SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ઉપર આવીને તેને ભીંજવી નાંખતા હતા. સજનસિંહ જેવો કસાયલે અને શરવીર યે કે રણભૂમિમાં પ્રાણ જાય તે ભલે જાય પણ પાછું તે હઠવુંજ નહિ, એવી માન્યતા વાળો હત–પ્રાણની પણ પરવાહ કરે તેમ નહોતે-તેના આખા જીવનમાં ભય એ શે પદાર્થ છે, તેને આજે સંપૂર્ણપણે તેને અનુભવ મળે. આ વખતે તેની છાતી ધડકતી હતી, પગ શકિાલીન થયા હતા અને જે નેત્ર નિદ્રાથી જડ જેવા થઈ ગયા હતા તે પુનઃ ભયભીત અને ચૈતન્યમુક્ત બન્યા. ફરી સરદારે જેમ તેમ કરી પિતાના મનનું નહીં જેવું સમાધાન કર્યું. એક તુચ્છ જેવા બનાવથી પિતાનું ચિત્ત ભયભીત થયું અને ધૈર્યરૂપી મેરૂ તુરછ કારણથી ડગમગ્ન ગયો તેથી તેણે પિતાના ચિત્તને ધિક્કાર આપે. ફરી ચિત્ત સારી રીતે શાંત થયા પછી અને તેણે પૈર્ય ધારણ કર્યા પછી હાથમાં વિદુલ્લતાની જેમ ચમકતી નગ્ન તરવાર લઈ સરદાર પલંગની નીચે ઉતર્યો. પણ બીજી પળે તેની ધીરજ અને શાતિનો અંત આવી ગયો. અચાનક તે શક્તિહીન બની ગયું અને એક પત્થરના પુતળાની જેમ તેજ આકૃતિ તરફ જેતા ઉભો રહે. સજનસિંહ જેવા શુરવીર પુરૂષને ભય ઉત્પન્ન થાય તેવું તે શયનભુવનમાં કોણ હતું? મસ્તક ઉપર લોઢાને ટેપ, શરીરે બખ્તર પહેરેલ અને બને હાથમાં શસ્ત્ર ધારણ કરેલ તે એક યે હતે. દરવાજો ઉઘાડીને અંદર આવતાં જ તેણે આંગળીથી સરદારને ચુપ રહેવા સૂચવ્યું. ત્યાર પછી ઘણે વખત સુધી તે ય સરદાર તરફ જે રહ્યા. તેજ વખતે સરદારની હિંમત હરાઈ ગઈ હતી. તે ગભરાટને એટલે બધે તે હતબુદ્ધ થઈ ગયું કે તેની ઇચ્છા છતાં પણ તેનાથી સારી રીતે એક શબ્દ પણ બોલી શકાય નહિ.ડી વાર પછી તે યોદ્ધાની આકૃતિ શાતપણે અને ધીમે ધીમે ચાલતી આગળ આવવા લાગી. મંદ મંદ રીતે બળતા દીપકના પ્રકાશમાં તે આકૃતિ આવતાં જ સરદાર તેને નિરખી નિરખીને જોવા લાગ્યો. તે સાથે જ તેને લાગ્યું કે-તે આકૃતિ ખરેખર કોઈ માનવપ્રાણિની નહીં પણ પિશાચ નિમાંની એક જેવી આકૃતિ છે. તે સાથે જ નગ્ન તરવાર મજબૂત રીતે હાથમાં પકડી સરદારે તે આકૃતિ ઉપર હુમલો કરવા તે તરફ ધસી ગયે પણ તે આકૃતિએ પિતાને હાથ લાંબો કરતાં જ સરદારની તમામ હિંમત હરાઈ ગઈ. પછી તે આકૃતિએ દરવાજા તરફ કાંઈક દેખાડ્યું, સરદારે ડરતાં ડરતાં દરવાજા તરફ જોયું અને ફક્ત તે આકૃતિ તરફ જવા લાગ્યો તે તે આકૃતિ જ અચાનક ત્યનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy