SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૯ મે-ઇશ્વરભક્તિ-વિષ્ણુપુરાણ ૧૨૫ સ્વરૂપ! હે જગત કર્તા ! હે જનાર્દન ! આ બ્રાહ્મણોને આવા અસહ્ય દુ:ખમાંથી મુકત કરો. સકળ ભૂતમાત્રમાં આપજ એક સર્વત્ર વ્યાપક છે એવી મારી દઢ માન્યતા હોવાથી એ બ્રાહ્મણે મારા શત્રુ બનીને મને મારવા આવ્યા હતા, પરંતુ તેમને હું શત્રુરૂપે માની શક્યો નથી. તેમની રક્ષા કરે ! જેઓ મને વિષપાન કરાવવા માગતા હતા, જેઓ મને હાથી નીચે ચગદી નાખવા માગતા હતા, અને જેઓ મને બાળીને ભસ્મ કરવા ચાહતા હતા, તેઓ પણ મારા મિત્રો જ છે ! તેઓ પ્રત્યે જે મને અત્યારપત દેષભાવ ઉત્પન્ન થયો ન હોય અને મારે મૈિત્રીભાવ આદિથી અંતપર્યત જેને તેજ જળવાઈ રહ્યો હોય તો હે પ્રભો ! મારા એ સત્યના બળથી એ બ્રાહ્મણોને ઉદ્ધાર કરે.” તે પછી ઇશ્વરકૃપાથી બ્રાહ્મણો જીવતા થયા અને પ્રલ્હાદને આશીર્વાદ આપી પિતાના ગૃહ તરફ વિદાય થયા. આવી ઉદારકથા બીજી કોઈ ધર્મ સાહિત્યમાં મળવી અશક્ય છે. આ ઉન્નત ભકિતવાદ આર્યધર્મ સિવાય બીજો કોઈ પણ સ્થળે તું બતાવી શકશે ? આવા ઉન્નત ધર્મને અન્ય કોઈ પણ દેશમાં કોઈ પણ કાળે પ્રચાર થયે હેય, એમ હજી સુધી મારા જાણવામાં નથી. શિષ્ય –આપનું કહેવું યથાર્થ છે. રવધર્મના પ્રત્યેનો ત્યાગ કરીને સે પહેલાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરવાથી અમારું વિશેષ અનિષ્ટ થયું છે, એ વાતને હું સ્વીકાર કરું છું. * ગુર:–ભગવદ્દગીતામાં જે ભતાત્માને ક્ષમાશીલ-તેમજ-શત્રુમિત્રમાં તુલ્ય જ્ઞાની જણાવવામાં આવ્યા છે તે ભકતાત્મા વસ્તુત: કેવા પ્રકારનો હો જોઈએ, તેને તને કાંઈક ખ્યાલ આવી ગયો હશે. હિરણ્યકશિપુ પિતાના પુત્રનો આ અપૂર્વ પ્રભાવ જોઇને બહુજ ચકિત થયે, અને તેણે પ્રહાદને પૂછયું કેઃ “ તારામાં આ પ્રભાવ કેવી રીતે આવી શકો?” તેના ઉત્તરમાં મલ્હાદે જણાવ્યું કે:-“જેઓના હૃદયમાં અમ્યુત હરિ વિશેષરૂપે અવસ્થાન કરે છે તેમનામાં સ્વાભાવિકરીતે જ એવા પ્રભાવને પ્રવેશ થાય છે. જે મનુષ્ય બીજાનું અનિષ્ટ કરવાને સ્વપ્ન પણ વિચાર કરતો નથી, તેનું કદાપિ કોઈ * સુપ્રસિદ્ધ વિદ્વાન બાબુ પ્રતાપચંદ્ર મજુમદાર પિતાના “ઓરિયેન્ટલ કાઈટ” નામના ઉત્કૃષ્ટ ગ્રન્થમાં એવા ભાવનું લખે છે કેઃ “ જેઓ પોતાના પ્રાણ લેવા માગતા હતા, તેઓ પ્રત્યે દયા કરી ઇસુ ખ્રિસ્તે પ્રભુને પ્રાર્થના કરી કે: “ પિતા ! તેઓને ક્ષમા આપે; કારણ કે તેઓ પોતે શું કરે છે, તેનું તેમને પોતાને ભાન નથી. આવી આદર્શ મા બીજી કયી હેઈ શકે?”પરંતુ ઇસુ ખ્રિસ્તની દયા કરતાં પ્રલ્હાદની દયા કેટલી બધી ઉચ્ચ આદર્શ સ્વરૂપ છે, તેને તેલ ઉપલા જીવન-ચરિત્ર ઉપરથી વાચકોએ કરી લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy