________________
૨૧૮ સંપન્ન જીવ તેજ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરનારી આરાધનાને
ગ્ય બને છે અથવા વૈમાનિક કલ્પને ચગ્ય આરાધક થાય થાય છે- ત્રીજા ભવે મોક્ષ પામવાને લાયક બને છે.
એ જ સૂત્રના એ જ અધ્યયનમાં ફરમાવ્યું છે કે
પ્રશ્ન-હે ભગવન્! ચતુર્વિશતિ-વીશ અને ઉપલક્ષણથી બીજા પણ સઘળા તીર્થકરોની સ્તુતિરૂપ મંગલ વડે જીવ શું ઉપાર્જન કરે ?
ઉત્તર-વીશ અને ઉપલક્ષણથી બીજા પણ સઘળા તીર્થ કરોની સ્તુતિ મંગલ વડે જીવ દર્શન વિશુદ્ધિ-સમ્યફ વની નિર્મળતાને પામે છે.
કલ્યાણ મંદિર તેત્રમાં ફરમાવ્યું છે કે- “હે જિન ! અચિંત્ય મહિમાવાળું આપનું સ્તવન તે દૂર રહે, પરંતુ આપનું નામ પણ ત્રણે જગતનું આ ભયંકર સંસારથી રક્ષણ
- ભક્તામર સ્તોત્રમાં પણ ફરમાવ્યું છે કે- “હે ભગવન્! ભવની પરંપરા વડે નિબિડપણે બંધાયેલા પ્રાણીઓના પાપ, આપના સ્તવન વડે એક ક્ષણવારમાં નાશ પામે છે. " એ જ તેત્રમાં આગળ કહ્યું છે કે- સમસ્ત દેને નાશ કરનાર આપનું સ્તવન તે દૂર રહો પરંતુ આપના નામનું કીર્તન પણ જગતને પ્રાણીઓના પાપને હણે છે. - આ રીતે શ્રી તીર્થકરોનું નામસ્મરણ અચિંત્ય ફલદાયક હેવાથી પ્રત્યેક ભવ્ય આત્માને તે સ્મરણ વારંવાર અવશ્ય કરવા લાયક છે.