SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત લખતી વખતે તેઓ કોઇવાર વરસાદની તૈયારીવાળા વાદળની પેઠે ગંભીર તો કોઇવાર બાળકના જેવા ચંચળ દેખાતા હતા. કેઇવાર તેઓ એકાદજ લીટી લખીને તેને છેકી નાખતા; વળી કંઇ વિચાર કરતા અને પાછા લખવાનો પ્રયત્ન કરતા; અને પાછા કલામ આવી મૂકીને ઉભા થઈ જતા હતા. ઉઠીને કેાઇવાર આમ તેમ ફરતા તે કોઈવાર બારી પાસે ઉભા રહીને આઘેન મકાને જોતા; અને કેકવાર કોઈ પુસ્તક યા ચીજ ઉપર હાથ ઘસતા હતા. તે વખતે તેઓ બાહ્યજ્ઞાનરહિત થઈ જઈને આંતર જગતમાંજ તલ્લીન થઈ જતા હોય એવું મને નથી લાગ્યું. લખતી વખતે અમારામાંથી કોઈ બાળક તેમની પાસે જવું કે તેઓ કદી નાખુશ થતા નહિ. તે એટલે સુધી કે વાતચીત પણ કરતા હતા. ઘણું દિવસ એવા પણ જતા કે પ્રયત્ન કરવા છતાં તેઓ એક લીટી પણ લખી શકતા નહિ; અને જે લખતા તે તેને છેકી નાખતા. વળી બીજા હાથ પર એવા દિવસે પણ જતા કે જ્યારે તેમની કલમ પૂરવાળી નદીની પેઠે ઝડપથી ચાલ્યા કરતી; અને તેઓ બાહ્યજ્ઞાનરહિત થઈને પિતાના લેખન કાર્યમાં તન્મય બની જતા હતા.” - સાનકીભાંગાવાળા મકાનમાં બંકિમચંદ્રને એક દિવસ તેમના જમાઈ સ્વર્ગસ્થ કૃષ્ણધન મુકરજીએ પૂછ્યું કે “આપ આપની કૃતિઓમાંથી કયા પુસ્તકને શ્રેષ્ઠ માને છો ?” બંકિમે કહ્યું-“પહેલા તમે જ કહે.” કૃષ્ણધન બાબુએ હસીને કહ્યું-“હું મુખથી નહિ કહું-લખી રાખું છું. હું માત્ર એટલું જ જાણવા ઈચ્છું છું કે મારા મત સાથે આપને મત મળે છે કે નહિ.”ત્યાર બાદ જરા વિચાર કરીને બંકિમચંકે કહ્યું-“ કમલાકતનું દફતર.” કૃષ્ણધન બાબુએ પણ કાગળ ફેરવીને બતાવ્યું. તેમાં પણ લખ્યું હતું કે-કમલાકાતનું દફતર. - બંકિમના મૃત્યુ પહેલાં બે ચાર વર્ષ ઉપર એક દિવસ તેમની મેટી કન્યા શરત કુમારી દેવીએ તેમને કહ્યું હતું—“પિતાજી તમારા “વંદે માતરમગીતને લેકે બહુ પસંદ નથી કરતા. બંકિમે પૂછયું -“શું તુ પણ પસંદ નથી કરતી ?” કન્યાએ કહ્યું: “હા, એ તો મને પણ બહુ પસંદ નથી. એ મહાપુરુષે ગંભીર વાણીથી કહ્યું - “એક દિવસ-વીસ ત્રીસ વર્ષ પછી–એક દિવસ એવો આવશે કે એજ ગીત આખા બંગાળાને નવીન ભાવમાં તરબોળ કરી દેશે–બંગાળીઓની આંખો ખોલી નાખશે.” આ ભવિષ્યવાણી કેટલી સાચી પડી છે, તે આ દેશ જાણે છે. હવે તે બંગાળામાંજ નહિ પણ સમસ્ત ભારતવર્ષમાં આ ગીતના સૂર ગાજી રહ્યા છે. - બંકિમબાબુ છેલ્લા દિવસે માં જ્યારે સાનકી ભાંગાવાળા ઘરમાં રહેતા હતા ત્યારે દર રવિવારે નીચેના સાહિત્યસેવકો તેમને ત્યાં આવતા હતાઃ-ચંદ્રનાથ બસ, હેમચંદ્ર બેનરજી, રામકૃષ્ણ મુકરજી, યોગેન્દ્રનાથ ઘોષ, અક્ષયચંદ્ર સરકાર, કૃષ્ણબિહારી સેન, મુરલીધર સેન, નીલકંઠ મજમુદાર, દામોદર મુકરજી. કેઈ કોઈવાર તારાપ્રસાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy