SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાંત ચટજી,ઇન્દ્રનાથ બેનરજી, કાલીપ્રસન્ન ષ ગોવિંદચંદ્ર દાસ વગેરે મહાશયે પણ આવતા હતા. એ બધા ઉચ્ચ કોટીના લેખક ગણાતા હતા. એક દિવસ એક માણસે મહાત્મા ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સમક્ષ બંકિમબાબુની બહુ નિંદા કરી. વિદ્યાસાગર સ્વાભાવિક મંદ હાસ્યપૂર્વક આખર સુધી બધી વાત સાંભળી રહ્યા. સાંભળી રહ્યા પછી તેમણે કહ્યું “તમારી વાત સાંભળીને બકિમચંદ્ર ઉપર મને બમણી શ્રદ્ધા બેઠી છે. જે માણસ આખો દિવસ સરકારના કામમાં મશગુલ રહેવાની સાથે રાતદિવસ ખરાબ કામમાં પણ રોકાયેલા રહે તે માણસ પુસ્તકે લખવાનો વખત કયાંથી કાઢી શકે ? બે કિમ બાબુની ચોપડીઓથી તો મારા કબાટનું એક ખાનું ભરાઈ ગયું છે.” નિંદા કરનાર તો નીચું જ ઘાલી રહ્યો ! એક દિવસ સ્વર્ગસ્થ સર ગુરુદાસ બેનરજી બંકિમચંદ્રને મળવા ગયા હતા અને વચ્ચે તે વખતે બંગાળી ભાષાની તે સમયની સ્થિતિ સંબંધી થડા વાદવિવાદ થયે હતો. ગુરુદાસ બાબુએ તે વખતે કહ્યું હતું “બંગાળી ભાષાને આટલી સરળ બનાવી દેવાથી કામ નહિ ચાલે. તેના ગાંભીર્યનું પણ રક્ષણ અવશ્ય કરવું જોઈએ.” બંકિમચંદ્ર આનો કંઇ પણ જવાબ નહિ આપતાં ફકત થોડું હસ્યા. ત્યારબાદ બન્ને જણ ગાડીમાં બેસીને ફરવા ગયા. કલકત્તાની સડક હતી–આસપાસ અનેક દુકાન હતી. બંકિમચંદ્ર તે બતાવીને કહ્યું—“ બને પડખે દુકાનેની હાર છે.” ગુરુદાસ બાબુ જરા આશ્ચર્યચકિત થઈને બંકિમબાબુના મુખ તરફ જવા લાગ્યા. જોયું તો બકિમબાબુના હેડપર હાસ્યરેખા હતી. એટલે ગુરુદાસ બાબું સમજી ગયા કે બંગાળી ભાષામાં ગાંભીર્યનું રક્ષણ કરવાના ઉપદેશને આ માર્મિક ઉત્તર છે. બંકિમચંદ્રના એક પિતરાઈ ભાઈ હતા. તેમનું નામ રાખ્યાલચંદ્ર હતું. તેમણે જીરેટગઢમાં વિવાહ કર્યો હતો. ત્યાં તેમને એક સંબંધી હતું. તેનું નામ દ્વારકાદાસ ચક્રવતી હતું. તેઓ અકસર કાંટાલપાડામાં આવતા જતા હતા. બંકિમબાબુ સાથે પણ તેમને ગાઢ પરિચય હતો. બંકિમબાબુ જ્યારે હુગલીમાં ડેપ્યુટી મેજીસ્ટ્રેટ હતા અને નિત્ય હોડીમાં બેસીને ઘેરથી હુગલી જતા હતા, તે વખતે એક દિવસ દ્વારકાદાસે પણ બંકિમની સાથે હુગલી જવાની ઈચ્છા દર્શાવી. બંકિમે સહર્ષ કહ્યું “બહુ સારું. બન્ને જણ હેડીમાં બેઠા. રસ્તામાં દ્વારકાદાસ એક મુકઈમાની વિગત કહેવા લાગ્યા. મુકર્દમે ફેજિદારી હતી. બધી વિગત કહ્યા બાદ દ્વારકાદાસે કહ્યું:- બંકિમબાબુ, મારા એક મિત્રે આ મુકદ્દમો ચલાવ્યો છે. આપની કચેરીમાં તે મુકામે છે. આસામીને શિક્ષા કર્યા વિના ન છોડશે.” બંકિમબાબુ આવે અયોગ્ય આગ્રહ સાંભળીને તપી ઉઠયા. જ્ઞાનશુન્ય જેવા થઇ જઈને તેઓ પોકારી ઉઠયા–“ હેડી ભીડાવી દે.” પાસેજ રેતી હતી તેમાં માછીએ હેડી ભીડાવી દીધી. બંકિમે માછીને કહ્યું-“ આ માણસને હેડીમાંથી ઉતારી કાઢે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy