SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્તવા - બનાવી શકે છે, અર્થાત પોતાના કંઠની સર્વાગીન પરિણતિ કરી શકે છે, જ્યારે તમે તેવું કશું કરી શકતા નથી અને એને લઇને તમારે કંઠ અનુશીલત થયા વિનાના રહી જાય છે. ભલા, પગે ચાલીને જવું હોય તે તું કેટલા કેશ સુધી જઈ શકે ? • શિષ્ય:–મારાથી વધારે ચાલી શકાય નહિ. બહુ બહુ તે બે ત્રણ કેસ ચાલી શકું. ગુડ–એનું કારણ માત્ર એટલું જ છે કે તારા બનને પગની સર્વાગીન પરિકૃતિ થવા પામી નથી. નિ:સંશય તારા હાથની, પગની અને ગળાની સહેજસાજ પુષ્ટિ અને પરિણતિ થઇ , તે પણ તેને સર્વાગીન પરિણતિ તે કઈ રીતે કહી શકાય જ નહિ. એજ પ્રમાણે અન્ય શારીરિક પ્રત્યંગોના સંબંધમાં પણ સમજી લેવું. જ્યાં સુધી શારીરિક સમસ્ત પ્રત્યંગેની સર્વાગીન પરિણતિ થાય નહિ ત્યાં સુધી આપણું શરીરની સર્વાગીન પરિણતિ થઈ છે એમ કહી શકાય જ નહિ; કારણ કે જ્યાં સુધી સોળ આનામાં એક આનો પણ અધુરો હોય ત્યાંસુધી પૂરે રૂપિયો છે એમ કહેવાય નહિ. એક આનામાં એક પાઈ ઘટતી હોય ત્યાંસુધી રૂપિયો પણ અપૂર્ણ જ રહે. શરીરના સંબંધમાં જેમ આ વાત લાગુ પડે છે તે જ રીતે મનના સંબંધમાં પણ એજ નિયમ સમજી લે. મનમાં પણ અનેક પ્રત્યંગે છે, અને તેને “વૃત્તિ” એવું નામ આપણે આપી ગયા છીએ. મનની કેટલીક વૃત્તિઓ જ્ઞાન મેળવવાનું તથા વિચાર કરવાનું કામ કરે છે. કેટલીક વૃત્તિઓ કાર્યમાં પ્રવૃત્તિ કરાવવાનું કામ કરે છે. જેમકે ભકિત–પ્રીતિ–દયા વગેરે. તે સિવાય કેટલીક વૃત્તિઓ આનંદનો ઉપભોગ કરાવવાનું કામ કરે છે. દાખલાતરીકે હદયને સૌંદર્યમાં જેડી, રસગ્રહણ કરાવ અને ચિત્તને વિનેદ કરાવવો એ આ વૃત્તિને મુખ્ય ઉદ્દેશ છે. આ પ્રમાણે ત્રણે પ્રકારની માનસિક વૃત્તિઓની સંપૂર્ણ પુષ્ટ તથા સંપૂર્ણ વિકાસ એનું જ નામ માનસિક સર્વાગીન પરિણતિ. શિષ્ય:--અર્થાત જ્ઞાનમાં પાંડિત્ય, વિચારમાં દક્ષતા, કાર્યમાં તત્પરતા, ચિત્તમાં ધાર્મિકતા, અને સૌદર્યમાં રસિકતા એ સર્વ હોય તે જ મનુષ્યના મનની સર્વાગીન પરિણતિ થઈ ગણાય. તે ઉપરાંત, વળી શારીરિક સગીન પરિણતિ પણ થવી જોઈએ એમ આપનું કહેવું છે. અર્થાત મનની સાથે શરીર પણ બળવાન, નરેગા અને સર્વ પ્રકારની શારીરિક ક્રિયાઓ કરવામાં યોગ્યતાવાળું બનવું જોઈએ. આવી એગ્યતાવાળા કૃષ્ણ અને અર્જુન અથવા રામ અને લક્ષ્મણ સિવાય બીજા કોઈ થયા હોય એમ હું તો ધારતું નથી. ગુર:-મનુષ્યજાતિમાં ઉત્કૃષ્ટ લેખાતી પ્રજા પ્રયત્ન કરે તો સંપૂર્ણ રીતે મનુવ્યવની પ્રાપ્તિ ન કરી શકે એમ હું તે કદાપિ માનતો નથી. યુગાન્તરે જ્યારે મનુબજાતિ યથાર્થ ઉન્નતિ પ્રાપ્ત કરવા તરફ આકર્ષાશે ત્યારે અનેક મનુષ્યો ઉક્ત આદર્શનું અનુકરણ અવશ્ય કરશે, એમ પણ હું ખાત્રીપૂર્વક માનું છું. સંસ્કૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy