SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૯ મો-ઇશ્વરભાત-વિષ્ણુપુરાણ ૧૧૭ મુક્તિમાર્ગના મુસાફરો હેય છે, તેઓ સંસારમાં નિલેપભાવથી રહે છે, એ વાત સત્ય છે, પરંતુ તેઓ નિષ્કામભાવથી પણ પિતાનાં કર્તવ્યો કર્યા વિના તે રહેતા નથીજ એ વાત ખાત્રીપૂર્વક માની લેવી. મહાત્માઓનાં નિષ્કામ કર્મો સ્વદેશનું તથા જગતનું જેટલું કલ્યાણ કરી શકે છે તેટલું સકામ કર્મ કરનારાઓનાં કામેથી દેશનું કે જગતનું મંગળ થઈ શકતું નથી. નિષ્કામ કર્મવીરની સમસ્ત વૃત્તિઓ વિકસિત તેમજ સ્ફતિયુક્ત બની ચૂકી હોય છે તેથી તેઓ જેટલા દક્ષ તથા પ્રબળ પરિશ્રમી હોય છે તેટલા બીજા કઈ હોઈ શકે નહિ. અગાઉ શ્રીમદ્ ભગવદ્દગીતાનું એક વાક્ય ઉધૂત કરીને મેં તને બતાવી આપ્યું છે કે દક્ષતા એજ ખરા ભગવદ્ભકતોનું એક લક્ષણ છે. અને જેઓ દક્ષ હેવાની સાથે નિષ્કામ કર્મયેગી હેય તેઓ સ્વજાતિનું તથા જગ નું જેટલું હિત કરી શકે તેટલું અન્ય કોઇથી કેઇ કાળે નજ થઈ શકે, એમ કહેવાની જરૂર નથી. આ દેશનાં સમસ્ત મનુષ્યો જ્યારે મુક્તિમાર્ગનું અવલંબન લેશે ત્યારેજ ભારતવણી ય પ્રજા જગતમાં શ્રેષ્ઠ પ્રજા તરીકેનું ઉચ્ચ પદ દીપાવશે. મુક્તિતત્ત્વને યથાર્થ ભાવ આજકાલ આપણામાં વિલુપ્ત થઈ ગયો છે, તેટલાજ માટે આ અનુશીલનવાદદ્વારા તેનો પુનરુદ્ધાર કરી તારા જેવા યુવકોના હૃદયમાં તેનો અભિષેક કરવા માગું છું. શિષ્યપ્રહાદચરિત્રની જે સમાલોચના આપ કરવાના હતા, તે તે એક બાજુએજ રહી ગઈ ! ગુસઃ–પ્રહાદચરિત્ર વિષે વિસ્તારથી બલવાની મને ઈચ્છા નથી, તેમજ તેટલી જરૂર પણ નથી. માત્ર પ્રહાદના જીવનની એક વાત બહુ લક્ષમાં લેવા જેવી છે, તે જ કહીશ. મેં કહ્યું છે કે-“ હે ઈશ્વર, અરે પ્રભુ ! ” એવી માત્ર મેઢાની બૂમો પાડવાથીજ ઈશ્વરની પ્રાપ્તિ થઈ જતી નથી. જે આત્મજયી પુરુષ સર્વ ભૂતમાત્રને પિતાનાજ આત્મા સમાન લેખે અને સર્વજનના હિતાર્થે તહલીન રહ્યા કરે, એટલું જ નહિ પણ શત્રુ તથા મિત્રમાં સમાનભાવ રાખી શકે, તેજ નિષ્કામકમ અને યથાર્થ ભક્ત પુરુષ છે. ભગવદ્દગીતામાં પણ એજ મહત્ત્વની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રહાદચરિત્ર તેનું જ એક જવલંત ઉદાહરણ છે. બીજ શબ્દોમાં કહું તે ભગવદ્ગીતામાં જે વાત ઉપદેશના રૂપમાં છે તે જ વાત વિષ્ણુ પુરાણમાં વાર્તાના રૂપમાં છે. જે શ્રીમદ્ ભગવદ્દગીતામાં ભતાત્માનાં જે લક્ષણો કહ્યાં છે તે તું ભૂલી ગયા હોઇશ એમ ધારી પુનઃ એકવાર તારી પાસે કહી જાઉં છું. નીચેનાં લક્ષણો તારી યાદશક્તિમાં બરાબર સંગ્રહી લે -- + અહીં આ વાત પણ વાચક બંધુઓના ખાસ લક્ષપર લાવવા જેવી છે કે શ્રીમદ્ભાગવતમાં તે વળી ભગવદ્દગીતાના ઉપદેશનેજ અમલમાં આવેલ દર્શાવી આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy