SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ મેવાડના અણુમાણ જવાહિર યાન આત્મબલિદાન રાજસિંહ રાણાએ જે સૂર્યવંશીની આબરૂ શોભાવી હતી, બાદશાહ ઔરંગઝેબ સામે જે ટક્કર ઝીલી હતી અને જે શૂરાતન બતાવી જેને સારા હિન્દની સેવા બજાવી હતી તે રાજસિંહ આ નહિં આ રાજસિંહ તે ડરપોક અને ભીરૂ હતા. આ રાજસિંહે ફક્ત સાત વર્ષ રાજ્ય કરી પરલેક પ્રયાણ કર્યું હતું. આ વખતે મેવાડભૂમિ પર મહારાષ્ટ્રીઓએ સાત વાર આક્રમણ કર્યું હતું અને મરાઠાઓના ભયંકર ત્રાસથી મેવાડનું સત્યાનાશ વળી ગયું. રાણાજીએ પિતાને વિવાહ કરવા સારૂ એક બ્રાહ્મણ મંત્રી પાસેથી દ્રવ્ય લીધું હતું, આ રાણાને વિવાહ રાઠોડ રાજકુમારી સાથે થયે હતે રાજસિંહ (બીજા)ના ગુજરી ગયા બાદ મેવાડની પ્રાચીન રીતમાં ઘણોજ ફેરફાર થઈ ગયે અને દુરાચાર–વ્યભિચાર વચ્ચે. પરાજસિંહનો જન્મ સંવત ૧૦૦૦ ના વૈશાખ સુદ ૧૩ તા. ૭ મે ૧૭૪૩ ના થયો હતે એને તેઓ સંવત ૧૮૧૭ ના ચૈત્ર વદ ૧૩ તા. ૩ એપ્રીલ ૧૭૬૧ ના રોજ તેમને અંત:કાળ થયો હતો. તેમના પછી તેમના કાકા અરિસિંહને મેવાડનું સિંહાસન પ્રાપ્ત થયું. સંવત ૧૮૧૮ ઈસ. ૧૭૬૨ માં અરિસિંહ પોતાના ભત્રીજાના સિંહાસન પર આવ્યા એએને સ્વભાવ ઘણેજ ક્રોધી અને ઝાંઝી હતો. આગળના ત્રણે રાણુઓના વખતમાં મેવાડની દશા ઘણી જ ખરાબ અને શોચનીય થઈ ગઈ હતી. મહારાણુ અરિસિંહના ક્રોધી સ્વભાવને લઈને અને બીજી અનેક બાબતોના કારણથી મહા અનર્થ થવા લાગ્યો, તેના જલ્લદ સ્વભાવથી મેવાડની પરિસ્થિતિ ઘણી જ બગડી ગઈ, મેવાડની ભૂમિ પર ઘણાજ કષ્ટ આવી ગયા છતાં મેવાડની તમુ જમીન તેનાથી છૂટી પડી નથી. “પંચાલી” મંત્રીઓની તથા “સતારાના મહારાજાની દયાથી મેવાડની રક્ષા થઈ હતી, પરંતુ રાણાના વિચિત્ર સ્વભાવથી પ્રજામાં સ્નેહ અને સંપ તુટી ગયા. જે સમયે ચતુર મહારાષ્ટ્રીઓ ભિન્ન ભિન્ન દળોમાં વિભક્ત થઈ પરસપર વિગ્રહ કરતા હતા. પ્રજાના જુદા જુદા પક્ષોને સહાય કરતા, આ વખતે મેવાડ રાજ્યની દુર્દશા થવા લાગી, પ્રતાપને રાજ્યસન ૫૭ મહારાણાનો જન્મ સંવત ૧૮૦૦ ના વૈશાખ સુદ ૧૩ તા. ૭ મે ૧૭૪ ના રાજ થયો હતો. અને તેઓ સંવત ૧૮૧૭ ના ચૈત્ર વદ ૧૩ તા. ૫ એપ્રીલ ૧૭૬૧ ના રાજ મરણ પામ્યા હતા. તેઓને ચાર રાણીઓ હતી. આ પ્રમાણે મહારાણું રાજસિંહ સાધારણ રાજ્યવૈભવ ભોગવી આ દુનિયાને ત્યાગ કરી ચાલ્યા ગયા હતા. મહારાણાની પાછળ રાણું યૌહાણ અને રાણી રાઠોડ એ બે જણીઓ સતી થવા નીકળી તે વખતે તે બને રાણીઓ બેલતી હતી કે – “કઈ ૫૭ “બેદલાકા રાવ ( હવેથી પિતાની બેટીને વિવાહ ઉદયપુરના મહારાણું સાથે ન કરે ?' કારણ કે આ બંને મહારાણીઓને તેઓની સાસુએ ઘણું જ દુઃખ આપ્યું હતું” આ મહારાણાને લેકે “જાલીમ' અને નિર્દયી ગણુતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy