________________ * રાજા સંપ્રતિ આજે પણ ઈતિહાસમાં અમર છે. 0 સમ્રાટ અશોકના ગુણગાન આજે પણ ગવાય છે. રામરાજ્યના વખાણ કરતા આજે પણ જીભ થાકતી નથી. મહારાજા કુમારપાળને હજાર વર્ષ વીતવા છતા હરપળ સ્મૃતિપથમાં અવતરે છે. * બાદશાહ અકબર જેવા મોગલ સમ્રાટો પણ આજે લોકહૃદયમાં જીવંત છે. કારણ ?.. સમૃદ્ધિનો વ્યાપ કે સામ્રાજ્યનો વિસ્તાર કારણ નથી. કારણ છે... * પ્રજા પ્રત્યેનો તેમનો વાત્સલ્ય ભાવ. * જાત ઘસીને પણ પ્રજાને આબાદ કરવાના તેમના પ્રયત્નો. * તેઓનું ગુણપ્રધાન વ્યક્તિત્વ. 0 તેઓની ઉદાત્ત અને ઉમદા લોક કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ 0 સજજનોને સન્માન અને દુષ્ટોને શિક્ષાની ન્યાયપૂર્ણ નિતિનું સ્વચ્છ પાલન. 0 ધાર્મિક અભિગમ અપનાવી અનિષ્ટ પ્રવૃત્તિઓ અટકાવવાની ખેવના, * ધર્મસ્થાનો અને ધર્મગુરૂઓના ઔચિત્યપૂર્ણ સન્માન. આ બધા ગુણસભર વૈભવથી જ તેઓ ચીરસ્મરણીય બન્યા છે. સત્તાના સિંહાસન ઉપર આરૂઢ થતા આ ગુણવૈભવ આવી જાય તો સત્તાનું સૌંદર્ય કંઈક ઓર જ વિકસી જાય. બાકી તો વાંચી લો આ વ્યંગવૈભવ.... पुत्रको डींग हांकते देख पिताने कहा, इस तरह अनवरत तुं झुठ बोलता जायेगा / सच कहता हुं एक दिन देशका महान नेता बन जाएगा / * * * * * ...22...