Book Title: Buddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 47
________________ તરુલતા અથવા આદર્શ સ્ટે ૨૭. ન દીવસ સાંજે જ્યારે તરૂ પિતાના ખંડમાં હતી અને દીવાનખાનામાં માત્ર માતાપિતાજ હતાં ત્યારે તેઓએ વાત શરૂ કરી. શેશી બાર ક્યો ઉભે છાનો માને સાંભળતા હતા. તરૂના પિતાએ બાત ઉપાતાં કહ્યું – પ્રિયે આપણું જીવન હવે નિરર્થક છે. ” કેમ ?” “ કારણ એ જ કે આપણું નશીબમાં ઈશ્વરે એકજ સંતાન આપ્યું અને તે પણ પુત્રી, પુત્ર નહિ ? એટલું જ નહિ પણ તે પુત્રી અત્યારે આપણી વિરૂદ્ધ થઈ બેઠી છે. આપણે વિચાર ઈન્દુભાઈને તેરૂ સાથે પરણાવવાનું છે ત્યારે તરૂને તે પસંદ નથી. આપણે એમને તરૂને મળવા મેકલ્યા ત્યારે તરૂએ એમને ધીકારી કાઢય. આપણે પૂછયું ત્યારે કેવા ઉચ્ચ સ્વરથી વાત કરતી હતી ? બસ હવે તે મહને કાંઈજ સુઝતું નથી. શું કરવું તેના વિચાર રમાં હારો સમય વ્યર્થ વહી જાય છે, અને શરીર દિનપ્રતિદિન લીન થતું જાય છે. મારું તે માનવું એ જ છે કે પુત્રીને સુખે ઠેકાણે પાડયા પહેલાં જ મહારું જીવન પુરું થશે. આને આ બળાપામાં મહારે દેહ કઈ દીવસ એકાએક ભોગ થઈ પડશે.” વ્હાલા એવું બોલશે નહિ. એમ નિરાશ થઈ બેઠાથી આપણું શું ઉઘડે ? હું ચપળ અને દગાબાજ છું. અત્યારેજ તરૂને અહીં બેલાવી મંગાવું છું. ઇન્દુભાઈ પણ અત્યારે આવવાનું હુને કહેતા હતા એટલે તરૂ બેઠી હશે એવામાં ઈન્દુભાઈ આવશે તે તરૂથી ચાલ્યા નહિ જવાય. પછી તરત જ આપણે નક્કી કરી દઈશું. પછી તરૂનું શું ચાલશે ? કેમ લુચાઈ ઠીક શોધી કાઢી કે નહિ ? અમે સ્ત્રી જન તે આવી બાબતમાં પાછાં પડીએ ? કેમ શે વિચાર કર્યો? હારું મગજ તે હવે જરા પણું કામ કરતું નથી. તમને જે સુઝે તે કરે. પણ એટલું યાદ રાખજો કે કાંઇ અનર્થભર્યું થયું તે મહારા જીવનની આશા વ્યર્થ છે.” કાંઈ નહિ થાય. જે જે તે ખરા બધું સારું પાર ઉતરશે. અલ્પા શેશી આમ આવ. ” શશી જાણે જાણતા જ નથી તેમ ગભરાતા આવી હાથ જોડી ઉભે “જી.” જા, તરૂ હેનને કહે કે તમને સાહેબ હમણાંને હમણું દીવાનખાનામાં લાવે છે. કાંઈ અગત્યનું કામ છે. વધારે વખત નહિ લાગે.” - શેશી હેલ વહેલે તરલતાના ખંડમાં ગયે અને પાછળથી બારણું બંધ કર્યું. પછી ધીમેથી તરૂ પાસે જઈ કહ્યું – “ તમને સાહેબ લાવે છે.” તરૂલતા આ વખતે ઓરડામાં આમ તેમ ફરતી ફરતી કાંઈક સામગ્રીઓ એકઠી કરત હતી, તે શું હતી તે શેશી કાંઈ સમજ્યો નહિ અને પૂછવાની તસદી લીધી પણ નહિ. તરૂલાએ પૂછયું: “અલ્યા ખરેખર કહેજે માતાપિતા સિવાય બહાર કોઈ બીજું આવ્યું છે ?” “ના છઃ પણ બહેન, તે દીવસે તમારી પાસે જે માણસ આવ્યા હતા અને જે તમે હારી પાસે બહાર કઢાવ્યા હતા તે ઈન્દુભાઈજ કે નહિ ?” “હા હા, તેનું શું છે પાછું ?”

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100