SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા શ્રી જગતસિંહ રહેતું હતું. તે રાજપૂતની કાંઈ કસૂર થવાથી રાણાએ તેને મારી નંખાવ્યું હતું. તેથી એ રાજપૂતના નાના ભાઈએ પ્રતિજ્ઞા લીધી કે “મારા વડીલબન્ધના મારનારને જ્યાં સુધી હું મારૂ નહીં ત્યાં સુધી મારે પાઘડી ઉપરથી રૂમાલ છોડે નહીં.” એ પ્રતિજ્ઞા લઈ પોતાના ઘેડા પર સ્વાર થઈ ઉદયપુર આવ્યો. પણ ત્યાં ચારણ ખેમરાજના હાથે તેનું મરણ નીપજ્યું હતું. - જ્યારે જગતસિંહને જાન એક ચારણે બચાવ્યા છે. તેમ રાણું કહ્યુંસિંહને માલુમ પડ્યું ત્યારે તેને ખેરાત તરીકે એક હજાર રૂપીઆ તેજ વખતે વાપરી નાંખ્યાં. પરંતુ લેપતરામ નામના સરદારે ખેમરાજને શોધી કાઢયે, એને જે હકીકત બની હતી તે સાંભળી અને તેણે છાતીએ દબાવી અનહદ પ્રેમ બતાવ્યું, અને મહારાણા કર્ણસિંહ પાસે લાવ્યું અને કહ્યું કે “કુંવરના પ્રાણની રક્ષા કરનાર આ વ્યક્તી છે” તેથી રાણા ઘણા ખુશ થઈ ખેમરાજને છાતી સરખે દાબી કહ્યું કે–“મારે ત્રણ પુત્ર છે તેમજ તું મારે ચોથે પુત્ર છે.” અને તેનું તમામ ખર્ચ રાજ્ય તરફથી બાંધી આપ્યું. જ્યારે જગતસિંહ ગાદી ઉપર આવ્યા ત્યારે “શાલીયાણુ”ની સરર હજારની આવકની જાગીર ખેમરાજને અર્પણ કરી હતી. જ્યારે મહારાણું જગતસિંહને રાજ્યાભિષેક થયો. તે વખતે બાદશાહ શાહજહાંએ રાજુ બીરનારાયણ, બડગુજર દક્ષિણની સાથે ગાદીનશીનને સામાન તથા ટીકે મહારાણા જગતસિંહના માટે કર્યો હતો. જેમાં ખિલય ખાસા જડાઉ ખબુવા, જડાઉ તલવાર, ઘેડ, સોનેરી સામાનની સાથે, ૧ હાથી ચાંદીના સામાન સૂાથે, મોકલાવેલું હતું. આવી અનેક જાતની ઘટના નાની મોટી બનતી રહી હતી. પણ વાંચકને કંટાળો ન આવે તે સારૂ અતરે બીજી વાતે લખવામાં આવી નથી પણ મહારાણા જગતસિંહને સંવત. ૧૮૬ ના કારતક વદ ૨ ઈ સ. ૧૬ર૯ તા. ૪ ઓકટોબરના રોજ મેડતીયાની બેટી મહારાણ જનાદેખાઈ મેરતણીના ગર્ભથા કુંવર રાજસિંહને જન્મ થયો અને ત્યાર પછી એક વર્ષ અરિસિંહને જન્મ થયો હતો. મહારાણુ જગતસિંહની બેનનું લગ્ન બીકાનેરના મહારાજા કર્ણસિંહની સાથે કરી હતી, અને પોતાની કુંવરી બુન્દીરાવ શત્રુશાળ હાડાને પરણાવી હતી, આ બંને લગ્નમાં રાણાઓએ લાખ રૂપીઆ ખર્ચા હતા. સંવત ૧૯૯૮-૯૯ (ઈ. સ. ૧૬૪૧) માં મહારાણા જગતસિંહની માતા જામ્યુબાઈ દ્વારકાની યાત્રાએ ગયા તે વખતે કુંવર રાજસિંહ સાથે હજારો રાજપૂતે લઈ જવામાં આવ્યા હતા, ત્યાં સેનાની તુલા તથા લાખો રૂપીઆનું દાન આપ્યું હતું ત્યાર પછી ગંગા સ્નાન કરવા ગયા. ત્યાં પણ કુંવર રાજસિંહ અને માતા જાખુબાઈ બંને જણાએ સેનાની તુલા કરી લાખે રૂપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy