SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૪ થે-મનુષ્યત્વ એટલે શું? . ૨૫ પ્રથામાં પ્રાચીન ભારતવર્ષના જે રાજાઓનું વર્ણન છે, તે વાંચવાથી જણાય છે કે પૂર્વે રાજાઓએ સંપૂર્ણ મનુષ્યત્વ પ્રાપ્ત કર્યું હોવું જોઈએ. અલબત્ત તે વર્ણનો મેટો ભાગ ઈતિહાસ તથા પુરાણકારોને કપોલકપિત છે, પરંતુ એ ઉપરથી આટલી વાત સમજવા જેવી છે કે જે સ્થળે આવા રાજગુણેનું વર્ણન થતું હોય તે સ્થળે એક કાળે બ્રાહ્મણ અને ક્ષત્રિયોની સન્મુખ મેં કહ્યો તે એક ખાસ આદર્શ રહેતો હેવો જોઇએ, એવું અનુમાન અગ્ય નથી. હું પણ આજે તેજ આદર્શ સંબંધે કઈક કહેવા માગું છું. સામાન્ય રીતે એક એ નિયમ છે કે જે મનુષ્ય પિતે જે બનવા માગતા હોય તેની સામે તેવા પ્રકારનો સર્વાંગસંપન્ન એક આદર્શ તો રહેજ જોઈએ. ભલે, કદાચ તે, સંપૂર્ણ રીતે તે આદર્શના જે ન થઇ શકે તે પણ તેનું અનુકરણ કરવાથી અનેક અંશે તે આદર્શની પાસે તે પહોંચી શકે જ. ભેળ આનાનું જ્ઞાન હોય તો મનુષ્ય છેવટે આઠ આના પણ પ્રાપ્ત કરે; પરંતુ એક બાળક કે જેને રૂપિયાના સોળ આનાનું જ્ઞાન ન હોય તે બાળક રૂપીઆના ચાર પૈસા લઈને પણ સંતોષપૂર્વક પાછો આવે તો આશ્ચર્ય નથી. શિષ્યઃ–પણ એ આદર્શ કયાં ? આજ કાલ તે કઈ એવો મનુષ્ય હોય એમ જણાતું નથી. | ગુસ–મનુષ્ય ન હોય તેથી શું થયું ? ઈશ્વર તો છે ને? ઈશ્વર પિતેજ સર્વ ગુણની સર્વાગીત સ્મૃર્તિ તથા ઉત્કૃષ્ટ પરિણતિનું એકમાત્ર ઉદાહરણ છે. વેદાન્તને નિર્ગુણ ઈશ્વર ધર્મની પ્રાપ્તિમાં બરાબર સહાયક થઈ શકતું નથી; કારણ કે તે નિર્ગુણ હોવાથી આપણું આદર્શરૂપે આપણું સન્મુખ રહી શકતો નથી. અદ્વૈતવાદીઓનું વિવાદિતથK ચૈતન્ય અથવા હર્બર્ટ સ્પેન્સરે જેને “ઈસ્કુટેબલ પાવર ઇન નેચર ” નું નામ આપ્યું છે, અર્થાત જે કેવળ માત્ર દાર્શનિક અથવા વૈજ્ઞાનિક ઈશ્વર છે તેની ઉપાસના કરવાથી સંપૂર્ણ રીતે ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. આપણુ પુરાણો જેનું વર્ણન કરે છે, ઇતિહાસ જેનો મહિમા ગાય છે તે ઈશ્વર અથવા તો ક્રિશ્ચિયનના ધર્મપુસ્તકમાંને સગુણ ઈશ્વર તેની ઉપાસના કરવી એજ ધર્મનું મૂળ છે; કારણ કે એ સગુણ ઈશ્વરેજ આપણું આદર્શ સ્થાનને માટે ચોગ્ય છે. જેને “ઇમ્પર્સનલ ગડ” નિર્ગુણ ઈશ્વર–કહેવામાં આવે છે, તેની ઉપાસના નિષ્ફળ છે. જેને “પર્સનલ ગોડ–સગુણ ઈશ્વર–કહેવાય તેનીજ ઉપાસના સાર્થક છે. શિષ્ય:-સગુણ ઇશ્વરને આદર્શરૂપે માનવા જોઈએ એ તો જાણે કે ઠીક, પણ તેની ઉપાસના શામાટે કરવી ? ગુસ-ઇશ્વરને આપણે જોઈ શકતા નથી, તેથી તેમનું વર્તન નીરખીને તે પ્રમાણે આપણે વર્તી શકીએ એવો બીલકુલ સંભવ નથી. આપણે જે કાંઈ કરી શકીએ તે માત્ર એટલું જ કે મનવડે તેનું ધ્યાન કરી શકીએ. એ રીતે ધ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy