Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર.
આ પુસ્તક વિષે આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીનો અભિપ્રાય.
શ્રી ભાવનગર મધ્યે સુશ્રાવક શા. મોતીચંદ ઓધવજી યોગ્ય ધર્મલાભ.
વિ. તમારો પત્ર તથા અભયકુમાર ચરિત્ર મળ્યું. પુસ્તક વાંચ્યુંતમોએ અસરકારક વિવેચનસહ ભાષાન્તર કર્યું છે-જમાનાને અનુસરી જેવી ઢબમાં જોઈએ તેવી ઢબમાં પુસ્તક રચાયું છે.
આવી સુંદર રહસ્યભરપૂર રચના માટે તમને ધર્મલાભપૂર્વક ધન્યવાદ ઘટે છે. જૈનના ગુર્જર સાહિત્યમાં ઉચ્ચ પુસ્તકની શૈલીનું આ પ્રથમ પુસ્તક દેખી અત્યાનન્દ થાય છે. આ પુસ્તક વાંચતાં આનન્દ સાથે જ્ઞાન મળે તેમ છે અને કંટાળો તો આવતો નથી. જનસમૂહ આ પુસ્તકને દેખી વાંચી સાર ગ્રહી પ્રસન્ન થશે અને તે પ્રમાણે થાઓ. આ પુસ્તક સંબંધી જેટલું વર્ણન કરવું તેટલું ઓછું છે. સમયના અભાવે આટલું લખી વિરમું છું. ધર્મસાધન કરશો. ધર્મકાર્ય લખશો. ૐ શાન્તિઃ અમદાવાદ (ઝવેરીવાડો) લી. મુનિ બુદ્ધિસાગર.
રા.બ. કમળાશંકર પ્રાણશંકર બી.એ. અમદાવાદ પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કોલેજના પ્રીન્સીપાલ; અને ભાવનગર કોલેજ, ડેકન કોલેજ તથા અલેફીન્સ્ટન કોલેજના સંસ્કૃતના પ્રોફેસર-એમણે આપેલો અભિપ્રાયઃશ્રી અભયકુમાર મંત્રીશ્વરનું
જીવન ચરિત્ર ભા. ૨. જો. આ ભાષાન્તર વાંચી મને ઘણો આનંદ થયો છે. મૂળ સાથે મેં કેટલોક ભાગ મેળવી જોયો છે. ભાષાન્તર શુદ્ધ અને સરળ છે એ એની વખાણવા લાયક ખુબી છે. આ મહાકાત (પરિશિષ્ટ-ટિપ્પણી)યમાંથી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર
૩૦૫