Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
ગભવિચાર
૩૯૧ કુબડા, કોઢીયા, લુલા, પાંગળ, બોબડા, મૂંગા, ઈઢિયહીણા કુરૂપ, દુબળા, શક્તિહીણ બાંધાના તથા ઘાટ વગરનાં થઈ જાય છે; ક્રોધી, રસાળ, ક્લેશી, પ્રપંચી; અને ખોટી ચાલે ચાલનારા નીવડે છે. એમ સમજી પોતાની પ્રજાનું ભલું ઇચ્છનારી માતાઓ ગર્ભકાળથી શિયળવંતી બને છે, તેઓને ધન્ય છે.
વિશેષમાં ઉપર બતાવેલા ગર્ભવાસના સ્થાનકમાં મહાકષ્ટ ને પીડા ભોગવવી પડે છે; તેનું દષ્ટાંત એ છે કે જેમ કોઈ પુરૂષનું શરીર કોઢ તથા પતના રોગથી નીંગળતું હોય, તેને સાડાત્રણ ક્રોડ સોય, અગ્નિમાં ધખાવી તેનાં સાડાત્રણ ક્રોડ રૂંવાડામાં પરાવે; તેનાં ઉપર ખાર ને ચુનાનું પાણી છાંટે; તે પછી આળા ચામડાંથી મઢીને તડકે નાખે, અને દડાની જેમ અથડાવે; તે વખતની પીડાનું પ્રમાણ, કેટલું ભયંકર છે? તે તે ભોગવનારો તથા સર્વજ્ઞ પરમાત્મા જાણે દેખે છે. એવી ગર્ભવેદના પહેલે મહિને ભોગવવી પડે છે. તેથી બીજે મહિને બમણી, ત્રીજે મહિને ત્રણ ગણી, એમ ચડતાં ચડતાં નવમે મહિને નવગણી પીડા થાય છે. અથવા દરેક રૂંવાડે નવનવ સોય પરોવવાના ન્યાયની પીડા સમજવી. ગર્ભવાસની જગા નાની છે, અને ગર્ભનું સ્થળ મોટું છે. તેથી સજ્જડ ભીંસાઈને, કેરીની માફક ઊંધે માથે લટકીને રહેવું પડે છે. તે વખતે બે ઢીંચણ છાતીમાં ભરાવેલા, અને બે હાથની મુઠી આંખો આડી દીધેલી હોય છે. કર્મોને બીજો ને ત્રીજો ગર્ભ જોડે હોય તો, તે વખતની સંકડાશનું અને મુંઝવણનું માપ કરી શકાતું નથી. માતા જંગલ જાય ત્યારે ગર્ભના નાકની દાંડી ઉપર થઈ નિકાલ થાય છે. ખરાબમાં ખરાબ માદળ માં પડેલો હોય છે. બેઠેલી માતા ઉભી થાય, તે વખતે ગર્ભ જાણે છે, કે હું આસમાનમાં ફેંકાઈ ગયો છું. હેઠે બેસતી વખતે જાણે છે, કે હું પાતાળમાં પટકાઈ ગયો છું. ચાલતી વખતે જાણે છે કે હું મસકમાં ભરેલા દહીંની માફક ડખોળાઉ છું. રસોઈ કરવા