ વિચારવાની જરૂર છે. આ કષાયની હાજરીમાં જીવ આયુષ્ય બાંધે તો નિયમા વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે
છે !
પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ ક્યાય ઃ
ܗ
આ કષાયના ઉદયકાળમાં અનંતાનુબંધિ-૪ અને અપ્રત્યાખ્યાનીય-૪ એમ આઠ કષાયોનો ઉદય હોય છે. જ્યારે આ કષાયનો ઉદય હોય ત્યારે તે જીવોને પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકનો પરિણામ હોય છે. તેમાં જે વ્રત-નિયમ વગેરે લીધેલા હોય તે અખંડ રીતે નિરતિચારપણે કેમ સુંદર રીતે પળાય તેનું પૂરેપુરૂ લક્ષ્ય હોય છે તથા તે વ્રતાદિને ખંડિત કરનાર પદાર્થો પ્રત્યે અત્યંત પ્રશસ્ત ગુસ્સો રહેલો હોય છે. માટે આ કષાય સ્વાભાવિક રીતિએ જીવને હાતો નથી પણ પુરૂષાર્થથી કરવો પડે છે. દા.ત. હું એટલે શ્રાવક છું મારાથી આ ન જ થાય. આની સાથે મારે વ્યવહાર ન જ કરાય, કદાચ થઇ ગયો હોય તો તેનો ત્યાગ જ કરી દેવો પડે. આ વિચારણા રાખીને પોતાના વ્રતમાં ભંગ ન પડે તેની સતત કાળજી રાખે. જેમ સુદર્શન શેઠ
Page 36 of 161
Page #37
--------------------------------------------------------------------------
________________
કે જેને ઘરમાં પોતાની પત્ની પોતાના બાળકો વગેરે છે તેને સ્વપત્ની સંતોષનો નિયમ છે, પરસ્ત્રી માતા અને બેન સમાન માનીને કોઇના ઘરમાં ગમે તેવા કામે પણ પ્રવેશ કરતો નથી. એટલું જ નહિ પોતાના મિત્રોના ઘરે પણ પ્રવેશ કરવો હોય તો પુરૂષ ઘરમાં હોય તો જ બાકી નહિ. એમાં મંત્રીશ્વર તેનો મિત્ર હતો. એકવાર મંત્રીની સાથે તેના ઘરે ગયો તેમાં મંત્રીશ્વરની પત્ની તેનું રૂપ જોઇ કામાંધ બની તેમાં એકવાર મંત્રીશ્વર રાજાના કોઇ મહત્વના કામે બહાર ગયેલ છે તે વખતે મંત્રીશ્વરની પત્ની સુદર્શનને બોલાવવા ગઇ કે તમારા ભાઇ બિમાર છે. તમને યાદ કરે છે અને મલવા માગે છે તે માટે મને મોકલી છે તો ચાલો હું બોલાવવા આવી છું. સુદર્શન વિશ્વાસ રાખી તેના ઘરે ગયા, અંદર પેસતા બારણાં બંધ કરી છેવટના રૂમમાં લઇ ગઇ, અને બારણા બંધ કરી કહ્યું કે ભાઇ નથી. મારાથી નથી રહેવાતું માટે તમને લાવી છું. સુદર્શને પોતાના શીલના રક્ષણ કરવા માટે કહ્યું કે બેન હું નપુંશક છું, એમ કહી બારણા ખોલી બહાર નીકળી. ગયો. તે વખતે પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ કષાય ઉદયમાં છે. તેના બળે આવા સારા પરિણામ પેદા કરી પોતાના વ્રતની રક્ષા કરી શક્યો. ત્યારથી અભિગ્રહ દ્રઢ કર્યો કે કોઇના ઘરે જવું નહિ. અને કોઇ બેનની સાથે વાતચીત કરવી નહિ. આ પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ કષાય ગણાય છે. આ કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ પડે તો વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે. પ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય ક્યાય :
પાંચમાં દેશવિરતિ ગુણસ્થાનકના પરિણામમાં રહેલા જીવો જ્યારે વ્રત-નિયમ-પચ્ચકખાણ આદિનું વર્ણન સાંભળતા સાંભળતાં વોર્મોલ્લાસ પેદા થતાં મન-વચન-કાયાના વ્યાપાર વડે વ્રત-નિયમ-પચ્ચખાણ ગ્રહણ કરે અને થોડા કાળ પછી આ કષાયનો ઉદય થતાં વીર્ષોલ્લાસ મંદ પડી જાય કે તેના પ્રતાપે હીના પરિણામી પણ બની જાય અને મનમાં થયા કરે કે મેં ક્યાં આ નિયમ ગ્રહણ કર્યો, હવે મારાથી પળાતો. નથી, નિયમ લીધા છે માટે તેનો ભંગ પણ થાય નહિ. આથી હવે લીધો છે તો પાલન કરી લ્યો. નિયમ લેતી. વખતે કેટલા કાળ સુધી પાળવો તે મેં મનમાં ધારેલ ન હોવાથી થોડા દિવસ પાળી નિયમ છોડી દઉં તો મને દોષ લાગે કે નહિ ? મારો નિયમ ભાંગશે તો નહિ ને ? આવા વિચારો કરે છે. આ કષાયનો ઉદય જીવોને
જ્યાં સુધી હોય છે ત્યાં સુધી આવા વિચારો કરાવી આર્તધ્યાન પણ પેદા કરાવે છે. માટે આ કષાયનો ઉદય જીવોને પોતાના લીધેલા વ્રત-નિયમ-પચ્ચક્ખાણ આદિમાં રસ ઓછો કરાવીને અતિચાર લગાડે છે. આથી સાતિચાર દેશવિરતિપણું આ કષાયના ઉદયમાં હોય છે. આથી સાતિચાર દેશવિરતિવાળા જીવો આયુષ્યનો. બંધ કરે તો નિયમા વૈમાનિક દેવલોકનું પહેલા દેવલોકનું એટલે સૌધર્મ દેવલોકનું આયુષ્ય બાંધી શકે છે. પ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય ક્યાય -
આ કષાય પાંચમાં ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. આ કષાયમાં વ્રત-નિયમ-પચ્ચકખાણા કરવાનો વીર્ષોલ્લાસ જીવોને સારો રહે છે અને જે વ્રતાદિ લીધેલ હોય તેમાં અખંડ રીતે પાલન કરતાં કરતાં આગળ વધવાના ભાવ સુંદર ટકી રહે છે. માટે આ કષાયથી જીવો પ કર્મો સુંદર રીતે કરે છે.
દેવપૂજા ગુરૂપતિઃ સ્વાધ્યાયઃ સંયમસ્તપ: |
દાનચેતિ ગૃહસ્થાનાં ષ કમણિ દિને દિને III ૧. શ્રી અરિહંત પરમાત્માની પૂજા કરવી. ૨. ત્રિકરણ શુધ્ધિથી સુગરૂની સેવા કરવી.
Page 37 of 161
Page #38
--------------------------------------------------------------------------
________________
૩. રોજ સ્વાધ્યાય કરવો. ૪. ઇન્દ્રિયોનો સંયમ કરવો. ૫. યથાશક્તિ તપ કરવો. ૬. સાતે ક્ષેત્રમાં યથાશક્તિ દાન કરવું.
જેમ પુણીયો શ્રાવક શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના કાળમાં આ કષાયના ઉદયથી શ્રાવકપણામાં સુંદર આરાધન કરતો હતો. પહેલા સુખી શ્રાવક હતો. પછી ભગવાન મલ્યા, દેશના સાંભળી અને સંયમ લેવાની શક્તિ ન હોવાથી સર્વસ્વનો સ્વેચ્છાએ ત્યાગ કરી પોતે જેટલી મૂડીમાં કમાણી કરી પોતે અને પોતાના ઘરવાળા માટેનું ભરણપોષણ કરી શકાય તે રીતે રહે છે. બજારમાંથી સાડાબાર દોકડાની મડીમાંથી પૂણીયો વેચાતી લાવી, બજારમાં વેચતો હતો તેમાં બે જણનું પેટા ભરાય એટલું મલી જાય કે ધંધો બંધ કરી ધર્મની આરાધના કરતો હતો, તેમાં રોજ ત્રિકાલ પૂજા કરતો હતો. બે ટંક આવશ્યક (પ્રતિક્રમણ) કરતો હતો અને બાકીના ટાઇમમાં સામાયિક કરી સ્વાધ્યાય કરતો હતો. તેમાં એકવાર ભગવાનની દેશનામાં સાંભળવા મળ્યું કે શ્રાવકપણામાં આરાધના કરતાં એક સહ ધર્મીને પોતાની શક્તિ મુજબ જમાડી ભક્તિ કરે તો શ્રાવકપણાની આરાધના પૂર્ણ ગણાય. તે સાંભળી ચિંતવવા લાગ્યો કે બે જણનું માંડ પૂર્ણ કરું છું તો સાધર્મિકને શી રીતે જમાડી ભક્તિ કરૂં? આ વિચાર સવારમાં ઉઠતાં આવતાં ચિંતવવા લાગ્યો તેમાં ધર્મપત્નીએ કહ્યું કે શું વિચારો છો ? ત્યારે પુણીયા શ્રાવકે તે વાત જણાવી એટલે શ્રાવિકાએ કહ્યું કે એમાં વિચાર શું કરો છો ? આપણે રોજ એક સાધર્મિકને જમાડી ભક્તિ કરી શકીએ ! ત્યારે પુણીયા શ્રાવકે કહ્યું શી રીતે ? તો શ્રાવિકાએ કહ્યું કે એક દિવસ તમારે ઉપવાસ કરવાનો. એક દિવસ માટે ઉપવાસ કરવાનો તો તેમાં એક સાધર્મિકની ભક્તિ થઇ શકે. પૂણીયા શ્રાવકે કહ્યું કે મારા કરતાં ધર્મમાં તું ચઢી. એ જ દિવસથી તે ચાલુ કર્યું. આવા વિચારો જે રહે છે તેમાં આ પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય કામ કરે છે. પ્રત્યાખ્યાનીય સંજ્વલન ક્યાય -
આ કષાયનો ઉદય પાંચમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. આ કષાયના કાળમાં જીવોને સુખમય સંસારને છોડીને સર્વવિરતિ લઇ સુંદર રીતે આરાધના કરવાનું મન થતાં પોતાની શક્તિ મુજબ સર્વસ્વનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કરી નિરતિચારપણે સંયમનું પાલન કરે છે અને તેમાં જ્ઞાનાભ્યાસ કરતાં કરતાં દેશવિરતિના પરિણામનો નાશ કરવા માટે પ્રયત્ન કરતો રહે છે. પ્રત્યાખ્યાનીય કષાય હોવાથી સર્વવિરતિની ભાવના હોવા છતાં પરિણામ આવતાં નથી અને સાથે સંજ્વલન કષાયનો ઉદય. હોવાથી સંયમ લઇ સુંદર રીતે પાલન કરતાં તે કષાયનો નાશ કરવા પ્રયત્ન કરે છે. આ કષાયના ઉદયકાળમાં આયુષ્યનો બંધ થાય તો તેમાનિક દેવનું આયુષ્ય અવશ્ય બંધાય છે. સંજવલન અનંતાનુબંધિ ક્યાય -
આ કષાયનો ઉદય છઠ્ઠા પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનનાં પરિણામમાં રહેલા જીવોને હોય છે. આ કષાય સ્વાભાવિક રૂપે ઉદયમાં હોતો નથી. પણ પુરૂષાર્થ કરીને પેદા કરવો પડે છે. આ કષાય જ્યારે શાસનનો ઉહાહ થતો હોય અથવા શાસન પ્રભાવનાનું કોઇ કાર્ય હોય તે વખતે શક્તિ સંપન્ન મહાત્મા પોતાની શક્તિનો ઉપયોગ ન કરે તો તે મહાત્માઓનો અનંત સંસાર વધી જાય છે એમ જ્ઞાની ભગવંતોએ
Page 38 of 161
Page #39
--------------------------------------------------------------------------
________________
કહેલું છે.
આ કષાયનો ઉદય સ્વાભાવિક રીતે થતો નથી પણ પુરૂષાર્થથી પેદા કરવો પડે તે કષાય લાવવા. માટે તે જીવો ધીમે ધીમે પ્રયત્ન કરી પછી જોરદાર આ કષાયનો ઉદય પેદા કરે છે. જેમ કે આચાર્ય ભગવંત કાલિકસૂરિ મહારાજાના શાસનમાં જે રાજા ગદભિલ્લ રાજ્ય કરતો હતો તેને સાધ્વીજીનું રૂપ જોઇ તેના પકડીને પોતાના અંત:પુરમાં દાખલ કરી દીધી. આ સમાચાર આચાર્ય ભગવંતને તથા સંઘને મળ્યા. આચાર્ય મહારાજે સંઘના શ્રાવકોને તૈયાર કરી રાજાને સમજાવવા મોકલ્યા, પણ રાજા માનતો નથી. પછી આચાર્ય ભગવંત ખુદ જઇ તે રાજાને સમજાવવા પ્રયત્ન કરે છે. પણ રાજા સમજતો નથી, ત્યારે આચાર્ય ભગવતે પાંચ આગેવાન શ્રાવકોને બોલાવી કહ્યું કે, રાજા આમ માનતો નથી, માટે તેને મનાવવા અને સાધ્વીજી મહારાજનાં શીલનું રક્ષણ કરવા માટે હવે મારી શક્તિ છતાં તેનો ઉપયોગ ન કરું અને સાધ્વીજીને ન છોડાવું તો અત્યાર સુધી ભગવાનના શાસનમાં જેટલા નિન્દવો થઇ ગયા તેઓએ જેટલું પાપ ઉપાર્જન કર્યું તે સઘળું પાપ મને લાગે એવો વિચાર કરી આ ગુસ્સો ઉદયમાં લાવીને શ્રાવકોને કહ્યું કે હવે હું ગાંડો થાઉં છું, કપડા કાઢીને ગામમાં ત્રણ દિવસ રખડીશ, અને પછી ગામ છોડીને ભાગી જઇશ, અને બીજા દેશમાં ચાલી જઇશ તે જાણશો. એમ કહી કપડા કાઢી ગામમાં તાં તાં બોલે છે કે અરાજકમ જગત્ ! જગતમાં કોઇ રાજા રહ્યો નથી એમ ત્રણ દિવસ ગામમાં ફ્રી ગામ છોડી બીજા દેશમાં ચાલ્યા ગયા. ત્યાં રાજાને પ્રતિબોધ કરીને રાજાની સાથે સેને લઇને યુધ્ધ કરવા માટે ઘોડા ઉપર બેસીને ખુલ્લી તલવાર સાથે મેદાનમાં આવ્યા. ત્યાં રાજાની સામે ઘોડો લઇ જઇ ઘોડા ઉપરથી રાજાને નીચે પાડી તેની છાતી ઉપર ચઢીને રાજાને કહ્યું કે, “બોલ મને ઓળખે છે ? હું કોણ છું ? સાધ્વીજીને છોડી દે તો જીવતો છોડું નહિંતર આ તલવારથી તારા મસ્તકનો છેદ કરી નાખીશ ! રાજા ઓળખી ગયો. માફી માંગી સાધ્વીજીને છોડી દીધી. ! જો આ વખતે ગુસ્સામાં અને ગુસ્સામાં ઉપયોગ ન રહ્યો હોત અને તલવારથી મસ્તકનો છેદ કરી નાખ્યો હોત તો પહેલું ગુણસ્થાનક પ્રાપ્ત થઇ જાત. અને અનંતાનુબંધિ કષાય ઉદયમાં આવી જાત. પણ ઉપયોગ બરોબર રાખીને શીલ રક્ષા માટે કષાય કરેલો હોવાથી આ પ્રશસ્ત કષાયના કારણે રાજાને તરત જ છોડી દીધો. આ સંજ્વલન અનંતાનુબંધિ કષાય કહેવાય છે.
આવી જ રીતે વિષ્ણુકુમાર મુનિએ સાધુ સંસ્થાના રક્ષણ માટે સંજ્વલન અનંતાનુબંધિ કષાય કરેલા હતો. તે આ રીતે
વિષ્ણુકુમાર મુનિના ભાઇ રાજા હતા. તેના દેશમાં સાધુભગવંતો વિચરતાં હતા. તે રાજાનો જે મંત્રી હતો તે સાધુઓનો દ્વેષી હતો તે મંત્રી રાજાને વિશ્વાસમાં લઇ સાત દિવસ રાજ્ય પોતે મેળવી રાજા થયો છે. તે નમુચિ રાજાએ સાધુઓને હુકમ કર્યો કે મારા રાજ્યમાંથી વિહાર કરી ચાલતા થઇ જાવ, સાત દિવસમાં મારા દેશની હદ પૂર્ણ કરો તે વખતે આ રાજા છ ખંડના માલિક છે. સાત દિવસમાં શી રીતે મહાત્માઓ જઇ શકે ? અને છ ખંડ છોડી મહાત્મા ક્યાં રહે ? આ રીતે મહાત્માઓએ રાજા પાસે જઇ વાત કરી, વિનંતી. કરી પણ તે માનવા તૈયાર નથી. આથી આચાર્ય ભગવંતે મકાનમાં આવી સાધુઓને ભેગા કરી કહ્યું કે કોઇ મહાત્માની પાસે શક્તિ છે, વિધા છે તો વિષ્ણુકુમાર મુનિને બોલાવી લાવવાના છે. કારણ કે તેમના વગર કામ થશે નહિ ! ત્યારે એક મહાત્માએ કહ્યું કે, મારી પાસે તે જ્યાં છે ત્યાં પહોંચવાની શક્તિ રૂપે વિધા છે, પણ પાછા આવવાની નથી ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, હમણાં જ જલ્દી ત્યાં પહોંચો નહિંતર પછી ધ્યાનમાં બેસી જશે તો આવશે નહિ. એ આજ્ઞા લઇ તે મહાત્મા આકાશ ગામિની વિધાથી વિષ્ણુકુમાર મુનિ પાસે પહોંચ્યા. મહાત્માએ કહ્યું કે ગુરૂ મહારાજે મોકલ્યો છે અને આપને ત્યાં બોલાવ્યા છે. વિષ્ણુકુમાર
Page 39 of 161
Page #40
--------------------------------------------------------------------------
________________
તહત્તિ કરી મહાત્માને ખભા ઉપર બેસાડી ત્યાં લઇને આવ્યા. ગુરૂ ભગવંતને વંદન કર્યું. પછી પૂછે છે સેવકને કેમ યાદ કર્યો ? આચાર્ય ભગવંતે બધી વાત જણાવી ત્યારે વિષ્ણુકુમાર મુનિ કહે છે કે હું જાઉં છું, સમજાઉં છું, પોતે રાજસભામાં જઇ નમુચિ રાજાને સમજાવે છે. ભાઇને પણ બોલાવીને સમજાવે છે, છેલ્લે હું રાજાનો ભાઇ છું તો મને થોડી વધારે રહેવા માટે જગ્યા આપ એમ જણાવ્યું. ત્યારે નમુચિએ કહ્યું કે તમોને ત્રણ પગલા જગ્યા રહેવા માટે આપીશ. ત્યારે વિષ્ણુકુમાર મુનિએ કહ્યું કે હાલ ચોમાસુ શરૂ થાય છે સાત દિવસમાં છ ખંડનું રાજ છોડી ક્યાં જઇએ ? અને ત્રણ ડગલામાં શી રીતે રહી શકીએ ? માટે થોડો વિચાર કરી વધારે જગ્યા રહેવા માટે આપો પણ નમુચિએ ના પાડી. એટલે વિષ્ણુકુમાર મુનિ તે વખતે સંજ્વલન અનંતાનુબંધિ કષાયનો ઉદય પેદા કરી વૈક્રીય લબ્ધિ વડે લાખ યોજનાની કાયા કરી એક પગ ઉત્તરના છેડે અને બીજો પગ દક્ષિણના છેડે એમ છ ખંડની બન્ને બાજુ મૂકી નમુચિને લોહી વમતો સિંહાસન ઉપરથી નીચે પાડી બોલ્યા કે બોલ ત્રીજો પગ ક્યાં મુકુ ? એમ જણાવ્યું. ત્યારે ત્યાં લોકો ભેગા થઇ ગયા માફી માગી. પણ વિષ્ણુકુમાર મુનિને તો ખબર નથી. આથી તેમનો ગુસ્સો શાંત પાડવા માટે દેવતાઓ નગારા તેમના કાન પાસે વગાડે છે અને મહાત્મા શાંત થયા. આ રીતે આ કષાય પેદા કરી સાધુ સમુદાયની રક્ષા કરી. આ વખતે જો ત્રીજો પગ નમુચિ રાજાની છાતી ઉપર મુકી દીધો હોત અને તે જો મરણ પામ્યો હોત તો તે વખતે અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાય પેદા થઇ જાત. એટલે છઠ્ઠા ગુણસ્થાનકમાંથી તે સીધા પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી દેત. સંજ્વલન અપ્રત્યાખ્યાનીય ક્યાય -
આ કષાયનો ઉદય છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. આ ઉદયકાળમાં જીવોને સર્વવિરતિમાં અતિચાર લગાડે છે. કાંઇક અંતરમાં કષાયના કારણે વિરતિમાં બળતરા પેદા થયા કરે તથા જે વ્રત-નિયમ-પચ્ચક્ખાણ કરેલ હોય તેનાથી આગળ વધવાની ભાવના થવા દે નહિ. બીજા નથી કરતાં તેના કરતાં આટલું કરીએ છીએ એય ઘણું છે એવી ભાવના રહ્યા કરે. સાતિચાર ચારિત્રનું પાલન એટલે કે સંયમ જીવનમાં અતિચાર પૂર્વકનું ચારિત્ર આ કષાયથી જીવો આચરે છે અને તે વખતે આયુષ્યનો બંધ પડે તો વૈમાનિક દેવલોકનું પણ કિબિપીયા દેવોનું આયુષ્ય બાંધી શકે છે. મોટેભાગે કિલ્બિષીયા દેવોમાં ઉત્પન્ન થયેલા જીવો જે હોય છે તેઓનું સમકીત દુર્લભ થાય છે. મહામુશીબતે પછી સમકીત પામી શકે છે. માટે જીવનમાં આ કષાય ન આવી જાય તેની સતત કાળજી રાખવા જેવું છે. સંજવલન પ્રત્યાખ્યાનીય ક્યાય -
આ કષાયનો ઉદય પણ જીવોને છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. સંયમનો પરિણામ પ્રાપ્ત કર્યા પછી પોતાની શક્તિ મુજબ તે પરિણામની વૃદ્ધિ કરવા માટે, તેમાં સ્થિરતા લાવવા માટે, તપ-જપ વગેરે વિશેષ રીતે કરવાનું મન થયા કરે છે અને તે જીવો તે તપ વગેરે સારી રીતે કર્યા કરે છે. આ કષાયના ઉદયકાળમાં જીવ સાવધ ન રહે તો અપ્રશસ્ત કષાય બની જાય અને આત્માને નુક્શાન કરનારો પણ બને છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામમાં અપ્રશસ્ત કષાયના ઉદયથી જીવોને જે શુભ પ્રકૃતિઓ સારા રસે બંધાય છે. તે બંધાયેલો રસ સત્તામાં રહેલી અશુભ પ્રવૃતિઓમાં સંક્રમ પામીને એટલે અશુભ પ્રકૃતિ રૂપે તે રસ બની નિકાચીત પણ બની શકે છે
જેમ કે શ્રી મલ્લીનાથ તીર્થકર બન્યા તેમાં ત્રીજા ભવે જ્યારે જિનનામ નિકાચીત કરતા હતા ત્યારે
Page 40 of 161
Page #41
--------------------------------------------------------------------------
________________
તેમના જીવે પોતાની સાથે બીજા પાંચ મિત્રોને પ્રતિબોધ કરીને સંયમની ભાવના પેદા કરાવી સંયમ અપાવેલ. એમ બધા સાથે સુંદર રીતે સંયમનું પાલન કરે છે. તેઓ સાથે તપ કરે છે તેમાં ગુરૂ ભગવંત બીજા મિત્રોના તપની પ્રશંસા કરે છે. પણ પોતાના તપની પ્રશંસા કરતાં નથી તેથી અંતરમાં વિચાર આવે છે કે હું જેઓને પ્રતિબોધ કરીને લાવ્યો તેમની પ્રશંસા થાય છે મારી નહિ. આથી પોતાની પ્રશંસા કરાવવા માટે પારણાના દિવસે કોઇપણ વ્હાનું કાઢીને ગુરૂ મહારાજ પાસે રજા લઇ તપ કરતા હતાં. તેમાં વિશેષ તપ થતો. હોવાથી ગુરૂ ભગવંત તેમની પ્રશંસા કરવા લાગ્યા આ રીત માયા સેવીને તપ કરતાં અને પ્રશંસા સાંભળી રાજી થતાં તેમાં જે પુરૂષવેદનો રસ બંધાતો હતો તે સત્તામાં રહેલ સ્ત્રીવેદના રસમાં સંક્રમ થઇ થઇને સ્ત્રીવેદની સ્થિતિ અને રસ વધારી દીધેલ તથા તે સ્ત્રીવેદની સ્થિતિ અને રસ નિકાચીત કરેલ. આ રીતે જીવો અપ્રશસ્ત સંજ્વલન કષાયથી અશુભ પ્રકૃતિઓનો સ્થિતિ અને રસ સંક્રમ દ્વારા વધારી શકે છે તેને જ્ઞાની ભગવંતો સ્ત્રીવેદ બાંધ્યો એમ પણ કહે છે. આ રીતે તે સ્ત્રીવેદની સ્થિતિ અને રસ એવા નિકાચીત કર્યા કે જેના કારણે અનુત્તર વિમાનમાં તેત્રીશ સાગરોપમના દેવ થયા તો પણ તે સ્ત્રીવેદનું એક પણ દલિક (પુગલ) પુરૂષવેદમાં સંક્રમીત થઇને પ્રદેશોદયથી ભોગવી શકાયું નહિ અને તેત્રીશ સાગરોપમ સુધી પુરૂષ વેદના ઉદયને ભોગવતાં સ્ત્રીવેદનો વીપાકથી ઉદય થયો આથી સ્ત્રી તીર્થકર તરીકે ઉત્પન્ન થયા. અનંતી. ઉત્સરપિણી અને અનંતી અવસર્પિણી કાળ પછી આવું બને છે.
આ કારણથી એ વિચાર કરવાનો કે જે ગુણસ્થાનકે પ્રકૃતિનો બંધ ન હોવા છતાં ય અપ્રશસ્ત કષાયના પ્રતાપે અશુભ પ્રકૃતિનો સ્થિતિ અને રસ વધી શકે છે. નિકાચીત થઇ શકે છે અને અવશ્ય ભોગવવો પડે છે માટે આ કષાયોથી કેટલી સાવચેતી રાખીને આરાધક ભાવ ટકાવી રાખી આગળ વધવું પડે. આથી જ્ઞાની ભગવંતોએ જે કહ્યું છે કે- સમય ગોયમ મા પમાયએ કે હે ગૌતમ એક ક્ષણ જેટલો પણ પ્રમાદ કરીશ નહિ ! સંજવલન સંજ્વલન ક્યાય -
આ કષાય છઠ્ઠા ગુણસ્થાનકથી દશમા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે તેમાં છઠ્ઠા ગુણસ્થાનકે નિરતિચાર ચારિત્ર પાળવામાં સહાયભૂત થાય છે અને સંયમ સ્થાનો અસંખ્યાત-અનંતગુણ-અનંતગુણ વિશુધ્ધિવાળા કહ્યા છે તેમાં જીવ વિશુદ્ધિ પ્રાપ્ત કરતો કરતો આગળ વધતો જાય છે અને તે વિશુદ્ધિના બળે જીવ કષાય મંદ કોટીનો બનાવી અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તે સાતમાં ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરતો જાય. છે. આથી છઠ્ઠા ગુણસ્થાનકમાં આ કષાયની જેવી માત્રા હોય છે તેનાથી સાતમાં ગુણસ્થાનકમાં મંદ કોટીની માત્રા હોય, તેનાથી આઠમા ગુણસ્થાનકમાં મંદમાત્રામાં કષાય હોય, તેનાથી નવમાં ગુણસ્થાનકમા વિશુદ્ધિ વધેલી હોવાથી કષાયની માત્રા એકદમ મંદ હોય છે અને દશમાં ગુણસ્થાનકે તેનાથી એકદમ મંદ માત્રા રહેલી હોય છે.
આ કષાયની હાજરીમાં છઠ્ઠા ગણસ્થાનકે જીવો આયુષ્યનો બંધ કરી શકે તો અનુત્તર દેવનું તેત્રીશા સાગરોપમનું આયુષ્ય બાંધી શકે છે. તે આયુષ્ય બાંધતા બાંધતા જીવો સાતમા ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે તો આયુષ્યનો બંધ હોય છે પણ ત્યાં સાતમા ગુણસ્થાનકમાં નવા આયુષ્યનાં બંધની શરૂઆત કરતાં નથી. કારણ ક કષાયની મંદતા થયેલી હોવાથી તથા પરિણામ વિશુદ્ધ બનેલો હોવાથી આયુષ્ય બંધની અયોગ્યતા રૂપે ગણાય છે. આથી સાત-આઠ-નવ અને દશ એ ચાર ગુણસ્થાનકમાં જીવો આયુષ્યનો બંધ કરતાં નથી.
Page 41 of 161
Page #42
--------------------------------------------------------------------------
________________
આ કષાયની મંદતામાં સાતમા ગુણસ્થાનકમાં રહેલા જીવો ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન પ્રાપ્ત કરી શકે છે. પછી મન-વચન-કાયાનું વીર્ય એકઠું કરી સામર્થ્ય વધારી જો તાકાત હોય તો ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે અને એટલું સામર્થ્ય ન હોય તો ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે છે અને આઠમાં ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ અનંતગુણ વિશુદ્ધિના બળે કષાયની માત્રા મંદ કરીને જીવ નવમાં ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે છે. ત્યાં ચારિત્ર મોહનીયની એકવીશ પ્રકૃતિઓમાંથી એક સંજ્વલન લોભ સિવાય બાકીની વીશ પ્રકૃતિઓનો ક્ષપકશ્રેણિવાળા જીવો ક્ષય કરે છે અને ઉપશમશ્રેણિવાળા જીવો ઉપશમ કરે છે. ત્યાર પછી અનંતગુણ વિશુદ્ધિએ જીવ દશમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ત્યાં સંજ્વલન લોભનો ઉદય એકદમ મંદ કોટીનો હોય છે. જ્યારે જીવો અગ્યારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. એટલે કે ઉપશમશ્રેણિવાળા જીવો તે ગુણસ્થાનકને પામે ત્યાં મોહનીય કર્મનો સર્વથા ઉપશમ હોય છે અને ક્ષપકશ્રેણિવાળા જીવો મોહનો સર્વથા. ક્ષય કરીને બારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.
ક્યાં ક્યાં રહેલા જીવોને કયા કયા કષાયો હોય છે તેનું વર્ણન - (૧) એકથી છ નારકીમાં રહેલા જીવોને પહેલા ગુણસ્થાનકે અનંતાનુબંધિ-અનંતાનુબંધિ. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય. અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય અને
અનંતાનુબંધિ સંજ્વલન કષાયો હોય છે. તેમાં અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો ક્રુર અને ઘાતકી પરિણામવાળા પંચેન્દ્રિય તિર્યંચનું આયુષ્ય બાંધી શકે છે.
અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો ક્રુર અને ઘાતકી પરિણામ સિવાયના સામાન્ય પરિણામવાળા પંચેન્દ્રિય તિર્યંચનું આયુષ્ય બાંધી શકે છે.
અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો અનાર્ય ક્ષેત્ર આદિનું તથા આર્ય ક્ષેત્રાદિમાં જ્યાં ધર્મ સામગ્રી પ્રાપ્ત ન થાય એવા ક્ષેત્રવાળા મનુષ્યનું આયુષ્ય બાંધી શકે છે.
અનંતાનુબંધિ સંજ્વલન કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો આર્યદેશાદિ ધર્મ સામગ્રીની પ્રાપ્તિવાળા મનુષ્યપણા રૂપે બાંધી શકે છે.
બીજા ગુણસ્થાનકે અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાય મોટેભાગે હોતો નથી કારણ કે ત્યાં જઘન્ય યોગ હોય છે. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાય-અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાય-અનંતાનુબંધિ સંજ્વલન કષાય હોઇ શકે છે. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયથી તિર્યંચાયું બાંધે અને અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય અને અનંતાનુબંધિ સંજ્વલન કષાયથી મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે.
ત્રીજા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય કષાય મોટે ભાગે જીવોને હોય છે.
ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયો હોય છે.
અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ કષાયના કાળમાં પોતાના કરેલા પાપની નિંદા કરતાં કરતાં પોતાના પાપોને ખપાવતાં જાય છે અને દુ:ખ વેઠવામાં સુંદર સમાધિ જાળવી શકે છે. આ ચારેય પ્રકારના કષાયમાં આયુષ્યનો બંધ થાય તો નિયમા મનુષ્ય આયુષ્ય બાંધે છે અને સમકીત લઇને મનુષ્યમાં આવી શકે છે.
સાતમી નારકીમાં રહેલા જીવોને પહેલા ગુણસ્થાનકે અનંતાનુબંધિ અનંતાનુબંધિ આદિ ચારેય કષાયો હોય છે. તે ચારેય પ્રકારના કષાયોથી આયુષ્યનો બંધ કરે તો નિયમાં તિર્યંચ આયુષ્ય બાંધે છે.
Page 42 of 161
Page #43
--------------------------------------------------------------------------
________________
તેમાં પહેલા બે કષાયોથો ક્રુર અને ઘાતકી પરિણામવાળા તિર્યંચનું અને છેલ્લા બે કષાય દ્વારા સામાન્ય પરિણામવાળા તિર્યંચનું આયુષ્ય બંધાય છે.
આ જીવો બીજા-ત્રીજા-ચોથા ગુણસ્થાનકે આયુષ્ય બાંધતા ન હોવાથી તે કષાયો તે રૂપે હોય છે. તિર્યંચગતિને વિષે-એકેન્દ્રિય જીવોને વિષે-અનંતાનુબંધિ અનંતાનુબંધિ-અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ સંજ્વલન એમ ૪ કષાયો હોય તેમાં અનંતા-અનંતામાં આયુષ્યનો બંધ કરે તો નિગોદનું આયુ બાંધી શકે છે.
અનંતા. અપ્રત્યા. માં આયુષ્ય બાંધે તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચ સુધીમાંથી કોઇપણનું બાંધી
શકે છે.
અનંતા. પ્રત્યા. માં આયુષ્ય બાંધે તો મનુષ્યનું અનાર્ય ક્ષેત્રાદિનું બાંધે.
અનંતા. સંજવ.માં આયુ. બાધે તો મનુષ્યનું આર્યદેશાદિ ધર્મ સામગ્રી પ્રાપ્ત થાય એવું યાવત્ તીર્થંકરની માતા થઇ શકે એવું આયુષ્ય બાંધી શકે છે.
વિકલેન્દ્રિય જીવોને અનંતા. અનંતા-અનંતા. અપ્રત્યા-અનંતા. પ્રત્યા. અને અનંતા. સંજ્વલન એમ ચાર કષાયો હોય છે. તેમાં અનંતા. અનંતા. કપાયથી એકેન્દ્રિયનું નિગોદનું આયુષ્ય બાંધી શકે છે. અનંતા. અપ્રત્યા.થી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચમાંથી કોઇનું પણ આયુષ્ય બાંધી શકે છે. અનંતા. પ્રત્યા. કષાયથી મનુષ્યનું અનાર્ય ક્ષેત્રાદિનું આયુષ્ય બાંધી શકે છે અને અનંતા. સંજ્વલન કષાયથી મનુષ્ય આયુ. આર્ય ક્ષેત્રાદિ ધર્મ સામગ્રીની પ્રાપ્તિ થાય એ રીતે બાંધી શકે છે.
વિકલેન્દ્રિયપણામાંથી મનુષ્ય થાય તે જીવો તે ભવમાં મોક્ષે જતાં નથી. વધારેમાં વધારે સાતમા ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરી શકે છે.
અસન્ની અપર્યાપ્તા તથા સન્ની લબ્ધિ અપર્યાપ્તા જીવોને અનંતા. અનંતા-અનંતા. અપ્રત્યા-અનંતા. પ્રત્યા-અનંતા. સંજવ. એમ ૪ કષાયો હોય છે તેમાં અનંતા. અનંતા. કષાયમાં આયુષ્યનો બંધ કરે તો નિગોદનું આયુ બાંધી શકે છે.
અનંતા, અપ્રત્યા, કષાયમાં આયુ. બાંધે તો એકેન્દ્રિયથી પંચે. તિર્યંચ સુધીમાંથી કાઇનું પણ આયુ.
બાંધી શકે છે.
અનંતા. પ્રત્યા. કષાયમાં મનુષ્યનું અનાર્ય ક્ષેત્રાદિનું અને અનંતા. સંજવ માં મનુષ્યનું આર્ય ક્ષેત્રાદિનું ધર્મ સામગ્રી સંપન્ન રૂપે આયુ. બાંધી શકે છે.
અસન્ની પર્યા. તિર્યંચોને અનંતા.અનંતા-અનંતાઅપ્રત્યા-અનંતાપ્રત્યા અને અનંતાસંજ્વલન એમ
૪ કપાયો હોય છે. તેમાં અનંતા, અનંતાનુબંધિ કષાયમાં આયુષ્યનો બંધ કરે તો પહેલી નારકીનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય બાંધી શકે છે. આથી વધારે આયુષ્ય બાંધી શકતા નથી. અનંતા. અપ્રત્યાખ્યાનીય કષાયથી આયુષ્યનો બંધ કરે તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચપણામાંથી કોઇન પણ આયુષ્ય બાંધી શકે છે. તેમાં પંચેન્દ્રિય તિર્યંચનું વધારેમાં વધારે આયુષ્ય બંધ કરે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું બાંધી શકે છે.
અનંતા. પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી આયુષ્યનો બંધ કરે તો મનુષ્યનું આયુષ્ય જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય બાંધી શકે છે.
અનંતા. સંજ્વલન કષાયથી આયુષ્યનો બંધ કરે તો દેવનું આયુષ્ય જઘન્યથી દશ હજાર વરસનું અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય બાંધી શકે છે.
Page 43 of 161
Page #44
--------------------------------------------------------------------------
________________
સન્ની પર્યાપ્તા – તિર્યંચના જીવોને પહેલા ગુણસ્થાનકે ચારેય કષાય હોય છે. અનંતા. અનંતા. અનંતા. અપ્રત્યા. અનંતા. પ્રત્યા. અનંતા. સંજ્વલન.
અનંતા. અનંતાનુબંધિ કષાયથી આ જીવો એકથી સાત નારકીમાંથી કોઇપણ નરકનું આયુષ્ય બાંધી શકે છે.
જઘન્ય આયુષ્ય - ૧૦ હજાર વરસ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું બાંધે છે. આથી દશ હજાર વરસથી એક સમયે અધિક અધિક કરતાં તેત્રીશ સાગરોપમ સુધીનાં જેટલા સમયો થાય એટલા. સમયો જેટલા અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાયના મધ્યમ પરિણામના આયુષ્ય બાંધવાની યોગ્યતાવાળા અધ્યવસાયો હોય છે.
અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયમાં જીવો આયુષ્યનો બંધ કરે તો એકેન્દ્રિયથી સન્ની પંચેન્દ્રિય તિર્યંચોમાંથી કોઇનું પણ આયુષ્ય બાંધી શકે છે.
જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી ૩ પલ્યોપમનું આયુષ્ય બાંધી શકે છે. આથી એક અંતર્મુહૂર્ત અને એક સમય અધિકથી શરૂ કરી ત્રણ પલ્યોપમ સુધીનાં જેટલા સમયો થાય એટલા સમયોના આયુષ્ય બાંધવાના અધ્યવસાય સ્થાનો મધ્યમ કષાયના હોય છે.
અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયથી આ જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમાં મનુષ્ય આયુષ્ય બાંધે છે. જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમનું બાંધી શકે છે. આથી જઘન્ય એક અંતર્મુહૂર્ત એક સમય અધિક-બે સમય અધિક યાવત ત્રણ પલ્યોપમ સુધીમાં જેટલા સમય થાય એટલા અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયના મધ્યમ પરિણામવાળા આયુષ્ય બંધના અધ્યવસાય સ્થાનો થાય છે.
અનંતાનુબંધી સંજ્વલન કષાયની હાજરીમાં આ જીવો આયુષ્યનો બંધ કરે તો દેવાયુષ્યનો બંધ કરે છે. જઘન્યથી દશ હજાર વરસનું અને ઉત્કૃષ્ટથી ૧૮ સાગરોપમનું આયુષ્ય બાંધી શકે છે. આથી દશ હજાર વરસ એક સમય અધિક-બે સમય અધિક આદિ કરતાં કરતાં યાવત ૧૮ સાગરોપમ સુધીનાં જેટલા સમયો થાય એટલા અનંતાનુબંધિ સંજ્વલન કષાયના મધ્યમ કષાયના આયુષ્ય બંધના અધ્યવસાય સ્થાનો પ્રાપ્ત થાય છે.
બીજા ગુણસ્થાનકે આ જીવોને અનંતા અપ્રત્યા-અનંતાપ્રત્યા. અને અનંતા-સંજ્વલન કષાયા ઉદયમાં હોય છે એમાં આયુષ્યનો બંધ કરે તો અનંતા-અખત્યા. થી તિર્યંચનું આયુષ્ય બાંધે અનંતા-પ્રત્યા. કષાયથી આયુષ્યનો બંધ કરે તો મનુષ્ય આયુ. બાંધે છે. અને અનંતા. સંજ્વલન કષાયથી આયુષ્યનો બંધા કરે તો દેવાયુષ્ય બાંધે છે.
ત્રીજા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય હોય છે.
ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાઅનંતા-અપ્રત્યા. અપ્રત્યા-અપ્રત્યા-પ્રત્યા. અને અપ્રત્યાસક્વલન એમાં ચારે ય કષાયનો ઉદય હોય છે. આ ચારેય કષાયથી આયુષ્યનો બંધ થાય તો આ જીવો નિયમા દેવાયુષ્યનો બંધ કરે છે. પાંચમાં ગુણસ્થાનકે આ
આ
જીવોને પ્રત્યાખ્યાનીય જીવન પ્રત્યાખ્યાળાવી
અનંતાનુબંધિ-પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય સંજ્વલન એમ ચારે ય કષાયો ઉદયમાં હોઇ શકે છે અને આ ચારે કષાયમાં વિદ્યમાન જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમા દેવાયુષ્ય બાંધે છે. આ તિર્યંચમાં રહેલા જીવોને પણ પ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયના ઉદયથી અનંત ગુણ વિશુદ્ધિ પેદા થતાં
Page 44 of 161
Page #45
--------------------------------------------------------------------------
________________
મનથી સર્વ સાવધનાં પચ્ચક્ખાણ કરી અનશન કરી સર્વવિરતિ જેવા પરિણામને પ્રાપ્ત કરી શકે છે.
મનષ્યસ્મૃતિને વિષે
જે ગુણસ્થાનકમાં જે કષાયોનું સામાન્યથી વર્ણન કરી દશમાં ગુણસ્થાનક સુધી કષાયો જણાવ્યા છે તે પ્રમાણે વર્ણન સમજવું. દશમાના અંતે સર્વથા કષાયોનો ક્ષય કરી જીવો બારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે અને ત્યાં અંતર્મુહૂર્ત રહી પછી જીવો કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
વર્ણાતિને વિષે
ભવનપતિ-વ્યંતર. જ્યોતિષ અને વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવોને પહેલા ગુણસ્થાનકે-૧. અનંતાનુબંધિ અનંતાનુબંધિ-૨. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય-૩. અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય-૪. અનંતાનુબંધિ સંજ્વલન એમ ૪ કષાયો હોય છે.
અનંતાનુબંધિ-અનંતા. કષાયથી જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમાં એકેન્દ્રિયનું આયુષ્ય બાંધે છે. તેમાં પણ બાદર પર્યાપ્ત પ્રત્યેક રૂપે પૃથ્વીકાયનું-અપ્લાયનું કે પ્રત્યેક વનસ્પતિ કાયનું આયુષ્ય બાંધી શકે છે.
અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયથી આ જીવો આયુષ્યનો બંધ કરે તો સન્ની પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોનું આયુષ્ય બાંધે છે. તેમાં જઘન્ય આયુષ્ય બાંધતા નથી. મધ્યમ આયુષ્યથી શરૂ કરીને ઉત્કૃષ્ટથી પૂર્વ ફ્રોડ વરસનું આયુષ્ય બાંધી શકે છે.
અનંતાનુબંધિ પ્રત્યા. કષાયથી આ જીવો આયુષ્યનો બંધ કરે તો મનુષ્યનું આયુષ્ય બાંધે છે તેમજ અનંતાનુબંધિ સંજ્વલન કષાયથી પણ મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે તેમાં જઘન્ય આયુષ્યનો બંધ કરતાં નથી પણ મધ્યમ આયુષ્યથી શરૂ કરી ઉત્કૃષ્ટથી પૂર્વ ક્રોડ વરસનું આયુષ્ય બાંધી શકે છે.
બીજા ગુણસ્થાનકે-અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયથી તિર્યંચ આયુષ્ય પંચેન્દ્રિય તિર્યંચનું બંધાય છે. અનંતાનુબંધિ પ્રત્યા. અને અનંતાનુબંધિ સંજ્વલન કષાયથી મનુષ્ય આયુષ્ય બાંધે છે. ચોથા. ગુણસ્થાન-અપ્રત્યાખ્યાનીયા
અનંતાનુબંધિ-અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય સંજ્વલન આ ચારેય કષાર્યાથી જીવો નિયમાં મનુષ્ય આયુષ્ય બાંધે છે. આ બીજાથી ચોથા ગુણસ્થાનક સુધીમાં જે કહ્યું છે તે ભવનપતિથી શરૂ કરી નવ ચૈવેયકના દેવો સુધી જાણવું તેમાં વૈમાનિકના નવમા દેવલોકથી નવ ચૈવેયક સુધીમાં રહેલા દેવો તિર્યંચગતિ બાંધતા ન હોવાથી તિર્યંચાયુ બાંધતા નથી.
વૈમાનિકના ત્રીજા દેવલોકથી આઠમા દેવલોક સુધીમાં રહેલા દેવોનું વર્ણન -
પહેલા ગુણસ્થાનકે-અનંતાનુબંધિ અનંતાનુબંધિ-અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ સંજ્વલન એમ ચારે કષાયો હોય છે. તેમાં પહેલા બે કષાયથી જીવો સન્ની પર્યાપ્તા તિર્યંચનું આયુષ્ય બાંધી શકે છે અને છેલ્લા બે કષાયોથી જીવો મનુષ્યનું આયુષ્ય બાંધી શકે છે. આ જીવો પણ મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય જે બાંધે છે તે મધ્યમ આયુષ્યથી શરૂ કરી પૂર્વક્રોડ વરસનું આયુષ્ય બાંધી શકે છે. આથી વધારે આયુષ્ય બંધાતું નથી.
નવમા દેવલોકથી નવ ચૈવેયક સુધીનાં દેવાને પહેલા ગુણસ્થાનકમાં આ ચારેય કષાયો હોય છે અને એ ચારે કષાયોથી એ જીવો નિયમાં મનુષ્ય આયુષ્યનો બંધ કરે છે. તેમાં પહેલા બે કષાયોથી જે
Page 45 of 161
Page #46
--------------------------------------------------------------------------
________________
મનુષ્યનું આયુષ્ય બંધાય છે તે અનાર્ય ક્ષેત્રનું અથવા આર્ય ક્ષેત્રમાં ધર્મ સામગ્રીની પ્રાપ્તિ ન થાય એવા ક્ષેત્રોનું આયુષ્ય પ્રાયઃ બાંધી શકે છે. જ્યારે છેલ્લા બે કષાયોથી આયુષ્ય જે બંધાય તેમાં આર્ય દેશાદિ ક્ષેત્રાદિ અને ધર્મ સામગ્રીની પ્રાપ્તિ આદિ અનુકૂળ સામગ્રી પૂર્વકનું મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે.
પાંચ અનુત્તરવાસી દેવો.
આ દેવોને નિયમા ચોથું ગુણસ્થાનક જ હોય છે. એટલે આ દેવો નિયમા સમકતી હોય છે. આ કારણથી આ જીવોને અપ્રત્યાખ્યાનીય કષાયનો જ ઉદય હોય છે. પ્રાયઃ કરીને આ દેવોને અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય અને અપ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયોનો ઉદય હોય છે. પણ અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિનો ઉદય હોતો નથી. આથી આ દેવો પોતાના જીવનકાળ સ્વાધ્યાયમાં તત્વની વિચારણામાં પૂર્વભવમાં જેટલો અભ્યાસ કરીને આવ્યા હોય તેમાં પોતાનો કાળ પસાર કરે છે.
આ ક્રોધાદિ ચાર કષાયોનું જે વર્ણન કર્યું તેના શ્રીસ્થાનાંગ સૂત્રને વિષે કુલ ૫૨ (બાવન) ભેદો પાડેલા છે તે આ પ્રમાણે.
ક્રોધ કષાયના - ૧૦ ભેદો, માન કષાયના-૧૧ ભેદો, માયા કષાયના-૧૭ ભેદા અને લોભ કષાયના ૧૪ ભેદો કહેલા છે.
આ જે ભેદો અહીં કહેવાશે તે જુદા જુદા જીવોને પોતાના ક્રોધાદિ કષાયના ઉદયથી કેવા કેવા પરિણામ થાય છે. અથવા એ ક્રોધાદિ કષાયોનો રસ જીવોએ કેવો કેવો જુદો જુદો બાંધેલો હોય છે તેની વિચિત્રતા રૂપે જણાવવા માટે આ ભેદો કહેલા છે. આ દરેક ભેદો અપ્રશસ્ત કષાય રૂપે અને પ્રશસ્ત કષાય રૂપે પણ હોઇ શકે છે.
ક્રોધ ક્યાયના ૧૦ નામો
૧. ક્રોધ :- જેના ઉદયકાળમાં જીવોને કૃત્ય (કરવા લાયક) અને અંકૃત્ય (ન કરવા લાયક) નું ભાન ન રહે તે.
૨. કોપ :- જેના ઉદયથી જીવો પોતાના સ્વભાવથી ચલિત થાય એટલે કે જે વિચારોમાં રહેલા હોય તે વિચારોમાંથી જીવોને ચલિત કરે તે.
૩. રોષ :- ક્રોધની પરંપરા - એટલે કે જેવો ક્રોધ ઉદયમાં આવેલો હોય તેવોને તેવો વારંવાર ઉદયમાં ચાલ્યા જ કરે એવી રીતે જે ક્રોધ ઉદયમાં રહ્યા કરે તે રોષ કહેવાય છે.
૪. દ્વેષ :- જેનાથી પોતાને કે બીજાને દૂષણ અપાય એટલે કે પોતાના છતાં દોષ બોલે અને બીજાના અછતાં દોષો પ્રગટ કરવા એકબીજાને જણાવવા તે દ્વેષ પરિણામ કહેવાય છે. અનાદિ કાળથી ભટકતાં એવા જીવોને બીજાનાં છિદ્રો જોવાની-દેખવાની અને તે દેખીને જેની તેની પાસે પ્રગટ કરવાની જે વિચારણાઓ ચાલ્યા કરે છે તે ક્રોધના ભેદનો એક પ્રકાર દ્વેષ રૂપે જ્ઞાની ભગવંતોએ કહેલ છે.
૫. અક્ષમા :- અસહનશીલતા. કોઇ પણ બાબતમાં જરાય સહન જ ન થાય દરેક બાબતમાં જીવને ઓછું પડ્યા જ કરે અને આ અસહનશક્તિ એટલે સહન કરવાનો અભ્યાસ પાડ્યો ન હોય તો તેમાં ઓછ લાવતા લાવતા આ કષાય અંતરમાં ચાલ્યા જ કરે એટલે સહન નહિ કરવાની જે વૃત્તિ તે અક્ષમા.
૬. સંજ્વલન :- વારંવાર ક્રોધથી બળવું તે એટલે કે ક્રોધાદિ કષાયનું જરાક નિમિત્ત મલે અને
Page 46 of 161
Page #47
--------------------------------------------------------------------------
________________
બોલી શકે એવી શક્તિ ન હોયતો પોતાના ક્રોધથી જીવ પોતાના આત્મામાં લાંબા કાળ સુધી બળ્યા કરે. એક વાર નિમિત્ત મળ્યા પછી ીથી નિમિત્ત ન મળે તો પણ અંતરમાં બળાપો ચાલુ રહ્યા કરે તે સંજ્વલન. ૭. કલહ :- મોટેથી બૂમ પાડી પાડીને બોલવું તે. ક્રોધમાં ને ક્રોધમાં મોટેથી બૂમો પાડી પાડીને બોલવું કલહ એટલે કજીયો થાય તે પ્રમાણે બોલવું તે પણ ક્રોધનો જ એક પ્રકાર છે.
૮. ચાંડિક્ય :- રૌદ્રાકાર. જે બાબતમાં કજીયો થયો હોય ક્રોધ થયો હોય તે પદાર્થને વારંવાર ચિંતન કરી સ્થિર કરી કરીને ક્રોધ કર્યા કરવો અને તે ક્રોધના સ્વરૂપને ન છોડવું તે ચાંડિક્ય કષાય કહેવાય છે.
૯. ભંડન :- લાકડીથી લડવું એટલે કે ક્રોધ પેદા કરતાં કરતાં મારો કાપો ખતમ કરો એવા વિચારો કરતાં કરતાં લાકડી આદિ શસ્ત્રોથી લડવું તે ભંડન કષાય.
૧૦. વિવાદ :- વિરોધ પક્ષ એટલે કે પ્રતિપક્ષ ભાવ ગ્રહણ કરીને બોલવું તે.
જે બાબતની વાતમાં વિરોધ થાય - વિવાદ થાય તે બાબતને બરાબર ધ્યાનમાં રાખીને તેનો પક્ષ બનાવીને લડ્યા કરવુ. તે પક્ષને માટે મનમાં વિચારો કરી કરીને ક્રોધ કર્યા કરવો તેની વાતો ચીતો કર્યા કરવી તે વિવાદ ક્રોધ કષાય કહેવાય છે. એવી જ રીતે તે પ્રતિપક્ષી પક્ષ માટે ગમે તેમ લખવું બોલવું અંતરમાં વિચાર્યા કરવું તે વિવાદ ક્રોધ કહેવાય છે.
આ રીતે ક્રોધ કષાયના ૧૦ ભેદો થયા.
હવ માન કષાયના ૧૧ ભેદો કહેવાય છે.
૧. માન એટલે અભિમાન કપાય.
સામાન્ય રીતે નારકીના જીવોને ક્રોધ વધારે હોય. તિર્યંચ ગતિમાં રહેલા જીવોને માયા વધારે હોય. મનુષ્યગતિમાં રહેલા જીવોને માન વધારે હોય અને દેવગતિમાં રહેલા જીવોને લોભ વધારે હોય છે. આ કારણથી જે જીવોન સ્વાભિમાન વિશેષ રહેલું હોય છે તે માન કષાય કહેવાય છે.
૨. મદ :- મૂઢતા. એટલે કે પોતાના માન કષાયના ઉદયથી અંતરમાં અને અંતરમાં આનંદ પામતો
જાય તે.
૩. દર્પ :- અહંકાર. પોતાની કાર્ય સિધ્ધિ થાય અને ધારી સફ્ળતા પ્રાપ્ત થતી જાયતો તેમાં અહંકાર
કરવો તે.
૪. સ્તંભ :- અ નમન - પોતાના અહંકારમાં એટલો બધો મસ્ત થયેલો હોય કે જેના પ્રતાપે પોતાના જેવો બીજો કોઇ નથી એમ માનીને બીજા મોટાઓને પણ નમન કરે નહિ. બધાથી જાણે હું જ મોટો છું. ૫. આત્મોત્કૃષ્ટ એટલે કે સ્વ (ઉત્કૃષ) એટલે કે પોતાને થોડું ઘણું કાંઇ પણ આવડે એટલ બીજાની પાસે પોતાની આપ બડાઇ રૂપે પોતાના ગુણગાન ગાયા કરે. જ્યાં જાય ત્યાં પોતાના ગુણોની પ્રશંસા કર્યા કરવી તે. આ પણ એક માન કષાયનો જ પ્રકાર છે.
૬. ગર્વ :- અનુશય. ચાલતાં ઉઠતાં બેસતાં કોઇની સાથે વાત કરતાં તેના જીવનમાં પોતે કાંઇ કર્યું અથવા મેળવ્યું છે એવું જે દેખાયા કરે તે ગર્વ કહેવાય છે.
૭. પર-પરિવાદ - બીજાની નિંદા.
પોતાનાથી મોટો હોય યા નાનો હોય તો પણ પોતાના ગર્વના પ્રતાપે તેની ૠધ્ધિ ન ખમાતાં અને નાના માણસ માટે કાંઇ આવડત નથી એમ વિચારણાઓ કરીને બીજાની નિંદા કર્યા કરવી તે. ૮. આક્રોશ - તિરસ્કાર.
Page 47 of 161
Page #48
--------------------------------------------------------------------------
________________
ગર્વમાં મસ્ત થયેલો જીવ બીજાનો તિરસ્કાર કર્યા વગર રહે નહિ. બીજાની પાસે કોઇની પણ વાત કરતો હોય તો તેની વાતમાં બીજાને ઉતારી પાડવાની જ વાત દેખાય તે આક્રોશ તિરસ્કાર કહેવાય છે.
૯. અપકર્ષ (પરિભવ) અભિમાનથી પોતાના અથવા બીજાના કોઇ કાર્યથી વિરામ પામવું. તે. એટલે કે પોતાનો ગર્વ પોષાતો હોય અને ગુણગાન ગવાતાં હોય તો પોતાનું કાર્ય છોડી દેતાં અથવા બીજાનું પણ કાર્ય છોડી દેતાં આનંદ થાય તે અપકર્ષ કહેવાય.
૧૦. ઉન્નય :- અભિમાનથી નિતીનો ત્યાગ કરવો.
કેટલાક જીવો જગતમાં એવા પ્રકારના હોય છે કે પોતાનો ગર્વ મિત્ર વર્ગમાં - સ્નેહી સંબંધીમાં પોષાતો હોય અને માન સન્માન મળતું હોય તો નિતીના નિયમો પણ છોડવા તૈયાર થાય અને અનિતી આદિ પાપો મજેથી આચરે તે ઉન્નય માન કષાય ગણાય છે.
૧૧. ઉન્નામ :- અભિમાનથી પ્રતિ નમન ન કરવું તે.
અભિમાન અને ગર્વ અંતરમાં એટલો બધો પેદા થયેલો હોય કે કોઇને વારંવાર નમસ્કાર કરવો
હોય તો તે કરે નહિ. એને વળી આપને નમસ્કાર કરવાનું શું પ્રયોજન ? જરૂર હશે તો તે નમતો આવશે. એવા વિચારોમાં રહીને પોતાનું જીવન જીવવું તે ઉન્નામ માન કષાય કહેવાય.
માયાના ૧૭ ભેદો
૧. માયા :- કપટ હૈયામાં દુષ્ટ ભાવ, મેલાપણું રાખવું તે.
૨. ઉપધિ :- બીજાને ઠગવા માટે હૈયામાં વંચક ભાવ એટલે કે લુચ્ચાઇવાળો ભાવ રાખવો તે. એટલે કે હૈયામાંથી સરલ સ્વભાવ દૂર કરીને ઠગવાનો ભાવ રાખીને બીજા પ્રત્યે વચન બોલવું. વર્તન કરવું તે ઉપધિ.
૩. નિકૃતિ :- આદરથી બીજાની પંચના કરવી તે. એટલે કે જે માણસને ઠગવો હોય તે માણસને પોતાના પ્રત્યે વિશ્વાસ પેદા કરાવીને તેના પ્રત્યે આદરભાવ રાખીને એટલે દેખાડીને તેનો વિશ્વાસઘાત કરવો એટલે કે તેને ઠગવો તે નિકૃતિ કહેવાય છે.
૪. વલય :- વક્ર સ્વભાવ. બીજાની પાસે વક્તાનો સ્વભાવ બતાવીને તેને પોતાના વિશ્વાસમાં લેવો અને મજેથી ઠગવો તે.
૫. ગહન :- ન સમજાય તેવી માયા જાળ.
એવી રીતે સામા માણસને ઠગવાનો પ્રયત્ન કરે કે જેથી સામો ગમે તેવો હોંશિયાર હોય તો પણ તેને ખબર ન પડે એવી રીતે ઠગવું તે ગહન.
૬. નૂમ :- સામા માણસને ઠગવા માટે નીચતા આચરવી પડે તો નીચતાનો આશ્રય લઇ ઠગવા તે
મ.
૭. કલ્ક :- હિંસાદિ નિમિત્તે બીજાન છેતરવાનો અભિપ્રાય. એટલે બીજાને છેતરવામાં લાભ થતો હોય અને તેને માટે જે કાંઇ હિંસાદિ થાય તો તે કરીને પણ છેતરવાનો પ્રયત્ન કરવો તે.
૮. કુરૂક (કુરૂપ) ભૂંડા ચાળા.
બીજા માનવો સારા વ્યવહાર કરવાથી ન ઠગાય તો ભૂંડા ચાળા અથવા ભૂંડી ચેષ્ટાઓ કરીને પણ સામાને ઠગવા માટે પ્રયત્ન કરવો અને પોતાના લાભને પ્રાપ્ત કરવો તે કુરૂપ.
Page 48 of 161
Page #49
--------------------------------------------------------------------------
________________
૯. દંભ :- બીજાને ઠગવા માટે બહારથી ઠાઠ-માઠ દેખાડી સારી સજાવટ કરી તથા અમો કેવા સારા માણસો છીએ એવો દેખાવ કરી બીજાને ઠગવા તે.
૧૦. કટ :- કપટ જાલ. પોતાના વિશ્વાસમાં લઇને પછી માયાની જાળ પાથરી ઠગવાનો પ્રયત્ન રવો.
૧૧. જેહમ :- વંચના માટે મંદતા.
બીજાને ઠગવાના વ્હાનાથી પોતે નાનો થઇ જાય, દગાબાજ દૂગુના નમે તેની જેમ દીન બનીને બીજાને ઠગવા તે જેમ કહેવાય છે.
૧૨. કિલ્બિપુ - ખરાબ ચેષ્ટાઓ દ્વારા બીજાને ઠગવાનો પ્રયત્ન કરવો તે. ભાંડ-ભવેયા વગેરેની ચેષ્ટાઓ કરતાં કરતાં બીજાને ઠગવા. તે કિબિષ માયા કહેવાય છે.
૧૩. અનાચરણતા :- વંચના માટે આચરણ કરવું. એટલે બીજાને ઠગવા માટે અનેક પ્રકારના અનાચારના આચરણો કરવાં તે.
૧૪. ગૂહનતા :- સ્વરૂપ છુપાવવું તે. પોતાનું સાચું સ્વરૂપ છૂપાવી ખોટા સ્વરૂપો બતાવવા તે ગૃહનતા કહેવાય.
૧૫. વંચનતા :- છેતરપિડી. વાત વાતમાં બીજાને છેતર્યા કરવું તે. ૧૬. પ્રતિ કંચનતા - છલ. એવી માયા રમે કે સામા માણસને મજેથી છેતરી શકાય તે છલ. ૧૭. સાતિયોગ :- ઉત્તમની સાથે હલકાની મિલાવટ.
પોતાના વિશ્વાસના કારણે ઉત્તમ માણસની સાથે નીચ માણસની સોબત કરાવી આપવી અથવા નીચની સાથે ઉત્તમની સોબત કરી આપવી તે સાતિયોગ કહેવાય. જેમ કે કજોડું બનાવવું તે.
આ રીતે માયા અનેક પરિણામોથી જીવો આચરે છે. સ્થલ દ્રષ્ટિથી આ સત્તર ભેદો કહ્યા છે. બાકી પરિણામની ધારાથી માયાનાં અસંખ્ય ભેદો પ્રાપ્ત થઇ શકે છે.
આ માયાના પરિણામને આધીન થઇને જીવો પોતાનો દુઃખમય સંસાર સંખ્યાત-અસંખ્યાત કે અનંત કાળ સુધીનો વધારી શકે છે.
લોભ કષાયના ૧૪ ભેદો કહેલા છે.
૧. લોભ :- તૃષ્ણા. જેમ જેમ જીવોને અનુકૂળ પદાર્થોનો સંયોગ થતો જાય તેમ તેમ અધિક અધિક અનુકૂળ પદાર્થો મેળવવા માટેનો જે લોભ પેદા થાય તે તૃષ્ણા. આ તૃષ્ણાના પરિણામે જીવના અંતરમાં સંતોષ પેદા થતો નથી. અસંતોષની આગ ચાલું જ રહે છે.
૨. ઇરછા - અભિલાષા.
અનાદિ કાળથી અનાદિ કર્મના સંયોગવાળા અનંતા જીવો રહેલા છે. એ અનાદિ કર્મના સંયોગના કારણે રાગ-દ્વેષ આદિ પરિણામ પણ અનાદિ કાળથી છે. તેના કારણે જીવોને આહારાદિ સંજ્ઞાનો અભિલાષા ચાલુ જ રહે છે. માત્ર વચમાં એક ભવમાંથી બીજા ભવમાં જતાં આહારના પુગલો જીવને ન મલે તેટલા કાળ સુધી એ આહારનાં અભિલાષ વાળો હોવા છતાં ય અનાહારી કહેવાય છે. એ જે આહારાદિ પુદ્ગલોનો અભિલાષ તે ઇચ્છા કહેવાય છે તેને લોભ ગણાય છે. આ પણ લોભનો પ્રકાર છે.
૩. મૂચ્છ :- મોહ. જેમ જેમ જીવોને ઇચ્છા મુજબ આહાર આદિના પગલો મળતાં જાય છે તેમ તેમ તેનો લોભ વધે છે અને તે લોભના કારણે મૂચ્છ પેદા થાય છે એટલે તે પુગલો પ્રત્યે મોહ પેદા થાય છે.
૪. કાંક્ષા – અપ્રાપ્ત પદાર્થોની ઇચ્છા.
Page 49 of 161
Page #50
--------------------------------------------------------------------------
________________
ઇરછાના અભિલાષાથી પદાર્થોની પ્રાપ્તિ થતી જાય તેમ તેમ નહિ પ્રાપ્ત થયેલ પદાર્થોની ઇરછાઓ. જીવોને પેદા થયા કરે તે કાંક્ષા. જગતમાં રહેલા પદાર્થોનું સ્વરૂપ જ્ઞાની ભગવંતોએ જ જણાવેલ છે કે જે પદાર્થો પ્રાપ્ત થયા કરે તેનાથી અપ્રાપ્ત પદાર્થોની ઇચ્છાઓ પેદા થયા કરે છે. માટે જ તે પદાર્થો સુખકારક ગણાતા નથી પણ પરિણામે દુ:ખરૂપ કહ્યા છે.
૫. ગૃદ્ધિ - પ્રાપ્ત થયેલ પદાર્થોમાં આસક્તિ પેદા થયા કરવી. જેમ જેમ અનુકૂળ પદાર્થો પેદા થતા. જાય છે તેમ તેમ જીવોને તે પ્રાપ્ત થયેલ પદાર્થોમાં આસક્તિ થયા કરે છે તે પણ એક લોભનો પ્રકાર છે. તે ગૃધ્ધિ કહેવાય છે.
૬. તૃષ્ણા :- પ્રાપ્ત પદાથોનો વ્યય ન થાય એવી ઇચ્છા. જે અનુકૂળ પદાર્થો પ્રાપ્ત થયેલ હોય તે વાપરતા ખલાસ ન થઇ જાય. ખર્ચાઇ ન જાય તેવી ભાવના રાખીને લાંબા કાળ સુધી ચાલ્યા કરે તેવી વિચારણા કર્યા કરવી તે તૃષ્ણા કહેવાય છે.
૭. ભિદ્યા - વિષયોનું ધ્યાન કરવું. પાંચ ઇન્દ્રિયનાં જે જે અનુકૂળ પદાર્થો હોય તેની વિચારણાઓ કરીને તેમાં સ્થિર થવું તે ભિધ્યા. ૮. અભિઠ્યા :- ચિત્તની ચલાયમાન સ્થિતિ.
પાંચ ઇન્દ્રિયનાં અનુકૂળ પદાર્થોમાં જીવની જે ચંચળતા એટલે મળેલા પદાર્થો ટકશે કે નહિ નવા મળશે કે નહિ તેને વધારવા પ્રયત્ન કરતાં મારી પાસે વધશે કે નહિ ઇત્યાદિ જે વિચારણાઓ એ ચિત્તની ચલાયમાન સ્થિતિ કહેવાય છે.
૯. કામાશા - ઇષ્ટ શબ્દાદિની આશા. પાંચ ઇન્દ્રિયનાં અનુકૂળ પદાર્થો જે કહ્યા છે તે મેળવવાની આશાઓમાં રહ્યા કરવું તે કામાશા. ૧૦. ભોગાશા :- ઇષ્ટ ગંધાદિની આશા. મળેલા પદાર્થો ભોગવાશે કે નહિ ભવિષ્યમાં કામ લાગશે એવી જે આશાઓ તે. ૧૧. જીવિતાશા :- જીવવાની આશા.
હજી વધારે જીવાયતો સારું. હમણાં મારૂં મરણ ન આવે તો હવે શાંતિથી જીવાય એવી આશા. તે જીવિતાશા કહેવાય.
૧૨. મરણાશા - મરણની ઇરછા.
અનેક પ્રકારના રોગો પેદા થયેલા હોય, પીડાથી રીબામણ વધતી જતી હોય તો તે પીડાથી છૂટકારો મેળવવા માટે મરણની આશા રાખીને મરણને ઇરછયા કરવું તે મરણ આશા કહેવાય છે.
૧૩. નન્દી - સમૃદ્ધિમાં આનંદ.
પોતાના પુણ્યોથી મળેલી સામગ્રી અને સમૃદ્ધિમાં આનંદ માની માનીને જીવવું તે નદી રૂપે લોભનો. પ્રકાર કહેલો છે.
૧૪. રાગ – સ્નેહ. તે સમૃદ્ધિના પદાર્થોને વારંવાર જોતાં તમાં આસક્તિ મૂચ્છ વગેરે પેદા થતાં થતાં તે પદાર્થોમાં રાગ કર્યા કરવો તે રાગ.
આ રીતે લોભના ૧૪ ભેદો કહ્યા છે.
આ રીતે જ્ઞાની ભગવંતો કહે છે કે જગતમાં રહેલા જીવો ક્રોધાદિ કષાયને આધીન થઇને આ બાવન પ્રકારના જુદા જુદા ભેદમાં ગુંથાયેલા દુ:ખ પામતાં પામતાં પોતાનો સંસાર સંખ્યાત કાળનો-અસંખ્યાત કાળનો કે અનંત કાળનો વધારતાં જાય છે. જે જીવોને પોતાનો દુ:ખમય સંસાર
Page 50 of 161
Page #51
--------------------------------------------------------------------------
________________
વધારવો ન હોય તો આ કષાયના સ્વરૂપને ઓળખીને તેનાથી સાવધ રહેવાનો અભ્યાસ કરી અથવા તે જ કષાયની સહાય રાગાદિ પરિણામ નાશ કરવાના ઉપયોગમાં લઇને તે કષાયના ઉદયને પ્રશસ્ત બનાવીને તે કષાયોનો નાશ કરતો જાય તેમ તેમ પોતાનું શુધ્ધ સ્વરૂપ પેદા થતું જાય અને એમ કરતાં એક વાર સંપૂર્ણ કષાયનો નાશ થતાં જ જીવ પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી શકે છે અને જીવો સિધ્ધિ ગતિને પ્રાપ્ત કરે
ઠાણાંગ સૂત્રમાં આંઠ મદ કહેલા છે.
(૧) જાતિ મદ, (૨) કુલ મદ, (૩) બલ મદ, (૪) રૂપ મદ, (૫) તપો મદ, (૬) શ્રુત મદ, (૭) લાભા મદ, (૮) એશ્વર્ય મદ.
મદ એટલે જેનાથી અહંકાર પેદા કરી બીજાની અવજ્ઞા કરવી તે.
સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે જે મદ કરે છે તેના ળ સ્વરૂપે સંસારમાં પરિભ્રમણ થયા કરે એવું કર્મ ઉપાર્જન કરે છે. માટે નિર્યુક્તિ કાર કોઇ પણ પ્રકારનો મદ કરવાનો નિષેધ કરે છે. આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં પણ આઠ મદ સ્થાનોથી નિવૃત્ત થવાનું કહ્યું છે. દશ વૈકાલિક સૂત્રના આઠમા અધ્યયનની ત્રીશમી ગાથામાં પણ બીજાનો પરાભવ અને પોતાનો ઉત્કર્ષ કરવાનો નિષેધ કરેલો છે. કારણ કે તેનાથી સંસારની વૃદ્ધિ થાય છે.
અંગુત્તર પ્રકરણમાં મદના ત્રણ ભેદ ગણાવ્યા છે. (૧) યોવન મદ, (૨) આરોગ્ય મદ, (૩) જીવિત મદ. કારણ કે આ ત્રણ મદોથી મનુષ્યો દુરાચારી બને છે. તે ત્રણમાં આઠે મદનો સમાવેશ થઇ શકે છે. (૧) યોવન મદમાં - જાતિ - કુલ - બલ અને રૂપ મદ આવે. (૨) આરોગ્યમાં - તપ અને મૃત મદ આવે. (૩) જીવિત મદમાં - લાભ અને ઐશ્વર્ય મદ આવી શકે છે. મૂચ્છ એટલે મોહ તેના બે પ્રકાર પાડેલા છે. (૧) પ્રેમ પ્રત્યયા મૂચ્છ અને (૨) દ્વેષ પ્રત્યયા મૂચ્છ પ્રેમ પ્રત્યયા મરચ્છના બે ભેદ – માયા અને લોભા. દ્વેષ પ્રત્યયા મૂચ્છના બે ભેદ - ક્રોધ અને માન એમ ઠાણાંગ સૂત્રમાં કહેલ છે. આશંસા પ્રયોગ દશ પ્રકારે શ્રી ઠાણાંગ સૂત્રમાં કહેલ છે. (૧) ઇહલોક આશંસા. (૨) પરલોક આશંસા (૩) ઉભય લોક આશંસા (૪) જીવિત આશંસા (૫) મરણ આશંસા (૬) કામ આશંસા (૭) ભોગ આશંસા. (૮) લાભ આશંસા. (૯) પૂજા આશંસા. (૧૦) સત્કાર આશંસા
ગુજરાતીમાં જેને નિયાણ કહે છે તે આશંસા પ્રયોગ કહેવાય છે. કોઇપણ સં અનુષ્ઠાન પાછળનો મોક્ષ સિવાયનો જે હેતુ તે આશંસા પ્રયોગ અથવા નિયાણુ કહેવાય છે.
એ ક્રોધાદિ કષાયોનાં મુખ્ય ચાર ભેદો જ્ઞાની ભગવંતોએ જણાવેલા છે જે જીવોના જીવનમાં રોજીંદી ક્રિયા રૂપે વણાઇ ગયેલા છે. લગભગ તે ચારમાંથી કોઇને કોઇ ભેદનો જીવ ઉપયોગ કરતો કરતો પોતાનું જીવન જીવી રહેલો હોય છે. તેના નામો.
Page 51 of 161
Page #52
--------------------------------------------------------------------------
________________
(૧) સ્વ પ્રતિષ્ઠિત કષાયા (૨) પરસ્પ્રતિષ્ઠિત કષાય. (૩) ઉભય પ્રતિષ્ઠિત કષાય (૪) અપ્રતિષ્ઠિત કષાય.
(૧) સ્વ પ્રતિષ્ઠિત કષાય :- જીવ પોતાના ક્રોધાદિ કષાયના ઉદયથી પોતે ને પોતે બળાપો કર્યા કરે નવરો પડે ત્યારે પોતેને પોતે બબડ્યા કરે. રસ્તે ચાલતાં ચાલતાં પણ બબડતો બબડતો ચાલે તે સ્વપ્રતિષ્ઠિત.
(૨) પર પ્રતિષ્ઠિત કષાય - પોતાના નિમિત્તે બીજા જીવોને જે કષાય પેદા થાય તે પર પ્રતિષ્ઠિત કષાય કહેવાય. વાતો કરતાં કરતાં બીજાને ક્રોધાદિ કષાયો પેદા કરાવવા અને તે કષાય પેદા થયા પછી તે વ્યક્તિ ન આવે ત્યાં સુધી આ કષાય ચાલુ રહ્યા કરે છે.
(૩) ઉભય પ્રતિષ્ઠિત કષાય :- એકના કષાયથી બીજાને કષાય પેદા થાય અને બન્નેને કષાય પેદા થતાં બન્ને બોલાચાલી કર્યા કરે તે ઉભય પ્રતિષ્ઠિત કષાય કહેવાય.
(૪) અપ્રતિષ્ઠિત કષાય :- ક્રોધાદિ કષાયના પુદગલો ઉદયમાં આવી ચાલ્યા જાય પણ તેનું ત્રણે કષાયના ભેદમાંથી કોઇ ળ આપે નહિ તે અપ્રતિષ્ઠિત કષાય કહેવાય છે.
ક્રોધાદિક ચાર ક્યાયો
(૧) ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને દુર્ગચ્છા એ સર્વે પ્રત્યક્ષ કલેશનાં કારણરૂપ અનર્થકારી (જાણી જરૂર પરિહરવા યોગ્ય) છે.
(૨) ક્રોધ, કલહ, ખાર, પરસ્પર મત્સર, ખેટ, અકળાશ, અધીરજ, તામસ ભાવ, સંતાપ, તિરસ્કાર, નિબંછન, આપખુદી, પૃથફ (જૂદો) વાસ અને કૃતનાશ (કૃતજ્ઞતાદિ) એ સર્વે દ્વેષના પર્યાય છે. તેવા દોષવડે ઘણા આકરા ચીકણાં કર્મ બંધાય છે. (તેથી તે તજવા યોગ્ય છે.)
(૩) માન, મદ, અહંકાર, પરપરિવાદ, આત્મ ઉત્કર્ષ (આપ-બડાઇ યા આત્મશ્લાઘા) પર પરાભવ, પરનિંદા, ઇર્ષા-અસુયા, હેલના, નિરૂપકારીપણું, અકડાશ, અવિનય અને પરગુણ-આચ્છાદના (ઢાંકણ) આ સર્વે અભિમાનના પર્યાય પ્રાણીને સંસારચક્રમાં ભાડે છે-રઝળાવે છે.(તેથી તે સઘળા ત્યાજ્ય
છે.)
(૪) માયા કપટ, છાનું પાપાચરણ, કુટિલતા, ઠગબાજી, સર્વત્ર અવિશ્વાસ, અણબનાવ, પરન્યાસાપહાર (થાપણ મોસો), છળ, છઘ, મંત્રભેદ, ગૂઢ આચરણ અને વિશ્વાસઘાત એ સર્વે માયાના પર્યાયો પ્રાણીને ક્રોડોગમે ભવભયમાં નાખે છે.
(૫) લોભ, અતિ સંગ્રહશીલતા, કિલષ્ટતા, અતિ મમત્વ, કૃપણતા, સડી વિસણી ગયેલી વસ્તુ ખાવા પીવાથી થતી રોગોત્પત્તિ, મૂચ્છ, અતિઘણો ધનનો લોભ અને સદા લોભ ભાવના એ સર્વ તૃષ્ણાના પર્યાયો પ્રાણીઆને મહા ભયંકર ભવસમુદ્રમાં ડુબાડે છે.
(૬) એ સર્વ કષાયના વિકારોથી જે મહાનુભાવ દૂર રહે છે. તેણે જ આત્માને યથાર્થ ઓળખ્યો છે. એવો નિર્મળ નિષ્કષાય આત્મા, મનુષ્યોને અને દેવતાઓને પણ પૂજનિક થાય છે. એમ સમજી ઉક્ત સકળ પર્યાયો સહિત ચારે કષાયોનો નિશ્ચ ત્યાગ કરવો જોઇએ.
(૭) જે દુર્બુદ્ધિ જન પ્રચંડ ઝેરી દાઢવાળા ભયંકર સર્પને સ્પર્શ કરે છે તે તેનાથી વિનાશને પામે છે, ક્રોધ પણ એવો (અરે એથી અધિક) ભયંકર છે.
Page 52 of 161
Page #53
--------------------------------------------------------------------------
________________
(૮) જે કોઇ મદોન્મત્ત થયેલા કૃતાન્ત-કાળ જેવા વનહાથીને પકડી રાખે છે તેને તે ચૂર્ણ કરી નાંખે છે. એવોજ ભયંકર માન-અભિમાન-હસ્તી છે.
(૯) જે કોઇ વિષવેલીમય મહાવનમાં સામા પવને પેસે છે તે તેના ઝેરી પવનના સ્પર્શ અને ગંધવતી. તત્કાળ મરણ પામે છે. માયારૂપી વિષવેલી પણ એવી જ ભયંકર છે એમ સમજી તેને તજવી જોઇએ.
(૧૦) મરછ, મગરમચ્છ અને ગ્રાહાદિક જળજંતુઓથી ભરેલા મહાભયંકર સમુદ્રમાં જે કોઇ પ્રવશા કરે છે તે મરણાન્ત સંકટને સાક્ષાત્ અનુભવે છે. લોભસમુદ્ર પણ એવો અત્યન્ત ભયંકર છે, તેથી જ તે તજવા યોગ્ય છે.
(૧૧) જ્ઞાનાદિક અથવા ક્ષમાદિક સદ્ગુણો અને અજ્ઞાનાદિક અથવા ક્રોધાદિક દુર્ગુણો (દોષો) નો વિવેક સારી રીતે જાણ્યા છતાં જો (પ્રમાદવશ) જનો સદગુણોનો આદર-સ્વીકાર અને દુર્ગણોનો ત્યાગ ન કરે તો તે ભારેકર્મીપણાને લીધે જ સમજવું અને જેમ બને તેમ વિષયકષાયાદિ પ્રમાદનો ત્યાગ કરવા ચીવટ રાખવી.
હાસ્યાદિક દોષોનો ત્યાગ કરવો જરૂરનો છે. (૧) અહટ્ટ હાસ્ય (ખુલ્લે મુખે ખૂબ હસવું) ઠઠ્ઠામશ્કરી, સામાન્ય હાસ્ય, હાસ્યગતિ કાવ્યાલંકાર, રતિકંદર્પ (કામક્રીડા) કે પરનું ઉપહાસ્ય સાધુ (પવિત્ર) જનો કરે નહીં. ‘હુસતાં બાંધ્યાં કર્મ, રોતાં છૂટે નહી’ એમ તેઓ સમજે છે. (એથી સાવધાનપણે વર્તે છે.)
(૨) રખે મને શીત-તાપાદિકથી પીડા થાય એવી બીક ઉત્તમ સાધુ રાખે નહીં. મારું શરીર કેવું સુંદર છે અથવા મજબૂત કે નિર્બળ છે તે તપાસવા આરીસો વિગેરે દેખે નહિ. તપસ્યાથી કંટાળે નહીં. આપવખાણ કરે નહીં. તેમજ ગમે તેટલો લાભ સાંપડે તોપણ હર્ષઘેલા બને નહીં. (તપ-સંયમમાં સાવધાન પણે વર્તે.)
(૩) ઉદ્વેગ, ધર્મધ્યાનથી, વિમુખતા, અરતિ (અત્યંત ઉદ્વેગ), ચિત્ત-ક્ષોભ અને અનેક પ્રકારે ચિત્તની ચપળતા સુવિહિત સાધ જનોને શા માટે હોય ?
(૪) શોક, સંતાપ, અધીરજ, અત્યંત શોકજન્ય ક્ષોભ, વૈમનસ્ય (વિરોધ), મંદ સ્વરથી રૂદન અને લાંબે સ્વરે રૂદન કરવું એ સઘળું મુનિમાર્ગથી વિરૂદ્ધ છે.
(૫) ભય, સંક્ષોભ, ખેદ, ચાલતા પંથને તજી સિંહાદિકના ભયથી અન્ય પંથે ચાલવું, વેતાલાદિકથી. ડરી જવું તથા ભયથી બીજાને માર્ગ બતાવવો અથવા મિથ્યામાર્ગનું કથન કરવું એ સઘળું દ્રઢધર્મીને કરવું અનુચિત છે. પંથભેદ વિગેરે તો જિનકલ્પીમુનિને આશ્રીને સમજવું.
(૬) અત્યન્ત મલીન પદાર્થ દેખી મનમાં દુગંરચ્છા, મૃતકલેવર વિગેરે દેખીને ઉદ્વેગ અને અશુભા વસ્તુને દેખી આંખ વી નાંખવી એ સુસંયતને ઉચિત નથી.
(૭) ઉક્ત કષાય નોકષાય વિગેરે દોષો તજવા યોગ્ય છે એમ પ્રસિદ્ધ જિનવચનને જાણવા છતાં તેમાં મુંઝાઇ તેને તજી શકે નહીં એ કર્મનું પ્રબળપણું જણાવે છે. એમ સમજી ભવભીરૂ જનોએ ખૂબ ચેતીને ચાલવું જોઇએ, ક્રોધ નામે કષાય ઉપતાપ કરનાર, વૈરનું કારણ દુર્ગતિને આપનાર અને સમતા સુખને અટકાવનાર ભોગરૂપ છે. તે ઉત્પન્ન થતાં જ અગ્નિની પેઠે પ્રથમ પોતાના આશ્રયને તો બાળે જ છે પછી. બીજાને બાળે છે કિંવા નથી પણ બાળતો, આઠ વર્ષે ઉન પૂર્વકોટી વર્ષો પર્યત ચારિત્ર અને તપ કરેલું હોય, તો તેને પણ ક્રોધરૂપી અગ્નિ ક્ષણવારમાં દહન કરી નાંખે છે. પૂર્વના પુણ્ય સંભારથી સંચય કરેલું સમતારૂપ પય, ક્રોધરૂપ વિષના સંપર્કથી તત્કાળ અસેવ્ય થઇ જાય છે. વિચિત્ર ગુણને ધારણ કરનારી ચારિત્ર રૂપ ચિત્રની રચના (ચિત્ર શાળી) ને ક્રોધ રૂપ ધુમાડો પ્રસરીને અત્યંત મલીન કરી નાંખે છે.
Page 53 of 161
Page #54
--------------------------------------------------------------------------
________________
તેથી સારી બુધ્ધિવાળા પુરૂષે સર્વ ઇન્દ્રિયોને ગ્લાનિ કરનાર અને ચારે તરફ પ્રસરતા એવા કોપ રૂપી સર્પને ક્ષમારૂપી જાંગુલી વિધા વડે જીતી લેવો.
માન -વિનય, શ્રુત, શીલ તથા ત્રિવર્ગ (ધર્મ-અર્થ અને મોક્ષનો) નો ઘાત કરનાર માન પ્રાણીના વિવેકરૂપી લોચનનો લોપ કરીને તેને અંધ કરી નાંખે છે. જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય બળરૂપ તપ અને શ્રુતનો મદ કરનાર પુરૂષ તે તે વસ્તુનું હીનપણું પ્રાપ્ત કરે છે.
જે જે વખતે જાતિ વગેરેનું ઉધ્ધતપણું અંતરમાં સ્પર્શ કરવા લાગે તે તે વખતે તેના પ્રતિકારને માટે મૃદુતાનો આશ્રય કરવો. સર્વઠેકાણે મૃદુતા રાખવી. તેમાં પણ પૂજ્ય વર્ગમાં વિશેષે રાખવી કારણ કે પૂજ્યની પૂજા વડે પાપથી મુક્ત થવાય છ. બાહુબલી માનવડે લતાની જેમ પાપથી બંધાયા હતા અને મૃદુતા વડે તત્કાળ તેનાથી મુક્ત । થઇને કેવલજ્ઞાન પામ્યા હતા. ચક્રવર્તીપણ ચારિત્ર લઇને સંગ રહિત થઇ શત્રુઓનાં ઘરમાં પણ ભિક્ષા માગવા જાય છે. અહા ! તે માનના ઉચ્છેદને માટે કેવી કઠણ મૃદુતા ! ચક્રવર્તી જેવા મહારાજા પણ તત્કાળ દીક્ષા લીધેલા એક રંક સાધુને પણ માન છોડી નમે છે અને ચિરકાળ તેની સેવા કરે છે.
માયા :-અસત્યની માતા, શીલ રૂપ વૃક્ષને કાપવાની રસી અને અવિધાની જન્મભૂમિ જે માયા તે દુર્ગતિનું કારણ છે. કુટિલપણામાં ચતુર અને માયા વડે બગલાની જેવી વૃત્તિવાળા પાપી પુરૂષો જગતને વંચતા પોતાના આત્માને જ વંચે છે. રાજાઓ ખોટા ષડગુણના યોગથી છળ અને વિશ્વાસઘાત વડે અર્થ લોભને માટે સર્વ જગતને છેતરે છે. બ્રાહ્મણો તિલક-મુદ્રા-મંત્ર અને દીનત્વ બતાવી અંતરમાં શૂન્ય અને બહાર સારવાળા થઇ લોકોને ઠગે છે. માયાના ભાજન વણિક લોકો ખોટા તોલા અને માનપાનથી તથા દાણચોરી વિગેરેથી ભોળા લોકોને વંચે છે. પાખંડીઓ અને નાસ્તિકો જટા-મૌજી-શિખા-ભસ્મ-વલ્કલ અને અગ્નિ વગેરે ધારણ કરીને શ્રધ્ધાવાળા મુગ્ધજનને ઠગે છે. વેશ્યાઓ અરાગી છતાં હાવભાવ લીલાગતિ અને કટાક્ષ વડે કામીજનોનું મનોરંજન કરતી સર્વજગતને ઠગે છે. દ્યુત કારો તથા દુઃખે પેટ ભરવામાં તત્પર લોકો ખોટા સોગનથી અને ખોટા નાણાથી ધનવાનને વંચે છે.
જે સરળ પણે આલોચના કરે છે તે સર્વ દુષ્કર્મને ખપાવે છે અને જે કુટિલપણે આલોચના કરે છે તે થોડા દુષ્કર્મ હોય તો તેને ઉલ્ટા વધારે છે. જેઓ મન, વચન અને કાયાથી સમસ્ત પ્રકારે કુટિલ છે. તેમનો માક્ષ થતો નથી પણ જેઓ મન, વચન, કાયાથી સર્વત્ર સરલ છે તેનો મોક્ષ થાય છે.
લોભ :- સર્વદોષોની ખાણ ગુણનો ગ્રાસ કરવામાં રાક્ષસ વ્યસરૂપી લતાનું મૂળ અને સર્વ અર્થને બાધ કરનાર લોભ છે. નિર્ધન સોને, સો વાળો સહસ્ત્રને, સહસ્ત્રાધિપતિ લક્ષને, લક્ષપતિ કોટીને, કોટીપતિ રાજાપણાને, રાજા ચક્રવર્તી પણાને, ચક્રવર્તી દેવપણાને અને દેવ ઇન્દ્રત્વને ઇચ્છે છે. ઇન્દ્રપણું પ્રાપ્ત થતાં પણ ઇચ્છા નિવૃત્તિ પામતી નથી તેથી મૂળમાં લઘુપણે રહેલો એ લોભ કુંભારના ચક્ર પર રહેલા શરાવલા (રામપાત્ર)ની જેમ વધ્યા કરે છે.
સર્વપાપમાં જેમ હિંસા-સર્વ કર્મમાં જેમ મિથ્યાત્વ અને સર્વ રાગમાં જેમ રાજ્યક્ષમા (ક્ષયરોગ) તેમ સર્વ કષાયોમાં લોભ મોટો છે.
આભૂષણ-ઉધાન અને વાપિકા વગેરેમાં મૂર્છાવાળા દેવતાઓ પણ ત્યાંથી ચ્યવીને તેજ ઠેકાણે પૃથ્વીકાય વગેરેમાં ઉત્પન્ન થાય છે. મુનિજનો પણ ક્રોધાદિકનો વિજયકરીને ઉપશાંત મોહ નામના અગીઆરમા ગુણઠાણાને પ્રાપ્ત થયા છતાં એક લોભના અંશ માત્રથી પતિત થાય છે. લેશમાત્ર ધન લોભથી સહોદર ભાઇઓ પણ એક માંસના લવની ઇચ્છાએ બે કુતરાઓ લડે તેમ પરસ્પર યુધ્ધ કરે છે. ગ્રામ્યજન
Page 54 of 161
Page #55
--------------------------------------------------------------------------
________________
અધિકારી અને રાજાઓ ગામ વગેરેના એક સીમાડાની બાબતમાં લોભ કરી સૌહદ ભાવને છોડી દઇને પરસ્પર વૈર બાંધે છે.
લોભરૂપી ખાડો જેમ જેમ પૂરવા માંડીએ તેમ તેમ વધતો જાય છે. એ મોટું આશ્ચર્ય છે. કદિ જળવડે સમુદ્ર પૂરી શકાય પણ ત્રૈલોક્યનું રાજ્ય મલે તો પણ તે પૂરી શકાતો નથી. ભોજન વસ્ત્ર, વિષય અને દ્રવ્યનો સંચય અનંતીવાર. એકઠો કરીને ભોગવ્યા છતાં પણ લોભનો એક અંશ પણ પૂરાતો નથો.
મોટી બુધ્ધિવાળા પુરૂષે એક લોભના ત્યાગને માટેજ યત્ન કરવો. સદ્ગુધ્ધિવાળા પુરૂષે લોભના પ્રસરતા એવા ઉદ્વેગ સાગરને સંતોષના સેતુબંધ વડે રોકવો.
તૃણની શય્યા પર સુનારા પણ સંતોષીઓને જે સુખ થાય છે તે સુખ રૂની શય્યા પર સુનારા પણ સંતોષ વગરના પુરૂષોને થતુ નથી. અસંતોષી ધનવાન પુરૂષો સમર્થ પુરૂષોની પાસે તૃણ સમાન લાગે છે અને સંતોષી પુરૂષોની પાસે સમર્થ પુરૂષો પણ તૃણ સમાન લાગે છે. ચક્રવર્તીની અને ઇન્દ્રાદિકની સંપત્તિ પ્રયાસ જન્ય અને નશ્વર છે પરંતુ સંતોષથી થયેલું સુખ આયાસ રહિત અને નિત્ય છે માટે સારી બુધ્ધિ વાળા પુરૂષે સર્વ દોષના સ્થાન રૂપ લોભને દૂર કરવાને માટે અદ્વૈત સુખના ગૃહરૂપ સંતોષનો આશ્રય કરવો. ૭. લેશ્યા દ્વાર
સ્વભાવના બંધારણને લેશ્યા કહે છે. કૃષ્ણાદિ પુદ્ગલોના સંયોગથી સ્ફટિક રત્નનું જે પરિણામ થાય છે. એવી રીતે કર્મોના સંયોગથી આત્માનો પરિણામ ( અધ્યવસાય) તે લેશ્યા કહે છે.
અન્વય વ્યતિરેકથી, લેશ્યાના સંયોગપણાને લીધે, લેશ્યાના દ્રવ્યો યોગને વિષે અંતરગત છે એમ સમજવું. યોગાંતરગત એક જાતના પુદ્ગલોના સંબંધી જે જીવના શુભાશુભ પરિણામ થાય છે તેને લેશ્યા કહેવાય છે. પંચ સંગ્રહમાં લેશ્યાઓને યોગાંતર ગત એટલે કે મન-વચન-કાયાના વર્ગણાઓની પરંપરાગત લેશ્યાઓની અનંતી વર્ગણાઓ કહેલી છે.
પહેલા મતે :- લેશ્યા કષાયના નિચંદ રૂપ છે તેમાં કષાય મોહનીયના ઉદયથી ઉત્પન્ન થયેલી ગણાય છે. આ પ્રમાણે વ્યાખ્યા કરીને વિચારીએ તો અકષાયી જીવોને લેશ્યાના અભાવનો પ્રસંગ આવે. બીજા મતે :- લેશ્યા કર્મના નિદરૂપ છે. તો પ્રશ્ન થશે કે કયા કર્મના નિસ્યંદ રૂપ છે ? જો આઠે કર્મના નિણંદ રૂપ કહેશો તો ચાર કર્મોવાળા અયોગી જીવોને લેશ્યાના સદ્ભાવનો પ્રસંગ આવે. ચાર ઘાતી કર્મનો ક્ષય થયેલ હોઇ અયોગીને ન હોય એમ કહેશો તો સયોગી કેવલીને પણ લેશ્યાના અભાવનો પ્રસંગ આવશે કારણ કે સયોગી કેવલી ભગવંતો ને પણ ચાર ઘાતી કર્મો હોતા નથી.
ત્રીજા મતે :- લેશ્યા યોગના પરિણામરૂપ છે. આ મતે ત્રણયોગ જનક કર્મના ઉદયથી લેશ્યા સમજવી એમ કર્મગ્રંથ વૃત્તિનો અભિપ્રાય છે. તત્વાર્થ વૃત્તિમાં મનોયોગના પરિણામ રૂપ લેશ્યા કહેલી છે.
પ્રાણી સમુદાયમાં કોઇક સ્વભાવથી શાત હોય, ઉગ્ર હોય, ઘાતકી હોય, દયાળુ હોય, ધીમો હોય, ઉતાવળો હોય તે સ્વભાવના બંધારણને લેશ્યા કહે છે અથવા લૌકિક વ્યવહાર ઉપરથી કરવામાં આવેલું લાગણીઓનું પૃથક્ કરણ એ લેશ્યાઓ છે.
લેશ્યા એટલે જીવનો કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે ભાષ્યમાન પરિણામ તે લેશ્યા. લેશ્યાઓ ક્યાયોને સહાય કરનારી છે.લેશ્યાઓને કર્મની સ્થિતિના હેતુભૂત કોઇ કહેતુ નથી. કર્મ સ્થિતિના કારણ રૂપ તો કષાયો જ છે. લેશ્યાઓ તો કષાયોમાં અંતરગત થઇને એની પુષ્ટિ કરનારી હોઇને તત્સ્વરૂપ થઇ રસબંધના હેતુભૂત થાય છે. આમ હોવાથી જ લેશ્યાઓ રસના હેતુભૂત કહેલી છે. એ વાત પૂ. શિવશર્મ સૂરીજીએ પોતાના
Page 55 of 161
Page #56
--------------------------------------------------------------------------
________________
શતક ગ્રંથમાં કષાયોને રસ બંધના હેતુભૂત ઠરાવ્યા છે. એ વાત આ બન્ને યોગ્ય જ છે. કારણ કે કષાયોના. ઉદયને સહાય કરનારી વેશ્યાઓ ઉપચાર નયે કષાય સ્વરૂપ જ કહેવાય.
જેટલા પ્રમાણમાં કષાયોનો સભાવ હોય તેટલા પ્રમાણમાં આ વેશ્યા દ્રવ્યો તે કષાયોને સહાયરૂપ થઇને પ્રગટ કરે છે.
લેશ્યાના છ ભેદો હોય છે. (૧) કૃષ્ણ લેશ્યા, (૨) નીલ વેશ્યા, (૩) કાપોત વેશ્યા, (૪) તેજો લેશ્યા, (૫) પદ્મ લેશ્યા અને (૬) શુક્લ લેગ્યા.
આ છએ વેશ્યાના પુદ્ગલો આંહારક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો અને તેજસ ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોની વચમાં જે જે પુદ્ગલો રહેલા છે તે પુદ્ગલોને વિષે કૃષ્ણ લેશ્યાવાળા-નીલ ગ્લેશ્યાવાળા કાપોત લેશ્યાવાળા, તેજે લેશ્યાવાળા, પદ્મ લેશ્યાવાળા અને શુક્લ લેશ્યાવાળા પુદ્ગલો અનંતા અનંતા. અનંતી અવંતી વર્ગણાઓ રૂપે જગતમાં એટલે ચોદ રાજલોકના દરેક આકાશ પ્રદેશ ઉપર સદા માટે ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. એ પગલોમાંથી જીવો જે જે વેશ્યાના પુગલોની જરૂર પડે તે તે વર્ગણાના પુગલોને ગ્રહણ કરી તે રૂપે પરિણામ એટલે અધ્યવસાય બનાવતા જાય છે.
(૧) કૃષ્ણ લેશ્યાનું વર્ણન - કૃષ્ણ વેશ્યાવાળા જીવોનું લક્ષણ..
(૧) હિંસાદિ પાંચ મહાપાપથી મન, વચન, કાયા વડે છૂટવા માટે બેદરકાર, (૨) ઉત્કટ પાપ પ્રવૃત્તિઓમાં ઉધમવંત, (૩) છ કાય જીવ પ્રત્યે અવિરત, (૪) શુદ્ર, (૫) સાહસિક, (૬) નાસ્તિક, (૭) અજીતેન્દ્રિય અને (૮) ક્રુરતામય લક્ષણોવાળા જીવોને કૃષ્ણ લેશ્યા હોય છે.
(૨) નીલ ગ્લેશ્યાના લક્ષણો :- (૧) ઇર્ષા, (૨) અમર્ષ, (૩) અવિધા, (૪) માયા, (૫) શાંતિનો અભાવ, (૬) નિર્લજ્જતા, (૭) વિષ લંપટતા, (૮) મદ્રેષ યુક્ત, (૯) શઠ, (૧૦) પ્રમત્ત, (૧૧) રસ લોલુપ, (૧૨) પાપમય પ્રવૃત્તિમાં ઉધમવંત, (૧૩) ઇન્દ્રિય સુખાભિલાષી, (૧૪) અને (૧૫) સાહસિક. આ લક્ષણોવાળા જીવોને નીલ ગ્લેશ્યા હોય છે.
(૩) કાપોત વેશ્યાવાળાનાં લક્ષણો - (૧) વાંકુ બોલનાર, (૨) વાંકું આચરનાર, (૩) શઠ, (૪) સ્વદોષ છુપાવનાર, (૫) કપટી, (૬) વિપરીત શ્રધ્ધાવાન્ , (૭) કઠોર ભાષી, (૮) અનાર્ય, (૯) ચોર અને મત્સર યુક્ત આ લક્ષણોવાળા કાપોત લેશ્યા વાળા કહેવાય છે.
(૪) તેજો વેશ્યા વાળાનાં લક્ષણો :- (૧) નમ્ર, (૨) અચપળ, (૩) અમારી, (૪) અકુતુહલી, (૫) વિનયી, (૬) ઇન્દ્રિય નિગ્રહી, (૭) યોગવાન, (૮) ધર્મપ્રિય, (૯) દ્રટધર્મી, (૧૦) પાપભીરૂ અને (૧૧) પરોપકારી. આ લક્ષણોવાળા તેજ લેશ્યાવાળા હોય છે.
(૫) પદ્મ લેશ્યાવાળાનાં લક્ષણો :- (૧) ચાર કષાયોને ઉપશમાવેલ, (૨) આત્માનું દમના કરનાર, (૩) યોગવાન, (૪) સ્વલ્ય ભાષી અને જિતેન્દ્રિય જીવોને પદ્મલેશ્યા હોય છે.
(૬) શુક્લ લેશ્યાવાળાના લક્ષણો :- (૧) આર્ત અને રૌદ્રધ્યાન છોડીને ક્ત ધર્મ અને શુક્લ ધ્યાનમાં ઉધમવંત, (૨) પ્રશાંત ચિત્ત, (૩) આત્માનું દમન કરનાર, (૪) અષ્ટપ્રવચન માતાના પાલક અને જિતેન્દ્ર જીવોને શુક્લ લેશ્યા હોય છે.
અભિપ્રાયોનુ અવલોક્ન છ લેશ્યાઓ
લેશ્યા, એ આત્માનાં પરિણામને વિષે અસર ઉપજાવનારી વસ્તુ છે. સ્ફટિક કેવો હોય છે ? સ્વરછ
Page 56 of 161
Page #57
--------------------------------------------------------------------------
________________
પાણી જેવો. ટિકના મણકામાં કાળો દોરો નાંખ્યો હોય, તો તે મણકો અંદર કાળા રંગવાળો છે-એવું લાગે છે ને ? વસ્તુતઃ ટિકના મણકામાં કાળાશ નથી, પણ જવા રંગના દોરામાં તે મણકો પરોવાય, તેવો તેનો. રંગ દેખાય. એવી જ રીતિએ, આત્માનો પરિણામ તો ટિક જેવો છે, પણ કૃષ્ણાદિ દ્રવ્યોના સંયોગથી, આત્માનો પરિણામ પણ તેવા રૂપને પામે છે. વિવેકી અને સમજશક્તિવાળો માણસ, પોતાના પરિણામ કેવા. છે-તેની કલ્પના કરવા દ્વારા, પાતે તે સમયે કેવી લેશ્યાવાળો છે તેની કલ્પના કરી શકે છે. કયી વેશ્યાની હાજરીમાં જીવોમાં કેવા પ્રકારનો પરિણામ હોય છે-તેને સમજાવવાને માટે, જ્ઞાનિઓએ વેશ્યાઓ સંબંધી જબૂવૃક્ષાદિકનાં ઉદાહરણો વર્ણવેલાં છે, જે તમે સાંભળશો, એટલે કયી કયી વેશ્યાની હાજરીમાં જીવ કેવા કેવા અભિપ્રાયવાળો બને છે, તે તમને સમજાશે. વેશ્યાઓ છ પ્રકારની હોય છે. કૃષ્ણ વેશ્યા, નીલ ગ્લેશ્યા, કાપોત લેશ્યા, તેજો વેશ્યા, પદ્મ લેશ્યા અને શુક્લ લેગ્યા. આ છ લેશ્યાઓના વર્ણ, ગંધ, રસ અને સ્પર્ધાદિક વિષે પણ ઉપકારિઓએ વિસ્તારથી વર્ણન કરેલું છે. આપણે તો અહીં માત્ર એ જોવું છે કે-કયી. લેશ્યા વર્તતી હોય, ત્યારે આત્મા કેવા અભિપ્રાયવાળો બને છે; અને એ વાતનો જો તમને બરાબર ખ્યાલ આવી જાય, તો તમે તમારા અભિપ્રાય ઉપરથી, તમે કયી લેગ્યામાં વર્તો છો, તે સમજી શકો. ઉપકારિઓ. કહે છે કે-ત્રણ વેશ્યાઓ કૃષ્ણ વેશ્યા, નીલ ગ્લેશ્યા અને કાપોત લેશ્યા-એ ત્રણે લશ્યા અતિ દુર્ગધવાળી, ખરાબ અને મલિન હોય છે; પહેલી વેશ્યાઓનો સ્પર્શ પણ ઠંડો તથા લુખ્ખો હોય છે. સંકલેશવાળી બની. થકી એ ત્રણ લેશ્યાઓ, દુર્ગતિને આપનાર નીવડે છે. બાકીની ત્રણ લેશ્યાઓ, એટલે તેજો વેશ્યા, પદ્મ લેશ્યા અને શુક્લ લેશ્યા -એ ત્રણે વેશ્યાઓ અતિ સુગંધવાળી અને અત્યંત નિર્મળ હોય છે. એ ત્રણ લેશ્યાઓનો સ્પર્શ પણ સ્નિગ્ધ તથા ઉષ્ણ હોય છે અને અસંકિલષ્ટ થઇ એ ત્રણ વેશ્યાઓ, સુગતિને આપનારી નીવડે છે. આ વેશ્યાઓના પરિણામોમાં પણ, ઘણી તરતમતા હોય છે. નીલ આદિ લેશ્યાઓના પરિણામોમાં વર્તતા બધા જીવોના પરિણામો એક સરખા જ હોતા નથી; અને એથી પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અને તેમાંય પાછા ભેદો હોય છે.
હવે આપણે છ વેશ્યાઓને અંગે પ્રાણિઓમાં કેવા પ્રકારના અભિપ્રાયો થાય છે, તે સંબંધી શાસ્ત્રોમાં આપેલ બે દ્રષ્ટાન્તોને જોઇએ. આ બે દ્રષ્ટાન્તોમાં છ માણસ કલ્પવામાં આવ્યા છે. એ છએ માણસો જુદી જુદી લેશ્યાવાળા છે. પહેલો માણસ કૃષ્ણ લેશ્યાવાળો છે, બીજો માણસ નીલ ગ્લેશ્યાવાળો છે. ત્રીજો માણસ કાપોત લેશ્યાવાળો છે, ચોથો માણસ તેજો વેશ્યાવાળો છે, પાંચમો માણસ પદ્મ લેશ્યાવાળો છે અને છઠ્ઠો માણસ શુક્લ લેશ્યાવાળો છે. એકની એક જ વસ્તુ અંગે પણ, આ છ માણસોના અભિપ્રાયોમાં, કેટલો અને કેવો ભેદ પડે છે, તે જોવાનું છે; અને એ અભિપ્રાયભેદ, લેગ્યા અંગે છે-એમ સમજવાનું છે.
ભિન્ન ભિન્ન વેશ્યાવાળા છ માણસો, કોઇ એક સ્થળે પહોંચવાને માટે, સાથે જ નીકળ્યા. રસ્તે ચાલતાં તેઓ ભૂલા પડી ગયા અને ઉંધે રસ્તે ચઢી ગયા. એટલે તેઓ ચાલતાં ચાલતાં એક મોટી અટવીમાં પહોંચી ગયા. મોટી અટવીમાં માર્ગ બતાવવા માણસ પણ મળે ક્યાંથી ? અને પેટ ભરવાને ખાવાનું પણ મળે
ક્યાંથી ? તેઓ ભૂખથી એવા પીડાવા લાગ્યા કે અટવીમાં તેઓ માર્ગને શોધવાને બદલે, ખાવાનું શોધવા લાગ્યા ખાવાનું શોધવાને માટે રખડતાં, તેઓએ એ અટવીમાં આવેલા એક જાંબુનું વૃક્ષ જોયું. જાંબુના વૃક્ષને જોતાં તેમને આનંદ થયો, કારણ કે-ભૂખ પીડી રહી હતી, આટલુંય ખાવાનું સાધન તો મળ્યું ને ? માણસ ભૂખથી પીડાતો હોય છે ત્યારે તેને જેવું તેવું પણ ખાવાનું મળે, તોય તે તેનાથી ચલાવી લે છે ને ?
જાંબુનું વૃક્ષ નજરે પડતાની સાથે જ, એક માણસ બોલી ઉઠ્યો- “આ ઝાડને જો આપણે મૂળમાંથી જ ઉખાડી નાંખીને પાડી દઇએ, તો પછી આપણે કશી પણ મહેનત નહિ. સુખેથી આ જાંબુળોનો આસ્વાદ
Page 57 of 161
Page #58
--------------------------------------------------------------------------
________________
કરી શકીએ.' આ માણસ કૃષ્ણ લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આ પ્રકારનો થયો.
એ વખતે, બીજો માણસ બોલી ઉઠ્યો કે- “એમ આવડા મોટા વૃક્ષને નાહક આપણે શું કામ ઉખેડી નાખવું જોઇએ ? ળો તો આ વૃક્ષની મોટી મોટી ડાળીઓમાં છે માટે આપણે આ વૃક્ષને નહિ પાડતાં, આ વૃક્ષની મોટી મોટી ડાળીઓને જ કાપી પાડીએ.” આ માણસ નીલ ગ્લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
તે વખતે, ત્રીજો માણસ કહે છે કે- “આપણે આટલી મોટી મોટી ડાળીઓને તોડી પાડવાનું પણ શું પ્રયોજન છે ? આવી મોટી ડાળીઓ ફ્રી પાછી આ વૃક્ષને ક્યારે થશે ? માટે એમ કરો કે-આપણે આ. વૃક્ષની નાના નાની ડાળીઓને જ તોડી પાડીએ, કારણ કે-ળ તો બધાં નાની નાની ડાળીઓમાં જ છે.” આ માણસ કાપોત લેશ્યાવાળો હતો, આથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
નાની નાની ડાળીઓને તોડી પાડવાની વાતને સાંભળીને, ચોથો કહે છે કે- “આપણે નાની પણ ડાળીઓને તોડી પાડવાનું કામ શું છે ? એક પણ ડાળીને કાપી નાંખ્યા વગર આપણે ળનાં ઝુમખાંઓને જ તોડી પાડીએ. બિચારી ડાળીઓ તો ભલે રહી; પણ જે જે ગુચ્છાઓમાં ફ્લો છે, તે ગુચ્છાઓને જ આપણે તોડી પાડીએ.' આ માણસ તેજો લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
- પાંચમો માણસ તો કહે છે કે- “એમ પણ નહિ; ખાવાથી કામ રાખો, આપણે નિસ્બત માત્ર ળોની. સાથે છે; એ ડાળા, ડાળી કે ઝુમખાંને ધા વિના આપણે આ ઝાડ ઉપરના ફ્લોને જ જમીન ઉપર પાડી નાંખીએ.' આ માણસ પદ્મ લેશ્યાવાળો હતો, માટે તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો. એ છ માણસોમાં, છઠ્ઠો માણસ શુક્લ લેશ્યાવાળો હતો. આ માણસ શુક્લ લેશ્યાવાળો હોવાના કારણે, તેણે પોતાના અભિપ્રાયને વ્યક્ત કરતાં જણાવ્યું કે- “આપણે કામ તો ફળ ખાવાનું છે ને ? તો, આ ઝાડ નીચે ઘણાં ફળો પડેલાં છે. આપણે સૌ નીચે પડેલાં ફળોને જ ખાઇ લઇએ. એટલે ળોને તોડવાનું પાપ પણ લાગે નહિ અને આપણી ભૂખ પણ શમે.”
આવું જ એક દ્રષ્ટાન્ન, છ ચોરોનું આપવામાં આવે છે. કેટલાક ચોરો કોઇ એક ગામને ભાંગવાના ઉદેશથી નીકળ્યા. ચોરોને એ દિવસે જે ગામને ભાંગવાનો વિચાર હતો, એ ગામમાં જઇને શું કરવું? –એ વિષે એ ચોરોએ રસ્તામાં વાતચીત કરવા માંડી.
એક ચોરે કહ્યું કે- “આજે તો આપણે જે કોઇ માણસ કે પશુ નજરે ચઢે, તે સર્વને હણી જ નાંખવાં.' એ ચોર કૃષ્ણ લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
એ વખતે બીજા ચોરે કહ્યું કે- ‘પશુઓએ આપણો શો અપરાધ કર્યો છે, કે જેથી આપણે પશુઓને હણી નાંખીએ ? આપણે વિરોધ તો માણસોની સાથે છે, માટે આપણે પશુઓને હણવાં નહિ, પણ માત્ર માણસોને જ હણવાં.' એ ચોર નીલ ગ્લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
ત્રીજો ચોર કહે છે કે- “એ વાત પણ બરોબર નથી. સ્ત્રીહત્યા કરવી, એ તો અતિ નિદિત કાર્ય છે. માટે આપણે કોઇ પણ સ્ત્રીની હત્યા તો કરવી જ નહિ. આપણે હત્યા કરવી માત્ર પુરૂષોની જ, કારણ કે-તેઓ ક્રૂર ચિત્તવાળા હોય છે.' એ ચોર કાપોત લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
ચોથો ચોર કહે છે કે- ‘એમ શા માટે બધા જ પુરૂષોને આપણે હણવા જોઇએ ? જે બિચારા હથિયાર વિનાના પુરૂષો છે. તેમને તો આપણે હણવા જ નહિ. આપણે તો હણવા એવા જ પુરૂષોને, કે જે પુરૂષો હથિયારવાળા હોય.' એ ચોર તેજો લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
Page 58 of 161
Page #59
--------------------------------------------------------------------------
________________
પાંચમો ચોર કહે છે કે- ‘જેટલા હથિયારવાળા પુરૂષો હોય, તે બધાને હણવા, એમાંય ડહાપણ જેવું શું છે ? હથિયારવાળા હોય પણ આપણને જોઇને ભાગી જતા હોય, એવાઓને મારી નાંખવાથી ફાયદો પણ કયો થઇ જવાનો હતો ! માટે, આપણે એમ રાખો કે જે કોઇ પણ માણસ હથિયાર લઇને આપણી સામે યુદ્ધ કરવાને માટે આવે, તે બધાને આપણે મારી નાંખવા.’ આ ચોર પદ્મ લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
આ પાંચેયના અભિપ્રાયોને જાણીને, એ ચોરોમાં જે શુક્લ લેશ્યાવાળો ચોર હતો, તેણે પોતાના અભિપ્રાયને વ્યક્ત કરતાં જણાવ્યું કે- ‘મને તો લાગે છે કે કોઇને પણ હણવાનો વિચાર કરવો, એ જ ઠીક નથી. આપણે ચોર છીએ એટલે આપણને નિસ્બત ધન સાથે છે. તો પછી એમાં બીજાને હણવાની વાત કરવાની જરૂર શી છે ? એક તો પરદ્રવ્યનું હરણ કરવું એ જ મોટું પાપ છે અને એમાં જો આપણે પાછા બીજાઓના પ્રાણોનું અપહરણ કરવાનું પાપ કરીશું, તો પછી આપણી ગતિ કયી થશે ? માટે, આપણે તો ધન જ લેવું, પણ કોઇનાય પ્રાણ લેવા નહિ !' આ ચોર શુક્લ લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
આ બે દ્રષ્ટાન્તો દ્વારા, ઉપકારિઓએ એ વાત સમજાવી છે કે-કૃષ્ણાદિક છ લેશ્યાઓ પૈકી કયી કયી લેશ્યા વર્તતી હોય છે, ત્યારે તે લેશ્યાવાળા જીવનો અભિપ્રાય કેવા કેવા પ્રકારનો થાય છે; અને એથી, આપણે આપણા અભિપ્રાયને બરાબર સમજી લઇને, આપણે કયી લેશ્યામાં વર્તી રહ્યા છીએ, તેનો નિર્ણય કરી શકીએ છીએ. તમને તમારા અભિપ્રાયની ખબર તો પડે છે ને ? તમારા અભિપ્રાયના સ્વરૂપને તમે બરાબર સમજી શકો છો ને ? ‘મારા અભિપ્રાયમાં હિંસકભાવ કેટલો છે અને અહિંસકભાવ કેટલો છે?' -‘મારા અભિપ્રાયમાં ધર્મભાવ કેટલો છે અને અધર્મભાવ કેટલો છે ?' -આવી ચોક્સાઈપૂર્વકની વિચારણા, તમે કદી પણ કરો છો ખરા ? તમે, ક્યારે ક્યારે કેવા કેવા ભાવમાં રમો છો, તેનો તમને ખ્યાલ રહે છે ?
સ.
એવો ખ્યાલ કરવા ક્યાં બેસીએ ?
એવો ખ્યાલ નહિ કરો, તો કલ્યાણ સાધશો શી રીતિએ ? તમારા ભવિષ્યનું ઘડતર તો તમે કરો છો અને આત્માના પરિણામોનો એમાં જેવો-તેવો હિસ્સો હોતો નથી. કરવા લાયક કામ, કેવા ભાવોલ્લાસથી કરવું જોઇએ અને સંજોગવશાત્ નહિ કરવા લાયક કામ કરવું પડે તોય તે વખતે માનસિક પરિણામોની કેવી જાળવણી કરવી જોઇએ, -એ જાણ્યા વિના, તમે તમારા ભવિષ્યને સુંદર બનાવી શકશો શી રીતિએ ? આપણે એ વાત વિચારી આવ્યા છીએ કે- પરિણામો મલિન બને નહિ, એની તો ખૂબ કાળજી રાખવી જોઇએ. તંદુલિયા મત્સ્યની વાત યાદ છે ને ? કેવળ હિંસકભાવમાં રમવાના યોગે, એ મત્સ્ય સાતમી નરકના આયુષ્યને ઉપાર્જે છે. એ મત્સ્ય, પ્રત્યક્ષપણે કોઇ પણ જીવની હિંસા કરતો નથી, પણ એનું મન મહા હિંસક હોય છે; અને એ હિંસક ભાવમાં રમતું મન જ, એને મહા દુર્ગતિમાં ઘસડી જાય છે. તમને રોજ છેવટ કાંઇ નહિ તો સૂતી વખતેય, એમ ન થાય કે- ‘આજે મેં કેવા કેવા વિચારો કર્યા ? અને મારા
વિચારોથી મને કેવા કેવા પ્રકારનો કર્મબંધ થયો હશે ?' તમે કર્મબંધથી ડરો છો કે નહિ ?
સ. કર્મથી છૂટીએ તો સારૂં એમ થાય.
પણ કર્મથી છૂટવાનું એમ ને એમ બની જશે ? કર્મથી છૂટવાને માટે, વિવેકી અને જ્ઞાની બન્યા વિના ચાલશે, એમ તમે માનો છો ? તમે તમારા મન ઉપર જો કાબૂ નહિ મેળવો અને મન હિંસાદિક ભાવોમાં રમ્યા કરશે, તો તમે જે ગતિમાં જવાને ઇચ્છતા નથી, તેવી ગતિમાં તમારે જિયાત ચાલ્યા જવું
Page 59 of 161
Page #60
--------------------------------------------------------------------------
________________
પડશે, એ વાત યાદ છે ? જો એ વાત યાદ હોય, તો રોજ વિચાર કરવો જોઇએ કે- “આજે મેં કેવા કેવા વિચારો કર્યા અને એથી મને કેવા કેવા પ્રકારનો કર્મબંધ થયો હશે?' આવો વિચાર કરો, તો તમને એમ પણ થાય કે- “મને આવા હિંસાદિના વિચારો આવ્યા શાથી ?' એ વખતે ખ્યાલ આવે કે- “ વિષયરસ અને કષાયરસની કેવી ભયંકરતા છે?'
સ. નબળાઇને અંગે પણ એવા વિચાર આવી જાય, એવું બને ને ?
વિષયરસ અને કષાયરસ ન હોય અને માત્ર નબળાઇ હોય, તો તે અશુભ વિચારોનો હૈયામાં જબરો ડંખ હોય, ક્યારે નબળાઇ ટળે, એમ થયા જ કરે. નબળાઇમાં પણ “કેમ વેઠી લઉં અને પાપથી બચું.” -એમ થયા કરે. ‘નબળાઇ પણ પાપના ઉદયનું પરિણામ છે.” -એવો ખ્યાલ હોય અને નબળાઇના યોગે પાપમાં પ્રવર્તવું પડે છે.' –એવો ખ્યાલ હોય; એટલે નબળાઇના કારણે પણ વધુ પાપમાં ખેંચી જવાય નહિ. એની કાળજી તો હોય ને ? એના હૈયામાં પાપની રૂચિ તો હોય જ નહિ. તમે એ વિચારી જુઓ કે-તમારા હૈયામાં પાપની રૂચિ છે કે નહિ ? એ સમજવાને માટે, તમે તમારા અભિપ્રાયોના સ્વરૂપને પિછાનતાં શીખો.
આપણી વાત તો અભિપ્રાયભેદની છે. ધન કમાવાને નીકળેલામાં પણ અભિપ્રાયભેદ હોય ને ? ધના કમાવું છે, પણ ધનની કમાણી કરવાને માટે અનીતિ તો કરવી જ નથી, એવી વૃત્તિ જીવમાં હોઇ શકે છે ને ? તમે ગૃહસ્થ છો, માટે તમારે ધન મેળવવું પણ પડે છે અને ધન સંઘરવું પણ પડે છે; પણ ધનને મેળવતાં અને ધનને સાચવતાં, હિંસાદિક ભાવોથી બચવાની કાળજી ખરી કે નહિ ? કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા અને કાપોત લેશ્યા. એ ત્રણ લેશ્યાઓને નરકના આયુષ્યના આશ્રવો પૈકી ગણાવેલ છે. કારણ કે-આ સિવાયની લેશ્યાઓમાં વર્તનારો જીવ, નરકમાં આયુષ્યને ઉપાજૅ જ નહિ, આપણે કયી લેગ્યામાં વર્તીએ છીએ-તેનું માપ. આપણે આપણા અભિપ્રાય ઉપરથી કાઢી શકીએ છીએ. તમે, હવે તો, તમે ક્યારે ક્યારે કયી કયી. લેશ્યામાં વર્તો છો, તેનું માપ કાઢવાનો યથાશક્ય પ્રયત્ન કર્યા કરવાના ને ?
સંજ્ઞાઓ અને વેશ્યાઓમાં ભેદ છે, ત્યાં આત્મવેદના (જીવને પોતાને જે અનુભવમાં આવે) તે સંજ્ઞા તે બે પ્રકારની છે. (૧) જીવોના શદ્રવીર્યથી-યોગથી ઉત્પન્ન થયેલી અને (૨) અશુદ્ધ વીર્યથી-યોગથી ઉત્પન્ન થયેલી. ત્યાં પરિણામથી ઉત્પન્ન થયેલી અને શ્લેષ દ્રવ્યરૂપ કર્મગત ભાવવાળી (તે ભાવલેશ્યા) અને કૃષ્ણાદિ દ્રવ્યના સાચિત્રપણાથી (સંબંધથી) ટિકની પેઠે આત્મા (જે રીતે કૃષ્ણાદિ ભાવ વાળો થાય છે તે કૃષ્ણાદિ દ્રવ્યો) દ્રવ્યલેશ્યા છે. (તે ૬ વેશ્યાઓનાં દ્રષ્ટાન્ત આ પ્રમાણે) જેમ અત્યંત પાકી ગયેલા ળોના બહુ ભાર વડે નમી ગયેલ સર્વ અંગવાળા જે મહાન જંબૂવૃક્ષને (કોઇ ૬ મુસાોએ) દેખ્યો. તે સર્વેએ એકબીજાને કહ્યું કે આપણે બીજા ળો વિગેરેથી શું કામ છે ? આ જંબળોનું જ ભક્ષણ કરીએ. પરન્તુ તેમાં એકે કહ્યું મૂળ સહિત વૃક્ષ નીચે પાડીએ ઇત્યાદિ રીતે યાવત છઠ્ઠાએ કહ્યું કે કેવળ જાંબૂ જે નીચે પડ્યાં છે તેજ વીણી લઇએ ૬ જુદા જુદા કથન રૂપ દ્રષ્ટાન્તનો ઉપનય આ પ્રમાણે છે-જે એમ કહે છે કે વૃક્ષને મૂળમાંથી જ છેદો તે જીવ JUIનેશ્યા માં વર્તે છે, અને મહાશાખાઓને છેદવાનું કહેનાર બીનખેશ્યા માં વર્તે છે. પ્રશાખાઓ છેદવાનું કહેનાર છાપોત વેશ્યાવાળો, ગુચ્છાઓ છેદવાનું કહેનાર તેજલેશ્યામાં, ફળો તોડી ખાવાનું કહેનાર પદ્મલેશ્યામાં અને પડેલાં ફળ વીણી ખાવાનું કહેનાર શુક્લા લેશ્યામાં વર્તે છે અથવા બીજું પણ ઉદાહરણ આ પ્રમાણે છે. એક ગામનો વધ કરવા માટે (એટલે ગામને હણીને પણ ચોરી કરવા માટે) ૬ ચોર નિકળ્યા, તેમાંના એક ચોરે કહ્યું કે દ્વિપદ (મનુષ્યાદિ હોય) કે ચતુષ્પદ (પશુ આદિ) જે હોય તે સર્વનો જે દેખાય તેનો ઘાત કરવો. બીજો કહે છે (પશુનો નહિ પણ)
Page 60 of 161
Page #61
--------------------------------------------------------------------------
________________
મનુષ્યોને જ હણવા, ત્રીજો કહે છે કે મનુષ્યમાં પણ સ્ત્રીઓ વજીને) પુરૂષોને જ હણવા, ચોથાએ કહ્યું (પુરૂષોમાં પણ શસ્ત્ર રહિતને વર્જી) શસ્ત્રવાળાઓને હણવા, પાંચમાએ કહ્યું (શસ્ત્રવાળા પુરૂષોમાં પણ) જે સ્થામાં યુધ્ધ કરે તેને જ હણવા, અને છઠ્ઠાએ એમ કહ્યું કે કેવળ તેઓનું એક ધનજ હરણ કરવું, પણ બીજા કોઇને મારવો નહિ, એ પ્રમાણે ન કરો, કેવળ ધન હરણ કરો એમ કહ્યું ત્યાં સુધી કહેવાવાળા તે ૬ ચોરોનો ઉપસંહાર (એટલે ઉપનય) આ પ્રમાણે છે. સર્વને હણો એમ કહેનાર તે ચોર કૃષ્ણલેશ્યાના પરિણામવાળો વર્તે છે, એ પ્રમાણે અનુક્રમે શેષ ચોર સંબંધિ લેશ્યાઓ પણ યાવત્ છઠ્ઠો ચોર શુક્લા લેશ્યાવાળો છે ત્યાં સુધી જાણવું એ બન્ને દ્રષ્ટાન્નોની સંક્ષિપ્ત સંગ્રહવાળી ગાથા આ પ્રમાણે છે. મૂળ-શાખા-પ્રશાખા-ગુચ્છા-ળ એ પાંચનો છેદ કરો એમ કહેનાર અને પડેલા ફળનું ભક્ષણ કરો એમ કહેનાર (અનુક્રમે ૬ વેશ્યાવાળા છે) તથા સર્વને-મનુષ્યને-પુરૂષોને-શસ્ત્રધારીને અને યુધ્ધ કરતાને હણવા તથા કેવળ ધન હરણ કરવું (એમ ૬ રીતે કહેનાર અનુક્રમે ૬ વેશ્યાવાળા છે.)
૬ લેયાઓનાં ભિન્ન ભિન્ન લક્ષણો
વેર વડે અનુકંપા રહિત, અતિ પ્રચંડ, દુર્મુખ (દુષ્ટ ગાળ વિગેરે બોલનાર), તિક્ષ્ય સ્વભાવવાળો, કઠોર હૃદયવાળો, અધ્યાત્મભાવ રહિત અને તુર્ત વધ કરવામાં તૈયાર એવો જીવ કૃષ્ણલેશ્યા માં વર્તતો જાણવો. માયાદંભમાં કુશળ ઉત્કૃષ્ટ લોભ-આશક્તિવાળો, ચપળ અને ચલાયમાન ચિત્તવાળો, મેથુનમાં તીવ્ર અભિલાષાવાળો અને અસત્યપ્રલાપી જીવ નીલલેશ્યામાં વર્તનારો જાણવો. મૂઢ, આરંભમાં પ્રીયતાવાળો, સર્વ કાર્યોમાં પાપને નહિ ગણનારો તથા હાનિ વૃદ્ધિ (એટલે લાભાલાભ) નહિ ગણનારા અને ક્રોધયુક્ત એવો જીવ કાપોતલેશ્યામાં વર્તનારો જાણવો. દક્ષ (ડાહ્યો) સંવર (પાપકર્મને રોકવાના) સ્વભાવવાળો, સરળ હૃદયવાળો, દાનગુણ અને શીલગુણમાં કુશળ, ધર્મને વિષે બુદ્ધિવાળો અને રોષ-ક્રોધ રહિત એવો જીવ તેજોલેશ્યામાં વર્તે છે. જીવો પર અનુકંપાવાળો, સ્થિરસ્વભાવી, નિશ્ચયે સર્વ જીવોને દાન આપનારો, અતિશુક્લ બુધ્ધિવાળો અને ધૈર્યવાન જીવ પબલેશ્યામાં વર્તે છે. જેની ધર્મમાં બુદ્ધિ હોય છે, સર્વ કાર્યોમાં પાપારંભનો ત્યાગ કરે છે, આરંભ સમારંભમાં રાજી થતો નથી અને અપક્ષપાતી એવો જીવ શુક્લલેશ્યામ વર્તે છે. કૃષ્ણાદિ દ્રવ્યોના સંયોગથી ટિકના સરખો આત્માનો જે પરિણામ કે જેનાથી કાર્યપ્રવૃત્તિ (શુભાશુભાધ્યવસાય રૂપ કાર્યની પ્રવૃત્તિ) થાય છે તે દ્રવ્યલેશ્યા છે. આત્માનો (શુભાશુભ) પરિણામ કે જે સર્વત્ર સમાપ્ત કાર્ય સંપત્તિવાળો છે તે કર્મના નિયંદ (સાર) રૂપ ભાવલેશ્યા જાણવી. યાવત શુક્લલેશ્યા સુધીની દરેકના પરિણામ ૩-૯-૨૮૧-૨૪૩ તેથી ઘણા અને તેથી પણ ઘણા પ્રકારના હોય છે. પ્રત્યેક વેશ્યા અનંત અનંત વર્ગણા યુક્ત કહી છે તેમજ તે અનંત વર્ગણાઓ (માંની દરેક વર્ગણા પણ) સર્વે અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાહ વાળી છે. ll૧૧-૨૦||
તે સર્વ લેશ્યાઓનાં (પ્રત્યેકના) અધ્યવસાય સ્થાનો અસંખ્યાત છે, અને ક્ષેત્ર માર્ગણા વડે તે અસંખ્ય લોકાકાશના આકાશ પ્રદેશ પ્રમાણ છે. (તથા કાળ માર્ગણા વડે) અસંખ્ય અવસર્પિણી અને અસંખ્ય ઉત્સર્પિણીના જેટલો સમય છે તેટલાં અને ક્ષેત્રથી અસંખ્ય લોકના આકાશપ્રદેશ જેટલાં તે લેશ્યાઓનાં અધ્યવસાય સ્થાનો છે. કેટલાએક આચાર્યો યોગાન્તર્ગત દ્રવ્યને (દ્રવ્યથી) લેશ્યા સયોગિ-કેવલિ સુધી કહે છે, અને તે કારણથીજ અયોગિ ગુણસ્થાને પણ તે લેશ્યા હોતી નથી, માટે એ વચન યુક્તિવાળું જણાય છે. જો કે તે વેશ્યાઓ કષાય સ્વભાવવાળી અથવા કષાય સહાયક નથી, પરન્તુ
Page 61 of 161
Page #62
--------------------------------------------------------------------------
________________
જે કારણથી તે વેશ્યાઓ કષાય સાથે અન્યોઅન્યવૃત્તિવાળી (પરસ્પર સંબંધવાળી) રહેલી છે માટે તે લેશ્યાઓ કષાયવાળા જીવોને કષાય ઉદ્દીપન્ન કરવામાં જોડાય છે. (એમ કેટલાએક આચાર્યો માને છે.) જો લેશ્યાઓ કર્મનો નિચંદ છે તો તે કયા કર્મોનો નિશ્ચંદ છે ? જો કહો કે ઘાતિકર્મનો નિત્યંદ તે લેશ્યાઓ. છે તો યોગિ કેવલિને તે વેશ્યા ન હોઇ શકે ! જો કહો કે ભવોપગ્રાહિ કર્મોનો નિશ્ચંદ તે લેગ્યા છે, તો અયોગિકેવલિને તે લેશ્યા કેમ ન હોય ? જે કારણ માટે ચોથું જે શુક્લધ્યાન છે તે તો લેશ્યા રહિત કહ્યું છે. જો કે વેશ્યાઓ કષાયને પુષ્ટિ કરનારી છે, પરન્તુ (વાસ્તવિક રીતે તો) અનુભાગબંધનું જ કારણ છે, તેથીજ કહ્યું છે કે “કર્મોની સ્થિતિ તથા અનુભાગ કષાયથી હોય છે, અને પ્રકૃતિબંધ તથા પ્રદેશબંધા યોગથી હોય છે. લેશ્યાઓને કર્મના સહચારી કારણરૂપ અનુભાગ ગુણના હેતુરૂપ કહી છે, એ પ્રમાણે લેશ્યાઓ સંબંધિ સર્વ પ્રકારનું વિજ્ઞાન (સિદ્ધાન્તોમાં) કહ્યું છે. અતિ વિશદ્ધ અને અતિ પ્રશસ્ત લેશ્યા શુભધ્યાનને શોભાવનારી (ઉત્પન્ન કરનારી) કહી છે, અને અવિશુદ્ધ તથા અપ્રશસ્ત લેશ્યા દુર્ગાનને ઉત્પન્ન કરવાના સ્વભાવ વાળી છે. વળી કર્મનો નિત્યંદ હોવાથી અનુભાગના કારણરૂપ લેશ્યા ભાવ લેશ્યા ગણાય છે, અને યોગોની કારણ પ્રવૃત્તિમાં નિમિત્તવાળી વેશ્યા તે દ્રવ્ય લેશ્યા છે. એ પ્રમાણે એ વેશ્યાઓનું સ્વરૂપ કહ્યું.
(૧ જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એ કે ભેદ પુન: એ ત્રણેના દરેકના જ.મ. ઉ. ભેદ ગણતાં ૯ ભેદ પુન: તેના પણ દરેકના જ. મ. ઉ. ભેદ ગણતાં ૨૭ એ રીતે ત્રણ ગુણી ત્રણ ગુણી પરિપાટીએ ૮૧-૨૪૩-૭૨૯ ઇત્યાદિ રીતે ઘણા પ્રકારના ભેદ જાણવા. યાવત અસંખ્ય ભેદ જાણવા.)
કૃષ્ણલેશ્યા :- જગતમાં જેમ ગ્રહણ કરવા લાયક પુદગલોની વર્ગણાઓ અનંતી અનંતી રહેલી છે તેમ આ કૃષ્ણ લેશ્યાના પુદગલોની પણ અનંતી અવંતી વર્ગણાઓ રહેલી છે. આત્મા જે પુદગલો વડે લેપાય તે વેશ્યા કહેવાય છે. આ પુદ્ગલો જુદા જુદા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આદિના કારણે છ પ્રકારનાં હોય છે.
તેમાં અત્યંત ખરાબ વર્ણાદિવાળા જે પુદ્ગલો આત્માની સાથે એકમેક થાય ત્યારે તે પુદ્ગલો કૃષ્ણા લેશ્યાવાળા કહેવાય છે. (એટલે ગણાય છે.)
આ પુદગલો આત્માની સાથે એકમેક થતાં વિચારોને પરિવર્તન કરી નાખે છે. માટે તે પુદગલોની અસરથી વિચારો જીવના કેવા પ્રકારના થાય છે તે જણાવે છે. ખર = કર્કશ પરિણામ બને. કોઇપણ વિચારોમાં સ્થિરતા ન આવે અને સારા વિચારોને નષ્ટ કરે ઝઘડા એટલે કજીયો કરવાવાળા વિચારો થાય.
પરૂષ એટલે કઠોર વિચારો બને. અતિ ચંડ –અત્યંત ક્રોધી સ્વભાવવાળા વિચારો.
દુર્મુખ = સારા વિચારોથી રહિત માઠા મુખવાળો એટલે અતિશય વેર બુદ્ધિને ધારણ કરવાના સ્વભાવ વાળો અંતરમાં કરૂણા એટલે દયા વિનાનો. અત્યંત અભિમાની બીજાની હત્યા કરનારો, બીજાના વિચારોને તોડી નાખનારો તેમજ આચારથી ભ્રષ્ટ થયેલો હોય છે.
આમાંના કોઇ લક્ષણના વિચારો અંતરમાં ચાલતા હોય તો સમજવું કે કૃષ્ણ લેશ્યાના વિચારો ચાલે છે. આ કુષ્ણ લેશ્યાના અસંખ્યાતા ભેદો થાય છે. જઘન્ય પરિણામવાળી કુષ્ણ લેશ્યા - મધ્યમ પરિણામવાળી કૃષ્ણ લેશ્યા અને ઉત્કૃષ્ટ પરિણામવાળી કૃષ્ણ લેશ્યા એમ ત્રણ ભેદો પડે છે. જઘન્ય પરિણામવાળી કૃષ્ણ લેશ્યા છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. જ્યારે જીવો સમકીત ગુણની પ્રાપ્તિ કરતાં હોય છે ત્યારે શુભલેશ્યા. જ હોય છે. પણ સમકીત આદિ ગુણપ્રાપ્તિ પછી અશુભ લેશ્યાના પરિણામો પ્રાપ્ત થઇ શકે છે. માટે છઠ્ઠા ગુણસ્થાનક સુધી કહેલી છે.
Page 62 of 161
Page #63
--------------------------------------------------------------------------
________________
નરક ગતિ - નરક આયુષ્યનો બંધ ઉત્કૃષ્ટ પરિણામવાળી કૃષ્ણ વેશ્યાના વિચારોમાં થાય છે.
નીલ ગ્લેશ્યા - આ વેશ્યાના પુદ્ગલો પણ જગતમાં જેમ, ગ્રહણ કરવા લાયક વર્ગણાઓનાં પુદ્ગલો હોય છે તેમ સ્વતંત્ર આ નીલ ગ્લેશ્યાના પુદ્ગલો પણ છે. તે પુલોના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શી તેને અનુરૂપ હોય છે અને તે આત્માની સાથે જ્યારે એકમેક થાય છે ત્યારે તે જીવોના વિચારો તે પુદ્ગલા રૂપે પેદા થાય છે. આ લેગ્યાના અધ્યવસાયો એટલે પરિણામો અસંખ્યાતા હોય છે તેને ઓળખવા માટે જ્ઞાની ભગવંતોએ ત્રણ ભેદ પાડેલા છે. જઘન્ય પરિણામવાળા. મધ્યમ પરિણામવાળા અને ઉત્કૃષ્ટ પરિણામવાળા. નીલ ગ્લેશ્યાના પુગલો હોય છે. આ વેશ્યા પણ છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. તે જઘન્ય પરિણામવાળા નીલ ગ્લેશ્યાના પુગલો વાળી નીલ ગ્લેશ્યા હોય છે. નરક આયુષ્યનો બંધ ઉત્કૃષ્ટ પરિણામવાળા નીલા લેશ્યાના પગલોમાં બંધાય છે. જ્યારે જીવોને નીલ વેશ્યાનો પરિણામ ચાલતો હોય ત્યારે તે જીવોનાં પરિણામ અથવા વિચારો આ પ્રમાણે ચાલતા હોય છે.
યા કપટ કરવામાં કુશળ હોય છે. ૨. લાંચ રૂશ્વત કરવામાં તથા લાંચ ખાવામાં સારી રીતે હોંશિયાર હોય છે.
૩. અસત્ય બોલવામાં ખુબ પ્રવીણ હોય છે. માટે આજે દુનિયામાં જેનો દિકરો વેપાર ધંધામાં અસત્યાદિ બોલવામાં હોશિયાર બન્યો હોય અને તેમાં આગળ વધતો હોય તો લોકો કહે છે કે તમારો દિકરો ઘણો હોંશિયાર પાક્યો. હોંશિયાર થઇ ગયો.
૪. વિષયનો પ્રમી એટલે પાંચ ઇન્દ્રિયના અનુકુળ વિષયોમાં આસક્તિ ધરાવનારો હોય છે.
૫. અસ્થિર હૃદયવાળો એટલે કે સારા કાર્યોને વિષે મનની સ્થિરતા વગરનો ધાર્યું કરનારો ધર્મ બુદ્ધિમાં અસ્થિરતાના સ્વભાવવાળો.
૬. આળસુ જેને દુનિયામાં એદિ કહેવાય તેવો કોઇપણ કામ કરવામાં બીજો કરો લેતો હોય તો પોતે બેસીને જોનારો પણ પોતે ઉઠીને કરવાની વૃત્તિવાળો નહિ. એવા સ્વભાવવાળો.
૭. મંદમતિ વાળો. ધર્મની બાબતમાં પોતાની બુદ્ધિ લગાડવાની ભાવના વિનાનો સંસારના અનુકૂળ પદાર્થો મેળવવા આદિમાં મતિને જોડનારો.
૮. કાયર અને અભિમાની. અંતરમાં કાયરતા રાખનારો અને બહાર ગર્વથી નારો આવા પ્રકારના વિચારો આ લેશ્યાવાળા જીવોને હોય છે તેમાં આયુષ્યનો બંધ પડે તો નરક આયુષ્ય ઉત્કૃષ્ટ લેશ્યામાં બાંધી શકે છે.
કાપો વેશ્યા :- આ વેશ્યાના પગલો જગતમાં સ્વતંત્ર રીતે રહેલા છે તે પુગલોનાં તેના નામ પ્રમાણે વર્ણ-ગંધ-ર-સ્પર્શ રહેલા હોય છે. જેમ ગ્રહણ યોગ્ય પગલોની વર્ગણાઓ જગતમાં હોય છે તેમ જગતના સર્વ આકાશ પ્રદેશ ઉપર પણ આ વેશ્યાના પગલો અનંતા અનંતા ઠાંસી ઠાંસીને રહેલા હોય છે.
આ કાપોત લેશ્યાના પગલો આત્માની સાથે એકમેક થાય છે ત્યારે આત્માના પરિણામમાં એટલે વિચારોમાં ફ્રાર કરે છે તેના અસંખ્યાતા ભેદો થાય છે. તેમાં મુખ્યત્વે ત્રણ ભેદો કહેલા છે. જઘન્ય કાપોતા લેશ્યા-મધ્યમ કાપોત લેશ્યા અને ઉત્કૃષ્ટ કાપોત લેશ્યાના પરિણામો એમ ત્રણ ભેદ હોય છે.
આ વેશ્યા પણ છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. તેમાં છઠ્ઠા ગુણસ્થાનકે જઘન્ય પરિણામ અને મધ્યમ પરિણામવાળી કાપોત લેશ્યા હોય છે. આ કાપોત લેશ્યાના પુદ્ગલોથી આત્માના વિચારો કયા કયા. બને છે. તે આ પ્રમાણે.
૧. આરંભ સમારંભમાં આસક્ત હોય છે. એટલે કે ગમે તેવા વ્યાપારાદિ કરવા હોય તો તેમાં પ્રવીણ
Page 63 of 161
Page #64
--------------------------------------------------------------------------
________________
હોય.
૨. પાપના કાર્યો કરતો જાય અને તેમાં પાપ નથી એમ માનનારો એટલે કે સાવધ વ્યાપારાદિ કરતો જાય અને બોલતો જાય કે સંસારમાં બેઠા છીએ. ઘર આદિ લઇને બેઠા છીએ એ બધુ ચલાવવા માટે, વ્યવહારમાં સારી રીતે ઉભા રહેવા માટે આ બધા પાપો કરીએ તે પાપ કહેવાય નહિ. સંસાર આખો ય પાપથી ચાલે છે. માટે આ પાપ કરીએ તે પાપ કહેવાય નહિ. આવી માન્યતા રાખીને પાપ વ્યવહારોને ખેડનારો (ચલાવનારો).
૩. લાભ અને નુક્શાનનો વિચાર કર્યા વિનાનો. કોઇપણ જાતનો લાભ કે નુક્શાન આદિનો વિચાર કરે નહિ. જેમ ફાવે તેમ વ્યાપારાદિ પાપ કર્યા જ કરે.
૪. વાત વાતમાં ગુસ્સે થઇ જનારો નિમિત્ત મલતાની સાથે ગુસ્સો કરનારો અને બીજાને પણ ગુસ્સો પેદા કરાવનારો હોય.
૫. શોક આદિને ધરનારો એટલે કે વાત વાતમાં જેમ ગુસ્સો કરે તેમ વાત વાતમાં શોક પેદા કરી અનેકને શોકમાં નાખનારો.
૬. બીજાઓની નિંદા કરનારો. પોતાના કહ્યા મુજબ જે ન રહે તેની નિંદા કરનારો પોતાનાથી જે અધિક હોય તેને જોઇ નહિ શકનારો અને તેઓની નિંદા કરનારો હોય છે.
૭. પોતાની બડાઇ કરનારો. ગમે તે વાતમાં એકબીજાની સાથે વાત કરતાં પોતાના ગુણો બોલીને બડાઇ હાંકનારો આના કારણે બીજાન હલકા પાડનારો હોય છે.
૮. યુધ્ધમાં ભયંકર. જ્યારે જ્યારે નિમિત્ત મળે કે ઝઘડા વગેરે કરવાના હોય અથવા કોઇની સાથે લડવાનું હોય તો આ લેશ્યાવાળા જીવોને તરત જ ભયંકર પરિણામ પેદા થતાં ઝઘડા વગેરે કરનારો બને
છે.
૯. અને સદા માટે દુ:ખિત હૃદયવાળો એટલે કે બીજાનું ન જોઇ શકતા પોતાના આત્મામાં સદા માટે બળતરા કરી કરીને દુ:ખિ થનારો હોય છે. આ કાપોત લેશ્યાના ઉત્કૃષ્ટ પરિણામોમાં કે મધ્યમ પરિણામોમાં જીવ આયુષ્યનો બંધ કરે તો નરકાયુષ્ય બાંધી શકે છે.
નરકાયુ બાંધવાના કારણોમાં
૧૨. અસત્ય બોલનારો
૧૩. ચોરી કરનારો
૧૪. ભોગના સાધનોને વારંવાર સેવનારો અને
૧૫. ઇન્દ્રિયોને પરવશ થઇને ઘણા પ્રકારના પાપોનું આચરણ કરનારો.
આવા જીવો નરક આયુષ્ય બાંધી શકે છે. તેવી જ રીતે રાત્રિ ભોજન કરનારો. અભક્ષનું ભક્ષણ કરનારો પણ નરક આયુષ્ય બાંધી શકે છે.
તેજોલેશ્યા
જગતમાં શરીરાદિને ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો જેમ રહેલા છે તેમ લેશ્યા વર્ગણાના પુદ્ગલો જગતમાં રહેલા હોય છે તેમાં કૃષ્ણ લેશ્યા-નીલ લેશ્યા અને કાપોત લેશ્યાના પુદ્ગલો અશુભ ગણાય છે. તેમ તેજો લેશ્યા-પદ્મ લેશ્યા અને શુક્લ લેશ્યાના પુદ્ગલો શુભ ગણાય છે. તેમાં તેજો લેશ્યાના પુદ્ગલો જે
Page 64 of 161
Page #65
--------------------------------------------------------------------------
________________
છે તે આત્માની સાથે એકમેક થતાં આત્માના પરિણામો એટલે અધ્યવસાયો કેવા બનાવે છે, અર્થાત બને છે તે જણાવે છે.
૧. આત્માને દક્ષ એટલે પ્રવીણ બનાવે છે એટલે કે શુભ વિચારો પેદા કરાવી સજ્જન માનવને છાજે તેવી પ્રવૃત્તિવાળા વિચારો કરાવે છે.
૨. દયાના પરિણામો પેદા કરાવે છે. દીન-દુ:ખી-અનાથ-ગરીબ વગેરેને જોઇને દયાના પરિણામ ઉપજાવે છે તથા પોતાનો આત્મા ધર્મના પરિણામવાળો નથી બનતો તેની પણ દયા પેદા કરાવે અને બીજાની પણ યા પેદા કરાવે.
૩. આશ્રવની પ્રવૃત્તિને હેય એટલે છોડવા લાયક ગણાવી શક્તિ મુજબ આશ્રવથી છોડાવી સંવરની પ્રવૃત્તિમાં જોડાવે છે સંસારમાં નિયમ છે કે અનાદિ કાળથી જીવ આશ્રવની પ્રવૃત્તિ કરતો આવેલો છે. તેના સંસ્કાર મજબૂત છે તે આશ્રવની પ્રવૃત્તિથી પોતાનો સંસાર વધે છે માટે સંસાર કપાવવા આશ્રવની પ્રવૃત્તિથી છોડાવે છે પણ જો સાથે-સામે બીજી પ્રવૃત્તિ ન હોય તો જીવ પાછો આશ્રવની પ્રવૃત્તિવાળો બન્યા વગરનો રહેતો નથી માટે સંવરની પ્રવૃત્તિમાં જોડાવે છે કે જેથી આવતાં અશુભ કર્મોનું રોકાણ કરીને શુભ કર્મોનું આવવું બનાવી જીવને આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધારવામાં સહાયભૂત થાય.
૪. સરલ સ્વભાવ પેદા કરામાં સહાયભૂત થાય અને સરલ સ્વભાવ પેદા થયેલો હોય તેને ટકાવવામાં પણ સહાયભૂત થાય છે.
૫. દાનરૂચિ - શીલ રૂચી પેદા કરાવી સ્થિરતા અપાવે. ૬. પરિગ્રહ આદિમાં સંતોષ પેદા કરાવે.
૭. વિધા સ્થિરતાપૂર્વક કરાવે એટલે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જે જ્ઞાન પેદા થાય તેમાં સ્થિર બુદ્ધિ પેદા કરાવી વિધામાં સ્થિરતા લાવનાર બને છે.
૮. ધર્મની રૂચિને પેદા કરાવી તેના જ વિચારોમાં આગળ વધારવામાં અને તેના સંસ્કાર મજબુત કરવામાં સહાયભૂત થાય છે.
૯. પાપના સાધનોનો ત્યાગ કરાવવામાં સહાયભૂત થાય એટલે જેમ બને તેમ સાવધ વ્યાપારના અનાદિ કાળના સંસ્કારોને નાશ કરવા પ્રયત્ન કરાવનારા બને છે.
૧૦. ઉત્તમ ક્ષમા ગુણને ધારણ કરવામાં સહાયભૂત થાય છે એટલે કે અનુકૂળ પદાર્થોના રાગના. કારણે તે આઘાપાછા થતા કે નાશ પામતાં અથવા કોઇએ લઇ જતાં જે ગુસ્સો આવતો હતો ક્રોધ પેદા થતો હતો તેના બદલે તે પદાર્થોનો રાગ ઓછો થતાં ઉત્તમ ક્ષમાગુણને પેદા કરવામાં સહાયભૂત થાય છે.
૧૧. શ્રેષ્ઠ વિવેકન પેદા કરાવવામાં પણ સહાયભૂત થાય છે એટલે કે જેમ જેમ વિવેકબુદ્ધિ આત્મામાં પેદા થતી જાય છે સ્થિર થતી જાય છે તેમ મોહનીય કર્મની મંદતા થતાં અવિવેકી પ્રવૃત્તિથી નિવૃત્તિ પેદા કરવામાં સહાયભૂત થાય છે.
આ તેજો વેશ્યાના પુદ્ગલોની સહાયથી મોટા ભાગે આ જીવો આર્તધ્યાન અને રોદ્ર ધ્યાનનાં પરિણામથી રહિત થતાં જાય છે અને ધર્મ ધ્યાનમાં સંકલ્પ વિકલ્પ રૂપ વિચારોમાં સ્થિરતા આવે છે. આનાથી દેવની ઓળખ-ગુરૂની ઓળખ અને ધર્મની ઓળખ થતાં તેમની ભક્તિના અનુષ્ઠાનોની ક્રિયા કરવામાં રૂચિ પેદા થાય છે અને શક્તિ મુજબ તે ક્રિયાઓનું આચરણ કરતાં કરતાં મનની સ્થિરતા-પ્રસન્નતા અને એકાગ્રતા પેદા થતી જાય છે અને વધતી જાય છે. આથી આવા વિચારોમાં રહેતા. રહેતા જીવો વાસ્તવિક રીતિએ સુખ કેવું હોવું જોઇએ? ઇત્યાદિ વિચારોથી શાશ્વત સુખની ઓળખ
Page 65 of 161
Page #66
--------------------------------------------------------------------------
________________
પેદા થતા તેની રૂચિ થાય અને આત્મ કલ્યાણમાં આગળ વધવામાં સહાયભૂત થાય. આથી આવા જીવોને આયુષ્યનો બંધ પડે તો સદ્ગતિના આયુષ્યનો બંધ પડે છે.
આથી જ્ઞાની ભગવંતોએ છે કે સમકીત પામતાં જીવો આવા વિચારોમાં એટલે તેજો વેશ્યાદિ શુભ લેશ્યાવાળા હોય છે. અશુભ ગાના ભાવમાં સમકીતની પ્રાપ્તિ જીવોને થતી નથી. આ વેશ્યા ૧ થી ૭ ગુણસ્થાનક સુધીમાં રહેલા જીવોને હોય છે.
પદ્મ લેશ્યા
જગતમાં જેમ ગ્રહણ યોગ્ય પુદ્ગલો ઠાંસી ઠાંસીને રહેલા છે તેમ આ લશ્યાના પુદ્ગલો પણ ઠાંસી ઠાંસીને રહેલા છે. આ વેશ્યાના પુદગલોથી જીવોનાં વિચારો કેવા થાય તથા તેમના જીવનમાં કેવા લક્ષણોનો ફ્રાર દેખાય તે જણાવે છે.
૧. સ્થિરતાવાળા - કોઇપણ પ્રવૃત્તિ કરતાં તે પ્રવૃત્તિમાં હિતાહિતનો વિચાર કરીને હિતની પ્રવૃત્તિમાં સ્થિર પરિણામી બનાવે છે.
૨. ધ્યાથી આદ્ર હૃદય બનાવે છે એટલે આ જીવોના અંતરમાં કરૂણા ખુબ રહેલી હોય છે કે જેના પ્રતાપે બીજાના દુઃખે હૈયું દુઃખી બન્યા જ કરે. પોતાની શક્તિ મુજબ તેમનું દુઃખ દૂર કરવાની ભાવના પણ અંતરમાં સતત રહેલી હોય છે.
૩. દેવપૂજા કરનારા - આત્મહિત કરનારા જે દેવો હોય તેમનું સ્વરૂપ ઓળખીને તે દેવની આત્મહિતને અર્થે નિરંતર પૂજા ભક્તિ કરનારા હોય છે કારણ કે પોતે માને છે કે જો એ અરિહંત પરમાત્મા દેવ જગતમાં ન થયા હોત તો મારું શું થાત ? મારા આત્માના હિતનો એટલે કલ્યાણનો માર્ગ મને કોણ બતાવત ? માટે ઉપકારી એવા દેવાધિદેવની નિરંતર પૂજા ભક્તિ કરનારા હોય છે.
૪.વ્રતને ગ્રહણ કરનારા - જે કાંઇ વ્રત નિયમ ગ્રહણ કરવાના હોય તેને બરાબર સમજીને પોતાની શક્તિ મુજબ વ્રતને ગ્રહણ કરી નિરંતર યાદ કરીને તેનું પાલન અખંડ રીતે થાય. જરાય લીધેલા વ્રતમાં ભાંગો ન લાગે એટલે ખંડિત ન થાય તેની કાળજી રાખીને વ્રતનું પાલન કરનારા હોય છે.
૫. દાનેશ્વરી - પોતાની શક્તિ મુજબ જેમ દીન-અનાથ-દુ:ખી માણસને દાન કરે તેમ સાતે ક્ષેત્રોમાં પણ પોતાની શક્તિ મુજબ દાન કરનારા હોય. સાત ક્ષેત્રોમાં નામો - (૧) જિનમૂર્તિ, (૨) જિનમંદિર, (૩) જિનાગમ, (૪) સાધુ, (૫) સાધ્વી, (૬) શ્રાવક અને (૭) શ્રાવિકા, તે જ રીતે (૮) અનુકંપા અને (૯) જીવદયા. એમ દરેક કાર્યોમાં શક્તિ મુજબ દાન દેનારા હોય.
૬. ધૈર્ય વાળા - ધીરતાને ધારણ કરનારા આત્મહિત વાળી પ્રવૃત્તિમાં ધીરજ રાખીને પ્રવૃત્તિ કરનારા હોય. જરાય ભયભીત ન થાય અને ધીરતા ગુમાવે નહિ.
૭. પવિત્ર મનવાળા એટલે કે વિષય-કષાયાદિથી દુષિત મન વગરના. જ્યારે દેવગુરૂની ભક્તિ કરે કે ધર્મની આરાધના કરે ત્યારે પવિત્ર મનપૂર્વક જ ભક્તિ કરનારા હોય છે.
૮. હર્ષિત ચિત્તવાળા - સદા માટે પ્રલિત મનવાળા એટલે કે ઉદવેગ વગરના મનવાળા હોય છે.
૯. કુશળ બુદ્ધિવાળા - કુશાગ્ર મતિના ક્ષયોપશમવાળા કે જેના પ્રતાપે જેમની બુદ્ધિ આત્મહિતના વિચારોવાળી હોય છે. અહિતની પ્રવૃત્તિથી નિવૃત્તિ કરનાર અને કરાવનાર હોય છે.
૧૦. ક્ષમા ગુણને ધારણ કરનારા - અને આના કારણે.
Page 66 of 161
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૧. અભિમાનને ધારણ નહિ કરનારા હોય છે. સરલ સ્વભાવના કારણે નિરઅભિમાની હોય છે.
શુક્લ લેગ્યાનું વર્ણન
જગતમાં આ વેશ્યાના પુદગલો અતિ સ્વચ્છ રૂપે રહેલા હોય છે. તે પુગલોને જીવ જ્યારે ગ્રહણ કરે છે ત્યારે શુભ વિચારો વિશેષ રીતે પેદા કરી દે છે. પણ આ પુદ્ગલો ગ્રહણ કરવાથી જીવનો સુખનો રાગ ઘટે એવો નિયમ હોતો નથી. કારણ કે અભવ્યાદિ જીવો આ લેશ્યાના પુદ્ગલોની સહાયથી નિરતિચાર ચારિત્રનું પાલન કરતાં નવમાં ચૈવેયકનું આયુષ્ય બાંધી શકે છે. છતાં પણ અનુકૂળ પદાર્થોનો રાગ અતિ ગાઢ બનતો જાય છે. જે જીવોને આત્મિક હિત કરવાની ભાવના હોય તે જ જીવો આ લેગ્યાના પગલો. ગ્રહણ કરે તો જરૂર તેના અનુકૂળ પદાર્થના રાગની ગ્રંથી ઓળખાવી તેને મંદ કરી ગુણપ્રાપ્તિ કરાવી સમકીત-દેશવિરતિ-સર્વવિરતિ આદિના પરિણામને પમાડી શકે છે. આ પુદગલોની સહાયથી જીવની. વિચારધારા કેવી બને તે જણાવે છે.
૧. ધર્મ બુદ્ધિવાળા એટલે સદ્ધર્મના લક્ષ્યવાળા. ૨. અપક્ષપાતી કોઇનો પણ પક્ષપાત નહિ કરનારા. 3. પાપ કાર્યને નહિ સેવનારા.
૪. શોખ કે નિંદા નહિ કરનારા અર્થાત ગમે તેટલી સારી સામગ્રી મળેલી હોય તો પણ તેમાં રાગાદિ પરિણામની મંદતાના કારણે શોખ નહિ કરનારા તથા કોઇના દોષો નહિ જોનારા દેખાઇ જાય તો નિંદા નહિ કરનારા.
૫. પરમાત્મ ભાવના સ્વરૂપને સમજેલા તે પામવાની તીવ્ર ઇચ્છાવાળા.
૬. રાગ-દ્વેષના બંધનને સારી રીતે સમજનારા હોય છે. આવા ગુણોથી આ જીવો સારો કાળ હોય તો આ વેશ્યાના બળે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી મોહનો નાશ કરી વીતરાગ દશાને પામી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્યો એટલે ઘાતી કર્મોનો નાશ કરી કેવલજ્ઞાન પામીને સિદ્ધિ ગતિમાં જનારા પણ હોય છે.
આ શુભ અને અશુભ લેશ્યાના પરિણામો એટલા બધા વિચિત્ર રૂપે હોય છે કે ક્યારે-કયા ટાઇમે-કઇ વેશ્યાના પરિણામથી આત્માના વિચારો એટલે અધ્યવસાય બદલાઇ જાય તે કહી શકાય નહિ. એટલા જ માટ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે એક ક્ષણનો પણ પ્રમાદ કરવા જેવો નથી. દેવતા અને નારકીના જીવોને દ્રવ્ય લેશ્યા સ્થિર હોય છે જ્યારે ભાવ લેશ્યા પરાવર્તમાન રૂપે હોય છે.
પહેલી નારકી-બીજી નારકી અને ત્રીજી નારકીમાં જઘન્ય આયુષ્યવાળા તથા તેનાથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા અધિક આયુષ્યવાળા નારકીના જીવોને એક કાપોત લેશ્યા દ્રવ્ય રૂપે સ્થિર હોય છે.જ્યારે ભાવથી છ એ લેગ્યામાંથી કોઇપણ લેશ્યા હોઇ શકે છે. ત્રીજી નારકીના બાકીના આયુષ્યવાળા જીવો ચોથી નારકીના જીવો અને પાંચમી નારકીના જઘન્ય આયુષ્યવાળા જીવોમાં એક નીલ ગ્લેશ્યા દ્રવ્યથી સ્થિર હોય છે જ્યારે ભાવથી છ એ વેશ્યા પરાવર્તમાન રૂપે હોય છે. પાંચમી નારકીના બાકીના જીવો છઠ્ઠી નારકીના જીવો અને સાતમી નારકીના જીવોને એક કૃષ્ણ લેશ્યા દ્રવ્યથી સ્થિર રૂપે હોય છે. ભાવથી છ એ લેશ્યા પરાવર્તમાન રૂપે હોય છે. કારણ કે આ સાતેય નારકીમાં રહેલા મિથ્યાદ્રષ્ટિ લઘુકર્મી જીવો અટલે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો નવું ઉપશમ સમકીત પામી શકે છે. સમકીત પામતી વખતે જીવોને નિયમા શુભ
Page 67 of 161
Page #68
--------------------------------------------------------------------------
________________
લેશ્યા હોય છે. માટે ભાવથી છએ વેશ્યાઓ ઘટી શકે છે.
દેવતાઓને વિષે ભવનપતિ અને વ્યંતર દેવોને પહેલી ચાર એટલે કૃષ્ણ લેશ્યા-નીલ લેગ્યા-કાપોતા લેશ્યા અને તેજો વેશ્યા હોય છે. આ દ્રવ્યથી વેશ્યા સમજવી જ્યારે ભાવથી છ એ વેશ્યા હોય છે. જ્યોતિષ દેવોને એક તેજલેશ્યા દ્રવ્યથી હોય છે. ભાવથી છ એ વેશ્યા હોય છે.
વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો અને પહેલા કિલ્બિલીયા દેવોને એક તેજો વેશ્યા દ્રવ્યથી હોય છે અને ભાવથી છ એ વેશ્યા હોય છે.
વૈમાનિકના ત્રીજા-ચોથા દેવલોકમાં રહેલા દેવોને તથા બીજા કિલ્બિષીયા દેવોને એક પબલેશ્યા દ્રવ્યથી હોય છે તથા પાંચમા-છઠ્ઠા દેવલોકમાં રહેલા દેવોને અને ત્રીજા કિલ્બિપીયા દેવોને પણ એમ જ હોય છે. ભાવથી છ એ વેશ્યા પરાવર્તમાન રૂપે હોય છે.
મતાંતરે પાંચમા દેવલોકથી અનુત્તર સુધીના દેવોને દ્રવ્યથી એક શુક્લ લેશ્યા હોય છે. ભાવથી છ એ વેશ્યા હોય છે. જ્યારે સાતમા દેવલોકથી અનુત્તર સુધીના દેવોને પણ દ્રવ્યથી એક શુક્લ લેશ્યા કેટલાક આચાર્યો માને છે. ભાવથી છ એ વેશ્યા હોય છે.
નવમા ગ્રેવેયકમાં રહેલા અભવ્યાદિ જીવો દ્રવ્યથી શક્ત લેડ્યાવાળા જરૂર છે પણ અંતરમાં ઈર્ષાભાવની આગ એકત્રીશ સાગરોપમ સુધી ચાલતી રહેતી હોવાથી ભાવથી કુનીલ કાપોત ત્રણમાંથી. કોઇ પણ લેશ્યા હોઇ શકે છે.
અનુત્તર વિમાનમાં નિયમા સમકતી દેવો જ હોય છે. ત્યાં દરેકને દ્રવ્યથી શુક્લ લેશ્યા હોવા છતાં ય ભાવથી શુભ લેશ્યા રૂપે તેજ-પદ અને શુક્લ આ ત્રણ લેશ્યામાંથી કોઇપણ હોઇ શકે છે.
ભવનપતિથી શરૂ કરી નવ ચૈવેયક સુધીમાં રહેલા દેવો જે છે તેમાં કેટલાક અનાદિ મિથ્યાદ્રષ્ટિ દેવો નવું સમકીત પ્રાપ્ત કરી શકે છે. માટે ભાવથી છ એ લેગ્યામાંથી કોઇપણ વેશ્યા ઘટી શકે છે.
મનુષ્ય અને તિર્યંચોને વિષે જે દ્રવ્ય લેશ્યા હોય છે તે જ ભાવ લેશ્યા રૂપે રહેલી હોય છે. માટે દ્રવ્ય અને ભાવથી એક અંતર્મુહૂર્તથી અધિક કાળ લેશ્યા રહેતી નથી. એ એક અંતર્મુહૂર્તમાં પણ દરેક જીવોને લેશ્યાનો પરિણામ જઘન્ય અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી જ રહે છે. એ આઠ સમય બાદ એક અંતર્મુહુર્તી એટલે અસંખ્યાત સમય સુધી રહેલી જે લેગ્યા છે તેના પરિણામમાં તીવ્રતા-તીવ્રતરતા-તીવ્રતમતા-મંદતા-મંદતરતા અને મંદતમતા રૂપે પરિણામની એટલે રસની ફરી થયા, કરે છે.
કારણ કે જગતમાં રહેલા કોઇ પણ જીવને લેગ્યા આઠ સમય સુધી એ પરિણામે રહે પછી પરિણામમાં ફ્રાર થતાં અસંખ્યાત સમય સુધી એ વેશ્યા રહે છે. આથી એમ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે સ્થિતિ બંધના એક અધ્યવસાય સ્થાનમાં રસ બંધના અધ્યવસાય સ્થાનો અસંખ્યાતા પ્રાપ્ત થઇ શકે છે. અર્થાત રહેલા હોય છે. કારણ કે સ્થિતિ બંધ કષાયથી થાય છે અને રસ બંધ લેશ્યા સહિત કષાયથી થાય
છે.
આ વેશ્યાની દ્દારી જોવી હોય તો દા. તરીકે શ્રી પ્રસન્નચન્દ્ર રાજર્ષિ છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકના પરિણામમાં રહીને સૂર્યની સામે મોટું રાખી હાથ ઉંચા રાખી ઉભા રહીને આતાપના લઇ રહેલા છે તે વખતે શુક્લ લેશ્યા રહેલી છે. એટલે શુક્લ લશ્યાના પરિણામમાં સંયમના સુવિશુદ્ધ પરિણામમાં આગળ વધી રહેલા છે અને ત્યાંથી શ્રેણિક મહારાજા પોતાની સવારી સાથે શ્રી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને વંદન કરવા માટે નીકળ્યા તેમાં આગળ રહેલા બે દૂતોની વાત શ્રી પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ સાંભળી તેમાં
Page 68 of 161
Page #69
--------------------------------------------------------------------------
________________
શુક્લ લેશ્યાના પરિણામને બદલે કૃષ્ણ લેશ્યાના પરિણામ થતાં નરકમાં જવા લાયક દલિયાં બાંધવા માંડ્યા. એક અંતર્મુહૂર્તમાં પાછા વિચારોની ફરી થતાં શુક્લ લશ્યાના પરિણામ પેદા થતાં જ દેવગતિના દલીયા બાંધવા માંડ્યા અને એક અંતર્મુહૂર્તમાં તો તે શુક્લ લેગ્યામાંથી પરમ શુક્લ લેશ્યાના પરિણામ પેદા થતાં જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. આ કારણોથી એ જ વિચાર કરવાનો કે આ વેશ્યાઓ જીવને પરિણામની ધારા બદલવામાં ખૂબ જ ભાગ ભજવે છે અને જીવને અશુભ તાક્યું આકર્ષણ વિશેષ કરી જાય છે.
ધર્મધ્યાન- અને શુક્લધ્યાનનું સ્વરૂપ આગળ કહીશું કારણ કે ધર્મધ્યાન અને શુક્લધ્યાન સાતમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે અને ત્યાં જીવો આયુષ્યનો બંધ કરતા નથી. છઠ્ઠા ગુણસ્થાનકથી બાંધતો બાંધતો ગયેલ હોય તો સાતમાં ગુણસ્થાનકે આયુષ્ય બંધાય છે બાકી નહિ. આથી ધર્મધ્યાનાદિનું વર્ણન આગળ કહીશું.
છ લેયાના શ્લોકો
અતિરૌદ્રઃ સદાક્રોધી મત્સરી ધર્મવર્જિતાઃ | નિર્દયો વૈર સંયક્તો કૃષ્ણ લેશ્યાલિકો નરઃ III.
આલસો મંદ બુધ્ધિ% પ્રીલુબ્ધ: પર વંચક: I કાતર સદામાની નીલ ગ્લેશ્યાલિકો નરઃ IIરા
શોકાકુલઃ સદારૂઝ: પરનિંદાત્મ શંસકઃ | સંગ્રામે પ્રાર્થને મૃત્યુઃ કાપોતક ઉદાહતઃ Bll વિધાવાન કરુણાયુક્તઃ કાર્યકાર્ય વિચારક: | લાભાલાભે સદાપીતઃ પીત વેશ્યાધિકા નરઃ IIII.
ક્ષમાવાંશ્ચ સદાત્યાગી દેવાર્ચનરતોધમી | શુચિભૂત સદાનંદ: પાલેશ્યા ધિ કો નરઃ III રાગદ્વેષ વિનિમુક્તઃ શોક નિન્દા વિવર્જિતઃ | પરમાત્મત્વ સંપન્નઃ શુક્લ લેડ્યો ભવેન્નરઃ IIII
૮. ઈચિ દ્વાર
ઇંદ્ર એટલે પરમેશ્વર્યવાન આત્મા, તેનું ચિન્હ અથવા તેની ઉત્પન્ન કરેલી તે ઇંદ્રીયો કહેવાય છે, ઇંદ્રીઓ પાંચ છે. શ્રોત્ર (કાન), અક્ષિ (આંખ), ધાણ (નાક), રસન (જીભ) અને સ્પર્શન તે (શરીર). એ દરેકના બે ભેદ છે. (૧) દ્રવ્યંદ્રી અને (૨) ભાવેંદ્રી.
દ્રશેંદ્રીના બે ભેદ છે. (૧) નિવૃત્તિરૂપ દ્રલેંદ્રી, (૨) ઉપકરણરૂપ દ્રલેંદ્રી. નિવૃત્તિ એટલે આકૃતિ. તેના પણ બે ભેદ છે. (૧) બાહ્ય અને (૨) અંતરંગ. બાહ્ય નિવૃત્તિ તે દરેક પ્રાણીને તેમજ મનુષ્યને જુદા જુદા આકારવાળી પ્રત્યક્ષ દેખાય છે તે. આ બાહ્ય નિવૃત્તિરૂપ દ્રલેંદ્રી અનેક આકારવાળી હોવાથી તેનું સ્વરૂપ કહેવાનું શક્ય નથી; કેમકે એક શ્રોગેંદ્રીય લ્યો તો તેમાં મનુષ્યના, હાથીના, ઘોડાના, ગાયના, ભેંસના એમ દરેક પંચેદ્રી પ્રાણીના કાનની બાહ્યકૃતિ જુદા જુદા પ્રકારની હોય છે.
અત્યંતર નિવૃત્તિ સર્વ જાતિમાં સમાન હોય છે. તેને આશ્રયીને તેના સંસ્થાનોનું નિયતપણું આ. પ્રમાણે કહેલું છે.
Page 69 of 161
Page #70
--------------------------------------------------------------------------
________________
(૧) શ્રોત્ર કદંબના પુષ્પ જેવા માંસના એક ગોલકરૂપ હોય છે.
(૨) ચક્ષુ મસુરના ધાન્યની આકૃતિ તુલ્ય હોય છે.
(૩) ધ્રાણ અતિમુક્તના પુષ્પની જેવી-કાહલની આકૃતિવાળી હોય છે. (૪) જીવ્હા સુરઝના એટલે અસ્ત્રાના આકારવાળી હોય છે.
(૫) સ્પર્શન વિવિધ પ્રકારની આકૃતિવાળી હોય છે, કેમકે શરીરની આકૃતિ તે તેની આકૃતિ છે. તેની બાહ્ય ને અત્યંતર આકૃતિમાં ભેદ નથી.
ઇંદ્રિયોની બાહ્ય આકૃતિ ખડ્ગની ઉપમાવાળી છે અને અંદરની આકૃતિ ખડ્ગની ધારા જેવી કહી છે. તે અત્યંત નિર્મળ પુદ્ગળરૂપ છે.
બાહ્ય આકૃતિ ને અત્યંતર આકૃતિની શક્તિવિશેષ તે ઉપકરણ દ્રવ્યદ્રી છે. અત્યંતર આકૃતિના સંબંધોમાં બે વિકલ્પ છે. કોઇ અત્યંત સ્વચ્છ પુદ્ગળરૂપ અંતરંગ આકૃતિ કહે છે, અને કોઇ શુદ્ધ આત્મ પ્રદેશરૂપ અંતરંગ આકૃતિ કહે છે. ઉપકરણ દ્રવ્યદ્રી શક્તિ અને શક્તિવાન્ અભિન્ન હોય છે તેથી અંતરંગ નિવૃત્તિથી જુદી પડી શકતી નથી તેથી તે અભેદ છે અને અંતરંગ નિવૃત્તિ છતાં પણ દ્રવ્યાદિક વડે જો ઉપકરણ ઇંદ્રી પરાઘાત પામી જાય તો પદાર્થનું અજ્ઞાનપણું પ્રાપ્ત થાય છે તેથી તેમાં ભેદ પણ છે. ઉપકરણ દ્રવ્યદ્રી પણ બાહ્ય ને અત્યંતર બે પ્રકારની છે. તેમાં બાહ્ય ઉપકરણંદ્રી માંસપેશીરૂપ સ્થુળ અને અત્યંતર ઉપકરણંદ્રી તેમાં રહેલી શક્તિરૂપ સુક્ષ્મ જાણવી.
ભાવેંદ્રિયના પણ બે પ્રકાર છે. (૧) લબ્ધિ ભાવેંદ્રી ને (૨) ઉપયોગ ભાવેંદ્રી.
(૧) કર્ણાદિકના વિષયવાળો તે તે પ્રકારના આવરણનો જે ક્ષયોપશમ તે લબ્ધિરૂપ ભાવેંદ્રી.
(૨) પોતપોતાની લબ્ધિને અનુસારે વિષયોને વિષે આત્માનો જે વ્યાપાર તે ઉપયોગરૂપ ભાવેંદ્રી. ટુંકામાં શક્તિરૂપ લબ્ધિ ઇંદ્રિય અને તેના વ્યાપારરૂપ ઉપયોગ ઇંદ્રિય.
લબ્ધિરૂપ ભાવેંદ્રિય સમકાળે પાંચે વર્તે અને ઉપયોગ ભાવેંદ્રિય તો એક કાળે એક જ વર્તે-વધારે ન વર્તે. એટલે જે ઇંદ્રીની સાથે પ્રાણીનું મન જોડાય તેજ ઇંદ્રી પોતાના વિષયને ગ્રહણ કરવામાં પ્રવર્તે આ સંબંધમાં કેટલીક વખત પ્રાણીને પાંચે ઇંદ્રિનો સમકાળે ઉપયોગ હોવાનો ભ્રમ થાય છે. જેમકે શબ્દ કરતી (કડ કડ બોલતી), સુગંધવાળી, સુકોમળ, લાંબી અને સ્વાદીષ્ટ શલ્કુલી (રેવડી કરવા માટે લાંબી કરેલી સકર લકડી) ને ખાતાં પાંચે ઇંદ્રિઓના વિષયનો ઉપયોગ વર્તે છે એમ સમજવામાં આવે છે; પરંતુ તેવો ભ્રમ થવાનું કારણ મન જુદી જુદી સર્વ ઇંદ્રીઓની સાથે એટલું બધું શીઘ્રપણે મળે છે ને છૂટું પડે છે કે તેના અત્યંત વેગને લઇને પ્રાણીને જુદો જુદો ક્રમસર બોધ થતો જણાતો નથી. પણ સમકાળે બોધ થવાનું સમજાય છે. જેમ અતિ કોમળ એવા કમળના સો પત્ર ઉપરાઉપર ગોઠવેલા હોય તેને યુવાન માણસ તીવ્ર સોયવડે એકદમ વીંધી નાખે છે, તેમાં જો કે એક બીજા પત્રનો ક્રમસરજ વેધ થાય છે છતાં માણસ સમકાળે સો પાન વીંધી નાખ્યાનું માને છે તેમ અહીં પણ સમજવું.
અરિહંતને પણ સમકાળે બે ઉપયોગ વર્તતા નથી તો છદ્મસ્થને પાંચ ઉપયોગ શી રીતે સમકાળે સભવી શકે ? સંભવેજ નહીં. પરંતુ આત્મા મન સાથે, મન ઇંદ્રી સાથે અને ઇંદ્રી પોતાને યોગ્ય પદાર્થ સાથે એવા શીઘ્રપણે જોડાય છે કે તેની ખબર પડી શકતી નથી. મનનો વેગ તો એટલો બધો તીવ્ર છે કે તેને કાંઇ પણ અગમ્ય નથી અને જ્યાં મન જાય છે ત્યાં સાથે આત્મા પણ જાય જ છે.
જીવનો એકેંદ્રીય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચૌરેંદ્રિય ને પંચેદ્રિયપણાનો, જે વ્યવહાર છે તે દ્રવ્યદ્રીયને અપેક્ષીને છે. કેમકે ભાવેંદ્રી તો બકુલાદિ વૃક્ષોમાં પાંચે દેખાય છે; પરંતુ તેને દ્રવ્યદ્રી એકજ હોવાથી તે
Page 70 of 161
Page #71
--------------------------------------------------------------------------
________________
એકેંદ્રી કહેવાય છે. ( આ વિષયે વનસ્પતિમાં જીવત્વવાળા વિષયમાં વધારે સ્પુટ કરેલ છે.)
ત્યારે
પાંચે ઇંદ્રિયોનું જાડાપણું (સ્થુળતા) અંગુળના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. અહીં કોઇ શંકા કરે કે-સ્પર્શેદ્રિય જો અંગુળના અસંખ્યાતમા ભાગ જેટલી જ જાડી હોય તો ખડ્ગાદિનો ઘાત લાગે છે, તેની વેદનાનો અનુભવ દેહની અંદર પણ થાય છે તે કેમ થઇ શકે ? આનો ઉત્તર એ છે ક-સ્પર્શેદ્રીનો વિષય શીતાદિ સ્પર્શ છે, ચક્ષુ ઇંદ્રીનો વિષય રૂપ છે, ઘ્રાણેંદ્રીનો વિષય સુગંધ દુર્ગંધ છે, પણ તેની વેદના તે તેનો વિષય નથી. વેદના તો દુઃખના અનુભવરૂપ છે અને તેને તો આત્મા જ્વરાદિકની વેદનાની જેમ આખા શરીરે અનુભવે છે. બીજો પ્રશ્ન એમ કરવામાં આવે કે ઠંડુ પાણો પીતાં તેની શીતળતાનો અનુભવ કેટલીક વખત અંદર પણ થાય છે તેનું શું કારણ ? તેનો ઉત્તર એ છે કે સ્પર્શેદ્રી તો જેમ બહાર વર્તે છે તેમજ અંદર પણ સર્વ અંગના પ્રદેશમાં વર્તે છે. પરંતુ અંદર ને બહાર પર્યંત ભાગે તેની જાડાઇ તો અંગુળના અસંખ્યાતમા ભાગનીજ છે.
હવે પાંચે ઇંદ્રીઓની પહોળાઇ કહે છે-શ્રવણ, ઘ્રાણ ને ચક્ષુ ઇંદ્રીનું પૃથુત્વ અંગુળના અસંખ્યાતમા ભાગનું છે, રસનેંદ્રિયનું પૃથુત્વ અંગુળ પૃથકત્વ (બે આંગુળથી નવ આંગુળ) છે અને સ્પર્શનેંદ્રિયનું પૃથુત્વ પોતપોતાના દેહ પ્રમાણ છે. સ્પર્શેદ્રિય શિવાય બાકીની ચાર ઇંદ્રિયોની પહોળાઇ આત્માંગુળે સમજવી અને સ્પર્શેદ્રિયની પહોળાઇ ઉત્સેધ આંગુળે સમજવી. અહીં કોઇ શંકા કરે કે- “જ્યારે શરીરનું પ્રમાણ ઉત્સેધ આંગુળવડે કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલી બાકીની ચાર ઇંદ્રિઓનું પ્રમાણ પણ ઉત્સેધ આંગુળવડે જ કરવું જોઇએ. કેમકે શરીરનું ઉત્સેધ અંગુળ ને બીજી ચાર ઇંદ્રિઓનું આત્માંગુળે પ્રમાણ કરવું ત યોગ્ય લાગતું નથી.” એનો ઉત્તર એ છે કે-એ જીવ્યા વિગેરેની પહોળાઇમાં ઉત્સેધ આંગુળ લઇએ તો ત્રણ ગાઉ ઉત્કૃષ્ટા મનુષ્ય શરીરમાં ને છ ગાઉ ઉત્કૃષ્ટા પશુ શરીરમાં તેના વિષયનું જ્ઞાન જ થશે નહીં. કારણકે એવડા મોટા શરીરમાં ઉત્સેધ આંગુળવડે નવ આંગળ પ્રમાણ ઉત્કૃષ્ટ માનવાળી આંતર નિવૃત્તિરૂપ રસનેંદ્રી એ પણ મોટા શરીરના પ્રમાણમાં હોવી જોઇએ તેવી મોટી જીવ્હાની અંદર વ્યાપી જ શકશે નહીં અને તેથી આખી જીવ્હાને રસનો બોધ થઇ શકશે નહિ. માટે તેનું પ્રમાણ આત્માંગુળ વડેજ સમજવું. ગંધાદિકનો વ્યવહાર પણ આત્માંગુળવડે જ સમજવો.
હવે પાંચે ઇંદ્રિઓ જઘન્યથી પોતપોતાના વિષયને કેટલા દૂરથી ગ્રહણ કરે તે કહે છે-ચક્ષુ વિના બાકીની ચાર ઇંદ્રિઓ અંગુળના અસંખ્યાતા ભાગથી પોતપોતાના વિષયને ગ્રહણ કરે છે, અને ચક્ષુ અંગુળના સંખ્યાતમા ભાગથી ગ્રહણ કરે છે. તેજ કારણથી ચાર ઇંદ્રીઓને વ્યંજનાવગ્રહ છે ને ચક્ષુઇંદ્રીને નથી. અહીં નવા શરાવલાન દૃષ્ટાંત આપેલ છે કે-જેમ નવું (કોરૂં) માટીનું પાત્ર એક પાણીના બિંદુથી આર્દ્ર થતું નથી; પરંતુ વારંવાર ઘણાં ટીપાં અવિચ્છિન્નપણે પડવાથી આર્દ્ર થાય છે, તેમ સૂતેલો (ઉંઘતો) માણસ એક શબ્દ કરવાથી જાગી જતો નથી, પરંતુ પાંચ સાત શબ્દો ઉપરાઉપરી કાનમાં પડવાથી શબ્દદ્રવ્યવડે કાન ભરાયે સતે તે જાગે છે. એ પ્રમાણે વ્યંજનાવગ્રહની ભાવના સમજી લેવી.
ચક્ષુ અપ્રાપ્યકારી હોવાની અંગુળના સંખ્યાતમા ભાગ દૂર હોય ત્યારે પોતાના વિષયને ગ્રહણ કરી શકે છે; પણ તેથી નજીક હોય તો ગ્રહણ કરી શકતું નથી. અત્યંત નજીક એવું આંખમાં આંજેલ અંજન કે આંખમાં પડેલ ત્રણ વિગેરેને ચક્ષુ જોઇ શકતા નથી. આ વાત સૌ જાણે તેવી છે.
હવે વધારેમાં વધારે કેટલા દૂરથી આવેલા પોતપોતાના વિષયને ઇંદ્રીઓ ગ્રહણ કરે તે કહે છે. કાન બાર યોજનથી આવેલા શબ્દને સાંભળી શકે છે, ચક્ષુ સાધિક લાખ યોજન દૂર રહેલા પોતાના વિષયને ગ્રહણ કરી શકે છે; અને બાકોની ત્રણ ઇંદ્રીઓ નવ નવ યોજનથી આવેલા પોતપોતાના વિષયોને ગ્રહણ
Page 71 of 161
Page #72
--------------------------------------------------------------------------
________________
કરે છે. આ પ્રમાણે પાંચ ઇંદ્રીઓનો ઉત્કૃષ્ટ વિષય છે. અહીં કોઇ શંકા કરે કે “ચક્ષ વિનાની ચાર ઇંદ્રિઓ તો પ્રાપ્યકારી છે તો પછી તમે કહેવા પ્રમાણ કરતાં દૂરથી આવેલા વિષયને પણ ગ્રહણ કરવામાં તેને અડચણ જણાતી નથી; તેથી તમે બાર યોજન વિગેરેનું પ્રમાણ બાંધ્યું તે નિફ્ટ જણાય છે; કારણ કે તેનામાં તો પ્રાપ્ત સંબંધવાળા સર્વ પદાર્થના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે; તેને નજીક કે દૂરથી આવેલા સાથે કાંઇ સંબંધ નથી.” એનો ઉત્તર એ છે કે-શબ્દાદિના પુગળો જે ઉપર કહેલા પ્રમાણ કરતાં વધારે દૂરથી આવે તે સ્વભાવેજ એવા મંદ પરિણામવાળા થઇ જાય છે કે તે પોતપોતાના વિષયનું જ્ઞાન આપવાની શક્તિવાળા રહેતા નથી, તેમજ ઇંદ્રીઓમાં પણ સ્વભાવેજ તેઓને ગ્રહણ કરવાની શક્તિ નથી; તેથી ચાર ઇંદ્રીઓને પ્રાયકારીપણું છતાં પણ ઉપર જે વિષયનો નિયમ બતાવ્યો છે તે યોગ્ય છે. ચક્ષમાં પણ તેના વિષયથી દૂર રહેલા દ્રવ્યને જાણવાની શક્તિ ન હોવાથી તેને માટે બાંધેલો નિયમ પણ યુક્ત છે.
જીવ્હા, નાશિકા ને સ્પર્શેન્દ્રિય બધૃષ્ટ દ્રવ્ય ગ્રહણ કરે છે, કર્ણ પૃષ્ટ દ્રવ્યને ગ્રહણ કરે છે; અને નેત્ર અસ્પૃષ્ટ વસ્તુને ગ્રહણ કરે છે. આત્મ પ્રદેશોએ આત્મરૂપ કરેલું તે બદ્વ કહેવાય છે. અને શરીર પર રજની પેઠે જે ચોંટેલું હોય તે ધૃષ્ટ કહેવાય છે. અહીં કોઇ શંકા કરે કે- “ચારે ઇંદ્રીઓને પ્રાયકારીપણું જો તુલ્ય છે તો પછી તેમાં આવો તફાવત શા માટે જોઇએ ?' તેનો ઉત્તર એ છે કે-સ્પર્શ, ગંધ અને રસ સંબંધી દ્રવ્યસમૂહોનું શબ્દદ્રવ્યની અપેક્ષાએ અલ્પપણું, બાદરપણું અને તરત અભાવુકપણું છે; તેમજ સ્પર્શેદ્રિય, નાશિકાને જીવ્હાનું કર્ણ કરતાં મંદ શક્તિપણું છે તેથી તે બદ્ધસ્કૃષ્ટનેજ ગ્રહણ કરી શકે છે અને સ્પર્શાદિ દ્રવ્યસમૂહની અપેક્ષાએ શબ્દદ્રવ્યની સંહતિ ઘણી છે, સૂક્ષ્મ છે અને નજીક રહેલા શબ્દ યોગ્ય દ્રવ્યને અભિવાસિત કરનારી છે. તેથી તે નિવૃત્તિ ઇંદ્રીની અંદર જઇને સ્પર્શ કરતાં જ સ્વગોચર અભિવ્યક્તિ તકાળ કરે છે. વળી બીજી ઇંદ્રિઓની અપેક્ષાએ કર્ણ પટ શક્તિવાળા છે તેથી તે ધૃષ્ટ દ્રવ્યને ગ્રહણ કરી શકે છે.
કેટલાક ચક્ષુને પણ સૃષ્ટાર્થ ગ્રાહકપણું કહે છે, પણ તે અયુક્ત છે. કારણ કે જો તેમ હોય તો અગ્નિને દેખતાં ચક્ષને દાહ થવો જોઇએ. તેમજ કાચના પાત્રમાં રહેલી વસ્તુઓ અને જળ દૂરથી દેખાય છે તેનો જો નેત્રને સ્પર્શ થતો હોય તો અથવા નેત્ર તેને ભેદીને તેમાં જતા હોય તો જળનો શ્રાવ થઇ જવો જોઇએ. તેમ થતું નથી તેથી ચક્ષ અસ્પૃષ્ટ અર્થનેજ ગ્રહણ કરે છે એમ સિદ્ધ થાય છે. આ સંબંધમાં વધારે યક્તિ પ્રયુક્તિ જાણવી હોય તો સ્યાદ્વાદરત્નાકરાવતારિકા ગ્રંથથી જાણી લેવી.
ઉપર કેટલે દૂરથી આવેલા પોતપોતાના વિષયને ઇંદ્રીઓ ગ્રહણ કરે છે તે સંબંધમાં જે માન કહ્યું છે તે આત્માંગુળે જાણવું; કેમકે જો તે માન પ્રમાણાંગુળ હોય તો આ કાળે બહુ વધારે થઇ પડે; તેટલા દૂરથી આવેલાનો બોધ થઇ શકે નહીં, અને જો ઉત્સધાંગુળે તે પ્રમાણ કરીએ તો ભરતચક્રીના વારામાં તેના આત્માંગુળવડે બાર યોજન લાંબી ને નવ યોજન પહોળી અયોધ્યા વિગેરે નગરીઓમાં એક જગ્યાએ વગાડેલી ભંભા આખા શહેરમાં સંભળાતી હતી તે સંભળાય નહીં. તેથી તે માન આત્માંગુળનું જ જાણવું. અહીં કોઇ શંકા કરે કે “આત્માંગુળનું તે પ્રમાણ કહેશો તો લાખો યોજનના પ્રમાણવાળા દેવ વિમાનમાં એક જગ્યાએ કરેલો ઘંટાનો નાદ સર્વત્ર કેમ સંભળાશે ? માટે આભાંગળે પણ તે માન ઘટી શકતું નથી.” આ શંકાના ખુલાસામાં શ્રીરાયપાસેણી સૂત્રની ટીકામાં સૂર્યાભદેવના અધિકારમાં કહેલું છે તે ધ્યાનમાં લેવાનું છે. તે એ છે કે “મેઘના સ્વર જેવી ગંભીરને મધુર શબ્દવાળી અને એક યોજનાના ઘેરાવાવાળી સુસ્વરા નામની ઘંટા વગાથે સતે સૂર્યાભ વિમાનની ભિંતો પર તે શબ્દ પુદ્ગલો પડવાથી તેમાંથી ઉછળેલા તે ઘંટાના લાખો પ્રતિશબ્દો-પડછંદાઓથી તે આખું વિમાન વ્યાપ્ત થઇ ગયું. અર્થાત્ દેવપ્રભાવથી અને દિશાઓ ને
Page 72 of 161
Page #73
--------------------------------------------------------------------------
________________
વિદિશાઓમાં તેના પડછંદાઓ વિસ્તરી જવાથી અનેક લાખ યોજનના પ્રમાણવાળું તે વિમાન બહેરું થઇ ગયું.” આ પ્રમાણે હોવાથી આત્માંગુળવડે ઇંદ્રિયોના વિષયોનું દૂરપણું માપવાનું કહ્યું છે તે બરાબર છે એમ સિદ્ધ થાય છે.
હવે નેત્રના વિષય પરત્વે સવિશેષ હકીકત કહે છે-પુષ્કરવર દ્વીપવાસી મનુષ્યો પૂર્વે અને પશ્ચિમે ૨૧૩૪પ૩૭ યોજન દૂરથી સૂર્યને જોઇ શકે છે. આ પ્રમાણે ત્યાં રહેનારા મનુષ્યાદિકના નેત્રનો વિષય કહેલો છે. ને અહીં તો સાધિક લાખ યોજન દૂરનું જ ઉત્કૃષ્ટ જોઇ શકે એમ કહેવામાં આવે છે તો તેમાં વિસંવાદ કેમ ન આવે ? તેનો ખુલાસો એ છે કે- “નેત્રનો વિષય લાખ યોજનનો જે કહેલો છે તે અભાસ્કર એવી પર્વતાદિ વસ્તુઓની અપેક્ષાએ જાણવો. ભાસ્કર એવા સૂર્યાદિની અપેક્ષાએ તેનાથી અધિક પણ હોય છે.”
આ બધી ઇંદ્રીઓ અનંત પરમાણુઓની બનેલી છે, અને દરેક અસંખ્ય આકાશપ્રદશાવગાહવાળી છે; તેમાં સર્વથી ઓછા અવગાહવાળી ચક્ષુઇંદ્રિ છે, તેનાથી સંખ્યાતગુણા અવગાહવાળી શ્રોગેંદ્રી છે, તેથી સંખ્યાતગુણા અવગાહવાળી ધ્રાણંદ્રી છે, તેનાથી અસંખ્યાત ગુણા અવગાહવાળી જીન્હા છે; અને જીવ્હાથી. સંખ્યાત ગુણા અવગાહવાળી સ્પર્શેદ્રી છે. એટલે એ પ્રમાણે વધારે વધારે આકાશપ્રદેશોને તેણે રોકેલા છે. સર્વથી સ્ટોક પ્રદેશવાળા નેત્ર છે, તેનાથી સંખ્યગુણાધિક શ્રોત્ર છે, તેનાથી અસંખ્ય ગુણાધિક ધ્રાણ છે, તેથી અસંખ્ય ગુણાધિક જીહા છે અને તેથી અસંખ્ય ગુણાધિક પ્રદેશવાળી સ્પર્શેદ્રી છે. આ પ્રમાણે તેના અવગાહને પ્રદેશોનું અNબહુત્વ જાણવું.
શ્રોત્ર બે, નેત્ર બ, નાસિકા બે, જીહા એક ને સ્પર્શન એક-એમ દ્રલેંદ્રી આઠ છે ને ભાવેંદ્રી પાંચજ છે. સર્વ જીવોને સર્વ જાતિપણે અતીતકાળ સંબંધી દ્રવ્ય ને ભાવઇંદ્રીઓ અનંતી હોય છે. તેમાં અનાદિનિગોદને તો રવજાતિપણે પણ અતીત ઇંદ્રીઓ અનંતી હોય છે અને જે જીવને નિગોદમાંથી નીકળ્યા. અનંતો કાળ થયેલો હોય છે; તેને સર્વ જાતિપણે અતી ઇંદ્રિઓ અનંતી હોય છે. અનાગતકાળ સંબંધી વિચાર કરતાં તદ્ભવે મોક્ષગામી જીવોને અનાગત ઇંદ્રીઓ હોતી જ નથી અને કેટલાક જીવોને પાંચ, છ, સાત, સંખ્યાતી અસંખ્યાતી અને અનંતી હોય છે. આ અનાગત ઇંદ્રીઓ સંબંધી વિચાર શ્રી લોકપ્રકાશાદિ ગ્રંથોથી જાણવા યોગ્ય છે. અત્ર તે અપ્રસ્તુત હોવાથી કહેલ નથી.
સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને મૃત્યાદિ જ્ઞાનના સાધનભૂત મન હોય છે. તે નોઇંદ્રિય કહેવાય છે, તેના પણ દ્રવ્ય ને ભાવ એમ બે ભેદ છે. મનપર્યાતિનામ કર્મના ઉદયથી મનને યોગ્ય એવી પુગળ વર્ગણાઓને ગ્રહણ કરીને મનપણે પરિણમાવવામાં આવે છે, તે દ્રવ્યમન કહેવાય છે; અને મનોદ્રવ્યના અવલંબનથી મનની જે પરિણતિ થાય છે, તે ભાવમન કહેવાય છે. એમાં દ્રવ્યચિત્ત વિના ભાવચિત્ત ન હોય એમ સમજવું. જુઓ અસંજ્ઞી જીવોને મનપર્યાપ્તિ ન હોવાથી દ્રવ્યમન નથી એટલે તેને ભાવમન પણ નથી. ભાવમન વિના દ્રવ્યમાન હોય છે. કેમકે જિનેશ્વરને કેવળજ્ઞાન પામ્યા પછી ભવસ્થ હોય ત્યાં સુધી ભાવમન હોતું નથી, પણ દ્રવ્યમન હોય છે. સિદ્ધાવસ્થામાં તે બંને નથી.
સર્વથી થોડા જીવો મનવાળા, તેથી અસંખ્યગુણા શ્રોત્રવાળા, તે કરતાં ચક્ષ, ધ્રાણ ને રસનાવાળા અધિક અધિક, તેનાથી અનિંદ્રિય જીવો (સિધ્ધો) અનંતગુણા અને તેનાથી સ્પર્શનેન્દ્રિયવાળા અનંતગુણા જાણવા.
સુશ્રુત વિગેરેમાં ચક્ષુ, શ્રોત્ર,ધ્રાણ, રસના, વ, મન, વાચા, પાણિ (હાથ), પગ, ગુદા ને ઉપસ્થ એમ અગ્યાર ઇંદ્રીઓ કહેલી છે, ને નામમાળામાં સ્પર્શનાદિકને બુદ્વીંદ્રિયો અને હાથ પગ વિગેરેને ક્રિકેંદ્રિયો કહેલી છે.
Page 73 of 161
Page #74
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે ઇંદ્રીઓનું સ્વરૂપ બરાબર જાણીને તેનો સદુપયોગ કરવા તત્પર થવું; તેનો દુરૂપયોગ કરનાર પ્રાણી દુર્ગતિએ જાય છે, અને સદુપયોગ કરનાર પ્રાણી સદ્ગતિનું ભાજન થાય છે. આટલું જે આ લેખનું રહસ્ય છે તેને અંતઃકરણમાં કોરી રાખવું કે જેથી ભવાંતરમાં દુઃખનું ભાજન થવું ન પડે, અને સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય. ને પરિણામે-છેવટે અજરામર પદની પ્રાપ્તિ પણ થાય.
પાંચ ઇંદ્રિયોના ૨૯ ભેદ
પાંચ ઇન્દ્રિય-સ્પર્શેદ્રિય, રસનેંદ્રિય, ઘાણંદ્રિય, ચક્ષુઇંદ્રિય અને શ્રોબેંદ્રિય એ દરેકના દ્રલેંદ્રિય ને ભાવેંદ્રિય એવા બે ભેદ છે.
શરીરનો અમુક વિભાગ કે જ્યાં તેના વિષયોને જાણવાની શક્તિ રહેલી છે તે પોગલિક દ્રલેંદ્રિય અને આત્માને થયેલા ક્ષયોપશમથી તે તે વિષયને જાણવાની શક્તિ તે ભાવેંદ્રિય.
દ્રલેંદ્રિયના નિવૃત્તિ ને ઉપગરણ એવા બે બે ભેદ છે અને તેના બાહ્ય ને અત્યંતર એવા બે બે ભેદ છે એટલે ચાર ચાર ભેદ છે.
ભાવેંદ્રિયના લબ્ધિ અને ઉપયોગરૂપ બે બે ભેદ છે એટલે દરેક ઇંદ્રિયના છ છ ભેદ થાય છે. એ પ્રમાણે પાંચ ઇંદ્રિયના છ છ ભેદ ગણતા કુલ ૩૦ ભેદ થાય છે તેમાં સ્પર્શેદ્રિયનો બાહ્ય અને અત્યંતર નિવૃત્તિરૂપ ભેદ જુદા ન હોવાથી તેના પાંચ ભેદ હોવાને લીધે કુલ ૨૯ ભેદ થાય છે. | નિવૃત્તિ-એટલે રચના- ઇંદ્રિયોની રચના-તેમાં બાહ્ય નિવૃત્તિ તો મનુષ્યોની અને અનેક પશુ-પક્ષીઓની કાન વિગેરેની જુદા જુદા આકારની હોય છે. અત્યંતર નિવૃત્તિ બધા જીવોની એક સરખી હોય છે. તેમાં કદ્રિયની કદંબના પુષ્પાકારે ગોળ માંસપેશીરૂપ અત્યંતર નિવૃત્તિ છે. ચક્ષુઇંદ્રિયની અત્યંતર નિવૃત્તિ મસુરના દાણા જેવી ગોળ છે. ધ્રાહેંદ્રિયની અત્યંતર નિવૃત્તિ અતિમુક્તકના પુષ્પાકારે હોય છે. આ ત્રણે ઇંદ્રિયો અંગુળના અસંખ્યાત્મા ભાગ પ્રમાણ છે. રસનેંદ્રિયજિન્હા જે દેખાય છે તે બાહ્ય નિવૃત્તિ છે. તેની ઉપરના ભાગનું અંગુળના અસંખ્યાતમાં ભાગરૂપ જે પ્રતર છે તે અત્યંતર નિવૃત્તિ છે. તેનો આકાર વાળંદના ખુરમાના અર્થાત લંબગોળ લટપટીઆના આકાર જેવો છે. સ્પર્શેદ્રિયનો આકાર દરેક જીવના શરીર પ્રમાણે હોય છે. સ્પર્શેદ્રિયની બાહ્ય ને અત્યંતર નિવૃત્તિ એકસરખા આકારની છે. તેમાં ભેદ નથી.
હવે નિવૃત્તિ ઇંદ્રિયને જે ઉપકાર કરે તે ઉપકરણંદ્રિય કહેવાય છે. તેના પણ બાહ્ય ને અત્યંતર એવા બે પ્રકાર છે. તેમાં અત્યંતર નિવૃત્તિરૂપે ગોઠવાયેલ સ્વચ્છ પુગળોમાં રહેલી જે શક્તિ-તેના તેના વિષયને જાણવારૂપ તે બાહ્ય ઉપકરણ અને તે તે ઇંદ્રિયના પરિણમન પ્રમાણે પરિણમેલા સ્વચ્છ આત્મપ્રદેશોમાં રહેલી છે તે તે વિષયને જાણવાની શક્તિ તે અત્યંતર ઉપકરણંદ્રિય. આ પ્રમાણે શ્રી આચારાંગ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે. કેટલાક આચાર્યો ઉપકરણંદ્રિય એક જ પ્રકારની કહે છે.
આ દ્રલેંદ્રિયના ચાર ચાર ભેદના સંબંધમાં જુદી જુદી અનેક પ્રકારની વ્યાખ્યાઓ છે તે વિશેષ. અર્થવાળા લોકપ્રકાશાદિ ગ્રંથથી જાણવી. ભાવેંદ્રિયના બે પ્રકાર-લબ્ધિ ને ઉપયોગ. તેમાં તે તે ઇંદ્રિય સંબંધી.
પાંચ ઇંદ્રિયોના ર૫ર વિક્કર
Page 74 of 161
Page #75
--------------------------------------------------------------------------
________________
૧. સ્પર્શેન્દ્રિયના આઠ વિષય, આઠ સ્પર્શ પ્રમાણે. તે ૮ ને સચિત્ત, અચિત્ત ને મિશ્ર એ 3 વડે ગુણતાં ૨૪, તેને શુભ-અશુભ બે વડે ગુણતાં ૪૮, તેને રાગ દ્વેષ-બે વડે ગુણતાં ૯૬ વિકાર.
૨. રસેંદ્રિયના પસરૂપ છ વિષય, તેને સચિત્ત, અચિત્ત, મિશ્રવડે ગુણતાં ૧૮, તેને શુભ અશુભવડે ગુણતાં ૩૬, તેને રાગદ્વષવડે ગુણતાં ૭૨ વિકાર.
૩. ઘાણંદ્રિયના સુરભી દુરભીરૂપ બે વિષય, તેને સચિત્ત, અચિત્ત, મિશ્રવડે ગુણતાં ૬, તેને રાગદ્વેષવડે ગુણતાં ૧૨ વિકાર.
૪. ચક્ષુઇંદ્રિયના પાંચ વર્ણરૂપ પાંચ વિષય, તેને શુભ અશુભવડે ગુણતાં ૧૦, તેને સચિત્ત, અચિત્ત ને મિશ્રવડે ગુણતાં ૩૦, તેને રાગદ્વેષવડે ગુણતાં ૬૦ વિકાર.
૫. શ્રોબેંદ્રિયના સચિત્ત અચિત્ત ને મિશ્ર શબ્દરૂપ ત્રણ વિષય, તેને શુભ અશુભ વડે ગુણતાં ૬, તેને રાગદ્વેષવડે ગુણતાં ૧૨ વિકાર.
એ રીતે ૯૬-૦૨-૧૨-૬૦-૧૨ કુલ ર૫ર વિકાર થાય છે. તે ભવભીરૂ જીવે યથાશક્તિ તજવા યોગ્ય
બીજી રીતે રસેંદ્રિયના ૫ રસરૂપ પાંચ વિષય ગણતાં તેના ૬૦ વિકાર થાય અને ઘાણંદ્રિયના બે વિષયના શુભાશુભ બે ભેદ કરતાં તેના કુલ ૨૪ વિકાર થાય એકંદરે તો ર૫ર જ થાય. આ પ્રમાણે કરવાથી પાંચ ઇંદ્રિયોના વિષય ૨૩ ના ર૪ કરવા ન પડે એટલી સવળતા છે.
પાંચ ઇંદ્રિયોનો સંવાદ
એકદા શરીરની સુપતા પામીને પરસ્પર વધતી જતી સ્પર્ધાથી ઉદ્ધત બનીને પાંચ ઇંદ્રિયો પરસ્પર આ પ્રમાણે વિવાદ કરવા લાગી :- પ્રથમ કર્વેદ્રિયે કહ્યું : “તમો સર્વમાં મારૂંજ અગ્રેસરપણું છે. કહ્યું છે કે: માણસનો બહુશ્રુતપણામાં જે મુખ્ય કારણભૂત છે અને એક બીજાના તફાવતને જે સ્પષ્ટ કરી બતાવી દે છે, સર્વ ઇંદ્રિયો કરતાં જેના વિષય (શબ્દ) નો ઉપભોગ આઘ છે, જે ભૂષણો ધારણ કરવાને પણ લાયક છે, સૈદ્ધાંતિકો કહે છે કે જે બાર યોજન સુધીથી પોતાનો વિષય ગ્રહણ કરી શકે છે, આવી ગુણવાનું કહેંદ્રિયના. વિચક્ષણ પુરૂષો શા માટે મુક્તકંઠે વખાણ ન કરે ? જે પોતાની પ્રેમવતી પ્રિયા અને પ્રિય બાળકનાં મીઠાં મીઠાં વચનો સાંભળવાને બહિર્મુખ છે એવા બધિર માણસનું જીવિત શા કામનું છે ? તે જીવતો છતાં મૃત. બરોબરજ છે.”
આ પ્રમાણે કરેંદ્રિયની આત્મશ્લાઘા સાંભળી બીજી ઇંદ્રિયો કહેવા લાગી “હે કર્ણ ! તું બરાબર ધ્યાન દઇને સાંભળ-તારૂં કહેવું કદાચ બંધબેસતું હોય છતાં પોતાની પ્રશંસા સ્વમુખથી કરવી એ લજ્જાસ્પદ છે અને તે એક પ્રકારની અસત્યતા છે. તું આટલી બધી બડાઇ મારે છે, પણ તારામાં કેવા પ્રકારના દોષો રહેલા છે તેની તો તને ખબર પણ નથી. જો સાંભળ:- તારામાં કુટિલતા તો પ્રત્યક્ષ રહેલી જ છે, બીજાને સંતાપ આપવામાં કોઇવાર તું મોટી બહાદુર બની જાય છે, તારા અંતર્ભાગમાં મેલ તો ભરેલો જ રહે છે અને વળી તું છિદ્રઘર છે-તારામાં પ્રત્યક્ષ છિદ્ર દેખાય છે.”
આ રીતની ચર્ચા સાંભળી ચક્ષ કહેવા લાગીઃ- જો પાંચ ઇંદ્રિયોની બરાબર બારીકાઇથી તપાસ કરો તો મારામાં શું લાયકાત નથી ? જુઓ સાંભળો- “જેના ઉપલા ભાગમાં મેઘના જેવી શ્યામ છત્ર સમાન અને ભ્રમર સમાન મનોહર એવી ભ્રકુટી શોભી રહી છે, એક લાખ યોજન કરતાં કાંઇક અધિક
Page 75 of 161
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રમાણવાળા ક્ષેત્રમાં રહેલ વસ્તુને જે જોઇ શકે છે, શરીરરૂપ મહેલના એક ગવાક્ષ સમાન જે શોભે છે અને વિકસ્વર કમળ વિગેરેની ઉપમા જેને સહજમાં આનંદ પૂર્વક અપાય છે. એવી ચક્ષના વખાણ કોણ ન કરે ?' વળી શરીરના બીજા અવયવો શોભાને માટે ભલે અલંકારોને ધારણ કરે, પરંતુ સર્વાગની શોભામાં પણ નેત્ર એ એક મંડનરૂપ છે. બહુશ્રુત એવા કર્ણનું સાનિધ્ય હું કદી પણ મૂકતી નથી, તેમજ મારી ઉપર રહેલા ભ્રકુટીના વાળ કુટિલ થઇને વિશેષ વધતા નથી.”
આ પ્રમાણે ચક્ષની આત્મપ્રશંસા સાંભળીને બીજી ઇંદ્રિયો કહેવા લાગી- “હે ચક્ષુ ! તું સ્વમુખે પોતાની પ્રશંસા કર્યા કરે છે. પણ તારામાં પણ દોષ રહેલા છે, તે તો સાંભળ- અંતરના ભાગમાં તો તું અશુભ એવી મલિનતાને ધારણ કરે છે, દ્રવ્ય સંબંધી કાર્યમાં વિઘ્ન લાવનાર એવી ચપલતા તારામાં રહેલી છે, હીન એવા કાયરપણાનો તું આશ્રય કરે છે, તારે આશરે આવેલ અંજનનો ત્યાગ કરીને તું દુર રહેલ બીજી વસ્તુને જોવા જાય છે. (અંજનને દેખી શકતી નથી, માટે હે નેત્ર ! એવી તારામાં શી પ્રધાનતા છે ? કે જેથી લોકો તને માન્ય રાખે. વળી લોકમાં પણ તારું કાંઇ વિશેષ પ્રયોજન જોવામાં આવતું નથી. કહ્યું છે કે - ઉરઃસ્થળનું ભૂષણ હાર છે, કાનનું કુંડલ છે, ચરણનું નુપૂર છે, અને મોટા ઉત્સવમાં પણ નેત્રનું ભૂષણ એક કાજળની સળીમાત્ર ગણાય છે. માટે આપ બડાઇ કરવી વૃથા છે.”
આ સાંભળીને નાસિકા કહેવા લાગી:- “એક મારા વિના તમારી આ બધી ચાલાકી ઝાંઝવાના જળા જેવી છે. સાંભળો :- માણસો એક નાક હોય તોજ પ્રતિષ્ઠા પામે છે, જે નિરંતર સરલતાને ધારણ કરે છે, અને મુખના મધ્યભાગમાં જે બિરાજમાન છે. ખરેખર મુખની શોભા એક નાસિકાજ છે. આવા ગુણો હોવા છતાં નાસિકા મહિમાને કેમ ન પામે ? બાહ્યાડંબરરહિત નિર્મળ ગુણોજ જગતમાં વિજય પામે છે. શરીરના અવયવોમાં નાસિકા ભલે નિરલંકાર છે, છતાં તેમને રમાડવાની કળા તેનામાં છે.”
આ પ્રમાણે સાંભળી અન્ય ઇંદ્રિયો કહેવા લાગી :- “હે નાસા !પોતાના દોષ જોયા વિના માત્ર ગુણોને આગળ મૂકવા એ અનુચિત છે. તારા દુર્ગુણો પ્રથમ સાંભળી લે, દુર્જનની માફ્ટ તું દ્વિમુખ છે, મૂર્ણની જેમાં અંત:કરણ શૂન્ય છે, પાતકીની જમ શુભ કાર્યમાં વિઘ્ન લાવવા માટે છીંક ખાવા તું તૈયાર થાય છે, આવા દોષોને લીધે નાસિકા એક લેશમાત્ર પણ મહિમાને પાત્ર નથી.”
આ હકીકત શ્રવણ કરી શરીરે કહ્યું – “શરીર એ બધી ઇંદ્રિયોનો આધાર છે, આત્માનું ભોગસ્થાન છે, અને સ્વર્ગાદિ પ્રાપ્ત કરવામાં તે મુખ્ય હેતુ છે, માટે તેની મુખ્યતા શા માટે નહિ ?”
આ સાંભળીને ચારે ઇંદ્રિયો તેને કહેવા લાગી કે- “શરીરને ઉપાડવા જઇએ તો ભાર જેવું લાગે છે, અને અંદર જઇએ તો ક્ષાર જેવું લાગે છે. શયન, આસન અને વસ્ત્રાદિકથી નિરંતર તેનું પોષણ કરવામાં આવે છે છતાં તે કોઇનું થયું નથી અને થવાનું પણ નથી. એક સો આઠ વ્યાધિઓ જ્યાં ઘર કરીને રહેલી છે અને અપવિત્રતાનું તો એક સ્થાનરૂપ છે. કહ્યું છે કે- “આ શરીર નવયૌવનથી ભલે ગર્વિષ્ઠ થાય, મિષ્ટાન્ન, પાન, શયન અને આસનાદિકથી તેની આગતા સ્વાગતા ભલે કરવામાં આવે, છતાં તે સંધ્યાભરંગ જેવું વિનશ્વર છે અને આખર તે ક્લેવર થઇ પૃથ્વીપીઠ પર પતિત થઇને આળોટે છે.” વળી અન્યત્ર કહ્યું છે કે - “આ શરીરમાં એકસો સાત મર્મ સ્થાન છે, એક સો આઠ વ્યાધિઓ છે અને એકસો સાઠ સંધિબંધ છે, માટે શરીરમાં એટલી બધી શી વિશેષતા છે ?' વળી કહ્યું છે કે- “તેનું અત્યંગ કરવામાં આવે, વિલેપન કરવામાં આવે અને કરોડો ઘડા ભરી ભરીને તેને હવરાવવામાં આવે, છતાં તે (અપવિત્ર શરીર) મદિરાના પાત્રની જેમ પવિત્ર થતું નથી. માટે એને આપણે મુખ્યતા શી રીતે આપી શકીએ ?”
આ પ્રમાણે કથન થયા પછી ચારે ઇંદ્રિયોએ કાંઇક મસલત કરીને કહ્યું કે- “રસના (જીભ)
Page 76 of 161.
Page #77
--------------------------------------------------------------------------
________________
નવાંકુરની જેમ કોમળતાને ધારણ કરે છે, બપોરીયાના કુસુમ જેવી તેનામાં રતાશ ચળકી રહી છે, વિદ્વાન જેમ કાવ્યના રસને કબૂલ કરે, તેમ તે બધા રસને માન્ય રાખે છે (સમજી શકે છે), બત્રીશ દાંતથી ચૂર્ણ થયેલ અન્નનોજ જે સતત આહાર કરે છે, બીજી સર્વ ઇંદ્રિયોનું તે પરિપોષણ કરે છે અને તેનું રક્ષણ કરવાને કિલ્લાતુલ્ય અધર શોભે છે, માટે આપણા સર્વની એ રસનાજ સ્વામિની થાઓ.”
આ આપણે સર્વ ઇંદ્રિયોએ તેને મુખ્ય બનાવીને પછી આ રીતે તેઓ તેને શિખામણ આપવા લાગી:હે રસના ! તું જગજ્જનથી દુર્જય છે, માટે અમોએ અત્યારે વિચાર કરીને તને અમારી સ્વામિની બનાવી છે, તો હવે વચન બોલવામાં, ભોજન કરવામાં અને યુક્તિ રચવામાં તારે સાવધાન રહેવું, કારણ કે તારી ગફ્લત થશે, તો અમારે સર્વને નુક્શાની વેઠવી પડશે.” કહ્યું છે કે
___ “
जिवे प्रमाण जानीहि, भोजने वचने तथा ।
પ્રતિમુthતીવોd, પ્રાણીનાં પ્રાણનાશનમ્ III” હે રસને !ભોજન અને વચનનું પ્રમાણ તારે બરાબર સમજી લેવું.કારણકે અતિ ભક્ત અને અતિ પ્રોક્તથી અર્થાત અત્યંત ખાવાથી અને અત્યંત બોલવાથી પ્રાણીઓના પ્રાણનો નાશ થાય છે.” તેમજ વળી:
“हितं मितं प्रियं स्निग्धं, मधुरं परिणामि यत् ।
મોનનું વાપિ, મુbari પ્રશચતે 19ી” “હિતકર, પરિમિત, પ્રેમાળ, કોમળ, મધુર અને ળદાય-એવું ભોજન અને વચન, જો ખાવામાં અને બોલવામાં આવે, તો તે પ્રશસ્ત લેખાય છે.” વળી એ સંબંધમાં અન્યત્ર કહ્યું છે કે:
“निर्दग्धो वहिनना वक्षः, कदाचिच्छाङवलो भवेत ।
પ્રાપની દિવાનના દ્રઘો, ન પુન: રસ્તેદાંતિ IIકા” “અગ્નિથી દગ્ધ થયેલ વૃક્ષ કદાચિત નવપલ્લવિત થાય, પણ રસનારૂપ અગ્નિથી (કુવચનથી) દગ્ધ થયેલ પ્રાણી પુન: સ્નેહયુક્ત થતો નથી; માટે પ્રયોજનવાળું, પરિમિત, હિતકર, સમુચિત, સાર, ગર્વરહિત, વિચારયુક્ત, સહેતુક, સારી નિપુણતાવાળુ, દોષરહિત, કોમલ, સત્ય, દીનતાવર્જિત, સ્થિર, ઉદ્ધતાઇ રહિત, સારસહિત, મનોહર, સંબંધયુક્ત, મનને રૂચે તેવું-એવું મધુર વાક્ય ડાહ્યા માણસોને બોલવું સમુચિત છે.”
મર્યાદાનું ઉલ્લંઘન કરનારા માણસો તો આ જગતમાં સંખ્યાબંધ છે, પણ પોતાના માનથી અતિશયયુક્ત એવા આચાર-ચારિત્રવાળા તો ગુણીજનો જ હોય છે. જુઓ ! નાસિકાદિક ચાર ઇંદ્રિયોની અપેક્ષાએ લોકમાં રસનાએ શું નાયકપણું નથી મેળવ્યું ? અર્થાત સર્વમાં તેનું સ્વામિત્વ સદોદિત છે.
ઇન્દ્ર એટલે આત્મા (પરમેશ્વર્ય વાનું) તે આત્માએ ઉત્પન્ન કરેલી જે ચીજ તે ઇન્દ્રિયો કહેવાય છે. આત્મા હંમેશા શુધ્ધ ચેતના મય છે પણ સંસારી જીવો અનાદિ કર્મના સંયોગવાળા હોવાથી, તેનાથી પોતાની શુધ્ધ ચેતના દબાયેલી છે. પ્રગટ થયેલી નથી તથા તે દબાયેલી શુધ્ધ ચેતના જેનાથી દબાયેલી છે તેમાં જીવો રાગાદિ પરિણામ કરતાં કરતાં જીવે છે તેનાથી પોતાનો બાહ્ય જન્મ મરણ રૂપ સંસાર વધતો જાય છે. આ શુધ્ધ ચેતનાને દબાવનાર અશુધ્ધ ચેતનામય ઇન્દ્રિયો પાંચ હોય છે. (૧) સ્પર્શના, (૨) રસના, (૩) ગંધ, (૪) રૂપ અને (૫) શબ્દ.
(૧) સ્પર્શેન્દ્રિયથી જીવોને સ્પર્શનો અનુભવ થાય છે. રસનેન્દ્રિયથી જીવોને રસનો એટલે સ્વાદનો અનુભવ થાય છે. ધ્રાણેન્દ્રિયથી જીવોને ગંધનો અનુભવ થાય છે. ચક્ષરીન્દ્રિયથી જીવોને રૂપનો અનુભવ
Page 77 of 161
Page #78
--------------------------------------------------------------------------
________________
થાય છે અને શ્રોત્રેન્દ્રિયથી જીવોને શબ્દનો અનુભવ થાય છે. આ પાંચે ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયો કહેલા છે. તેમાં સ્પર્શેન્દ્રિયના ૮ વિષયો ગુરૂ સ્પર્શ-લઘુ સ્પર્શ-શીત સ્પર્શ-મૃદુ એટલે કોમળ સ્પર્શ અને કર્કશ એટલે ખરબચડો સ્પર્શ એમ આઠ સ્પર્શ એ આઠ વિષયો કહેવાય.
(૨) રસનેન્દ્રિયના પાંચ વિષયો હોય છે.
કડવો રસ-તીખો રસ-તૂરો રસ-ખાટો રસ-મીઠો રસ.
આ પાંચ રસવાળા પદાર્થો એ રસનેન્દ્રિયના વિષયો રૂપ કહેવાય છે.
(૩) ધ્રાણેન્દ્રિયના-સુગંધ અને દુર્ગંધ એ બે વિષયો છે.
(૪) ચક્ષુરીન્દ્રિયના પાંચ વિષયો હોય છે. કાળો વર્ણ-નીલો અથવા લીલો વર્ણ-લાલ વર્ણ-પીળો વર્ણ અને સફેદ વર્ણ.
(૫) શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષયો હોય છે.
(૧) સચિત્ત શબ્દ-જીવોનાં જે શબ્દો હોય તે.
(૨) અચિત્ત શબ્દ-જીવ રહિત પુદ્ગલના અવાજના જે શબ્દો થાય તે.
(૩) મિશ્ર શબ્દ-જીવ અને અજીવ બન્નેનાં ભેગા શબ્દોનો જે અવાજ સંભળાય તે. જેમકે
કંકણ પહેરેલી સ્ત્રીનો અવાજ અને કંકણનો અવાજ બે ભેગા અવાજો સંભળાય તે.
આ રીતે પાંચ ઇન્દ્રિયોનાં ત્રેવીશ વિષયો થાય છે.
આ પાંચે ઇન્દ્રિયોમાંથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી જગતમાં રહેલા કોઇપણ જીવોને એક સાથે એક અંતર્મુહૂર્ત સુધી એક જ ઇન્દ્રિયનો ઉપયોગ હોય છે અને લબ્ધિ રૂપે દરેક જીવોને પાંચે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ ભાવ રહેલો હોય છે આથી દરેક જીવો ઉપયોગને આશ્રયીને એકેન્દ્રિય કહેવાય છે અને લબ્ધિ રૂપે દરેક જીવો પંચેન્દ્રિય કહેવાય છે.
આથી જ જીવોને એક સ્પર્શેન્દ્રિયનોજ ઉપયોગ હોય છે તે જીવોને એકેન્દ્રિય જીવો કહેવાય. જે જીવોને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય આ બે ઇન્દ્રિયો ઉપયોગ રૂપે એક એક અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે હોય છે તે જીવોને બેઇન્દ્રિય જીવો કહેવાય.
જે જીવોને સ્પર્શેન્દ્રિય-રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય આ ત્રણ ઇન્દ્રિયોનો ઉપયોગ અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે હોય છે તે જીવોને તેઇન્દ્રિય કહેવાય. જે જીવોને સ્પર્શના-રસના-ધ્રાણ અને ચક્ષુ આ ચાર ઇન્દ્રિયોનો એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તો ઉપયોગ પરાવર્તમાન રૂપે હોય છે એ જીવોને ચઉરીન્દ્રિય કહેવાય અને જે જીવોને સ્પર્શના-રસના-ધ્રાણ-ચક્ષુ અને શ્રોત પાંચ ઇન્દ્રિયોમાંથી અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે થયા કરે તેવી જે શક્તિ પ્રાપ્ત થાય તે જીવોને પંચેન્દ્રિય જીવો કહેવાય છે.
એકેન્દ્રિય જીવો સ્પર્શેન્દ્રિયના આઠ વિષયોમાં મુંઝાયેલા સદા માટે હોય છે એ આઠે વિષયો વાળામાંથી જે વિષયોવાળા પુદ્ગલોનો આહાર મળે તે તે વિષયોવાળા પુદ્ગલોથી આત્મામાં રાજીપો એટલે જે પુદ્ગલોનો આહાર ગમે-આનંદ આવે તે રાજીપો કહેવાય છે અને જે પુદ્ગલોનો આહાર ન ગમે અંતરમાં ગ્લાનિ પેદા કરે તેનાથી નારાજી પેદા થયા કરે છે. તેવી રીતે રાજીપો-નારાજી કરતાં કરતાં પોતાના આત્માની જન્મ મરણ રૂપે પરંપરા વધાર્યા કરે છે.
બેઇન્દ્રિય જીવો સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો અને રસનેન્દ્રિયના પાંચ વિષયો સાથે કુલ તેર વિષયોમાંથી કોઇને કોઇ વિષયોમાં રાગાદિ પરિણામ કરતાં કરતાં પોતાનો સંસાર વધારતા જાય છે.
Page 78 of 161
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રધાનપણે સામાન્ય રીતે જીવોને રસનેન્દ્રિય ઇન્દ્રિય વધારે મળેલી હોવાથી તેનો ઉપયોગ વધારે કરે છે. જેમકે આ જીવને ભૂખ લાગે એટલે આહારની શોધમાં નીકળે તેમાં જે આહાર મળે ત્યાં અટકે અને જીભથી. તે આહારને ચાખે. સ્વાદમાં ઠીક લાગે તો ખાય નહીં તો આહારની શોધમાં તેને છોડીને આગળ જાય. એકેન્દ્રિયપણામાં સ્પર્શેન્દ્રિયથી આહાર લેતો હતો અહીં શક્તિ વધી છે માટે રસનેન્દ્રિયથી આહાર કરવામાં ઉપયોગ વધારે કરે છે. આથી કર્મબંધ પણ પચ્ચીશ ઘણો અધિક થાય છે. આ રીતે આ જીવો તેર વિષયોમાંથી પ્રધાનપણે પાંચ રસનેન્દ્રિયના વિષયોમાં મુંઝાતા ર્યા કરે છે.
તે ઇન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિયના-૮-રસનેન્દ્રિયનાં-૫ અને ધ્રાણેન્દ્રિયના બે વિષયો થઇને પંદર વિષયો હોય છે. આ જીવો પંદર વિષયોમાં રાગાદિ પરિણામ કરતાં કરતાં એકેન્દ્રિય જીવો કરતાં પચાસ ઘણો કર્મબંધ કરી ર્યા કરે છે. આ જીવોને સારા રસવાળા પુગલો આહાર માટે મળે છતાં સુગંધ કેવી છે તે જાણવા માટે સુંઘે અને તે સુગંધ પોતાને અનુકૂળ લાગે તોજ આહાર કરે નહિ તા નહિ. આ સ્વભાવ વિશેષ હોય છે.
ચઉરીન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય-૮, રસનેન્દ્રિયના-૫, ધ્રાણેન્દ્રિયના-૨ અને ચક્ષરીન્દ્રિયનાં પાંચ વિષયો થઇને ૨૦ વિષયો હોય છે. તેમાં સારા નરસાપણું કરી પોતાનો સંસાર વધારતા જાય છે. આ જીવોનો પ્રધાનપણે સ્વભાવ એવો હોય છે કે સારા રસવાળા પુદ્ગલો મલે અનુકૂળ ગંધવાળા મલે તો પણ આંખે ગમે એવા ન હોય તો એ આહારનો ઉપયોગ ન કરે તેને છોડી બીજા આહારની શોધમાં જાય છે. આ જીવો. એકેન્દ્રિય કરતાં સો ગુણો અધિક કર્મબંધ કરે છે.
અસન્ની પંચેન્દ્રિય જીવોને ૮ + ૫ + ૨ + ૫ + ૩ = ૨૩ વિષયો હોય છે. તે ત્રેવીશ વિષયોમાંથી કોઇને કોઇ વિષયમાં સારા નરસાપણું કરતાં કરતાં પોતાનો સંસાર વધારતા જાય છે. આ જીવો પ્રધાનપણે કડક સારા અવાજવાળી ચીજ આહારમાં વધારે પસંદ કરે છે. આ જીવો એકેન્દ્રિય જીવો કરતાં એક હજાર ઘણો અધિક કર્મબંધ સમયે સમયે કરે છે.
સન્ની પંચેન્દ્રિય જીવોને વેવીશ વિષયોમાં વિશેષ રીતે સારા નરસાપણું કરવા માટે અધિક મન મળેલું હોય છે તેથી સારી રીતે અનુકુળ વિષયોમાં એકાગ્ર ચિત્તે રાગાદિ કરતાં જાય છે અને પ્રતિકુળ વિષયોમાં દ્વેષાદિ સારી રીતે કરી કરીને પોતાનો સંસાર અધિક અધિક વધારતા જાય છે. આ જીવોને મન મેળેલું હોવાથી એકેન્દ્રિય જીવો કરતાં અંતઃકોટાકોટી સાગરોપમ જેટલો કર્મબંધ સમયે સમયે કર્યા જ કરે છે અને રાગાદિની તીવ્રતાના કારણે કોઇ કોઇવાર ઉત્કૃષ્ટથી દરેક કર્મનાં ઉત્કૃષ્ટ સ્થિતિ બંધને પણ કર્યા કરે છે. આજે આપણને મળેલી ઇન્દ્રિયોનો લગભગ મોટા ભાગે કયો ઉપયોગ કરીએ છીએ એ ખાસ વિચાર કરવાનો છે. ઇન્દ્રિયોને આધીન બની જીવવામાં બહાદુરી એટલે શુરવીરતા નથી પણ તે તે ઇન્દ્રિયોની સંયમતા કરીને જીવવામાં બહાદુરી કહેલી છે. આથી કઇ કઇ ઇન્દ્રિયો પ્રધાનપણે મને હેરાન કરે છે, વારંવાર તે તે વિષયોમાં મને ખેંચી જાય છે તે જાણીને તેનાથી છૂટવાનો અને સંયમ કરવાનો અવશ્ય પ્રયત્ન કરવો જોઇએ. જો એ નહિ થાય તો સંસાર માથા ઉપર ઉભો રહે છે. સંસાર કાપવો હોય અને મોક્ષનો અભિલાષ પેદા કરી તેને ટકાવવો હોય તો આ પ્રયત્ન અવશ્ય કરવો જ પડશે. આથી આખા દિવસમાં ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયોમાંથી કેટલા વિષયોમાં રાગ-દ્વેષાદિ પરિણામ કરી કરીને જીવ્યા અથવા જીવીએ છીએ તેને જોવાનો પ્રયત્ન કરવો પડશેને ? આ પ્રયત્ન કરતાં રહીશું તો ઇન્દ્રિયોનો સંયમ જલ્દી થઇ શકશે. આથી જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે એક સેકંડ અનુકૂળ પદાર્થની ઇચ્છા કરીએ અથવા પ્રતિકૂળ પદાર્થોમાં નારાજી કરીએ કે દ્વેષ કરીએ એટલે દશ ભવની પરંપરા વધે છે. બીજી વાર વિચાર કરે એટલે
Page 79 of 161
Page #80
--------------------------------------------------------------------------
________________
દશ x દશ = સો ભવ થાય છે તથા એક સેકંડ અનુકૂળ પદાર્થની ઇચ્છાથી જીવોને નારકીના જીવો ૧૫૧૫૬૫૨ પલ્યોપમ સુધી જેટલું દુઃખ વેઠે છે એટલું દુઃખ વેઠવાનું કર્મ બંધાય છે.
આથી એ વિચારવાનું કે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં ઇન્દ્રિયજન્ય સુખોથી કેટલા સાવધ રહી સંયમી બનવા પ્રયત્ન કરવો પડે ? આજે આનું લક્ષ્ય કેટલાને છે ? માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે જ્યાં સુધી ઇન્દ્રિયોનું બલ ક્ષીણ ન થાય ત્યાં સુધીમાં જેટલું આત્મિક ગુણ માટે સધાય એટલું સાધી લેવું કહ્યું છે કે જેથી ઇન્દ્રિયોનું બલ સંસાર વર્ધક ન બન.
હવે ઇન્દ્રિયોનું સ્વરૂપ જણાવાય છે.
ઇન્દ્રિયો પાંચ હોય છે તે દરેકના બબ્બે ભેદ હોય છે. (૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય.
દ્રવ્યેન્દ્રિયના બે ભેદ હોય છે. (૧) નિવૃત્તિ રૂપ દ્રવ્યેન્દ્રિય, (૨) ઉપકરણ રૂપ દ્રવ્યેન્દ્રિય. નિવૃત્તિ = આકૃતિ તેના પણ બે ભેદ છે. (૧) બાહ્ય, (૨) અત્યંતર.
બાહ્ય નિવૃત્તિ રૂપ ઇન્દ્રિય દરેક પ્રાણીઓને તેમજ મનુષ્યને જુદા જુદા આકારવાળી પ્રત્યક્ષ દેખાય
છે તે.
અત્યંતર નિવૃત્તિ રૂપ ઇન્દ્રિય સર્વ જાતિમાં સમાન હોય છે તેને આશ્રયીને તેના સંસ્થાનોનું નિયતપણું આ પ્રમાણે કહેલું છે.
(૧) શ્રોતેન્દ્રિય તે કદંબ પુષ્પના જેવા માંસના એક ગોલક રૂપ હોય છે.
(૨) ચક્ષુરીન્દ્રિય તે મસુરના ધાન્યની આકૃતિ સમાન હોય છે.
તે
(૩) ઘ્રાણેન્દ્રિય તે અતિ મુક્તના પુષ્પની જેવી-કાહલ (વાજીંત્ર વિશેષ) ની આકૃતિવાળી હોય છે. (૪) જીહવેન્દ્રિય તે સુરપ્રના એટલે અસ્ત્રાના આકારવાળી હોય છે.
(૫) સ્પર્શેન્દ્રિય તે વિવિધ પ્રકારની આકૃતિવાળી હોય છે. કારણકે શરીરની આકૃતિ એ એની આકૃતિ છે.
ઇન્દ્રિયોની બાહ્ય આકૃતિ ખડ્ગની ઉપમાવાળી છે અને અંદરની આકૃતિ ખડ્ગની ધારા જેવી કહી છે જે અત્યંત નિર્મળ પુદ્ગલ રૂપે હોય છે.
બાહ્ય આકૃતિ અને અત્યંતર આકૃતિની શક્તિ વિશેષ તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે.
અત્યંતર આકૃતિના સંબંધમાં બે વિકલ્પ છે. કોઇ અત્યંત સ્વચ્છ પુદ્ગલ રૂપ અંતરંગ આકૃતિ કહે છે અને કોઇ શુધ્ધ આત્મ પ્રદેશ રૂપ અંતરંગ આકૃતિ કહે છે. ઉપકરણ દ્રવ્યેન્દ્રીય શક્તિ અને શક્તિવાન્ અભિન્ન હોય છે તેથી અંતરંગ નિવૃત્તિથી જુદી પડી શકતી નથી તેથી તે અભેદ છે અને અંતરંગ નિવૃત્તિ છતાં પણ દ્રવ્યાદિક વડે જો ઉપકરણ ઇન્દ્રિય પરાઘાત પામી જાય તો પદાર્થનું અજ્ઞાનપણું પ્રાપ્ત થાય છે તેથી તેમાં ભેદ પણ છે.
ઉપકરણ દ્રવ્યેન્દ્રિય બે પ્રકારની છે. (૧) બાહ્ય અને (૨) અત્યંતર.
તેમાં બાહ્ય ઉપકરણેન્દ્રિય માંસપેશી રૂપ સ્થુળ અને અત્યંતર ઉપકરણેન્દ્રિય તેમાં રહેલી શક્તિ રૂપ સૂક્ષ્મ જાણવી.
ભાવેન્દ્રિયના પણ બે પ્રકાર છે. (૧) લબ્ધિ ભાવેન્દ્રિય અને (૨) ઉપયોગ ભાવેન્દ્રિય.
લબ્ધિ ભાવેન્દ્રિય = કર્ણાદિકના વિષયોવાળો તે તે પ્રકારના આવરણનો જે ક્ષયોપશમ ભાવ તે લબ્ધિ ભાવેન્દ્રિય કહેવાય.
ઉપયોગ ભાવેન્દ્રિય = પોત પોતાની લબ્ધિને અનુસારે વિષયોને વિષે આત્માનો જે વ્યાપાર તે
Page 80 of 161
Page #81
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ ભાવેન્દ્રિય. ટૂંકમાં શક્તિ રૂપ લબ્ધિ ભાવેન્દ્રિય અને તેના વ્યાપાર રૂપ ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય છે.
લબ્ધિ રૂપ ભાવેન્દ્રિય સમકાળે એટલે સદા માટે પાંચે હોય અને ઉપયોગ ભાવેન્દ્રિય તો એકકાળે એક જ વર્તે છે એટલે કે જે ઇન્દ્રિયની સાથે પ્રાણીનું મન જોડાય તેજ ઇન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરવામાં પ્રવર્તે છે. આથી એક કાળે એકજ ઇન્દ્રિયનો ઉપયોગ હોય છે.
આત્મા મન સાથે-મન ઇન્દ્રિય સાથે અને ઇન્દ્રિય પોતાને યોગ્ય પદાર્થની સાથે એટલી જલ્દીથી જોડાય છે કે તેની ખબરજ પડતી નથી. મનનો વેગ એટલો બધો તીવ્ર હોય છે કે તેને કાંઇ પણ અગમ્ય નથી અને જ્યાં મન જાય છે ત્યાં સાથે આત્મા પણ જાય જ છે.
જીવોનો એકેન્દ્રિયાદિ પણાનો જે વ્યવહાર છે તે દ્રવ્ય ઇન્દ્રિયની અપેક્ષાએ છે ભાવેન્દ્રિયની અપેક્ષાએ નહિ.
પાંચે ઇન્દ્રિયની સ્થૂળતા અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે.(જાડાઇ)
પાંચે ઇન્દ્રિયોની પહોળાઇમાં શ્રોત્રેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને ચક્ષુરીન્દ્રિયની પહોળાઇ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. રસનેન્દ્રિયની પહોળાઇ અંગુલ-પૃથ એટલે બે થી નવ અંગુલ
પ્રમાણવાળી હોય છે. સ્પર્શેન્દ્રિયની પહોળાઇ પોત પોતાના દેહ પ્રમાણ હોય છે.
કઇ ઇન્દ્રિય વિષયોને (કેટલે દૂરથી) ગ્રહણ કરે તે.
ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગથી પોત પોતાના વિષયને ગ્રહણ કરે છે. જ્યારે ચક્ષુ અંગુલના સંખ્યાતમા ભાગથી ગ્રહણ કરે છે.
ઉત્કૃષ્ટથી શ્રોત્ર એટલે કાન બાર યોજનથી આવેલા શબ્દને સાંભળી શકે છે. ચક્ષુ સાધિક લાખ દૂર રહેલા પોતાના વિષયને ગ્રહણ કરી શકે છે. બાકીની ત્રણ ઇન્દ્રિયો નવ નવ યોજનથી આવેલા પોત પોતાના વિષયોને ગ્રહણ કરી શકે છે.
યોજન
રસ-ઘ્રાણ અને સ્પર્શ આ ત્રણ ઇન્દ્રિયો બધ્ધ-સ્પષ્ટ દ્રવ્યને ગ્રહણ કરે છે. કર્મ સ્પષ્ટ દ્રવ્યને ગ્રહણ કરે છે અને નેત્ર અસ્પૃષ્ટ વસ્તુને ગ્રહણ કરે છે.
આત્મપ્રદેશોએ આત્મ રૂપ કરેલું તે બધ્ધ કહેવાય છે અને શરીર પર રજની પેઠે જે ચોંટેલું તે સ્પષ્ટ કહેવાય છે.
આ બધી ઇન્દ્રિયો અનંત પરમાણુઓની બનેલી છે. અને દરેક અસંખ્ય આકાશ પ્રદેશના અવગાહનાવાળી હોય છે. શ્રોત્ર-બે, નેત્ર-બે, નાસિકા બે, જીવ્હા-એક અને સ્પર્શન એક એમ આઠ દ્રવ્યેન્દ્રિય હોય છે જ્યારે ભાવેન્દ્રિય તો પાંચજ હોય છે.
સન્ની પંચેન્દ્રિય જીવોને સ્મૃતિ-આદિ જ્ઞાનના સાધનભૂત મન હોય છે તે નોઇન્દ્રિય રૂપે કહેવાય છે. પાંચ ઇન્દ્રિયોનાં ૨૫૨ વિકારોનું વર્ણન
(૧) સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો હોય છે. તે આઠેય સચિત્ત રૂપે હોય. અચિત્ત રૂપે હોય અને મિશ્ર રૂપે પણ હોય. આથી ૮ને ત્રણે ગુણતાં ૨૪ ભેદો થાય છે. તે ૨૪ શુભ રૂપે પણ હોય અશુભ રૂપે હોય માટે બે એ ગુણતાં ૨૪ × ૨ = ૪૮. તે ૪૮ માં રાગ થાય અને દ્વેષ થાય માટે ૪૮ X ૨ = ૯૬. વિકારો સ્પર્શેન્દ્રિયનાં થાય છે.
Page 81 of 161
Page #82
--------------------------------------------------------------------------
________________
(૨) રસનેન્દ્રિયનાં પાંચ વિષયો છે તેને સચિત્ત-અચિત્ત અને મિશ્ર એ ત્રણ વડે ગુણતાં ૫ X 3 = અને અશુભ | એ બે ગુણતાં ૧૫ X ૨ = ૩૦. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૩૦ X ૨ = ૬૦ ભેદ થાય
૧૫. શુભ
છે.
(૩) ધ્રાણેન્દ્રિયના બે ભેદોને સચિત્ત-અચિત્ત અને મિશ્ર ત્રણ વડે ગુણતાં ૨ X ૩ = ૬. શુભ અને અશુભ વડે ગુણતાં ૬ X ૨ = ૧૨. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૧૨ X ૨ = ૨૪ થાય છે.
(૪) ચક્ષુરીન્દ્રિયનાં પાંચ વિષયો છે તેને સચિત્ત-અચિત્ત-મિશ્ર ત્રણ વડે ગુણતાં ૫ X ૩ = ૧૫. શુભ અશુભ વડે ગુણતાં ૧૫ X ૨ = ૩૦. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૩૦ X ૨ = ૬૦ થાય છે.
અને
(૫) શ્રોત્રેન્દ્રિયનાં ત્રણ વિષયો છે તે ત્રણને શુભ અને અશુભ બે વડે ગુણતાં ૩ X ૨ = ૬. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૬ X ૨ = ૧૨ ભેદો થાય છે. આ રીતે ૯૬ + ૬૦ + ૨૪ + ૬૦ + ૧૨ = ૨૫૨ ભેદો થાય છે. “આ ૨૫૨ વિકારોમાંથી કઇ ઇન્દ્રિય વાળા જીવો કેટલા વિકારો કરતાં કરતાં જીવે છે તેનું વર્ણન.” એકેન્દ્રિય જીવો એક સ્પર્શેન્દ્રિયવાળા હોવાથી આઠ વિષયો અને તેના ૯૬ વિકારોમાં લપેટાયેલા આના દ્વારા પોતાનો સંસાર વધારે છે.
બેઇન્દ્રિય જીવો સ્પર્શ અને રસનેન્દ્રિયવાળા હોવાથી આઠ અને પાચ એમ તેર વિષયોની સાથે ૯૬ + ૬૦ = ૧૫૬ વિકારોમાંથી કોઇને કોઇ વિકારો કરી પોતાનો સંસાર વધારી રહ્યા છે.
તેઇન્દ્રિય જીવો :- સ્પર્શના-રસના અને ધ્રાણ ઇન્દ્રિયોવાળા હોવાથી ૮ + ૫ + ૨ = ૧૫ વિષયોનાં ૯૬ + ૬૦ + ૨૪ = ૧૮૦ વિકારોમાંથી કોઇને કોઇ વિકારો કરતાં કરતાં પોતાનો સંસાર વધારે છે.
ચઉરીન્દ્રિય-સ્પર્શના-રસના-ધ્રાણ અને ચક્ષુ આ ચાર ઇન્દ્રિયો હોવાથી ૮ + ૫ + ૨ + ૫ = ૨૦ વિષયો તથા ૯૬ + ૬૦ + ૨૪ + ૬૦ = ૨૪૦ વિકારોને વિષે મુંઝવણ પામતા પામતા સંસારમાં પરિભ્રમણ કરે છે. અસન્ની પંચેન્દ્રિય જીવોને પાંચે ય ઇન્દ્રિયો હોવાથી તેના ૨૩ વિષયો અને ૨૫૨ વિકારોમાંથી કોઇને કોઇ વિકારોને આધીન થતાં મન વગર હોવા છતાં પરિભ્રમણ કર્યા કરે છે.
સન્ની જીવો પાંચ ઇન્દ્રિયો અને મન સાથે હોવાથી તેના ૨૩ વિષયો અને ૨૫૨ વિકારોમાંથી કોઇને કોઇ વિકારોને આધીન થઇ મનપૂર્વક મજા માનતાં માનતાં પોતાના સંસાર વધારતાં જાય છે.
એક કર્મ ભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને જ ચાન્સ છે કે આ જાણીને ત્રેવીશ વિષયો અને ૨૫૨
વિકારોમાંથી શક્ય તેટલો સંયમ કરીને જીવ તેનાથી પોતાનો સંસાર પરિમિત એટલે અલ્પ કરી શકે છે. તે માટે જ દેવ, ગુરૂ, ધર્મની સામગ્રી પ્રાપ્ત થયેલી છે. આથી તેનો ઉપયોગ કરી પ્રયત્ન કરશે તે મોક્ષ માર્ગમાં દાખલ થઇ સંસારને પરિમિત કરી શકશે.
આ રીતે પાંચ પ્રકારના જીવોનું વર્ણન થયું. ૯. સમુધ્ધાત દ્વાર
સમ એટલે આત્માની ચારે બાજુથી, એકી ભાવના યોગથી, વેદનાદિ ભોગવાઇને આત્માના પ્રાબલ્ય વડે એટલે આત્માની જોરદાર શક્તિ વડે કર્મોનો ઉપઘાત એટલે નાશ સંહાર થાય તે સમુદ્ધાત કહેવાય. કાલાંતરે એટલે લાંબા કાળે ભોગવવા યોગ્ય કર્મોને બલાત્કારે એટલે બલ વાપરીને ઉદીરણા કરણ દ્વારા ઉદયમાં લાવીને એટલે ભોગવાતી ઉદયાવલિકામાં લાવીને ખપાવવા (ખપાવી નાંખે છે) તે સમુદ્ધાત કહેવાય છે.
Page 82 of 161
Page #83
--------------------------------------------------------------------------
________________
અનાદિકાળથી જગતમાં ભટકતાં એવા જીવોએ આવી રીતે કર્મોને ભોગવવા અને નાશ કરવા માટે અનંતીવાર સમુદ્ધાત કરેલા છે. આ ઉદીરણા કરણ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનાં સઘળાય જીવોને હોય છે. ઉદયની સાથે ઉદીરણા ચાલુને ચાલુ હોય છે. તેમાં જ્યારે વિશેષ પુરૂષાર્થ જીવ કરે છે તે વખતે આ. સમુદધાતની ક્રિયા પેદા થાય છે. આ સમુદ્ધાત કરતી વખતે જીવના આત્મ પ્રદેશો પોતાના શરીરની અવગાહના કરતાં બહાર નીકળે છે અને તે વખતે તે આત્મપ્રદેશો ઉપર જે કર્મો રહેલા હોય છે તે એકી સાથે તેનો નાશ થાય છે જો તે વખતે જીવ સમતાભાવમાં રહે તો નવા એના એ કર્મો કે એનાથી વધારે કર્મોનો બંધ થતો નથી પણ જીવ એ વખતે હાય વોય કરતો હોય, કષાયને આધીન થઇને ગુસ્સો આદિ કરતો હોય તો જેટલા કર્મો ખપે છે એના કરતાં જોરદાર વિશેષ રીતે બાંધે છે. માટે સમુધાતને ઓળખીને
થી સાવધ રહેવાનું છે. અત્યારે આ મનુષ્ય જન્મમાં સાવધ રહી શકોએ એવી શક્તિ અને સામગ્રી મળેલી છે. તો એ સંસ્કાર દ્રઢ થાય એ કરવા પ્રયત્ન કરવો જોઇએ.
સમુદ્ધાત સાત પ્રકારના હોય છે.
(૧) વેદના સમુદ્ધાત, (૨) કષાય સમુદ્ધાત, (૩) મરણ સમુદ્ધાત, (૪) વૈક્રીય સમુદ્ધાત, (૫) આહારક સમુધાત, (૬) તેજસ સમુદ્ધાત અને (૭) કેવલી સમુદ્ધાત.
(૧) વેદના સમુદ્ધાત :- અશાતા વેદનીયના કર્મના ઉદયથી આ સમુદ્ધાત જીવોને પેદા થાય છે. જ્યારે જોરદાર અશાતા વેદનીયનો ઉદય પેદા થાય ત્યારે પોતાના શરીરની જે અવગાહના હોય છે તેમાં જે જે પોલાણ ભાગો રહેલા હોય છે જેમકે નાકનો પોલાણ ભાગ કાનનો પોલાણ ભાગ ઇત્યાદિ પોલાણ ભાગોને આત્મપ્રદેશો વડે પુરે છે અને શરીરની જાડાઇ, ઉંચાઇ, લંબાઇ અને પહોળાઇ એક સરખી કરે છે અને સાથે સાથે એટલા ક્ષેત્રવ્યાપી કે એથી વધારે ક્ષેત્રવ્યાપી આત્મપ્રદેશોને બહાર કાઢી દંડાકારે બનાવે છે. આ દંડાકારે રહેલા આત્મપ્રદેશો એક અંતર્મુહૂર્ત સુધી રહે છે. આ વખતે જીવ અશાતા વેદનીયના બંધાયેલા જે પુગલો છે તેમાં ઘણાં ખરાને ભોગવીને નાશ કરે છે. કારણકે સમુદ્ધાતને પ્રાપ્ત થયેલ આત્મા તેના જ ઉપયોગવાળો હોય છે. અન્ય એટલે બીજામાં તે વખતે તેનો ઉપયોગ હોતો નથી. આથી વેદનાદિના અનુભવ જ્ઞાનમાં પરિણત થયેલો આત્મા ઉદીરણા વડે એ અશાતા વેદનીયના ઘણાં પુગલોને ઉદયમાં લાવીને ભોગવીને નાશ કરે છે એ વેદના સમુદ્ધાત કહેવાય છે. જુઓ આ સમુદ્ધાત વખતે આત્મા. સમાધિમાં રહે, આવેલા દુ:ખમાં દીન ન બને તો એ આત્માનું કલ્યાણ થયા વગર રહેતું નથી અને ફ્રીથી નવા અશાતા વેદનીયના કર્મો ભોગવવા લાયક બંધાતા નથી પણ જો જીવ દીન બનીને એ કર્મોને જો ભોગવે તો એ અશાતા વેદનીયના કર્મો સમુદ્ધાતના કારણે નાશ જરૂર પામે છે. પણ સાથે સાથે દીનતાના કારણે નવા એવા જ ભોગવવા લાયક કે એથી અધિક વેદના યુક્ત ભોગવવા લાયક કર્મો જરૂર બાંધે છે. આથી જીવને ઉંટ કાઢતાં બકરું પઠું એવી હાલત થાય છે. આ વેદના સમુદ્ધાત કહેવાય છે.
(૨) કષાય સમુદ્ધાત - ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી કષાયોથી આકુળ વ્યાકુળ બનેલો જીવ, અનંતાનંત કષાયોના કર્મોથી વિંટાયેલો જીવ પોતાના આત્મ પ્રદેશોને અવગાહનામાંથી બહાર કાઢી કાન, નાક વગેરેના પોલાણ ભાગોન પુરીને અને શરીરની લંબાઇ-પહોળાઇ તથા જાડાઇ પ્રમાણે દંડ બનાવે છે. એ દંડ રૂપે જીવો એક અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે. એટલા કાળમાં જે કષાયનો સમુધાત હોય તે કષાયના ઘણાં પુદ્ગલોનો નાશ કરે છે તે કષાય સમુદ્ધાત કહેવાય છે. જો આ સમયે જીવ સાવધ રહે અને કષાયને આધીન ન થાય, ક્ષમા-નમ્રતા આદિ ગુણોને ધારણ કરે તો તેનાથી જે કષાયોની નિર્જરા થયેલી હોય છે. એનાથી ઓછા બંધાય છે પણ જો કષાયને આધીન થયેલો હોય અને તે વખતે ક્રોધાદિ કષાયને
Page 83 of 161
Page #84
--------------------------------------------------------------------------
________________
આધીન થયેલો હોય તો જેટલા કર્મો ખપે છે તેના કરતાં કઇ ગુણા અનંત કર્મો બાંધે છે એ કષાય સમુધાત કહેવાય છે.
(૩) મરણ સમુદ્ધાત - જગતમાં રહેલા જીવોને પોતાનું ભોગવાતું આયુષ્ય છેલ્લું એક અંતર્મુહૂર્તનું ભોગવવાનું બાકી રહે ત્યારે જે જીવોને મરણ સમુદ્ધાત થવાનો હોય તે જીવ જે ભવનું આયુષ્ય બાંધેલું હોય તે જે ક્ષેત્રમાં જઇને ભોગવવાનું હોય તે ક્ષેત્ર સુધી પોતાના આત્મપ્રદેશો લંબાવીને દંડરૂપે બનાવે છે અને તે ક્ષેત્રને સ્પર્શીને પાછો પોતાના સ્થાને આવે છે. આ ક્રિયાને મરણ સમુદ્ધાતની ક્રિયા. કહેવાય છે. એમાં કેટલાક જીવો આ રીતે દંડરૂપે આત્મપ્રદેશો લંબાવ્યા પછી પોતાના સ્થાને પાછો આવી
થી પણ તે ક્ષેત્ર સધી આત્મ પ્રદેશો લંબાવે છે અને તે સ્થાનમાંથી આત્મપ્રદેશોનો સંકોચ કરતાં કરત વચમાં જ પોતાનું ભોગવાતું આયુષ્ય પૂર્ણ કરી શકે છે તે પણ મરણ સમુદ્ધાત કહેવાય છે. આ રીતે એક ભવમાં બે વાર મરણ સમુદ્ધાતને જીવો કરી શકે છે પણ બીજીવાર મરણ સમુદ્ધાત કરનારા જીવો પોતાના ભોગવાતા આયુષ્યને પોતાના ક્ષેત્રમાં પૂર્ણ કરતાં નથી પણ જે ક્ષેત્રમાં ઉત્પન્ન થવાનું હોય તે ક્ષેત્ર તરફ વચમાં ભોગવાતું આયુષ્ય પૂર્ણ થાય છે. જ્યારે એક વાર મરણ સમુદ્ ધાત કરનારો જીવ દંડરૂપે આત્મા પ્રદેશોને જ્યાં ઉત્પન્ન થવાનું છે ત્યાં સુધી વિસ્તાર કરી પછી મૂલ સ્થળે પાછો આવી પછી જ એ મૂલ સ્થળે. જ મરણ પામે છે. અને પછી એ જે ક્ષેત્રમાં ઉત્પન્ન થવાનો હોય ત્યાં પહોંચી જાય છે. એ મરણ સમુદ્ધાત કહેવાય છે. આ રીતે એકવાર અથવા બે વાર દંડરૂપે આત્મપ્રદેશોને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના કોઇ પણ જીવો કરી શકે છે. દરેક જીવનું મરણ સમુદ્ધાતથી જ થાય એવો નિયમ નથી. સમુદ્ધાત વગર પણ જીવો મરણ પામી શકે છે. વ્યવહારમાં એમ કહેવાય છે કે યમ લેવા માટે આવ્યો. યમ એમને લઇને એ ક્ષેત્ર બતાવી આવ્યો એમ કહેવાય છે. તે આને એટલે મરણ સમુદુધાતને અનુલક્ષીને જાણવું બાકી કોઇ લેવા આવતું નથી અને કોઇ કાંઇ બતાવતું નથી.
(૪) વૈક્રીય સમુદ્ધાત - આ સમુદ્ધાત વક્રીય શરીર નામકર્મ ઉદયક હોય છે. વૈક્રીય શરીરની વિકુર્ણ કરે ત્યારે હોય છે એટલે દેવતા અને નારકીના જીવો ઉત્તર વક્રીય શરીર એટલે બીજું વૈક્રીય શરીર બનાવતા હોય ત્યારે આ સમુધાત હોય છે અને એ વક્રીય શરીરનું સંહરણ કરતાં હોય, નાશ કરતાં હોય ત્યારે આ સમુદ્ધાત હોય છે એવી જ રીતે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો ઉત્તર વેક્રીય શરીર બનાવે અને સંહરે ત્યારે આ સમુદુધાત હોય છે. જ્યારે ઉત્તર વૈક્રીય શરીર બનાવતા હોય ત્યારે પોતાના શરીરની અવગાહનામાં રહેલા આત્મ પ્રદેશોને બહાર કાઢી દડરૂપે બનાવે અને તે જ વખતે જગતમાં રહેલા વૈક્રીય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી વૈક્રીય રૂપે પરિણમાવી વક્રીય શરીર બનાવે છે તે વિક્રીય સમદુધાત કહેવાય છે અને તે વક્રીય શરીર બનાવ્યા પછી એની જરૂરત ન હોય ત્યારે તે શરીરને સંહરણ કરતાં આત્મ પ્રદેશોને દંડરૂપે બનાવી એ પુદગલોનો નાશ કરે છે ત્યારે વેક્રીય સમુધાત કહેવાય છે. આ સમુદ્ધાત પ્રમાદથી પેદા થતો હોવાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધી આ સમુદ્ધાત હોય છે.
(૫) આહારક સમુધાત :- આ સમુધાત આંહારક શરીર નામકર્મ વિષયક છે. ચૌદ પૂર્વધર મહાત્માઓ જ આ સમુદ્ધાત કરી શકે છે. જ્યારે કોઇ પદાર્થમાં શંકા પડે અને સમાધાન ન મળે તો તે સમાધાન મેળવવા માટે આ સમુદ્ધાતનો ઉપયોગ કરે છે અથવા ભગવાનનું સમવસરણ રચેલું હોય અને એના દર્શન કર્યા ન હોય તો તે જોવા માટે આ સમુદ્ધાતનો ઉપયોગ કરે છે. આ સમુદ્ધાતનો ઉપયોગ માત્ર છઠ્ઠા ગુણસ્થાનકે જ થાય છે. જ્યારે જીવો આહારક શરીર બનાવવાના હોય ત્યારે પોતાના આત્મ પ્રદેશો દંડરૂપે બનાવે છે અને તે જ વખતે જગતમાં રહેલા આહારક વર્ગણાના પગલોને ગ્રહણ કરી આહારક
Page 84 of 161.
Page #85
--------------------------------------------------------------------------
________________
શરીર રૂપે પરિણમાવી મહાવિદેહ ક્ષેત્રમાં જ્યાં શ્રી તીર્થંકર પરમાત્માઓ હોય ત્યાં મોકલે છે અને સમાધાન લઇને તરત જ પાછુ આવે છે અને તેજ વખતે આત્મપ્રદેશોને દંડરૂપે બનાવી આહારક શરીરના પુદ્ગલોનું વિસર્જન કરે છે તે આહારક સમુદ્ધાત કહેવાય છે. આ એક ભવમાં બે વાર કરી શકે છે અને આખા ભવચક્રમાં (સંસારમાં રહે ત્યાં સુધીમાં) ચાર વાર કરી શકે છે.
(૬) તૈજસ સમુદ્ધાંત :- આ તૈજસ શરીર નામકર્મ વિષયક છે. જ્યારે જીવોએ તેજોલેશ્યાની લબ્ધિ કે શીત લેશ્યાની લબ્ધિ પેદા કરેલી હોય છે ત્યારે તેનો ઉપયોગ કરતાં આ સમુદ્ઘાત હોય છે જ્યારે જીવ તેજોલેશ્યાનો કે શીત લેશ્યાનો ઉપયોગ કરતો હોય ત્યારે પોતાના શરીરની અવગાહના રૂપે રહેલા આત્મપ્રદેશોને બહાર કાઢીને દંડરૂપે બનાવે છે અને તજ વખતે જગતમાં રહેલા તૈજસ શરીર વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેમાંથી તૈજસ શરીર રૂપે તેજોલેશ્યા બનાવે છે અને કેટલાક તેમાંથી શીત લેશ્યા પણ બનાવી શકે છે. આ તેજો લેશ્યા કે શીત લેશ્યા બનાવ્યા પછી તેનો ઉપયોગ કરીને તે લેશ્યાના પુદ્ગલોને વિસર્જન કરતાં ફરીથી આત્મ પ્રદશોને દંડરૂપે બનાવી તે લેશ્યાના પુદ્ગલોનો નાશ કરી મૂલ પોતાના શરીરની અવગાહના રૂપે થાય તે તૈજસ શરીર સમુદ્ધાત કહેવાય છે.
(૭) કેવલી સમુદ્ધાંત :-તેરમા ગુણસ્થાનકમાં રહેલા કેવલી ભગવંતોને આ સમુદ્ધાત હોય છે જે કેવલી ભગવંતોનું આયુષ્ય કેવલજ્ઞાન પામ્યા પછી છ મહિનાથી ઓછું હોય તે કેવલી ભગવંતો આ સમુદ્ઘાત કરેય ખરા અથવા ન પણ કરે પણ જે કેવલી ભગવંતોનું આયુષ્ય છ મહિનાથી અધિક હોય એ કેવલી ભગવંતો આ સમુદ્દાત અવશ્ય કરે છે. આ સમુદ્ધાત વેદનીય-નામ અને ગોત્રકર્મના પુદ્ગલો આયુષ્ય કર્મ કરતાં વધારે હોય છે તે વધારાના પુદ્ગલો ખપાવવા માટે અને બાકીના પુદ્ગલો આયુષ્ય કર્મ જેટલા રાખીને આયુષ્ય સુધી ભોગવવા લાયક બનાવે છે તે કેવલી સમુદ્ધાત કહેવાય છે આ સમુદ્ધાત
આઠ સમયનો હોય છે.
કેવલી ભગવંતો પહેલા સમયે મૂલ શરીર રૂપે હોય છે. પહેલા સમયે પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢીને અધોલોકમાં સાતમી પૃથ્વી સુધી લંબાવે છે અને ઉર્ધ્વલોકે પણ છેક લોકના અગ્રભાગ સુધી લંબાવે છે અને પહોળાઇ તથા જાડાઇ પોતાના શરીર પ્રમાણ હોય છે. આ રીતે ચૌદરાજલોક સુધીનો દંડ કરે છે. બીજા સમયે તિતિલોકને વિષે રહેલા અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો સુધી એટલે સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી
કપાટ રૂપે બનાવે છે એટલે આત્મપ્રદેશોનો આકાર ચોકડી જેવો થાય છે. ત્રીજા સમયે ચોકડી આકારથી અધિક રૂપે એ ચોકડીના આકારમાં ગુણાકારની ચોકડીના આકાર વધે છે. એટલે દહીં ભાંગવાના સાધન જેવો રવૈયાનો આકાર બને છે અને ચોથા સમયે બાકીના ભાગોને આત્મ પ્રદેશોથી પુરીને લોકવ્યાપી બને છે. બીજા અને ત્રીજા સમયે ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે અને ચોથા સમયે લોકવ્યાપી બને ત્યારે કાર્પણ કાયયોગ હોય છે. પાંચમા સમયે રવૈયાના આકાર સિવાય જે આંતરા પુરેલા તે આંતરામાંથી આત્મપ્રદેશો ખેંચી લે છે. છઠ્ઠા સમયે રવૈયાનો આકાર જેવો આકાર થાય છે. સાતમા સમયે કપાટ જેવો (ચોકડી જેવો) આકાર થાય છે અને આઠમા સમયે મૂલ સ્વરૂપે બને છે. ૫-૬-૭ સમયે ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. આ આઠ સમયની ક્રિયામાં વેદનીયકર્મ, નામકર્મ અને ગોત્રકર્મના અનંતાનંત પુદ્ગલોનો નાશ થાય છે અને પોતાને ભોગવવા લાયક આયુષ્ય પ્રમાણ વેદનીય આદિ ત્રણે કર્મોના પુદ્ગલો રહે છે. આ કેવલી સમુદ્ધાત કહેવાય છે.
વેદના, કષાય અને મરણ આ ત્રણ સમુદ્ઘાતો અનાભોગિક રૂપે કહેવાય છે કારણ ક એ સ્વેચ્છાએ કરાતા નથી પણ જીવના પુરૂષાર્થથી એ ત્રણે થઇ જાય છે. ઇરાદા પૂર્વક કરી શકાતા નથી જ્યારે બાકીના
Page 85 of 161
Page #86
--------------------------------------------------------------------------
________________
ચાર (વૈક્રીય, આહારક, તૈજસ અને કેવલી સમુદ્ઘાત) એ આભોગિક રૂપે હોય છે એટલે ઇરાદાપૂર્વક કરવા હોય ત્યારે થઇ શકે છે માટે આભોગિક કહેવાય છે.
વેદના-કષાય અને મરણ તથા કેવલી સમુદ્ધાતો અનિયત હોય છે એટલે તે તે પ્રસંગે એ હોય જ એવો નિયમ નથી. જ્યારે બાકીના વૈક્રીય-આહારક અને તૈજસ સમુદ્ધાતો નિયત હોય છે.
કેવલી સમુદ્ધાત સિવાયના બાકીના છ સમુદ્ધાતો એક અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ હોય છે. કેવલી સમુદ્દાત આઠ સમયનો હોય છે.
૧૦ દ્રષ્ટિ દ્વાર
આત્માની અશુધ્ધિના પ્રકર્ષની તરતમતાને અને શુધ્ધિની પ્રકર્ષ અપકર્ષની તરતમતાને દ્રષ્ટિ કહેવાય છે.
જગતમાં રહેલા જીવો કોઇને કોઇ દ્રષ્ટિવાળા હોય જ છે પણ એ દ્રષ્ટિ દરેકને એક સરખા પરિણામવાળી હોતી નથી કોઇની તીવ્રતર હોય, કોઇની તીવ્રતમ હોય, કોઇની તીવ્ર હોય, કોઇની મંદતર હોય, કોઇની મંદતમ હોય અને કોઇની દ્રષ્ટિ મંદ પણ હોય એમ અનેક પ્રકારો વાળી દ્રષ્ટિઓ હોય છે. એ એક એકમાં દ્રષ્ટિના પરિણામની તરતમતા અસંખ્યાતા અને અનંતા ભેદવાળી હોય છે. એ દ્રષ્ટિના જ્ઞાની ભગવંતોએ ત્રણ ભેદો પાડેલા છે. (જણાવેલા છે.)
(૧) સમ્યદ્રષ્ટિ, (૨) મિથ્યાદ્રષ્ટિ અને (૩) મિશ્રદ્રષ્ટિ એમ ત્રણ ભેદો હોય છે.
(૧) સમ્યદ્રષ્ટિ :- શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા (જણાવેલા) તત્વો પ્રત્યે અવિચલ શ્રધ્ધા તે સમ્યદ્રષ્ટિ કહેવાય છે.
શ્રી જિનેશ્વર પરમાત્માઓને કેવલજ્ઞાન થયા પછી જગતમાં જે જે પદાર્થો જે સ્વરૂપે રહેલા હોય છે તે સ્વરૂપે જુએ છે અને જાણે છે એ જોયા અને જાણ્યા પછી જગતના જીવોને એ પદાર્થોનું એ સ્વરૂપે જ્ઞાન પેદા થાય એ માટે અર્થથી નિરૂપણ કરે છે એમાં જે પદાર્થો આત્માને નુક્શાન કારક હોય તે પદાર્થો તેવા સ્વરૂપે નિરૂપણ કરી એ પદાર્થો છોડવા લાયક રૂપે જુએ છે. તે રીતે તેનું વર્ણન કરે છે. કારણ કે એ પદાર્થો છોડવા લાયકને છોડવા લાયક રૂપે માને નહિ, સ્વીકારે નહિ ત્યાં સુધી એ પદાર્થોને જીવો ગ્રહણ કરવા લાયક માનીને દુ:ખી થતા હોય છે એમ જુએ છે આથી છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની જીવ બુધ્ધિ પેદા કરે તે યથાર્થ જ્ઞાનરૂપે સમ્યદ્રષ્ટિ કહેવાય છે. એવી જ રીતે જે પદાર્થો ગ્રહણ કરવાથી આત્માના સુખની અનુભૂતિ થાય છે. આત્મદર્શન પ્રગટ થાય છે એવા પદાર્થોને ગ્રહણ કરવા લાયક રૂપે નિરૂપણ કરે છે. એ રીતની યથાર્થ રૂપે જીવને બુધ્ધિ પેદા થાય, ગ્રહણ કરવા લાયકમાં ગ્રહણ કરવાની બુધ્ધિ થાય તે સમ્યદ્રષ્ટિ કહેવાય છે. એ રીતે પદાર્થોમાં અવિચલ દ્રષ્ટિ શ્રધ્ધા પેદા થાય તે સમ્યદ્રષ્ટિ કહેવાય છે. જીવને જ્યારે એ સમ્યદ્રષ્ટિ પેદા થાય ત્યારે સમ્યગ્દર્શન જીવમાં પેદા થાય છે.
(૨) મિથ્યાદ્રષ્ટિ :- જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા તત્વો પ્રત્યે જીવને અવિચલ અશ્રધ્ધા પેદા થાય તે મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે. મિથ્યા = ખોટી દ્રષ્ટિ-ઉંધી દ્રષ્ટિ-વિપરીત દ્રષ્ટિ પેદા થયેલી હોય તે.
જેમકે છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ પેદા ન થતાં એ છોડવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ પેદા થયેલી હોય અને ગ્રહણ કરવા લાયક પદાર્થોને વિષે ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ પેદા ન થતાં છોડવા લાયકની બુધ્ધિ પેદા થયેલી હોય તે મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે. અનાદિ
Page 86 of 161
Page #87
--------------------------------------------------------------------------
________________
કાળથી સંસારમાં ભટક્તા જીવોને આ દ્રષ્ટિ રહેલી હોય છે એનાજ કારણે જિનેશ્વર ભગવંતો પ્રત્યે જેવી શ્રધ્ધા પેદા થવી જોઇએ એવી શ્રધ્ધા પેદા થતી નથી. એ મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે. જગતમાં રહેલા મોટા ભાગના જીવોને આ દ્રષ્ટિ કાયમ રહે છે અને આ દ્રષ્ટિ જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવો સમ્યગ્દષ્ટિને પામી શકતા નથી.
(૩) મિશ્રદ્રષ્ટિ - જે દ્રષ્ટિના ઉદય કાળથી એક અંતર્મુહૂર્ત સુધી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા પદાર્થો તત્વો પ્રત્યે રાગપણ હોતો નથી અને દ્વેષ પણ હોતો નથી. જિનેશ્વર ભગવંતોએ કહેલા તત્વો પ્રત્યે સમાન ભાવ રહેલો હોય છે જેમકે નાળીયેર દ્વીપમાં રહેલા મનુષ્યો નાળીયેર ખાઇ ખાઇને મોટા થયેલા અને પોતાની જીંદગી જીવેલા હોય છે. જેઓએ અનાજ જોયેલું જ નથી. એમની પાસે અનાજમાંથી બનાવેલી વાનગીઓ સારામાં સારી રસવતી તૈયાર કરીને મુકવામાં આવે તો પણ તે જીવોને એ રસવતી જુએ તો પણ
જ્યાં સુધી મોઢામાં ન મુકે ત્યાં સુધી એના પ્રત્યે રાગ પણ ન હોય અને દ્વેષ પણ હોતો નથી એની જેમ આ દ્રષ્ટિવાળા જીવોને જિનેશ્વર ભગવંતોએ કહેલા તત્વો પ્રત્યે હેય બુદ્ધિ કે ઉપાદેય બુદ્ધિ કે એથી વિપરીત બુધ્ધિમાંથી કોઇ વિચાર હોતો નથી તે મિશ્રદ્રષ્ટિ કહેવાય છે.
સમ્યદ્રષ્ટિ સમકીતી જીવોને હોય છે. મિથ્યાદ્રષ્ટિ પહેલા ગુણસ્થાનકે હોય છે અને મિશ્રદ્રષ્ટિ ત્રીજા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. આ ત્રણ પ્રકારની દ્રષ્ટિઓમાંથી કયા કયા જીવોને કેટલી કેટલી દ્રષ્ટિઓ હોય છે એનું વર્ણન કરાશે.
૧૧ દર્શન દ્વાર
દર્શન એટલે નામ-જાતિ-ગુણ-ક્રિયાદિની કલ્પના રહિત જેનાથી જીવોને સામાન્ય બોધ (જ્ઞાન) પેદા થાય તે દર્શન કહેવાય છે. અનાદિ કાલથી જીવોને જ્ઞાન અને દર્શન અંતર્મુહર્ત-અંતર્મુહર્ત ઉપયોગ ચાલુને ચાલુજ હોય છે. એક અંતર્મુહૂર્ત જ્ઞાનનો ઉપયોગ હોય-એક અંતર્મુહૂર્ત દર્શનનો ઉપયોગ હોય. આ રીતે અવ્યવહાર રાશીથી જીવોને ચાલ્યા કરે છે. જેમ જેમ જીવો નિગોદ કરતાં આગળ વધે અને એકેન્દ્રિયપણામાં આવે તેમ તેમ તે બન્નેનો ઉઘાડ વધતો જાય છે અને જીવો એ દર્શનના અને જ્ઞાનના ઉઘાડથી વિશેષ કર્મબંધ કરતાં જાય છે અને પોતાનો દુઃખમય સંસાર વધારતા જાય છે. એજ દંડ પામ્યા કહેવાય છે. આ દર્શન ચાર પ્રકારે હોય છે.
(૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન, (૪) કેવલદર્શન.
(૧) ચક્ષુદર્શન :- એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય જીવોને ચક્ષુદર્શન હોતું નથી. આથી એ જીવો જે પુદ્ગલોનો સંહાર કરે છે તે જોઇ શકતા નથી. જોયા વગર એમના ઉપયોગમાં પુદ્ગલો આવ્યા કરે છે. આથી એ જીવોને ચક્ષુદર્શનાવરણીય કર્મના દેશઘાતી રસવાળા એટલે દેશઘાતી અધિક રસવાળા. પ્રદુગલોનો હંમેશા ઉદય હોય છે. આ પ્રકૃતિ દેશઘાતી રસે ઉદયવાળી હોવાથી કોઇ કાળે સર્વઘાતી રસે ઉદયમાં કોઇપણ જીવને હોતી નથી. ચઉરીન્દ્રિય જીવોથી ચક્ષુ દર્શનાવરણીય કર્મનો દેશઘાતી અલ્પ રસ ઉદયમાં આવી શકે છે જ્યારે દેશઘાતી અલ્પ રસ ઉદયમાં જીવને ચાલતો હોય છે ત્યારે ચક્ષનો ક્ષયોપશમ પેદા થાય છે એ આંશિક રૂપે ચક્ષ પેદા થતી હોવાથી પુદ્ગલોને જોવાની શક્તિ સામાન્ય રૂપે પેદા થાય છે. એવીજ રીતે અસન્ની અને સન્ની જીવોને પણ ચક્ષુદર્શનાવરણીય કર્મ દેશઘાતી અલ્પ રસે ઉદયમાં હોય છે પણ ચઉરીન્દ્રિય જીવો કરતાં વિશેષ હોવાથી ચક્ષુથી જગતમાં રહેલા પુદ્ગલોને જોઇ શકે છે. તેનાથી એ
Page 87 of 161
Page #88
--------------------------------------------------------------------------
________________
જીવોને સામાન્ય બોધ પેદા થતો હોવાથી ચક્ષને દર્શનના ભેદમાં ગણેલ છે.
(૨) અચક્ષુદર્શન - અનાદિકાળથી જગતમાં તાં જીવોને આ દર્શનનો ક્ષયોપશમ ભાવ રહેલો. હોય છે. આ અચક્ષદર્શનના પણ કોઇકાળે કોઇપણ જીવને સર્વઘાતી રસ ઉદયમાં હોતો નથી પણ દેશઘાતી અધિક રસ અથવા દેશઘાતી અભ્યરસ ઉધ્યમાં હોય છે. જ્યારે દેશઘાતી અધિક રસ ઉદયમાં હોય ત્યારે જીવોને અચક્ષદર્શનનો ઉદયભાવ ગણાય છે એટલે તે વખતે ક્ષયોપશમ અલ્પ હોય છે અને જ્યારે અચક્ષ દર્શન દેશઘાતી અભ્યરસ ઉદયમાં હોય ત્યારે જીવોને ક્ષયોપશમ ભાવે ગણાય છે તે વખતે સામાન્ય બોધ વિશેષ પેદા થતો જાય છે. અત્યક્ષદર્શનાવરણીયના ક્ષયોપશમ ભાવથી જીવને પાંચ ઇન્દ્રિયોમાંથી એક ચક્ષુ છોડીને બાકીની ચાર ઇન્દ્રિયો કે જે સ્પર્શના–રસના-ધ્રાણ અને શ્રોત્ર આનો સામાન્ય બોધ હોય છે તેમાં જે જે જીવોને જેટલી ઇન્દ્રિયો હોય તે પ્રમાણે સામાન્ય બોધ રૂપે કામ કરતી હોય છે તે અચક્ષુદર્શન કહેવાય છે.
(3) અવધિ દર્શન :- જીવોને અવધિજ્ઞાન પેદા થતાં પહેલા સામાન્ય બોધરૂપે અવધિદર્શન પેદા થાય છે એ અવધિદર્શનાવર્ગીય કર્મના ક્ષયોપશમથી પેદા થાય છે. આ અવધિદર્શન પણ જગતમાં કોઇ પણ જીવોને સર્વઘાતી રસે ઉદયમાં હોતું નથી પણ દેશઘાતી અધિક રસે ઉદયમાં હોય અથવા દેશઘાતી અલ્પ રસે ઉદયમાં હોય છે. જ્યારે દેશઘાતી અધિક રસે ઉધ્યમાં વર્તતું હોય ત્યારે અવધિદર્શન ઉદયભાવે હોય છે એટલે સામાન્ય બોધ પણ પેદા થતો નથી અને જ્યારે દેશઘાતી અલ્પ સે ઉદયમાં હોય ત્યારે અવધિદર્શન સામાન્ય બોધ રૂપે કામ કરે છે તે અવધિદર્શન કહેવાય છે.
(૪) કેવલ દર્શન - કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી બીજા સમયે જીવને કેવલદર્શન ઉત્પન્ન થાય છે. આ કેવલ દર્શનાવરણીય કર્મ સર્વઘાતી રસે ઉદયમાં હોય છે. આ દેશઘાતી રસે ઉદયમાં હોતી જ નથી માટે સંપૂર્ણ ક્ષય થાય પછી જ એ દર્શન પેદા થાય છે બાકી નહિ. સર્વઘાતી રસે ઉદયમાં હોવાથી કેવલ દર્શન આત્માને વિષે સંપૂર્ણ પણે અવરાયેલું એટલે દબાયેલું હોય છે. આત્માના સર્વ ગુણોનો ઘાત કરે તે સર્વઘાતી કહેવાય છે. આથી તેરમાં ગુણસ્થાનક સિવાય કેવલદર્શન કોઇપણ જીવોને પેદા થઇ શકતું જ નથી. આ રીતે દર્શનના ચાર ભેદો હોય છે.
૧૨ જ્ઞાનદ્વાર
જ્ઞાન એટલે નામ, જાતિ, ગુણ અને ક્રિયાદિના વિશેષ અવબોધને જ્ઞાન કહેવાય છે. તેના પાંચ ભેદો હોય છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન.
સારાય જગતની વ્યવસ્થા યા તો તથા તથા વ્યવહાર તે તે વિષયના સમ્યગ યા તો મિથ્યા, સંદિગ્ધ યા તો નિર્મીત અને પરિપૂર્ણ યા તો અલ્પ-લવલેશ જ્ઞાન ઉપર જ નિર્ભર છે.
તે તે ઈષ્ટ યા તો અનિષ્ટ અથવા યોગ્ય કે અયોગ્ય વિષયોનું જ્યાં સુધી ઓધે-સામાન્ય અથવા વિશેષે, વિચારશૂન્ય દશામાં કે સવિચાર દશામાં, મનસહિત દશામાં કે મનરહિત સ્થિતિમાંય તે તે સ્વરૂપે જ્ઞાન થતું નથી, ત્યાં સુધી તેના સ્વીકારમાં કે પરીવારમાં કોઇનીય ઇચ્છા સરખીય જન્મતી નથી; તો પછી પ્રવૃત્તિની તો કલ્પના જ કેમ સંભવે ? કારણ કે-તે તો અભિલાષજન્ય પ્રયત્નના અનન્તરકાળમાં જન્મનારી છે.
જીવાજીવાદિ મૌલિક તત્ત્વો, બંધ-નિર્જરા પ્રમુખ સંસાર અને મુક્તિના કારણભૂત તત્ત્વો, સંસાર અને મોક્ષ રૂપ તે તે હેતુના ળભૂત તત્ત્વો અને પુણ્ય-પાપ તથા આશ્રવ-સંવર રૂપ તે તે ળના સહકારી
Page 88 of 161
Page #89
--------------------------------------------------------------------------
________________
તથા ઉત્તેજક તત્ત્વો પણ જ્યાં સુધી તાત્ત્વિક દ્રષ્ટિએ નિર્તીત થાય નહિ, ત્યાં સુધી તેઓનો પારમાર્થિક નિર્ધાર અશક્ય બને એ નિર્વિવાદ છે.
ક્યિા-ચારિત્ર-તપની તથા સમ્યગ્દર્શનની પણ નિર્મળતા, શુદ્ધતા તથા વાસ્તવતા તથાવિધ ઉત્તમ જ્ઞાન પર જ નિર્ભર છે.
પરમાર્થ દ્રષ્ટિએ તો જ્ઞાનની પરિપક્વતા એજ ચારિત્ર અને એ જ શુદ્ધ નિર્મળ પરિણિત રૂપ સમ્યગ્દર્શન છે.
એથી જ વિના જીવાજીવાદિના જ્ઞાને તેની શ્રદ્ધા શક્ય નથી અને તેથી જ ચારિત્ર પણ નથી” –એમ પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
એટલું જ નહિ પણ “વિના તથાવિધ વાસ્તવ નિર્ધારે વિપર્યાય તથા સંદેહ પણ થવાનો પરિપૂર્ણ સંભવ હોવાના કારણે અને તેથી જ જન્મેલ ભવ-મોક્ષના હેતુમાં પણ વિપર્યસ્ત બુદ્ધિના કારણે પરીહાર્યનો સ્વીકાર કરી તથા ઉપાદેયનો ત્યાગ કરી અને શ્રદ્ધયની અશ્રદ્ધા તથા અશ્રદ્ધેયની શ્રદ્ધા કરી ચિરકાળ પર્યન્ત પરિભ્રમણ કરવું પડે છે.” -તેવું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
એનાથી પણ આગળ વધીને જ્ઞાનનો મહિમા ગાતા મહાત્માઓ જણાવે છે કે- “અજ્ઞાની ક્રોડો વર્ષ થયા જે કર્મની નિર્જરા ઘોર તપ દ્વારા નથી કરી શકતા, તે નિબિડ કર્મોનો વિનાશ જ્ઞાની એક ક્ષણ માત્રમાં કરી શકે છે.” –અલબત્ત ! તે જ્ઞાની ગુપ્ત તથા સંવૃત અર્થાત સંયમી હોવો જોઇએ.
ઇતર દર્શનોમાંય જ્ઞાનનો મહિમા મુક્તકંઠે વર્ણવવામાં આવેલ છે.
પ્રારબ્ધ અથવા સંચિત કર્મોનોય ક્ષણ માત્રમાં વિનાશક કોઇ પણ હોય તો તે એક સમ્યગજ્ઞાની જ છે. અર્થાત સમ્યગજ્ઞાન રૂપ અગ્નિ જ ચિરકાલીન કર્મ રૂપ કાષ્ઠોને એક ક્ષણ માત્રમાં ભસ્મીભૂત કરી નાખે
“મોક્ષની પ્રાપ્તિ સમ્યગજ્ઞાન ઉપર જ નિર્ભર છે. વિના સમ્યગજ્ઞાને મુક્તિની પ્રાપ્તિ જ શક્ય નથી. ગઢદ્ધિ અને સમૃદ્ધિ પણ સાંપડતી નથી. તપ, જપ અને સંયમ તથા નિયમાદિ પણ નિળ થાય છે.”
“પ્રમાણ અને પ્રમેયાદિ સોલ તત્ત્વ રૂપ અર્થોના તાત્ત્વિક જ્ઞાનથી મક્તિ પ્રાપ્ત થાય છે.”
“પ્રકૃતિ-સાત્ત્વિક-રાજસી-તામસી, બુદ્ધિ, મન ઇત્યાદિ રૂપ તત્ત્વોના વાસ્તવિક જ્ઞાનથી મહોદયની પ્રાપ્તિ થાય છે. ભલે પછી તે કોઇ પણ આશ્રમમાં હોય અથવા જટાધારી લિંગી કે મૂંડી હોય ! પરંતુ તે કર્મથી-પ્રકૃતિથી મુક્ત થાય છે, એ નિર્વિવાદ છે.”
આ સ્થળે એક ખુલાસો કરી લેવો જરૂરી છે કે જેથી ભ્રમણા ઉત્પન્ન થવાનો સંભવ ન રહેત. તે ખુલાસો એ છે કે- “પ્રકૃત સ્થળમાં જે ઇષ્ટની સિદ્ધિ અંગે ઇતર દર્શનનો સહારો લેવામાં આવેલ છે તે કેવળા અનુવાદ રૂપે જ સમજવાનો છે. ઇતર દર્શનોમાં પણ જેનશાસન સવાદિ વિષય હોય તો તે અપનાવવા યોગ્ય છે, પણ અવધીરણીય નથી. તેના પણ તે સર્વચનો પ્રવચનોક્ત વચનથી ભિન્ન નથી અને તેથી જ તેના. સર્વચનો દ્વષ્ય નથી, પરન્તુ અનુકૂળ હોવા સાથે નિર્દોષ હોય તો વિષયની પુષ્ટિ અંગે સ્વીકાર્ય છે.' છતાંય એ તો ધ્યાનમાં રાખવું જરૂરી છે કે- “એકાદ વચનની કાદાચિલ્ક નિર્દોષતાથી કે કાકતાલીયા સ્વીકાર્યતાથી સકળ વચનની નિર્દોષતા કે આદેયતા થઇ જતી નથી. તે તો મિથ્યા રૂપ હોવાથી તથા તાત્ત્વિક દ્રષ્ટિએ મુક્તિના ઉદ્દેશથી અથવા તેના હેતુના ધ્યેયથી રચિત નહિ હોવાના કારણે ત્યાજ્ય જ છે, એ એક નક્કર સત્ય છે. અને તેથી જ ઉપર્યુક્ત વચનો અથવા તથાવિધ અન્ય વચનો વાસ્તવ રીતિએ ધ્યેયશૂન્ય હોવાથી પારમાર્થિક મુક્તિના સાધક નથી, બલ્ક ભવના જ સાધક છે.”-એમ સમજાવવાની કાંઇ
Page 89 of 161
Page #90
--------------------------------------------------------------------------
________________
જરૂરીયાત રહેતી નથી.
“જેનશાસનનું દ્રષ્ટિબિંદુ તો કેવળ મુક્તિ-સર્વકર્મઅક્ષય દ્વારા સંપૂર્ણ સ્વરૂપાવિર્ભાવ પ્રત્યે જ અથવા તેના પ્રકૃષ્ટ સાધન પ્રત્યે જ કેન્દ્રિત થયેલ છે. તેની સ્થાપના પણ તે ધ્યેયને ઉદ્દેશીને જ કરવામાં આવી છે. આ જગમાં કોઇ પણ પ્રાણી દુ:ખઇચ્છુક નથી, પ્રત્યેક પ્રાણી સુખના જ વાંછુક છે. આથી કોઇ પણ સંસારવર્તિ પ્રાણી દુ:ખના તથા દુઃખાનુબંધના અનન્ય નિમિત્તભૂત પાપને ત્રિવિધ ત્રિવિધ કોટિમાંથી એક પણ કોટિએ કરો નહિ, એટલું જ નહિ પણ તેનાથીય વિશેષ એ કે કોઇ પણ સુખાભિલાષી પ્રાણી દુ:ખી થાઓ નહિ અને પરંપરાએ પણ દુ:ખના અસાધારણ કારણ કર્મોથી-કલેશોથી-વાસનાથી-પ્રકૃતિથી સર્વથા મુક્ત થાઓ; કે જેથી શાશ્વત સુખ અને આનંદ પ્રગટ થાય.” આવી પ્રવૃત્તિક ઉત્કૃષ્ટ ભાવના એ જૈનશાસનના ઉદ્ભવની જડ છે.તેના સ્થાપક સર્વથા નિર્દોષ હોઇ પરમ આપ્ત હોવા સાથે યથાર્થદર્શી છે. તેમણે સ્વસ્વરૂપનો આવિર્ભાવ કરેલ છે અને તેથી જ કેવલાલોક દ્વારા સારાય લોકાલોકને કે ચરાચર જગને અવલોક્યું છે અને પ્રકાશાનુસારે જ તે તે વિષયોનું યથાતથ નિરૂપણ કર્યું છે. આથી જ તેમનું વચન શ્રદ્ધેય છે તથા આદેય છે. તેમના વચનમાં અસત્યતાની સંભાવના એટલે સૂર્યના પશ્ચિમ દિશામાં ઉદયની કલ્પના. કદાચિત કાકતાલીયન્યાયે એ અસંભવિત હોવા છતાંય સંભવિત કરવામાં આવે, તોયે વીતરાગોક્ત વચનમાં મિથ્યાત્વની શંકા કે સંભાવના તો સ્વપ્રમાંય શક્ય નથી.
આ તો આવશ્યક હોવાથી પ્રાસંગિક વિવેચન કર્યું. મુખ્ય ધ્યેય તો જ્ઞાનની મહત્તાનું છે. છતાંય. અતિ આવશ્યક હોવાથી અપ્રસ્તુત હોવા છતાંય અનિવાર્ય હોવાથી આટલું વિવેચન કરવું પડ્યું છે. તાત્પર્ય તો એ જ છે કે-હરેકે દરેકે જ્ઞાનની પરમ આવશ્યક્તા સ્વીકારી છે તેમજ પ્રચારી છે, એ નિર્વિવાદ છે.
એ જ્ઞાન શું છે તે હવે પછી જોઇશું.
જ્ઞાન એ જીવનો સ્વ-પર પ્રકાશક અસાધારણ ગુણ છે. તેનો એવો અનુપમ સ્વભાવ છે કે-તે અજ્ઞાનને દૂર કરવા સાથે તથા પ્રકાશ્ય વસ્તુના પ્રકાશને કરવા સાથે સ્વનો પણ સાથે જ પ્રકાશ કરે છે. સૂર્ય અને ચંદ્ર પ્રમુખનો પણ પ્રકાશ ઘોર અંધકારને દૂર કરી અને જગતને પ્રકાશમય કરી સ્વનો પણ પ્રકાશ સાથે જ કરે છે. અર્થાત જેમ સૂર્ય અને ચંદ્રાદિના પ્રકાશના પ્રકાશને અંગે અન્ય પ્રકાશની આવશ્યક્તા રહેતી નથી અથવા પ્રદીપના પ્રકાશના પ્રકાશને અંગે અન્ય પ્રદીપની આવશ્યક્તા રહેતી જ નથી, તેમજ જ્ઞાન રૂપ પ્રકાશના પ્રકાશને માટે અન્ય પ્રકાશની આવશ્યક્તા રહેતી જ નથી. તે તો સૂર્યાદિના પ્રકાશવત્ સ્વત એવ સ્વપ્રકાશ કરે છે.
જો કદાચિત આ એક નક્કર સત્ય નહિ સ્વીકારતા તેના પ્રકાશ માટે અન્ય પ્રકાશકની અપેક્ષા રાખવામાં આવે અર્થાત તે પ્રકાશને અન્યતઃ પ્રકાશ્ય માનવામાં આવે, તો એ અન્ય પ્રકાશક યદિ જડસ્વરૂપ હોય તો તે કદાપિ પ્રકાશક બની શકે જ નહિ : કારણ કે-જે સ્વયં સ્વપ્રકાશમાંય સામર્થ્ય ધરાવતું નથી તે અન્ય પ્રકાશમાં શક્તિશાળી હોય એ કલ્પના જ અસંભવિત છે.
જડનો અર્થ જ તે છે કે-એ અન્યતઃ પ્રકાશ્ય છે. સ્વપ્રકાશમાં તો એ સર્વથા શક્તિરહિત છે. એથી જ એ અન્ય પ્રકાશકનો સ્વયં જડ હોવા છતાંય તથા અન્યતઃ પ્રકાશ્ય હોવા છતાંય પ્રકાશ કરશે, એ કલ્પના આકાશકુસુમની સુગંધિની કલ્પનાતુલ્ય હોઇ તુચ્છ છે અને તેથી જ આદરણીય નથી.
કદાચિત એ દોષના નિવારણ અંગે અન્ય પ્રકાશકને તેના પ્રકાશક તરીકે સ્વીકારવામાં આવે તો અલબત્ત !પૂર્વોક્ત દોષની સંભાવના નથી જ. છતાંય એક પ્રગ્નની ઉપસ્થિતિ તો શક્ય જ છે કે- “જેમ આ પ્રકાશક અન્યનો પ્રકાશક હોવાથી સ્વત: પ્રકાશ્ય ન હોઇ શકે કિન્તુ પરતઃ પ્રકાશ્ય જ હોય, તેમજ અન્યા
Page 90 of 161
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક પણ સ્વતઃ પ્રકાશ્ય ન જ હોય કિન્તુ અન્યતઃ પ્રકાશ્ય હોય.' ત્યારે અન્ય પ્રકાશક, કે જે મૂળ પ્રકાશકનો પ્રકાશ કરે છે તેનો પ્રકાશક કોણ ? આ દ્રષ્ટિએ બારીકાઇથી વિચારણા કરતાં જરૂર નિર્ધાર થઇ શકશે કે- “એક મૌલિક સિદ્ધાન્તનો ત્યાગ કરી અન્ય કલ્પિત સિદ્ધાન્તનો સ્વીકાર કરવામાં અનેકાનેક વિકલ્પોની શ્રેણિ ખડી થઇ જાય છે અને વસ્તુતત્વની અભિમત સિદ્ધિ થઇ શકતી નથી.'
તેથી જ અન્ય પ્રકાશકથી મૂળ પ્રકાશકનો પ્રકાશ માનવા કરતાં તથા તે અન્ય પ્રકાશકને પણ સ્વતઃ પ્રકાશક માનવા કરતાં એ જ યોગ્ય છે કે-મૂળ પ્રકાશકને જ સ્વતઃ પ્રકાશ્ય સ્વીકારવો.
ઉક્ત જ્ઞાન રૂપ ગુણ ચેતનનો સ્વભાવભૂત છે. ગુણ પણ ગુણીનો સ્વભાવભૂત હોઇ શકે છે, કારણ કે-ગુણ-ગુણીનો જેમ ધર્મ-ધર્મભાવ સંબંધના યોગે ભેદ છે, તેમજ તે ગુણીનો ગુણ સાથે તાદાભ્ય-અવિષ્ય ભાવ-અભેદ સંબંધ હોવાથી અભેદ પણ છે.
એ જ્ઞાન સકલ મેઘપટલથી વિમુક્ત શારદ દિનકરની જેમ સમસ્ત વસ્તુ-પ્રકાશન સ્વભાવી છે. સર્યનો પ્રકાશ મેઘપટલથી આવૃત્ત થયો હોય અથવા પ્રદીપાદિનો પ્રકાશ તે તે આવારકોથી આવૃત્ત થયો. હોય તો પ્રકાશ્ય વસ્તુનો પ્રકાશ કરી શકતો નથી.' એ જગજાહેર બીના છે.
તેમજ ચેતનનો સ્વભાવ પણ આવૃત્ત થવાના કારણે જ સ્પષ્ટ રૂપે પ્રમેય તત્વોનો પ્રકાશક બની. શકતો નથી. છતાંય જેમ ખરતર પવનના સર્ણ ઝપાટાથી મેઘપટલનો વિનાશ થયા બાદ અથવા તે તે આવારકોને દૂર કર્યા બાદ મૂળ પ્રકાશનો પ્રાદુર્ભાવ થાય છે, તેમજ જીવ પ્રખર ધ્યાનાનલના પ્રબલ પ્રભાવે સમગ્ર આવારક કમધનોને ભસ્મીભૂત કરે છે ત્યારે તે મૂળ સ્વભાવનો આવિર્ભાવ થાય છે. જીવના આ સ્વભાવનો કેવળજ્ઞાન તરીકે વ્યપદેશ થાય છે.
જીવનો ઉક્ત સ્વભાવ સર્વઘાતીકેવળજ્ઞાનાવરણ દ્વારા આવૃત્ત થયેલ હોવા છતાંય તેનો અનંતમો ભાગ સર્વદા અનાવૃત્ત જ-પ્રકાશિત જ રહે છે. તે કદાપિ આવૃત્ત થતો જ નથી, કારણ કે-અક્ષરનો અનંતમો. ભાગ નિત્ય પ્રકાશ સ્વરૂપ જ-અનાવૃત્ત જ ન સ્વીકરવામાં આવે તો જીવ અજીવ સ્વરૂપ જ બની જાય.
જાત્ય રત્નમાં પણ અનાદિકાલીન આવૃત્ત હોવા છતાંય જેમ ઇતરની તુલનામાં તારતમ્ય રહે તે ખાતરેય કાંઇક જ્યોતિ રહે જ છે, તેમજ જીવમાં પણ અજીવ વ્યાવર્તક ચેતન્યની આંશિક સત્તા માનવી જ જોઇએ. ભલે તે પછી સ્વ સ્વરૂપભૂત કેવલજ્ઞાનનો અંશ હોય યા તો શ્રુતજ્ઞાનનો અનંતમો ભાગ હોય કે પારિણામિક મતિજ્ઞાનનો અનંતમો ભાગ હોય. જેમ મેઘપટલ દ્વારા ચંદ્ર અને સૂર્ય પ્રમુખ અત્યાવૃત્ત થયેલા. હોવા છતાંય દિવસ અને રાત્રિના વિભાગ-પૃથક્કરણને અંગે તેમની અષ્ટપ્રભા સ્વીકારવી જ પડે છે, તેમજ જીવમાં પણ સમગ્ર આવારક આવરણથી આચ્છાદિત થયેલો હોવા છતાંય અજીવ વ્યાવર્તક ચેતન્યાંશ માનવો જ જોઇએ.
જેમ મેઘપટલથી આચ્છાદિત સુર્યના પ્રકાશને મંદપ્રકાશ તરીકે સંબોધવામાં આવે છે, તેમજ કેવલજ્ઞાનાવરણીયથી આવૃત્ત થયેલા જીવના સ્વભાવને પણ મંદપ્રકાશ તરીકે સંબોધાય છે. જીવના ઉક્ત સાહજિક સ્વભાવનું તથાવિધ પરિવર્તન ઉપાધિને આધીન છે. ઉપાધિના યોગે તથા પ્રકારના સ્વભાવમાંય અજબ પરિવર્તન થાય છે તે અનુભવસિદ્ધ છે. એ ઉપાધિ વસ્તુમાં કોઇ અનેરી વિકૃતિ ઉત્પન્ન કરી મૂળા સંસ્કૃતિમાં અગમ્ય પરિવર્તન કરી દે છે, તેથી જ તેનું અન્તિમ પરિણામ એ આવે છે કે- ‘વસ્તુ કદાચિત મૂળ સ્વરૂપનોય ત્યાગ કરી દે.”
તેમ છતાંય એટલું તો ચોક્કસ કે- “અમુક પ્રકારની વ્યવસ્થા કે અમુક પ્રકારના વિભાગ યા તો. અમુક પ્રકારની સ્વતો વ્યવસ્થિત પ્રણાલિકાને અંગે તેના અમુક અંશો તો મૂળ સ્વરૂપમાં જ રહે. એ કદાપિ
Page 91 of 161
Page #92
--------------------------------------------------------------------------
________________
વિકૃત નજ થાય. અન્યથા અનાદિકાલીન વ્યવહાર જ ઉચ્છિન્નપ્રાય: થઇ જાય.
એ ઉપાધિનો તેના પ્રતિપક્ષનું સેવન કરવાથી સંપૂર્ણ ક્ષય પણ થઇ જાય છે. એ વિનાશ થતા વેંત જ વરસ્તુના મૂળ સ્વરૂપનો યથાતથ આવિર્ભાવ થાય છે. જેટલા જેટલા અંશમાં વિનાશનો અભાવ, તેટલા તેટલા અંશમાં મૌલિક સંસ્કૃતિનો અભાવ અને વિકૃતિજન્ય મલિનતા.
તાત્પર્ય એ કે-વસ્તુમાં અમુક અંશે મૂળ સ્વરૂપની તથા ઉપાધિજન્ય ઓપાધિક-વેભાવિક સ્વરૂપનીય હયાતી હોય છે. તેમ છતાંય એટલું તો નિશ્ચિત જ કે- “ઓપાધિક સ્વરૂપની હસ્તી ત્યારે જ હોય, કે જ્યારે મૂળ સ્વરૂપનો નિરોભાવ હોય.' સાથોસાથ એ પણ નિર્મીત જ કે- “મૂળ સ્વરૂપના. આવિર્ભાવમાં પાધિક સ્વરૂપનું અસ્તિત્વ પણ ન જ હોય.'
જીવનું પણ એકાલિક અને સાર્વત્રિક પ્રકાશ્ય પ્રકાશક જ્ઞાન રૂપ મૂળ સ્વરૂપ ઘાતિકર્મ રૂપ ઉપાધિથી આચ્છાદિત હોવાના કારણે પરિવર્તન પામી ગયું છે, વિકૃત થઇ ગયું છે, શારદચંદ્રની ચંદ્રિકાવત નિર્મળ હોવા છતાંય જબરજસ્ત ઉપાધિના યોગે મલિન થઇ ગયું છે. તે મલિન સ્વરૂપ ઓપાધિક હોવાના કારણે જ વિભાવગુણ તરીકે ઓળખાય છે. તેથી જ તેના ક્ષયાદિમાં તેની સંપૂર્ણ ઉત્પત્તિ થતી નથી, કિન્તુ મૂળ સ્વરૂપની જ ઉત્પત્તિ યા તો આવિર્ભાવ થાય છે.
ઉક્ત ઉપાધિ સ્પષ્ટ પ્રકાશની પ્રતિબંધક હોવા છતાંય મંદપ્રકાશની ઉત્પત્તિ તો જરૂર કરે છે. જેમ ઉત્કટ પણ અભ્રપ્રમુખ આવરણ ચંદ્રાદિના પ્રકાશના પ્રતિબંધક હોવા છતાંય મન્દપ્રકાશજનક છે તેમજ ઉત્કટ પણ કેવળજ્ઞાનાવરણીય રૂપ ઉપાધિ જીવના વેષ્ટ પ્રકાશની પ્રતિબન્ધક હોવા છતાંય મંદપ્રકાશની જનેતા હોઇ શકે છે. તે અનાવૃત્ત સ્વભાવ એક હોવા છતાંય અનંત પર્યાયોથી યુક્ત હોવાથી મન્દ પ્રકાશ રૂપે સંબોધાય છે. જેમ ઘનપટલથી આવૃત્ત સૂર્યાદિનો પ્રકાશ અંતરાલસ્થિત તેને આવરણ વિવરણ રૂપ પ્રદેશભેદે ભિન્ન ભિન્ન સ્વરૂપ સ્વીકારે છે, તેમજ જીવનો પણ મન્દપ્રકાશ અમાન્તરાલસ્થિત મતિજ્ઞાનાદિ આવરણના ક્ષયોપશમના યોગે ભિન્ન ભિન્ન રૂપતા સ્વીકારે છે.
આ મતિજ્ઞાનાદિ રૂપ મન્દપ્રકાશ જન્માદિ પર્યાયોની જેમ અમુક દ્રષ્ટિએ આત્મસ્વભાવભૂત હોવા છતાંય પાધિક હોવાથી ઉપાધિના અભાવમાં વિનાશ પામી જાય છે અને કેવલ્યસ્વરૂપનો આવિર્ભાવ થાય છે. અગર જો કે આ વિષયમાં મતાન્તર છે કે- “જેમ સૂર્યના પ્રકાશમાં ચંદ્રાદિના પ્રકાશનો સમાવેશ થઇ જાય છે પરંતુ તેઓનો પ્રકાશ નાશ પામી જતા નથી, તેમ મતિજ્ઞાનાદિનો પ્રકાશનો ભાસ્કર પ્રકાશતુલ્ય કેવળજ્ઞાનપ્રકાશમાં સમાવેશ થઇ જાય છે પરંતુ નાશ પામી જતો નથી. છતાંય આ મતમાં બલિષ્ઠતા નહિ હોવાથી તથા અમુકનો જ આ મત હોવાથી પૂર્વમત જ આદરણીય છે.
બલિષ્ઠ કેવલજ્ઞાનાવરણીયથી પણ અનાવાર્ય અનન્તતમ ભાગ મતિજ્ઞાનાવરણાદિથી આવૃત્ત થાય છે અને તેના ક્ષયોપશમના અનુસાર તે તે રૂપે સંબોધાય છે. આ પ્રકારે જ્ઞાનસ્વરૂપે સમાનતા હોવા છતાંય તે તે પરિસ્થૂળ નિમિત્તના ભેદે જ્ઞાનના પાંચ ભેદ થાય છે. તેમજ તેના આવારક પણ પાંચ પ્રકારના હોય છે.
મતિ-અભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મત્યાદિ ચાર ક્ષયોપથમિક છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય રૂપ ઉપાધિના સંપૂર્ણ ક્ષયથી જન્ય હોવાથી કેવળજ્ઞાન ક્ષાયિક જ્ઞાન કહેવાય છે; જ્યારે અત્યાદિ ચાર તે તે આવરણના ક્ષયોપશમ- “ઉદિત કર્માશનો ક્ષય અને અપ્રકટિત કર્મોનો ઉપશમ” થી જન્ય છે, તેથી તે ક્ષયપથમિક કહેવાય છે. દાખલા તરીકે- “ખરતર પવનથી મેઘપટલના વિઘટન થવાના યોગે આવિર્ભત થયેલ એકદેશીય ચંદ્રની ચંદ્રિકા.” આ પાંચ જ્ઞાનમાં મતિ અને શ્રત વાસ્તવિક પરોક્ષ છે અને અન્તિમ ત્રણ પ્રત્યક્ષ છે.
Page 92 of 161
Page #93
--------------------------------------------------------------------------
________________
મતિ અને શ્રત અક્ષ-આત્માથી પર-ભિન્ન દ્રવ્યેન્દ્રિય તથા દ્રવ્યમનથી ઉત્પન્ન થયેલ છે, તેમજ એનો આત્મા સાથે વિષય-વિષયી-ભાવલક્ષણસંબંધ સાક્ષાત નથી કિન્તુ ઇન્દ્રિયાદિ સાથે છે. દ્રવ્યેન્દ્રિય તથા દ્રવ્યમન પુદ્ગલમય હોવાથી તે આત્માથી ભિન્ન છે, એટલે આ જ્ઞાનનો ઉદ્ભવ ઇન્દ્રિયાદિને આશ્રીને થતો. હોવાથી તેનો સંબંધ આત્મા સાથે સાક્ષાત નથી પરંતુ પારસ્પરિક છે; તેથી જેમ ધૂમજ્ઞાનજન્ય અગ્નિજ્ઞાન રૂપ અનુમાન પરોક્ષ છે તેમ પરોક્ષ છે, છતાંય સંવ્યવહારને આશ્રી પ્રત્યક્ષ પણ કહી શકાય છે. સંવ્યવહાર-પ્રવૃત્તિ નિવૃત્યાદિ રૂપ અબાધિત લોકવ્યવહાર તેને અપેક્ષી આ જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે, પરન્તુ તે પારમાર્થિક તો નહિ જ પણ અપારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય.
આ અપેક્ષાએ જે જ્ઞાન અપર ધૂમાદિ લિંગની નિરપેક્ષતાએ સાક્ષાત્ ઇન્દ્રિયનો જ આશ્રય કરી ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ (ગૌણ પ્રત્યક્ષ) કહેવાય. જે જ્ઞાન ઇન્દ્રિયના વ્યાપાર સાથે ધૂમાદિ જ્ઞાનની પણ અપેક્ષા રાખી ઉત્પન્ન થાય તે પરોક્ષ કહેવાય. ઇન્દ્રિયની પણ અપેક્ષા વિના કેવળ આત્માની (આવરણના ક્ષય અથવા ક્ષયોપશમની) અપેક્ષા રાખી ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ (પારમાર્થિક) કહેવાય છે. “જે જ્ઞાન સ્પષ્ટઅનુમાનાદિથી વિશેષ પ્રકાશક રૂપ’ હોય તે પ્રત્યક્ષ કહેવાય અને અસ્પષ્ટ રૂપ હોય તે પરોક્ષ કહેવાય.” આ લક્ષણ કરવાથી સઘળુંય વ્યવસ્થિત થઇ જશે. મતિજ્ઞાન :
અર્વાભિમુખ જે પ્રતિનિયત બોધ ઉત્પન્ન થાય' તે આભિનિબોધિક જ્ઞાન. અથવા જેના દ્વારા અગર જેનાથી અથવા જેની હયાતીના યોગે વસ્તુનો સ્પષ્ટ બોધ થાય તે અભિનિબોધ. તે જ્ઞાનના આવરણ કર્મનો ક્ષયોપશમ, તેનાથી નિવૃત્ત જ્ઞાન આભિનિબોધિક જ્ઞાન. અથવા જે જ્ઞાન મૃતાનુસાર નહિ હોવા. સાથે અતિશયિત ન હોય તે અથવા જે જ્ઞાન અવગ્રહાદિ ક્રમિક ઉપયોગથી જન્ય હોય તે જ્ઞાન મતિજ્ઞાન.
યદ્યપિ અવગ્રહાદિ સંકેતકાળમાં શ્રુતાનુસારિ છે પરંતુ વ્યવહારકાળમાં તેનું અનુસરણ કરવાની. આવશ્યક્તા રહેતી નથી, કારણ કે-અભ્યાસની પટુતાના યોગે તેના અનુસરણ વિના પણ બોધ થઇ શકે
છે.
અર્થાત જ્યાં જ્યાં શ્રુતાનુસારિતા ન હોય ત્યાં ત્યાં અતિશાયિ ન હોય તો મતિજ્ઞાનરૂપતા ઘટી શકશે અને જ્યાં શ્રુતાનુસરણ હોય ત્યાં ધૃતરૂપતા ઘટી શકશે. શ્રુતાનુસરણ- “આ પદ આ અર્થનું વાચક છે.' આ પ્રકારે વાચ્યવાચકભાવસંબંધ દ્વારા શબ્દ-સંસ્કૃષ્ટ અર્થની પ્રતિપત્તિ-શબ્દાર્થપર્યાલોચન. આવા પ્રકારનું પર્યાલોચન વ્યવહારકાળમાં નહિ હોવાથી મતિધૃત રૂપ નહિ બની શકે.
એના બે ભેદો છે. મૃતનિશ્રિત અને અમૃતનિશ્રિત. જે શાસ્ત્ર દ્વારા પરિકર્મિત-સંસ્કારિત બુદ્ધિમતા વ્યક્તિને શાસ્ત્રાર્થના પર્યાલોચન વિના જ જ્ઞાન ઉત્પન્ન થાય તે ધૃતનિશ્રિત. જે શાસ્ત્રીય પરિકર્મણા-સંસ્કાર વિના જ તથાવિધ ક્ષયોપશમના યોગે યથાવસ્થિત વસ્તુ પ્રકાશક જ્ઞાન ઉત્પન્ન થાય તે અમૃતનિશ્રિત.
યદ્યપિ આ જ્ઞાન પણ અવગ્રહાદિ રૂપ જ છે તથાપિ કેવળ શ્રુતાનુસરણ નહિ કરનાર હોવાથી તેનું પૃથગ ઉપાદાન કર્યું છે. તેમાંય કોઇક જ્ઞાન મૃતોપકારથી જન્ય હોવા છતાંય બુદ્ધિની સામ્યતાના યોગે તેને અશ્રુતનિશ્રિત રૂપે સ્વીકારવામાં આવેલ છે.
મૃતનિશ્રિત જ્ઞાનના ચાર પ્રકાર છે. અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા. રૂપાદિ વિશેષ રહિતા અનિર્દેશ્ય-જેનો નિર્દેશ-ઉલ્લેખ શક્ય ન હોય-સામાન્ય માત્ર રૂપ અર્થનું ગ્રહણ કરવું તે અવગ્રહ. તેના બે
Page 93 of 161
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રકાર- વ્યંજનાવગ્રહ તથા અર્થાવગ્રહ.
જેના દ્વારા અર્થની અભિવ્યક્તિ થાય તે વ્યંજન. ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિ પરિણત દ્રવ્યોનો પરસ્પર સંબંધ હોય તો શ્રોત્ર પ્રમુખ ઇન્દ્રિયાદિ દ્વારા તે અર્થની અભિવ્યક્તિ થઇ શકે. આ વ્યંજન દ્વારા સંબધ્યમાન શબ્દાદિ રૂપ અર્થનો અવ્યક્ત રૂપ જે પરિચ્છેદ તે વ્યંજનાવગ્રહ અથવા શબ્દાદિ રૂપ પરિણત દ્રવ્યો- “કે જે ઉપકરણઇન્દ્રિય સાથે સંબંધ ધરાવે છે.' -નો અવ્યક્ત પ્રકાશ, અથવા ઉપકરણઇન્દ્રિય જે સ્વસંબદ્ધ અર્થનું અવ્યક્ત ગ્રહણ કરે તે વ્યંજનાવગ્રહ.
આ વ્યંજનાવગ્રહ મન અને નયનવર્જિત ઇન્દ્રિયોનો હોય છે, કારણ કે-આ બે ઇન્દ્રિયોનો વિષય સાથે સંબંધ થતો નથી. તેની સત્તા અન્તર્મુહૂર્તપ્રમાણ છે.
પ્રથમ સમયમાં તે તે દ્રવ્યો તથા ઉપકરણઇન્દ્રિયનો પરસ્પર સંબંધ થવા છતાંય કાંઇ પણ જ્ઞાન ના થાય તો બીજા, ત્રીજા યાવત ચરમ સમયમાં પણ જ્ઞાન થઇ શકે નહિ. જ્યારે ચરમ સમયે અર્થાવગ્રહ રૂપ જ્ઞાન થાય જ છે એટલે પૂર્વમાંય તેની અમુક માત્રા માનવી જ રહી. કેવળ તે અવ્યક્ત રૂપ છે.
- આ વ્યંજનાવગ્રહ ઉપયોગનો કારણાંશ છે. ચક્ષ અને મનના સ્થળમાંય અર્થાવગ્રહથી અગાઉ લબ્ધીન્દ્રિયના ગ્રહણોન્મુખ પરિણામને જ ઉપયોગના કારણાંશ તરીકે સ્વીકારેલ છે.
આ પ્રકારે વ્યંજનાવગ્રહના “શ્રોસેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ, રસનેન્દ્રિયવ્યંજનાવગ્રહ તથા સ્પર્શેન્દ્રિયવ્યંજનાવગ્રહ” રૂપ ચાર ભેદ થયા.
સ્વરૂપ, નામ, જાતિ પ્રમુખ કલ્પનાથી રહિત સામાન્યનું (અવાન્તર સામાન્યનું) ગ્રહણ કરવું તે અર્થાવગ્રહ. આ અર્થાવગ્રહના બે પ્રકાર છે. નૈઋયિક અને વ્યવહારિક. પહેલો સામાન્ય માત્ર ગ્રાહી છે અને એક સમય માત્ર તેની સ્થિતિ છે. તેના ઉત્તરકાળમાં ઇહાનો ઉપયોગ શરૂ થાય છે. બીજો વિશેષ વિષયક છે. તેના ઉત્તરકાળમાં જેને ઉત્તરોત્તર ધર્મની આકાંક્ષા રૂપ ઇહાની પ્રવૃત્તિ થાય છે તેમ તે જિજ્ઞાસિત ધર્મનો નિર્ણય થાય છે અને પુનઃ ધર્મની જિજ્ઞાસા થાય છે. તે જિજ્ઞાસા-ઇહા વિના અવગ્રહ હોઇ શકે નહિ તેથી તે અવગ્રહ વ્યાવહારિક છે.
અવગૃહીત અર્થની સદ્ભત ધર્મના સ્વીકાર તથા અસભૂત ધર્મના પરિહારાભિમુખ જે ચેષ્ટા, બહુ વિચારણા તથા તર્ક તે ઇહા, ચિત્તા અને વિચારણા. (ઇહા વર્તમાનકાલીન છે, જ્યારે ચારે તર્ક ત્રિકાલીના છે.) ઇહા વસ્તુવિષયક જે સંશય તેનાથી જન્ય છે અર્થાત પ્રથમ વસ્તુનો સંશય થાય છે તે પછી ઇહા ઉત્પન્ન થાય છે, તેથી ઇહા સંશય રૂપ ન હોઇ શકે. તેમજ સંશય અજ્ઞાન રૂપ હોવાથી અપ્રમાણ છે, જ્યારે ઇહા મતિજ્ઞાનનો અંશ છે તેમજ નિશ્ચર્યાભિમુખ છે તેથી તે પ્રમાણ રૂપ છે. આ અવગ્રહ અને ઇહા એ વ્યાપારાશા
છે.
ઇહા થયા બાદ વસ્તુનો વિશેષ જે નિર્ણય થાય તે અપાય. જેમકે- “આ ઘટ જ છે” એટલું તો જરૂર સમજવું જ કે- “આસત્તિ-યોગ્યતા ઇત્યાદિ દ્વારા જનિત ક્ષયોપશમના યોગે જેટલા જેટલા ધર્મોની ઇહા થઇ હોય તેટલા તેટલા ધર્મો આ અપાયમાં ભાસી શકે.
એક વસ્તુનો અમુક નિર્ણય થયા બાદ પણ તેના વિશેષ વિષયક જિજ્ઞાસા જો પ્રગટે તો તે તે અપાય જ. ઉત્તરોત્તર વિશેષ નિર્ણયની અપેક્ષાએ સામાન્ય વિષયક હોવાથી ઉક્ત વ્યાવહારિક અવગ્રહસ્વરૂપ બની. જાય છે. જિજ્ઞાસાનો નિવૃત્તિ થયા બાદ જે અંતિમ વિશેષ નિર્ણય થાય તે તો અપાય રૂપ જ સમજવો.
આ અપાય ફ્લાંશ રૂપ છે. તે સમયમાન અન્તર્મુહૂર્ત છે. નિર્મીત તેજ અર્થનું ધારણ કરવું તે ધારણા. તેના ત્રણ પ્રકાર છે. અવિશ્રુતિ, સંસ્કાર-વાસના અને સ્મૃતિ.
Page 94 of 161.
Page #95
--------------------------------------------------------------------------
________________
એક અર્થના સતદ્ ઉપયોગથી અનિવૃત્તિ તે અવિશ્રુતિ. તેનું અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તેના દ્વારા જે સંસ્કારનું આધાન થાય કે જે સ્મૃતિનો હેતુ છે તે વાસના. તે સંખ્યાત વર્ષજીવી પ્રાણીને સંખ્યાતકાળ અને અસંખ્યાતવર્ષી જીવોને અસંખ્યાતકાળ યાવત પણ રહી શકે છે. આ સંસ્કારના સામર્થ્યથી તથા તથાવિધ અર્થના દર્શનાદિ નિમિત્તથી તેના ઉબંધથી કાળાન્તરે પૂર્વાનુભૂત વસ્તુનું જે જ્ઞાન થાય તે સ્મૃતિ. આ પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. આ ત્રણેય ધારણા કહેવાય છે.
મતિજ્ઞાનના આ ચારેય ભેદો સંક્ષેપથી સમજવા, કારણ કે-વિસ્તારથી તો ૨૮ અથવા ૩૩૬ ભેદ થાય છે. આ ચારેય ભેદ પારમાર્થિક સમજવા, કારણ કે-જેનો અવગ્રહ થયો હોય તે જ ધર્મની જિજ્ઞાસા થાય છે, અન્યથા થતી નથી. તેમજ જિજ્ઞાસિત ધર્મનો જ નિર્ણય થાય છે અને નિર્મીતની જ ધારણા થઇ શકે છે.
આ અર્થાવગ્રહાદિ ભેદો છએ ઇન્દ્રિયોના છે તેથી કુલ ૨૪ થયા. તેમાં પ્રથમના ચાર વ્યંજનાવગ્રહ વધારવાથી ૨૮ ભેદ થઇ શકશે. તથા સપ્રતિપક્ષ બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અનિશ્ચિત અને ધ્રુવ રૂપ બાર ભેદો પ્રત્યેક ભેદના માનવાથી ૩૩૬ ભેદ થઇ શકશે.
આ બહુ આદિ ભેદો વિષયની અપેક્ષાએ સમજવા અને તેમાં વ્યાવહારિક અવગ્રહ સમજવો. આ. પ્રકારે દ્રવ્ય અને ભાવ રૂપ ઇન્દ્રિય તથા મનોનિમિત્તક યોગ્ય દેશાવસ્થિત વસ્તુપ્રકાશક અવગ્રહાદિ રૂપ સાંવ્યવહારિક પ્રત્યક્ષ સ્વરૂપી મતિજ્ઞાનનું વર્ણન થયું. શ્રુતજ્ઞાન :
વાચ્ય-વાચકભાવસંબંધપૂર્વક શબ્દાર્થ પર્યાલોચન પુરસ્સર શ્રવણ વિષય શબ્દ સાથે સંસ્કૃષ્ટ અર્થનો જે પરિણામવિશેષ રૂપ પરિરચ્છેદ-બોધ થાય તે મૂત. તે ત્રિકાલીન પદાર્થોનો વિષય કરે છે, તેમજ ઇન્દ્રિય અને મન તેનું નિમિત્ત છે. શ્રુતનો વિષય ત્રિકાલીન અર્થ હોવા છતાંય તે તે દ્રવ્યગત સઘળાય પર્યાયો તેના વિષયો નથી. અર્થાત મૃતનો વિષય અલ્પપર્યાયયુક્ત દ્રવ્યો છે. મતિનો પણ આજ વિષય છે. ઇન્દ્રિયોનો શબ્દ-રૂપાદિ રૂપ પ્રતિનિયત જ વિષય છે, જ્યારે મનનો વિષય વ્યાપક છે. અર્થાત મતિ-શ્રત ઉભયનોય જે વિષય છે તે મનનો વિષય છે.
આ શ્રુતજ્ઞાન અક્ષર, સંજ્ઞિ, સમ્યક, સાદિ, સંપર્યવસતિ, ગમિક અને અંગપ્રવિષ્ટ રૂપ તથા સપ્રતિપક્ષ-અનક્ષરાદિ રૂપ ચોદ ભેદો થાય છે.
અક્ષરના ત્રણ પ્રકાર-સંજ્ઞા, વ્યંજન અને લબ્ધિ. લબ્ધિ-ઇન્દ્રિયમનોનિમિત્તક કૃતોપયોગ અથવા. તેના આવરણનો ક્ષયોપશમ. આ જ્ઞાન પરોપદેશ વિના પણ સંભવિત છે, તેમજ એકેન્દ્રિયોમાં પણ અવ્યક્ત અક્ષરલાભ શાસ્ત્રસિદ્ધ હોવાથી તેમાંય આ જ્ઞાન સિદ્ધ છે.
મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનનો સ્વામી એક જ છે. “જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે તેમજ જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે.” જેટલો મતિજ્ઞાનનો સ્થિતિકાળ છે તેટલો શ્રુતજ્ઞાનનો પણ કાળ છે. સંતતિ અપેક્ષાએ ત્રણેય કાળ અને અપ્રતિપતિત એક જીવની અપેક્ષાએ કાંઇક અધિક ૬૬ સાગરોપમ. મતિજ્ઞાન ઇન્દ્રિયમનોનિમિત્તક છે તેમજ શ્રુતજ્ઞાન પણ ઇન્દ્રિમનોનિમિત્તક છે. મતિજ્ઞાન આદેશથી સર્વ દ્રવ્યાદિ વિષયક છે તેમજ શ્રુતજ્ઞાન પણ છે. જેમ મતિજ્ઞાન પરોક્ષ છે તેમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે. આ દ્રષ્ટિએ ઉભયનીય તુલ્ય કક્ષતા છે.
શ્રુતજ્ઞાન મતિ પૂર્વક જ હોય અર્થાત્ સર્વત્ર પ્રથમ અવગ્રહાદિ રૂપ મતિજ્ઞાનનો ઉદય થાય છે તદનન્તર જ શ્રુતજ્ઞાનનો ઉદય થાય છે. સમ્યકત્વોત્પત્તિકાળમાં તો માત્ર લબ્ધિની અપેક્ષાએ જ
Page 95 of 161
Page #96
--------------------------------------------------------------------------
________________
મતિ-શ્રુતની સમાનકાલનીતા સ્વીકારી છે, નહિ કે ઉપયોગને આશ્રીને. કારણ કે-ઉપયોગ જીવના તથાભૂત સ્વભાવના યોગે ક્રમિક જ હોય છે. જ્યારે મતિપૂર્વક શ્રુત હોય તે ઉપયોગની અપેક્ષાએ કહેવાય છે, કારણ કે વિના મતિના ઉપયોગે શ્રતગ્રંથાનુસારિ વિજ્ઞાનનો ઉદય જ થતો નથી. ધારણા રૂપ મતિ શ્રતનું કારણ હોવાથી ‘મરૂપુવૅ સુai' -આ નિયમાનુસારે જ્યાં જ્યાં શ્રુત હોય ત્યાં ત્યાં મતિ હોય જ'-આ વ્યાતિ. થઇ શકશે. જ્યારે ‘ન મર્ડસુઝા,વિયા' -આ નિયમાનુસારે “કોઇક સ્થળે મતિની શ્રુતપૂર્વક્તાનો નિષેધ” પણ ઘટી શકશે.
ઉક્ત મતિ-શ્રુતનું લબ્ધિયોગપધ હોવા છતાંય તેમનો ક્રમિક ઉપયોગ તો ધારણા રૂપ મતિને શ્રુતનું નિમિત્ત માનવાથી જ ઘટી શકે.
યદ્યપિ એ તાદૃશ શ્રુતજ્ઞાન જે શ્રોત્રેન્દ્રિયની લબ્ધિવાળો હોય તેમજ ભાષાલબ્ધિમાન હોય. તેને જ ઘટી શકે, પરંતુ એકેન્દ્રિયને ઘટી શકે નહિ ? કારણ કે-તે એકેય પ્રકારની લબ્ધિ ધરાવતો નથી, તો પછી તેને શ્રત કેમ સંભવી શકે એવી શંકાને સ્થાન છે. પરન્તુ તે યુક્ત નથી, કારણ કે- “એકેન્દ્રિય જીવને પણ આહારાદિ સંજ્ઞા છે.' એનું સૂત્રમાં અનેકશ: પ્રતિપાદન કર્યું છે. સંજ્ઞા એ અભિલાષ છે. અભિલાષ એ સ્વપુષ્ટિ નિમિત્ત પ્રતિનિયત ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ અંગે અધ્યવસાય વિશેષ છે અને તે શબ્દાર્થ પર્યાલોચનાત્મક હોવાથી શ્રત જ છે. એટલે તેમને પણ શ્રુતજ્ઞાનવાળા માનવા જ રહ્યા. અન્યથા, આહારાદિ સંજ્ઞા જ તેમનામાં ઘટી શકે નહિ.
જેમ બકુલ આદિ વૃક્ષોમાં સ્પર્શનેન્દ્રિય અતિરિક્ત દ્રવ્યન્દ્રિયની લબ્ધિ અવિધમાન છતાંય તેમનામાં કાંઇક સૂક્ષ્મ પાંચેય ભાવેન્દ્રિયજન્ય વિજ્ઞાન સ્વીકારવામાં આવે છે, તેમજ ઉક્ત લબ્ધિ રહિત હોવા છતાંય કાંઇ પણ જ્ઞાન માનવું જ રહ્યું. ભલે તે સૂક્ષ્મ હોય અને અવ્યક્ત હોય.
- ધારણાની જેમ પ્રમાણાન્તરજન્ય પણ શબ્દબોધાનુકૂળ બોધ શ્રુતજ્ઞાન જ સમજવો. તેથી જ ‘પદાર્થ-વાક્યાર્થ-મહાવાક્યર્થ અને એદંપર્યાર્થ ભેદે ચાર પ્રકારના વાક્યાર્થજ્ઞાનમાં છેક એદંપર્યાથે નિશ્ચય પર્યન્ત મૃતોપયોગનો વ્યાપાર હોવાથી સર્વત્ર શ્રુત જ છે' એવું નિર્મીત કરવામાં આવ્યું છે.
જેમ મતિજ્ઞાનજન્ય સ્મરણ મતિ રૂપ છે તેમ શ્રુતજ્ઞાનજન્ય સ્મરણ શ્રત રૂપ છે. તે જ પ્રકારે મતિજ્ઞાનજન્ય ઊહાદિ જેમ મતિ રૂપ છે તેમ શ્રુતજ્ઞાનમૂલક ઊહ-તકદિ પણ શ્રત રૂપ છે. તેથી જ શ્રુતજ્ઞાન અભ્યત્તરીભૂત મતિવિશેષો દ્વારા જ ચૌદપૂર્વવેત્તાઓને પણ છ સ્થાન પતિત ગણવામાં આવેલ છે. અર્થાત્ તેમાં પણ સંખ્યાત, અસંખ્યાત તથા અનંતગુણવૃદ્ધિ તથા દ્વારા સ્વીકારવામાં આવેલ છે. સઘળાય કથનનો સાર એટલો જ કે-હૃતોપયોગ મતિ ઉપયોગ પૂર્વક હોય છે, તેથી ઉભયનો હેતુ-ળ ભાવ છે.
મતિના ૨૮ ભેદ છે, જ્યારે શ્રુતના ચૌદ ભેદ છે. મતિજ્ઞાન અનેક્ષર-સાક્ષર છે (અવગ્રહજ્ઞાન અનક્ષર છે), કારણ કે સામાન્ય માત્રનું પ્રકાશક હોવાથી તે નિર્વિકલ્પ છે, જ્યારે ઇહાદિ વિશેષગ્રાહી હોવાથી પરામર્શ રૂપ છે એટલે શબ્દ સંસ્કૃષ્ટ અર્થગ્રાહક હોવાથી સવિકલ્પ છે. શ્રત તો સાક્ષર જ છે.
શ્રોબેન્દ્રિયજન્ય ઉપલબ્ધિ જ કૃતસ્વરૂપ છે. (તે પણ શ્રતગ્રંથાનુસારિણી હોય તેજ શ્રુત સમજવી, પરંતુ જે અવગ્રહાદિ રૂપ ઉપલબ્ધિ હોય તે તો મતિ જ સમજવી.) જ્યારે ચક્ષપ્રમુખ ઇન્દ્રિયજન્ય ઉપલબ્ધિ-જ્ઞાન તથા અવગ્રહાદિ રૂપ શ્રોબેન્દ્રિજન્ય ઉપલબ્ધિ પણ મતિ રૂપ છે. પરંતુ જે પુસ્તક તથા પત્રાદિવ્યસ્ત અક્ષર રૂપ દ્રવ્યચુત વિષયક શબ્દાર્થ પર્યાલોચનાત્મક શેષ ઇન્દ્રિયોપલબ્ધિ હોય તે તો મૃત જ સમજવી અને શેષ ઇન્દ્રિયોમાં જે શબ્દાર્થ પર્યાલોચન રૂપ અક્ષરલાભ હોય તે પણ મૃત જ સમજવું. (તે અક્ષરલાભ શબ્દાર્થ પર્યાલોચન રૂપ ન હોય તો તે ઇહાદિ રૂપ મતિજ્ઞાનમાંય સંભવિત છે, તેથી તે શ્રુતજ્ઞાના
Page 96 of 161
Page #97
--------------------------------------------------------------------------
________________
ન હોઇ શકે.)
ઉક્ત શેષ ઇન્દ્રિયજન્ય અક્ષરલાભ પણ શબ્દાર્થ પર્યાલોચન રૂપ હોવાથી શ્રોત્રેન્દ્રિયજન્ય ઉપલબ્ધિ રૂપ સમજવો અથવા શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધિ પદથી શ્રોત્રેન્દ્રિયજન્ય વ્યંજનાક્ષર આહિત શાબ્દબોધ, દ્રવ્યશ્રુત પદથી શેષ ઇન્દ્રિયજન્ય સંજ્ઞાક્ષર જ્ઞાનાહિત શાબ્દબોધ અને અક્ષરલાભ પદથી ઉભયથી ભિન્ન શ્રુતજ્ઞાનાવરણ કર્મક્ષયોપશમજનિત બુદ્ધિ ગ્રહણ કરવી. કારણ કે-સંજ્ઞા તથા વ્યંજનાક્ષરની દ્રવ્યશ્રુત તરીકે તથા લબ્ધિની ઉપયોગ તરીકે વ્યાખ્યા કરેલી છે એટલે કોઇ દોષ નહિ આવે.
આ પ્રકારે તે તે ભેદના યોગે મતિ અને શ્રુતનો ભેદ પણ છે. વાસ્તવિક તો શ્રુત એ એક પ્રકારનો મતિનો વિશિષ્ટ ભેદ જ છે. આ રીતે શ્રુતનું સંક્ષિપ્ત વર્ણન સમાપ્ત થયું.
અવધિજ્ઞાન
અવધિ આદિ ત્રણ જ્ઞાન સ્વોત્પત્તિમાં આત્મિક વ્યાપાર માત્રના સાપેક્ષ હોવાથી તે પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. તેમાં આવારક આવરણના સર્વથા વિલયથી જન્ય જ્ઞાન કેવળજ્ઞાન કહેવાય છે, જેને સકલ તરીકે સંબોધાય છે. તેના ક્ષયોપશમથી જન્ય જ્ઞાન અવધિ તથા મન:પર્યાય જ્ઞાન છે, જેને વિકલ કહેવાય છે. સકલ રૂપી દ્રવ્યોને વિષય કરનાર ક્ષયોપશમજન્ય સ્પષ્ટ જ્ઞાનવિશેષ અવધિજ્ઞાન. તેના બે પ્રકાર. ભવપ્રત્યયિક તેમજ ગુણપ્રત્યયિક-ક્ષાયોપશમિક. આધજ્ઞાન નારક જીવોને હોય, જ્યારે
અંતિમજ્ઞાન દેવ માનવીઓને અને તિર્યંચોને હોય.
યદ્યપિ દેવ તથા નારક સંબંધી અવધિજ્ઞાન પણ પરમાર્થથી તો ક્ષાયોપશમિક જ છે, છતાંય તેની નારકાદિ ભવમાં અવશ્ય ઉત્પત્તિ થતી હોવાથી તે તેનું નિમિત્ત ગણાય છે. રૂપિદ્રવ્ય અવધિજ્ઞાનનો વિષય છે, છતાંય તેના વિશેષ સામર્થ્યનું પ્રતિપાદન કરવા માટે તેમ પણ પ્રતિપાદન કરવામાં આવેલ છે કે ‘જો અલોકાકાશમાંય દર્શનીય રૂપિ વસ્તુ હોત તો તેમાય ( અવધિ (પરમાવધિ) જ્ઞાની) લોક પરિમિત અસંખ્યેય ખંડોનું દર્શન પણ કરી શકત અને જ્ઞાન પણ કરી શકત.' અર્થાત્ અલોકમાંય રૂપિદ્રવ્યનો સંભવ કલ્પી અવધિજ્ઞાનની આટલી ઉચ્ચ કક્ષા છે તેમ પણ જણાવવામાં આવ્યું છે. શક્તિવિશેષના જ્ઞાપનથી એવું સૂચન કરે છે કે-અવધિજ્ઞાનની લોકાકાશસ્થ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર રૂપીદ્રવ્યોમાં વિષયતા છે. ગુણપ્રત્યયિક અવધિજ્ઞાનના છ પ્રકારો છે. અનુગામિ, વર્તમાન, પ્રતિપાતિ, અનનુગામિ, હીયમાન અને અપ્રતિપાતિ. મન:પર્યાયજ્ઞાન
માત્ર મનનું જ સાક્ષાત્કારકારિ જ્ઞાન મન:પર્યાયજ્ઞાન. આ જ્ઞાનની સિદ્ધિ માત્ર મનોદ્રવ્યને આલંબીને જ છે. મન રૂપે પરિણત સ્કન્ધો દ્વારા આલોચિત બાહ્ય અર્થોને તો અનુમાનથી જ જાણી શકે છે : કારણ કે-મનનકર્તા તો અમૂર્ત ધર્માસ્તિકાર્યાદિનું પણ મનન કરે છે, જ્યારે મનનો તો મૂર્તદ્રવ્ય જ વિષય છે. બાહ્ય અર્થ વિષયક અનુમાન અંગે જ અચક્ષુદર્શન સ્વીકારવામાં આવ્યું છે, કે જેના યોગે સૂત્રમાં ‘મનોદ્રવ્યો જાણે છ અને જૂએ છે.’ આ પ્રકારે વ્યવહાર કરવામાં આવેલ છે. આપેક્ષિક સામાન્ય જ્ઞાન પણ વ્યાવહારિક દર્શન રૂપે હોઇ શકે છે. પરમાર્થથી તો તે સઘળુંય જ્ઞાનજ છે, કારણ કે-આ જ્ઞાન મનદ્રવ્યના પર્યાયો-વિશેષોને જ ગ્રહણ કરે છે. વિશેષગ્રાહક જ્ઞાન જ હોય, તેથી મન:પર્યાય દર્શન નથી. આ જ્ઞાન અઢી દ્વીપવર્તી જીવે પરિગૃહીત અને મન રૂપે પરિણામિત દ્રવ્યોનું ગ્રાહક છે.
તેના બે પ્રકાર છે. ૠજુમતિ અને વિપુલમતિ. અલ્પવિશેષોપેત દ્રવ્યગ્રાહક ઋજુમતિ અને અનેક
Page 97 of 161
Page #98
--------------------------------------------------------------------------
________________
પર્યાયોપેત દ્રવ્યગ્રાહક વિપુલમતિ. દ્રવ્યથી ૠજુમતિ અનન્તાનન્ત પ્રાદેશિક મનોભાવ પરિણત પુદ્ગલ સ્કન્ધોને વિષય કરે છે. તે જ સ્કન્ધોને વિશુદ્ધતર રૂપે વિપુલમતિ વિષય કરે, ક્ષેત્રથી અધોલોકિક ગ્રામમાં જે સર્વથી અધસ્તન પ્રદેશપ્રતર હોય તેને અને ઊર્ધ્વ જ્યોતિચક્રના ઉપરતલને અને તિર્યદિશામાં અઢી અંગુળ હીન અને અઢી દ્વીપ સમુદ્રસ્થ સંજ્ઞિપર્યાપ્ત પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને વિષય કરે, અઢી અંગુળ અધિક તે જ વિષયોને વિપુલમતિ જાણે, કાલથી ૠજુમિત અતીત-અનાગત પલ્યોપમના અસંખ્યાત ભાગને જ વિષય કરે, વિપુલમતિ તે જ અધિકતર તથા વિશુદ્ધતર રૂપે વિષય કરે, ૠજુમતિ ભાવથી મનોગત અનન્ત ભાવોને વિષય કરે અને તે જ વિષયોને અધિકતર રૂપે વિપુલમતિ વિષય કરે.
યધપિ રૂપીદ્રવ્યોને વિષય કરનાર હોવાથી અવધિ તથા મન:પર્યાયજ્ઞાનનું કથંચિત્ સાધર્મ્સ છે જ, તથાપિ વિશુદ્ધિ આદિની અપેક્ષાએ ભેદ પણ છે જ. અવધિજ્ઞાની જે મનોદ્રવ્યને વિષય કરે તેનાથી મન:પર્યાયજ્ઞાની વિશેષ વિશુદ્ધ રૂપે જાણી શકે છે. અવધિજ્ઞાન અવિરત સમ્યગ્દષ્ટિને પણ હોય તેમજ દ્રવ્યથી અશેષરૂપિ દ્રવ્યો તેના વિષય છે. ક્ષેત્રથી લોકપ્રમાણ કેટલાક લોકપ્રમાણખંડની અપેક્ષાએ લોકાલોક વિષય પણ છે. કાલથી અતીત-અનાગત ઉત્સર્પિણી-અવસર્પિણી વિષયક અને ભાવથી અશેષ રૂપી દ્રવ્યો તેમાંય પ્રતિદ્રવ્યે અસંખ્ય પર્યાયવિષયક હોય, જ્યારે મન:પર્યાયજ્ઞાન તો આમર્ષ ઋદ્ધિમંત વર્ધમાન પરિણામી અપ્રમત્ત સંયતને હોય. તેનો વિષય તો ઉપર પ્રતિપાદન કર્યો છે. આ ઉપરથી ઉભયનો ભેદ સ્પષ્ટ રૂપે જણાઇ જશે.
વળજ્ઞાન :
નિખિલ દ્રવ્ય-ગુણ અને પર્યાય રૂપ અર્થનો સાક્ષાત્કર કરનાર જ્ઞાન કેવળજ્ઞાન. સકળ સામાન્ય અને વિશેષ મુખ્યત્વે આ જ્ઞાનના વિષય છે. સકળ જ્ઞેયાકારો આ જ્ઞાનના વિષય બને છે. એટલે જ્ઞેયપદાર્થો અનંત હોવાથી આ જ્ઞાન અનંત છે. જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મોનો ધ્યાન રૂપ અત્યંતર તપના યોગે આમૂળમૂળ ક્ષય કરવાથી ઉત્પન્ન થયેલ હોવાથી એકસ્વરૂપ છે. તે શાશ્વત છે, અપ્રતિપાતિ છે અને અન્યનું નિરપેક્ષ હોવાથી અસહાય છે-અસાધારણ છે. ચેતના પ્રકાશસ્વભાવથી જીવનું સ્વરૂપ છે.
પ્રકાશસ્વભાવી જીવને પણ ચંદ્ર-સૂર્યાદિવત્ આવરણ હોઇ શકે, તેમજ ધ્યાન-ભાવનાદિ દ્વારા પવનાદિવત્ તેનો નાશ પણ સંભવી શકે. તે આવરણ અનાદિકાલીન હોવા છતાંય સુવર્ણ-મળની જેમ પ્રતિપક્ષના સેવનથી વિનાશિ હોઇ શકે છે. અમૂર્ત પણ આત્માનું- ‘જેમ અમૂર્ત ચેતનાશક્તિનું મદિરાદિ દ્વારા આવરણ થઇ શકે છ તેમ.’-આવરણ ઘટી શકે છે. તે આવરણ આત્મામાં વિકૃતિ પણ કરી શકે છે, છતાંય તે વિનાશ્ય છે. રાગ-દ્વેષ અને મોહ એ આવરણ છે. તેનો સર્વથા ક્ષય કરનાર અર્હત્ પરમાત્મા છે, તેથી તેઓ જ વીતરાગ હોવાના કારણે સર્વજ્ઞ હોઇ શકે.
તે ભગવંતને જીવ ધર્મ રૂપ હોવા છતાંય મતિ આદિ જ્ઞાન ન હોઇ શકે, કારણ કે તે ભગવંતો ક્ષીણાવરણીય હોવાથી છદ્મસ્થ નથી; જ્યારે મતિ આદિ છદ્મસ્થાવસ્થા ભાવિ જ્ઞાનો છે. જેમ જન્મ-જરા-મરણાદિ છદ્મસ્થ ધર્મો સ્વભાવભૂત હોવા છતાંય સિદ્ધ પરમાત્માઓને સર્વથા કર્મજન્ય કલંકથી રહિત હોવાના કારણે હોઇ શકે નહિ, તેમજ કેવલિભગવંતોને પણ ત છદ્મસ્થિક જ્ઞાનનો અભાવ હોઇ શકે
છે.
અથવા તો જેમ રાત્રિમાં પ્રકાશકર પણ ચંદ્ર, નક્ષત્ર, તારાદિ ગણ સૂર્યોદય સમયે વિધમાન છતાંય ફ્ળ-પ્રકાશજનક હોતા નથી, તેમજ પૂર્વમાં સ્વફ્ળસાધક પણ મતિ આદિ ચાર જ્ઞાન કેવલજ્ઞાનના
Page 98 of 161
Page #99
--------------------------------------------------------------------------
________________
સભાવમાં સ્વળજનક બનતા નથી; કારણ કે-છદ્મસ્થ ભાવ રૂપ સહકારી કારણ નથી. જેમ નક્ષત્રાદિ દિશા રૂપ સહકારીના અભાવમાં જ પ્રકાશજનક બને છે તે સહકારીના અભાવમાં સશક્ત હોવા છતાંયા પ્રકાશ રૂપ ળજનક બની શકતા નથી, તેમ મતિ આદિ જ્ઞાન પણ છદ્મસ્થતા લક્ષણ સહકારીના સંપર્કમાં જ બોધજનક બને છે, પણ તેના અભાવકાળમાં-કેવલિકાળમાં પ્રકાશજનક બની શકતા નથી.
તાત્પર્ય એ કે-મતિ આદિ જ્ઞાનનો તથાવિધ સ્વભાવ છે કે-જ્યાં સુધી કેવલજ્ઞાનની અભિવ્યક્તિ નથી ત્યાં સુધી જ તેઓ સફળ હોય. તેની અભિવ્યક્તિમાં તો તેઓ અળ જ હોય.
આ પ્રકારે પાંચેય જ્ઞાનનું યથામતિ સંક્ષિપ્ત વર્ણન સમાપ્ત થયું. મતિની મદતાથી કાંઇ પણ વિરૂદ્ધ લખાઇ ગયું હોય તો ‘મિથ્યા મે ટુpd I'
૧૩ અજ્ઞાન દ્વાર
ભ્રમ, સંશય, વિપર્યયથી રહિત વસ્તુનો જે બોધ થાય તેને સમાન્ય રીતે જ્ઞાન કહેવાય છે. પરંતુ મોક્ષમાર્ગની સાધનામાં સમ્યકત્વપૂર્વકના જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવ્યું છે તે સિવાયના બાકીના જ્ઞાનનો સમાવેશ અજ્ઞાનમાં કરાયેલ છે. એટલે કે મિથ્યાત્વના ઉદયકાળમાં ગમે તેટલો સારો જ્ઞાનાવરણીય કર્મનો. ક્ષયોપશમ ભાવ હોય તેનાથી સાડાનવપૂર્વ સુધીનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય તો પણ મિથ્યાત્વના કારણે જ્ઞાની ભગવંતોએ અજ્ઞાન કહેલું છે. એ મિથ્યાત્વના ઉદયના પ્રતાપે આટલું જ્ઞાન હોવા છતાં એ જીવોના અંતરમાં જે અનુકૂળ પદાર્થોનો ગાઢ રાગ બેઠેલો હોય છે તેને પુષ્ટ કરતો જાય છે પણ એના રાગના કારણે હું દુ:ખી થાઉં છું, મારું દુ:ખનું કારણ જ એ છે એ વાત એમના અંતરમાં જચતી જ નથી. સર્વસ્વ સુખ અનુકૂળ પદાર્થોમાંજ છે એવી બુધ્ધિ દ્રઢ થતી જાય છે એના પ્રતાપે અનુકૂળ પદાર્થોના સુખ કરતાં દુનિયામાં ચઢીયાતું સુખ છે અને તે આત્મામાં જ રહેલું છે એ બુદ્ધિ અંતરમાં પેદા થવા દેતી જ નથી આથી જ એ જ્ઞાન અજ્ઞાન રૂપે ગણાય છે અને એ જ્ઞાનનો ઉપયોગ અનુકૂળ પદાર્થ મેળવવા, ભોગવવા, વધારવા, ટકાવવા, સાચવવા માટે કરતો જાય છે. આલોકના સુખને સર્વસ્વ માને છે. કદાચ પરલોકમાં આના કરતાં ચઢીયાતાંસુખો છે એવી શ્રધ્ધા પેદા થઇ જાય તો વર્તમાનમાં આ લોકના સુખોને છોડી દુ:ખ વેઠવા, કષ્ટ વેઠવા તૈયાર થઇ જાય છે અને પરલોકના સુખોને મેળવે છે પણ એ જીવોને આત્મિક સુખ તરક્કી દ્રષ્ટિ પેદા થવા દેતું નથી માટે એવા જ્ઞાનને જ્ઞાનીઓ અજ્ઞાન રૂપે જ કહે છે આ અજ્ઞાન ત્રણ પ્રકારના હોય છે.
(૧) મતિ અંજ્ઞાન, (૨) શ્રુત અજ્ઞાન અને (૩) વિભંગ જ્ઞાન.
(૧) જઘન્ય મતિ અજ્ઞાન - અક્ષરના અનંતમાં ભાગ જેટલા ક્ષયોપશમવાળું હોય છે અને ઉત્કૃષ્ટ મતિ અજ્ઞાન સાડા નવ પૂર્વ ભણેલા જીવોને પરાવર્તન કરતાં કરતાં જે મતિ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમાં ભાવ પેદા થાય એટલું હોય છે. આજ મતિ અજ્ઞાનના બળે જીવો પોતાનો દુઃખમય સંસાર સંખ્યાતા. ભવોનો-અસંખ્યાતા ભવોનો અને અનંતાભવોનો ઉપાર્જન કરતાં જાય છે.
(૨) શ્રત અજ્ઞાન - જઘન્યથી અક્ષરના અનંતમાં ભાગ જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી સાડા નવપૂર્વ સુધીનું જ્ઞાન હોય છે કારણકે મિથ્યાત્વની હાજરીમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ આટલો પેદા થઇ શકે છે.
(૩) વિભંગ જ્ઞાન - અવધિજ્ઞાન સમ્યક્ત્વની હાજરીમાં થાય છે એજ જ્ઞાન મિથ્યાત્વની હાજરીમાં વિપરીત રૂપે હોવાથી વિભંગ જ્ઞાન કહેવાય છે. આથી આ જ્ઞાનવાળા અસંખ્યાતા જીવો હોય છે. જ્યારે મતિ
Page 99 of 161
Page #100
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની જીવો અનંતા હોય છે કારણકે નિગોદના જીવોને એ બે અજ્ઞાન હોય છે.
આ ત્રણે અજ્ઞાન મિથ્યાત્વના ઉદય વગર બીજા સાસ્વાદન ગુણસ્થાનકે પણ હોય છે કારણકે ઉપશમ સમકતથી પડતો જીવ બીજા ગુણસ્થાનકે આવે છે ત્યાંથી પહેલા ગુણસ્થાનકમાં જ જવાના સ્વભાવવાળા હોવાથી એ ગુણસ્થાનકમાં અજ્ઞાન હોય છે એવી રીતે ત્રીજા મિશ્ર ગુણસ્થાનકમાં પણ જીવોને મિથ્યાત્વના ઉદય વગર અજ્ઞાન હોય છે તે આ રીતે. ત્રીજા ગુણસ્થાનકમાં બે પ્રકારના જીવો હોય છે કેટલાક જીવો ત્રીજેથી ચોથા ગુણસ્થાનકમાં જવાવાળા હોય છે તેઓને અજ્ઞાન હોતું નથી પણ જ્ઞાન હોય છે. અને કેટલાક જીવો ત્રીજા ગુણસ્થાનકથી પહેલા ગુણસ્થાનકમાં જવાવાળા હોય છે. આ જીવોને જે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ હોય છે તે અજ્ઞાન રૂપે હોય છે કારણકે પહેલા ગુણસ્થાનકની સન્મુખ રહેલા જીવોને નિયમાં અજ્ઞાન હોય છે. આથી આ ત્રણે અજ્ઞાન એવા જીવોને આશ્રયીને ઘટી શકે છે. બધા જ જીવોને ત્રણ અજ્ઞાન હોય એવો નિયમ નથી કેટલાક જીવોને મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન એ બે અજ્ઞાન પણ હોય છે અને કેટલાક જીવોને ત્રણે અજ્ઞાન પણ હોઇ શકે છે. આથી આ ત્રણે અજ્ઞાન પહેલા-બીજા અને ત્રીજા એ ત્રણ ગુણસ્થાનકમાં હોય છે. ચોથા ગુણસ્થાનકથી જીવોને જ્ઞાન હોય છે.
૧૪ યોગ દ્વાર
મન, વચન, કાયાના પુદગલોના અવલંબનથી ઉત્પન્ન થયેલો વીર્ય વ્યાપાર તે યોગ કહેવાય છે. સામાન્ય રીતે યોગના ત્રણ ભેદો હોય છે. (૧) મનયોગ, (૨) વચનયોગ અને (૩) કાયયોગ. આ ત્રણેના કુલ ૧૫ ભેદો હોય છે.
મનયોગના- ૪ ભેદો. વચનયોગના- ૪ ભેદો અને કાયયોગના ૭ ભેદો.
મનયોગના- ૪ ભેદ. (૧) સત્ય મનયોગ, (૨) અસત્ય મનયોગ, (૩) સત્યાસત્ય મનયોગ, (૪) અસત્યામૃષા મનયોગ.
વચનયોગના- ૪ ભેદ.(૧) સત્ય વચનયોગ, (૨) અસત્ય વચનયોગ, (૩) સત્યાસત્ય વચનયોગ, (૪) અસત્યામૃષા વચનયોગ.
કાયયોગના- ૭ ભેદ. (૧) ઓદારિક શરીર (કાયયોગ), (૨) દારિક મિશ્ર કાયયોગ, (૩) વૈક્રીય કાયયોગ, (૪) વૈક્રીય મિશ્ર કાયયોગ, (૫) આહારક કાયયોગ, (૬) આહારક મિશ્ર કાયયોગ અને (૭) કાર્પણ કાયયોગ.
(૧) સત્યે મનયોગ - સર્વજ્ઞ પરમાત્માઓએ પ્રરૂપેલા (જણાવેલા) પદાર્થોને જે સ્વરૂપે પ્રકાશિત કરેલા છે તે સ્વરૂપે વિચારવા યથાર્થ સ્વરૂપે ચિંતવન કરવા તે સત્ય મનયોગ કહેવાય છે. આ સત્ય મનયોગ પહેલા ગુણસ્થાનકથી તેરમાં ગુણસ્થાનક સુધી હોય છે. સામાન્ય રીતે યથાર્થ સ્વરૂપે ચિંતવન છઠ્ઠા ગુણસ્થાનકથી જીવોને શરૂ થાય છે કારણ કે સાધુ ભગવંતોએ સંસારનો ત્યાગ કરેલો હોવાથી એમની વિચારણા ભગવાનની આજ્ઞા મુજબની હોય છે માટે સત્ય મનયોગ વાસ્તવવિક રીતે ત્યાંથી ગણાય છે.
જ્યારે એકથી પાંચ ગુણસ્થાનકમાં રહેલા જીવોને કવચિત કોક કોક વગર પદાર્થોની ચિંતવના કરતાં યથાર્થ સ્વરૂપે ચિંતવન થઇ શકે એથી પહેલા ગુણસ્થાનકથી સત્ય મનયોગ કહેલો છે. તેરમાં ગુણસ્થાનકે કેવલી ભગવંતોને પોતાને ચિંતવન હોતું નથી પણ અનુત્તરવાસી દેવો પદાર્થની ચિંતવના કરતાં કરતાં શંકા પડે તો તેઓ શંકા રૂપે પુગલોને ગોઠવે છે. કેવલી ભગવંતો એ શંકા રૂપે પુગલોને જૂએ છે અને ત્યાં જ
Page 100 of 161
Page #101
--------------------------------------------------------------------------
________________
શંકાવાળા પુગલોની જગ્યાએ જવાબ રૂપે પુગલો ગોઠવે છે અને એ પુગલોને અનુત્તરવાસી દેવો. અવધિજ્ઞાનથી જોઇને સમાધાન મેળવે છે એટલા પુરતું જ કેવલી ભગવંતોને સત્ય મનયોગ હોય છે.
(૨) અસત્ય મનયોગ - સર્વજ્ઞ પરમાત્માએ યથાર્થ રૂપે પ્રરૂપેલા પદાર્થોને એ સ્વરૂપે ન વિચારતાં એનાથી વિપરીત પદાર્થોની વિચારણા કરવી એ અસત્ય મનયોગ કહેવાય છે. આ અસત્ય મનયોગ એકથી. બારમાં ગુણસ્થાનક સુધી હોય છે. સાતમા ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનક સુધી ક્ષપક શ્રેણિવાળા જીવો છદ્મસ્થ હોવાથી અસત્ય મનયોગની સંભાવના હોય છે એ સંભાવના આવી રીતે હોઇ શકે એમ લાગે છે કોઇ જીવે સાતમાં ગુણસ્થાનકે ક્ષપક શ્રેણિ શરૂ કરી શુક્લ ધ્યાનના પહેલા પાયાની વિચારણા દ્રવ્ય ગુણ અને પર્યાય રૂપે કરતો હોય દ્રવ્યથી ગુણમાં, ગુણમાંથી પર્યાયમાં, પર્યાયમાંથી દ્રવ્યમાં એમ વિચારણા કરતાં કરતાં કોઇ પદાર્થની અસત વિચારણા ચાલુ થઇ જાય તો તેનાથી ક્ષપક શ્રેણિ અટકતી નથી અને એ વિચારણામાં ને વિચારણામાં મોહનીય કર્મનો નાશ કરી બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કર તો પણ એ જીવોને ખબર ન પડે કે મેં ખોટી વિચારણા કરી છે એવા જીવોની અપેક્ષાએ અસત્ય મનયોગ હોઇ શકે છે. જ્યારે એ જીવો કેવલજ્ઞાન પામે ત્યારે ખબર પડે કે મેં અસત વિચારણા કરેલ ત્યાં સુધી ખબર પડતી નથી. આ. રીતે અસત્ય મનયોગ હોય છે.
(૩) સત્યાસત્ય મનયોગ :- કાંઇક સત્ય અને કાંઇક અસત્ય એમ જે બન્ને ધર્મ યુક્ત હોય તે વ્યવહાર નયની અપેક્ષાએ મિશ્ર કહેવાય છે. જેમકે આ અશોકવન છે એટલે એમાં અશોક વૃક્ષો ઘણાં છે એટલે અંશે સત્ય છે પણ તેમાં બીજા પણ વૃક્ષો રહેલા હોવા છતાં તેનો અપલાપ છે એટલે અંશે અસત્ય છે આવી રીતની વિચારણા કરવી તેને સત્યાસત્ય કહેવાય છે. આ સત્યાસત્ય મનયોગ એકથી બાર ગુણસ્થાનક સુધી હોય છે. ક્ષપક શ્રેણિવાળા જીવોને સાતમા ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનક સુધી છદ્ભસ્થ જીવની અપેક્ષાએ જે વિચારણા થાય તેમાં કોઇક વાર સત્યાસત્ય રૂપે વિચારણા થઇ જાય એ અપેક્ષાએ આ મનયોગ હોઇ શકે છે.
(૪) અસત્યો મા મનયોગ :-પદાર્થને સ્થાપન કરવાની ઇચ્છા વિના સ્વરૂપ માત્રનું જે વિચારવું તે (કારણ પૂર્વે કહેલા સત્ય અસત્યના લક્ષણો નહિ ઘટવાથી) અસત્યા મૃષા મનયોગ કહેવાય છે. જેમકે ચેત્રની પાસેથી ગાય માગવી છે, તેની પાસેથી ઘડો લાવવો છે, અહીં આવ, જા, બેસ, ઉઠ ઇત્યાદિ જે વિચારણાઓ કરવી એમાં જુઠ પણ નથી અને સત્યપણ નથી માટે અસત્યા મૃષા મનયોગ કહેવાય છે. આ મનયોગ એકથી તેર ગુણસ્થાનક સુધી જીવોને હોય છે.
(૧) સત્ય વચનયોગ :- શ્રી જિનેશ્વર પરમાત્માઓએ પ્રરૂપેલા જે કોઇ પદાર્થો છે તે આત્માને હિતકારી હોવાથી તે વચનો સત્ય છે એવા વચનો વારંવાર બોલવા તે સત્ય વચનયોગ કહેવાય છે. આ યોગ એકથી તેર ગુણસ્થાનક સુધી હોય છે. કેવલી ભગવંતો દેશના આપે છે તેમાં એ પોતે રાગ દ્વેષથી રહિત હોવાથી વીતરાગ છે. જેવા સ્વરૂપે પદાર્થો જ્ઞાનથી જુએ છે તે પ્રકારે નિરૂપણ કરે છે. એ નિરૂપણ કરવામાં ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણાવી એ સ્વરૂપે વચનથી બોલે છે. એટલા પરતો જ એમને વચનયોગ હોય છે તે રાગ દ્વેષ વગરનું વચન હોવાથી એ વચન સત્ય રૂપે ગણાય છે માટે સત્ય વચન યોગ તેરમાં ગુણસ્થાનક સુધી કહેલો છે.
ર) અસત્ય વચનયોગ :- શ્રી જિનેશ્વર પરમાત્માઓએ જે વચનો કહેલા છે એનાથી વિપરીત વચનો બોલવા વિપરીત વચનોની પ્રરૂપણા કરવી એ અસત્ય વચનયોગ કહેવાય છે. આ વચન યોગ એકથી બારમા ગુણસ્થાનકસુધી હોય છે. સાતમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકસુધીમાં જે જીવોએ
Page 101 of 161
Page #102
--------------------------------------------------------------------------
________________
ક્ષપક શ્રેણી શરૂ કરી હોય અને વચનયોગ ચાલુ હોય એટલે પદાથોનું નિરૂપણ બોલતા હોય તેમાં છદ્મસ્થપણાના કારણે ભગવાનના વચનથી વિપરીત પણે વચન બોલાતું હોય તો પણ ક્ષપક શ્રેણી અટકતી. નથી અને એ સત્ય વચનના પ્રતાપે મોહનો નાશ કરી કેવલજ્ઞાન પામે ત્યારે ખબર પડે કે વિપરીત વચન બોલાયું હતું. આ કારણથી બારમાં ગુણસ્થાનક સુધી અસત્ય વચન યોગ કહેલો હોય છે.
(૩) સત્યાસત્ય વરાનયોગ :- જે વચન બોલતાં ઘણું સત્ય હોય અને થોડું અસત્ય હોય અથવા ઘણું અસત્ય હોય અને થોડું સત્ય હોય એવા વચનને સત્યાસત્ય વચન યોગ કહેવાય છે. જેમકે આ અશોક વન છે. આ વાક્ય બોલવામાં અશોકના ઘણાં વૃક્ષો એમાં છે પણ સાથે સાથે બીજા વૃક્ષો રહેલા છે એનો અપલાપ થાય છે માટે એ વચનમાં એટલું અસત્ય પણ છે. આથી એ વચન સત્યાસત્ય વચન યોગ રૂપે ગણાય છે. આ વચનયોગ પણ એકથી બારમા ગુણસ્થાનક સુધી હોય છે. સાતમાં ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનક સુધી અસત્ય વચનયોગની જેમ જાણવું.
(૪) અસત્યામૃષા વચનયોગ :- જે વચનો બોલતાં જેમાં સત્યપણ ન હોય અને અસત્ય પણ ન હોય તેમજ સત્યાસત્ય પણ ન હોય. એવી જે વ્યવહારૂ ભાષા રૂપે વચન બોલાય તે વચન અસત્યામૃષા. વચનયોગ રૂપે કહેવાય છે. આ વચનયોગ એકથી તેર ગુણસ્થાનક સુધી જીવોને હોય છે. તેરમાં ગુણસ્થાનકમાં રહેલા કેવલી ભગવંતો જે વચન બોલે છે તે હિતકારી વચનો જ બોલે છે. દરેક જીવોને માટે હિત થઇ શકે એવા વચનો બોલે છે કારણ કે એ જીવોને રાગ, દ્વેષ હોતો નથી માટે એમનું વચન અસત્યામૃષા વચનયોગ રૂપે ગણાય છે.
(૧) દારિક કાયયોગ - દારિક શરીર નામકર્મના ઉદયથી જગતમાં રહેલા ઓદારિ વર્ગણાના પુગલોને ગ્રહણ કરીને દારિક શરીર રૂપે પરિણમાવી એટલે સાત ધાતુરૂપે પરિણમાવીને વિસર્જન કરવા તે ઔદારિક કાયયોગ કહેવાય છે. આ દારિક કાયયોગ ધર્મ ઉપાર્જન કરવા માટે અથવા અધર્મ ઉપાર્જન કરવા માટે ઉપયોગી થાય છે અથવા સુખ દુઃખનો અનુભવ કરવા માટે ઉપયોગી થાય છે. આ દારિક કાયયોગ એકથી તેર ગુણસ્થાનક સુધી હોય છે.
(ર) દારિક મિશ્નકાયયોગ :-જગતમાં રહેલા જીવો કોઇપણ જગ્યાએથી મરણ પામીને મનુષ્ય કે તિર્યંચ રૂપે ઉત્પન્ન થાય ત્યારે સૌ પ્રથમ જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ત્યાં જે પુદ્ગલોનો આહાર ગ્રહણ કરે છે. તે કાર્મણ શરીરની સાથે એ પુદગલો મિશ્રણ રૂપે બને છે અને પછી સમયે સમયે આહારને ગ્રહણ કરતાં એ પગલો ઓદારિકની સાથે મિશ્રણ રૂપે બને છે તે દારિક મિશ્રકાયયોગ કહેવાય છે અને જ્યાં સુધી એ પુદ્ગલો ઓદારિક કાયયોગ રૂપે ન બને ત્યાં સુધી આ દારિક મિશ્ર કાયયોગ જીવને રહેલો હોય છે. આ યોગ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. આથી પહેલા-ચોથા અને બીજા ગુણસ્થાનકમાં જીવોને હોય છે તેમજ તેરમાં ગુણસ્થાનકે કેવલી સમુદ્યાત વખતે બીજા-ત્રીજા-છઠ્ઠા અને સાતમાં સમયે આ યોગ હોય છે.
મતાંતરે એટલે સિધ્ધાંતના મતે મનુષ્યો અને તિર્યંચો વક્રીય શરીર બનાવતા હોય ત્યારે એના. આરંભ કાળે વક્રીયના પુદ્ગલો ઓદારિકની સાથે મિશ્રણ પામતા હોવાથી એમાં દારિકના પુદ્ગલો વિશેષ હોય છે અને વક્રીયના ઓછા હોય છે આથી ઓદારિક મિશ્ર કાયયોગ ગણાય છે પણ તે વખતે વૈક્રીય મિશ્રયોગ ગણાતો નથી જ્યારે સંહરણ કાળ વખતે વૈક્રીય કાયયોગના પુદ્ગલો વિશેષ હોવાથી ત્યાં વિક્રીય મિશ્ર કાયયોગ હોય છે.
(૩) વૈક્રીય કાયયોગ - વેક્રીય શરીર નામકર્મના ઉદયથી જગતમાં રહેલા વેક્રીય વર્ગણાના પુગલોને ગ્રહણ કરી વૈક્રીય શરીર રૂપે પરિણામ પમાડી વિસર્જન કરવા તે વક્રીય કાયયોગ કહેવાય છે.
Page 102 of 161
Page #103
--------------------------------------------------------------------------
________________
આ કાયયોગ દેવતા અને નારકીના જીવોને સંપૂર્ણ પર્યાપ્તિ પૂર્ણ થયે પ્રાપ્ત થાય છે. મતાંતરે શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થાય ત્યારે પ્રાપ્ત થાય છે. દેવતા, નારકીના જીવોની અપેક્ષાએ આ કાયયોગ ચોથા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. મનુષ્યો અને તિર્યંચોને આ કાયયોગ ઉત્તર વૈક્રીય શરીર કરે ત્યારે હોય છે. આથી સાતમાં ગુણસ્થાનક સુધી હોય છે.
(૪) વૈક્રીય મિશ્રકાયયોગ - દેવતા અને નારકીમાં ઉત્પન્ન થતાં જીવાને, જ્યાં સુધી વક્રીયા કાયયોગ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી વક્રીય મિશ્ર કાયયોગ હોય છે અને મનુષ્ય તથા તિર્યંચોને વેક્રીય શરીર કરતાં એટલે વૈક્રીય શરીર બનાવતાં અને સંહરણ કરતાં વક્રીય મિશ્રકાયયોગ હોય છે. દેવતા અને નારકીના જીવોને ઉત્તર વૈક્રીય શરીર કરતાં (બનાવતાં) અને સંહરણ કરતાં વૈક્રીય મિશ્રકાયયોગ હોય છે. આથી સમસ્ત રીતે એકથી છ ગુણસ્થાનક સુધી આ કાયયોગ હોઇ શકે છે.
જગતમાં વક્રીય શરીરવાળા મનુષ્યો હંમેશા રહેલા હોય છે. કોઇ કાળે વક્રીય શરીરવાળા મનુષ્યો જગતમાં ન હોય એવું બનતું નથી.
(૫) આહારક કાયયોગ - ચૌદપૂર્વધર મુનિઓ પોતાને પ્રાપ્ત થયેલ આહારક લબ્ધિનો ઉપયોગ કરીને જગતમાં રહેલા આહારક શરીરને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી આહારક શરીર રૂપે પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પ્રાપ્ત કરે તે આહારક કાયયોગ કહેવાય છે. આ શરીર એક હાથનું હોય છે અને તે ભગવાન પાસે મોકલવા માટે બનાવાય છે. આ શરીર માત્ર છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા ચોદપૂર્વધર મહાત્માઓ કરી શકે છે.
(૬) આહારક મિશ્નકાયયોગ - આહારક શરીર બનાવતા અને વિસર્જન કરતાં આહારક વર્ગણાના પુદ્ગલોને દારિક શરીરની સાથે મિશ્રણ કરવા અને પછી આહારક શરીર બનાવવા પ્રયત્ન કરવો તે વખતે જે દારિક શરીરની સાથે આહારક વર્ગણાના પુગલો મિશ્રણ રૂપે થાય છે તે આહારક મિશ્ર કાયયોગ કહેવાય છે. આ પણ માત્ર છઠ્ઠા ગુણસ્થાનકે જ હોય છે.
(0) કાર્પણ કાર્યુયોગ :- કામણ શરીર વડે જગતમાં રહેલા કાશ્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી આત્માની સાથે આઠેય કર્મ રૂપે પરિણામ પમાડવા તે કાર્પણ કાયયોગ કહેવાય છે. આ કાયયોગનું કાર્ય પરભવમાં જતાં જીવોની સાથે ને સાથે જ જવું એ હોય છે. આ કાર્પણ શરીર એટલે કાયયોગ, વિગ્રહગતિમાં અણાહારી પણે રહેલા જીવોને હોય છે અને તેરમાં ગુણસ્થાનકે કેવલી ભગવંતો કેવલી સમુદ્ધાત કરે ત્યારે હોય છે.
૧૫ ઉપયોગ દ્વાર
ચેતના શક્તિની પ્રવૃત્તિથી જીવને વિશેષ બોધ કે સામાન્ય બોધ પેદા થાય તે ઉપયોગ કહેવાય છે. અનાદિકાળથી જીવોને જ્ઞાન ગુણ અને દર્શન ગુણ હોય છે. એ જ્ઞાન ગુણને સાકાર ઉપયોગ રૂપે કહેવાય છે અને દર્શન ગુણને નિરાકાર ઉપયોગ રૂપે કહેવાય છે. એ જ્ઞાન અને દર્શન આત્માની સાથે અભેદ રીતે રહેલા હોય છે. એ અભેદ રૂપે રહેલા બન્ને ગુણોને જીવ એકી સાથે ઉપયોગ રૂપે કાર્ય કરી શકતો નથી પણ છસ્થ જીવોને અનાદિકાળથી એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત દર્શનનો ઉપયોગ અને જ્ઞાનનો ઉપયોગ પરાવર્તમાન રૂપે ચાલ્યા જ કરે છે. એ ઉપયોગના પ્રતાપે એ જીવો કર્મ બંધ કરતાં કરતાં પોતે પોતાનો સંસાર વધાર્યા જ કરે છે અને સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. જ્યારે એ ઉપયોગથી જીવો સમ્યગજ્ઞાન રૂપે
Page 103 of 161
Page #104
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ પેદા કરશે ત્યારથી સંસારનું પરિભ્રમણ ઘટતું જશે. આ ઉપયોગ છદ્મસ્થ જીવોને બારમા ગુણસ્થાનકના અંત સુધી હોય છે. જ્યારે કેવલી ભગવંતોને ક્ષાયિક જ્ઞાનવાળા જીવોને આ જ્ઞાન અને દર્શનનો ઉપયોગ એક એક સમયે બદલાયા કરે છે. આથી સિધ્ધ ભગવંતોને પણ સમયે સમયે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ચાલુ જ હોય છે. ઉપયોગ વગરનો જગતમાં કોઇ જીવ હોતો જ નથી. જો ઉપયોગ નષ્ટ થઇ જાય તો જીવ અજીવ થઇ જાય તો એવું તો કોઇ કાળે બનતું નથી કારણ કે જ્ઞાનીઓએ કહ્યું છે કે જીવ કોઇકાળે અજીવ થતો નથી અને અજીવ કોઇ કાળે જીવ થતો નથી. આથી ઉપયોગ એ ધર્મ કહેવાય છે. સાકાર ઉપયોગ એટલે નામ, જાતિ, ગુણ અને ક્રિયા આદિ વિશેષણવાળો બોધ એટલે એવું જે જ્ઞાન પ્રાપ્ત થવું તે સાકાર ઉપયોગ કહેવાય. નીરાકાર ઉપયોગ એટલે નામ, જાતિ, ગુણ અને ક્રિયાદિની કલ્પના રહિત જે સામાન્ય બોધ થવો એટલે સામાન્ય જ્ઞાન પ્રાપ્ત થવું તે નિરાકાર ઉપયોગ કહેવાય છે. જેમકે આ કાંઇક છે એવું જે જ્ઞાન થવું તે નિરાકાર ઉપયોગવાળું જ્ઞાન કહેવાય. આ અશ્વ છે, આ સફેદ છે ઇત્યાદિ જે જ્ઞાન થવું તે સાકાર ઉપયોગવાળું જ્ઞાન કહેવાય છે.
૧૬ ઉપપાત દ્વાર
ઉપપાત એટલે જન્મ પામવું. જગતમાં જીવો જ્યાં જ્યાં જે જે ક્ષેત્રોમાં ઉત્પન્ન થયા કરે છે તે એક સાથે કેટલા જીવો ઉત્પન્ન થાય એની જે વિચારણા કરવી તે ઉપપાત કહેવાય છે. સંખ્યા રૂપે એક સાથે જીવો એક-બે સંખ્યાતા કે અસંખ્યાતા તથા અનંતા ઉત્પન્ન થયા કરે. કેટલા કેટલા કાળ સુધી એની જે વિચારણા કરવી તે ઉપપાત કહેવાય છે.
સામાન્ય રીતે જગતમાં જીવો ત્રણ પ્રકારે ઉત્પન્ન થઇ શકે છે. (૧) સમુચ્છિમપણે ઉત્પન્ન થાય, (૨) ગર્ભજપણે ઉત્પન્ન થાય અને (૩) સમુચ્છિમ અને ગર્ભજ વગર કુંભીમાં કે શય્યામાં જે જીવો ઉત્પન્ન થાય તે ઉપપાત રૂપે ગણાય છે. આ રીતે ત્રણ પ્રકારે ઉત્પન્ન થઇ શકે છે.
તેમાં સમુચ્છિમપણે એટલે ચૌદ રાજલોક રૂપ જગતમાં જીવોને જે જે ક્ષેત્રોમાં ઉત્પન્ન થવા લાયક યોનિ પેદા થતાં તે તે પ્રકારનાં જીવો ઉત્પન્ન થયા કરે તે સમુચ્છિમ રૂપે કહેવાય છે. આ સમુચ્છિમપણે સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા જીવોથી શરૂઆત કરીને અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા સુધીનાં જીવો જ્યાં જ્યાં ઉત્પન્ન થયા કરે છે તે બધાય જીવો સમુચ્છિમ જીવો તરીકે ગણાય છે.
(૨) ગર્ભજ જીવો - જે જીવો ગર્ભથી ઉત્પન્ન થાય એટલે ગર્ભ રૂપે જેટલો કાળ રહેવાના હોય એટલો કાળ ગર્ભરૂપે રહી પછી જન્મ પામે તે ગર્ભજ જીવો કહેવાય છે. ગભમાંથી ઉત્પન્ન થનારા જીવોમાં મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચો જીવો આવે છે. ગર્ભમાં જેટલા જીવો ઉત્પન્ન થાય એ બધા જન્મ પામે જ એવો નિયમ નથી. ઘણાં ખરા જીવો ગર્ભમાંને ગર્ભમાં જ મરણ પામી જાય છે. યોનિની બહાર નીકળી શકતા નથી છતાં પણ એ જીવોને ગર્ભજ જીવોજ કહેવાય છે. કારણકે ગર્ભથી પેદા થયેલા છે માટે.
(૩) ઉપપાત - નારકી રૂપે જીવો નરક ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે તો તે જીવો કુંભીમાં ઉત્પન્ન થાય છે ત્યાં સમુચ્છિમ પણે કે ગર્ભજપણે ઉત્પન્ન થવાતું નથી. એ કુંભીમાં ઉત્પન્ન થયા પછી ત્યાં જે પુદ્ગલોનો આહાર મલે તે લઇ પોતાની જેટલી કાયા થવાની હોય એટલી લાંબી કરી શકે છે એટલે થઇ જાય છે અને પછી એ જીવો કુંભીની બહાર નીકળતા ઘણી વેદનાને પામે છે. કારણ કુંભીનું મુખ નાનું હોય છે. દેવલોકમાં ઉત્પન્ન થનારા જીવો પોત પોતાની શય્યામાં ઉત્પન્ન થાય છે. આ જીવોને ઉત્પન્ન થવા માટે ફ્લની શય્યા હોય
Page 104 of 161
Page #105
--------------------------------------------------------------------------
________________
છે એમાં એ જીવ ઉત્પન્ન થાય અને એક અંતર્મુહૂર્તમાં એ જીવને પોતાની જેટલી મોટી કાયા થવાની હોય એટલી મોટી થઇ જાય છે અને જુવાન દેવની જેમ તરત જ શય્યામાંથી ઉભા થઇ શકે છે આથી શય્યામાં ઉત્પન્ન થનારને સમુરિચ્છમ કે ગર્ભજ ગણાતા નથી. આથી ઉપપાત જન્મ રૂપે ગણાય છે. આ ત્રણ પ્રકાર રૂપે ઉત્પન્ન થનારા જીવો એક સાથે કેટલી સંખ્યામાં ઉત્પન્ન થયા કરે તેની જે વિચારણા કરવી તે ઉપપાત દ્વારા કહેવાય છે.
૧૭ ચ્યવન હાર
ચ્યવન = મરણ પામવું. જે ક્ષેત્ર ઉપર ઉત્પન્ન થયા પછી પોતાના ભોગવાતા આયુષ્યને પૂર્ણ કરી બીજા ક્ષેત્રમાં જન્મ માટે જવું અથવા જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયા પછી ત્યાં જીવન જીવવા માટે જેટલા પ્રાણો હોય તે સંપૂર્ણ પ્રાણોનો નાશ કરી અર્થાત ભોગવીને એ ક્ષેત્રને છોડવું તે ચ્યવન કહેવાય છે. એ ચ્યવન રૂપે કયા કયા દંડકમાં રહેલા જીવો એક સાથે કેટલી સંખ્યામાં ચ્યવન પામે જેમકે એક-બે-સંખ્યાતા-અસંખ્યાતા કે અનંતા જીવો એક સાથે કેટલા કાળમાં ચ્યવન પામી શકે એની જે વિચારણા કરવી તે ચ્યવન દ્વારા કહેવાયા છે અથવા એક સાથે કયા કયા ક્ષેત્ર ઉપરથી કેટલા જીવો ચ્યવન પામે છે એની જે વિચારણા તે ચ્યવન દ્વાર કહેવાય. આ વિચારણા કરવાથી જીવોને ખ્યાલ આવે કે જગતમાં તાં તાં આ રીતે હું કેટલો કાળા ક્યાં ક્યાં દંડાયો અને એ દંડથી શું શું પામ્યો એની જાણ કરી મેળવી શકે છે.
૧૮ સ્થિતિ દ્વાર
સ્થિતિ એટલે આયુષ્ય. જીવો જગતમાં એક સ્થાનેથી મરણ પામી બીજા સ્થાને જે ઉત્પન્ન થાય તે સ્થાને કેટલા કાળ સુધી રહેશે ત્યાં કેટલા કાળ સુધી જીવ એ સામગ્રીમાં જીવન જીવી શકશે એનું જે નક્કી થયેલું હોય તે પ્રમાણે તે ક્ષેત્રમાં તેટલા કાળ સુધીની જે સ્થિરતા તે સ્થિતિ કહેવાય છે. એની જે વિચારણા દંડકના જીવોમાં કરવી તે સ્થિતિ દ્વાર કહેવાય છે. જીવોને જે ભવનું આયુષ્ય ભોગવાતું હોય છે તે ભવમાં જ બીજા નવા ભવનું આયુષ્ય બંધાઇ જાય છે એટલે બીજા ભવમાં કેટલા કાળ સુધી એ ક્ષેત્રને વિષે-એ દ્રવ્યને વિષે-એ કાળને વિષે અને એ ભાવને વિષે તથા ભવને વિષે રહીશ એ નિશ્ચિત આગલા ભવથી થઇ જાય છે. આથી આયુષ્ય આખા ભવમાં એક જ વાર એક જ અંતર્મુહૂર્તમાં જ બંધાય છે અને તે જ વખતે આ બધું નિશ્ચિત થઇ જાય છે. એ નિશ્ચિત થયેલી સ્થિતિના કાળનો ભોગવટો કરવો તે સ્થિતિ દ્વાર કહેવાય છે એની જે વિચારણા કરવી તે સ્થિતિ દ્વાર. આનાથી જીવોને કયા કયા દંડક દ્વારા કયા કયા અને કેટલા. ક્ષેત્રોમાં કેટલો કાળ પસાર કર્યો એ ખ્યાલ આવે છે.
૧૯ પર્યાતિ દ્વાર
પર્યાપ્તિ એટલે શક્તિ. કયા કયા જીવોને જીવન જીવવા માટે કેટલી કેટલી શક્તિઓ પ્રાપ્ત થાય છે એની જે વિચારણા કરવી તે પર્યાપ્તિ કહેવાય છે. પર્યાતિઓનું વર્ણન:
પર્યાતિ = શક્તિ. પુદ્ગલના સમુદાયથી ઉત્પન્ન થયેલી આહારાદિ પુદ્ગલોને ગ્રહણ કરી રસાદિ રૂપે
Page 105 of 161
Page #106
--------------------------------------------------------------------------
________________
પરિણમન પમાડવાની જે શક્તિ વિશેષ તે પર્યાપ્તિ કહેવાય.
જીવ જ્યારે એક સ્થાનેથી મરણ પામી બીજા સ્થાને ઉત્પન્ન થાય છે ત્યારે જ્યાંથી મરણ પામે છે ત્યાંથી આહારના પુદ્ગલો ગ્રહણ કરીને નીકળે છે અને એક સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચી આહારને ગ્રહણ કરે છે માટે તે આહારી જ હોય છે. એવી જ રીતે જે જીવ જે સ્થાનેથી આહાર ગ્રહણ કરી મરણ પામી. પોતાના ઉત્પન્ન થવાના સ્થાને જવા માટે નીકળે તેમાં એક વિગ્રહ કરીને જાય છે તે બીજા સમયે પોતાના ઉત્પત્તિ સ્થાને પહોંચે છે કે ત્યાં આહારના પુગલો મલી જાય છે માટે પહેલા સમયે આહારી અને બીજા સમયે પણ આહારી હોય છે. અણાહારી રૂપે ગણાતો નથી. જ્યારે કોઇ જીવને પોતાના સ્થાનેથી ઉત્પત્તિ સ્થાને પહોંચવામાં ત્રણ સમય લાગે એટલે બે વિગ્રહ કરે તે જીવો પોતાના સ્થાનેથી આહાર લઇને નીકળે છે. વચલા બીજા સમયમાં આહારના પુગલો મલતાં ન હોવાથી એ વચલો સમય અણાહારીનો ગણાય છે અને ત્રીજા સમયે પોતાના સ્થાને પહોંચે કે તરત જ આહારના પુદ્ગલો મલે છે માટે આહારી હોય છે. આથી બા વિગ્રહમાં પહોંચવાવાળા જીવોને વચલો એક સમય અણાહારી પણાનો મળે છે. આજ રીતે ચાર સમયે પહોંચવાવાળા જીવોને પહેલો અને છેલ્લો એમ બે સમય સિવાય વચલા બે સમય અણાહારીના મલે છે અને પાંચ સમયે પહોંચવાવાળા જીવોને પહેલા અને છેલ્લા સમય સિવાય વચલા ત્રણ સમય અણાહારીના પ્રાપ્ત
દરેક જીવોને, તે જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે ત્યાં ઉત્પત્તિના સમયે જ આહારના પુદગલો મળી રહે છે અને તે પુગલોને તેજ સમયે ગ્રહણ કરી ખલ અને રસરૂપે પરિણાવી તેજ સમયે ખલવાળા પગલોનો નાશ કરે છે અને રસવાળા પુદ્ગલોનો સંચય એટલે સંગ્રહ કરે છે. આ બધી પ્રક્રિયા એક જ સમયમાં દરેક જીવોને બનતી હોવાથી આહાર પર્યાપ્તિ એક સમયની કહેલી છે. આ શક્તિ પેદા કરીને જીવો સમયે સમયે આહારના પુગલોને ગ્રહણ કરશે અને રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરશે.
આથી જીવોને અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં સંગ્રહ કરવાનો સંસ્કાર પણ અનાદિ કાળથી ચાલુ જ છે.
તત્વાર્થ સૂત્રની ટીકામાં કર્તા કહે છે આત્મા કરણ વિશેષથી આહારાદિ ગ્રહણ કરવાનું સામર્થ્ય ઉત્પન્ન કરે છે. કરણ એટલે જે પુદગલોથી પેદા થાય તે પૂગલોને પર્યાપ્તિ કહેવાય છે.
- પર્યાતિઓ છ હોય છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મન પર્યાપ્તિ.
એકેન્દ્રિય જીવોને પહેલી ચાર પર્યાપ્તિઓ એટલે કે (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ હોય.
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિય જીવોને પહેલી પાંચ પર્યાપ્તિઓ હોય. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને (૫) ભાષા પર્યાપ્તિ.
સન્ની જીવોને છએ છ પર્યાતિઓ હોય છે.
(૧) આહાર, (૨) શરીર, (૩) ઇન્દ્રિય, (૪) શ્વાસોચ્છવાસ, (૫) ભાષા અને (૬) મન પર્યાતિઓ હોય. એકેન્દ્રિય જીવોને વિષે પર્યાતિઓનું વર્ણન:
કોઇપણ સ્થાનેથી જીવ મરણ પામીને એકેન્દ્રિયપણા રૂપે ઉત્પન્ન થવાનો હોય તો મરણ થતાની.
Page 106 of 161
Page #107
--------------------------------------------------------------------------
________________
સાથે જ તે જીવને તિર્યંચાયુષ્ય ઉદયમાં આવે છે અને તેની સાથે એકેન્દ્રિય જાતિ નામકર્મ ઉદયમાં આવે છે તે જીવ જ્યાં જે સ્થાને ઉત્પન્ન થાય ત્યાં જે આહારના પુદ્ગલો હોય તે કાર્મણ શરીરથી ગ્રહણ કરે છે અને ગ્રહણ કરતાની સાથે જ ખેલ અને રસ રૂપે પરિણામ પમાડે છે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિનો કાળ એક સમયનો હોય છે.
આહાર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુલો ગ્રહણ કરતાં કરતાં અસંખ્યાત સમય સુધી. આ પ્રક્રિયા ચાલુ રાખી રસવાળા પુદ્ગલોને એકઠાં કરી એટલે સંગ્રહ કરી તેમાંથી શરીર બનાવવાની શક્તિ પેદા કરે છે તે શરીર પર્યાપ્તિ કહેવાય. આ પર્યાતિ એક અંતર્મુહૂર્તની હોય છે. આ અંતર્મુહર્તી અસંખ્યાત સમયવાળું જાણવું.
શરીર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદગલો ગ્રહણ કરી અસંખ્યાત સમય સુધી આ પ્રક્રિયા કરતાં રસવાળા પુદ્ગલો જેટલા એકઠા થાય તેનાથી ઇન્દ્રિય બનાવવાની શક્તિ પેદા કરે છે એટલે એક સ્પર્શેન્દ્રિય બનાવવાની શક્તિ પેદા કરે છે. આ પર્યાપ્તિ અસંખ્યાત સમયવાળી એક અંતર્મુહુર્તની હોય છે.
ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ સમયે સમયે આહારને ગ્રહણ કરી રસ રૂપે પરિણમન કરતાં અસંખ્યાત સમય સુધી ક્રિયા કરે છે અને તેમાંથી રસવાળા પગલોથી જે શક્તિ પેદા થાય છે તેનાથી જગતમાં રહેલા શ્વાસોશ્વાસ વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી શ્વાસ રૂપે પરિણમાવી નિ:શ્વાસ રૂપે છોડવાની શક્તિ પેદા થાય છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. આ રીતે આ જીવો ચાર પર્યાપ્તિઓ કરે છે. જ જીવોનું આયુષ્ય વધારે હોય તે જીવો આહારના પગલોને ગ્રહણ કરતા કરતા રસવાળા પુગલોને બનાવતા સંગ્રહ કરતા દરેક પર્યાપ્તિને સરખે ભાગે આપતા પોતાનું જીવન જીવે છે અને આયુષ્ય નામના પ્રાણને પણ પુષ્ટ કરતા જાય છે.
જે એકેન્દ્રિય જીવો અપર્યાપ્તા નામકર્મના ઉદયવાળા હોય છે તે જીવો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ પરભવના આયુષ્ય બંધની યોગ્યતા પેદા કરીને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલા પરભવનું આયુષ્ય બાંધીને મરણ પામે છે પણ આ જીવો ચોથી પર્યાપ્તિ પૂર્ણ કરતાં નથી. વિક્લેન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિય જીવોને વિષે પર્યાતિઓનું વર્ણન:
આ જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે તે આ રીતે. કોઇપણ સ્થાનેથી જીવો મરણ પામી એટલે ભોગવાતા ભવનું આયુષ્ય પૂર્ણ કરીને બેઇન્દ્રિયાદિપણાના આયુષ્યના ઉદ્યને પામે છે તે જે ક્ષેત્રમાં એ આયુષ્ય ભોગવવાનું હોય તે સ્થાનમાં-તે ક્ષેત્રમાં જાય છે ત્યાં જે પુદ્ગલોનો આહાર મલે તે પુદ્ગલોનો આહાર ગ્રહણ કરી ખલ અને રસરૂપે પરિણમન પમાડે છે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાતિનો કાળ એક સમયનો હોય છે.
આ રીતે આહારને સમયે સમયે ગ્રહણ કરતો પરિણામ પમાડતો અસંખ્યાત સમય સુધી પ્રયત્ન વિશેષ કરી રસવાળા પુદગલોનો સંગ્રહ કરી તેમાંથી શરીર બનાવવાની શક્તિ પદા કરે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિનો કાળ અસંખ્યાત સમય પ્રમાણ અંતર્મુહૂર્તનો હોય છે.
શરીર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદ્ગલો ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમય સુધીમાં રસવાળા પુદગલોનો જેટલો સંગ્રહ થાય તેમાંથી ઇન્દ્રિય બનાવવાની શક્તિ પેદા કરે છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાતિથી જીવો પર્શના અને રસનેન્દ્રિય બે ઇન્દ્રિય પેદા કરે છે.
Page 107 of 161
Page #108
--------------------------------------------------------------------------
________________
આ પર્યાસિનો કાળ એક અંતર્મુહૂર્તનો હોય છે.
ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થયા બાદ સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવી રસવાળા. પુદ્ગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમય સુધી આ પ્રક્રિયા કરી જે શક્તિ પેદા કરે છે તેનાથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુગલોને ગ્રહણ કરી શ્વાસ રૂપે પરિણમાવી નિ:શ્વાસ રૂપે વિસર્જન કરવાની જે શક્તિ પેદા થાય છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે.
શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ સમયે સમયે આહારના પગલો ગ્રહણ કરી રસ રૂપે પરિણમન પમાડી અસંખ્યાત સમય સુધી પ્રક્રિયા કરીને જે શક્તિ પેદા કરે છે તેમાંથી જગતમાં રહેલા ભાષા. વર્ગણાના પદ્ગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણાવી એને વિસર્જન કરવાની જે શક્તિ પેદા થાય છે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે.
જે બેઇન્દ્રિયાદિ જીવો અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા હોય છે તે જીવો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ પરભવનું આયુષ્ય બાંધવાની યોગ્યતા પેદા કરીને ત્યાં આયુષ્યનો બંધ કરે અથવા શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કરીને આયુષ્યનો બંધ કરે અથવા ભાષા પર્યાતિ શરૂ કરી આયુષ્યનો બંધ કરી શકે છે અને એ ભાષા પર્યાપ્તિ પૂર્ણ કર્યા વગર અવશ્ય મરણ પામે છે. સન્ની જીવોને વિષે પર્યાપ્તિઓનું વર્ણન:
જે જીવો પોતાના ભોગવાતાં આયુષ્યને પૂર્ણ કરીને સન્ની મનુષ્ય કે તિર્યંચ રૂપે ઉત્પન્ન થવાના હોય તેઓને તે આયુષ્ય ઉદયમાં આવે છે અને જે સ્થાનમાં તે આયુષ્ય ભોગવવાનું હોય ત્યાં તે ક્ષેત્રમાં જાય છે. ત્યાં જે આહારના પુદ્ગલો મલે તે આહારના પુગલોને ગ્રહણ કરી ખલ અને રસ રૂપે પરિણામ પમાડી જે શક્તિ પેદા થાય છે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે.
આહાર પર્યાપ્તિ કર્યા બાદ સમયે સમયે આહારના પુદ્ગલો ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી અસંખ્યાતા સમય સુધીમાં જેટલી શક્તિ પેદા થાય તેમાંથી શરીર બનાવવાની શક્તિ પેદા કરે છે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિ અસંખ્યાત સમય વાળી અંતર્મુહુર્ત કાળની હોય છે.
શરીર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પગલો ગ્રહણ કરી ખલ-રસવાળા પુદ્ગલો બનાવી રસવાળા પુદગલોનો સંગ્રહ કરે છે. આ પ્રક્રિયા અસંખ્યાત સમય સુધી કરતાં રસવાળા પુદ્ગલોનો જેટલો સંગ્રહ થાય તેમાંથી ઇન્દ્રિય બનાવવાની શક્તિ પેદા કરે છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે.
ઇન્દ્રિય પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી ખેલ રસ રૂપે પરિણમાવી. રસવાળા પુદગલોનો સંગ્રહ કરતો જાય છે. આ પ્રક્રિયા અસંખ્યાતા સમય સુધી કરે છે તેમાં જેટલી શક્તિ પ્રાપ્ત થાય તેનાથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પગલોને ગ્રહણ કરી શ્વાસ રૂપે પરિણમાવવાની અને નિ:શ્વાસ રૂપે વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે.
શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પગલો ગ્રહણ કરી રસવાળા પુગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમય સુધીમાં જે શક્તિ પેદા થાય તેનાથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરી ભાષા એટલે વચન રૂપે પરિણાવી વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે તેને ભાષા પર્યાપ્તિ કહેવાય છે.
ભાષા પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પગલો ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમયમાં જેટલી શક્તિ પેદા થાય તેનાથી જગતમાં રહેલા મન વર્ગણાના પુગલોને ગ્રહણ કરી
Page 108 of 161
Page #109
--------------------------------------------------------------------------
________________
મન રૂપે એટલે વિચાર રૂપે પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ જે પેદા કરે છે તેને મન પર્યાપ્તિ કહેવાય છે.
આ છ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોથી છએ પર્યાપ્તિની શક્તિ વધારતા વધારતા આયુષ્ય નામનો પ્રાણ હોય ત્યાં સુધી જીવન જીવે છે.
જે અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા સન્ની તિર્યંચો અને મનુષ્યો હોય છે તે જીવો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ આયુષ્ય બંધની એટલે પરભવના આયુષ્ય બંધની યોગ્યતા પેદા કરીને તે વખતે આયુષ્યનો બંધ કરે અથવા શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કરી આયુષ્ય બાંધે અથવા ભાષા પર્યાપ્તિ પૂર્ણ કરીને આયુષ્ય બાંધે અથવા મનપર્યાપ્તિ શરૂ કરીને આયુષ્ય બાંધી મરણ પામી શકે છે તે અપર્યાપ્તા જીવો કહેવાય છે.
આ ઉપરથી એ નક્કી થાય છે કે છેલ્લી અધુરી પર્યાપ્તિ એ મરણ પામે અને અપર્યાપ્તાવસ્થામાં આયુષ્યનો બંધ કરે તો તે અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવો જ બંધ કરી શકે છે. દેવતા-નારકીને વિષે પર્યાપ્તિઓનું વર્ણન :
આ જીવો સન્ની હોય છે અને ઉત્પન્ન થનારા જીવો નિયમા પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જ હોય છે. આથી અપર્યાપ્તાવસ્થામાં મરણ પામતાં નથી. આ જીવોને છએ પર્યાપ્તિઓ હોય છે. પહેલી આહાર પર્યાપ્તિ એક સમયની હોય છે. બીજી શરીર પર્યાપ્તિ એક અંતર્મુહૂર્તની હોય છે. બાકીની ચાર પર્યાપ્તિઓ એક-એક સમયના કાળમાન જેટલી હોય છે.
આ છએ પર્યાપ્તિની શક્તિ પેદા કરીને પોતાનું જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરીને છએ પર્યાપ્તિની શક્તિને જાળવીને પોતાનું જીવન જીવતા હોય છે.
નારકીના જીવો પોતાની શક્તિ અશુભ પુદ્ગલોના આહારથી જાળવી શકે છે અને દેવતાઓ શુભ પુદ્ગલોના આહારથી પોતાની શક્તિ જાળવી રાખે છે.
આ ઉપરથી એ સમજવાનું છે કે જીવો પુદ્ગલોની સહાય વિના જીવી શકતા જ નથી કેટલા બધા પરતંત્ર રૂપે જીવીએ છીએ. આ પરતંત્રતા આપણી ચાલે છે એમ ઓળખાવનાર પહેલા નંબરે અરિહંત પરમાત્માઓજ છે. જો એ ન હોય તો પરતંત્રતાને ઓળખાવી કોણ શકે ? પણ આ પુદ્ગલોની સહાયથી શક્તિ પેદા કરવી-એ શક્તિના આધારે જીવન જીવવું. વળી આયુષ્ય પૂર્ણ થવા આવે એટલે શક્તિઓ ક્ષીણ કરીને મરણ પામવું-પાછું બીજી જગ્યાએ જન્મવું-પાછી શક્તિઓ પેદા કરવી-પાછું જીવવું અને મરણ પામવું આ કેટલી પરાધીનતા છે ? પણ આપણે પરાધીનતાથી જીવી રહ્યા છીએ સ્વતંત્ર નથી એમ આપણને લાગે છે ખરૂં ? જો પુરૂષાર્થ કરીએ તો આ પુદ્ગલોની સહાય વિના સ્વતંત્રપણે જીવન જીવી શકાય એવી આપણી શક્તિ જરૂર છે પણ ક્યારે ? પરાધીનતા ખટકે તો ને ? પણ જો આ પુદ્ગલોની પરાધીનતાને ઓળખીએ અને સાવચેત રહી પુદ્ગલમાં રાગાદિ પરિણામ ન કરીએ તોજ સ્વતંત્રપણે જીવન જીવી શકાય. તમે સ્વતંત્રપણે જીવો છો કે પરતંત્રતાથી ? આ વિચાર રોજ કરવા જેવો છે. આજે લગભગ મોટો ભાગ પોતાનું જીવન સ્વતંત્ર રૂપે જીવી શકે છે ખરા ? વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ ભાવથી મન-વચન અને કાયાની જે શક્તિ મળેલી છે તે શક્તિનો પણ સ્વતંત્ર પણે જીવવા માટે નો ઉપયોગ કેટલો ? પોતે પોતાનું બધુ કામ કરવું-કોઇની પાસે કરાવવું નહિ. એ રીતનો પુરૂષાર્થ છે ? કે બીજાની સહાયથી લગભગ જીવીએ છીએ ? જો પુદ્ગલોથી છૂટીને સ્વતંત્ર રીતે જીવન જીવવા માટેનો પુરૂષાર્થ કરવો હશે તો મન-વચન-કાયાના વીર્યની શક્તિ દુરૂપયોગ રૂપે ન ખર્ચાય અને સદુપયોગ રૂપે કેમ ઉપયોગ થાય તેની જરૂર કાળજી રાખીને જીવન
Page 109 of 161
Page #110
--------------------------------------------------------------------------
________________
જીવતા શીખવું પડશે. આટલી ભાવના આવી જાય કે બને ત્યાં સુધી મારું પોતાનું કામ મારે જ કરવું છે કોઇની પાસે કરાવવું નથી. કદાચ થાકી જવાય તોજ બીજા પાસે નિરૂપાયે કરાવવું આ જો બને તોય ઘણું કામ થઇ જાય.
આથી જ્ઞાની ભગવંતો એજ કહે છે કે જેનશાસન એ જગતના જીવોને પરતંત્રતાથી છોડાવીને સ્વતંત્ર બનાવવા માટે જ છે પણ પહેલા હું પરતંત્ર છું એમ માન્યતા પેદા કરવી પડશે ! આ માટે જ કહે છે કે જે પદાર્થો રાગ કરાવી દ્વેષ પેદા કરાવી પરતંત્ર બનાવે તેને ઓળખીને તે રાગાદિને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ તોજ મળેલી શક્તિનો સદુપયોગ કર્યો કહેવાય કે જેથી શક્તિ વધતી જાય.
૨૦ મિાહાર દ્વારઃ
જગતને વિષે અલોકનો મોટો ગોળો રહેલો છે જે અનંત આકાશ પ્રદેશોથી યુક્ત હોય છે. તેની બરાબર મધ્ય ભાગમાં પગ પહોળા કરીને કેડે હાથ રાખીને ઉભેલા મનુષ્યની આકૃતિ જેવો ચૌદ રાજલોક ઉંચાઇવાળો નીચે સાતરાજ પહોળાઇ વાળો પછી ક્રમસર ઘટતાં ઘટતાં મધ્ય ભાગમાં એક રાજ પહોળાઇવાળો પાછો ઉદ્ગલોક તરફ જતાં ક્રમસર પહોળાઇ વધતાં વધતાં ઉદ્ગલોકની મધ્યમાં પાંચ રાજ પહોળાઈવાળો અને પછી ક્રમસર પહોળાઇ ઘટતાં ઘટતાં ઉપરના ભાગમાં એક રાજ પહોળાઇ વાળો લોક આવેલો છે. એ લોકમાં આકાશના પ્રદેશો અસંખ્યાતા હોય છે. તે પ્રદેશોની સાથે સાથે ધર્માસ્તિકાય એક દ્રવ્ય અસંખ્યાત પ્રદેશોવાળું આવેલું છે. અધર્માસ્તિકાય એકદ્રવ્ય અસંખ્યાત પ્રદેશવાળું આવેલું છે. જીવાસ્તિકાય એટલે જીવો અનંતા આવેલા છે અને પુલાસ્તિકાય દ્રવ્ય પણ અનંતા આવેલા છે. આથી પાંચ અસ્તિકાયના સમુહવાળો લોક કહેવાય છે. આ લોકની બરાબર મધ્ય ભાગમાં એક રાજ પહોળી અને ચૌદ રાજલોક ઉંચી એક નાડીનો ભાગ આવેલો છે જે ત્રસ નાડી તરીકે ઓળખાય છે. કારણ કે ત્રસ જીવો આ કસનાડીના ભાગમાં જ ઉત્પન્ન થાય છે પણ ત્રસનાડીના બહારના ભાગમાં ઉત્પન્ન થતાં નથી. જ્યારે એકેન્દ્રિય જીવો ચૌદ રાજલોકના દરેક આકાશ પ્રદેશો ઉપર રહેલા હોય છે એટલે બસનાડીમાં હોય છે અને બસનાડીના બહારના ભાગમાં પણ હોય છે. લોકની ચારે બાજુ અલોકના આકાશ પ્રદેશો સ્પર્શેલા હોય છે. આથી લોકના છેડે રહેલા જે જીવો હોય. નિકૂટમાં એટલે કાટખૂણીયાના ભાગમાં જે જીવો રહેલા હોય. તે બધા જીવોન આહારના પગલો જે મલતાં હોય છે તેમાં જીવો છ દિશાના પુગલોનો આહાર કરી શકે છે. પાંચ દિશાના પુગલોનો આહાર કરી શકે છે. ચાર દિશાના પુગલોનો આહાર કરી શકે છે એમ ત્રણ દિશાના આહારના પગલોનો આહાર કરી શકે છે તેમાં જે નિષ્કટના ભાગમાં એટલે ખૂણા પડતા ભાગમાં જે જીવો રહેલા હોય છે તે જીવોની આજુબાજુ અલોકના પ્રદેશો આવેલા હોવાથી તે દિશાઓનો આહાર મળતો નથી. માટે છ દિશામાંથી ઓછી ઓછી દિશાઓનો આહાર કરી શકે છે. છ દિશામાં ચાર બાજુની. ચાર દિશાઓ અને ઉદ્ઘ તથા અધો એમ છ દિશાનો આહાર ગણાય છે તો દંડકમાં રહેલા જીવો કયા કયા. દંડકવાળા જીવો કેટલી કેટલી દિશાઓનો આહાર કરી શકે છે એની જે વિચારણા કરવી તે કિનાહાર કહેવાય છે. આથી આ દ્વારને વિષે જીવો કેટલી કેટલી દિશાઓનો આહાર કરે છે તેની વિચારણા કરાશે તે કિમાહાર દ્વારા કહેવાય છે.
૨૧ સંજ્ઞી દ્વાર
Page 110 of 161
Page #111
--------------------------------------------------------------------------
________________
જૈન શાસનમાં સંજ્ઞાઓ ત્રણ પ્રકારની કહેલી છે.
(૧) હેતુવાદોપદેશિકી સંજ્ઞા, (૨) દીર્ઘકાલિકી સંજ્ઞા અને (૩) દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા.
(૧) હેતુ વાદોપ દેશિકી સંજ્ઞા :- જે જીવોને જ્ઞાનના ક્ષયોપશમ ભાવથી માત્ર વર્તમાન કાલીન સુખ દુઃખની સંજ્ઞા યાદ રહે અર્થાત્ જે જ્ઞાનથી જીવોને વર્તમાન કાલીન જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય પણ ભૂતકાળ કે ભવિષ્યકાળના જ્ઞાનનો ક્ષયોપશમ થાય નહિ અર્થાત જાણી ન શકે એવા જીવોને હેતુ વાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. જેમકે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય આદિ જીવો કે કીડી મકોડી વગેરે આહારની શોધ માટે તાં હોય અને વચમાં તડકો આવે તો શોધતી શોધતી છાંયડાને પામે તો એને પછી ખબર નથી પડતી કે આ સ્થાનમાં મને તડકો પડેલો દુઃખ ઉત્પન્ન થયેલું માટે તે બાજુ ન જાઉં એવું જ્ઞાન હોતુ નથી. આથી થોડોક કાળ પછી ફરીથી તડકાને પામે છે તે હેતુ વાદોપદેશિકી જ્ઞાન કહેવાય છે.
(૨) દીર્ઘકાલિકી સંજ્ઞા :-જે જીવો જ્ઞાનના ક્ષયોપશમ ભાવથી ભૂતકાળની વિચારણા કરી શકે, વર્તમાનકાળના સુખ દુઃખની વિચારણા કરી શકે અને ભવિષ્યના સુખ દુઃખની પણ વિચારણા કરી શકે એવા જ્ઞાનના ક્ષયોપશમ ભાવને દીર્ધકાલિકી સંજ્ઞા કહેલી છે. આ સંજ્ઞા સન્ની જીવોને હોય છે કારણકે ગઇકાલે શું ખાધું હતુ ? ચાર દિવસ પહેલા ક્યાં ગયા હતાં ? છ મહિના પહેલા જ્યાં ગયા હોઇએ ત્યાં સુખ પેદા થયેલું કે દુઃખ થયેલું એ બધુ યાદ રહે છે. વર્તમાન કાળના સુખ દુઃખને પણ યાદ રાખે છે અને ભવિષ્યમાં કયો પદાર્થ મને અનુકૂળ રહેશે કે પ્રતિકૂળ રહેશે એનું પણ જ્ઞાન હોય છે. આથી સંજ્ઞી જીવો દીર્ધકાલિકી સંજ્ઞાવાળા કહેવાય છે. આ સંજ્ઞી જીવો સિવાય બીજા જીવોનેઆવું જ્ઞાન હોતું નથી. આથી સંજ્ઞી જીવોના જ્ઞાનને દીર્ઘકાલિકી સંજ્ઞા હોવાથી કયા કયા દંડકવાળા જીવો સંજ્ઞી હોય છે કે નહિ તેની જે વિચારણા કરવી તે સંજ્ઞી દ્વાર કહેવાય છે.
(૩) દ્રષ્ટિ વાદોપદેશિકી સંજ્ઞા :- સંજ્ઞી જીવોમાં સમકીતી જીવોને આ સંજ્ઞા હોય છે આથી વિશિષ્ટ સંજ્ઞા રૂપે ગણાય છે. તેમાં આત્મિક દ્રષ્ટિ વિકાશ પામેલી હોવાથી વિવેક બુધ્ધિ પેદા થયેલી હોય છે. આથી હેય પદાર્થોમાં હેય બુધ્ધિ અને ઉપાદેય પદાર્થોમાં ઉપાદેય બુધ્ધિ રહેલી હોય છે. આ સંજ્ઞી દ્વાર કહેવાય છે. ૨૨ ગતિ દ્વાર
કયા કયા દંડકવાળા જીવો મરીને ક્યાં ક્યાં કયા કયા દંડકમાં જઇ શકે છે. અર્થાત્ જાય છે તે ગતિ કહેવાય છે. અર્થાત્ કયા દંડકવાળા જીવો મરણ પામીને અથવા ચ્યવન પામીને કેટલા દંડકમાં જઇ શકે છે. એની જે વિચારણા કરવી એ ગતિ કહેવાય છે અને તે ગતિ દ્વાર કહેવાય છે.
૨૩ આણતિ દ્વાર
કયા કયા દંડકવાળા જીવો મરણ પામીને કયા કયા દંડકમાં જાય છે એમ જે કહ્યું તેમ કયા કયા દંડકમાં કેટલા કેટલા દંડકવાળા જીવો આવી શકે છે એનું જે વર્ણન કરવું તે આગતિ દ્વાર કહેવાય છે. જેમકે નરકગતિ દંડકમાં સંખ્યાત વરસના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા મનુષ્યો-સંખ્યાત વરસના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો (નરક ગતિમાં) આવે છે. આ આ ગતિદ્વાર કહેવાય છે. આ રીતે વિચારણા કરાય તે આગતિદ્વાર ગણાય છે.
૨૪ વેદ દ્વાર
Page 111 of 161
Page #112
--------------------------------------------------------------------------
________________
કયા કયા દંડકવાળા જીવોને વિષે કયા કયા અને કેટલા કેટલા વેદનો ઉદય હોય છે એની જે વિચારણા કરવી તે વેદ દ્વાર કહેવાય છે. વેદ ત્રણ પ્રકારના હોય છે. પુરૂષવેદ- સ્ત્રીને સેવવાનો અભિલાષ a પુરૂષ વેદ. સ્ત્રીવેદ- પુરૂષને સેવવાનો અભિલાષ તે સ્ત્રીવેદ. નપુંસક વેદ- બન્નેને સેવવાનો અભિલાષ તે નપુંસકવેદ કહેવાય છે.
ચોવીશ દંડકોને વિષે ચોવીશ દ્વારોનું વર્ણન
(૧) નરક્શતિ દંડક દ્વારને વિષે : પહેલી નરક્તે વિષે
૧. શરીર - ત્રણ હોય છે. વૈક્રીય-તૈજસ અને કાર્મણ શરીર.
૨. અવગાહના - અપર્યાપ્તાની અંગુલનો અસંખ્યાતમો ભાગ. પર્યાપ્તાની ઉત્કૃષ્ટ- III (પોણા આઠ) ધનુષ અને ૬ અંગુલ.
ઉત્તર વૈક્રીય શરીરની અવગાહના ડબલ હોય છે. એટલે જઘન્ય-અંગુલના સંખ્યાતમા ભાગની. ઉત્કૃષ્ટ - ૧૫।। (સાડાપંદર) ધનુષ ૧૨ અંગુલ હોય છે.
૩. સંઘયણ - હોતું નથી. કારણ કે આ જીવોનાં શરીરમાં હાડકા હોતા નથી. સાતધાતુ પણ હોતી
નથી. મતાંતરે છેલ્લા સંઘયણ જેટલી શક્તિ હોય છે.
૪. સંજ્ઞા - આહાર-ભય-મૈથુન-પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ હોય અથવા છ અથવા દશ સંજ્ઞાઓ હોય
છે.
૫. સંસ્થાન - છેલ્લું હૂંડક સંસ્થાન હોય.
૬. કષાય - ૪ ક્રોધ-માન-માયા અને લોભ કષાયો હોય છે. તેમાં અનંતાનુબંધિ - અપ્રત્યાખ્યાનીય
- પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એમ ૪ કષાયો હોય છે.
૭. લેશ્યા - એક કાપોત લેશ્યા હોય છે.
૮. ઇન્દ્રિય - પાંચે ઇન્દ્રિયો હોય.
૯. સમુદ્ધાંત - ૫ વેદના-કષાય-મરણ અને વૈક્રીય-તૈજસ એ પાંચ.
૧૦. દ્રષ્ટિ-૩. સમ્યદ્રષ્ટિ-મિશ્રદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૩. ચક્ષુદર્શન-અચક્ષુદર્શન અને અવધિદર્શન. ૧૨. જ્ઞાન-૩. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન.
૧૩. અજ્ઞાન-૩. મતિઅજ્ઞાન-શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન.
સમકીતિ જીવોને જ્ઞાન હોય. મિથ્યાદ્રષ્ટિ જીવોને અજ્ઞાન હોય છે.
૧૪. યોગ-૧૧. ચાર મનનાં, ચાર વચનનાં, વૈક્રીય કાયયોગ, વૈક્રીય મિશ્રકાયયોગ અને કાર્મણ
કાયયોગ.
નરકમાં ઉત્પન્ન થનાર જીવ વિગ્રહગતિમાં રહેલો હોય ત્યારે કાર્યણ કાયયોગ. જ્યાં સુધી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી વૈક્રીય મિશ્રકાયયોગ અને પર્યાપ્ત થયા પછી વૈક્રીય કાયયોગ ચાર મનનાં અને ચાર વચનના એ નવ યોગ એમ કુલ ૧૧ યોગો હોય છે.
Page 112 of 161
Page #113
--------------------------------------------------------------------------
________________
ઉત્તર વક્રીય શરીર કરતાં જીવોને વક્રીય મિશ્ર કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૯. જ્ઞાન-૩ : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ૩ અજ્ઞાન : મતિઅજ્ઞાન, મૃતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન. ૩ દર્શનઃ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન.
સન્ની પર્યાપ્તા મનુષ્યો અને તિર્યંચો નરકમાં ઉત્પન્ન થાય અને સમકીત સાથે હોય તો ૩ જ્ઞાન અને ૩ દર્શન એમ છ ઉપયોગ. મિથ્યાત્વ સાથે ઉત્પન્ન થાય તો 3 અજ્ઞાન, ૩ દર્શન એમ છ ઉપયોગ જો અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો મિથ્યાત્વ સાથે નરકમાં ઉત્પન્ન થાય તો અપર્યાપ્ત અવસ્થામાં ૨ અજ્ઞાન. (મતિઅજ્ઞાન, કૃતઅજ્ઞાન) અને ૨ દર્શન. (ચક્ષદર્શન, અચક્ષુદર્શન) હોય છે. આ જીવોને પર્યાપ્ત થયા. પછી વિર્ભાગજ્ઞાનનો ક્ષયોપશમ થાય છે.
૧૬. ઉપપાત - એક સાથે એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થઇ શકે છે. જે મનુષ્યો. મરીને નરકમાં ઉત્પન્ન થતાં હોય તો એક, બે કે સંખ્યાતા ઉત્પન્ન થઇ શકે છે.
૧૭. ચ્યવન – નારકીમાંથી ચ્યવન પામે તો એક સાથે એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - આ જીવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વરસ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની હોય છે.
૧૯. પર્યાપ્તિ - છ હોય. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન પર્યાપ્તિઓ હોય.
૨૦. કિસાહાર - આ જીવો ત્રસ હોવાથી ત્રસ નાડીમાં રહેલા હોવાથી છ એ દિશિનો આહાર હોય છે.
૨૧. સંજ્ઞી-૨. આ જીવોને દીર્ધકાલિકી સંજ્ઞા રહેલી હોવાથી સંજ્ઞી હોય છે અને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા એમ બે સંજ્ઞા હોય છે.
૨૨, ગતિ - આ જીવો મરીને નિયમાં સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા સંજ્ઞી તિર્યંચો અને સંજ્ઞી. મનુષ્યોમાં જાય છે.
૨૩. આગતિ - પહેલી નારકીને વિષે અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો- સન્ની પંચેન્દ્રિય સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા તિર્યંચો અને સન્ની પંચન્દ્રિય સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા મનુષ્યો નરકગતિને વિષે આવે છે.
જઘન્યથી બે મહિનાના આયુષ્યવાળો તિર્યંચ અને મનુષ્ય નરકનું આયુષ્ય બાંધીને કાળ કરીને નરકગતિને વિષે આવી શકે છે.
વેદ. આ જીવોને નિયમા એક નપુંસક વેદનોજ ઉદય હોય છે. લિંગાકારે નપુંસક વેદ હોય અને ભાવથી પરાવર્તમાન રૂપે ત્રણેય વેદનો ઉદય એક એક અંતમુહૂર્ત હોય છે. બીજી નારકીને વિષે:
૧. શરીર-૩. વક્રીય, તેજસ, કામણ શરીર, ૨. અવગાહના-૧૫ll. ધનુષ અને ૧૨ અંગુલ. ઉત્તર વક્રીય શરીરની જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગની ઉત્કૃષ્ટ ૩૧, ધનુષ હોય. ૩. સંઘયણ નથી હાડકા નથી. શક્તિની અપેક્ષાએ છેલ્લા સંઘયણ જેટલી શક્તિ હોય છે. ૪. સંજ્ઞા – ૪-૬-૧૦ અને ૧૬ હોય છે.
Page 113 of 161
Page #114
--------------------------------------------------------------------------
________________
૫. સંસ્થાન - હુંડક સંસ્થાન.
૬. કષાય-૪. ક્રોધ, માન, માયા અને લોભ અથવા અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એ ચાર.
૭. લેશ્યા - એક કાપો લેશ્યા. ૮. ઇન્દ્રિય - પાંચ ઇન્દ્રિયો હોય છે. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય, તેજસ એ પાંચ. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યગ્દષ્ટિ-મિશ્રદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ હોય. ૧૧. દર્શન-૩. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન. ૧૨. જ્ઞાન-૩. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન. સમકીતી જીવોને આ ત્રણ જ્ઞાન હોય છે. ૧૩. અજ્ઞાન-૩, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન.
૧૪. યોગ-૧૧. ચાર મનનાં, ચાર વચનનાં, વેક્રીય કાયયોગ, વક્રીય મિશ્રકાયયોગ, કામણ કાયયોગ.
અપર્યાપ્ત અવસ્થામાં વિગ્રહગતિમાં રહેલા જીવોને કાર્પણ કાયયોગ અપર્યાપ્ત અવસ્થામાં વક્રીયા મિશ્ર કાયયોગ.
પર્યાપ્તા નારકીને ચાર મનના, ચાર વચનના, વક્રીય કાયયોગ. ઉત્તર વૈક્રીય શરીર કરનારને વક્રીય મિશ્ર કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ૩ દર્શન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન. 3 અજ્ઞાન , મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન. સમકીતિ જીવોને કણજ્ઞાન ત્રણ દર્શન હોય છે. મિથ્યાદ્રષ્ટિ જીવોને ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. ૧૬. ઉપપાત - એક સાથે એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. ૧૭. ચ્યવન – એક સાથે એક, બે સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ - જઘન્યથી એક સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. ૧૯. પર્યાપ્તિ૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન પર્યાપ્તિ. ૨૦. હિમાહાર - ત્રસ નાડીમાં રહેતા હોવાથી ત્રસ જીવો હોવાથી નિયમા છ દિશિનો આહાર હોય છે. ૨૧. સંજ્ઞી - દીર્ધકાલિની સંજ્ઞા અને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય.
૨૨. આ જીવો મરીને સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાં ઉત્પન્ન થઇ શકે છે, જાય છે.
૨૩. આગતિ-સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યો મરીને નરકમાં આવે
૨૪. વેદ લિંગાકારે એક નપુંસક વેદ હોય છે અને ભાવથી અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે ત્રણેય વેદ હોય છે. ત્રીજી નારકીને વિષે:
૧. શરીર-૩. વક્રીય, તેજસ અને કાર્પણ શરીર. ૨. અવગાહના-૩૧૧ (સવા એકત્રીશ) ધનુષ.
Page 114 of 161
Page #115
--------------------------------------------------------------------------
________________
ઉત્તર વૈક્રીય-૬૨।ા ધનુષ, જઘન્ય, અંગુલનો સંખ્યાતમો ભાગ. ૩. સંઘયણ નથી. શક્તિ અપેક્ષાએ છેવટ્ટુ સંઘયણ.
૪. સંજ્ઞા - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ-૪-૬-૧૦ અથવા ૧૬ હોય.
૫. સંસ્થાન-૧ હુંડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા અને
લોભ.
૭. લેશ્યા-૨. કાપોત લેશ્યા, નીલ લેશ્યા.
જઘન્ય આયુષ્ય + પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી કાપોત લેશ્યા ત્યાર પછી ઉત્કૃષ્ટ આયુષ્ય સુધી નીલ લેશ્યા.
૮. ઇન્દ્રિય- પાંચેય હોય.
૯. સમુદ્ધાત-૫. વેદના, કષાય, મરણ, વૈક્રીય અને તૈજસ હોય.
૧૦. દ્રષ્ટિ-૩. સમ્યદ્રષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ.
અવધિદર્શન.
૧૧. દર્શન-૩. ચક્ષુ, અચક્ષુ,
૧૨. જ્ઞાન-૩. મતિ-શ્રુત-અવધિજ્ઞાન.
૧૩. અજ્ઞાન-૩. મતિ, શ્રુત અજ્ઞાન, વિભંગજ્ઞાન.
૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્મણ કાયયોગ. વિગ્રહગતિમાં, કાર્મણ કાયયોગ. અપર્યાપ્તા અવસ્થામાં અને ઉત્તરવૈક્રીય કરતાં વૈક્રીય મિશ્ર. પર્યાપ્તા જીવોને ૪ મનનાં, ૪ વચનનાં વૈક્રીય કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. સમકીતિને ૩ જ્ઞાન, ૩ દર્શન એમ છે.
મિથ્યાત્વીને 3 અજ્ઞાન, ૩ દર્શન એમ છ.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
૧૭. ચ્યવન - એક સમયમાં એક-બે-સંખ્યાતા-અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય - ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત સાગરોપમ.
૧૯. પર્યાપ્તિ-૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન.
૨૦. કિમાહાર - ત્રસ જીવો હોવાથી ત્રસ નાડીમાં રહેતા હોવાથી નિયમા છ દિશિનો આહાર હોય છે.
૨૧. સંજ્ઞી-૨. દીર્ઘકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય.
૨૨-ગતિ. સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાં જાય છે.
૨૩. આગતિ-સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યો આવે છે.
૨૪. વેદ લિંગાકારે એક નપુંસક વેદ હોય છે. ભાવથી અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે ત્રણે વેદ પરાવર્તમાન
રૂપે હોય છે.
ચોથી નારકીને વિષે
૧. શરીર-૩. વૈક્રીય, તૈજસ અને કાર્મણ.
૨. અવગાહના-૬૨ા ધનુષ, જઘન્ય, અંગુલનો અસંખ્યાતમો ભાગ.
૩. સંઘયણ નથી પણ શક્તિની અપેક્ષાએ છેલ્લું સંઘયણ.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ-૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. છેલ્લું હૂંડક.
Page 115 of 161
Page #116
--------------------------------------------------------------------------
________________
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ.
૭. વેશ્યા-૧. નીલલેશ્યા. ૮. ઇન્દ્રિય. પાંચ. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વૈક્રીય અને તેજસ. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-૩. ચક્ષુ, અચકું, અવધિદર્શન. ૧૨. જ્ઞાન-૩. મતિ-શ્રુત-અવધિજ્ઞાન. ૧૩, અજ્ઞાન-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન,
૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્પણ કાયયોગ. વિગ્રહગતિમાં ૧ કાર્પણ કાયયોગ. અપર્યાપ્તાવસ્થામાં અને ઉત્તર વૈક્રીય શરીર કરતાં વૈક્રીયમિશ્ર કાયયોગ. પર્યાપ્તાવસ્થામાં ૪ મનનાં, ૪ વચનનાં અને વક્રીય કાયયોગ હોય છે.
ઉપયોગ-૯૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. સમ્યદ્રષ્ટિ જીવોને ૩ જ્ઞાન અને ૩ દર્શન હોય. મિથ્યાદ્રષ્ટિ જીવાને 3 અજ્ઞાન અને 3 દર્શન હોય છે. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થઇ શકે છે. ૧૭. ચ્યવન – એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ - જઘન્ય ૭ સાગરોપમ-ઉત્કૃષ્ટ૧૦-સાગરોપમ. ૧૯. પર્યાપ્તિ-૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન. ૨૦. હિમાહાર - ત્રસ જીવો હોવાથી ત્રસ નાડીમાં રહેતા હોવાથી છએ દિશિનો આહાર હોય છે. ૨૧. સંજ્ઞી - દીર્ધકાલિકી સંજ્ઞા અને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય.
૨૨. ગતિ – આ જીવો મરીને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યોમાં જાય છે.
૨૩. આગતિ - સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યો મરીને આ નારકીમાં આવે છે.
૨૪. વેદ-૧. નપુંસકવેદ હોય છે. લિંગાકારે નપુંસકવેદ અને ભાવથી ત્રણેય વેદ પરાવર્તમાન રૂપે હોય છે. પાંચમી નારકીને વિષે :
૧. શરીર-૩. વક્રીય, તેજસ, કામણ શરીર,
૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૧૨૫ ધનુષ, ઉત્તર વક્રીય જઘન્યા અંગુલનો સંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ-૨૫૦ ધનુષ.
૩. સંઘયણ નથી, શક્તિની અપેક્ષાએ છેવહૂ સંઘયણ. ૪. સંજ્ઞા - આહાર, ભય, મેથુન. પરિગ્રહ એ ૪-૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન. ૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન, ક્રોધ, માન, માયા અને
Page 116 of 161
Page #117
--------------------------------------------------------------------------
________________
લોભ.
૭. લેશ્યા-૨. જઘન્ય આયુષ્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી નીલ લેશ્મા બાકીના આયુષ્યવાળાને કૃષ્ણ લેશ્યા હોય છે.
૮. ઇન્દ્રિય - પાંચ. સ્પર્શના, રસના, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર.
૯. સમુદ્ઘાત-૫. વેદના, કષાય, મરણ, વૈક્રીય અને તૈજસ. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યદ્રષ્ટિ, મિશ્રદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૩. ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શન.
૧૨. જ્ઞાન-૩. મતિ, શ્રુત, અવધિજ્ઞાન.
૧૩. અજ્ઞાન-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન.
૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્મણ કાયયોગ. વિગ્રહગતિમાં કાર્મણ કાયયોગ, અપર્યાપ્તાવસ્થામાં અને ઉત્તર વૈક્રીય શરીર વખતે વૈક્રીય મિશ્રયોગ અને પર્યાપ્તાવસ્થામાં ૪ મનનાં, ૪ વચનનાં અને વૈક્રીય કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૩ દર્શન. સમ્યદ્રષ્ટિ જીવોને-૬. 3 જ્ઞાન અને ૩ દર્શન.
મિથ્યાદ્રષ્ટિ જીવોને-૬. ૩ અજ્ઞાન અને ૩ દર્શન.
૧૬. ઉપપાત. એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થઇ શકે છે.
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ચ્યવન પામી શકે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય-૧૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ-૧૭ સાગરોપમ.
૧૯. પર્યાપ્તિ-૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન.
૨૦. કિમાહાર. ત્રસ જીવો હોવાથી ત્રસ નાડીમાં રહેતા હોવાથી નિયમા છ દિશાનો આહાર હોય છે. ૨૧. સંજ્ઞી-૨. દીર્ઘકાલિકી સંજ્ઞા-દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા.
૨૨. ગતિ - આ જીવો મરીને સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાં
જાય છે.
૨૩. આગતિ - સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યો પાંચમી નારકીમાં
આવે છે.
૨૪. વેદ-૧. નપુંસક વેદ. લિંગાકારે નપુંસક વેદ હોય અને ભાવથી પરાવર્તમાન રૂપે ત્રણેય વેદ હોય
છે.
છઠ્ઠી નારકીને વિષે :
૧. શરીર-૩. વૈક્રીય, વૈજસ અને કાર્પણ શરીર.
૨. અવગાહના :- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ-ઉત્કૃષ્ટ ૨૫૦ ધનુષ. ઉત્તર વૈક્રીય આશ્રયી જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ.
૩. સંઘયણ નથી. શક્તિની અપેક્ષાએ છેવટ્ટુ સંઘયણ.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય.
૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન.
Page 117 of 161
Page #118
--------------------------------------------------------------------------
________________
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન, ક્રોધ, માન, માયા, લોભ.
૭. વેશ્યા-૧. કૃષ્ણ લેશ્યા. ૮. ઇન્દ્રિય-૫. સ્પર્શના, રસના, ધ્રાણ, ચક્ષુ, શ્રોત્ર. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય અને તેજસ, ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-3. ચક્ષુ, અચક્ષ, અવધિદર્શન. ૧૨. જ્ઞાન-3. મતિ, શ્રુત, અવધિજ્ઞાન. ૧૩. અજ્ઞાન-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન .
૧૪. યોગ-૧૧. ૪ મનના, ૪ વચનના, વક્રીય, વક્રીયમિશ્ર, કાર્પણ કાયયોગ. અપર્યાપ્તાવસ્થામાં વક્રીય મિશ્ર, ઉત્તર વક્રીય શરીર કરતાં પણ વક્રીય મિશ્ર, વિગ્રહગતિમાં કાર્પણ કાયયોગ, પર્યાપ્તા જીવોમા ૪ મનનાં, ૪ વચનના અને વૈક્રીય કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. સમકીતી જીવોને ૩ જ્ઞાન, ૩ દર્શન હોય છે. મિથ્યાદ્રષ્ટિ જીવોને ૩ અજ્ઞાન અને ૩ દર્શન એમ છ હોય છે. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થયા કરે છે. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ જઘન્ય ૧૦ સાગરોપમ ઉત્કૃષ્ટ-૨૨ સાગરોપમ. ૧૯. પર્યાતિ-૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન. ૨૦. કિમાહાર. ત્રસ જીવો હોવાથી ત્રસ નાડીમાં રહેતા હોવાથી નિયમા છ દિશિનો આહાર હોય છે. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય છે.
૨૨. ગતિ - આ જીવો મરીને સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા તિર્યંચો અને મનુષ્યોમાં જાય છે.
૨૩. આગતિ - સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યો આ નરકમાં આવે
૨૪. વેદ-૧. નપુંસકવેદ. લિંગાકારે હોય છે. ભાવથી ત્રણેય વેદ પરાવર્તમાન રૂપે હોય છે. સાતમી નારીના જીવોને વિષે
૧. શરીર-૩. વક્રીય, તેજસ અને કાર્પણ શરીર, ૨. અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ-ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ. ઉત્તર વક્રીયની જઘન્ય અંગુલનો સંખ્યાત્મો ભાગ-ઉત્કૃષ્ટ-૧૦૦૦ ધનુષ. ૩. સંઘયણ નથી. શક્તિની અપેક્ષાએ છેવહૂ સંઘયણ. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મેથુન, પરિગ્રહ અથવા ૬-૧૦ અને ૧૬. ૫. સંસ્થાન-૧ હુંડક. ૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા અને
Page 118 of 161
Page #119
--------------------------------------------------------------------------
________________
લોભ.
૭. લેશ્યા-૧. પરમકૃષ્ણ લેશ્યા હોય. ૮. ઇન્દ્રિય-૫. સ્પર્શના, રસના, ધ્રાણ, ચક્ષુ, શ્રોત્ર. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય અને તેજસ. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-૩. ચક્ષુ, અચકું અને અવધિદર્શન. ૧૨. જ્ઞાન-3. મતિ, શ્રત, અવધિજ્ઞાન. ૧૩. અજ્ઞાન-3. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન,
૧૪. યાગ-૧૧.૪ મનનાં, ૪ વચનનાં, વક્રીય, વક્રીય મિશ્ર અને કાર્પણ યોગ. વિગ્રહગતિમાં કાર્પણ કાયયોગ. અપર્યાપ્તાવસ્થામાં અને ઉત્તર વક્રીય શરીર બનાવતાં વક્રીય મિશ્રયોગ પર્યાપ્તાવસ્થામાં ૪ મનનાં, ૪ વચનનાં વક્રીય કાયયોગ હોય છે.
ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. સમકીતી જીવોને ૩ જ્ઞાન, ૩ દર્શન હોય. મિથ્યાદ્રષ્ટિ જીવોને ૩ અજ્ઞાન અને ૩ દર્શન હોય છે. ૧૬. ઉપપાત - એક સમયમાં એક-બે-સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ - જઘન્ય-૨૨ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમાં ૧૯. પર્યાપ્તિ-૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન. ૨૦. નિમાહાર - ત્રસ જીવો હોવાથી ત્રસ નાડીમાં રહેતા હોવાથી નિયમાં છ દિશિનો આહાર હોય છે. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. ૨૨. ગતિ - સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાં જાય છે. ૨૩. આગતિ - સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યો આ નરકમાં આવે
૨૪. વેદ-૧. નપુંસકવેદ લિંગાકારે હોય છે. ભાવથી ત્રણેય વેદ પરાવર્તમાન રૂપે હોય છે. ૧. ભુજપરિસર્પ ધો નોલિયો વગેરે નરકાયું બાંધે તો બીજી નરક સુધી. ૨. પક્ષી માંસાહારી-ગીધ-સીંચાણો-સમાળી વગેરે ત્રીજી નરક સુધી જાય ૩. સિંહ, વાઘ, ચિતડો, કૂતરો, બિલાડી વગેરે ચોથી નરક સુધી જાય. ૪. ઉરપરિસર્પ એટલે કાળા, ધોળા, કાલરા સર્પ વગેરે પાંચમી નરક સુધી જાય. ૫. ત્રીવેદે નરકા, બાંધે એવા સ્ત્રીરત્ન વેગેરે યાવત છઠ્ઠો નરક સુધી જાય. ૬. મનુષ્ય અને મત્સ્ય એ બેજ ગર્ભજ પર્યાપ્તા ઉત્કૃષ્ટ સાતમી સુધી જાય. ૭. છેવટ્ટા સંઘયણવાળો નરકા, બાંધે તો બીજી નારકી સુધી. ૮. કીલિકા સંઘયણવાળા ત્રીજી નરક સુધી. ૯. અર્ધનારાચ સંઘયણવાળા ચોથી નરક સુધી. ૧૦. નારાજ સંઘયણવાળા પાંચમી નરક સુધી. ૧૧. અષભનારાચ સંઘયણવાળા છઠ્ઠી નરક સુધી અને
Page 119 of 161
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૨. વ્રજદષભ નારા સંઘયણવાળા સાતમી નારકી સુધી જાય છે. ૨. પૃથ્વીાય દંડક ને વિષે:
૧. શરીર-૩. દારિક, તેજસ, કામણ શરીર, ૨. અવગાહના - અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. 3. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા - ૪. આહાર, ભય, મેથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય. ૫. સંસ્થાન-૧. હુંડક.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા અને લોભ.
૭. લેશ્યા-૪. કૃષ્ણ, નીલ, કાપોત અને તેજલેશ્યા.
જ્યોતિષી દેવો -વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો, તેજલેશ્યા લઇ પૃથ્વીકાયને વિષે ઉત્પન્ન થાય એને હોય તથા કેટલાક ભવનપતિ અને વ્યંતર જાતિના દેવો તેજલેશ્યા લઇને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થતાં હોય એને હોય છે. બાકીના જીવોને પહેલી ત્રણમાંથી કોઇપણ વેશ્યા હોય છે.
૮. ઇન્દ્રિય-૧. સ્પર્શેન્દ્રિય હોય. ૯. સમુદ્યાત-૩. વેદના, કષાય, મરણ સમુદ્યાત હોય. અશાતા વેદનીયના ઉદયથી વેદના સમુદ્ધાત.
કષાય સમુદ્ધાતમાં પૂર્વભવમાં ક્રોધના ઉદયમાં જીવ મરણ પામીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયેલો હોય. તે જીવને એક અંતર્મુહૂર્ત સુધી ક્રોધનો જોરદાર ઉદય હોય તેના કારણે તે વખતે કષાય સમુદ્યાત હોય છે. બાકીના જીવોને કષાય સમુદ્યાત હોર્તા નથી. મરણ સમુદ્યાત છેલ્લા અંતર્મુહૂર્ત હોય છે.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ મતાંતરે સાસ્વાદન ગુણસ્થાનક હોય છે. ૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન.
૧૨. જ્ઞાન - નથી. સાસ્વાદન ગુણસ્થાનકે જ્ઞાન માન્યું નથી કારણકે મિથ્યાત્વની સન્મુખ થયેલો હોવાથી અજ્ઞાન ગણાય છે.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અક્ષરના અનંતમાં ભાગ જેટલો ક્ષયોપશમ ભાવ હોય. છે.
૧૪. યોગ-૩. દારિક, ઓદારિક મિશ્ર, કાર્મણકાયયોગ.
વિગ્રહગતિમાં કાર્પણ કાયયોગ હોય. અપર્યાપ્ત અવસ્થામાં દારિક મિશ્રકાયયોગ હોય અને પર્યાપ્ત અવસ્થામાં ઓદારિક કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અચક્ષુ દર્શન.
૧૬. ઉપપાત – સમયે સમયે નિરંતર અસંખ્યાતા-અસંખ્યાતા જીવો ઉત્પન્ન થયા કરે છે. વિરહકાલ હોતો નથી.
૧૭. ચ્યવન - સમયે સમયે નિરંતર અસંખ્યાતા-અસંખ્યાતા જીવો ચ્યવન પામે છે એટલે મરણ પામે
૧૮. સ્થિતિ - જઘન્ય-અંતર્મુહૂર્ત એક ક્ષુલ્લક ભવ પ્રમાણ એટલે ૨૫૬ આવલિકા પ્રમાણ અને
Page 120 of 161
Page #121
--------------------------------------------------------------------------
________________
ઉત્કૃષ્ટ ૨૨૦૦૦ (બાવીશ હજાર) વર્ષ.
૧૯. પર્યાપ્તિ-૪. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ.
૨૦. કિમાહાર - ત્રણ દિશાનો. કાટખૂણીયા ભાગમાં રહેલા જીવોને ચાર દિશાનો, નિષ્ફટમાં રહેલાને પાંચ દિશાનો, નિકૂટમાં રહેલાને છ દિશાનો આહાર વસનાડીમાં રહેલાને તથા બસનાડીની બહારના ભાગમાં રહેલા જીવોને કાટખૂણીયા કે નિષ્ફટ ભાગ સિવાયમાં રહેલા જીવોને જાણવો.
૨૧. સંજ્ઞી-૧. સામાન્ય રીતે ત્રણમાંથી એકેય હોતી નથી છતાં હેતુવાદોપદેશિકી સંજ્ઞાનો સામાન્ય ભાગ ગણાય છે.
૨૨. ગતિ - આ જીવો મરીને દશ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, સન્ની અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ અને સન્ની અસન્ની પંચેન્દ્રિય મનુષ્યમાં જાય છે.
૨૩. આગતિ – વેવીશ દંડકવાળા જીવો મરીને પૃથ્વીકાયમાં આવે છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, સન્ની અસન્ની પંચેન્દ્રિય તિર્યંચો, સન્ની અસન્ની પંચેન્દ્રિય મનુષ્યો, ભવનપતિના દશ દંડકો વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એમ ૨૩ દંડકવાળા જીવો પૃથ્વીકાયને વિષે આવે છે. અર્થાત્ ઉત્પન્ન થઇ શકે છે.
૨૪. વેદ-૧. નપુંસકવેદ. ભાવથી ત્રણે વેદ હોય છે. 3. અપાય દંડક્ત વિષે વર્ણન:
૧. શરીર-૩. દારિક, તેજસ, કામણ. ૨. અવગાહના-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી. 3. સંઘયણ- નથી. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મેથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય. ૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન, ક્રોધ, માન, માયા અને લોભ.
૭. વેશ્યા-૪. કૃષ્ણ, નીલ, કાપોત અને તેજલેશ્યા.
જ્યોતિષી દેવો વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો તથા કેટલાક ભવનપતિ-વ્યંતરના દેવો. તેજો વેશ્યા લઇને અપકાયમાં આવે છે માટે તેજ લેશ્યા હોય છે.
૮. ઇન્દ્રિય-૧. સ્પર્શેન્દ્રિય. ૯. સમુદ્યાત-૩. વેદના, કષાય, મરણ. અશાતા વેદનીયના ઉદયે વેદના સમુદ્યાત પેદા થાય.
મરણના અંતર્મુહૂર્ત પહેલા કાળે મરણ સુધી સમુદ્યાત થાય અને કષાય સમુદ્યાત જે જીવો. પૂર્વભવમાં કષાયના તીવ્ર ઉદયમાં મરણ પામ્યા હોય અને એ કષાયના પરિણામ લઇને અપકાયમાં ઉત્પન્ન થાય તો એક અંતર્મુહૂર્ત સુધી એ કષાયનો ઉદય રહે તેવા જીવોની અપેક્ષાએ કષાય સમુદ્યાત હોય છે. (જાણવો)
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
Page 121 of 161
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન.
૧૨. જ્ઞાન- નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અક્ષરના અનંતમા ભાગ જેટલું હોય છે.
૧૪. યોગ-૩. ઔદારિક, ઔદારિક મિશ્ર અને કાર્પણ કાયયાગ, વિગ્રહગતિમાં કાર્મણ કાયયોગ, અપર્યાપ્તાવસ્થામાં ઔદારિક મિશ્ર પર્યાપ્તાવસ્થામાં ઔદારિક કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન.
૧૬. ઉપપાત - વિરહ વગર નિરંતર અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય.
૧૭. ચ્યવન - વિરહ વગર નિરંતર અસંખ્યાતા જીવો ચ્યવે છે, મરણ પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત, ક્ષુલ્લક ભવ પ્રમાણ (૨૫૬ આવલિકા પ્રમાણ) ઉત્કૃષ્ટ સાત
હજાર વરસ.
૧૯. પર્યાપ્તિ-૪. આહાર શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ.
૨૦. કિમાહાર - ત્રણ, ચાર, પાંચ છ દિશિનો હોય.
લોક અગ્રભાગે રહેલાને ત્રણ દિશિનો આહાર કાટખૂણામાં ચાર દિશીનો આહાર નિફ્રૂટમાં પાંચ દિશિનો આહાર તેમજ ત્રસ નાડીમાં રહેલા તથા ત્રસનાડીની બહાર રહેલા જીવોને નિષ્કૃટાદિ વગર છ દિશિનો આહાર હોય છે.
૨૧. સંજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી જેવી હોય છે કારણકે આ જીવોને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન હોવાથી હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહેલી નથી પણ એનાથી સૂક્ષ્મ રૂપે હોવાથી એના જેવી કહેવાય છે. ૨૨. ગતિ - આ જીવો મરીને દશ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, સન્ની અસન્ની પંચેન્દ્રિય, તિર્યંચ તથા સન્ની અસન્ની પંચેન્દ્રિય મનુષ્ય.
૨૩. આગતિ - આ અકાય દંડકમાં ૨૩ દંડકવાળા જીવો મરીને આવી શકે છે.
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની પંચેન્દ્રિય તિર્યંચ, અસન્ની સન્ની પંચેન્દ્રિય મનુષ્ય, ભવનપતિના દશ દંડક વ્યંતર જ્યોતિષ અને વૈમાનિક દેવનો દંડક એમ કુલ ૨૩ દંડકો થાય છ.
૨૪. વેદ-૧. નપુંસક વેદ ભાવથી ત્રણેય વેદ હોય.
૪. તેઉકાય દંડને વિષે વર્ણન ઃ
૧. શરીર-૩. ઔદારિક, તૈજસ અને કાર્મણ.
૨. અવગાહના - અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય.
૩. સંઘયણ - નથી.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય.
૫. સંસ્થાન-૧. હુડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા અને
લોભ.
9.42211-3.
કૃષ્ણ,
નીલ અને કાપોત લેશ્યા.
Page 122 of 161
Page #123
--------------------------------------------------------------------------
________________
૮. ઇન્દ્રિય-૧. સ્પર્શના ઇન્દ્રિય. ૯. સમુદ્યાત-૩. વેદના, કષાય અને મરણ.
અશાતા વેદનીયના ઉદયે વેદના સમુદ્યાત. મરણના અંતર્મુહૂર્ત પહેલા મરણ સમુદ્યાત અને જે જીવો પૂર્વભવમાં તેઉકાયનું આયુષ્ય બાંધ્યા પછી ક્રોધાદિ તીવ્ર કષાયમાં મરવાના અંતર્મુહૂતે વર્તતો હોય અથવા રહેલો હોય અને મરણ પામી તેઉકાયમાં ઉત્પન્ન થાય તેવા જીવોને એક અંતર્મુહૂર્ત સુધી કષાયની તીવ્રતા રહેલી હોય છે. એવા પર્યાપ્તા જીવોને કષાય સમુદ્યાત હોય છે પણ એ સિવાયના તેઉકાયમાં રહેલા જીવોને આ કષાય સમુદ્યાત હોતો નથી.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-૧. અત્યક્ષદર્શન. ૧૨. જ્ઞાન - હોતું નથી. ૧૩. અજ્ઞાન - ૨ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અક્ષરના અનંતમાં ભાગ જેટલું હોય છે. ૧૪. યોગ-૩, ઔદારિક, દારિકમિશ્ર, કાર્પણ કાયયોગ,
વિગ્રહગતિમાં કાર્યકાયયોગ, અપર્યાપ્તાવસ્થામાં દારિક મિશ્ર, પર્યાપ્તાવસ્થામાં દારિક કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અચક્ષુદર્શન. ૧૬. ઉપપાત – નિરંતર, વિરહ વગર અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. ૧૭. ચ્યવન - નિરંતર, વિરહવગર અસંખ્યાતા જીવો ચ્યવે છે, (મરણ) પામે છે.
૧૮. સ્થિતિ – જઘન્ય એક અંતર્મુહૂર્ત-ક્ષુલ્લક ભવ પ્રમાણ-૨૫૬-આવલિકા પ્રમાણ હોય. ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિ હોય છે.
૧૯. પર્યાપ્તિ-૪. આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ. ૨૦. હિમાહાર- ૩-૪-૫-૬ દિશિની હોય છે.
૩ દિશિનો લોકના અગ્રભાગે. ચાર દિશાનો કાટખૂણીયા ભાગમાં, પાંચ દિશાનો નિટોમાં અને છા દિશાનો. બસ નાડીમાં રહેલા તથા કસ નાડીની બહારના ભાગમાં રહેલા નિકૂટ આદિ વગરના જીવોને હોય.
૨૧. સંજ્ઞી – હેતુવાદોપદેશિકી એટલે અક્ષરના અનંતમા ભાગ જેટલા ઉઘાડમાં સંજ્ઞા વિશેષ હોતી. નથી માટે એના જેવી ગણાય છે. સૂક્ષ્મ રૂપે હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે.
૨૨. ગતિ-૯ દંડકમાં જાય. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય , વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ પંચેન્દ્રિય એમ ૯ દંડકમાં જાય છે પણ મરીને મનુષ્ય થતાં નથી.
૨૩. આગતિ - દશ દંડકવાળા જીવો મરીને તેઉકાયમાં આવે છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યો આવી શકે છે.
૨૪. વેદ-૧. નપુંસક વેદ ભાવથી ત્રણેય વેદ હોય. ૫. વાયાય દંડળે વિષે વર્ણન:
Page 123 of 161
Page #124
--------------------------------------------------------------------------
________________
૧. શરીર-૪. ઔદારિક, વૈક્રીય, વૈજસ, કાર્મણ શરીર.
૨. અવગાહના - અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઔદારિક શરીરનો હોય.
-
૩. સંઘયણ - નથી.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ અથવા ૬-૧૦ અને ૧૬ હોય.
૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન.
૬. કાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
લોભ.
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા.
૮. ઇન્દ્રિય-૧. સ્પર્શના ઇન્દ્રિય.
૯. સમુદ્ઘાત-૩. વેદના, કષાય, મરણ, અશાતા વેદનીયના ઉદયથી વેદના મરણના છેલ્લા અંતર્મુહૂતૅ મરણ સમુદ્દાત હોય અને જે જીવો વાયુકાયનું આયુષ્ય બાંધ્યા પછી મરણના છેલ્લા અંતર્મુહૂર્તે કષાયના તીવ્ર ઉદયમાં રહેલા હોય અને મરણ પામી વાયુકાયમાં ઉત્પન્ન થાય ત્યાં એક અંતર્મુહૂર્ત સુધી પર્યાપ્તાવસ્થામાં જે કષાય રહેલો હોય તે કષાય સમુદ્ઘાત રૂપે કહેવાય છે. બાકીના જીવોને કષાય સમુદ્દાત હોતો નથી.
૧૦. દ્રષ્ટિ-૧. નિયમા મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૧. અચક્ષુ દર્શન. ૧૨. જ્ઞાન - હોતું નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન હોય છે.
૧૪. યોગ-૫. ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રીય, વૈક્રીય મિશ્ર અને કાર્પણ કાયયોગ. અપર્યાપ્તાવસ્થામાં ઔદારિક મિશ્રકાયયોગ. વિગ્રહગતિમાં કાર્મણ કાયયોગ, પર્યાપ્તાવસ્થામાં ઔદારિક કાયયોગ. કેટલાક વાયુકાય જીવોને, જ્યારે વા વંટોળ આદિ પેદા થાય ત્યારે સ્વાભાવિક રીતે વૈક્રીય મિશ્રકાયયોગ અને વૈક્રીય કાયયોગ પેદા થાય છે.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન.
૧૬. ઉપપાત - નિરંતર, વિરહ વગર અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે.
૧૭. ચ્યવન - નિરંતર વિરહ વગર અસંખ્યાતા જીવો ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત-ક્ષુલ્લક ભવ પ્રમાણ-૨૫૬ આવલિકા પ્રમાણ. ઉત્કૃષ્ટ ત્રણ
હજાર વરસ.
૧૯. પર્યાપ્તિ-૪. આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ.
૨૦. કિમાહાર - ૩-૪-૫-૬ દિશિનો આહાર હોય.
લોકાગ્રે રહેલા ને ત્રણ દિશિનો કાટખૂણીયામાં રહેલા ને ચાર દિશિનો નિષ્કુટમાં પાંચ દિશિનો અને સ નાડીમાં કે ત્રસનાડીની બહાર રહેલા નિષ્કુટ આદિ વગરનાજીવોને છ દિશિનો આહાર હોય છે. ૨૧. સજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી. અક્ષરનો અનંતમો ભાગ હોવાથી સૂક્ષ્મ રૂપે હોય છે તેથી આ સંજ્ઞા સૂક્ષ્મ રૂપે હોય છે.
૨૨. ગતિ - ૯ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રન્દ્રિય અને સન્ની અસન્ની તિર્યંચો એમ નવ દંડકમાં જાય છે.
Page 124 of 161
Page #125
--------------------------------------------------------------------------
________________
૨૩. આગતિ - દશ દંડકવાળા જીવો વાયુકાયમાં આવે છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, સન્ની અસન્ની પંચેન્દ્રિય તિર્યંચો અને સન્ની અસન્ની મનુષ્યો ઉત્પન્ન થાય છે.
૨૪. વેદ-૧. નપુંસક વેદ. ભાવથી ત્રણે વેદ હોય છે. ૬. વનસ્પતિકાય દંડક્ત વિષે
૧. શરીર-૩. દારિક, તેજસ, કામણ.
૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉછૂટ, એક હજાર યોજનથી કાંઇક અધિક.
૩. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મિથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬. ૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન. ૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન, ક્રોધ, માન, માયા અને
લોભ.
9. લેશ્યા-૪. કૃષ્ણ, નીલ, કાપોત, તેજલેશ્યા.
ભવનપતિ વ્યંતરમાં તેજો વેશ્યાવાળા કેટલાક જીવો મરીને તથા જ્યોતિષ-વેમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો તેજોલેશ્યા સાથે પ્રત્યેક વનસ્પતિ કાયમાં ઉત્પન્ન થાય એ અપેક્ષાએ વનસ્પતિમાં તેજોલેશ્યા કહેલી છે.
૮. ઇન્દ્રિય-૧. સ્પર્શના ઇન્દ્રિય. ૯. સમુદ્યાત-3. વેદના, કષાય, મરણ.
અશાતા વેદનીય ઉદયથી જીવને વેદના સમુદ્યાત. આયુષ્ય છેલ્લું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે મરણ સમુદ્યાત થઇ શકે અને જે જીવોએ પૂર્વભવમાં વનસ્પતિનું આયુષ્ય બાંધ્યું હોય અને છેલ્લે મરતી વખતે તીવ્ર કષાયમાં રહીને મરણ પામે તો તે કષાય વનસ્પતિમાં ઉત્પન્ન થતાં એક અંતર્મુહૂર્ત રહે છે તે વખતે કષાય સમુદ્દાત કહેવાય છે બાકીના સમયમાં આ મુદ્દાત હોતો નથી.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન. ૧૨. જ્ઞાન - નથી. ૧૩. અજ્ઞાન – ૨. મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન. ૧૪. યોગ-૩. દારિક, દારિકમિશ્ર, કાર્પણ કાયયોગ,
વિગ્રહગતિમાં કાર્પણ કાયયોગ, અપર્યાપ્તાવસ્થામાં ઓદારિક મિશ્રયોગ, પર્યાપ્તાવસ્થામાં દારિક કાયયોગ.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અચક્ષુદર્શન. ૧૬. ઉપપાત - નિરંતર અનંતા જીવો ઉત્પન્ન થયા કરે છે. ૧૭. ચ્યવન - નિરંતર અનંતા જીવો ચ્યવન પામે છે. (મરણ પામે છે.) ૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લક ભવ પ્રમાણ એટલે ૨૫૬ આવલિકા પ્રમાણ
Page 125 of 161
Page #126
--------------------------------------------------------------------------
________________
ઉત્કૃષ્ટ-૧૦૦૦૦ (દશ હજાર) વર્ષ.
૧૯. પર્યાપ્તિ-૪. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ. ૨૦. કિમાહાર - ૩-૪-૫-૬ દિશાનો આહાર હોય.
લોકના અગ્રભાગે ત્રણ દિશાનો કાટખૂણીયા ભાગમાં ચાર દિશાનો નિષ્કુટમાં પાંચ દિશાનો અને સનાડીમાં તથા ત્રસ નાડીની બહાર રહેલા બાકીના જીવોને છ દિશિનો આહાર હોય છે.
૨૧. સંજ્ઞી - હેતુવાદોપદેશિકી અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન હોય છે માટે આ સંજ્ઞા હોતી નથી પણ સૂક્ષ્મ રૂપે આ સંજ્ઞા કહેવાય છે.
૨૨, ગતિ - આ જીવો મરીને દશ દંડકમાં જાય છે.
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇદ્રરિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ, અસન્ની, સન્ની મનુષ્યમાં જાય.
૨૩. આગતિ - વનસ્પતિકાય રૂપે દશ દંડકવાળા જીવો આવે છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચો, અસન્ની સન્ની મનુષ્યો. ૨૪. વેદ-૧. નપુંસકવેદ ભાવથી ત્રણેય વેદ હોય. સાધારણ વનસ્પતિકાય જીવોને વિષે :
૧. શરીર-૩. ઔદારિક, તૈજસ, કાર્મણ.
૨. અવગાહના - જઘન્ય, ઉત્કૃષ્ટથી, અંગુલના અસંખ્યાતમા ભાગની. ૩. સંઘયણ - નથી.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય.
૫. સંસ્થાન-૧. હુડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાની, સંજ્વલન, ક્રોધ, માન, માયા અને
લોભ.
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા.
૮. ઇન્દ્રિય-૧. સ્પર્શના ઇન્દ્રિય.
૯. સમુદ્ઘાત-૩. વેદના, કષાય, મરણ.
અશાતા વેદનીયના ઉદયથી વેદના. છેલ્લા અંતર્મુહૂર્તે મરણ પહેલા મરણ સમુદ્ઘાત અને પૂર્વભવે સાધારણનું આયુષ્ય બાંધી મરવાના છેલ્લા અંતર્મુહૂર્તે તીવ્ર કષાયમાં વિદ્યમાન હોય અને મરણ પામી એ કષાય સાથે લઇ સાધારણમાં ઉત્પન્ન થાય ત્યાં એક અંતર્મુહૂર્ત કષાયની તીવ્રતાનો પરિણામ રહેલા હોય ત્યારે કષાય સમુદ્દાત કહેવાય. બાકીના સમયોમાં એ સાધારણના જીવોને આવો તીવ્ર કષાય હોતો નથી. ૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન.
૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૩. ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્મણ કાયયોગ.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન.
Page 126 of 161
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૬. ઉપપાત - નિરંતર અનંતા જીવો ઉત્પન્ન થાય છે.
૧૭. ચ્યવન – નિરંતર અનંતા જીવો ચ્યવન પામે છે. એક શરીરમાં અનંતા જીવો રહેલા હોય છે એના અનંતમાં ભાગ જેટલા સમયે સમયે ચ્યવન પામે છે અને ઉત્પન્ન થાય છે.
૧૮. સ્થિતિ - જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લક ભવ પ્રમાણ ૨૫૬ આવલિકા પ્રમાણ હોય છે.
૧૯. પર્યાપ્તિ-૪. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ.
૨૦. કિમીહાર - ૩-૪-૫-૬ દિશિનો આહાર હોય. લોકાગ્રે ત્રણ દિશાનો કાટખૂણીયા ભાગમાં ચાર દિશાનો નિકૂટના ભાગમાં પાંચ દિશાનો અને ત્રસ નાડીમાં તથા તેની બહારના ભાગમાં રહેલા બાકીના જીવોને ૬ દિશાનો આહાર હોય છે.
૨૧. સંજ્ઞી - હેતુવાદોપદેશિકિ અક્ષરના અનંતમા ભાગ જેટલો જ્ઞાનનો ક્ષયોપશમ હોવાથી સૂક્ષ્મરૂપે આ સંજ્ઞા હોય છે.
૨૨. ગતિ - આ જીવો મરીને દશ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાં જાય
૨૩. આગતિ - દશ દંડકવાળા જીવો. સાધારણ વનસ્પતિમાં આવે છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ , અસન્ની સન્ની મનુષ્ય એમ દશ દંડકવાળા જીવો આવે.
૨૪. વેદ-૧. નપુંસવક વેદ હોય ભાવથી ત્રણે વેદ હોય છે. પ્રત્યેક વનસ્પતિક્રય જીવોને વિષે :
૧. શરીર-૩. દારિક, તેજસ, કાર્પણ.
૨. અવગાહના - જઘન્ય, અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ એક હજાર યોજનથી કાંઇક અધિક.
3. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મેથુન અને પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય. ૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન, ક્રોધ, માન, માયા, લોભ.
૭. વેશ્યા-૪. કૃષ્ણ, નીલ, કાપોત, તેજલેશ્યા.
જ્યોતિષ અને વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો તથા કેટલાક ભવનપતિ વ્યંતરના દેવો. તેજોલેશ્યા લઇને આ વનસ્પતિકાય રૂપે ઉત્પન્ન થઇ શકે છે.
૮. ઇન્દ્રિય-૧. સ્પર્શના ઇન્દ્રિય.
૯. સમુદ્યાત-3. વેદના, કષાય, મરણ, અશાતા વેદનીયના ઉદયથી વેદના મરણના છેલ્લા અંતર્મુહૂર્ત મરણ અને પૂર્વભવમાં કોઇ જીવો આ વનસ્પતિનું આયુષ્ય બાંધ્યા પછી મરતી વખતે તીવ્ર કષાયના ઉદયમાં વિધમાન હોય અને મરણ પામી આ વનસ્પતિમાં ઉત્પન્ન થાય ત્યારે એક અંતર્મુહૂર્ત સુધી
Page 127 of 161
Page #128
--------------------------------------------------------------------------
________________
આ કષાયનો ઉદય હોય છે ત્યારે કષાય સમુદ્દાત હોય છે. બાકીના સમયે જીવોને કષાય સમુદ્દાત હોતો
નથી.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન.
૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૩. ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્પણ કાયયોગ. વિગ્રહગતિમાં કાર્મણ યોગ, અપર્યાપ્તાવસ્થામાં ઔદારિક મિશ્રયોગ અને પર્યાપ્ત અવસ્થામાં ઔદારિક યોગ હોય છે.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન.
૧૬. ઉપપાત - નિરંતર એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
૧૭. ચ્યવન - નિરંતર અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લક ભાવ પ્રમાણ ૨૫૬ આવલિકા પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૧૦ હજાર વર્ષ.
૧૯. પર્યાપ્તિ - આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ.
૨૦. કિમાહાર - ૬ દિશાનો હોય છે કારણ કે આ જીવો ત્રસનાડીમાં રહેલા હોય છે.
૨૧. સંજ્ઞી - હેતુવાદોપદેશિકી અક્ષરના અનંતમા ભાગ જેટલો ક્ષયોપશમ હોવાથી સૂક્ષ્મ સંજ્ઞા રૂપે
હોય છે.
૨૨. ગતિ - દશ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાં જાય છે.
૨૩. આગતિ - દશ દંડકમાંથી વનસ્પતિમાં આવે છે.
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાંથી આવે છે.
૨૪. વેદ-૧. નપુંસકવેદ ભાવથી ત્રણેય વેદ હોય છ.
૭. બેઇન્દ્રિય જીવોને વિષે વર્ણન :
૧. શરીર-૩. ઔદારિક, તૈજસ, કાર્મણ.
૨. અવગાહના - જઘન્ય, અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ- ૧૨ યોજન. (એક યોજન = ૮
માઇલ)
૩. સંઘયણ-૧. છેલ્લું છેવટું.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય.
૫. સંસ્થાન-૧. હડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
લોભ.
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા. ૮. ઇન્દ્રિય-૨. સ્પર્શના, રસના ઇન્દ્રિય.
Page 128 of 161
Page #129
--------------------------------------------------------------------------
________________
૯. સમુદ્ઘાત-૩. વેદના, કષાય, મરણ, અશાતા વેદનીયના ઉદયથી વેદના મરણના છેલ્લા અંતર્મુહૂર્તે મરણ સમુદ્દાત. પૂર્વભવે બેઇન્દ્રિયનું આયુષ્ય બાંધી મરતી વખતે તીવ્ર કષાયના ઉદયમાં મરણ પામી બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે વખતે એક અંતર્મુહૂર્ત કષાયનો ઉદય રહે છે. તે વખતે કષાય સમુદ્દાત હોય છે. બાકી જીવોને સમુદ્દાત (કષાય) હોતો નથી.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન. ૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૪. ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્મણ, અસત્યામૃષા વચનયોગ. વિગ્રહગતિમાં કાર્મણ, અપર્યાપ્તામાં ઔદારિક મિશ્ર મતાંતરે અસત્યા મૃષાવચન યોગ, પર્યાપ્તામાં ઔદારિક અસત્યામૃષા વચનયોગ.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક-બે સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થઇ શકે છે.
૧૭. ચ્યવન - એક સમયમાં એક બે સંખ્યાતા કે અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લક ભવ પ્રમાણ ૨૫૬ આવલિકા પ્રમાણ. ઉત્કૃષ્ટથી બાર વરસનું હોય છે.
૧૯. પર્યાપ્તિ-૫. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા.
૨૦. કિમાહાર - નિયમા છ દિશાનો હોય.
૨૧. સંજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી સંજ્ઞા.
૨૨. ગતિ - દશ દંડકમાં જાય. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાં જાય છે.
૨૩. આગતિ - દશ દંડકવાળા બેઇન્દ્રિય રૂપે થાય છે. (આવે છે.) પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની, સન્ની મનુષ્યમાંથી આવે છે.
૨૪. વેદ-૧. નપુંસકવેદ ભાવથી ત્રણેય વેદ હોય. ૮. તેઇન્દ્રિય દંડને વિષે વર્ણન :
૧. શરીર-૩. ઔદારિક, તૈજસ, કાર્મણ.
૨. અવગાહના - જઘન્ય. અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ- ૩ ગાઉ.
૩. સંઘયણ - છેલ્લું છેવકું.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦ અને ૧૬.
૫. સંસ્થાન-૧. હુડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા અને
લોભ.
Page 129 of 161
Page #130
--------------------------------------------------------------------------
________________
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત.
૮. ઇન્દ્રિય-૩. સ્પર્શના, રસના, ધ્રાણેન્દ્રિય.
૯. સમુદ્ઘાત-૩ વેદના કષાય, મરણ, અશાતા વેદનીયના ઉદયથી વેદના મરણના છેલ્લા અંતર્મુહૂર્તે મરણ. કોઇ જીવે તેઇન્દ્રિયનું આયુષ્ય બાંધી મરતી વખતે તીવ્ર કષાયમાં મરણ પામી તેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે એક અંતર્મુહૂર્ત કષાય રહે છે તે વખતે કષાય સમુદ્દાત હોય.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન.
૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૪. ઔદારિક, ઔદારિકમિશ્ર, કાર્મણ અને અસત્યામૃષા વચનયોગ વિગ્રહગતિમાં કાર્મણ યોગ. અપર્યાપ્તાવસ્થામાં ઔદારિક મિશ્ર મતાંતરે અસત્યામૃષા વચનયોગ પર્યાપ્તાવસ્થામાં ઔદારિક અને અસત્યામૃષા વચનયોગ.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય.
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ચ્યવે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લક ભવ પ્રમાણ ૨૫૬ આવલિકા ઉત્કૃષ્ટ ૪૯ દિવસ. ૧૯. પર્યાપ્તિ-૫. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા.
૨૦. કિમાહાર - નિયમા છ દિશિનો હોય છે.
૨૧. સંજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય.
૨૨. ગતિ - મરીને દશ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યોમાં જાય છે.
૨૩. આગતિ - દશ દંડકવાળા મરીને તેઇન્દ્રિયમાં આવે છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યોમાંથી આવે છે.
૨૪. વેદ-૧. નપુંસકવેદ ભાવથી ત્રણેય વેદ હોય છે. ૯. ચઉરીન્દ્રિય જીવોને વિષે :
૧. શરીર - ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર.
૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ - ૧ યોજન.
૩. સંઘયણ-૧. છેલ્લું છેવટ્ટુ.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬.
૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
લોભ.
Page 130 of 161
Page #131
--------------------------------------------------------------------------
________________
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ અને કાપોત.
૮. ઇન્દ્રિય-૪. સ્પર્શના, રસના, ધ્રાણ અને ચક્ષુરીન્દ્રિય.
૯. સમુદ્ઘાત-૩. વેદના, કષાય, મરણ, અશાતા વેદનીયના ઉદયથી વેદના. છેલ્લા અંતર્મુહૂર્તે મરણ. ચઉરીન્દ્રિયનું પહેલા આયુષ્ય બાંધી મરતી વખતે તીવ્ર કષાયના ઉદયમાં મનુષ્ય કે તિર્યંચ મરી ચઉરીન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે એક અંતર્મુહૂર્ત એ કષાય હોય છે. તે વખતે કષાય સમુદ્દાત હોય.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૨. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન.
૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૪. ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્મણ, અસત્યામૃષા વચનયોગ. વિગ્રહગતિમાં કાર્મણ અપર્યાપ્તાવસ્થામાં ઔદારિક મિશ્ર મતાંતરે અસત્યામૃષા વચનયોગ પર્યાપ્તાવસ્થામાં ઔદારિક અસત્યામૃષાવચન યોગ.
૧૫. ઉપયોગ-૪. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાત, અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લકભવ ૨૫૬ આવલિકા પ્રમાણ. ૧૯. પર્યાપ્તિ-૫. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા.
૨૦. કિમાહાર - નિયમા છ દિશિનો હોય.
૨૧. સંજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી.
૨૨. ગતિ - મરીને દશ દંડકમાં જાય. . પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાં જાય છે.
૨૩. આગતિ - દશ દંડકમાંથી ચઉરીન્દ્રિયમાં આવે છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ, અને અસન્ની સન્ની મનુષ્યમાંથી આવે છે.
૨૪. વેદ-૧. નપુંસક વેદ. ભાવથી ત્રણેય વેદો હોય છે. ૧૦. પંચેન્દ્રિય તિર્યંચ દડને વિષે :
૧. શરીર-૪. ઔદારિક, વૈક્રીય, તૈજસ અને કાર્મણ શરીર. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ - ૬ ગાઉ.
વૈક્રોય શરીરની જઘન્ય - અંગુલનો અસંખ્યાતમો ભાગ. ૩. સંઘયણ - ૬.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬.
૫. સંસ્થાન-૬.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
Page 131 of 161
Page #132
--------------------------------------------------------------------------
________________
લોભ.
૭. લેશ્યા-૬.
૮. ઇન્દ્રિયો-૫.
૯. સમુદ્ઘાત-૪. વેદના, કષાય, મરણ અને વૈક્રીય. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યદ્રષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-૩. ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શન.
૧૨. જ્ઞાન-૩. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન.
૧૩. અજ્ઞાન-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન.
૧૪. યોગ-૧૩. ૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રીય, વક્રીય મિશ્ર અને કાર્મણ કાયયોગ.
સામાન્ય રીતે પંચેન્દ્રિય તિર્યંચોને મોટે ભાગે અસત્યામૃષા મનયોગ અને અસત્યામૃષા વચનયોગ હોય છે. જ્યારે જે તિર્યંચોને જાતિસ્મરણ જ્ઞાન પેદા થયેલું હોય, અવધિજ્ઞાન પેદા થયેલું હોય એવા વિશિષ્ટ તિર્યંચોને ૪ મનનાં અને ૪ વચનનાં યોગ હોય છે.
વૈક્રીય શરીર બનાવનારા તિર્યંચોને વૈક્રીય મિશ્ર અને વૈક્રીય કાયયોગ હોય.
૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૩ દર્શન.
મિથ્યાદ્રષ્ટિઓને ૩ અજ્ઞાન અને ૩ દર્શન હોય. સમકીતી જીવોને ૩ જ્ઞાન અને ૩ દર્શન હોય છે.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય.
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્ત ક્ષુલ્લકભવ (૨૫૬ આવલિકા પ્રમાણ) ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ (ત્રણ પલ્યોપમ)
૧૯. પર્યાપ્તિઓ-૬.
૨૦. કિમાહાર - છએ દિશિનો હોય.
૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલીકી અને દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ-૨૪. દંડકમાં જાય છે. નારકી, પૃથ્વી આદિ-૫ વિકલેન્દ્રિય-૩ પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય ભવનપતિ-૧૦ વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક. વૈમાનિકમાં આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી જઇ શકે છે.
૨૩. આગતિ - ચોવીશ દંડકમાંથી તિર્યંચ રૂપે આવી શકે છે.
નારકી, પૃથ્વી આદિ-૫, વિકલેન્દ્રિય-૩ પંચે. તિર્યંચ, મનુષ્ય ભવનપતિ-૧૦ વ્યંતર જ્યોતિષ વૈમાનિકમાંથી આવે છે.
વૈમાનિકના સહસ્ત્રાર દેવલોક સુધીનાં દેવો તિર્યંચમાં આવી શકે છે. ૨૪. વેદ-૩. પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ. અસન્ની પંચેન્દ્રિય તિર્યંચોને વિષે :
૧. શરીર-૩. ઔદારિક, તૈજસ અને કાર્મણ.
૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ એક હજાર યોજન.
૩. સંઘયણ-૧. છેલ્લું છેવટ્ટુ અથવા છએ હોય.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ ૬-૧૦ અથવા ૧૬.
Page 132 of 161
Page #133
--------------------------------------------------------------------------
________________
૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન અથવા ૬ સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા અને
લોભ.
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત.
૮. ઇન્દ્રિય - પાંચ.
૯. સમુદ્ઘાત-૩. વેદના, કષાય, મરણ. ૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૨. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન. ૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૪. ઔદારિક, ઔદારિકમિશ્ર કાર્યણ, અસત્યામૃષા વચનયોગ. ૧૫. ઉપયોગ-૪. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, ચક્ષુ. અચક્ષુદર્શન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય.
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવે પામે.
૧૮. સ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્ત ક્ષુલ્લકભવ ૨૫૬ આવલિકા. ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વરસ. ૧૯. પર્યાપ્તિ - ૬ હોય છે.
૨૦. કિમાહાર - છ દિશિનો આહાર.
૨૧. સંજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી.
૨૨. ગતિ-૨૩. દંડકમાં જાય છે. વૈમાનિક દંડક સિવાય.
૨૩. આગતિ - દશ દંડકમાંથી આવે છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાંથી આવે છે. ૨૪. વેદ-૧. નપુંસક વેદ. ભાવથી ત્રણેય વેદ હોય.
અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને વિષે :
૧. શરીર-૩. ઔદારિક, તૈજસ અને કાર્મણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ - ૬ ગાઉ. ૫૬ અંતર્દીપમાં ૧૬૦૦ ધનુષ.
૩. સંઘયણ-૧. પહેલું સંઘયણ. ૫૬ અંતર્વીપમાં ત્રીજું સંઘયણ.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય.
૫. સંસ્થાન-૧. પહેલું સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
લોભ.
૭. લેશ્યા-૪. કાપોત, તેજો, પદ્મ, શુક્લ. આ જીવો પદ્મ અને શુક્લ લેશ્યામાં આયુષ્યનો બંધ કરતાં નથી કારણ કે પોતાનું ભોગવાતું જેટલું આયુષ્ય હોય છે એટલા જ આયુષ્યવાળા દેવનું આયુષ્ય બાંધી શકે છે અથવા એથી ઓછું આયુષ્ય બાંધી શકે છે માટે જ્યોતિષ સુધીનું આયુષ્ય બાંધતા હોવાથી ત્યાં સુધી તેજો
Page 133 of 161
Page #134
--------------------------------------------------------------------------
________________
લેશ્યા જ હોય છે આથી પદ્મ અને શુક્લ લેગ્યામાં આયુષ્યનો બંધ થતો નથી.
૮. ઇન્દ્રિય - પાંચ. ૯. સમુઘાત - પ્રાયઃ એક હોતો નથી. કારણ વેદના હોતી નથી. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ. ૧૧. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન. ૧૨. જ્ઞાન-૨. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન હોતું નથી. ૧૩. દર્શન-૨. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન.
૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, દારિક, દારિક મિશ્ર, કાર્મણ, વિગ્રહગતિમાં કાર્પણ કાયયોગ, અપર્યાપ્તાવસ્થામાં દારિક મિશ્ર, દારિક. પર્યાપ્તામાં-૯.૪ મનનાં, ૪ વચનનાં, દારિક. ૧૫. ઉપયોગ-૬. ૨ અજ્ઞાન, ૨ જ્ઞાન, ૨ દર્શન.
સકીતી જીવોને-૪. ૨ જ્ઞાન, ૨ દર્શન. મિથ્યાદ્રષ્ટિ જીવોને-૪. ૨ અજ્ઞાન, ૨ દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ જઘન્ય એક અંતર્મુહૂર્ત મતાંતરે હોય.
ઉત્કૃષ્ટથી ૩ પલ્યોપમ પ૬ અંતર્ધ્વપમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. ૧૯. પર્યાપ્તિ-૬. ૨૦. કિમાહાર - નિયમા છ દિશિનો. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી. ૨૨. ગતિ - આ જીવો તેર દંડકમાં જાય છે. ભવનપતિ-૧૦. વ્યંતર અને જ્યોતિષ વૈમાનિક.
૨૩. આગતિ - બે દંડકવાળા જીવો આવે છે. સન્ની પર્યાપ્તા તિર્યંચો અને પ૬ અંતરઊઁપના અસન્ની પર્યાપ્તા તિર્યંચો પણ આવી શકે છે.
પર્યાપ્તા સન્ની મનુષ્યો આ તિર્યંચમાં આવી શકે છે.
વેદ-૨. પુરૂષવેદ, સ્ત્રીવેદ. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને વિષે
૧. શરીર-૪. દારિક, વક્રીય, તેજસ અને કાર્પણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ.
ઉત્કૃષ્ટ - એક હજાર યોજના ૩. સંઘયણ - ૬. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મેથુન, પરિગ્રહ ૬-૧૦ અને ૧૬. ૫. સંસ્થાન-૬.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા, લોભ.
૭. લેશ્યા-૬.
Page 134 of 161
Page #135
--------------------------------------------------------------------------
________________
૮. ઇન્દ્રિય-૫.
૯. સમુદ્ઘાત-૪. વેદના, કષાય, મરણ અને વૈક્રીય. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યદ્રષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-૩. ચક્ષુદ્શન, અચક્ષુદર્શન અવધિદર્શન.
૧૨. જ્ઞાન-૩. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન.
૧૩. અજ્ઞાન-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન.
૧૪. યોગ-૧૩. ૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્મણ
કાયયોગ.
વિગ્રહગતિમાં કાર્મણ કાયયોગ. અપર્યાપ્તામાં ઔદારિક મિશ્ર:પર્યાપ્તામાં ૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિક કાયયોગ. જે જીવોને જાતિસ્મરણ જ્ઞાન હોય, અવધિજ્ઞાન પેદા થયેલું હોય પણ જે જીવોને આવું વિશિષ્ટ જ્ઞાન હોતું નથી એવા જીવોને ૧ અસત્યામૃષામનયોગ, અસત્યામૃષાવચનયોગ, ઔદારિકકાયયોગ હોય છે. વૈક્રીય લબ્ધિવાળા તિર્યંચોને વૈક્રીય મિશ્ર અને વૈક્રીય કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન.
સમકીતી જીવોને ૩ જ્ઞાન અને ૩ દર્શન.
3
મિથ્યાદ્રષ્ટિ જીવોને ૩ અજ્ઞાન અને ૩ દર્શન હોય છે.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્ત ક્ષુલ્લકભવ ૨૫૬ આવલિકા ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વરસ. ૧૯. પર્યાપ્તિ - ૬.
૨૦. કિમાહાર - નિયમા છ દિશીનો.
૨૧. સંજ્ઞા-૨. દીર્ઘકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ - ચોવીશે દંડકમાં જાય છે. નારકી પૃથ્વીકાયાદિ-૫, વિકલેન્દ્રિય-૩ અસન્ની સન્ની તિર્યંચ અસન્ની સન્ની મનુષ્ય ૧૦ ભવનપતિ વ્યંતર-જ્યોતિષ અને વૈમાનિક.
૨૩. આગતિ - ચોવીશ દંડકવાળા જીવો આ તિર્યંચમાં આવે છે. વૈમાનિકના આઠમા સહસ્ત્રાર સુધી દેવલોકને વિષે જાય છે અને ત્યાંથી તિર્યંચમાં આવે છે.
૨૪. વેદ-૩. પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ ત્રણેય હોય છે. ૧૧. મનુષ્ય દંડક્ને વિષે
૧. શરીર-૫. ઔદારિક, વૈક્રીય, આહારક, તૈજસ અને કાર્મણ.
૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ.
ઉત્કૃષ્ટ - ૩ ગાઉ.
વૈક્રીય શરીરની જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ લાખ યોજનથી કાંઇક અધિક. આહારક શરીર. જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ.
ઉત્કૃષ્ટ - એક હાથ.
૩. સંઘયણ - ૬.
Page 135 of 161
Page #136
--------------------------------------------------------------------------
________________
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મેથુન, પરિગ્રહ ૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન – ૬.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન, ક્રોધ, માન, માયા, લોભ.
૭. વેશ્યા - ૬. ૮. ઇન્દ્રિય – ૫. ૯. સમુદ્યાત-૭. વેદના, કષાય, મરણ, વક્રીય, તેજસ, આહારક અને કેવલી સમુદ્ધાત. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-૪. ચક્ષુ, અચકું, અવધિ, કેવલ દર્શન. ૧૨. જ્ઞાન-૫. ૧૩. અજ્ઞાન-3. ૧૪. યોગ-૧૫. ૧૫. ઉપયોગ-૧૨. ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ દર્શન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે સામાન્યથી. અસન્ની. મનુષ્યોની અપેક્ષાએ અસંખ્યાતા લીધેલ છે.
- ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવે છે. અસન્ની મનુષ્યોની અપેક્ષાએ અસંખ્યાતા લીધેલ છે.
૧૮. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ક્ષુલ્લકભવ ૨૫૬ આવલિકા ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ. ૧૯. પર્યાપ્તિ-૬. ૨૦. કિમાહાર - નિયમા છ દિશિનો. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી. ૨૨. ગતિ- ચોવીશે દંડકમાં જાય છે. ૨૩. આગતિ – ૨૨ દંડકમાંથી મનુષ્યમાં આવે છે.
નારકી, પૃથ્વી, અપ, વનસ્પતિ, વિકલેન્દ્રિય-૩ અન્ની સન્ની તિર્યચ, અસન્ની સન્ની મનુષ્ય, ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક. (તેઉકાય, વાયુકાય સિવાયના ૨૨ જાણવા.)
તેઉકાય, વાયુકાયમાંથી જીવ મનુષ્ય થતાં નથી.
૨૪. વેદ-૩. પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોને વિષે
૧. શરીર-૩. દારિક, તેજસ, કામણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ.
| ઉત્કૃષ્ટ 3 ગાઉ. ૩. સંઘયણ - પહેલું, બીજું અને ત્રીજું. ૪. સંજ્ઞા-૪, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય. ૫. સંસ્થાન - પહેલું સમચતુરસ્ત્ર.
Page 136 of 161
Page #137
--------------------------------------------------------------------------
________________
૬. કષાય-૪. અભ કષાયી હોય. ૭. વેશ્યા-૪. કાપોત. તેજો, પદ્મ, શુક્લ.
આ જીવો પદ અને શુક્લ લેગ્યામાં આયુષ્યનો બંધ કરતાં નથી કારણ કે પોતાનું જેટલું આયુષ્ય હોય એટલું દેવલોકનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે છે અને જઘન્ય દશ હજાર વરસનું બાંધી શકે છે માટે એ આયુષ્ય તેજોલેશ્યામાં જ બંધાય, આગળની લેગ્યામાં નહી.
૮. ઇન્દ્રિય - ૫. ૯. સમુદ્યાત - એક પણ હોતા નથી. અભકષાયી હોવાથી. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ. ૧૧.દર્શન-૨, ચક્ષુ, અચક્ષુ. ૧૨. જ્ઞાન-૨. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન. ૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન. ૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, દારિક, દારિક મિશ્ર, કાર્મણ. ૧૫. ઉપયોગ-૬. ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન. સમકીતી જીવોને – ૨ જ્ઞાન અને ૨ દર્શન. મિથ્યાદ્રષ્ટિ જીવોને - ૨ અજ્ઞાન અને ૨ દર્શન હોય છે. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા ચ્યવને પામે છે. ૧૮. સ્થિતિ - જઘન્ય. મતાંતરે એક અંતર્મુહુર્ત.
ઉત્કૃષ્ટ - ૩ પલ્યોપમ. ૧૯. પર્યાપ્તિ-૬. ૨૦. કિમાહાર - છ દિશિનો આહાર. ૨૧. સજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી. ૨૨. ગતિ - ૧૩ દંડકમાં જાય છે. ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક. ૨૩. આગતિ - બે દંડકમાંથી આવે છે.
સન્ની પર્યાપ્તા તિર્યંચો અને સન્ની પર્યાપ્તા મનુષ્યોમાંથી આવે છે તથા પ૬ અંતર દ્વીપને વિષે અસન્ની. પર્યાપ્તા તિર્યચોમાંથી પણ આવી શકે છે. ૨૪. વેદ-૨. પરૂષવેદ અને સ્ત્રીવેદ.
નપુંસકવેદ હોતો નથી. અસન્ની અપર્યાપ્તા મનુષ્યોને વિષે
૧. શરીર-૩. દારિક, તેજસ, કામણ. ૨. અવગાહના - અંગુલનો અસંખ્યાતમો ભાગ. ૩. સંઘયણ-૧. છેવટુ સંઘયણ. ૪. સંજ્ઞા-૪, આહાર, ભય, મેથુન, પરિગ્રહ ૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. હુંડક.
Page 137 of 161
Page #138
--------------------------------------------------------------------------
________________
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
લોભ.
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત.
૮. ઇન્દ્રિય-૫.
૯. સમુદ્ઘાત-૩. વેદના, કષાય, મરણ.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૨. ચક્ષુ, અચક્ષુ.
૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૪. ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્મણ, અસત્યામૃષા વચનયોગ.
૧૫. ઉપયોગ-૪. ૨ અજ્ઞાન, ૨ દર્શન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા.
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય. ઉષ્ટથી એક અંતર્મુહૂર્ત. ક્ષુલ્લક ભવ પ્રમાણ.
૧૯. પર્યાપ્તિ - ૫. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા. ૨૦. કિમાહાર - નિયમા છ દિશિનો.
૨૧. સંજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી.
૨૨. ગતિ - દશ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાં જાય છે.
૨૩. આગતિ - આઠ દંડકમાંથી આવે છે. પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાંથી આવે છે. તેઉકાય વાયુકાયમાંથી જીવો મનુષ્ય થતાં ન હોવાથી અસન્ની મનુષ્યમાં આવતાં નથી.
૨૪. વેદ-૧. નપુંસકવેદ ભાવથી ત્રણેય વેદ હોય છે. સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યોને વિષે :
૧. શરીર-૫. ઔદારિક, વૈક્રીય, આહારક, તૈજસ, કાર્મણ.
૨. અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ૩ ગાઉ. ૩. સંઘયણ-૬.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ૬-૧૦ અને ૧૬.
૫. સંસ્થાન-૬.
૬. કપાય-૪.
૭. લેશ્યા-૬.
૮. ઇન્દ્રિય-૫.
૯. સમુદ્ઘાત-૭. ૧૦. દ્રષ્ટિ-૩.
Page 138 of 161
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧. દર્શન-૪. ૧૨. જ્ઞાન – ૫. ૧૩. અજ્ઞાન-3. ૧૪. યોગ-૧૫. ૧૫. ઉપયોગ-૧૨. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા જીવો ઉત્પન્ન થાય. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લકભવ ૨૫૬ આવલિકા. ઉત્કૃષ્ટ પૂર્વકોડ વર્ષ. ૧૯. પર્યાપ્તિ૬. ૨૦. હિમાહાર - નિયમા છ દિશિનો હોય. ૨૧. સંજ્ઞા-૨. દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી. ૨૨. ગતિ - ચોવીશ દંડકમાં જાય છે. ૨૩. આગતિ – ૨૨ દંડકવાળા જીવો આવે છે.
(તેઉકાય, વાયુકાયા સિવાયના) નારકી, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યચ, અસન્ની સન્ની મનુષ્ય. ભવનપતિના દશ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવલોકવાળા જીવો આવે છે.
વેદ-૩. પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ હોય છે.
સ્ત્રીવેદવાળાને આહારક શરીર હોતું નથી ચોદપર્વભણી શકતા નથી પણ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન હોઇ શકે છે.
ત્રણેય વેદવાળા જીવો ક્ષપકશ્રેણિ માંડી અવેદી થઇ કેવલજ્ઞાન પામી શકે છે. ૧૨. ભવનપતિમાં અસુરકુમાર દેવના દંડળે વિષે ઃ
૧. શરીર-૩. વૈક્રીય, તેજસ અને કાર્પણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ-૭ હાથ. ૩. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મિથુન, પરિગ્રહ ૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. પહેલું સમચતુરસ્ત્ર. ૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા, લોભ. ૭. લેશ્યા-૪. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો. ૮. ઇન્દ્રિય-૫. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, તેજસ અને વક્રીય. ૧૦. દ્રષ્ટિ-૩. ૧૧. દર્શન-3. ૧૨. જ્ઞાન - 3. ૧૩. અજ્ઞાન-3.
Page 139 of 161
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્પણ કાયયોગ. ૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન.
સમકીતી જીવોને ૩ જ્ઞાન, ૩ દર્શન.
મિથ્યાદ્રષ્ટિ જીવોને ૩ અજ્ઞાન, ૩ દર્શન હોય.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય દશ હજાર વર્ષ. ઉત્કૃષ્ટ એક સાગરોપમથો અધિક. ૧૯. પર્યાપ્તિ - ૬.
૨૦. કિમાહાર - નિયમા છ દિશિનો.
૨૧. સંજ્ઞી-૨. દીર્ઘકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ - પાંચ દંડકમાં જાય. પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય. સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યમાં જાય.
૨૩. આગતિ - બે દંડકમાંથી આવે. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચ. સન્ની પર્યાપ્તા તિર્યંચ અને સન્ની પર્યાપ્તા મનુષ્યમાંથી આવે.
૨૪. વેદ-૨. પુરૂષવેદ અને સ્ત્રીવેદ હોય છે.
૧૩ થી ૨૧ ભવનપતિના બાકીના નવ દંડકોને વિષે :
૧. શરીર-૩. વૈક્રીય, તૈજસ, કાર્મણ.
૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ- 9 હાથ.
૩. સંઘયણ - નથી.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. ૬-૧૦ અથવા ૧૬.
૫. સંસ્થાન-૧. સમચતુરસ્ર.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
લોભ.
૭. લેશ્યા-૪.
૮. ઇન્દ્રિય-૫.
૯. સમુદ્ઘાત-૫. વેદના, કષાય, મરણ, વૈક્રીય અને તૈજસ.
૧૦. દ્રષ્ટિ-૩.
૧૧. દર્શન-૩.
૧૨. જ્ઞાન - ૩.
૧૩. અજ્ઞાન-૩.
૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીયમિશ્ર, કાર્મણ કાયયોગ.
૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન.
કૃષ્ણ,
નીલ, કાપોત, તેજો.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે.
Page 140 of 161
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૮. સ્થિતિ - જઘન્ય દશ હજાર વર્ષ. ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમમાં કાંઇક ન્યૂન. ૧૯. પર્યાપ્તિ-૬. ૨૦. કિસાહાર - નિયમા છ દિશિનો હોય.. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ - મરીને પાંચ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, સન્ની પર્યાપ્તા. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાં જાય છે.
૨૩. આગતિ - બે દંડકમાંથી આવે છે. અસન્ની પર્યાપ્તા તિર્યંચોમાંથી તથા સંખ્યાત વર્ષના. આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યો આવે છે.
૨૪. વેદ-૨. પુરૂષવેદ અને સ્ત્રીવેદ. ૨૨. વ્યંતર જાતિના દેવોના દંડક્ત વિષે:
૧. શરીર-૩. વક્રીય, તેજસ, કાર્પણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ- ૭ હાથ. 3. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા-૪, આહાર, ભય, મેથુન, પરિગ્રહ. ૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. પહેલું સમચતુરસ્ત્ર.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા, લોભ.
૭. લેશ્યા-૪. કૃષ્ણ, નીલ, કાપોત, તેજોલેશ્યા. ૮. ઇન્દ્રિય-૫. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય અને તેજસ. ૧૦. દ્રષ્ટિ-૩. ૧૧. દર્શન-૩. ૧૨. જ્ઞાન - 3. ૧૩. અજ્ઞાન-3. ૧૪. યોગ-૧૧.૪ મનનાં, ૪ વચનનાં, વક્રીય, વક્રીય મિશ્ર, કાર્પણ કાયયોગ. ૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ - જઘન્ય દશ હજાર વર્ષ. ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમ. ૧૯. પર્યાપ્તિ - ૬. ૨૦. હિમાહાર - છ દિશિનો નિયમા હોય છે. ૨૧. સંજ્ઞી - દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ - મરીને પાંચ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, સન્ની પર્યાપ્તા. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાં જાય છે.
Page 141 of 161
Page #142
--------------------------------------------------------------------------
________________
૨૩. આગતિ - બે દંડકમાંથી આવે છે. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો સન્ની પર્યાપ્તા તિર્યંચો તથા સન્ની પર્યાપ્તા મનુષ્યો આવે છે.
વેદ-૨. પુરૂષવેદ અને સ્ત્રીવેદ. ૨૩. જ્યોતિષી દેવોના દંડક્ત વિષે :
૧. શરીર-૩. વૈક્રીય, તેજસ, કાર્મણ. ૨. અવગાહના - અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ 9 હાથ. 3. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મેથુન, પરિગ્રહ. ૬, ૧૦ અને ૧૬. ૫. સંસ્થાન-૧. સમજુતરસ્ત્ર.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા, લોભ.
9. ઇન્દ્રિય-૫. ૮. ગ્લેશ્યા-૪. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય, તેજસ. ૧૦. દ્રષ્ટિ-3. ૧૧. દર્શન-3. ૧૨. જ્ઞાન - ૩. ૧૩. અજ્ઞાન-૩. ૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વક્રીય, વૈક્રીય મિશ્ર, કામણ, ૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, 3 અજ્ઞાન, ૩ દર્શન. સમકીતી જીવોને 3 જ્ઞાન, ૩ દર્શન. મિથ્યાદ્રષ્ટિ જીવોને 3 અજ્ઞાન, ૩ દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ - જઘન્ય દશ હજાર વરસ. ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમ. ૧૯. પર્યાપ્તિ - ૬. ૨૦. કિમાહાર - નિયમા છ દિશાનો. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ - પાંચ દંડકમાં જાય. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યચ-મનુષ્ય.
૨૩. આગતિ – બે દંડકવાળા આવે. અસન્ની પંચેન્દ્રિય તિર્યંચો સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યો આવે છે.
વેદ-૨. પુરૂષવેદ અને સ્ત્રીવેદ. ૨૩. જ્યોતિષનો દંડકઃ
Page 142 of 161
Page #143
--------------------------------------------------------------------------
________________
૧. શરીર-૩. વેક્રીય, તેજસ, કાર્પણ. ૨. અવગાહના - અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૭ હાથ. 3. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મિથુન, પરિગ્રહ ૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. સમયુતરસ્ત્ર.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન, ક્રોધ, માન, માયા, લોભ.
૭. ઇન્દ્રિય-૫. ૮. વેશ્યા-૧. તેજલેશ્યા. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય, તેજસ. ૧૦. દ્રષ્ટિ-૩. ૧૧. દર્શન-૩. ૧૨. જ્ઞાન - ૩. ૧૩. અજ્ઞાન-૩. ૧૪. યોગ-૧૧.૪ મનનાં, ૪ વચનનાં, વક્રીય, વક્રીય મિશ્ર, કાર્મણ, ૧૫. ઉપયોગ-૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. સમકીતી જીવોને ૩ જ્ઞાન, ૩ દર્શન. મિથ્યાદ્રષ્ટિ જીવોને 3 અજ્ઞાન, 3 દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય. ૧૭. ચ્યવન – એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ જઘન્ય દશહજાર વર્ષ. ઉત્કૃષ્ટ ૧૫ પલ્યોપમ + ૧ લાખ વર્ષ. ૧૯. પર્યાપ્તિ-૬. ૨૦. કિસાહાર - છ દિશાનો નિયમા. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ – પાંચ દંડકમાં જાય. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય. સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્ય.
૨૩. આગતિ - બે દંડકમાંથી આવે. સન્ની પર્યાપ્તા તિર્યંચ અને મનુષ્ય તથા અસન્ની પર્યાપ્તા તિર્યંચો આવે છે.
વેદ-૨. પુરૂષવેદ, ત્રીવેદ. ૨૪. વૈમાનિન્નો દંડક પહેલા-બીજા દેવલોક્ન વિષે:
૧. શરીર - વેક્રીય, તેજસ, કાર્પણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૭ હાથ. ૩. સંઘયણ - નથી.
Page 143 of 161
Page #144
--------------------------------------------------------------------------
________________
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ ૬-૧૦ અથવા ૧૬.
૫. સંસ્થાન-૧. સમચુતરસ્ર.
૬. કપાય-૪.
૭. લેશ્યા-૧. તેજોલેશ્યા.
૮. ઇન્દ્રિય-૫.
૯. સમુદ્ઘાત-૫. વેદના, કષાય, મરણ, વૈક્રીય, વૈજસ.
૧૦. દ્રષ્ટિ-૩.
૧૧. દર્શન-૩.
૧૨. જ્ઞાન - ૩.
૧૩. અજ્ઞાન-3.
૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્મણ.
૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન.
સમકીતી જીવોને ૩ જ્ઞાન, ૩ દર્શન.
મિથ્યાદ્રષ્ટિ જીવોને ૩ અજ્ઞાન, ૩ દર્શન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય.
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય ૧ પલ્યોપમ. ઉત્કૃષ્ટ ૧ સાગરોપમ ઇશાન દેવોને એથી અધિક હોય. ૧૯. પર્યાપ્તિ - ૬.
૨૦. કિમાહાર - નિયમા છ દિશાનો.
૨૧. સંજ્ઞા-૨. દીર્ઘકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ - પાંચ દંડકમાં જાય. પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો-મનુષ્યો.
૨૩. આગતિ - બ દંડકમાંથી આવે છે. સન્ની તિર્યંચો અને મનુષ્યોમાંથી આવે છે.
વેદ-૨. પુરૂષવેદ, સ્ત્રીવેદ.
વૈમાનિક્ના ત્રીજા ચોથા દેવલોક્ના દંડને વિષે :
૧. શરીર-૩. વૈક્રીય, તૈજસ, કાર્મણ.
૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૬ હાથ.
૩. સંઘયણ - નથી.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ ૬-૧૦ અથવા ૧૬.
૫. સંસ્થાન-૧. સમચુતરસ્ત્ર.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
લોભ.
૭. લેશ્યા-૧. પદ્મલેશ્યા.
૮. ઇન્દ્રિય-૫.
Page 144 of 161
Page #145
--------------------------------------------------------------------------
________________
૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વૈક્રીય, તેજસ. ૧૦. દ્રષ્ટિ-૩. ૧૧. દર્શન-૩. ૧૨. જ્ઞાન - 3. ૧૩. અજ્ઞાન-૩. ૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વક્રીય, વક્રીય મિશ્ર, કાર્મણ, ૧૫. ઉપયોગ-૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. સમીતી જીવોને ૩ જ્ઞાન, ૩ દર્શન. મિથ્યાદ્રષ્ટિ જીવોને 3 અજ્ઞાન, 3 દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય. ૧૭. ચ્યવન – એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ - સાત સાગરોપમ સાધિક. ૧૯. પર્યાપ્તિ- ૬. ૨૦. કિમાહાર - નિયમા છ દિશાનો. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ – બે દંડકમાં જાય. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યોમાં જાય.
૨૩. આગતિ - બે દંડકમાંથી આવે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યોમાંથી આવે છે.
૨૪. વેદ-૧. પુરૂષ વેદ હોય. વૈમાનિક્ના પાંચમા દેવલોક અને છઠ્ઠા દેવલોક્ના દંડળે વિષે
૧. શરીર-૩. વક્રીય, તેજસ, કાર્પણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૫ હાથ. 3. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મેથુન, પરિગ્રહ ૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. સમયુતરસ્ત્ર.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન, ક્રોધ, માન, માયા, લોભ.
૭. વેશ્યા-૧. પાલેશ્યા. ૮. ઇન્દ્રિય-૫. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય, તેજસ, ૧૦. દ્રષ્ટિ-૩. ૧૧. દર્શન-૩. ૧૨. જ્ઞાન - 3.
Page 145 of 161
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩. અજ્ઞાન-3. ૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કામણ. ૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. સમકીતી જીવોને 3 જ્ઞાન, ૩ દર્શન. મિથ્યાદ્રષ્ટિ જીવોને 3 અજ્ઞાન, ૩ દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય. ૧૭. ચ્યવન – એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ - પાંચમા દેવલોકની ૧૦ સાગરોપમ.
છઠ્ઠા દેવલોકની ૧૪ સાગરોપમ. ૧૯. પર્યાપ્તિ -૬. ૨૦. કિમીહાર - નિયમા છ દિશાનો. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ - બે દંડકમાં જાય. સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાં જાય છે.
૨૩. આગતિ - બે દંડકમાંથી આવે છે. સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાંથી આવે છે.
વેદ-૧. પુરૂષવેદ હોય છે. વૈમાનિન્ના સાતમા અને આઠમા દેવલોક્ના દંડને વિષે :
૧. શરીર-૩. વક્રીય, તેજસ, કાર્પણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૪ હાથ. 3. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ ૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. સમયુતરસ્ત્ર.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંલન, ક્રોધ, માન, માયા, લોભ.
૭. લેશ્યા-૧. શુક્લ લેગ્યા. ૮. ઇન્દ્રિય-૫. ૯. સમુઘાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય, તેજસ, ૧૦. દ્રષ્ટિ-૩. ૧૧. દર્શન-૩. ૧૨. જ્ઞાન - 3. ૧૩. અજ્ઞાન-૩. ૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વક્રીય, વક્રીય મિશ્ર, કામણ. ૧૫. ઉપયોગ-૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન.
Page 146 of 161
Page #147
--------------------------------------------------------------------------
________________
સમકીતી જીવોને ૩ જ્ઞાન, ૩ દર્શન. મિથ્યાદ્રષ્ટિ જીવોને ૩ અંજ્ઞાન, ૩ દર્શન. ૧૬. ઉપરાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય. ૧૭. ચ્યવન – એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ - સાતમા દેવલોકની ૧૦ સાગરોપમ.
આઠમા દેવલોકની ૧૮ સાગરોપમ. ૧૯. પર્યાપ્તિ-૬. ૨૦. કિમાહાર - નિયમા છ દિશાનો. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ - બે દંડકમાં જાય. સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાં જાય.
૨૩. આગતિ - બે દંડકમાંથી આવે, સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાંથી આવે છે.
વેદ-૧. પુરૂષ વેદ હોય છે. વૈમાનિક્તા નવથી બાર દેવલોક્ના દંડળે વિષે :
૧. શરીર-૩. વક્રીય, તેજસ, કામણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૩ હાથ. ૩. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા- ૪-૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. સમચતરસ્ત્ર. ૬. કષાય-૪. ૭. વેશ્યા-૧. શુક્લ લેગ્યા. ૮. ઇન્દ્રિય-૫. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વૈક્રીય, તેજસ. ૧૦. દ્રષ્ટિ-૩. ૧૧. દર્શન-3. ૧૨. જ્ઞાન - 3. ૧૩. અજ્ઞાન-૩. ૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વક્રીય, વક્રીય મિશ્ર, કાર્પણ. ૧૫. ઉપયોગ-૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. સમકતી જીવોને 3 જ્ઞાન, ૩ દર્શન. મિથ્યાદ્રષ્ટિ જીવોને 3 અજ્ઞાન, ૩ દર્શન, ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા. ૧૭. ચ્યવન – એક સમયમાં એક, બે, સંખ્યાતા.
Page 147 of 161
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૮. સ્થિતિ - નવમા દેવલોકની ૧૯ સાગરોપમ.
દશમા દેવલોકની ૨૦ સાગરોપમ. અગ્યારમા દેવલોકની ૨૧ સાગરોપમ.
બારમા દેવલોકની ૨૨ સાગરોપમ. ૧૯. પર્યાતિ-૬. ૨૦. કિમીહાર - નિયમા છ દિશાનો. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી. ૨૨. ગતિ - એક દંડકમાં જાય સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં જાય. ૨૩. આગતિ - એક દંડકમાંથી આવે. સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાંથી આવે.
૨૪. વેદ-૧. પુરૂષવેદ. નવગ્રેવેયક દેવોના દંડક્ત વિષે :
૧. શરીર-૩. વક્રીય, તેજસ, કાર્પણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૨ હાથ. 3. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા- ૪-૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. સમયુતરસ્ત્ર. ૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાની, સંજ્વલન, ક્રોધ, માન, માયા, લોભ. ૭. લેશ્યા-૧. શુક્લ લેગ્યા. ૮. ઇન્દ્રિય-૫. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય, તેજસ, છેલ્લા બેનો ઉપયોગ હોતો નથી. ૧૦. દ્રષ્ટિ-૩. ૧૧. દર્શન-3. ૧૨. જ્ઞાન - ૩. ૧૩. અંજ્ઞાન-૩. ૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વક્રીય, વૈક્રીય મિશ્ર, કામણ. ૧૫. ઉપયોગ-૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા ઉત્પન્ન થાય. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા ચ્યવે છે.
૧૮. સ્થિતિ - પહેલા ગ્રેવેયકની- ૨૩, બીજાની- ૨૪, ત્રીજાની- ૨૫, ચોથાની- ૨૬, પાંચમાની- ૨૭, છઠ્ઠાની- ૨૮, સાતમાની-૨૯, આઠમાની-૩૦, નવમાની- ૩૧ સાગરોપમની હોય છે.
૧૯. પર્યાપ્તિ -૬. ૨૦. કિમીહાર - છ દિશાનો નિયમા. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી.
Page 148 of 161
Page #149
--------------------------------------------------------------------------
________________
૨૨. ગતિ - એક દંડકમાં જાય. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાં. ૨૩. આગતિ - એક દંડકમાંથી આવે છે.
સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાંથી આવે છે. ૨૪. વેદ-૧. પુરૂષવેદ હોય છે. પાંચ અનુત્તર દેવોના દંડક્ને વિષે
૧. શરીર-૩. વૈક્રીય, તૈજસ, કાર્મણ.
૨. અવગાહન - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ-૧ હાથ.
૩. સંઘયણ - નથી.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ ૬-૧૦ અથવા ૧૬.
૫. સંસ્થાન-૧. સમચુતરસ્ર.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
લોભ.
૭. લેશ્યા-૧. શુક્લ લેશ્યા.
૮. ઇન્દ્રિય - પાંચ.
૯. સમુદ્ઘાત-૫. વેદના, કષાય, મરણ, વૈક્રીય, તૈજસ.
૧૦. દ્રષ્ટિ-૧. સમ્યદ્રષ્ટિ.
૧૧. દર્શન-૩. ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શન.
૧૨. જ્ઞાન - ૩. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન.
૧૩. અજ્ઞાન - નથી.
૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્યણ.
૧૫. ઉપયોગ-૬. ૩ જ્ઞાન અને ૩ દર્શન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે કે સંખ્યાતા.
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે કે સંખ્યાતા.
૧૮. સ્થિતિ - ચાર અનુત્તરમાં જઘન્ય ૩૧ સાગરોપમ ઉત્કૃષ્ટ-૩૩ સાગરોપમ સર્વાર્થ સિધ્ધિમાં ઉત્કૃષ્ટ-૩૩ સાગરોપમ.
૧૯. પર્યાપ્તિ-૬.
૨૦. કિમાહાર - નિયમા છ દિશાનો.
૨૧. સંજ્ઞી-૨. દીર્ઘકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ - એક દંડકમાં જાય. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાં જાય છે.
૨૩. આગતિ - એક દંડકમાંથી આવે છે.
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાંથી આવે છે. ૨૪. વેદ-૧. પુરૂષવેદ.
પહેલા કિલિપીયા દેવોના દંડક્તે વિષે :
Page 149 of 161
Page #150
--------------------------------------------------------------------------
________________
૧. શરીર-૩. વૈક્રીય, તૈજસ, કાર્મણ.
૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૭ હાથ. ૩. સંઘયણ - નથી.
૪. સંજ્ઞા- ૪-૬-૧૦ અને ૧૬.
૫. સંસ્થાન-૧. સમચુતરસ્ર.
૬. કષાય-૪.
૭. લેશ્યા-૧. તેજો લેશ્યા.
૮. ઇન્દ્રિય-૫.
૯. સમુદ્ઘાત-૫. વેદના, કષાય, મરણ, વૈક્રીય, તૈજસ.
૧૦. દ્રષ્ટિ-૩.
૧૧. દર્શન-૩.
૧૨. જ્ઞાન - ૩.
૧૩. અજ્ઞાન-૩.
૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્મણ.
૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા.
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા.
૧૮. સ્થિતિ - ૩ પલ્યોપમ.
૧૯. પર્યાપ્તિ - ૬.
૨૦. કિમાહાર - છ દિશાનો આહાર નિયમ.
૨૧. સંજ્ઞી-૨. દીર્ઘકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ - પાંચ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યો.
૨૩. આગતિ - બે દંડકમાંથી આવે છે.
સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાંથી આવે છે.
૨૪. વેદ-૨. પુરૂષવેદ, સ્ત્રીવેદ.
બીજા કીબીપીયા દેવોના દંડક્તે વિષે
૧. શરીર-૩. વૈક્રીય, વૈજસ, કાર્મણ.
૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૬ હાથ.
૩. સંઘયણ - નથી.
૪. સંજ્ઞા- ૪-૬-૧૦ અથવા ૧૬.
૫. સંસ્થાન-૧. સમચુતરસ્ત્ર.
૬. કપાય-૪.
૭. લેશ્યા-૧. પદ્મ લેશ્યા.
Page 150 of 161
Page #151
--------------------------------------------------------------------------
________________
૮. ઇન્દ્રિય-૫. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય, તેજસ. ૧૦. દ્રષ્ટિ-૩. ૧૧. દર્શન-3. ૧૨. જ્ઞાન - ૩. ૧૩. અજ્ઞાન-૩. ૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વક્રીય, વક્રીય મિશ્ર, કામણ. ૧૫. ઉપયોગ-૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. સમકીતી જીવોને 3 જ્ઞાન, ૩ દર્શન. મિથ્યાદ્રષ્ટિ જીવોને 3 અજ્ઞાન, 3 દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ચ્યવે છે. ૧૮. સ્થિતિ ૩ સાગરોપમ. ૧૯. પર્યાપ્તિ-૬. ૨૦. કિસાહાર - છ દિશિનો. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ - બે દંડકમાં જાય. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યો અને મનુષ્યોમાં જાય છે.
૨૩. ગતિ - બે દંડકવાળા આવે છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યો આવે છે.
૨૪. વેદ-૧. પુરૂષ વેદ હોય છે. ત્રીજા ક્લિીપીયા દેવોના દંડક્ત વિષે:
૧. શરીર - વેક્રીય, તેજસ, કાર્પણ ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૫ હાથ. ૩. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા- ૪-૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. સમયુતરસ્ત્ર. ૬. કષાય-૪. ૭. લેશ્યા-૧. પદ્મ લેશ્યા. ૮. ઇન્દ્રિય-૫. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વૈક્રીય, તેજસ. ૧૦. દ્રષ્ટિ-3. ૧૧. દર્શન-૩. ૧૨. જ્ઞાન - 3.
Page 151 of 161
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩. અજ્ઞાન-3.
૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્મણ.
૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન.
સમકીતીને ૩ જ્ઞાન, ૩ દર્શન.
મિથ્યાદ્રષ્ટિને ૩ અજ્ઞાન, ૩ દર્શન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય, ૧૩. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતાં, અસંખ્યાતા વે છે,
૧૮. સ્થિતિ - ૧૩ સાગરોપમ.
૧૯. પર્યાદિ.
૨૦. કિંમાહાર - છ દિશાનો આહાર.
૨૧. સંજ્ઞી-૨. દીર્ઘકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ - બે દંડકમાં જાય. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યોમાં
જાય છે.
૨૩. ગતિ - બે દંડકવાળા આવે છે.
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્ત તિર્યંચો અને મનુષ્યો આવે છે,
૨૪. વેદ-૧, પુરૂષ વેદ.
નવ લોકાંતિક્ના દેવોના મુખ્ય દેવના દંડને વિષે :
૧. શરીર-૩. વૈક્રીય, તૈજસ, કાર્મણ.
૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતો ભાગ. ઉત્કૃષ્ટ ૫ હાય.
૩. સંઘયણ - નથી.
૪. સંજ્ઞા- ૪-૬-૧૦ અથવા ૧૬.
૫. સંસ્થાન-૧. સમતા.
૬. કપાય-૪.
૭. લેશ્યા-૧. પદ્મ લેશ્યા.
૮. ઇન્દ્રિય-૫.
૯. સમુદ્ઘાત-૫. વેદના, કષાય, મરણ, વૈક્રીય, તૈજસ.
૧૦. દ્રષ્ટિ-૧ અથવા ૩. સમ્યગ્દષ્ટિ. મોટે ભાગે સમીતી જીવો હોય, કદાચ મિથ્યાદ્રષ્ટિ જીવો હોય
તો તે અપેક્ષાએ ત્રણ.
૧. દર્શન-૩
૧૨. જ્ઞાન - 3.
૧૩. અજ્ઞાન-3.
૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્મણ. ૧૫. ઉપયોગ- ૬ અથવા ૯. ૩ જ્ઞાન, ૩ દર્શન અથવા ૩ અજ્ઞાન સાથે. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા,અસંખ્યાતા.
Page 152 of 161
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવે છે. ૧૮. સ્થિતિ - ૧૦ સાગરોપમ. ૧૯. પર્યાપ્તિ૬. ૨૦. કિમાહાર - છ દિશાનો નિયમાં હોય છે. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી. ૨૨. ગતિ - એક દંડકમાં જાય. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા મનુષ્યોમાં જાય છે. ૨૩. આગતિ - બે દંડકમાંથી આવે છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યો આવે છે.
૨૪. વેદ-૧. પુરૂષ વેદ. નવ લોકાંતિક દેવોના બાકીના દેવોના દંડળે વિષે:
૧. શરીર-૩. વૈક્રીય, તેજસ, કામણ. ૨. અવગાહના – જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૫ હાથ. 3. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા- ૪-૬-૧૦ અને ૧૬. ૫. સંસ્થાન-૧. સમજુતરસ્ત્ર. ૬. કષાય-૪. ૭. લેશ્યા-૧. પદ્મ લેશ્યા. ૮. ઇન્દ્રિય-૫. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય, તેજસ. ૧૦. દ્રષ્ટિ-૩. ૧૧. દર્શન-3. ૧૨. જ્ઞાન - 3. ૧૩. અજ્ઞાન-3. ૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્મણ, ૧૫. ઉપયોગ-૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવે. ૧૮. સ્થિતિ - ૧૦ સાગરોપમ. ૧૯. પર્યાપ્તિ-૬. ૨૦. કિમીહાર - નિયમાં છ દિશિનો. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી. ૨૨. ગતિ - બે દંડકમાં જાય. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યો. ૨૩. આગતિ - બે દંડકમાંથી આવે છે.
Page 153 of 161
Page #154
--------------------------------------------------------------------------
________________
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યોમાંથી આવે છે.
૨૪. વેદ-૧. પુરૂષ. ૧૫ પરમાધામી દેવોના દંડળે વિષે:
૧. શરીર-૩. વૈક્રીય, તેજસ, કામણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૭ હાથ. 3. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા- ૪-૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. સમયુતરસ્ત્ર. ૬. કષાય-૪. ૭. લેશ્યા-૪. કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો વેશ્યા. ૮. ઇન્દ્રિય-૫. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વેક્રીય, તેજસ.
૧૦. દ્રષ્ટિ-૩. સામાન્ય રીતે જે આચાર્યોના મતે અભવ્ય હોય છે તેઓના મતે એક મિથ્યાદ્રષ્ટિ. જે આચાર્યોના મતે ભવ્ય હોય છે તેઓના મતે ૩ દ્રષ્ટિ હોય છે.
૧૧. દર્શન-3. ૧૨. જ્ઞાન - ૩. જે આચાર્યો ભવ્ય માને છે તેઓના મતે જાણવા. ૧૩. અજ્ઞાન-૩. ૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વક્રીય, વક્રીય મિશ્ર, કામણ. ૧૫. ઉપયોગ- ૬ અથવા ૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા. ૧૮. સ્થિતિ – ૩ પલ્યોપમ. ૧૯. પર્યાપ્તિ-૬. ૨૦. કિમાહાર - નિયમાં છ દિશિનો. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ - સામાન્ય રીતે આ જીવો મરીને અંડગોલિક મનુષ્ય રૂપે થાય માટે એક દંડક ગણાય પણ મતાંતરે સમજીતી જીવો મરીને અંડગોલિક થતાં નથી કારણકે તેઓ નરકમાં જતાં નથી. ભગવાનની દેશના સાંભળવા જાય છે. ચેત્યો એટલે મંદિરોમાં દર્શન કરવા જતાં હોવાથી સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના. આયુષ્યવાળા મનુષ્યો થાય છે.
૨૩. આગતિ – બે દંડકવાળા જીવો આવે છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો. અને મનુષ્યો આવે છે. ૨૪. વેદ-૨. પુરૂષવેદ, સ્ત્રીવેદ હોય છે.
દંડને વિષે વિરહડાળ
Page 154 of 161
Page #155
--------------------------------------------------------------------------
________________
કયા કયા દંડકમાં જીવો ઉત્પન્ન તથા ચ્યવન વધારેમાં વધારે કેટલા કાળ સુધી ન કરે તેનું જે વર્ણન તે વિરહ કાળ કહેવાય.
(૧) સામાન્ય રીતે નરકમાં ૧૨ મુહૂર્તનો વિરહકાળ હોય.
(૨) પહેલી નારકીનો વિરહકાળ ૨૪ મુહૂર્ત.
(૩) બીજી નારકીનો વિરહકાળ ૭ દિવસ. (૪) ત્રીજી નારકીનો વિરહકાળ ૧૫ દિવસ. (૫) ચોથી નારકીનો વિરહકાળ ૧ માસ. (૬) પાંચમી નારકીનો વિરહકાળ ૨ માસ. (૭) છઠ્ઠી નારકીનો વિરહકાળ ૪ માસ.
(૮) ૭મી નારકીનો વિરહકાળ ૬ માસ.
(૯) સામાન્યથી ૪ નિકાયને આશ્રયીને વિરહકાળ ૧૨ મુહૂર્ત.
(૧૦) ભવનપતિ વ્યંતર જ્યોતિષ વિરહકાળ ૨૪ મુહૂર્ત.
(૧૧) ૧-૨ વૈમાનિક
વિરહકાળ
૨ મુહૂર્ત. ૯ દિવસ ૨૦ મુહૂર્ત.
વિરહકાળ
વિરહકાળ
૧૨ દિવસ ૨૦ મુહૂર્ત.
(૧૪) ૫ વૈમાનિક
વિરહકાળ
૨૨॥ દિવસ.
(૧૫) ૬ વૈમાનિક
વિરહકાળ
(૧૬) ૭ વૈમાનિક
વિરહકાળ
(૧૭) ૮ વૈમાનિક
વિરહકાળ
(૧૮) ૯ વૈમાનિક
વિરહકાળ
વિરહકાળ
(૧૯) ૧૦ વૈમાનિક (૨૦) ૧૧-૧૨ વૈમાનિક વિરહકાળ (૨૧) ૧-૨-૩ ત્રૈવેયક વિરહકાળ (૨૨) ૪--૫-૬ ત્રૈવેયક વિરહકાળ (૨૩) ૭-૮-૯ ત્રૈવેયક વિરહકાળ (૨૪) અનુત્તર ૪ વિભાગ ભાગ જેટલા વર્ષ.
(૧૨) ૩ વૈમાનિક
(૧૩) ૪ વૈમાનિક
(૨૫) સર્વાર્થ સિધ્ધ જેટલા વર્ષ.
ગર્ભજ તિર્યંચનો વિરહકાળ
ગર્ભજ મનુષ્યનો વિરહકાળ ૩ વિકલેંદ્રિય
૪૫ દિવસ.
૮૦ દિવસ.
૧૦૦ દિવસ.
૧૦ માસ.
૧૧ માસ.
૧૦૦ વરસ.
૧૦૦૦ વરસ.
૧ લાખ વરસ. ૧ ક્રોડ વરસ. પલ્યોપમના અસંખ્યાતમા
પલ્યોપમના સંખ્યાતમા ભાગ
૧૨ મુહૂર્ત.
૧૨ મુહૂર્ત.
q
મુહૂર્ત.
એકેંદ્રિય જીવોનાં વિરહકાળ હોતો નથી. બધાયનો જઘન્ય વિરહકાળ ૧ સમય હોય છે.
પાંચસો ત્રેસઠ જીત ભેદોનું વર્ણન
Page 155 of 161
Page #156
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીકાય ૪ સૂક્ષ્મ અપર્યા. સૂક્ષ્મ પર્યા. બાદર પર્યા. બાદર અપર્યા. અકાય-૪ સૂક્ષ્મ અપર્યા. સૂક્ષ્મ પર્યા. બાદર પર્યા. બાદર અપર્યા. તેઉકાય-૪ સૂક્ષ્મ અપર્યા. સૂક્ષ્મ પર્યા. બાદર પર્યા. બાદર અપર્યા. વાયુકાય-૪ સૂક્ષ્મ અપર્યા. સૂક્ષ્મ પર્યા. બાદર પર્યા. બાદર અપર્યા. સાધારવણ વનસ્પતિ-૪ સૂક્ષ્મ અપર્યા. સૂક્ષ્મ પર્યા. બાદર પર્યા. બાદર અપર્યા. પ્રત્યેક વનસ્પતિ-૨. બાદર અપર્યાપ્તા, બાદર પર્યાપ્તા. આ બાવીશ ભેદો સ્થાવર કહેવાય. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય આ ત્રણને વિકલેન્દ્રિય કહેવાય. આનાં ૬ ભેદો ૩ અપર્યાપ્તા + ૩ પર્યાપ્તા.
પંચેન્દ્રિય તિર્યચ-૨૦. જલચર, ચતુષ્પદ, ભુજપરિસર્પ, ઉરપરિસર્પ, ખેચર આ પાંચ સમુરિંછમ + પાંચગર્ભજ = ૧૦ એ ૧૦ અપર્યાપ્તા + પર્યાપ્તા = ૨૦.
આ રીતે ૨૨ + ૬ + ૨૦ = ૪૮ તિર્યંચગતિના ભેદો ગણાય છે. નારકીના-૧૪. 9 અપર્યાપ્તા + 9 પર્યાપ્તા = ૧૪ મનુષ્યના-૩૦૩
૧૦૧ સમુચ્છિમ અપર્યાપ્તા. ૧૦૧ ગર્ભજ અપર્યાપ્તા. ૧૦૧ ગર્ભજ પર્યાપ્તા.
૩૦૩ દેવલોકના-દેવગતિના - ૧૯૮. ભવનપતિ-૨૫ + વ્યંતર-૨૬ + જ્યોતિષ-૧૦ + વૈમાનિક-૩૮ = ૯૯. આ ૯૯ અપર્યાપ્તા + ૯૯ પર્યાપ્તા = ૧૯૮ ભેદો થાય છે. આરીતે ૪૮ + ૧૪ + ૩૦૩ + ૧૯૮ = ૫૬૩ જીવ ભેદો થાય છે.
આ પાંચસો ત્રેસઠ પ્રકારના જીવો પોતાનું આયુષ્ય પૂર્ણ કરી કયા કયા જીવો મરણ પામીને ક્યાં ક્યાં જાય છે. અર્થાત્ જઇ શકે છે એનું જે વર્ણન કરવું તે ગતિદ્વારનું વર્ણન કહેવાય છે.
પ૬૩ જીવાભોની ગતિદ્વારનું વર્ણન.
(૧) પૃથ્વીકાયના ૪ ભેદો, અપકાયના ૪ ભેદો, સાધારણ વનસ્પતિકાયના ૪ ભેદો અને પ્રત્યેક વનસ્પતિકાયના ૨ ભેદો = ૧૪ ભેદો.
આ ચૌદ ભેદોવાળા જીવો મરીને ૧૭૯ જીવ ભેદોને વિષે જઇ શકે છે. (ઉત્પન્ન થઇ શકે છે.)
સ્થાવરના-૨૨ ભેદો + વિકલેન્દ્રિયના ૬ ભેદો + પંચેન્દ્રિય તિર્યંચના ૨૦ ભેદો એમ તિર્યંચના ૪૮ ભેદોમાંથી કોઇપણ ભેદોમાં જઇ શકે છે તથા સમુચ્છિમ મનુષ્યના-૧૦૧ ભેદોને વિષે અને પંદર કર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા-૧૫ + ગર્ભજ પર્યાપ્તા ૧૫ એમ ૩૦ જીવ ભેદ સાથે મનુષ્યના ૧૩૧ ભેદોમાંથી કોઇપણ ભેદને વિષે ઉત્પન્ન થઇ શકે છે. જઇ શકે છે. આથી ૧૩૧ + ૪૮ = ૧૭૯ જીવ ભેદો થયા એમાંથી કોઇપણમાં પણ જઇ શકે છે.
(૨) તેઉકાયના-૪ ભેદ અને વાયુકાયના ૪ ભેદ એમ આઠ ભેદો મરીને પ૬૩ ભેદોમાંથી ૪૮ ભેદોમાં
Page 156 of 161
Page #157
--------------------------------------------------------------------------
________________
જઇ શકે છે એટલે કે તિર્યંચગતિના ૪૮ ભેદોમાંથી કોઇને કોઇ ભેદોમાં જઇ શકે છે.
સ્થાવરના-૨૨ + વિકલેન્દ્રિયના-૬ + પંચેન્દ્રિય તિર્યંચના-૨૦ = ૪૮.
(૩) વિલેન્દ્રિયના છ ભેદો મરીને ૧૭૯ જીવ ભેદોમાંથી કોઇને કોઇ ભેદોમાં જઇ શકે છે. તેમાં તિર્યંચગતિના-૪૮ + મનુષ્યના ૧૩૧ તિર્યંચગતિના-૪૮ = સ્થાવરના-૨૨ + વિકલેન્દ્રિયના-૬, પંચેન્દ્રિયના. તિર્યંચના-૨૦ = ૪૮.
સમુચ્છિમ મનુષ્યના-૧૦૧ કર્મભૂમિ-૧૫ને વિષેના ૧૫ ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યો + ૧૫ ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો = ૩૦ એટલે ૧૩૧ થાય છે. આ રીતે ૪૮ + ૧૩૧ = ૧૭૯ થાય છે.
(૪) અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા પાંચ તિર્યંચો મરીને ૧૭૯ જીવ ભેદોમાં જઇ શકે છે. તિર્યંચગતિના ૪૮ મનુષ્યના ૧૩૧ = ૧૭૯. સ્થાવરના-૨૨ + વિકલેન્દ્રિયના-૬ + પંચેન્દ્રિય તિર્યંચના-૨૦ = ૪૮. સમુચ્છિમ મનુષ્ય-૧૦૧ + ગર્ભજ અપર્યાપ્તા ૧૫ કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા ૧૫ કર્મભૂમિના = ૩૦ = ૧૩૧. આ ૧૭૯ માંથી કોઇપણ જીવભેદોમાં જઇ શકે છે.
(૫) અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા પાંચ તિર્યંચના જીવો મરીને ૪૧૫ જીવભેદોમાંથી કોઇપણ જીવભેદમાં જઇ શકે છે.
આ જીવો ચારેગતિમાંથી કોઇપણ ગતિનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું બાંધી શકે છે માટે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલામાં જેટલા જીવ ભેદો આવે તેમાં ઉત્પન્ન થઇ શકે
છે.
નારકીનાં ૨ ભેદ પહેલી નારકી પર્યાપ્ત-અપર્યાપ્ત = ૨. તિર્યંચગતિના-૪૮, મનુષ્યના-૨૪૩, સમુચ્છિક મનુષ્યના-૧૦૧. પંદર કર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા-પર્યાપ્તા-૩૦. પ૬ અંતર્વોપ ગર્ભજ અપર્યાપ્તા પર્યાપ્તા = ૧૧૨ ૧૦૧ + 10 + ૧૧૨ = ૨૪૩. દેવગતિના-૧૨૨, ભવનપતિના ૨૫ અપર્યાપ્તા + પર્યાપ્તા = ૫૦
વ્યંતરના-૨૬, અપર્યાપ્તા + પર્યાપ્તા = પર જ્યોતિષના ૧૦ અપર્યાપ્તા + પર્યાપ્તા = ૨૦. આ રીતે ૫૦ + પર + ૨૦ = ૧૨૨.
આ રીતે કુલ ૨ + ૪૮ + ૨૪૩ + ૧૨૨ = ૪૧૫ ભેદો થાય છે.
(૬) ગર્ભજ અપર્યાપ્તા તિર્યંચના પાંચ ભેદો મરીને ૧૭૯ જીવ ભેદોને વિષે ઉત્પન્ન થઇ શકે છે. તિર્યંચગતિના-૪૮ + મનુષ્યના-૧૩૧ = ૧૭૯.
સ્થાવરના-૨૨ વિલેન્દ્રિય-૬, પંચેન્દ્રિય તિર્યંચના-૨૦ = ૪૮. સમુરિસ્કમ મનુષ્યના-૧૦૧ + 30 કર્મભૂમિના-૧૫ ગર્ભજ અપર્યાપ્તા તથા ૧૫ ગર્ભજ પર્યાપ્તા = ૧૩૧.
(૭) પર્યાપ્તા ગર્ભજ જલચર જીવો મરીને પર૭ જીવ ભેદોમાં જઇ શકે છે. નારકીના-૧૪ + તિર્યંચગતિના ૪૮ + મનુષ્યના ૩૦૩ + દેવતાના ૧૬૨ = ૫૨૭.
દેવતાના-૧૬રમાં ભવનપતિના-૨૫, વ્યંતરના-૨૬, જ્યોતિષ-૧૦, વૈમાનિકના-૮ દેવલોક + 3 કિબીપીયા + ૯ લોકાંતિક = ૨૦ એમ ૮૧ અપર્યાપ્તા + ૮૧ પર્યાપ્તા = ૧૬૨ દેવોનાં ભેદો થાય છે.
(૮) પયાસા ગર્ભજ ચતુષ્પદ જીવો મરીને પ૨૧ જીવ ભેદોમાંથી કોઇ પણ જીવ ભેદમાં જઇ શકે છે. નારકીના-૮. એકથી ચાર નારકી અપર્યાપ્તા-પર્યાપ્તા સાથે-૮. ચતુષ્પદ જીવો ચોથી નારકીથી
Page 157 of 161
Page #158
--------------------------------------------------------------------------
________________
આગળની નારકીમાં જતાં નથી.
નારકીના ૮ + તિર્યંચગતિના-૪૮ + મનુય-૩૦૩ + દેવતાના-૧૬૨ = પ૨૧.
ભવનપતિ-૨૫ + વ્યંતર-ર૬ + જ્યોતિષ-૧૦ + વેમાનિક-૨૦ = ૮૧ અપર્યાપ્તા + ૮૧ પર્યાપ્તા = ૧૬૨ થાય છે.
(૯) પર્યાપ્તા ગર્ભજ ખેચર જીવો મરીને પ૧૯ જીવ ભેદમાંથી કોઇપણ જીવ ભેદમાં ઉત્પન્ન થઇ શકે છે. નારકીના-૬. આ જીવો એકથી ત્રણ નારકી સુધી ઉત્પન્ન થઇ શકે છે માટે છ ભેદો નારકીના ગણાય
છે.
દેવગતિના-૧૬૨ ભેદો. ભવનપતિ-૨૫, વ્યંતર-૨૬, જ્યોતિષ-૧૦, વૈમાનિક-૨૦ (૩ કિલ્લીષીયા + ૯ લોકાંતિક + આઠ દેવલોક) = ૮૧
૮૧ અપર્યાપ્તા + ૮૧ પર્યાપ્તા = ૧૬૨. નારકીના-૬ + તિર્યંચગતિના-૪૮ + મનુષ્ય ૩૦૩ + દેવતાના ૧૬૨ = ૧૧૯. (૧૦) પર્યાપ્તા ગર્ભજ ઉરપરિસર્પ જીવો મરીને પ૨૩ જીવ ભેદોને વિષે ઉત્પન્ન થઇ શકે છે. નારકીના-૧૦ ભેદો + તિર્યંચગતિના-૪૮ + મનુષ્યના-૩૦૩ + દેવગતિના-૧૬૨ = પ૨૩ ભેદો થાય
છે.
ઉરપરિસર્પ જીવો પાંચ નારકી સુધી ઉત્પન્ન થઇ શકે છે માટે દશ જીવભેદો કહેલા છે.
દેવગતિના-૧૬૨ ભવનપતિ-૨૫, વ્યંત-૨૬, જ્યોતિષ-૧૦, વૈમાનિક-૨૦ = ૮૧ અપર્યાપ્તા + ૮૧ પર્યાપ્તા = ૧૬૨ થાય છે.
(૧૧) પર્યાપ્તા ગર્ભજ ભુજપરિસર્પ જીવો મરીને પ૧૭ જીવ ભેદોમાંથી કોઇને કોઇ જીવ ભેદોમાં ઉત્પન્ન થઇ શકે છે.
નારકી-૪ + તિર્યંચગતિ-૪૮ + મનુષ્ય-૩૦૩ + દેવતા-૧૬૨ = ૫૧૭.
આ જીવો બીજી નારકી સુધી ઉત્પન્ન થતાં હોવાથી ચાર ભેદ કહ્યા છે. દેવતા-૧૬૨. ભવનપતિ-ર૫, વ્યંતર-૨૬, જ્યોતિષ-૧૦, વૈમાનિક-૨૦ = ૮૧
૮૧ અપર્યાપ્તા અને ૮૧ પર્યાપ્તા = ૧૮૨ થા છે.
(૧૨) નારકીના સાત અપર્યાપ્તા જીવો દેવતાના ૯૯ અપર્યાપ્તા જીવો અકર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા-૩૦ જીવો તથા પ૬ અંતરદ્વીપના ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યો એમ કુલ ૧૯૨ જીવ ભેટવાળા જીવો. મરણ પામતા ન હોવાથી એમની ગતિ હોતી નથી કારણ કે આ જીવો નિયમાં કરણ અપર્યાપ્તા હોય છે.
(૧૩) એક થી છ નારકીના પર્યાપ્તા જીવો મરીને ૨૦ જીવ ભેદમાંથી કોઇ પણ ભેદોમાં જઇ શકે છે. ૫ ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો + ૧૫ કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો = ૨૦ ભેદો થાય છે.
(૧૪) ગર્ભજ પર્યાપ્તા ૧૫ કર્મભ મનુષ્યો મરીને પ૬૩ જીવ ભેદોમાંથી કોઇપણ જીવ ભેદમાં જઇ શકે છે.
(૧૫) પંદર કર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યો મરીને ૧૭૯ જીવ ભેદોમાંથી કોઇપણ જીવ ભેદમાં જઇ શકે છે.
સ્થાવરના-૨૨ + વિકલેન્દ્રિયના ૬ + પંચેન્દ્રિય તિર્યંચના ૨૦ = ૪૮. સમુરિંછમ મનુષ્યના-૧૦૧ + (૧૫ કર્મભૂમિના) ૧૫ ગર્ભજ અપર્યાપ્તા ૧૫ ગર્ભજ પર્યાપ્તા = 30 એમ ૧૩૧ = ૧૭૯.
(૧૬) પાંચ હિમવંત ક્ષેત્રના ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો અને ૫ હિરણ્યવંતના ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો
Page 158 of 161
Page #159
--------------------------------------------------------------------------
________________
એમ દશ ભેદો મરીને ૧૨૬ ભેદોમાંથી કોઇપણ જગ્યો જઇ શકે છે.
દેવગતિના-૧૨૬. ભવનપતિ-૨૫, વ્યંતર-૨૬, જ્યોતિષ-૧૦ અને વૈમાનિકનો પહેલો બીજો દેવલોક = ૬૩ અપર્યાપ્તા + ૬૩ પર્યાપ્તા = ૧૨૬.
(૧૭) પાંચ હરિવર્ષ + ૫ રમ્યફ + ૫ દેવકૂફ + ૫ ઉત્તર કુરૂ એમ ૨૦ ક્ષેત્રોના ગર્ભજ પર્યાપ્તાં મનુષ્યો મરીને ૧૨૮ ભેદોમાં જઇ શકે છે. દેવગતિના-૧૨૮. ભવનપતિ-૨૫, યંતરિ-૨૬, જ્યોતિષ-૧૦, વૈમાનિકનો પહેલો બીજો દેવલોક-૨ + પહેલો કિબિષીયો દેવ એમ ૬૪ અપર્યાપ્તા તથા ૬૪ પર્યાપ્તા સાથે ૧૨૮ ભેદો થાય
છે.
(૧૮) ૧૬ અંતર દ્વીપના ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો મરીને ૧૦૨ જીવ ભેદને વિષે ઉત્પન્ન થઇ શકે છે. દેવગતિના-૧૦૨, ભવનપતિ-૨૫, વ્યંતર-૨૬ = ૫૧ અપર્યાપ્તા તથા પ૧ પર્યાપ્તા = ૧૦૨ થાય છે. (૧૯) સમુચ્છિમ અપર્યાપ્તા ૧૦૧ મનુષ્યો મરીને ૧૭૯ જીવ ભેદોમાં ઉત્પન્ન થઇ શકે છે.
તિર્યંચગતિના-૪૮ (સ્થાવર-૨૨, વિકસેન્દ્રિય-૬, પંચે તિર્યંચના-૨૦) મનુષ્યના-૧૩૧ (સમુચ્છિમ મનુષ્ય-૧૦૧ પંદરકર્મભૂમિ ગર્ભજ અપર્યાપ્તા પર્યાપ્ત-30).
(૨૦) ભવનપતિ-૨૫, વ્યંતરના-૨૬, જ્યોતિષના-૧૦, વૈમાનિકનો પહેલો બીજો દેવલોક, પહેલો કિબિષીયો એમ ૬૪ પર્યાપ્તા દેવો મરીને ૨૩ દંડકમાં જાય છે. બાદર પર્યાપ્તા પૃથ્વીકાય, બાદર પર્યાપ્તા અપકાય, બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય, ગર્ભજ પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પાંચ તિર્યંચો અને પંદર કર્મભૂમિના ગભજ પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ૧૫ મનુષ્યો એમ ૨૩ થાય છે.
(૨૧) ૩ થી ૮ દેવલોકના પર્યાપ્તા દેવો મરીને ૨૦ જીવ ભેદોમાંથી કોઇ પણ જીવભેદમાં ઉત્પન્ન થઇ શકે છે.
ગર્ભજ પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પાંચ તિર્યંચો અને પંદર કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ૧૫ મનુષ્યોનાં ભેદો = ૨૦ ભેદો થાય છે.
(૨૨) નવથી બાર દેવલોકના દેવો, નવ ગ્રેવેયકના દેવો અને પાંચ અનુત્તર વિમાનમાં રહેલા દેવો. એમ ૧૮ પર્યાપ્તા દેવો મરીને ૧૫ જીવ ભેદોમાં ઉત્પન્ન થઇ શકે છે. ૧૫ કર્મભૂમિના સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો જાણવા.
આ રીતે ૫૬૩ જીવ ભેદોમાં ગતિદ્વાર પૂર્ણ થયું.
પાંચસો ત્રેસઠ જીવ ભોની આણંતિદ્વાર
કયા કયા જીવો મરીને કયા કયા જીવ ભેદોમાં જાય છે. એમ જે વર્ણન કર્યું એમ કયા કયા જીવ ભેદને વિષે કયા કયા જીવો આવી શકે છે એનું જે વર્ણન કરવું તે આગતિ દ્વાર કહેવાય છે.
(૧) બાદર પર્યાપ્તા પૃથ્વીકાય ૨. બાદર પર્યાપ્તા અપકાય ૩. બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય આ ત્રણ જીવ ભેદને વિષે ૨૪૩ જીવો આવે છે એટલે ૨૪૩ પ્રકારના જીવોમાંથી કોઇને કોઇ જીવ આ ત્રણ જીવ ભેદમાંથી કોઇને કોઇ જીવ રૂપે ઉત્પન્ન થઇ શકે છે.
તિર્યંચગતિ-૪૮ + મનુષ્યના-૧૩૧ + દેવતાના-૬૪ = ૨૪૩.
(૨) બાકીના પૃથ્વીકાયના-૩ ભેદ. બાકીના અપકાયના ૩ ભેદ, તેઉકાય-૪, વાયુકાય-૪, સાધારણ વનસ્પતિકાય-૪ અને બાકીનો પ્રત્યેક વનસ્પતિકાયનો એક ભેદ એમ ૧૯ ભેદોને વિષે ૧૭૯
Page 159 of 161
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રકારના જીવોમાંથી કોઇને કોઇ જીવ આવી શકે છે એટલે ઉત્પન્ન થઇ શકે છે.
તિર્યંચગતિના ૪૮ (સ્થાવર-૨૨ વિકલન્દ્રિય-૬, પંચે.તિર્યચ-૨૦) મનુષ્યના-૧૩૧ (સમુચ્છિમ મનુષ્ય-૧૦૧, પંદરકર્મભૂમિના ગર્ભજ મનુષ્યો-૩૦).
(૩વિશ્લેન્દ્રિયના-૬ સમુચ્છિમ પંચેન્દ્રિય તિર્યચના-૧૦ ગર્ભજ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના ૫ એમ કુલ ૨૧ જીવ ભેદને વિષે ૧૭૯ જીવભેદોમાંથી કોઇને કોઇ જીવ આવે છે. અર્થાત ઉત્પન્ન થઇ શકે છે. તિર્યંચગતિના-૪૮ મનુષ્યના-૧૩૧ = ૧૭૯.
(૪) ગર્ભજ પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચના પાંચ ભેદને વિષે ૨૬૭ જીવભેદોમાંથી કોઇને કોઇ જીવો આવે છે. અર્થાત ઉત્પન્ન થઇ શકે છે.
તિર્યંચગતિના ૪૮ મનુષ્યના-૧૩૧ નારકીના ૭ પર્યાપ્તા. દેવતાના ૮૧ પર્યાપ્તા. ભવનપતિ-૨૫, વ્યંતર-ર૬, જ્યોતિષ-૧૦, વૈમાનિકના-૨૦ = ૮૧.
(૫) પહેલી નારકીને વિષે ૨૫ જીવોમાંથી કોઇને કોઇ આવે છે. અર્થાત ઉત્પન્ન થઇ શકે છે.
સમુચ્છિમ પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો-પાંચ, ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો-૫ કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા. મનુષ્યો-૧૫ = ૨૫.
(૬) બીજી નારકીને વિષે ૨૦ જીવ ભેદો આવે છે. અર્થાત્ ૨૦ જીવ ભેદોમાંથી કોઇને કોઇ જીવો ઉત્પન્ન થઇ શકે છે.
ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો-પાંચ. કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો-૧૫. (૭) ત્રીજી નારકીને વિષે ૧૯ જીવો આવી શકે છે. અર્થાત્ ૧૯ પ્રકારના જીવો ઉત્પન્ન થઇ શકે છે.
કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા-૧૫ ગર્ભજ પર્યાપ્તા-જલચર-ચતુષ્પદ ઉરપરિસર્પ અને ખેચર એમ ચાર સાથે ૧૯.
(૮) ચોથી નારકીને વિષે ૧૮ પ્રકારના જીવો આવે છે અર્થાત ઉત્પન્ન થઇ શકે છે. કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા-૧૫ મનુષ્યો, ગર્ભજ પર્યાપ્તા જલચર-ચતુષ્પદ અને ઉરપરિસર્પ એમ ૩ સાથે ૧૮.
(૯) પાંચમી નારકીને વિષે ૧૭ જીવ ભેદો આવે છે અર્થાત આ ૧૭માંથી કોઇને કોઇ ઉત્પન્ન થઇ શકે છે. કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા ૧૫ મનુષ્યો-ગર્ભજ પર્યાપ્તા જલચર તથા ઉરપરિસર્પ = ૧૭.
(૧૦) છઠ્ઠી અને સાતમી નારકીને વિષે ૧૬ જીવભેદો આવે છે અર્થાત એમાંથી કોઇને કોઇ જીવભેદ ઉત્પન્ન થઇ શકે છે.
કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા ૧૫, ગર્ભજ પર્યાપ્તા જલચર = ૧૬.
(૧૧) ૧૫ કર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા-૧૫ તથા સમુરિચ્છમ મનુષ્યના ૧૦૧ એમ ૧૧૬ જીવોને વિષે ૧૭૧ જીવ ભેદો આવે છે અર્થાત આ જીવોમાંથી કોઇને કોઇ જીવો ઉત્પન્ન થઇ શકે છે.
સ્થાવર-૧૪ (પૃથ્વીકાય-૪, અપકાય-૪, સાધારણવનસ્પતિકાય-૪, પ્રત્યેકવનસ્પતિકાય-૨) વિકલેન્દ્રિય-૬, પંચન્દ્રિય તિર્યચના-૨૦, સમુરિંછમ મનુષ્યના-૧૦૧ કર્મભૂમિ ગર્ભજ મનુષ્યના ૩૦ = ૧૭૧.
(૧૨) પંદર કર્મભૂમિ ગર્ભજ પર્યાપ્તા મનુષ્યોને વિષે ૨૭૬ જીવો આવે છે અર્થાત્ આમાંથી કોઇને કોઇ ઉત્પન્ન થઇ શકે છે.
સ્થાવર-૧૪ = પૃથ્વીકાય-૪, અપકાય-૪, સાધારણ વનસ્પતિ-૪, પ્રત્યેક વનસ્પતિ-૨. વિકલેન્દ્રિય,૬, પંચેન્દ્રિય તિર્યચ-૨૦, સમુચ્છિમ મનુષ્ય-૧૦૧, કર્મભૂમિ ગર્ભજ મનુષ્યો-૩૦, પહેલી છે નારકીના-૬, દેવતાના-૯૯ = ૨૭૬ થાય.
Page 160 of 161
Page #161
--------------------------------------------------------------------------
________________ (13) ત્રીશ અકર્મભૂમિને વિષે મનુષ્ય ગર્ભજ પર્યાપ્તા રૂપે 20 જીવો આવે છે. કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા-૧૫, ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો પાંચ = 20. (14) પ૬ અંતરદ્વીપ મનુષ્યને વિષે (ગર્ભજ મનુષ્ય) 25 જીવો આવે છે. કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા-૧૫, ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો-૫, સમુચ્છિમ પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચો-૫ = 25. (15) ભવનપતિ-૨૫, વ્યંતર-ર૬ = 51. દેવોને વિષે 111 જીવો આવે છે. અર્થાત એમાંથી કોઇને કોઇ ઉત્પન્ન થઇ શકે છે. ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો-૧૦૧, પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો-૧૦ = 111 (16) જ્યોતિષના-૧૦, વૈમાનિકનો પહેલો દેવલોક અને પહેલો કિબિષીયો એમ 12 દેવલોકને વિષે 50 જીવ ભેદો આવી શકે છે. કર્મભૂમિના-ગર્ભજ પર્યાપ્તા-૧૫, અકર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા-૩૦ મનુષ્યો ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો-૫ = 50 (જ્યોતિષીના અમુક ભેદોને વિષે પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય હોય છે ત્યાં પ્રાયઃ પ૬ અંતરદ્વીપના મનુષ્યો આવી શકે છે. (17) બીજા દેવલોકને વિષે 40 જીવ ભેદોમાંથી આવે છે. કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા-૧૫ અકર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા-૨૦ મનુષ્યો (પાંચ હિમવંત અને પાંચ હિરણ્યવંત સિવાય) ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો પાંચ = 40. (18) 3 થી આઠ દેવલોકને વિષે બે કિલ્બીલીયા દેવો 9 લોકાંતિક દેવો એમ 17 દેવોને વિષે 20 જીવભેદોમાંથી આવે છે. કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા 15 મનુષ્યો ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો-૫ = 20. (19) 9 થી 12 દેવલોક નવગ્રવેયક અને પાંચ અનુત્તર એમ 18 દેવલોકને વિષે 15 જીવો આવે છે અર્થાત પંદર પ્રકારના જીવોમાંથી કોઇ ને કોઇ જીવભેદ આ દેવલોકમાં આવી શકે છે. કર્મભૂમિ ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો-૧૫. અપર્યાપ્તા દેવો કરણ અપર્યાપ્તા હોવાથી પર્યાપ્તા દેવોની અંતર્ગત આવી જાય છે. આ રીતે આગતિદ્વાર સંપૂર્ણ દંડક પ્રકરણ સમાપ્ત. Page 161 of 161