SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ધર્મતત્વ તે જ્ઞાનાર્જની વૃત્તિને વેગ્ય પિષણ મળી શકે નહિ. સર્વ કઈ સારી રીતે જાણે છે કે જે શારીરિક શક્તિઓ બળવાન અને પુષ્ટ ન હોય તે માનસિક શક્તિઓ પણ બળવાન અને પુષ્ટ થઈ શકે નહિ–અથવા તે સંપૂર્ણ વિકાસ પામી શકે નહિ. જેવી રીતે શારીરિક આરોગ્ય સુરક્ષિત રાખવાને માટે માનસિક આરોગ્યની જરૂર છે, તેવી જ રીતે માનસિક સ્વાસ્થના રક્ષણને માટે શારીરિક સ્વાથ્યની જરૂર છે. યુરોપિયન વિદ્વાનોએ અને વિજ્ઞાનવાદીઓએ શરીર તથા મનને આ સંબંધ બહુ ઉત્તમ રીતે સિદ્ધ કર્યો છે. ખાપણી કોલેજોમાં અને શાળાઓમાં અત્યારે જે શિક્ષણ અપાય છે તેમાં જે કોઈ મુખ્ય અને મહાન દેવ હોય તો તે એજ છે કે ત્યાં વિદ્યાર્થીઓની શારીરિક ખીલવણી તરફ ઘટતું લક્ષ અપાતું નથી. એ દોષને લીધે જનસમાજની શારીરિક અવસ્થા શોચનીય બનતી જાય છે, તેની સાથે માનસિક અધ:પતન પણ શરૂ થાય છે, અને ધર્મને આધાર માનસિક શકિત ઉપર રહેલો હોવાથી ક્રમે ક્રમે ધર્મની પણ અધોગતિ થવા લાગે છે. - ત્રીજું વિન તે ઉકત વિન કરતાં પણ અધિક મહત્વનું છે. જેની શારીરિક વૃત્તિઓ બરાબર કેળવાતી નથી તે મનુષ્ય પોતાની આત્મરક્ષા કરી શકતો નથી. હવે તું વિચાર કરી છે કે જે મનુષ્ય પોતાની આત્મરક્ષા બરાબર ન કરી શકે તે મનુષ્ય નિવિદને ધર્માચરણ કેવી રીતે કરી શકે? પ્રત્યેક વસ્તુની પાછળ શત્રુઓ તથા લૂંટારાઓ તે લાગેલાજ હોય છે, અને તેઓ પ્રસંગે પાત ધર્માચરણમાં હરકત કર્યા વિના રહેતા નથી. તે ઉપરાંત જેઓ પોતાના બાહુબળથી દુષ્ટનું દમન કરી શક્તા નથી તેઓને નિબળતાને લઈને આત્મરક્ષા અથે અધર્મનું અવલંબન પણ લીધા વિના ચાલતું નથી. આત્મરક્ષા મનુષ્યને એવી તો પ્રિય હોય છે કે પરમ ધાર્મિક મનુષ્ય પણ સીધી નહિ તે આડકતરી રીતે પણ કટોકટીના વખતમાં અધર્મનું અવલંબન લીધા વિના રહેતા જ નથી. મહાભારતકારે “શ્વથામા હતઃ તિ જા” એ વાતમાં તેનું બહુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.* બાહુબળવડે દ્રોણાચાર્યને પરાભવ કરવામાં અસમર્થ નીવડ્યા એટલે યુધિષ્ઠિર જેવા પરમ ધાર્મિક પુરુષને પણ મિથ્યા વાત કહીને તેમને છેતરવાની જરૂર પડી. શિષ્ય:–પ્રાચીનકાળમાં એવા પ્રસંગે આવતા હોય, પરંતુ અત્યારના જમાનામાં તે રાજા પોતે સર્વનું રક્ષણ કરવાને બંધાયેલ છે. આત્મરક્ષા માટે અત્યારે સર્વ કેઇને બળવાન બનવાની શું જરૂર છે ? ગુસ–રાજા સર્વની રક્ષા કરે એવો નિયમ છે ખરે, પરંતુ વસ્તુતઃ કાર્ય માં - ક “અશ્વત્થામા હર તિ ” એવા શબ્દો મહાભારતમાં નથી. “તઃ ” એ પ્રમાણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy