SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્વ કરવું તેનું જ બીજું નામ ઉપાસના છે. બેશક ઉપાસનાને વેઠને બેજે ગણું ઝટપટ પતાવી દેવી તેને તે કાંઈ અર્થ જ નથી. સાંજે સવારે માત્ર સંસ્થાનું રટણ કરી જવું એ તે વિશેષ ફળપ્રદ નથીજઈશ્વરના સર્વગુણસંપન્ન–વિશુદ્ધ-સ્વભાવ ઉપર ચિત્તને સ્થિર-એકાગ્ર કરવું જોઈએ; અને સંપૂર્ણ ભક્તિભાવથી તેનું ધ્યાન કરવું જોઈએ. પ્રીતિપૂર્વક હદયને તેના સ્વરૂપચિંતન પ્રત્યે વાળવું જોઇએ. ઈશ્વરના સ્વભાવ અનુસાર આપણો પણ સ્વભાવ બંધાતે જાય એવી ધ્યાનકાળે દઢ ભાવના સેવવી જોઈએ. આ રીતે ઉપાસનાદિ કૃત્યો થાય તો જ ઈશ્વરના મહાન પવિત્ર ગુણોની વિમલ જ્યોતિ આપણા જીવનમાં પડે. માટે પરમાત્માની નિર્મળતા આપણું જીવન નમાં પ્રવેશ કરે, અને તેના જેવીજ સર્વત્ર મંગળમય શક્તિ આપણા ચરિત્રમાં પુરે, તેવી દઢ કામના ભકતે રાખવી જોઈએ; તથા સર્વદા તે આપણું પોતાની પાસે જ રહે છે એમ માની તેના સ્વભાવની સાથે તલ્લીન બનવાના નિરંતર સતત પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. ટુંકામાં, તેના સામયિની, સાલોક્યની, સારૂની, અને સાયુજ્યની ભાવના સેવવી જોઈએ. આમ થાય તો જ આપણે ધીમે ધીમે ઈશ્વરની પાસે પહોંચવા ભાગ્યશાળી બનીએ. આર્યઋષિઓ વિશ્વાસપૂર્વક પ્રબધી ગયા છે કે ઉપાસનાથી મનુષ્યો ક્રમે ક્રમે ઈશ્વરના સારૂપ્ય અને સાયુજ્યને પ્રાપ્ત કરી શકે છે, ઈશ્વરમાં તલ્લીન થઈ શકે છે, અને ઈશ્વરમાંજ મળી જઈ શકે છે. આમ થવું એનું. જ નામ મોક્ષ. મોક્ષ એ કઈ કે.ઈ જૂદી વસ્તુ નથી. ઇશ્વરી આદર્શને અનુસરી ઈશ્વરી સ્વભાવ પ્રાપ્ત કરે તેનું જ નામ મોક્ષ. જેઓ મુક્ત થઈ શકે છે તેઓ સર્વ પ્રકારનાં દુ:ખોથી મુક્ત થઈ સર્વ સુખોના અધિકારી બની શકે છે. શિષ્ય હું આજ સુધી એમ સમજતો હતો કે ઈશ્વર મહાન સમુદ્ર સમાન છે, અને તેની તુલનામાં આપણે એક બિંદુમાત્ર પણ નથી. ગુર:–ઉપાસનાને મર્મ જે હિંદુઓ સમજી શક્યા છે તે મર્મ કાઈ બીજી પ્રજા સમજી શકી નથી. આજકાલ એ પરમ રમણીય અને સાત્વિક ઉપાસના દુર્દે વવશાત આત્મપીડનરૂપે તથા શંગારરૂપે આપણામાં ફેરવાઈ ગઈ છે. શિષ્ય –મને એક વાત સમજાવો. મનુષ્યમાં યથાર્થ મનુષ્યત્વને અર્થાત સોંગસંપન્ન સ્વભાવને આદર્શ મળી આવતા નથી તેથી ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ એ વાત હું કબૂલ કરું છું; પરંતુ ઈશ્વર તે અનંતપ્રકૃતિમય છે. આપણી શુદ્ર પ્રકૃતિ તેને કેવી રીતે સ્પર્શી શકે? આપણી અપેક્ષાએ તેના ગુણે પણ અનંત અને વિસ્તાર પણ અનંત છે; તો પછી ક્ષુક વસ્તુને આદર્શ અનંતભાવમય ઈશ્વર કેવી રીતે બની શકે ? એ તે અનંત સમુદ્રને જોયા પછી તળાવની પાળ તેડી નાખવા જેવું અથવા અનંત આકાશને જોયા પછી ઘરના ચંદરવાને ફાડી નાખવા જેવું સાહસ ગણાય એમ હું ધારું છું. ગુર–ધર્મના ઈતિહાસની જરૂર દર્શાવવામાં આવે છે તે એટલાજ માટે. ધર્મના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy