SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૮ મે-શારીરિક વૃત્તિ પs ગુસ-ના. તેમ નથી. સમસ્ત વૃત્તિઓના યથાયોગ્ય અનુશીલનને પરસ્પરના અનુશીલન સાથે ઘણો ગાઢ સંબંધ રહે છે. કેવળ માત્ર જ્ઞાનાર્જની વૃત્તિઓનું ગ્ય અનુશીલન થયું હોય તે જ શારીરિક વૃત્તિનું અનુશીલન થઈ શકે એવું તો છેજ નહિ. એની સાથે કાર્યકારિણી વૃત્તિઓનું પણ યોગ્ય પ્રમાણમાં અનુશીલન થવું જોઈએ. કર્યું કાર્ય કેવી રીતે કરવા ગ્ય છે, કયી વૃત્તિનું કેવી રીતે અનુશીલન થઈ શકે, તેમજ અનુશીલનની આડે આવતા વ્યાઘાત કેવી રીતે દૂર કરી શકાય વિગેરે વિષયોનું જ્ઞાન મેળવવા માટે જ્ઞાનાર્જની વૃત્તિની પણ આવશ્યકતા છે. જ્ઞાન વિના તો તું ઈશ્વરને પણ ન ઓળખી શકે, પરંતુ એ વાત હમણા રહેવા દે. શિષ્ય:–નહિ, એ વાતને એટલેથીજ મૂકી દઈ શકાય નહિ. કારણ કે એક પ્રકારની વૃત્તિનું અનુશીલન બીજી વૃત્તિના અનુશીલન સાથે ઘણે ગાઢ સંબંધ ધરાવે છે. તો પછી સૌ પ્રથમ કઈ વૃત્તિનું અનુશીલન કરવું તેનો નિર્ણય કેવી રીતે કરે ? ગુરુ-સઘળી વૃત્તિઓનું યથાસાધ્ય અનુશીલન એકી સાથે એક જ વખતે શરૂ કરી દેવું જોઈએ. અર્થાત-શૈશવાવસ્થામાં. શિષ્ય:–એ તે બહુ નવાઈની વાત ! કઈ વૃત્તિનું કેવી રીતે અનુશીલન કરવું તેની તે શૈશવાવસ્થામાં કોઈને ખબર પણ ન હોય ! તે પછી એકી સાથે સમગ્ર વૃત્તિઓનું અનુશીલન કેવી રીતે કેઈ કરી શકે ? ગુર–એટલાજ માટે શિક્ષકની સહાયતા લેવી જરૂરની છે. શિક્ષક અને શિક્ષણ વિના કોઈ મનુષ્ય યથાર્થ મનુષ્યત્વ પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી થઈ શકે નહિ. શિક્ષકને આશ્રય લે એ તો સર્વનું મુખ્ય કર્તવ્ય છે. માત્ર બાલ્યાવસ્થામાં જ નહિ પણ ચિરકાળને માટે આપણે અન્યની પાસેથી શિક્ષણ લેવા તૈયાર રહેવું જોઈએ. હિંદુશાસ્ત્રમાં ગુરુની પદવીને માટે જે બહુ મહત્વ આપવામાં આવ્યું છે તે છેક નિરર્થક નથી, એટલું જ નહિ પણ બહુ રહસ્યાત્મક છે, એમ કહું તે પણ વધારે પડતું નથી. આજે આપણી મધ્યમાં જેવા જોઈએ તેવા ગુરુઓ મળી આવતા નથી, તેમજ જેવું જોઈએ તેવું ગુરુનું સન્માન થતું નથી તેટલાજ માટે આજે આપણે સમાજની આટલી બધી અવનતિ થઈ છે. ભક્તિવૃત્તિના અનુશીલનવિષે જ્યારે હું ઉપદેશ કરીશ તે વખતે આ વિષય યાદ કરજે. હમણું તે મૂળ વાત ઉપરજ આવીશ. પ્રત્યેક વૃત્તિને અન્ય પ્રકારની વૃત્તિ સાથે બહુ નજીકને સંબંધ હોવાથી શારીરિક વૃત્તિના અનુશીલનની ઘણી જ અગત્ય છે. જે શારીરિક વૃત્તિને યોગ્ય પ્રમાણમાં કેળવવામાં ન આવે તે રોગતા પાદિ વિો ધર્મકાર્યમાં નડયા વિના ન રહે એ વાત હું તને સમજાવી ગયો છું. જ્ઞાનાની વૃત્તિને પણ શારીરિક વૃત્તિની સહાય સ્વીકાર્યા વિના ચાલતું નથી. કારણ કે જે શરીર જેવું જોઈએ તેવું સુદઢ ન હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy