SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ द्वितीय विशेष. સામાન્ય વસ્તુઓમાં પરસ્પર ભેદ બતાવવાવાળાને વિશેષ કહે છે. ચિન્તામણિ કેશકાર કહે છે – વિરોષ ફતવ્યાવ”િ અન્યથી ભેદ બતાવવાવાળાને વિશેષ કહે છે. આ વિશેષને પણ પ્રાચીન અન્ય અલંકાર માને છે. “ચન્દ્રાલેકકાર”ઉન્મીલિતનું અને વિશેષનું એકત્ર લક્ષણ આપે છે. “મેશgયે ધુમ્મતિરિશેષ છે. ભેદની કૃતિમાં ઉન્મીલિત અને વિશેષની ર્તિમાં વિશેષ અલંકાર છે. યથા. જે સુગંધિવશ સુન્દરિ, ભ્રમર ન બેસત આવી, ચંપકકલિકા એંગુલિત, મુશ્કિલ હતી નિરખાવી. પ્રકાશકારે આવું ઉદાહરણ સામાન્ય અલંકારમાંજ આપીને કહેલ છે કે નિમિત્તાન્તરથી ઉત્પન્ન થએલ જે ભેદ પ્રતીતિ એ પ્રથમ જાણેલ અભેદનું નિરાકરણ કરવાને ચાહતી નથી અને રસ ગંગાધરકાર કહે છે કે ઉત્તર ભેદ પ્રતીતિથી પૂર્વોત્પન્ન અભેદ પ્રતીતિને તિરસ્કાર હોવાથી ઉત્તર પ્રતીતિના અનુસાર વ્યપદેટાયુક્ત છે. અન્યથા વ્યતિરેકનું પણ ઉપમા થવું યોગ્ય થશે. અમારી સંમતિ આ વિષયમાં કાવ્યપ્રકાશગતકારિકાકારની સાથે છે. કેમકે આવા વિષયમાં કવિની વિવક્ષા ભેદ જ્ઞાનમાં નથી, કિન્તુ અભેદજ્ઞાન દઢ કરવામાં જ છે. યથા. પદ્માકર પેઠી પ્રિયા, જલક્રીડાને કાજ; ઈન્દુઉદયથી જાણ્યું, મુખને પંકજ આજ. આહીં ઈન્દુના ઉદયથીજ કમલાકરમાં પ્રવેશેલી સુંદરીના મુ. ખનું જ્ઞાન થાય છે. અન્યથા નથી થઈ શકતું. આહીં ચમત્કારનું પર્યવસાન સામાન્યતામાંજ છે, પણ વિશેષતામાં નથી. અને વ્યતિરેકમાં તો કવિને પ્રારંભ પૃથક્ કરવા માટે જ થાય છે. અને ત્યાં ચમત્કારનું પર્યવસાન પણ પૃથક્ ભાવમાં જ થાય છે. આહીં સહુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy