SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન આની ખેરાત કરી હતી. આ ઉપરથી હેજે સમજી શકાય છે કે મહારાણાને ધામક શ્રદ્ધા કેટલી બધી હતી. છેવટે મુસાફરીથી પાછા ફરતાં મુસલમાનોની સાથે ઝઘડાવાળા ગામે બાદશાહની હકુમતના હતા તેથી મુસલમાની રેકટેકથી સાધારણ ઝઘડો થયો હતો. અને એ વાત મુસલમાનેએ બાદશાહના કાન સુધી પહોંચાડી. તેથી બાદશાહ નારાજ થયા અને વિચાર કર્યો કે રાણ જગતસિંહને પિતાની તાકાત બતાવવી જોઈએ. તેથી રાજપુતેના તમામ રાજપુત દબાઈ ગયા. જ્યારે જગતસિંહને વહેમ પડ્યો કે જરૂર બાદશાહ શિકારના બહાને અતરે આવી મેવાડ પર ચઢાઈ કરશે. તેથી પોતે પિતાના કુંવર રાજસિંહને બાદશાહ પાસે દરબારમાં અજમેર મોકલ્યા. રાજસિંહને જોઈને બાદશાહ ખુશી થયે, અને જસિંહે એક હાથી નજર કર્યો, બાદશાહે પણ કદર કરી તેને શીર પેચ જડાઉ તલવાર, ઘોડા, એક મણ સોનાને સામાન આવે. શાહજહાં બાદશાહની ઓલાદ નીચે મુજબ હતી. () મે શાહજાદા સુહમદ દારા શિકે તે સં. ૧૬૭૨ ના ચૈત્ર સુદ ૧ ને રવીવારના જન્મ થી હતા. (૨) શાહજાદે મહમદ શુજાઅને બહાદુર સં. ૧૬૭૩ ના શ્રાવણ વદ ૪ ના જન્મ થયો હતો. (૩) શાહજાદી રોશનરાય બેગમને સં. ૧૯૭૪ ના ભાદરવા સુદ ૪ ના જન્મ થયો હતો. (૪) શાહજાદે મહમદ ઔરંગઝેબ બહાદુરને સં. ૧૬૭૫ ના માગશર વદ ૧ ના જન્મ થયે હતા. (૫) શાહજાદે ઉમેદબક્ષને સં. ૧૬૭૬ ના માગશર સુદ ૧૩ ના જન્મ થયા હતા. (૨) શાહજાદા મુરાદબક્ષને સં. ૧૨૮૧ ના કારતક વદ ૧૧ ના જન્મ થયા હતા. (૭) શાહજાદા લુન્દુલ્લાહને સં. ૧૯૮૩ ના કારતક સુદ ૧૫ ના જન્મ થયા હતા. (૮) શાહજાદા દેલ્લત અફજા સં. ૧૯૮૫ના વૈશાખ સુદ ૫ના જન્મ થયો હતો. આ પ્રમાણે કુલ ૧૬ ઔલાદ હતા. જ્યારે શાહજાહાં બિમાર પડે ત્યારે ચાર શાહજાદા જીવતા હતા. અને ઔરંગઝેબ ગાદીનશીન થયે ત્યારે પિતાના બે ભાઈને કલ કરી મારી નાખ્યાં હતાં અને ત્રીજો શાહજાદે નાસી ગયે હતું. પણ તે ત્યાં મરણ પામ્યા. આ પ્રમાણે રાણા જગતસિહે છવીસ વરસ રાજ્ય ભોગવ્યું. તેમાં પોતે પ્રજાની આબાદી તથા રાજ્ય વહીવટ ઘરે જ કુશળ રીતે ચલાવ્યું હતું. આખરે મહારાણું જગતસિંહ આ ફાની દુનિઆને ત્યાગ કરી પરલોક સીધાવ્યા. પરમાત્મા! તેઓશ્રીના આત્માને સદા શાન્તિ બક્ષો ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy