SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ अध्याय-८ मो शारीरिक वृत्ति શિષ્ય–આપની આટલી વાત ઉપરથી “ અનુશીલન” એટલે શું એ વિષય સમજાય. “સુખ” એટલે શું એ પણ સમજાયું. તેની સાથે સુખ એ અનુશીલનને ઉદ્દેશ અને સામંજરય એ તેની સીમા, એ વાત પણ લક્ષમાં આવી ગઈ; પરંતુ વૃત્તિઓના અનુશીલન સંબંધે આપે હજી સુધી કાંઈ કહ્યું નથી. અર્થાત વૃત્તિઓને કેવી રીતે કેળવવી તે વિષે આપે કાંઈ ઉપદેશ આપ્યો નથી. કયી વૃત્તિને કેવી રીતે કેળવવી તે વિષે કઈ ઉપદેશ આપવાની જરૂર હેય એમ આપને નથી લાગતું? ગુર–એ વિષય શિક્ષણશાસ્ત્રને છે. શિક્ષણશાસ્ત્ર પણ ધર્મશાસ્ત્રમાં આવી જાય છે; પરંતુ આજની આપણી ચર્ચામાં એને માટે સ્થાન નથી. આપણો ઉદેશ તે માત્ર એટલેજ છે કે ધર્મ એટલે શું એ વિષય બરાબર સમજી લેવો. વિષયાંતર ન થાય તેટલા માટે શિક્ષણસંબંધે જેટલું કહેવા યોગ્ય હશે તેજ હાલ તો કહીશ. વૃત્તિ ચાર પ્રકારની છે. (૧) શારીરિકી, (૨) જ્ઞાનાર્જની (૩) કાર્યકારિણી, અને (૪) ચિત્તરંજિની. સૌ પહેલાં શારીરિક વૃત્તિના સંબંધમાં બોલીશ; કારણ કે જીવનમાં એજ વૃત્તિનું રપુરણ સૌ પ્રથમ અનુભવાય છે. શારીરિક વૃત્તિની કુર્તિમાં અને પરિતૃપ્તિમાં જે સુખ છે તે વિસ્તારથી સમજાવવાની ભાગ્યેજ જરૂર છે, પરંતુ ધર્મની સાથે તેને સંબંધ કેવા પ્રકારને હોઈ શકે એ વાત બહુ અગત્યની હેવાથી હું તેજ વિષય હાથમાં લઈશ. શિષ્ય –વૃત્તિને કેળવવી અને ખીલવવી એ ધર્મ છે, એમ ઘણાખરા માણસો વિશ્વાસપૂર્વક માનતા નથી; તેટલાજ માટે આપને એ વિષય ચર્ચવાની જરૂર પડી છે ને? ગુ–કઈ કઈ યૂરોપીયન અનુશીલનવાદી, વૃત્તિના અનુશીલનને ધર્મ અથવા તે ધર્મને અંશ માનવાને તૈયાર જણાય છે, પરંતુ શારીરિક વૃત્તિના અનુશીલનની જરૂર હોય એવું છે તેમાંના કેઈએ કહ્યું નથી. શિષ્ય –તે પછી આપને જ એમ કહેવાની શામાટે જરૂર પડી ? ગુર–જે સર્વ પ્રકારની વૃત્તિઓનું અનુશીલન એ ધર્મ હેય તે પછી શારીરિક વૃત્તિઓનું અનુશીલન એ પણ ધર્મમાંજ આવી જવું જોઈએ; પરંતુ અત્યારે એ વાતને એક બાજુએ રહેવા દે. જગતમાં જેને સર્વત્ર ધર્મ કહેવામાં આવે છે તેમાંના તું ગમે તે મતવિષે વિચાર કરશે તે તો જણાશે કે શારીરિક વૃત્તિના અનુશીલન માટે કયાંઈ ઉપેક્ષા કે બેદરકારી બતાવવામાં આવી નથી. યાગયા, વ્રતઅનુષ્ઠાન, તથા ક્રિયાકલાપ વગેરેને જે તું ધર્મ કહેતે હે; જે દયા–દાક્ષિણ્ય, પરેપકાર વિગેરેને તું ધર્મ લેખતે હૈ, અગર તે દેવતાની ઉપાસના કિંવા ઈશ્વર પાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy