SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્વ નાનેજ માત્ર ધર્મ કહે છે, એટલું જ નહિ પણ ક્રિશ્ચિયન ધર્મ કે ઇસ્લામધર્મરેજ ધર્મ કહેતો હે તે તે દરેક ધર્મને માટે શારીરિકવૃત્તિના અનુશીલનની પણ અનિવાર્ય જરૂર છે. અલબત્ત, શારીરિકી વૃત્તિઓને ખૂબ કેળવવી એવો મુખ્ય અને ખુલે ઉપદેશ કોઈ ધર્મમાં નથી, છતાં ધર્મમાં જે વિઘો નડે તે વિદને નાશ કરવા અર્થે તેની પણ ઘણીજ જરૂર છે, એમ તને લાગ્યા વિના રહેશે નહિ. આ વાત કોઈ ધર્મવેત્તાએ કદાપિ સ્પષ્ટરૂપે ઉપદેશી નથી; પરંતુ અત્યારનો કાળ એ છે કે હવે તે વાત ખાસ કરીને સ્પષ્ટ રીતે કહ્યા સિવાય ચાલતું નથી. શિષ્ય-ધર્મમાં વિદત હાઈજ કેમ શકે? અને કદાચ વિન આવતું હોય તો શારીરિકી વૃત્તિનું અનુશીલન તેને કેવી રીતે દૂર કરી શકે તે સમજાવે. ગુરુ-દાખલાતરીકે પ્રથમ રોગને જ લે. રોગ એ ધર્મમાં મોટામાં મોટું વિઘ છે. જે શ્રદ્ધાળુ હિન્દુ રોગના પંજામાં સપડાઈ જાય તે મનુષ્ય યાગયજ્ઞ, વ્રત-નિયમ કે તીર્થદર્શન વિગેરે કઈ કરી શકે નહિ એ તે સ્પષ્ટજ છે. જે શ્રદ્ધાળુ હિન્દુ પરોપકારાદિ સદનુકાનને ધર્મ માનતા હોય તેને માટે પણ રોગ એક મહાન વિજ્ઞરૂપ છે. મતલબ કે રોગને લીધે જે મનુષ્ય પોતે જ અશક્ત હોય તે બીજાને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે જે મનુષ્યો એમ માનતા હોય કે ધર્મને માટે હાથ–પગ હલાવવાની કશી જરૂર નથી- માત્ર ઈશ્વરનું ધ્યાનજ કર્યા કરવું તેજ યથાર્થ ધર્મ છે તેને માટે પણ રોગ એ ધર્મમાં અંતરાયરૂપ છે. કારણ કે રોગી મનુષ્ય ઈશ્વરસંબંધી જેવું જોઈએ તેવું ધ્યાન કરી શકતા નથી. રોગની વેદનાને લીધે તેનું મન એકાગ્ર થઈ શકતું નથી. શારીરિક વેદનાનું પ્રાબલ્ય એટલું બધું છે કે ચિત્તને તે વિચલિત કે પરાજીત કર્યા વિના રહેતું નથી. રોગ એ કર્મયોગીઓના કર્મમાં મહાન વિન રૂપ છે. જ્ઞાનયોગીઓના જ્ઞાનયોગમાં વિધ્વરૂપ છે, અને ભક્તોની ભક્તિમાં પણ વિનરૂપ છે. ટુંકમાં રોગ એ ધર્મનું પરમ વિદ્ધ છે. સમસ્ત શારીરિકી વૃત્તિઓને બરાબર ખીલવવામાં ન આવે તે જ રોગ થાય, એ વિષય, હું ધારું છું કે તને વિશેષ વિસ્તારપૂર્વક સમજાવવાની જરૂર નથી. શિષ્ય –આ વિષયની શરૂઆતમાં જ શરીરને વિશેષ શરદી લાગવા દેવી એને આપે અધર્મ કહ્યો હતો. શરદી લાગવા દેવી એને પણ શું અનુશીલનને અભાવ કહી શકાય ? | ગુસર–શારીરિક તને તેં અભ્યાસ કર્યો હશે તો તું સમજી શકશે કે શરદી એ ત્વચા ઇન્દ્રિયના સ્વાથ્યકર અનુશીલનમાં એક વિન અથવા વ્યાઘાત સમાન છે. શિષ્ય આપના કહેવા ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે જ્ઞાનાર્જની વૃત્તિનું જ્યાં સુધી બરાબર અનુશીલન થાય નહિ ત્યાં સુધી શારિરીક વૃત્તિનું પણ યથાયોગ્ય અનુશીલન થઈ શકે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy