SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાંજ અલોપ થઈ ગઈ હતી. આથી તે તે સરદાર બહુજ આશ્ચર્ય ચાકત થઈ ગયા. આટ આટલું થયા પછી હવે સરદારની સ્થિતિ ખરેખર શેચ નીય થઈ ગઈ. તેનું મસ્તક ભમવા લાગ્યું. ઘણે વખત સુધી પિતાની તરવાર જમીન ઉપર ટેકવી તેની મૂઠ ઉપરજ પિતાના શરીરને તમામ ભાર તેણે રાખ્યા હતા. હવે તે જ સ્થિતિમાં ઉભા રહેવાની તેનામાં શકિત રહી નહીં. જેમ તેમ કરી-મહા મુશીબતે તે પલંગની પાસે જઈ પહેચો. મારું માણ પલંગ ઉપર ચઢીને તે એકદમ પછડાઇ પડે અને મૂછિત થઈ ગયો! * પ્રકરણ ૭ મું. પિતા-પુત્ર-પુત્રી-અને પાલકપુત્ર પ્રાતઃકાળને સમય. ચંદ્રિકા રહિત ચંદ્ર આકાશમાં નિરતેજ થઈ ગયો. ગગનપ્રદેશ ઉપરથી જેમ જેમ અંધકાર ઓછા થવા લાગ્યો તેમ તેમ તારાઓ પણ અલોપ થવા લાગ્યા. પ્રભાતસૂચક શીતળ અને સુગંધમય વાયુ વહેવા લાગ્યું. તેથી વસવાભ આમ્રવૃક્ષ વિગેરે વૃક્ષનાં કોમળ પલવે ડોલવા લાગ્યાં. પક્ષીઓના કર્ણમધુર ફૂજનને પ્રારંભ થઇ ચૂા. પ્રાતઃકાળ થતાંજ સરદાર સજનસિંહ શયનગૃહમાંથી બહાર આવ્યો. રાત્રે જોએલ ભયંકર આકૃતિઓ અને ભીતી જનક દેખાવે, એમાંનું કાંઈપણ તેના ધ્યાનમાં જ રહ્યું નહિ! પિતે રાતે જે કાંઈ જોયું તે એક રવમજ જોયું એમ તેને લાગવા માંડયું. પહેલે દિવસે રાત્રે લલિતસિંહે જે કાંઈ કહ્યું તેની સજજડ અસર પોતાના અંતકરણ ઉપર થવાથી રાત્રે તેજ દેખાવે સ્વમમાં જોવામાં આવ્યા, એમ તેણે પિતાના શકિત અને ચળવિચળ થએલા ચિત્તનું સમાધાન કરી લીધું. પિતે જેવું સ્વમ જોયું તેવુંજ સ્વ-ભયંકર આકૃતિઓ અને ભય ઉપજાવે તેવા દેખા–કુમાર ચંદ્રસિંહ અથવા લલિતસિંહ કે પ્રભાવતીના જેવામાં આવેલ હશે કે નહીં? એ બાબતમાંજ હવે સરદાર પિતે પિતાનાજ મન સાથે બહુ બહુ વિચાર કરવા લાગે. તેવું સ્વ. જે તેમને જોવામાં આવ્યું હશે તે તે બિચારાં બાળકોની કેવી સ્થિતિ થઈ હશે, તેની તે કાંઈ પણ કલ્પના કરી શક્યો નહિ. કારણ કે તે પોતે જ સ્વમ જોઈ ડરી ગયા હતા તેનું સ્મરણ થવાથી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy