SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ધમતવા ફળની પ્રાપ્તિ થાય છે, પણ ખુદ ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. ધ્રુવે ઉચ્ચપદની કામના રાખી ઈશ્વરની ઉપાસના કરી હતી તેથી તેને પણ તેવું જ ફળ મળ્યું. તેની ઉપાસનાને નીચલી શ્રેણીની ઉપાસના કહી શકાય, પરંતુ તેને ભકિત તે નજ કહી શકાય. પ્રહાદની ઉપાસના સંપૂર્ણ ભકિતમય હતી, તેથી તેને મુકિત મળી. શિષ્ય કેટલાકે તે એમ કહે છે કે ખરે લાભ તે તેમાં ધ્રુવને જ થયો. મુકિત એક પ્રકારનો પારલૌકિક લાભ છે, અને તેની સત્યતા કે યથાર્થતા માટે પણ અનેક સંશયો છે. આવા ભકિતમય ધર્મની લો કે કદર કરે એવી મને તે સંભાવના જણાતી નથી. ગુરુ-મુકિતનું સત્ય સ્વરૂપ તું ભૂલી ગયો જણાય છે. આજ લોકમાં અનેક મનુષ્યો મુકિત પ્રાપ્ત કરી ચૂક્યા છે અને કરી પણ શકે છે. જેનું ચિત્ત શુદ્ધ હેય અને દુઃખનો જેને સ્પર્શ થતા ન હોય તે આ લેકમાં પણ મુક્તાત્મા જ છે. એક મહાન ચક્રવતી રાજા પાસે અતુલ સત્તાસંપત્તિ હોય છે તો પણ તે દુઃખથી મુક્ત રહી શકતા નથી, પરંતુ એક મુકત જીવ પાસે એક કેડી ન હોવા છતાં પણ તે સુખી રહી શકે છે; કારણ એનું સ્પષ્ટ તેમજ બુદ્ધિમાં ઉતરી શકે તેવું છે. જે મનુષ્ય પિતાના આત્મા ઉપર વિજય મેળવે તે મનુષ્ય વિશ્વ ઉપર વિજય મેળવી શકે એમાં આશ્ચર્ય જેવું જ શું છે ? ચક્રવતી રાજાને કેવા પ્રકારનું સુખ હોય તે કાઈથી કહી શકાય નહિ, અથવા તો તે બહુ સુખી જ હેય એ બનવાગ્ય નથી; પરંતુ મુકતાત્મા અર્થાત સંયમી–વિશુદ્ધ ચિત્ત મહાત્મા પિતાના હૃદયમાં કેવું અને કેટલું સુખ ભોગવે છે તેનું વાણીથી વર્ણન થઈ શકે નહિ. મુક્તાત્મા આ જગતમાં પણ સુખપૂર્વક રહી શકે છે. એટલાજ માટે મેં તને એક પ્રસંગે કહ્યું પણ હતું કે ધર્મ સિવાય સુખ પ્રાપ્તિનો અન્ય એકકે ઉત્તમ માર્ગ નથી. મુક્તાત્માની સકળ વૃત્તિઓ સંપૂર્ણ સ્કૃતિ પામી ચૂકી હોય છે, અને તેની સાથે તેનું સામંજસ્ય પણ સુરક્ષિત રહેલું હોય છે, તેથી જ તેને મુક્ત કહેવામાં આવે છે. જેની વૃત્તિઓ સંપૂર્ણ સ્મૃતિ નથી પામી હતી તે કાં તો અજ્ઞાન હોય છે, કાં તો અસમર્થ હોય છે અને કાં તો મલિન ચિત્તવાળા હોય છે. તેથી તે મુક્ત થઈ શકતો નથી. શિષ્યઃ- મને તો એમ લાગે છે કે એવી જીવન્મુકિતની કામનાએજ ભારતવર્ષને અધોગતિની ઉંડી ખાઈમાં ફેંકી દીધું છે, કારણ કે જેઓ જીવમુક્ત બને છે અથવા તે જીવન્મુક્ત બનવાની સાધનાઓ કરે છે તેઓ સાંસારિક બાબતોમાં જેવું જોઈએ તેવું લક્ષ આપી શકતા નથી, અને તેથી પરિણામે દેશની અવનતિ થાય છે. ભારતવર્ષની અવનતિનું પણ તેજ કારણ હોય એમ મને લાગે છે. - ગુર–મુક્તિનું યથાર્થ તાત્પર્ય નહિ સમજી શકવાને લીધે જ એવા ભૂલભરેલા ખ્યાલ તમારામાં ભરાઈ પેઠા છે. જેઓ મુક્તાત્મા હોય છે, અથવા તે જેઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy