Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી નવ તત્ત્વ બોલ છે. તેની નીચે ત્રીજી નરક છે.
ત્રીજી નરકનો પિંડ ૧,૨૮,OOO જોજનનો છે. તેમાંથી એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ તેની વચ્ચે ૧,૨૬,000 જોજનની પોલાણ છે. તે પોલાણમાં ૯ પાથડા અને ૮ આંતરા છે. તે પાથડા મધ્યે ૧૫ લાખ નરકાવાસા છે. ૮ આંતરા ખાલી છે. અસંખ્યાતી નારીને ઉપજવાની કુંભીઓ છે. અસંખ્યાતા નારકી છે. તેની નીચે ઉપર કહેલા ચાર બોલે છે. તેની નીચે ચોથી નરક છે.
ચોથી નરકનો પિંડ ૧,૨૦,000 જોજનનો છે. તેમાંથી એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ તેની વચ્ચે ૧,૧૮,૦૦૦ જોજનની પોલાણ છે. તે પોલાણમાં ૭ પાથડા અને ૬ આંતરા છે. તે પાથડા મધ્યે ૧૦ લાખ નરકાવાસા છે. ૬ આંતરા ખાલી છે. અસંખ્યાતી નારકીને ઉપજવાની કુંભીઓ છે. અસંખ્યાતા નારકી છે. તેની નીચે ઉપર કહેલા ચાર બોલે છે. તેની નીચે પાંચમી નરક છે.
પાંચમી નરકનો પિંડ ૧,૧૮,૦૦૦ જોજનનો છે. તેમાંથી એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ તેની વચ્ચે ૧,૧૬,૦૦૦ જોજનની પોલાણ છે. તે પોલાણમાં એ પાથડા અને ૪ આંતરા છે. તે પાથડા મળે ૩ લાખ નરકાવાસા છે. ૪ આંતરા ખાલી છે. અસંખ્યાતી નારકીને ઉપજવાની કુંભીઓ છે. અસંખ્યાતા નારકી છે. તેની નીચે ઉપર કહેલા ચાર બોલ છે. તેની નીચે છઠ્ઠી નરક છે.
છઠ્ઠી નરકનો પિંડ ૧,૧૬,૦૦૦ જજનનો છે. તેમાંથી એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org